________________
૧૮૬
આગમ કથાનુયોગ-૨
પૂર્વભવમાં એક ઉલ્લેખ તો આગમોમાં નજરે પડે છે કે, જ્યારે ભગવંત મહાવીર ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં હતા ત્યારે ગૌતમસ્વામીનો જીવ તેના રથનો સારથી હતો. પ્રસિદ્ધ વાત પ્રમાણે (જોકે આગમમાં તેનો ઉલ્લેખ જોવા મળેલ નથી) ભગવંતે મરીચીના ભવમાં જેને શિષ્યરૂપે સ્વીકારેલ તે કપિલ રાજપુત્રનો જીવ પણ ગૌતમસ્વામીનો જ પૂર્વભવ હતો. આ રીતે તેઓની દીર્ધકાલીન પ્રીત હતી.
ભગવંતે ગૌતમસ્વામીને કહ્યું કે, હે ગૌતમ ! જે મનુષ્ય પોતાની લબ્ધિ વડે અષ્ટાપદ તીર્થે જઈને ત્યાંના ચૈત્યોની વંદના કરે છે, ત્યાં રહેલ પ્રતિમાજીની પ્રતિસેવના કરે છે તે મનુષ્ય તે જ ભવે સિદ્ધ થાય છે. ત્યારે ગૌતમસ્વામીએ વિચાર્યું કે, હું ભગવંતની આજ્ઞાપૂર્વક અષ્ટાપદ તીર્થે જઈને ચૈત્યવંદના કરું. તેના હૃદયગત ભાવોને જાણીને તથા ત્યાં તાપસો પ્રતિબોધ પામશે તે વિચારીને ભગવંતે કહ્યું, હે ગૌતમ ! તું અષ્ટાપદ તીર્થે ચૈત્ય વંદનાર્થે જા. ત્યારે ગૌતમસ્વામી હર્ષિત અને સંતુષ્ટ થઈને, ભગવંતને વંદન કરીને અષ્ટાપદે ગયા. ત્યાં કૌડિન્ય, દત્ત અને શેવાલ ત્રણે તાપસો ૫૦૦-૫૦૦ના પરીવાર સાથે અષ્ટાપદના અલગ-અલગ પગથિયે તપશ્ચર્યા કરતા હતા. ગૌતમસ્વામી સૂર્યના કિરણો પકડીને અષ્ટાપદ તીર્થે પહોંચ્યા. કેમકે ગૌતમ તો જંઘાચારણ લબ્ધિવાન્ હતા. ત્યાં ચૈત્યવંદના કરી. વજસ્વામીના જીવ એવા વૈશ્રમણ દેવને પ્રતિબોધ કર્યા, પાછા ચાલતા ૧૫૦૦ તાપસોને પ્રતિબોધ કરી, સ્વલબ્ધિએ પારણું કરાવ્યું, ભગવંતની સન્મુખ જતાં તે સર્વે તાપસોને કેવળજ્ઞાન થયું. (સમગ્ર વર્ણન માટે કથા જુઓ વજસ્વામી).
શ્રમણ ભગવંત મહાવીરે જ્યારે પોતાનો નિર્વાણ કાળ જાણ્યો ત્યારે ગૌતમના. તેમની ઉપરના પ્રશસ્ત નેહરાગના નિવર્તન માટે અમાવાસ્યાના સંધ્યાકાળ પૂર્વે ગૌતમ સ્વામીને નજીકના કોઈ ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા. ભગવંતની આજ્ઞાથી ગૌતમસ્વામી તુરંત ત્યાં ગયા. દેવશર્માને પ્રતિબોધિત કરી પ્રભાતે પાછા આવતા રસ્તામાં જાણ્યું કે, શ્રી વીરપ્રભુ નિર્વાણ પામ્યા છે. વજથી હણાયા હોય તેમ ક્ષણવાર શૂન્ય થઈ ગયા. સ્તબ્ધ ઊભા રહ્યા, પછી બોલવા લાગ્યા કે હે સ્વામી! મેં આટલો વખત આપની સેવા કરી અને આપે અંત સમયે જ મને આપના દર્શનથી દૂર કર્યો ? હે સ્વામી ! હવે હું કોના ચરણમાં નમીને વારંવાર પદાર્થોના પ્રશ્નો પૂછીશ? હવે “હે ભગવન્!" એમ હું કોને કહીશ ? કોણ મને આપ્તવાણીથી ગૌતમ ! કહીને બોલાવશે ? એ રીતે કરુણ સ્વરે વિલાપ કરતા ગૌતમ સ્વામીની વિચારધારા પલટાઈ.
– જ્ઞાનદૃષ્ટિ ખુલી ગઈ. હું નાહક ભ્રમણામાં હતો. વીતરાગ તો નેહ વગરના હોય છે. મારો જ અપરાધ છે કે, મેં મૃતનો ઉપયોગ કર્યો નહીંએ નિર્મોહીને મારો મોહ ક્યાંથી હોય ? ઇત્યાદિ ભાવના ભાવતા અને સ્નેહને ધિક્કારતા, સમભાવને ભાવતાં ગૌતમ સ્વામીને તત્કાળ કેવળજ્ઞાન થયું. ૦ ગણધર ગૌતમનું નિર્વાણ :
ઇન્દ્રભૂતિ ગૌતમ ૫૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા, પછી સંયમ અંગીકાર કર્યો. ૩૦ વર્ષ છઘસ્થપણે રહ્યા. ૧૨ વર્ષનો કેવલી પર્યાય પાળ્યો. કુલ ૪૨ વર્ષનો શ્રમણ પર્યાય પાલન કર્યો. ૯૨ વર્ષનું સર્વાયુ ભોગવ્યું. તેઓ ૫૦૦ શ્રમણોને વાચના આપતા હતા. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org