________________
ચક્રવર્તી – ભરત કથા
૪
સર્વે વિભાગોમાં કુશળ હતો.
પૂર્વોક્ત પ્રકારે અનેક ગુણરત્નોથી સંપન્ન અને તપ સંયમથી યુક્ત એવો તે સ્થપતિ–વર્ધકીરત્ન “હવે હું શું કરું ?” એવું કહેતો ભરતરાજા સમક્ષ ઉપસ્થિત થયો. રાજાની સેવામાં ઉપસ્થિત તે વર્ધકીરત્ન એ રાજાની આજ્ઞા અનુસાર દેવકર્મવિધિ દ્વારા એક મુહૂર્તમાં આવાસ, ભવન, અંઘાવાર (છાવણી) આદિની રચના કરી દીધી. કરીને પછી ઉત્તમ પૌષધશાળાનું નિર્માણ કર્યું. પછી જ્યાં ભરતરાજા હતા – યાવતું – જલ્દીથી આજ્ઞાપૂર્તિની સૂચના આપે છે. શેષ કથન પૂર્વવત્ જાણવું – યાવત્ – રાજા સ્નાનગૃહથી નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ચતુર્ઘટ રથ હતો ત્યાં આવે છે.
તે રથ પૃથ્વીતલ પર ચાલવામાં અત્યંત શીધ્ર ગતિવાળો, અનેક શુભ લક્ષણયુક્ત, પ્રશસ્ત, હિમવંત પર્વતની કંદરાઓમાં નિર્વાત સ્થાનમાં સંવર્ધિત આશ્ચર્યકારી તિનિસ વૃક્ષના કાષ્ઠમાંથી બનાવેલ હતો. તેના કૂબર જંબૂનદ જાતિના સુવર્ણના હતા, પૈડાના આરા સોનાના હતા, જે પુલાક, શ્રેષ્ઠ ઇન્દ્રનીલરત્ન, સાસક, પ્રવાલ, સ્ફટિક, ઉત્તમ રત્ન, લેષ્ઠ, મણિવિદ્ગમ આદિથી વિભૂષિત હતા. તેમાં અડતાલીશ આરા હતા. તેના તુંબા સોનાના બન્યા હતા. સારી રીતે ઘસીને સ્નિગ્ધ કરાયેલ અને ચમકતી એવી પૃષ્ઠ ઉપર બરાબર દૃઢતાથી રાખ્યા હતા. વિશિષ્ટ, લષ્ટ, નવીન લોઢાના ખીલાઓથી જોડાયેલા હતા.
– વાસુદેવના શસ્ત્ર, પ્રહરણરત્ન, ચક્રરત્ન જેવા ગોળ તેના પૈડા હતા. તેની જાળી, ઝરોખા, કર્કતનરત્ન, ઇન્દ્ર નીલમણી, આસક આદિ રત્નો દ્વારા સુંદર રીતે બનાવાયેલ હતા. તેની ધરી પ્રશસ્ત, વિસ્તીર્ણ, સમ અને શ્રેષ્ઠ નગર માફક ગુપ્ત હતી. ઘોડાની લગામ સુંદર કિરણોવાળા તપનીય સુવર્ણની બનેલી હતી. તેમાં સ્થાને સ્થાને કવચ પ્રસ્થાપિત હતા. તે રથ પ્રહરણોથી પરિપૂરિત હતો. ઢાલ, કણક, ધનુષ, મંગલાગ્ર, ત્રિશૂળ, ભાલા, તોમર તથા સેંકડો બાણોથી યુક્ત બત્રીશ તૂણીરોથી તે પરિમંડિત હતો. તેના પર સુવર્ણ અને રત્નોના ચિત્રો બનેલા હતા. તેમાં હલીમુખ, બગલા, હાથીદાંત, ચંદ્ર, મુક્તા, તૃણ, મલિકા, કુંદ, કુટજ તથા કંદલના પુષ્પ, સુંદર ફીણ, મોતીના હાર અને કાશ સદશ શ્વેત અને દેવ, મન, પવનના વેગથી અધિક ગતિવાળા, ચપળ, શીધ્રગામી, ચામર અને સ્વર્ણમય આભૂષણોથી વિભૂષિત ચાર ઘોડા જોડેલ હતા. તેના પર છત્ર, ધ્વજા, ઘંટિકા, પતાકા લાગેલી હતી.
– આ રથના સાંધાઓને મજબૂતીથી જોડવામાં આવ્યા હતા. યુદ્ધને યોગ્ય સમર કરણક નામના વાદ્યના નાદ સમાન ગંભીર નાદવાળો હતો. તેના બંને કૂપર ઉત્તમ હતા. સુંદર ચક્ર, ઉત્તમ નેમિ (મધ્યભાગ) અને ધૂરાના બંને ખૂણા ઉત્તમ હતા. બંને તુંબ શ્રેષ્ઠ વજરત્નના બનેલા હતા. તે શ્રેષ્ઠ સુવર્ણથી સુશોભિત હતા. સુયોગ્ય શિલ્પકારો દ્વારા નિર્મિત હતો. ઉત્તમ ઘોડા જોડવામાં આવતા હતા. સુયોગ્ય સારથી દ્વારા સુનિયોજિત હતો. ઉત્તમોત્તમ રત્નો વડે પરિમંડિત હતો. સોનાની ઘંટડીથી સુશોભિત હતો. તે અયોધ્ય હતો. તેનો રંગ વિદ્યુત, પરિતસ સુવર્ણ, કમળ, જપાકુસુમ, દીસઅગ્નિ તથા પોપટની ચાંચ જેવો હતો. તેની પ્રભા ચણોઠી, બંધુજીવક, હિંગલોક, સિંદુર, કેસર, કબૂતરના પગ,
કોયલની આંખ, અધરોષ્ઠ, અતિ લાલ વૃક્ષ, સુવર્ણ, પલાશ પુષ્પ, હાથીનું તાળવું, Jain of international
For Private & Personal Use Only
www.jainelibrary.org