SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ નિલવ – જમાલિ કથા ૨૨૧ અમે જીવતા છીએ, ત્યાં સુધી તું ગૃહસ્થવાસમાં રહે, ત્યાર બાદ અર્થાત્ અમારા મૃત્યુ પછી – યાવત્ - પ્રવજ્યા ગ્રહણ કરજે. ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિએ માતા–પિતાને પ્રત્યુત્તર આપતા આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! તમે મને જે આ કહો છો કે, આ નિર્ગસ્થ પ્રવચન સત્ય છે, અનુત્તર છે, અદ્વિતીય છે – યાવત્ – હું સમર્થ નથી ઇત્યાદિ – યાવત્ – પછી પ્રવ્રજિત થજે. પરંતુ હે માતા–પિતા! એ નિશ્ચિત છે કે, નામર્દો, કાયરો, કાપુરષો તથા આ લોકમાં આસક્ત અને પરલોકથી પરાફ઼મુખ અને વિષયભોગોની તૃષ્ણાવાળા પુરુષોને માટે તથા સાધારણજન માટે આ નિર્ચન્જ પ્રવચનનું આચરણ અતિ દુષ્કર છે, પરંતુ ધીર, કૃતનિશ્ચય અને ઉપાયમાં પ્રવૃત્ત પુરુષો માટે તેનું આચરણ જરા પણ દુષ્કર નથી. તેથી મારી ઇચ્છા છે કે, આપ જો મને આજ્ઞા આપો તો હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે દીક્ષા લઉં. જ્યારે ક્ષત્રિયકુમાર જમાલિના માતા-પિતા વિષયને અનુકૂળ અને પ્રતિકૂળ ઘણી બધી ઉક્તિઓ, પ્રજ્ઞતિઓ, સંજ્ઞપ્તિઓ અને વિજ્ઞતિઓ દ્વારા તેને સમજાવી ન શક્યા, ત્યારે અનિચ્છાથી તેમણે ક્ષત્રિયકુમાર જમાલિને દીક્ષા માટે અભિનિષ્ક્રમણની સંમતિ આપી. –૦- જમાલિની દીક્ષા માટેની તૈયારી અને ગમન : ત્યારપછી ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું, જલ્દીથી ક્ષત્રિયકુંડગ્રામ નગરની અંદર અને બહાર પાણી છંટકાવો. જમીનની સફાઈ કરાવો, તેને લિંપાવો ઇત્યાદિ કરાવો. – યાવત્ – કાર્ય પૂર્ણ થયેથી તે કૌટુંબિક પુરષોએ આજ્ઞા પાછી સોંપી. ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ ફરીથી તે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને ફરીથી એ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! જલ્દીથી જમાલિ ક્ષત્રિયકુમાર માટે મહાર્થ, મહામૂલ્ય, મહાઈ અને વિપુલ નિષ્ક્રમણા-ભિષેકની તૈયારી કરો. ત્યારે કૌટુંબિક પુરુષોએ તેમની આજ્ઞાનુસાર કાર્ય કરીને આજ્ઞા પાછી સોંપી ત્યારપછી જમાલિ ક્ષત્રિયકુમારના માતા-પિતાએ તેને ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડ્યો. પછી ૧૦૮ સોનાના કળશ આદિથી (સૂર્યાભદેવની કથાનુસાર) – થાવત્ – ૧૦૮ માટીના કળશોથી સર્વદ્ધિ સહિત – યાવત્ – મોટા નાદ સહિત નિષ્ક્રમણ—અભિષેક કર્યો. નિષ્ક્રમણાભિષેક પૂર્ણ થયા પછી જમાલિકુમારના માતાપિતાએ હાથ જોડીને જયવિજય શબ્દથી વધાવ્યા. પછી તેઓએ તેને કહ્યું, હે પુત્ર! બોલો, અમે તમને શું આપીએ ? તારા કયા કાર્ય માટે શું દઈએ ? તારે શું પ્રયોજન છે? ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિએ માતાપિતાને આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! હું કૃત્રિકાપણથી રજોહરણ અને પાત્રા મંગાવવા ઇચ્છું છું અને વાણંદને બોલાવવા ઇચ્છું છું. ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી શ્રીગૃહમાંથી ત્રણ લાખ સુવર્ણમુદ્રા લઈને તેમાંથી એક-એક લાખ સોનૈયા આપીને કૃત્રિકાપણથી રજોહરણ અને પાત્રા લઈ આવો તથા એક લાખ સોનૈયા આપીને વાણંદ (હજામ)ને બોલાવી લાવો. ક્ષત્રિયકુમાર જમાલિના પિતાની ઉપરોક્ત આજ્ઞા સાંભળીને તે કૌટુંબિક પુરુષ ઘણાં જ હર્ષિત અને સંતુષ્ટ થયા. તેઓએ હાથ જોડી – યાવત્ – સ્વામીના વચનનો સ્વીકાર કર્યો અને જલ્દીથી શ્રીગૃહમાંથી ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy