________________
ગણધર અચલભ્રાતા કથા
૯. ગણધર અચલભ્રાતા કથા : -૦- પરીચય :
ભગવંતના નવમાં ગણધર અચલભ્રાતા થયા. તેનો જન્મ કોશલા નગરીમાં થયો. તેના માતા–પિતાનું નામ નંદા અને વસુ હતું. મૃગશીર્ષ નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર હારિત હતું. તેઓ બ્રાહ્મણકુળમાં જન્મેલા. તેમની કાયા સાત હાથની હતી. તેઓ ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નત કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમ પાપાનગરીમાં સોમીલ બ્રાહ્મણ દ્વારા આયોજિત કરાયેલા યજ્ઞમાં પોતાના શિષ્ય પરિવાર સહિત પધારેલા. અચલભ્રાતાના મનમાં સંશય હતો કે, “પુણ્ય અને પાપ છે કે નહીં ?'' પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી તે બીજા વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને પોતાના સંશયનું નિવારણ કરતા ન હતા.
૦ અચલભ્રાતાનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ :~
૨૦૭
ઇન્દ્રભૂતિ આદિ આઠને દીક્ષિત થયાનું જાણીને અચલભ્રાતા નામના નવમા પંડિતે વિચાર્યું કે જેમના ઇન્દ્રભૂતિ વગેરે આઠ પંડિતો શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે, માટે હું પણ તેમની પાસે જઉં અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે વિચારી અચલભ્રાતા પોતાના ૩૦૦ શિષ્યો સાથે નીકળ્યા. જિનેશ્વર ભગવંત મહાવીર પાસે આવ્યા. ત્યાં ભગવંતને વંદના કરી, તેમની પર્યુપાસના કરતા ત્યાં ઊભા રહ્યા. ત્યારે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા સર્વજ્ઞ—સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવતા કહ્યું કે, હે અચલભ્રાતા ! તમે ભલે આવ્યા. તમને સંશય છે કે, “પુણ્ય અને પાપ છે કે નહીં ?'' તારા ચિત્તમાં આવો સંશય પરસ્પર વિરુદ્ધ દેખાતા વેદ વાક્યોથી ઉત્પન્ન થયો છે. તે વેદપદો આ પ્રમાણે છે – “પુરુષ વેયં પ્રિં સર્વ યદ્ ભૂત
–
यच्च भाव्यम्.
હે અચલભ્રાતા ! તું વેદપદોના અર્થને બરોબર જાણતો નથી, તેથી તને આવો સંશય થયો છે. તેથી તારા સંશયના નિવરણાર્થે હું તને એ વેદપદોનો યોગ્ય અર્થ જણાવું છું. તું ઉક્ત વેદપદોથી એવું સમજે છે કે, “પુણ્ય પાપ નથી.' પુરુષ વેવું વાક્યથી તું એવું સમજે છે કે, આ પ્રત્યક્ષ જણાતું ચેતન–અચેતન સ્વરૂપ જે થયું અને થશે તે સર્વ પુરુષ અર્થાત્ આત્મા જ છે. આત્મા સિવાય પુણ્યપાપ કશું જ નથી. પણ બીજા વેદપદની શ્રુતિ છે – ‘મુખ્ય: પુષ્યેન વર્મા, પાપઃ પાપેન ર્મળા - પુણ્ય કર્મ એટલે કે, શુભકર્મ વડે પ્રાણી પુણ્યશાળી થાય છે અને પાપકર્મ એટલે અશુભ કર્મ વડે પાપનો ભાગી થાય છે. એ વેદપદોથી પુણ્ય–પાપની વિદ્યમાનતા પણ જણાય છે તે કારણે જ તું સંશયમાં પડ્યો છે કે, પુણ્ય–પાપ છે કે નહીં ?
હે અચલભ્રાતા ! તારો આ સંશય અયુક્ત છે. કેમકે “પુરુષં વેટ સ્પ્રિં સર્વે થર્ ભૂતં યદ્ય ભાવ્યમ્'' એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન–અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયું અને ભવિષ્યકાળમાં થશે. તે સર્વ આત્મા જ છે. ‘“તે વેદપદો આત્માની સ્તુતિ જણાવે છે. તેથી પુણ્ય—પાપ નથી તેમ સમજવાનું નથી. જેમ ‘વિષ્ણુમથંના'' એ વેદપદોમાં સર્વ જગત્ત્ને વિષ્ણુમય કહ્યું છે. ત્યાં એ વેદપદો વિષ્ણુનો મહિમા જણાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org