________________
૨૭૬
આગમ કથાનુયોગ-૨
માસને અંતે સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યા પ્રાપ્ત થાય છે ત્યાર પછી ગોશાલક મંખલિપુત્રે મારા આ કથનને વિનયપૂર્વક સમ્યકરૂપે સ્વીકાર્યું.
ત્યાર પછી તે ગૌતમ ! અન્યદા એક દિવસે હું મખલિપુત્ર ગોશાલની સાથે કૂર્મગ્રામનગરથી સિદ્ધાર્થગ્રામનગર તરફ વિહાર કરવા ઉદ્યત થયો જ્યારે અમે તે તલના છોડના સ્થાને આવ્યા ત્યારે મંકલિપુત્ર ગોશાલકે મને આ પ્રમાણે કહ્યું, હે ભગવંત ! આપે મને તે સમયે કહ્યું હતું – યાવતુ – પ્રરૂપિત કરેલ હતું – હે ગોશાલક ! આ તલનો છોડ નિષ્પન્ન થશે. પરંતુ હે ભગવન્! તે નિષ્પન્ન ન થયો. આપે કહેલું કે, તે સાત તલપુષ્પના જીવ મરીને તે જ તલના છોડની એક તલની ફલીમાં સાત તલના રૂપે ઉત્પન્ન થશે, પણ હે ભગવંત ! આપની તે વાત મિથ્યા થઈ. કેમકે આ પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે કે તે તલનો છોડ નિષ્પન્ન ન થયો, ઉગ્યો જ નહીં, અનિષ્પન્ન જ છે અને ન તે સાત તલ પુષ્પ જીવ મરીને તે તલના છોડની એક તલફલિમાં સાત તલના રૂપે ઉત્પન્ન થયા છે.
ત્યારે હે ગૌતમ ! મેં તેના ઉત્તરમાં ગોશાલ સંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું, હે ગોશાલ ! એ સમયે જ્યારે મેં તને એમ કહ્યું હતું – યાવત્ – પ્રરૂપિત કરેલ હતું, ત્યારે તે કથનની તેં શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી અને રુચિ પણ ન કરી, પરંતુ એ કથન પરત્વે અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ કરતા – તારા નિમિત્તે હું મિથ્યાવાદી થઉં, એમ વિચાર કરી મારી પાસેથી ધીમે ધીમે પાછળ ખસ્યો, પાછળ ખસીને જ્યાં તલનો છોડ હતો ત્યાં પહોંચ્યો, ત્યાં પહોંચીને તે તલના છોડને મૂળ અને માટી સહિત ઉખેડી નાંખેલ. ઉખેડીને એકાંતમાં ફેંકી દીધેલ. પરંતુ હે ગોશાલ ! તત્કાલ દિવ્ય મેઘવાદળ ઉત્પન્ન થયા. ત્યારે તે દિવ્ય મેઘવાદળ શીધ્ર ગરજવા લાગ્યા, શીઘ વીજળી ચમકવા લાગી, શીઘ જ અધિક પાણી ન વરસે અને ન કીચડ ન થાય એવી પ્રવિરલ નાની નાની બુંદવાળી, રજ અને ધૂળનો વિનાશ કરનારી દિવ્ય જળવૃષ્ટિ થઈ. જેનાથી તે તલનો છોડ ત્યાં જ સ્થિર થઈ ગયો, વિશેષ સ્થિર થઈ ગયો અને બદ્ધ મૂળવાળો થઈ સુપ્રતિષ્ઠિત થઈ ગયો. તે સાત તલ પુષ્પજીવ મરીને તે તલના છોડની એક તલફલીમાં સાત તલના રૂપે ઉત્પન્ન થયા છે. તેથી હે ગોશાલ ! તે તલનો છોડ નિષ્પન્ન થયો છે પણ અનિષ્પન્ન થયો નથી અને તે સાત તલપુષ્પના જીવ મરીને તે તલના છોડની એક તલફળીમાં સાત તલરૂપે ઉત્પન્ન થયા છે.
કેમકે હે ગોશાલ ! વનસ્પતિકાયના જીવ મરીને પ્રવૃત્ત પરિવારનો પરિહાર કરે છે અર્થાત્ મરીને પુનઃ તે શરીરમાં ઉત્પન્ન થાય છે. ત્યારે મારા દ્વારા આ પ્રમાણે કહેવાયું ત્યારે – યાવત્ – પ્રરૂપણા કરાઈ ત્યારે ગોશાલ મખલિપુત્રે આ કથનની શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી, પરંતુ આ કથન પરત્વે અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ કરતો
જ્યાં તે તલનો છોડ હતો, ત્યાં પહોંચ્યો, પહોંચીને તે તલના છોડમાંથી તલની ફળી તોડી, તોડીને હાથમાં સાત તલ બહાર કાઢ્યા. ત્યાર પછી તે ગોશાલ મખલિપુત્રે તે સાત તલોની ગણતરી કરી, તે સમયે આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, આ પ્રકારે સર્વે જીવો પ્રવૃત્ત પરિવારનો પરિહાર કરે છે અર્થાત મરીને પુનઃ તે શરીરમાં ઉત્પન્ન થાય છે. તેને નિયતિવાદનું ગાઢ અવલંબન કર્યું. હું ગૌતમ! મખલિપુત્ર ગોશાળાનું આ પરિવર્તન છે. હે ગૌતમ ! મખલિપુત્ર ગોશાલનું મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org