________________
૧૬૮
આગમ કથાનુયોગ-૨
આજ્ઞાકારી રાજપુરષોએ તે ઘોષણા બે-ત્રણ વખત કરી, પછી કૃષ્ણ વાસુદેવને આજ્ઞાપાલન થયાની સૂચના આપી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવના આઠે પટ્ટરાણી–પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણ, સુશીમા, જાંબવતી, સત્યભાભા અને રુકિમણીએ દીક્ષા લીધી. તેનો દીક્ષા મહોત્સવ કૃષ્ણ ઘણી જ ઋદ્ધિપૂર્વક ઉજવ્યો.
દ્વારિકા નગરીમાં વીરો નામે એક સાળવી હતો. તે કૃષ્ણનો અત્યંત ભક્ત હતો. કૃષ્ણના દર્શન કરીને જ તે ભોજન લેતો, અન્યથા તે જમતો નહીં. એક વખત કૃષ્ણ વાસુદેવે નિયમ લીધો હતો કે, ઘણાં જીવોની હિંસાને અટકાવવા હું વર્ષાકાળમાં રાજમંદિરની બહાર નીકળીશ નહીં. દ્વારપાળોને પણ આજ્ઞા કરી કે, વર્ષાઋતુના ચાર માસ પર્યત કોઈને પણ રાજમહેલમાં ડાવેશ કરવા દેવો નહીં. પરિણામે વર્ષાકાળ શરૂ થયો ત્યારે વીરા સાળવીને દ્વારપાળે રાજમહેલમાં પ્રવેશ કરવા ન દીધો. તેથી કૃષ્ણ મહારાજાને ઉદ્દેશીને તે દ્વારે જ બેઠો રહ્યો, પણ કૃષ્ણના દર્શન ન થવાથી ભોજન લીધું નહીં. એ પ્રમાણે આખો વર્ષાકાળ પૂરો થઈ ગયો. તે વખતે સર્વ રાજાઓ સાથે વીરો સાળવી દ્વાર પાસે આવીને ઉભેલ. તેને કૃશ થયેલ જોઈને વાસુદેવ પૂછયું, હે વીરા ! તું કેમ કૃશ થઈ ગયો છે ? દ્વાર પાળોએ તેના કૃશ થવાનું યથાર્થ કારણ બતાવતા કૃણે તેને અખ્ખલિતપણે રાજમહેલમાં આવવા દેવાનો હુકમ કર્યો.
ભગવંત અરિષ્ટનેમિ પાસે યતિ ધર્મ સાંભળીને કૃષ્ણ નિયમ લીધેલો કે, હું યતિધર્મ પાળવાને સમર્થ નથી, પણ બીજાઓને દીક્ષા અપાવવાનો અને તેની અનુમોદના કરવાનો નિયમ હો. જે કોઈ દીક્ષા લેશે, તેને હું રોકીશ નહીં, પણ તેનો નિષ્ક્રમણ મહોત્સવ સ્વ સંતતિવત્ કરીશ, ત્યાર પછી તેને જે-જે વિવાહ યોગ્ય કન્યાઓ પ્રણામ કરવા આવી, તેમને કૃષ્ણ પૂછ્યું કે, હે પુત્રીઓ ! તમારે સ્વામિની થવું છે કે દાસી ? તેઓ બોલી કે, અમે સ્વામિની થઈશું. તુરંત કૃષ્ણ કહ્યું કે, જો સ્વામિની થઈ હોય તો ભગવંત અરિષ્ટનેમિ પાસે જઈ દીક્ષા લ્યો. આ પ્રમાણે કહીને જે-જે કન્યા વિવાહ યોગ્ય થાય તે સર્વેને દીક્ષા અપાવવા લાગ્યા.
એક વખત કોઈ રાણીએ તેની પુત્રીને સમજાવી રાખ્યું કે, તને જ્યારે તારા પિતા પૂછે ત્યારે તું નિઃશંક થઈને કહેજે કે, મારે દાસી થવું છે. તે વિવાહ યોગ્ય થઈ ત્યારે પિતા કૃષ્ણ વાસુદેવને પ્રણામ કરવા ગઈ. કૃષ્ણ પૂછયું ત્યારે તે કન્યાએ તેની માતાના શીખવ્યા મુજબ કહ્યું કે, મારે દાસી થવું છે. ત્યારે કૃષ્ણ વિચાર્યું કે, જો બીજી પુત્રી પણ આ પ્રમાણે કહેશે તો તે મારી પુત્રીઓ હોવા છતાં ભવ અટવીમાં ભ્રમણ કરનારી થશે. માટે કોઈ એવો ઉપાય કરું કે બીજી પુત્રીઓ દાસી થવાનું ન વિચારે. તેણે પે'લા વીરક શાળવીને બોલાવીને પૂછયું કે, તે કાંઈપણ ઉત્કૃષ્ટ પરાક્રમ કર્યું છે. ત્યારે વીરક શાળવીએ બહુ વિચારીને કહ્યું કે, પૂર્વે બદરીના વૃક્ષ ઉપર રહેલા એક કાકડાને મેં પાષાણ મારીને મારી નાખ્યો હતો. એક વખત માર્ગમાં પૈડાના ચીલામાં જળ વહેતું હતું, તેને ડાબે પગે રોકી રાખેલ, એક વખત ઘડામાં માખીએ પેસી ગઈ હતી. મેં તે ઘડાનું મુખ ડાબા હાથ વડે બંધ કરીને ઘણીવાર સુધી ગણગણાટ કરતી તે માખીઓને મેં પૂરી રાખી હતી.
કૃષ્ણ વાસુદેવ સભામાં વીરક શાળવીના આ પરાક્રમને આ રીતે રજૂ કર્યું – આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org