________________
૪૮
આગમ કથાનુયોગ-૨
છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી અશ્વ, હાથી, રથ, શ્રેષ્ઠ યોદ્ધાઓ સહિતની ચતુરંગિણી સેના તૈયાર કરો. અભિષેક યોગ્ય હસ્તિરત્નને સુસજ્જિત કરો. એમ કહીને તે ખાનગૃહમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને પૂર્વ વર્ણન અનુસાર ખાન કરીને – યાવત્ – નીકળે છે – યાવત્ – તેની બંને તરફ શ્વેત શ્રેષ્ઠ ચામર ઢોળાવા લાગ્યા. તે સમયે તે ભરત રાજાએ પોતાના હાથમાં ઉત્તમ ઢાલ રાખેલી. શ્રેષ્ઠ કમરબંધથી તેની કમર બાંધેલી હતી. ખેટક, ઉત્તમ બખ્તર, કવચ તથા માઢીને ધારણ કરેલા હતા.
– તે રાજા હજારો યોદ્ધાથી યુક્ત હતો. ઉત્કૃષ્ટ ઉત્તમ મુગટ પહેરેલો હતો. પતાકા, ધ્વજા, વૈજયંતિ, ચામર અને છત્રોની છાયા વડે તેનો માર્ગ આચ્છાદિત હતો. તેનાથી અંધકાર જણાતો હતો. તલવાર, ગોફણ, ખગ, ધનુષ, બાણ, કનક, કલ્પ, ફૂલ, લગુડ, ભિંડીમાલ, ધનુષ, તૂણીર, શર આદિ શસ્ત્રો હતા, જે કાળા, લીલા, પીળા, લાલ અને સફેદ રંગોથી ચિન્હીત હતા. કેટલાંક યોદ્ધા તાલ દેતા હતા, કોઈ સિંહનાદ કરતા, ખડખડાટ હસતા, ઘોડાનો હણહણાટ, હાથીનો ગુલગુલ અવાજ કરતા હતા. તે સાથે લાખો રથોનો ઘણઘણાહટ, ઘોડાના નિયંત્રણ માટેના ચાબુકના સડસડ શબ્દોનો ધ્વનિ, એક સાથે વગાડાઈ રહેલા ભંભા, હોરંભ, ઢપલા, ખરમુખી, મુકુંદ, શંખ, પરિલિ, વચ્ચક, પરિવાદિની, બંસરી, વેણુ, વિપંથી, મહતી, કચ્છપી, રિગિસિગિ, કરતાલ, કંસતાલ, કરધાણ આદિ વિવિધ વાદ્યોનો નિનાદ સમસ્ત જીવલોકને વ્યાપ્ત કરતો હોય તેવો પ્રતીત થતો હતો.
આવા પ્રકારે સજ્જ થયેલો, સૈન્ય–વાહનના સમુદાયયુક્ત, હજારો યક્ષોથી પરિવૃત્ત, ધનપતિ કુબેર સમાન અને ઋદ્ધિ સંપન્નતાથી ઇન્દ્ર જેવા, પ્રખ્યાત કીર્તિવાળા તે રાજા ભરત સેના, વાહન, રથ આદિના સમુદાય સાથે સેકડો ગામ, આકર, નગર, ખેડ,. કર્બટ આદિથી યુક્ત થઈ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરતો ઇત્યાદિ પૂર્વવત્ – યાવત્ – વિજયરૂંધાવાર નિવેશ કરે છે અર્થાત્ પડાવ નાંખે છે. પડાવ નાંખીને વર્ધકીરત્નને બોલાવે છે. બોલાવીને આજ્ઞા આપે છે – હે દેવાનુપ્રિય ! તું જલદીથી મારા માટે આવાસ અને પૌષધશાળા બનાવો બનાવીને આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થયાની મને સૂચના આપ.
તે વર્ધકીરત્ન આશ્રમ, દ્રોણમુખ, ગામ, પટ્ટણ, ઉત્તમપુર, સ્કંધાવાર, ઘર, દુકાન તે સર્વની રચના કરવામાં કુશળ, વાસ્તુના એક્યાશી પદોમાંથી અનેક ગુણ જાણવામાં નિપુણ, દેવયાનોની, પીસ્તાળીશ પ્રકારની વાસ્તુપરીક્ષામાં કુશળ, નેમિ, પાર્થ, ભોજનશાળા, કોટ્ટનિય અને શયનગૃહો આદિની વિભાગપૂર્વક રચના કરવામાં કુશળ, છેદ્ય – વેદ્ય, દવદાનકર્મ આદિમાં પ્રખ્યાત બુદ્ધિવાળો હતો. જલ–યાન, ભૂમિ–યાન આદિ સાધનો બનાવવામાં કુશળ, જળ, સ્થળ, ગુફા આદિના નિર્માણમાં ઉપયોગી યંત્રોના નિર્માણ, પરિખા નિર્માણમાં કુશળ, સમયનો જાણકાર હતો. શબ્દના પરમાર્થની જાણકાર, વાસ્તુ પ્રદેશના વિધાનમાં પ્રવીણ, પ્રધાન ગર્ભિણી કન્યારૂપ વેલ–વેખિતવેલ આદિના ગુણ–દોષનો જ્ઞાતા હતો. ગુણસંપન્ન, સોળ પ્રકારના પ્રાસાદ નિર્માણમાં કુશળ, ચોસઠ પ્રકારના ગૃહ નિર્માણમાં વિશિષ્ટ વિપુલ મતિવાળો, નંદાવર્ત, વર્ધમાન, સ્વસ્તિક, રૂચક, સર્વતોભદ્ર સન્નિવેશ નિર્માણમાં વિશેષજ્ઞ તેમજ ધ્વજ, દેવગૃહ, કોઠો, કાષ્ઠ, કિલ્લો, ખાઈ, વાહન એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org