Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
વગામી Eવ
ગુરુપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ કૃત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો
ઉદાસજી ન911/
in જન બિના PAી રહી
ધર્મ - અને ધમી નું રૂપ धम्मो माल मुक्कि, अहिंसा संजमो तवो देवा वि तं नमंसन्ति जस्स धम्मे सयामणो .।।
ઐત્રિ -૧ -૧ ધર્મએ સવેત્તમ મંગલછે અહિમા સંયમ અને તપ એજ ધર્મનું સ્વરૂ૫ છે આવા ર્વમાં ને મન હમ લીન રહે છે તેવા પુરોને દવા (ય.કવતી આદિ માનવો આદિ
Enક થા ટી
પણ નમસ્કાર કરે છે
જીતેન્ટરનજનt/wyfજા ‘ળ વસીતા કુઈના ગોરા બોટિ ઈપણે તો માણBક જ બ્રિાશને નિn
सरीरमा नावत्ति जीवो बुचइ नाविना संसार अण्णवा बुत्तो जंतरन्ति मरसिणा
उत्त-अ.२३ गा-३ શરોસ્ને નોકઝરી છે વન નાવિન કરેલ છે સંસારને શમુ દટલો છે. છલરૂપી. નાત્રિ દ્વારા શરીરરૂપીનોડાને ખડીને મહર્ષિ (સામmuchખો)જન્મમરણ3) આ તૉટા સાગરને તરી જાય છે
સંસાર
2017ને સકિ ૨ મા કાનના છિદાઉજી) આ લ ી સમાપિ(પીટ થિયરી કરે છે જે એ વાત
માલણાની શાને ગળી રો નું 1
જરાસંગિતના માલનારા જીલ્લાના નારાષ્ટ્રના જOલાના વામકુશળવા હેન્ના સાળામાં છે કે જો બકા htતાન દ્વારા ખરીesી ની
997વા કનીજી જ
ફથી ધન ઝાન ખેરાજ મહા નાકા થી વાળ છે બિલ ગીતા
તે & gઇ
વાલિ છે
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ગોંડલ ગચ્છ જયવંત હો
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ
શ્રી ગુરુ પ્રાણ આગમ બત્રીઓ
સરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ
મ. સા. ની ચાર સ્મૃતિ તથા
પ્રાણ દશાબ્દી વર્ષ ઉપલક
તિલાલજી મ. સા. મહાપ્રયાણ દશ
સૌરાષ્ટ્ર કેસરી ગર
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલ
થવિર શથિત છેદ સૂત્ર
(મૂળપાઠ, ભાલાર્ક, વિવેચન)
* પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
: સંપ્રેરક વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા.
* પ્રકાશન પ્રેરક ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. : શુભાશિષ :
: પ્રધાન સંપાદિકાઃ મંગલમૂર્તિ પૂજ્યવરા
અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી મુકતાબાઈ મ.
: અનુવાદિકાઃ
પૂ. શ્રી લીલમબાઈ મ. અપૂર્વ શ્રત આરાધક પરામર્શ પ્રયોજિકા :
પૂ. શ્રી લીલમબાઈ મ. : સહ સંપાદિકા ઉત્સાહધરા
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ." પૂ. શ્રી ઉષાબાઈ મ.
: પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ.
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા
તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન ?
www.parasdham.org * www.jainaagam.org
૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439
(U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા -
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
પર સૌરાષ્ટ્ર કેસરી
બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.
સમર્પણ આપ જ તારક, આપ જ ઉદ્ધારક આપણીતું વદન વિલોકતાં જ વૈરાગ્ય રંગ વાસિત થયો કી પ્રબુદ્ધ પ્રવચન સાંભળવા જ સંયમ ભાવ સજાગ થયો જ વાંથણીના રહસ્યો જાણતાં છાત્રયમાં આભા રંજિત થયો પરમ શરણ્ય યોગી વરેણ્ય શરણે ભાવ શ્રદ્ધાંત થયો.
માગું આપ કને નિશીથ શરદ પૂર્ણિમાનો સદા ચાંદ બની રહે વિવેકશીલ વિલાય વિચાર વાણી વર્તળ રહે.. પ્રસન્ન પ્રાણ પ્રભુ! ત્રાણ બી પંથાલારમાં વહે નિશાંત સિંગ નિજાનંદ જ સેofસમાં વહે
સ્વ. પૂ. જય-માણેક ગુરુદેવના અંતેવાસી વિદાયરલ પરમ કૃપાળુ, પરમ ઉપકારી, મુજ સંયમ રથના સાથ
સ્વ. પૂ. શ્રી પંડિતર પ્રાણલાલજી મ. સા. હો સવિનય સબહુમાન ભાવે સાદર સમર્પણ.
- સ્વ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મહાસતીજીના કૃપાકાંક્ષી
સુશિષ્યા સાધ્વીશ્રી લીલમ
Page #8
--------------------------------------------------------------------------
________________
ગરદેવ પૂ. રતિલાલ
વાલજી મ. સા. ના
તપ સમ્રાટ તપસ્વી.
આ
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે,
તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી,
તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો,
જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને
સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ
ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ
તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી જયંતમુનિ મ..
શરોમણિ પૂ. શ્રી.
ના સ્વહસ્તાક્ષરે
છે
.
ગોંડલ ગચ્છ જિ.
બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય –
नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ –
'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની
A
% ન ખેંn -
7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ!
તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ.
શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું.
તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી અનુવાદિકા મહાસતીજીઓ
પ્રધાન સંપાદિકા ભાવોગિની બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧–૨)
શ્રી સમવાયાંગ સૂત્ર
શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ)
શ્રી જ્ઞાતા સૂત્ર
શ્રી ઉપાસકદશાંગ સૂત્ર
શ્રી અંતગડદશાંગ સૂત્ર
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
શ્રી વિપાક સૂત્ર
શ્રી ઉવવાઈ સૂત્ર
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર
શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રશપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ–૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર
શ્રી નંદી સૂત્ર
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
શ્રી નિશીથ સૂત્ર
શ્રી ત્રણ છેદ સૂત્ર
શ્રી આવશ્યક સૂત્ર
સાંનિધ્ય
પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
અનુવાદિકા
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ.
પૂ. વીરમતીબાઈ મ.
પૂ. વનીતાબાઈ મ.
પૂ. ડૉ. આરતીબાઈ મ.
પૂ. સુમનબાઈ મ.
પૂ. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ.
પૂ. સન્મતિબાઈ મ.
પૂ. સુનિતાબાઈ મ.
પૂ. ઉષાબાઈ મ.
પૂ. કલ્પનાબાઈ મ.
પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. સુધાબાઈ મ.
પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ.
પૂ. ડૉ. અમિતાબાઈ મ. પૂ. સુમતિબાઈ મ.
પૂ. ગુલાબબાઈ મ.
પૂ. પ્રાણકુંવરબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ.
પૂ. લીલમબાઈમ.
પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
* 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ
પ્રણામાંજલિ
જાગૃતતા આર્જવતા
સહિષ્ણુતા લધુતા
સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો
દાંતો
Gutheile
પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા
પ્રૌઢતા
કરુણતા ક્રાંતિકાર કતા
સેવાશીલતા સૌમ્યતા
આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા.
અકુતૂહલતી
નયુકતતી સામ્યતા
તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા
| ધર્મકલાધરતા
એકાંતપ્રિયતા શૂરવીરતા
રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા
- સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા
ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા
શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો
પવિત્રતા વિશાળતા દયાળુતા
સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા
સૌષ્ઠવતા
લાવણ્યતા સમયસતી
પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા
| પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા
ગંભીરતા કર્મનિષ્ઠતા
વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા
અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા
ચારિત્ર પરાયણતા વીરતા
ખમીરતા
વરિષ્ઠતા
દિવ્યતા
રોચકતા ઉપશમતા
શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્
Page #12
--------------------------------------------------------------------------
________________
પપ
(
ઉદી દરી
anna
વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક
ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત
- પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd-
aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર
F:
O)
મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
જદિન 0-00 000000ર3
૦
9 * =
૦
f
૦
9 90 9
$ $
૦
$ 6
છે.
-
VVVV
=
રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2:
૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ.
પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ.
પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ.
પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ.
પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ.
પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ.
પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ.
પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ.
૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ.
પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ.
પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ.
પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ.
પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ.
પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ.
પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ.
પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ.
પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ.
પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ.
પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ.
પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ.
પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ.
પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.
પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ..
૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ.
પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ.
પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ.
૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ.
૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ.
૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ.
andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT
$ VVVVUUUUUUU
$ $ $ # #
$
UU
$
$ $
to જ
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ ટી. આર. દોશી
હ.
ગોંડલગચ્છના અનસ્ત સિતારા સંતોના શિરતાજ, પ્રાણ પરિવારના સાધ્વીજીઓના પ્રાણ સમાન હજારો ભક્તોના શ્રદ્ધાના કેન્દ્રસ્થાન, તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. એ પોતાના સાધક જીવનમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી સ્વયંની આત્મસાધનાને પરિપક્વ બનાવી, તેની સાથે જ ૧૪૫ મુમુક્ષુઓના દીક્ષાદાતા બનીને રત્નત્રયની આરાધનાના પ્રેરક બન્યા હતા.
સાધક જેમ જેમ અધ્યાત્મ સાધનામાં ગહનતમ ઊંડાણમાં જતો જાય છે, તેમ તેમ તેમનું અંતર કરૂણાભાવથી દ્રવિત થાય છે અને તેના પરિણામે તેવા સાધકો કેટલા ય જીવદયા, માનવસેવા જેવી પ્રવૃત્તિઓનો પણ ઉપદેશ આપે છે. પૂ. તપસ્વી ગુરુદેવના જીવનમાં પણ આવી જ ઘટના ઘટિત થઈ.
અનેક ભક્તોએ પૂ. ગુરુદેવની શ્રદ્ધા – ભક્તિથી તેઓના જ પુણ્યનામથી ટ્રસ્ટનો પ્રારંભ કર્યો. પૂ. ગુરુદેવની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં જ આ ટ્રસ્ટના માધ્યમથી અનેક માનવસેવાની પ્રવૃત્તિઓ, મેડિકલ સહાય, ગૌશાળા જેવી પ્રવૃત્તિઓ ચાલુ જ હતી. જે આજે પણ ટ્રસ્ટી વયોવૃદ્ધ સુશ્રાવક શ્રી રતિભાઈ દોશી તથા શ્રી ટી. આર. દોશી કરી રહ્યા છે, તે ઉપરાંત પૂ. ગુરુદેવને જ્ઞાનારાધનાનું અદમ્ય આકર્ષણ હતું. તેથી જ ગુરુ પ્રાણ આગમ બત્રીસીના પ્રથમ પ્રકાશનમાં તેઓશ્રીની પ્રેરણાથી ચાર આગમના શ્રુતાધાર બની પ્રકાશન કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. પૂ. ગુરુદેવની ભાવનાને લક્ષમાં રાખીને આજે આગમ બત્રીસીના પુનઃ પ્રકાશનમાં પણ ટ્રસ્ટીગણ લાભ લઈ રહ્યા છે. તેઓને ધન્યવાદ.
ટ્રસ્ટીઓ સદાય પૂ. ગુરુદેવના આદર્શોને લક્ષમાં રાખી, તેઓએ ચીંધેલા રાહે જ કાર્યશીલ રહે એ જ ભાવના...
ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM
7
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
વિષય
પૃષ્ટ
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવનદર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પુનઃ પ્રકાશનના બે બોલ પૂર્વ પ્રકાશનના બે બોલ અભિગમ નિશીથ સૂત્રના રહસ્યમય ભાવો સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩ર અસ્વાધ્યાય
શાસ્ત્ર પ્રારંભ પ્રથમ ઉદ્દેશક પ્રાકથન : ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત મોહ–ઉદ્દીપક ચેષ્ટાઓ સુગંધની આસક્તિ ગૃહસ્થો દ્વારા પદ માગદિ નિર્માણ ગૃહસ્થો દ્વારા સોય આદિનું ઉત્તરકરણ સોય, કાતરાદિની નિષ્કારણ યાચના સોય આદિનું અવિધિએ ગ્રહણ પાઢીહારી વસ્તુથી નિર્દિષ્ટ કાર્ય સિવાયનું કાર્યકરણ પોતાના માટે લાવેલી વસ્તુ અન્યને આપવી સોયાદિને અવિધિએ પાછા આપવા ગૃહસ્થો દ્વારા પાત્ર પરિકર્મ ગૃહસ્થો દ્વારા દંડાદિનું પરિકર્મ નિષ્કારણ પાત્ર પરિકર્મ નિષ્કારણ વસ્ત્ર પરિકર્મ ગૃહધૂમ ઉતરાવવો પૂતિ કર્મ દોષ
પૃષ્ટ
વિષય બીજો ઉદ્દેશક પ્રાકથન: લઘુ માસિક પ્રાયશ્ચિત્ત | દંડયુક્ત પાદપ્રીંછન અચિત્ત પદાર્થની સુગંધ માણવી સ્વયં પદ માર્ગાદિ નિર્માણ સ્વયં સોયાદિનું ઉત્તરકરણ પ્રથમ મહાવ્રતમાં દોષ સેવન | બીજા મહાવ્રતમાં દોષસેવન | ચોથા મહાવ્રતમાં દોષસેવન અખંડ ચર્મ બહુમૂલ્ય વસ્ત્ર અખંડ વસ્ત્ર પાત્ર પરિકર્મ દંડાદિ પરિકર્મ
સ્વજનાદિ દ્વારા પાત્ર ગવેષણા | અગ્રપિંડનું ગ્રહણ દાનપિંડનું ગ્રહણ નિત્યવાસ ભિક્ષા પૂર્વે–પશ્ચાતું દાતાની પ્રશંસા ભિક્ષાના સમય પૂર્વે પરિચિત કુળોમાં પ્રવેશ અન્યતીર્થિકાદિ સાથે ગમન | અમનોજ્ઞ પાણી પરઠવું | અમનોજ્ઞ ભોજન પરઠવું
અવિશષ્ટ આહારને નિમંત્રણ કર્યા વિના પાઠવું શય્યાતર પિંડ સાગારિક કુળની માહિતીનો અભાવ સાગારિકની નેશ્રાએ આહાર યાચના કાલાતિક્રાંત દોષયુક્ત શય્યા સંસ્મારક
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ટ
વરસાદમાં પલળતા શય્યાદિ શપ્યાદિને અન્યત્ર લઈ જવા ખોવાયેલા શયાદિની ગવેષણાની ઉપેક્ષા ઉપધિના પ્રતિલેખનની ઉપેક્ષા ત્રીજે ઉદ્દેશક પ્રાકથન: લઘુમાસિક પ્રાયશ્ચિત્ત દીનવૃત્તિ કે કુતૂહલવૃત્તિથી યાચના નિષિદ્ધ ઘરમાં પુનઃ પ્રવેશ જમણવારમાંથી આહારનું ગ્રહણ દૂરથી લાવેલા આહારનું ગ્રહણ પગ સંબંધી પરિકર્મ કાયા સંબંધી પરિકર્મ ઘા, વ્રણ સંબંધી પરિકર્મ કંઠમાળાદિ રોગની શલ્ય ચિકિત્સા કૃમિ કાઢવા નખાદિ સુશોભન નેત્ર પરિકર્મ પરસેવાનું નિવારણ આંખ, કાનાદિના મેલનું નિવારણ વશીકરણ અર્થે દોરા બનાવવા ગૃહસ્થના સ્થાનમાં પરઠવું અવિધિએ પાઠવું ચોથો ઉદ્દેશક પ્રાકથન: લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાન રાજા વગેરેનું વશીકરણ આદિ કૃત્ન ધાન્ય આચાર્યાદિની આજ્ઞા વિના વિગય સેવન સ્થાપના કુળની જાણકારી વિના ગોચરીગમન સાધ્વીના ઉપાશ્રયમાં અવિધિએ પ્રવેશ નવો કલહ ઉત્પન્ન કરવો
વિષય ૩૮ | ખડખડાટ હસવું ૩૮ | પાર્થસ્થાદિ સાથે સંઘાડાનું આદાન-પ્રદાન | સચિત્ત લિપ્ત હસ્તાદિથી આહાર ગ્રહણ પરસ્પરના શરીરનું પરિકર્મ પરિષ્ઠાપનાના દોષો પારિવારિક સાધુ સાથે ભિક્ષાર્થ ગમન પાંચમો ઉદ્દેશક પ્રાકથનઃ લઘુમાસિક પ્રાયશ્ચિત્ત વૃક્ષના મૂળ સમીપે ક્રિયાઓ ગૃહસ્થ પાસે સિલાઈ કામ પછેડીને લાંબી દોરીઓ બાંધવી સચેત પાન ખાવા પાઢીહારા પાદપ્રીંછન વિષયક અસત્ય ભાષા | પાઢીહારા દંડાદિ વિષયક અસત્ય ભાષા પાછા સોંપી દીધેલા શપ્યા–સંસ્તારકનો આજ્ઞા વિના ઉપયોગ વિવિધ પ્રકારના રૂ કાંતવા રંગીન અને આકર્ષક દંડ બનાવવા | નવનિર્મિત પ્રામાદિમાં પ્રવેશ
વીણા બનાવવી તથા વગાડવી | ઔદેશિક આદિ સ્થાનમાં પ્રવેશ | સંભોગ પ્રત્યયિક ક્રિયાનો નિષેધ યોગ્ય ઉપધિને પરાઠવી રજોહરણ સંબંધી વિપરીતતા છકો-સાતમો ઉદ્દેશક બ્રહ્મચર્ય દોષ
આઠમો ઉદ્દેશક | પ્રાકથનઃ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન
એકલી સ્ત્રીનો સંપર્ક રાત્રિકથા નિષેધ
૬૭ ૬૮
10
Page #17
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટ ૧૪૬
૧૪૮
૧૪૯
૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫ર ૧૫૪ ૧૫૪
૧૨૪
૧૫૬
વિષય સાધ્વી વિષયક સંકલ્પ-વિકલ્પ ઉપાશ્રયમાં સ્ત્રીનો રાત્રિ નિવાસ રાજમહોત્સવમાંથી આહાર ગ્રહણ નવમો ઉદ્દેશક પ્રાકથન: ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન રાજપિંડનું ગ્રહણ અંતઃપુરમાંથી આહાર ગ્રહણ રાજાના દાનપિંડનું ગ્રહણ સવારીમાં નીકળેલા રાજા-રાણીના દર્શન અન્ય સ્થાને ગયેલા રાજાના આહારનું ગ્રહણ રાજ્યાભિષેક સમયે ગમનાગમન રાજધાનીમાં વારંવાર પ્રવેશ રાજ્યાધિકારીના આહારનું ગ્રહણ દશમો ઉદ્દેશક પ્રાકથનઃ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન આચાર્યાદિની આશાતના આધાકદિ આહારનો ઉપયોગ નિમિત્ત કથન શિષ્ય અપહરણ દિશા અપહરણ અજ્ઞાત સાધુને આશ્રય કલેશ કરીને આવેલા ભિક્ષુ સાથે આહાર જૂનાધિક પ્રાયશ્ચિત્ત કથનાદિ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાત્રિભોજનના અતિચાર ઉદ્ગાલ-ઘચરકાને પાછો ગળવો ગ્લાનની સેવામાં પ્રસાદ વર્ષાઋતુમાં વિહાર પર્યુષણની કાળ મર્યાદાનું ઉલ્લંઘન સંવત્સરીની આરાધના
પૃષ્ટ
વિષય ૧૧૫| પર્યુષણ કલ્પ- સાધુ સમાચારી ૧૧૫ વર્ષાકાલમાં વસ્ત્ર ગ્રહણ
અગિયારમો ઉદ્દેશક
પ્રાકથન: ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન ૧૧૯ | નિષિદ્ધ પાત્રગ્રહણ
| પાત્ર ગવેષણામાં ક્ષેત્ર મર્યાદાનું ઉલ્લંઘન ધર્મની નિંદા–અધર્મની પ્રશંસા
ગૃહસ્થના શરીરવયવોનું પરિકર્મ ૧૨૩] સ્વ–પરને ભયભીત, વિસ્મિત આદિ કરવા
| અન્ય મતની પ્રશંસા ૧૨૭ વિરોધિ રાજ્યમાં ગમનાગમન
દિવસભોજનની નિંદા, રાત્રિભોજનની પ્રશંસા | વિવિધ પ્રકારે રાત્રિભોજન રાત્રે આહાર રાખવો, વાપરવો આહારની ઇચ્છાથી અન્યત્ર રાત્રિ નિવાસ નૈવેદ્યપિંડ ગ્રહણ સ્વછદાચારીને વંદના - પ્રશંસા અયોગ્ય પાસે વૈયાવચ્ચ સાધુ-સાધ્વીઓનો સહ સંવાસ રાત્રે મીઠું આદિ રાખવું બાલમરણની પ્રશંસા
| બારમો ઉદ્દેશક ૧૩૯ | પ્રાર્કથનઃ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન ૧૩૯ ત્રસ પ્રાણીઓને બાંધવા, છોડવા
પ્રત્યાખ્યાન ભંગ પ્રત્યેક કાય મિશ્રિત આહાર વાપરવો સરોમ ચર્મધારણ વસ્ત્રાચ્છાદિત બાજોઠ પર બેસવું ગૃહસ્થાદિ પાસે સિલાઈ કામ કરાવવું સ્થાવરકાયનો પ્રારંભ
૧૫૭ ૧૫૮ ૧૫૯
૧૩૮
૧૬s
૧૬૭
૧૬૮
૧૬૯
૧૬૯
Page #18
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટ
૨૦૭
૨૦૮
છે
જ
છ
0.
- છ
0
- છ
0
- છ
વિષય સચિત્ત વૃક્ષ પર ચડવું ગૃહસ્થના પાત્રમાં આહાર ગૃહસ્થના વસ્ત્રનો ઉપયોગ ગૃહસ્થના પલંગાદિ પર બેસવું ગૃહસ્થની ચિકિત્સા પૂર્વકર્મ દોષયુક્ત આહાર ગ્રહણ પાણીના વાસણથી આહાર ગ્રહણ વિવિધ સ્થાનોનું દર્શન આહાર-પાણી રાખવાની કાલ મર્યાદા આહાર ગ્રહણની ક્ષેત્ર મર્યાદા રાત્રિ વિલેપન ગૃહસ્થ દ્વારા ઉપધિ વહન મહાનદી પાર કરવી તેરમો ઉદ્દેશક પ્રાકથનઃ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન સચિત્ત પૃથ્વી આદિ પર પ્રવૃત્તિ અસ્થિર સ્થાન પર પ્રવૃત્તિ ગૃહસ્થને શિલ્પકળાદિ શિખવાડવા ગૃહસ્થને કઠોર વચનાદિ કહેવા કૌતુક કર્માદિ કરવા ગૃહસ્થને માર્ગાદિ બતાવવા ધાતુ અને નિધિ બતાવવા પ્રતિબિંબ જોવું વમન, વિરેચનાદિ ક્રિયા પાર્થસ્થાદિને વંદનાદિ ક્રિયા ધાતૃપિંડાદિ દોષયુક્ત આહાર ગ્રહણ ચૌદમો ઉદ્દેશક પ્રાકથનઃ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન પાત્રને ખરીદવા આદિ આચાર્યના ઉદ્દેશથીલાવેલા પાત્ર અન્યને આપવા અધિક પાત્ર આપવા, ન આપવા
પૃષ્ટ
વિષય ૧૭૨] અયોગ્ય પાત્ર રાખવા, યોગ્ય પરઠવા ૧૭૨] પાત્રનું વર્ણપરિવર્તન ૧૭૩| પાત્ર પરિકર્મ
અકલ્પનીય સ્થાનમાં પાત્ર મૂકવા | સચેત પદાર્થ કાઢીને આપતાં પાત્રનું ગ્રહણ | પાત્ર પર નકશીકામ ગ્રામતરાદિમાં પાત્ર માંગવા પરિષદમાં પાત્ર યાચના પાત્ર માટે નિવાસ પંદરમો ઉદ્દેશક પ્રાકથન: લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન સાધુ-સાધ્વીની આશાતના સચિત્ત આમ્રફળનો ઉપભોગ ગૃહસ્થ દ્વારા શરીર પરિકર્મ કરાવવું જાહેર સ્થાનોમાં પરઠવું | ગૃહસ્થને આહાર આપવો પાર્થસ્થાદિ સાથે આહારનું આદાન-પ્રદાન ગૃહસ્થને વસ્ત્રાદિ આપવા પાર્થસ્થાદિ સાથે વસ્ત્રનું આદાન-પ્રદાન
ગવેષણા વિના વસ્ત્ર ગ્રહણ | વિભૂષા અર્થે ઉપકરણો
સોળમો ઉદેશક પ્રાકથનઃ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન
નિષિદ્ધ શય્યામાં નિવાસ ૧૯૯
| સચિત્ત શેરડીનું સેવન
| અરણ્યાદિમાં યાત્રિકો પાસેથી આહાર ગ્રહણ ૨૦૨, વસુરાન્તિક, અવસુરાન્તિક ૨૦૩| ગણ સંક્રમણ ૨૦૫| | કલહને ઉપશાંત ન કરનાર સાથે વ્યવહાર ૨૦૬] આપત્તિકારી ક્ષેત્રમાં વિહાર
0
9.
૨૨૧
*
છે
છે
*
જ
*
૨૨૫
૧૯૪
૨૩૩
૨૩૫
12
Page #19
--------------------------------------------------------------------------
________________
વિષય
જુગુપ્સિત કુળમાંથી આહારાદિ ભૂમિ આદિ પર આહાર રાખવો ગૃહસ્થની સાથે અને સામે આહાર આચાર્ય-ઉપાધ્યાયની આશાતના
મર્યાદાથી વધુ ઉપધિ રાખવી વિરાધક સ્થાનોમાં પરઠવું
સત્તરમો ઉદ્દેશક
પ્રાશનઃ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન કુતૂહલજનિત પ્રવૃત્તિઓ
ગૃહસ્થ દ્વારા શરીર પરિકર્મ
સદશ આચારવાળા સાધુને સ્થાન ન આપવું માલોપહૃત દોષયુક્ત આહાર ગ્રહણ ઉભિન્ન દોષયુક્ત આહાર ગ્રહણ સચિત્ત પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ ઠંડા કરીને અપાતા આહારનું ગ્રહણ
તત્કાલના ધોવણ પાણીનું ગ્રહણ
આત્મ પ્રશંસા
ગીતાદિ ગાવા
શબ્દ શ્રવણમાં આસક્તિ
અઢારમો ઉદ્દેશક
પ્રાશનઃ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન નૌકા વિહાર
નૌકાની પૂર્વ તૈયારી
પ્રતિ નાવિક કરીને નૌકા વિહાર
ઊર્ધ્વ–અધોગામિની નૌકા
દીર્ઘ માર્ગ પાર કરનારી નૌકા
નૌકા સંબંધી કાર્યવાહી
નૌકામાં ભરાયેલા પાણી સંબંધી કાર્યવાહી
નૌકા વિહાર સમયે આહારનું ગ્રહણ—સેવન વસ્ત્ર સંબંધી દોષસેવન
પૃષ્ટ
વિષય
૨૩૬ ઓગણીસમો ઉદ્દેશક
૨૩૦ | પ્રાકશનઃ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન
૨૩૮ | ઔષધ સંબંધી દોષ
૨૩૯ | સંધ્યાકાળે સ્વાધ્યાય
૨૪૦ ઉત્કાલમાં કાલિક શ્રુતનો સ્વાધ્યાય
૨૪૪૦ મહામહોત્સવમાં સ્વાધ્યાય
૨૪૬ | અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય સ્વકીય અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય વિપરીત ક્રમથી વાચના પ્રદાન
૨૪૭
૨૫૧
૨૫૧
૨૫૨ | વાચના પ્રદાનમાં પક્ષપાત
૨૫૩| ગૃહસ્થ સાથે વાચનાનું આદાન-પ્રદાન
૨૫૪
અદત્ત વાચના ગ્રહણ કરવી
સ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાયની ઉપેા
૫૫
પાર્થસ્થાદિ સાથે વાચનાનું આદાન-પ્રદાન ૨૫૫ વીસમો ઉદ્દેશક
૨૫૭૨ પ્રાકથન
૨૫૮ કપટ રહિત, કપટ સહિત આલોચના ૨૫૮ | પ્રાયશ્ચિત્ત તપ વહન કાલમાં લાગતા દોષો
બે માસની સ્થાપિતા અરોપણા
અયોગ્યને વાચના આપવી, યોગ્યને ન આપવી
બે માસની આરોપણા
૨૬૧
ર૩ર | એક માસની સ્થાપિતા આરોપણા
એક માસની પ્રસ્થાપિતા આરોપલા
co
ಎ
૨૩
૨૬૩ | પરિશિષ્ટ-૧:
૨૪ | માસિક : ચૌમાસિક : ઉદ્ઘાતિક :
૨૬૪
અનુદ્ધાંતિક પ્રાયશ્ચિત્ત સ્વરૂપ પરિશિષ્ટ-૨ઃ
૨૫
વિષેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
૨૫
૨૬
૨૮
પૃષ્ટ
૨૭૦
૨૭૧
૨૭૨
૨૭૩
૨૭૪
૨૭૬
૨૭
૨૭૯
૨૮૦
૨૮૨
૨૮૩
૨૮૪
૨૮૪
૨૮૫
૨૮૭
૨૮૮
૨૯૫
૨૯૯
૩૦૧
૩૦૨
૩૦૪
|૩૦૯
૩૧૧
Page #20
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર
પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન
નામ
: : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ
: વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ
: માંગરોળ. પિતાશ્રી
: ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી
? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત
: માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની
: ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર
: વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના
: અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો
અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપ આરાધના
રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ
આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો ': વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા,
સમયસૂચકતા વગેરે..
