SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩૪ આગમ કથાનુયોગ-૨ બ્રાહ્મણની આટલી જ યોગ્યતા જણાય છે. પછી પોતાના ઘેર ભોજન કરાવી એક દીનાર દક્ષિણા આપી. રાજાની આજ્ઞાથી તે બ્રાહ્મણે ભરતક્ષેત્રમાં અનુક્રમે બધે ઘેર ભોજન કરવા માંડ્યું. તે રોજ વિચારતો કે બધે ઘેર જમીને પછી રાજાને ઘેર જમીશ. એ રીતે ચિરકાળે પણ રાજભોજન ન મળ્યું. એ રીતે વ્યર્થકાળ ગુમાવતો તે બ્રાહ્મણ અન્યદા મૃત્યુ પામ્યો. (* આ કથા માનવભવની દુર્લભતાના દશ દષ્ટાંતોમાં પણ આવે છે પણ તેમાં કેટલુંક કયાંતર પણ જોવા મળે છે. તે આ પ્રમાણે-) સંસારના ઇન્દ્રિયોના વિષયસુખ ભોગવવાની તૃષ્ણાવાળો, તેના જ ચિત્તવાળો, તેની જ લેશ્યાવાળા બ્રહ્મદત્તને કિંચિત્ ઉણ સાતસો વર્ષ પસાર થયા. કોઈ સમયે બ્રાહ્મણ ઉપરોક્ત વર્ણન અનુસાર વરદાન પ્રાપ્ત કર્યું અને તે ભોજન કરવા લાગ્યો. પછી તેણે રાજાનું ચિત્ત પ્રસન્ન કરી એક વખત માગણી કરી કે, મને આપ કરો છો તે ભોજન કરાવો. રાજાએ કહ્યું કે, મારું ભોજન એક વર્ષની મહેનતથી તૈયાર થાય છે. તે પચાવવાની તારી શક્તિ નથી. ચક્રવર્તી માટે તૈયાર થતી ખીર તું પચાવી નહીં શકે. તેના પરિણામે મનુષ્યના શરીરમાં કામદેવનો તીવ્ર ઉન્માદ ઉત્પન્ન થાય છે. – બ્રાહ્મણે કહ્યું કે, આપ આટલું અલ્પ ભોજન કરાવવા પણ સમર્થ નથી. ચક્રીએ આવેશમાં આવીને પોતાના ભોજનમાંથી અલ્પ ભોજન કરાવ્યું. બ્રાહ્મણ ઘેર ગયો. રાત્રે તે ભોજનના લીધે તેને મહા ઉન્માદ થયો. તેથી માતા, પત્ની, પુત્રી, બહેનનો તફાવત જાણ્યા સિવાય ઉન્માદથી મત્ત બનેલા તેણે તે બધાંની સાથે બળાત્કારે રતિક્રીડા કરી. એમ પ્રાત:કાળ સુધી બધાં સાથે ક્રીડા કરતો રહ્યો. જ્યારે ચક્રીનો આહાર જીર્ણ થયો ત્યારે પોતાનું ચરિત્ર વિચારવા લાગ્યો. પોતાના વર્તનથી લજ્જા આવી. ઘરનાને મુખ બતાવવા લાયક ન રહ્યો. ઘરની બહાર નીકળી ગયો. તે વિચારવા લાગ્યો કે આ ચક્રીએ મને ભ્રષ્ટ કરી દીધો. તે નગરની બહાર નીકળી ગયો. ભમતા–ભમતા તેણે એક ગોપાલ બાળક વડ નીચે બેઠેલો જોયો. તે દૂરથી કાંકરા વડે પીપળાના પાન વીંધતો હતો. બ્રાહ્મણને થયું કે, આ મારું કાર્ય કરવા માટે સમર્થ છે. તેણે તે બાળકને સન્માન કરી, દાન આપી વચનો દ્વારા વશ કર્યો. કોઈ વખત ચક્રવર્તી પોતાના રસાલા સહિત બહાર નીકળ્યો. બ્રાહ્મણના સમજાવ્યા પ્રમાણે તે ગોવાળ–બાળક કોઈ દેવગૃહમાં કોઈ ન દેખે તેમ છૂપાઈ ગયો. તેણે ગોફણથી તાકીને બે ગોળી મારી જેનાથી પરપોટાની જેમ રાજાની બંને આંખો બહાર નીકળી ગઈ. ચારે બાજુ તપાસ કરતા તે ગોપાળ–બાળકને જોયો. જ્યારે તેને મારવામાં આવ્યો ત્યારે તેણે બ્રાહ્મણનું નામ આપ્યું. ત્યારે રાજાએ તે ગોપાળ–બાળકને તથા તે બ્રાહ્મણને પુત્ર, મિત્ર, બંધ આદિ સહિત મરાવી નંખાવ્યો, રાજાએ બીજા પણ પુરોહિત, ભટ્ટ, બ્રાહ્મણાદિ પરત્વે અતિશય ક્રોધાંધ થઈ સર્વેને મરાવી નખાવ્યા, તો પણ તેનો રોષ શાંત ન થયો. પછી મંત્રીઓને આજ્ઞા કરી કે, બ્રાહ્મણોના નેત્રો ઉખેડીને વિશાળ થાળ ભરીને મને અર્પણ કરો, જેથી મારા હાથેથી તેને મસળીને આનંદ માણું. અતિ રોષવાળા અને રોઢ પરિણામી રાજાની વાત સાંભળીને મંત્રી ગુંદાના ઠળિયા ભરેલો થાળ હાથમાં અર્પણ કરે છે. ચક્રી વારંવાર તેને મસળતા અત્યંત આનંદ અનુભવવા લાગ્યો. સ્ત્રીરત્નના સ્પર્શમાં પણ તેને એટલો આનંદ થતો ન હતો, જેટલો આનંદ તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy