________________
૨૯૪
આગમ કથાનુયોગ-૨
“હલ્લા” નામક કીટકનો સંસ્થાન–આકાર કેવો હશે ? ત્યારપછી તે અચંપુલ ! ફરીથી બીજી વખત તને આ અને આવા પ્રકારનો સંકલ્પ થયો – ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવું - યાવત્ – શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચે થઈને જ્યાં હાલાહલા કુંભારણની કુંભકારાપણ હતી ત્યાં આવ્યો. તો હે અચંપુલ ! શું આ વાત સત્ય છે ?
અયંપુલે કહ્યું કે, હાં, તે સત્ય છે.
હે અલંપુલ ! જો કે તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ગોશાલ સંખલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં આમ્રની ગોટલીને હાથમાં લઈને, મદ્યપાન કરતા હતા, વારંવાર ગીતો ગાતા હતા, વારંવાર નાચતા હતા, વારંવાર હાલાહલા કુંભારણને અંજલિ કરતા હતા, શીતલ માટીથી મિશ્રિત પાણી વડે શરીરને સીંચી રહ્યા હતા. તે તેં જોયું અને તું પાછો ખસવા લાગ્યો. તો સાંભળ, ત્યાં પણ ભગવંત ગોશાલકે આ ચાર પાનક અને ચાર અપાનકની પ્રરૂપણા કરેલી છે. (ઇત્યાદિ પૂર્વવત્ જાણવું.)
તેથી હવે અચંપુલ ! તમે જાઓ અને તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક સંખલિપુત્ર ગોશાલકને આ અને આવા પ્રકારના પ્રશ્ન પૂછો.
તત્પશ્ચાત્ તે અચંપુલ આજીવિકોપાસક આજીવિક સ્થવિરોની આ વાત સાંભળીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો, પોતાના સ્થાનેથી ઊભો થયો. ઊભો થઈને જ્યાં ગોશાલક મખલિપુત્ર હતો, તે તરફ જવાને માટે ઉદ્યત થયો.
તે વખતે તે આજીવિક સ્થવિરોએ ગોાલક મંખલિપત્રને આમની ગોટલીને એકાંત સ્થાનમાં ફેંકી દેવાનો સંકેત કર્યો. તે વખતે પંખલિ પુત્ર ગોશાલકે પણ આજીવિક સ્થવિરોના સંકેતને જાણી લઈને આમની ગોટલીને એકાંતમાં ફેંકી દીધી. ૦ અjપુલને ગોશાળા દ્વારા અપાયેલ ઉત્તર :
ત્યાર પછી અચંપુલ આજીવિકોપાસક જ્યાં ગોશાલ સંખલિપુત્ર હતો, ત્યાં આવ્યો, આવીને ગોશાલ મખલિપુત્રને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને ગોશાલક મંખલિપુત્રથી અતિ દૂર નહીં, અતિ નીકટ નહીં તે રીતે યથાસ્થાને રહીને બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી પર્યાપાસના કરવા લાગ્યો.
ગોશાલમખલિપુત્રે અચંપલ આજીવિકોપાસકને કહ્યું, હે અચંપલ ! તને આજે પાછલી રાત્રિના સમયે એવો આધ્યાત્મિક મનોગત સંકલ્પ થયેલો – યાવત્ – જ્યાં હું હતો, ત્યાં મારી પાસે આવ્યો તો હે અયંપુલ શું આ વાત સત્ય છે ?
હાં ભગવન્! આ વાત સત્ય છે.
હે અલંપુલ! મારા હાથમાં આમની ગુટલી ન હતી, પણ આમની છાલ હતી. બીજું તને એ જાણવાની ઇચ્છા હતી કે, હલ્લાનો આકાર–સંસ્થાન કેવો હોય છે ? હલ્લાનો આકાર વાંસના મૂળના આકાર જેવો હોય છે. (ત્યારપછી ઉન્માદ વશ ગોશાલક મંખલિપુત્ર પ્રલાપ કરવા લાગ્યો હે વીરક ! વીણા વગાડો, હે વીરસ ! વીણા વગાડો.
તત્પશ્ચાત્ અયંપુલ આજીવિકોપાસકે ગોશાલક મંખલિપુત્રને આ અને આવા પ્રકારના પોતાના પ્રશ્નો પૂછયા અને ગોપાલક મંખલિપુત્ર પાસેથી તેનો ઉત્તર સાંભળીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો, આનંદિત ચિત્તવાળો થયો, પ્રસન્ન થયો, પ્રીતિયુક્ત મનવાળો થયો, પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org