ન
|
14
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રમુખશિષ્ય
: આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા
: પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી
માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન
? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ
સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે
માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર
: કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ,
પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં
ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ
? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ. ઉત્તરાધિકારી
: આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ
: ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા
: ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
15
.
Page #22
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.
જીવન દર્શન
શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ
વેરાવળ. પિતા
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ
વિસા ઓસવાળ. જન્મદિન
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની
ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર.
તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ
બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા
ગોંડલ ગચ્છ. સંયમદાતા
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય,
વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ
અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા.
ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧
16 |
Page #23
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આવ્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ, દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
17
Page #24
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું
- જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા ગુરુદેવ
રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ.
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ તપયોગ
|
18
Page #25
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે
ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
19
Page #26
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
Page #27
--------------------------------------------------------------------------
________________
પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
- પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
Page #28
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
Page #29
--------------------------------------------------------------------------
________________
નેટ
C
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. તથા આગમદિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વકૃત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડુ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર)
શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
Page #30
--------------------------------------------------------------------------
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જૈનાગમનાં અન્ય શાસ્ત્રોમાં આજ્ઞાસૂત્ર અને કેટલાક વર્ણન કરતા પદો તથા ધર્મકથાઓ જોવામાં આવે છે, પરંતુ જેના ઉપર આજે આપણે દષ્ટિપાત કરી રહ્યા છીએ તે “નિશીથ સુત્ર’ કોઈપણ જાતના કથાનક કે બીજા કોઈ જાતના વર્ણનથી રહિત, માત્ર આજ્ઞા સૂત્રથી ભરેલું શાસ્ત્ર છે. તેમાં લગાતાર વીસ ઉદ્દેશાઓમાં એક પછી એક સંખ્યાબંધ આજ્ઞાઓ ફરમાવી છે. આખેઆખું શાસ્ત્ર એક પ્રકારનું આજ્ઞા સૂત્ર જ છે. આજ્ઞાઓની માળાઓ ગૂંથવામાં આવી છે કે જેના કેટલાક સૂત્રોમાં પરસ્પર વિષયોનો સંબંધ છે અને કેટલાક સૂત્રો સીધી રીતે જ એકાએક વિષયાંતર કરે છે.
આજ્ઞા આપવાની પદ્ધતિ બે પ્રકારે હોય છે. જૈન શાસ્ત્રોની આજ્ઞાઓ લગભગ નિષેધાત્મક હોય છે. શું ન કરવું જોઈએ ઇત્યાદિ અને આજ્ઞા આપવાની બીજી શૈલી એ છે કે જો અમુક પ્રકારની ક્રિયા કરે તો સાધક દોષિત થાય છે અર્થાત્ તેને દોષ લાગે છે. ધર્મ આજ્ઞા નિષેધાત્મક હોય ત્યારે તેનો પ્રતિપક્ષ ભાવ અધાર્મિક હોય છે અને આ પ્રતિપક્ષ ભાવ એક પ્રકારની વિધેયાત્મક પાપ ક્રિયા છે. આ રીતની બે પદ્ધતિ જોઈ શકાય છે. (૧) એમ કહેવામાં આવે કે સાધકે અપશબ્દ બોલવા ન જોઈએ. આજ વાતને બીજી રીતે કહી શકાય છે કે (ર) ગાળ કે અપશબ્દ બોલનાર સાધુ-સાધ્વીને દોષ લાગે છે અને તેને અમુક પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ.
પ્રથમ શૈલીમાં સીધી રીતે નિષેધાત્મક આજ્ઞા છે અને બીજી શૈલીમાં વિધેય રૂપ દોષનો ઉલ્લેખ કરી તેને માટે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તેમાં ‘તે કામ ન કરવું જોઈએ તેવો ભાવ પ્રગટ થાય છે.
આખું નિશીથ શાસ્ત્ર આવા બીજા પ્રકારના આજ્ઞા સૂત્રોથી ભરેલું છે, એક પછી એક નાના-મોટા સાધકને ન કરવા જેવા કાર્યની સૂચિ છે અને તે નિષિદ્ધ કાર્ય કરે તો તેને અમુક પ્રકારનાં પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થવાનું વિધાન છે.
ત્રણ છેદશાસ્ત્રની અને નિશીથ શાસ્ત્રની પૃષ્ઠભૂમિ એક સરખી છે. જે અમોએ ત્રણ છેદ શાસ્ત્રના આમુખમાં જણાવી છે. તેથી અહીં બહુ વધારે વિવરણ કર્યું નથી. આ શાસ્ત્રમાં પણ ગોચરીના દોષો, સાધન તરફ મોહ રાખવાના દોષો તથા પરિપૂર્ણ વચન
Page #31
--------------------------------------------------------------------------
________________
**
ન પાળવાના દોષો પ્રત્યે ધ્યાન અપાયું છે. તેની સાથે કુચેષ્ટાઓ તથા કામવાસના સંબંધી દોષોનું વિવરણ કરી સાધકને માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે. ખરેખર ! આ બધા પાઠો એકાંતે સ્વાધ્યાય કરી મનને નિર્મળ રાખવા માટે છે. અસ્તુ.
અહીં આપણે એટલું જ કહેવાનું છે કે– આ બધી આજ્ઞા કંડિકાઓનું વર્ણન એક પ્રકારની બાહ્ય સાધનાને સમીચીન કરવા માટે બહુ જ ઉપકારી છે. બાહ્ય ક્રિયાઓની અશુદ્ધિ અને બાહ્ય ક્રિયાઓના દોષરૂપી ક્રિયાકલાપમાં સંશક્ત સાધક વસ્તુતઃ અકષાય ભાવોને પ્રાયઃ સ્પર્શી શકતો નથી અને આ બધી આજ્ઞાઓ કોઈ વ્યક્તિ વિશેષ માટે નથી હોતી પરંતુ હજારો વર્તમાન શ્રમણ-શ્રમણીઓ અને એ જ રીતે ભવિષ્યમાં દીક્ષિત થતા સાધક અને સાધિકાઓને નજર સામે રાખી શાસ્ત્રકારે આજ્ઞાઓનું સંકલન કર્યું છે અને તેમાં ય વળી પંચમકાળ જેવો વિષમકાળ દષ્ટિગત થતા સમયાનુકૂળ આવી આજ્ઞાઓ આવશ્યક બની રહે છે, વક્રતા અને જડતા બંને પ્રકારની પંચમકાળની બૌદ્ધિક અને સાંસ્કૃતિક નબળાઈ શાસ્ત્રકારોના ધ્યાનમાં છે. તદરૂપ આ આજ્ઞાસૂત્રો નિર્મિત થયા હોય તેવું જણાય છે.
