________________
કૃષ્ણ – બલભદ્ર – જરાસંધ
૧૬૧
વાળ વડે પકડીને કૃષ્ણ કંસને પૃથ્વી પર પાડી દીધો. તેનો મુગટ પડી ગયો, વસ્ત્રો ખસી ગયા. નેત્રો ભયથી સંભ્રમ પામી ગયા. કૃષ્ણ કંસને કહ્યું કે, અરે અધમ ! તેં તારી રક્ષાને માટે વૃથા ગર્ભની હત્યાઓ કરી, હવે તું રહેવાનો નથી. તે વખતે દોડી આવેલા કંસના સુભટોને રામે માંચડાનો એક સ્તંભ ઉખેડી તેના વડે બધાંને નસાડી મૂક્યા. પછી કૃષ્ણ કંસના મસ્તક પર પગ મૂકીને તેને મારી નાંખ્યો.
૦ કંસના આગમ સંદર્ભ :આયા.મૂ. ૬૩ની વ
સૂય.....પૃ. ૩૪૦;
પહા. ૧૯; પપ્પા.મૂ. ૨૦ની વૃ.
આવ.ચૂ.૧–પૃ. ૩૫૭;
ઉત્ત.ભાવ.વૃ. ૦ પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) જરાસંઘનો વધ :
રાજા બૃહદ્રથનો પુત્ર જરાસંધ હતો. તે પ્રચંડ આજ્ઞાવાળો અને ત્રણ ખંડ ભારતનું રાજ્ય ભોગવતો પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) હતો. તેને જીવયા નામે પુત્રી હતી. કંસનું પરાક્રમ જોઈને તેણે જીવયશા કંસને પરણાવેલી હતી, જ્યારે કૃષ્ણ કંસને મારી નાખ્યો ત્યારે તે જીવયાએ પ્રતિજ્ઞા કરેલી કે, રામ, કૃષ્ણ અને દશાર્ડોને હણાવ્યા પછી જ તેણી તેના પતિનું પ્રેત કાર્ય કરશે. અન્યથા તેણી અગ્રિમાં પ્રવેશ કરશે. આવી પ્રતિજ્ઞા લઈ તેણી મથુરાથી નીકળી પોતાના પિતા જરાસંધ પાસે રાજગૃહીમાં આવેલી. અફાટ રૂદન કરતી જીવયશાને જરાસંધે જોઈ ત્યારે પુત્રીને રૂદનનું કારણ પૂછતાં તેણીએ અતિમુક્ત મુનિની ભવિષ્યવાણીથી લઈને કંસના ઘાત સુધીનો સર્વ વૃત્તાંત જરાસંધને જણાવ્યો.
જરાસંધે પુત્રીને વચન આપ્યું કે, તે કંસના સર્વ ઘાતકોને સપરિવાર મારી નાખશે. ત્યારે જીવયશા શાંત થઈ. પ્રતિશત્રુ જરાસંધે તેના માંડલીક રાજા સમુદ્રવિજયને આજ્ઞા કરી કે, કંસની હત્યા કરનારા રામ અને કૃષ્ણને સોંપી દો. સમુદ્રવિજયે કંસે કરાવેલી વસુદેવના છ પુત્રોની હત્યાની વાત જણાવી. તો પણ જરાસંધનો દૂત ન માન્યો. એટલે દશાર્ણપતિ બધા યાદવોને ભેગા કરીને જરાસંધની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. જરાસંધે તેના પુત્ર સહદેવ વગેરેને લડવા મોકલ્યા. વનમાં અતિમુક્તમુનિ મળ્યા. ત્યારે સમુદ્રવિજય આદિએ તેમને વંદન-સત્કાર આદિ કરી પૂછયું કે, આ યુદ્ધનું પરિણામ શું આવશે? ત્યારે મુનિએ કહ્યું કે, આ રામ બલદેવ અને કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરી વસાવીને રહેશે. જરાસંધનો વધ કરી અર્ધ ભારતના સ્વામી થશે.
પછી સમુદ્રવિજય રામ અને કૃષ્ણ સહિત અઢાર કુળકોટિ યાદવોને લઈને રૈવતક ગિરિ તરફ આવ્યા. ત્યાંથી આગળ વાયવ્ય દિશામાં છાવણી નાંખીને રહ્યા. શુભ દિવસે કૃષ્ણ સ્નાન કરી, બલિકર્મ કરી, સમુદ્રની પૂજા કરી. અઠમ તપ કર્યો. ત્રીજી રાત્રિએ લવણસમુદ્રનો અધિષ્ઠાતા દેવ અંજલિ જોડીને પ્રગટ થયો. તેણે કૃષ્ણને પંચજન્ય શંખ અને રામને સુઘોષ શંખ આપ્યો. તે સિવાય દિવ્ય રત્નમાળા અને વસ્ત્રો આપ્યા. પછી પૂછયું કે, મને શા માટે યાદ કર્યો ? ત્યારે કૃષ્ણ દ્વારિકાનગરી વસાવવા માટે કહ્યું.
૦ દ્વારિકા (બારામતી) નિર્માણ :- તે દેવે ઇન્દ્રને વાત કરી, ઇન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણદેવ કુબેરે તે સ્થાને પોતાના કૌશલ્યથી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી રત્નમય નગરી બનાવી. સ્વર્ણ પ્રાકારોથી યુક્ત, પંચવર્ણીમણિથી જડિત કાંગરા વડે
ternational
For Private & Personal Use Only
www.jainelibrary.org