________________
૨૪૪
આગમ કથાનુયોગ-૨
આવ.૧–૫ ૪ર૩, ૪૨૪;
આવ.નિ. ૭૭૮ થી ૭૮૮; ઉત્ત.નિ. ૧૬૫, ૧૭૧ + 9
આવ.ભા. ૧૩૩, ૧૩૪ + 9 ઉત્ત.અધ્ય. ૩ની ભાવ; – X — — —
(૬) નિલવ રોહગુપ્ત કથા :–૦- પરીચય :
ભગવંત મહાવીરના શાસનમાં છઠા નિલવ રોહગુપ્ત થયા. તેમણે ત્રિરાશિક (તૈલિય) મત કાઢેલો. આ મતની સ્થાપના તેમણે અંતરંજિકા નગરીમાં કરેલી. ભગવંત મહાવીરના નિર્વાણથી ૫૪૪ વર્ષે આ નિદ્ભવ થયેલો. જીવનપર્યત તેણે પોતાનો મત છોડ્યો નહીં. મૂળભૂત સમ્યક્ દૃષ્ટિ એવો રોહગુપ્ત પછી મિથ્યાત્વ અભિનિવેશવાળો થયો. જો કે તે નિત્ય પચ્ચકખાણી હતો, સાધુવતુ લિંગને ધારણ પણ કરતો હતો. તેનો શેષ પરીચય જમાલિ અનુસાર જાણવો. ૦ રોહગુપ્ત કથા - –૦કોના શિષ્ય ?
રોહગુપ્તનો ઉલ્લેખ આર્ય મહાગિરિના શિષ્યરૂપે પણ આવે છે અને શ્રીગુણના શિષ્યરૂપે પણ મળે છે તે આ પ્રમાણે
(૧) કલ્પસૂત્રકાર સ્થવિરાવલિમાં જણાવે છે કે, એલાપત્યગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિને આઠ સ્થવિર શિષ્યો હતા. તેમાંના એક કૌશિકગોત્રવાળા સ્થવિર પુડુલુક રોહગુપ્ત.
(૨) આવશ્યક ભાષ્ય–૧૩૬, કલ્પસૂત્ર વૃત્તિમાં તેમને આચાર્ય શ્રી ગુરૂના શિષ્ય કહા છે.
(૩) આવ યૂ.૧–પૃ. ૪૨૪માં તેને આચાર્ય શ્રી ગુપ્તના સક્રિયર કહ્યા છે, અને ઉત્ત.નિ ૧૭૨ની વૃત્તિમાં તેને સ્થવિર શ્રી ગુપ્તના ભેદ (શૈક્ષ) કહ્યા છે. ભેદ નો અર્થ નવદીક્ષિત કે નાનો સાધુ પણ થાય છે.
(૪) સ્થાન–સૂત્ર ૬૮૮ની વૃત્તિ તથા નિસી.ભા. પ૬૧૬ની ચૂર્ણિમાં આવો કોઈ ઉલ્લેખ નથી, ત્યાં તો રોગુપ્ત શ્રી ગુણાચાર્યને વંદનાર્થે જતા હતા તેમજ લખ્યું છે.
અનુમાનથી એમ કહી શકાય કે, સ્થવિરાવલિ મુજબ રોહગુપ્ત મૂળભૂત આચાર્ય મહાગિરિના જ શિષ્ય હોય. પરંતુ આર્ય મહાગિરિ જ્યારે જિનકલ્પની તુલના કરતા વિચરતા હતા, ત્યારે તેણે પોતાનો શ્રમણગણ તેમના ગુરુભાઈ વાશિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તિને સોપેલ હોય. તે સ્થવિર આર્ય સુહસ્તિને બાર સ્થવિર શિષ્યો હતા. જેમાંના એક શ્રીગુપ્ત સ્થવિર હતા. આર્ય સુહસ્તિ બાદ શ્રીગુપ્ત આચાર્યની નિશ્રામાં રોહગુપ્ત રહ્યા હોય, ત્યારે તે તેમના શિષ્ય કે શૈક્ષ કે સુઝિયર રૂપે હોય તેથી શિષ્ય ગણ્યા હોય. (આ અનુમાનની સત્યતા બહુશ્રુતો જ કહી શકે). –૦- ષડુલુક કેમ કહેવાયા?
રોહગુપ્ત દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય નામના છ પદાર્થોની પ્રરૂપણા કરેલી. તેથી તે ૬ (છ) કહેવાયા અને ઉલક એટલે કૌશિક ગોત્રમાં ઉત્પન્ન થયા હોવાથી ઉલૂક કહેવાયા. કેમકે કૌશિક અને ઉલૂક બંને શબ્દ સમાન અર્થવાળા છે. રોહગુપ્ત કૌશિક ગોત્રવાળા હતા, તેથી તેને ઉલૂક પણ કહે છે. આ રીતે તેઓ છ પદાર્થના પ્રરૂપક હોવાથી અને ઉલૂક ગોત્રમાં ઉત્પન્ન થયેલા હોવાથી ષડુલૂક (છલૂઅ) કહેવાયા. તેણે ઐરાશિક નામનો મત કાઢેલો. એટલે કે જીવ–અજીવ અને નોજીવ એ પ્રમાણે ત્રણ રાશિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org