નિશીથ સૂત્રના ૨૦ ઉદ્દેશોમાંથી, ૧૯ ઉદ્દેશકોમાં આહાર સંબંધી ગોચરી પ્રણાલીથી લઈને સાધકના નિવાસ, વિહાર, જે આચારહીન હોય તેની સાથે વ્યવહાર ન કરવાના, સાથે બેસીને આહાર ન કરવાના, સાથે ન ચાલવાના, તેને કોઈપણ પ્રકારનું આમંત્રણ નહીં આપવાના, તેની સાથે વાર્તાલાપ શુદ્ધા નહીં કરવાના ઘણા આજ્ઞા સૂત્રો છે, તેને જોતાં સ્પષ્ટ થાય છે કે– એક સખત અનુશાસન પદ્ધતિમાં પૂરો શ્રમણસંઘ કે પૂરોપૂરો શ્રમણી સંઘ, જેને ભિક્ષુ અને ભિક્ષુણી કહેવામાં આવ્યો છે, તેઓ તાલબદ્ધ રહી એક જ આજ્ઞામાં સંગઠિત રહી જૈન શાસનને અને શાસ્ત્રોને પૂરે પૂરા વફાદાર રહે તેવી સ્થવિર ભગવંતોની પ્રરૂપણા છે, આ રીતે ઢીલા પડેલા સાધકો સાથે મેળ થવાથી બીજી કડીઓ પણ ઢીલી ન પડે તે માટે શાસ્ત્ર સચેષ્ટ છે. જેમ એક સડેલો દાણો, સારા દાણા સાથે ભળે તો બીજા દાણાઓને પણ ક્ષતિ પહોંચે તે ન્યાય અહીં અપનાવવામાં આવ્યો છે.
જો કે આગમમાં પતિત થતાં સાધુને દરેક રીતે બચાવી લેવા માટે ફરમાન થયેલા છે અને આવા પ્રાયશ્ચિત્ત કે છંદ પ્રાયશ્ચિત્તવાળા સાધક સારા આચાર્ય ભગવંતોના માર્ગદર્શનમાં ચાલી પુનઃ સમ્યભાવને વરે તેવી અનુમોદના કરવામાં આવી છે, પરંતુ વિચારપૂર્વક જોતા લાગે છે કે– નિશીથ સૂત્રની આ વાત અન્ય શાસ્ત્રોના આદેશ સાથે ટકરાવ કરતી નથી, મીમાંસાની દષ્ટિએ બંને આજ્ઞાઓ અનુપાલનીય છે. પ્રથમ આજ્ઞામાં સાધક કુસંસ્કારી નથી, પરંતુ કોઈ નિમિત્તથી આચાર પાળવામાં અશક્તિનો
AB
25
Page #32
--------------------------------------------------------------------------
________________
અનુભવ કરે છે. જ્યારે અહીં કુસંસ્કારથી આક્રાંત થયેલો અને પ્રાયશ્ચિત્ત આપ્યા પછી, પણ સરખી રીતે પ્રાયશ્ચિત્તનું પાલન ન કરતો હોય અને આડી-અવળી પ્રણાલીઓને જાણી બુઝીને સ્પર્શ કરતો હોય તો તેવો સાધક સંપર્ક યોગ્ય નથી, તેમ ફરમાવ્યું છે, અસ્તુ...
નિશીથ શાસ્ત્રની બધી આજ્ઞાઓ પાલન કરવા યોગ્ય છે અને તેથી સાધક એક સ્વતંત્ર ધર્મશાસનનો સૈનિક હોય તે રીતે વિચરણ કરી શકે છે. ક્યાંય લેપાયમાન થતો નથી. મન, વચન અને કર્મથી સ્વસ્થ રહી પક્ષ ઉપર જ અભિયાન કરી શકે છે; ઉપરાંત આ આજ્ઞાઓનું પાલન ન કરવાથી જનસમૂહમાં સાધક માટે ઘણી જ શંકાઓ, દૂષિત કલ્પનાઓ અને કુચરિત્રના ખ્યાલો ઊભા થાય છે. જનસમૂહમાં શ્રમણની જે ઉજ્જવળ ખ્યાતિ છે અને જે અનુશાસન છે, તેમાં પણ ફરક પડે છે.
નિશીથની આ આજ્ઞાઓ ક્યારેક બહુ જ ઝીણવટ ભરી દષ્ટિથી વિચાર કરે છે અને સાધક પોતાના વચન ઉપર પૂર્ણ ધ્યાન રાખે, વચન પાલનમાં ફરક ન પડે તે માટે ખાસ આદેશ અપાય છે. આપણે અહીં એક ઉદાહરણ લઈએ, ગૃહસ્થને ત્યાંથી કોઈ પાઢીહારી વસ્તુ સાધુ લાવે, સવારે લાવ્યા હોય અને સાંજે પાછું આપીશ, તેમ કહ્યું હોય તે પ્રમાણે પાછું ન આપે અને બીજે દિવસે પાછું આપવા જાય તો આ સાધક દોષનો ભાગી બને છે.
તેનાથી વિપરીત કોઈ ભિખુ કે સાધુ ગૃહસ્થને ત્યાંથી પાઢીહારી ચીજ લાવ્યા હોય અને એમ કહે કે હું બીજે દિવસે પાછી આપીશ, પરંતુ ત્યારબાદ તે જ દિવસે જો પાછી આપવા જાય તો સાધુ દોષનો ભાગી બને છે. આ બંને આજ્ઞાઓથી તાત્પર્ય એ નીકળે છે કે- સાધકે વસ્તુ કેટલી વાપરી છે તેના કરતા સાધુ શું બોલ્યો છે ? અને બોલવા પ્રમાણે તે પાલન ન કરે, તો દોષનો ભાગી બને છે. શાસ્ત્રકાર સાધુની સત્યતાને અને પ્રમાણિકતાને વધારે મહત્વપૂર્ણ ગણે છે.
આ રીતે બીજા કેટલાક ઉદાહરણ જોઈ શકાય છે. જૈન સંસ્કૃતિ અને જૈન સાધુઓ તે સમયે મહંતોનો અથવા મોટા આશ્રમ બાંધીને ભોગ ઉપભોગ કરનારા ધર્મગુરુઓ સામે એક પ્રકારે પરોક્ષ ક્રાંતિ કરી રહ્યા હતા. જેમ કે– અગ્નિના મોટા ઘણા તપાવી સમારંભ કરતા, તે જ રીતે પાણીનો સમારંભ કરી નદીના કિનારે અને તળાવોમાં ઘણો સમય ક્ષેપ કરતા અને આમ જનતાનો ત્યાં સંસર્ગ થવાથી કેટલીક વિકૃતિ ઊભી થતી, જેથી જૈન તત્ત્વજ્ઞાનમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિના જે કાંઈ આરંભ સમારંભ થતા તેને હિંસાનું નિમિત્ત માની અટકાવી દેવામાં આવ્યા હતા. સચેત અચેતનો વિવેક રાખી જીવધારી એકેન્દ્રિય જીવોને પણ પીડા ન થાય તેની ખાસ આજ્ઞા ફરમાવવામાં
(
26
)
Page #33
--------------------------------------------------------------------------
________________
આવી.
