SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી પ્રકાશમય, ઉદ્યોતમય થવાથી દિવસ જેવી બની ગઈ. ૦ ઉન્મગ્ર—નિમણૂજલા મહાનદીઓમાં ભરતનું ઉત્તરણ : તે તિમિસ્ર ગુફાના ઠીક મધ્યભાગમાં ઉન્મગ્રજલા અને નિમગ્રજલા નામની બે મહાનદીઓ છે. જે તિમિસ ગુફાના પૂર્વના ભિત્તિપ્રદેશથી પ્રવાહિત થતી પશ્ચિમમાં સિંધુ મહાનદીમાં જઈને મળે છે. હે ભગવન્ ! તે મહાનદીઓને ઉન્મગ્ર જલા અને નિમગ્રજલા કેમ કહે છે ? હે ગૌતમ ! ઉન્મગ્રજલા મહાનદીમાં જો કોઈ તૃણ કે પાન કે કાષ્ઠ કે કાંકરા કે અશ્વ કે હાથી કે રથ કે યોદ્ધા કે મનુષ્યને ફેંકે (કે પડે) તો ઉન્મગ્ર જલા મહાનદી ત્રણ વખત ઘુમાવી—ઘુમાવીને એકાંત સ્થળમાં ફેંકી દે છે. જો નિમગ્રજલા મહાનદીમાં તૃણ, પાન, કાષ્ઠ, કંકર, અશ્વ, હાથી, રથ, યોદ્ધા કે મનુષ્યને ફેંકે (કે પડે) તો નિમગ્રજલા મહાનદી ત્રણ વખત ઘુમાવી—ઘુમાવીને પોતાના પાણીમાં નિમગ્ર કરી દે છે. (સમાવી દે છે) તેથી હે ગૌતમ ! તેને ઉન્મગ્રજલા અને નિમગ્રજલા મહાનદી કહે છે. ત્યાર પછી ચક્રરત્ન દ્વારા દેખાડાતા માર્ગે તે ભરતરાજા અનેક રાજાઓ વગેરે સહિત ઉત્કૃષ્ટ સિંહનાદ યાવત્ કરતા-કરતા સિંધુ મહાનદીના પૂર્વી કિનારે થઈને જ્યાં ઉન્મગ્રજલા મહાનદી છે, ત્યાં આવ્યા. આવીને વર્ધકીરત્નને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રય ! ઉન્મગ્ર નિમગ્નજલા મહાનદીઓ પર સેંકડો સ્તંભથી અત્રિવિષ્ટ અચલ, અકંપ, અભેદ્યકવચ, બંને તરફ આલંબન માટે લગાડાયેલ બાહાવાળો સર્વરત્નમય, સુખેથી સંક્રમી શકાય તેવો પુલ બનાવો. બનાવીને મારી આજ્ઞાનું પાલન થયાની મને સૂચના આપો. ત્યાર પછી તે વર્ધકીરત્ન ભરતરાજાની આ આજ્ઞા સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત થયો – યાવત્ – વિનયપૂર્વક આદેશનો સ્વીકાર કર્યો. સ્વીકારીને જલ્દીથી ઉન્મગ્ર નિમગ્રજલા મહાનદીઓ પર સેંકડો સ્તંભોથી સંનિવિષ્ટ – યાવત્ -- સુખેથી સંક્રમી શકાય તેવો પુલ બનાવે છે. બનાવીને જ્યાં ભરતરાજા હતા ત્યાં આવ્યો. આવીને યાવત્ – આશા પૂર્ણ થયાની સૂચના આપે છે. ત્યાર પછી ભરતરાજા સ્કંધાવાર અને સેના સહિત સેંકડો સ્તંભો પર બનાવાયેલ – યાવત્ – સુસંક્રમણ પુલ દ્વારા ઉન્મગ્રજલા અને નિમગ્નજલા મહાનદીઓને પાર કરે છે. ―― - ભરત કથા ૫૭ ત્યાર પછી તિમિસ્ર ગુફાના ઉત્તર બાજુના દ્વારના કમાડ સ્વયમેવ ક્રોંચપક્ષી સદેશ અવાજ કરતા–કરતા પોતાના સ્થાનેથી સરકી ગયા (ખૂલી ગયા.) ૦ સુષેણ સેનાપતિએ કરેલ આવાડ ચિલાતનો પરાજય : તે કાળે, તે સમયે ઉત્તરાર્ધ ભરતવર્ષમાં ઘણાં આવાડચિલાત વસતા હતા. જે આઢ્ય, અભિમાની, ધનવાન્, વિખ્યાત હતા. જેમની પાસે વિશાળ ભવન, શયન, આસન, યાન, વાહન આદિ હતા. (તેમની પાસે) ઘણું જ ધન, સોનું, ચાંદી હતા. ધનવૃદ્ધિ માટે વ્યાપારમાં ધન લગાડેલ હતું. અત્ર—પાણીનો પૂરતો ભંડાર હતો. જે બીજાને પણ ખવડાવતા હતા. ઘણાં દાસ-દાસી, ગાય-ભેંસ, બકરા આદિ હતા. તેઓ ઘણા જનસમૂહથી પણ પરાજય પામે તેવા ન હતા. શૂરવીર અને પરાક્રમી હતા. તેમની પાસે વિશાળ સેના, વાહન હતા. મોટા સમરાંગણમાં તેઓએ વિજય પ્રાપ્ત કરેલ હતો. ત્યાર પછી તે આવાડ ચિલાતોના દેશમાં કોઈ સમયે સેંકડો ઉત્પાત્ ઉત્પન્ન થયા. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy