________________
૧૬૬
આગમ કથાનુયોગ-૨
વાસુદેવ સમસ્ત ઋદ્ધિ સહિત યાવતું વાદ્યઘોષના નાદપૂર્વક વારિકાથી ભગવંત અરિષ્ટનેમિના વંદનાર્થે નીકળ્યા ઇત્યાદિ. – ભગવંત અરિષ્ટનેમિના વંદનનો વિશિષ્ટ પ્રસંગ :
કોઈ વખતે ભગવંત અરિષ્ટનેમિ ૧૮,૦૦૦ સાધુ સહિત પધાર્યા. તે વખતે કૃષ્ણ વાસુદેવ અનેક રાજા આદિ પરિવાર સહિત ભગવંતના વંદનાર્થે નીકળ્યા. તે વખતે ભાવપૂર્વક કૃષ્ણ વાસુદેવે મુનિ વંદના શરૂ કરી. બીજા–બીજા રાજાઓ તો થોડા-થોડા મુનિઓને વંદના કરીને બેસી ગયા. પણ કૃષ્ણ ૧૮,૦૦૦ સાધુઓને બાદશાવર્ત વંદના કરી. પછી કૃષ્ણ ભગવંતને કહ્યું, હે ભગવંત ! સર્વે મુનિઓને બાદશાવર્ત વંદના કરવાથી આજે મને જેટલો શ્રમ થયો છે. તેટલો શ્રમ ૩૬૦ મહાયુદ્ધો કરવામાં પણ મને થયો નહોતો. ત્યારે સર્વજ્ઞ ભગવંતે તેમને કહ્યું કે, હે વાસુદેવ ! તમે આજે ભાવવંદનાથી મહત્ પુણ્ય, સાયિક સમકિત અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલ છે. વળી સાતમી નરકને યોગ્ય કર્મપુદ્ગલો ખપાવીને ત્રીજી નરકને યોગ્ય આયુષ્ય તમે બાંધ્યું છે. જેને તમે આ ભવના પ્રાંત ભાગમાં નિકાચીત કરશો. ૦ દ્વારિકા વિનાશ, કૃષ્ણનું મૃત્યુ અને ગતિ :
કોઈ વખતે ધર્મદેશના શ્રવણ કર્યા બાદ કૃષ્ણ વાસુદેવે ભગવંત અરિષ્ટનેમિને વંદના કરીને આ પ્રમાણે પૂછયું, હે ભગવન્! બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી યાવતું સાક્ષાત્ દેવલોક સમાન આ દ્વારિકા નગરીનો વિનાશ કયા કારણે થશે ? હે કૃષ્ણ ! એ પ્રમાણે સંબોધિત કરીને અરહંત અરિષ્ટનેમિએ ઉત્તર આપ્યો, હે કૃષ્ણનિશ્ચયથી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી યાવતું પ્રત્યક્ષ સ્વર્ગપુરી સમાન આ દ્વારકા નગરીનો વિનાશ મદિરા, અગ્નિ અને દ્વૈપાયન ઋષિના કોપના કારણે થશે. અરહંત અરિષ્ટનેમિ પાસેથી દ્વારકાનગરીના વિનાશનું કારણ સાંભળી–સમજીને કૃષ્ણ વાસુદેવના મનમાં આવો વિચાર, ચિંતન, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, તે જાલિ, મયાલિ, ઉવયાલિ, પુરિસસેન, વીરસેન, પદ્યુમ્ન, શાંબ, અનિરુદ્ધ, ઢનેમિ, સત્યનેમિ આદિને ધન્ય છે જેઓ અરિષ્ટનેમિ ભગવંત પાસે મુંડિત યાવત્ પ્રવ્રજિત થયા છે. હું અધન્યઅકૃતપુણ્ય છું કે, રાજ્ય, અંતઃપુર, મનુષ્ય સંબંધિ કામભોગોમાં મૂર્ણિત છું. આ છોડીને ભગવંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈને અનગારરૂપ પ્રવજ્યા લેવામાં અસમર્થ છું.
ભગવંત અરિષ્ટનેમિએ પોતાના જ્ઞાનબળથી કૃષ્ણ વાસુદેવના મનમાં આવેલા વિચારો જાણી અર્તધ્યાનમાં ડૂબેલા કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે, નિશ્ચયથી હે કૃષ્ણ! તમારા મનમાં આવો વિચાર ઉત્પન્ન થયો કે – યાવત્ – હું પ્રવજ્યા લઈ શકતો નથી. હે કૃષ્ણશું આ વાત સત્ય છે ? શ્રીકૃષ્ણએ કહ્યું કે, હા ભગવન્! એમ જ છે. હે કૃષ્ણ ! એવું ક્યારેય થયું નથી, થતું નથી અને થશે પણ નહીં કે વાસુદેવના ભવમાં ધન, ધાન્ય, સ્વર્ણ આદિ સંપત્તિ છોડીને વાસુદેવ મુનિ વ્રત લે. વાસુદેવ દીક્ષા લેતા નથી, લીધી નથી, લેશે પણ નહીં. શ્રીકૃષ્ણએ પૂછયું, હે ભગવન્! એવું કેમ કહેવાય છે કે, આવું કદિ થયું નથી થતું નથી અને થશે પણ નહીં ? હે કૃષ્ણ ! નિશ્ચયથી બધાં વાસુદેવ પૂર્વભવમાં નિદાનકૃત હોય છે. તેથી હું કહું છું કે, એવું કદિ થયું નથી, થતું નથી અને થશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org