નિશીથ સુત્રમાં પણ આવી ઘણી આજ્ઞાઓ છે અને તે આજ્ઞાથી વિપરીત રીતે વર્તતા વ્યક્તિ સાથે સંપર્ક કરવાનો પ્રતિબંધ મૂકી, તેનો સંસર્ગ કરે તેને પ્રાયશ્ચિત્ત ફરમાવ્યું છે. સમગ્ર શાસ્ત્ર એક પ્રકારનું પ્રાયશ્ચિત્ત વિધાન ફરમાવતું શાસ્ત્ર છે અને બધા વિધાન સાધકને અથવા ભિક્ષુકને ઘણા પ્રકારના નૈતિક દોષોથી પણ દૂર રાખે છે. અહીં એક પ્રશ્ન થાય છે કે વસ્તુતઃ આ બધા આજ્ઞાસૂત્રો આધ્યત્મિક જીવન સાથે શું સંબંધ ધરાવે છે? આધ્યાત્મિક સાધનામાં વધારેમાં વધારે બાધક ભૌતિક તત્ત્વો હોય છે. મટિરિયાલિસ્ટિક વર્લ્ડ અને ભોગોના ચળકાટ જીવને આંજી દે છે. ભૌતિક પદાર્થોની આસક્તિ જીવને સંસારમાં રખડાવે છે. અધ્યાત્મ શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે પરમાં રમણ ન કર, સ્વ તત્ત્વમાં રમણ કરી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ થવા દે. ખરેખર ! અધ્યાત્મવાદીઓ એમ કહે છે કે “આત્માની ઓળખ કરો, પરંતુ આત્મ તત્ત્વ તો સ્વતઃ જાગૃત છે, સહજ પોતાની મેળે શુદ્ધ પર્યાયો ખીલી ઉઠે છે એટલે આત્માની પ્રાપ્તિ માટે કશું કરવાનું રહેતું નથી. કેવળ બાધક તત્ત્વોને દૂર કરવાના છે અને અનુકૂળ યોગ ઊભા કરવાના છે. “બીજમાં સ્વતઃ ઉગવાની–ખીલવાની અને ફળ આપવાની શક્તિ છે.”
તેનું ઉપાદાન સ્વતઃ પ્રબળ છે, પરંતુ બાધક તત્ત્વોને દૂર કરી ક્ષેત્ર વિશુદ્ધ કરી, ખેડૂત અનુકૂળ પાણીનો યોગ ઊભો કરે છે અને રખેવાળી કરે છે એટલે “બીજ” સ્વતઃ જ્ઞાનમય છે અને બીજી ઘણી વિશદ્ધ પર્યાયોને સ્વતઃ પ્રગટ કરનાર છે, બાધક તત્ત્વ ફક્ત ભૌતિકવાદ છે. ભૌતિક વસ્તુઓ, સાંસારિક અનુકુળતાઓ અને તે જ રીતે પ્રતિકૂળતાઓ ઉપાદાનને ફુરાયમાન થવાનો અવકાશ આપતું નથી. જેથી આ શાસ્ત્રોમાં લગભગ સામાન્ય ભૌતિક આસક્તિઓથી દૂર રહેવા માટે સંખ્યાબદ્ધ આજ્ઞાઓ ફરમાવી છે.
નિશીથ શાસ્ત્ર માટે “નિશીથ' શબ્દનો જે પ્રયોગ થયો છે તે ખરેખર ‘શક્તિ' અર્થમાં છે કે અન્યના બોધ માટે છે. તે કહેવું મુશ્કેલ છે. “નિશીથ' શબ્દનો ગ્રંથોમાં અને શબ્દકોષમાં જે પ્રયોગ થયેલો છે તેના આધારે રાત્રિ સંબંધી ક્રિયાઓના અનુકૂળ સમયને નિશીથ' કહેવામાં આવે છે. નિ:શરતે જના: યર્િ તત્ નિશીથ જેમાં આરામને અનુકૂળ સમયની સૂચના છે. કામ શાસ્ત્રોમાં #ામુ: વિવરત્તિ નિશિથ એવો ભાવ છે અર્થાત્ વાસના વાસિત જીવો નિશીથનો આશ્રય કરે છે. અહીં આપણે પ્રથમ અર્થને અંગીકાર કરશું કારણ કે આ ધર્મ રાત્રિમાં આરામ કરવો હોય તો બધા પ્રકારની કુચેષ્ટાઓ અને ભૌતિક પદાર્થોની આસક્તિથી મુક્ત બની ધ્યાનસ્થ થવા માટે અનુકૂળ શાસ્ત્ર હોવાથી બધા આજ્ઞા સૂત્રો એક પ્રકારની સમાધિનો જ ઇશારો કરે છે, ડગલે-પગલે
3
27
N
..
Page #34
--------------------------------------------------------------------------
________________
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અનુકૂળ વ્યવહાર કરવા માટે અને તેનાથી વિપરીત, ચરણ કરનારા સજાપાત્ર છે અર્થાત્ પ્રાયશ્ચિત્તને યોગ્ય છે.
'નિશીથ' શબ્દના લધ્યર્થ તરફ ધ્યાન દઈએ, તો લબ્બર્થ શબ્દથી પર એના અર્થનો બોધ કરાવે છે. જીવ અનાદિ કાળથી મોહનિદ્રામાં સૂતેલો છે અને ભયંકર રાત્રિ કાળમાં તેનું જીવન પૂર્ણ થાય છે, સૂર્યોદય થતો જ નથી. આવા બધા વિકારોથી રાત્રિ પૂરી થતી નથી અને અંધકારમાં જીવન ચાલ્યું જાય છે. ત્યાગ લેવા છતાં પોતાના વિકારી સંસ્કારો નિશીથમાં જ રાખે છે. તેથી સમગ્ર શાસ્ત્ર આવી અંધારી રાતનું વિવરણ કરી જાગૃત થવાનો ઈશારો કરે છે. અસ્તુ.
આટલું અમે નિશીથ માટે કહી વિરમીએ છીએ. આ શાસ્ત્ર સંબંધી પણ ઘણું
શકાય જે સંપાદકો સ્વયં પ્રકાશિત કરશે તેવી આશા. આ શાસ્ત્રના વિવેચન કર્તા પ્રબુદ્ધ મર્મજ્ઞ અને તત્ત્વવેત્તા છે, વિદુષી રત્ના આગમના અર્થબોધનું જેઓએ લઢણ કર્યું છે તેવા લીલમબાઈ મહાસતીજી અને તેના કૃપાપાત્ર આરતીબાઈ મ., સુબોધિકાબાઈ મ. તથા પંડિતા સાધ્વીજી મહારાજો જે આ કાર્યમાં જોડાયેલા છે, તેઓનો ભગીરથ પ્રયાસ બધી રીતે અનુકૂળ થશે જ તેવી ભાવના રાખીએ છીએ.
આ પ્રસંગે વરસોથી શાસ્ત્ર પ્રકાશનમાં જોડાઈને આપ સૌએ જે શબ્દાતીત પુરુષાર્થ કર્યો છે, તે પ્રશંસાને પાત્ર છે. એટલું જ નહીં. પરંતુ આગામી સમયમાં સ્વર્ણ અક્ષરોએ અંકિત થઈ આપ સૌની યશગાથા ગવાશે તેમાં શંકા નથી. અમો આ અવસરે આપ સૌને અંતરના આશીર્વાદ પાઠવીએ છીએ અને આંતરિક પરમ હર્ષાનુભૂતિ કરી રહ્યા છીએ, તેનું લખાણ કરી શકાય તેમ નથી, મૌન ભાવે આપ સૌના મંગલની કામના કરીએ છીએ અને આ પવિત્ર કાર્યમાં અને શાસ્ત્ર સમાપ્તિના મંગળ અવસરે એક તલભાર પણ કલેશ ઊભો ન થાય તે માટે પુનઃ પુનઃ વીરપ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આટલું કહી ‘નિશીથ શાસ્ત્ર ઉપર જે બે શબ્દો લખ્યા છે. તેમાં ઓછું અધિક વિપરીત જરાપણ ઉલ્લેખ થયો હોય તો અરિહંત સિદ્ધ પ્રભુની સાક્ષીએ ક્ષમા માંગી જ્ઞાન વિરાધનાથી આત્મા મુક્ત રહે તેની કામના કરીએ છીએ.
જયંત મુનિ પેટરબાર
Page #35
--------------------------------------------------------------------------
________________
છેદ સૂત્રોની વિશેષતા અને તેના રહસ્યમય ભાવો આગમ દિવાકર પ. પૂ. જનકમુનિ મ. સા.
છેદ સૂત્રો એટલે જિંદગીના છિદ્રો(ભૂલો)ની સારવારનું સૂત્ર. સામાન્ય છિદ્રો તો પ્રતિક્રમણથી પુરાય છે. (ઉત્ત. સૂ., અધ્યયન–ર૯, સૂત્ર–૧૧) પણ કોઈ કઠિન છિદ્ર હોય તો તેને વિશેષ સારવાર દેવી પડે છે.
છિદ્રો ઊભા કરવાનું કામ તો ઉદય કર્મનું છે અને તેની સારવાર ક્ષયોપશમ ભાવની જાગૃતિ સિવાય શક્ય નથી. ક્ષયોપશમ ભાવની જાગૃતિ ધરાવનાર સાધક જ આ છેદ સૂત્રોનો સાચો અધિકારી છે. ઉદય કર્મથી ઘેરાયેલાં આત્માઓની પાસે જાય તો તે પોતાનું અને સહુનું અહિત કરી બેસે.
છેદ સૂત્રોમાં માત્ર ઉદય કર્મના યોગે ઊભા થયેલા છિદ્રોની સારવાર જ નથી, પરંતુ કર્મયોગે ઊભી થયેલી મુશ્કેલીઓનું અને તેના ઉકેલનું માર્ગદર્શન પણ છે.
આપણી કોઈપણ ભૂલ કે મુશ્કેલી હોય તેને સુધારવાને બદલે જો આગળ પાછળ નો વિચાર કર્યા વિના ‘તે વાત કે તે મુશ્કેલી અમે ભૂલી ગયા છીએ’, અગર તો તે વાતને કે તે ભૂલને દાટી દઈએ, તો તે આપણા ઔદાસીન્ય ભાવ આપણા ભવિષ્ય માટેની ખતરાની પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે અને આગળ જતાં શરીર ઉપરનાં ગૂમડાની જેમ ફૂટી નીકળે છે.
અજ્ઞાનીઓનો સ્વભાવ ભૂલોને દાટી દેવાનો કે ભૂલો તરફ આંખ મીંચી જવાનો હોય છે, તેથી ભૂલનું પરિણામ થોડાં સમય માટે સંતાય જાય છે પણ છેલ્લે ઝનૂની સ્વરૂપ ધારણ કરીને જીવન ઉપર તૂટી પડે છે.
જિંદગીને ભયથી બચાવવા માટે જ છેદ સૂત્રો છે. જે ઉગરેલો હોય તે જ ઉગારી શકે’ માટે આચાર્યો, સ્થવિરો, ગીતાર્થો’ જ છેદ સૂત્રોના અધિકારી છે. તે અન્ય સહુને માટે નથી.
મન, વચન, કાયાની જે અનાદિની આદતો છે તેનું નામ અવ્રત અને અવ્રતથી ઉગારે તેનું નામ ચારિત્ર. દેશથી(શ્રાવક ધર્મ) કે સર્વથી(શ્રમણ ધર્મ), ગમે તે પ્રકારે સંયમનો સ્વીકાર કર્યો, પણ જે કષાયના(અપચ્ચક્ખાણાવરણીય, પચ્ચક્ખાણાવરણીય, કષાય મોહનીય કર્મની બીજી અને ત્રીજી ચોકડી) ક્ષયોપશમે રસ્તો કરી આપ્યો, તે પોતે જ આવરણથી યુક્ત છે. તે આવરણ જે કાંઈપણ છિદ્ર ઊભું કરે, તો તેને વ્યવસ્થિત
29
Page #36
--------------------------------------------------------------------------
________________
કરી દેવાનું કાર્ય છેદ સૂત્રનું છે.
પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષયોપશમ કહો કે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ કહો, તેનું કાર્ય તો માત્ર એટલું જ છે કે ચારિત્ર સ્વીકાર કરવામાં મદદ કરે. ચારિત્ર અંગીકાર કરવા જેટલી જ સમય મર્યાદા પૂરતી તેની જવાબદારી છે. હવે ચારિત્ર મોહના ક્ષયોપશમે જે ચારિત્રનો ભેટો કરાવી દીધો, તેને જીવન પર્યંત ટકાવીને, તેમાં સ્થિતિ અને વૃદ્ધિ કરવાની જવાબદારી વીર્યંતરાયના ક્ષયોપશમની છે. દેશિવરિત કે સર્વવરિત ગમે તે પદને પામ્યા, પરંતુ જે કષાયના ક્ષયોપશમે માર્ગ કરી દીધો તે આવરણથી યુક્ત છે.
પચ્ચક્ખાણાવરણીય અને અપચ્ચક્ખાણાવરણીય, આ બંને કષાયોનો ક્ષયોપશમ થયો એટલે પોતાની મર્યાદામાં રહીને આત્માને સમકિત અને સંયમનો યોગ તો કરાવી આપ્યો, પરંતુ તે બંને પોતે જ આવરણથી યુક્ત હોવાના કારણે એકને ઉચ્ચ પ્રકારની તો બીજાને ઉપદ્રવી એમ બંને પ્રકારની ભાંજગડ તો ઊભી કરવાનું જ છે.
અપચ્ચક્ખાણ + આવરણીય + કષાયનો ક્ષયોપશમ (વ્રતના આવરણથી યુક્ત છે) સમકિતનો યોગ તો કરાવી આપે પરંતુ ઉત્કટ ભાવના હોવા છતાં, તેને સંપૂર્ણતયા અવ્રતથી ઉગરવા ન દે. સમકિતીને અવ્રતમાં જ બંધાય રહેવાનો જે ખેદ અનુભવાય છે, તે કામ આવરણ(ઉદય)નું છે.
પચ્ચક્ખાણ + આવરણીય + કષાયના ક્ષયોપશમે ચારિત્રનો તો યોગ કરાવી આપ્યો, પરંતુ તે આવરણ (ઉદય કર્મ)થી યુક્ત છે. જેથી તે અવ્રત તરફ આકર્ષણ ઊભું કરાવ્યા કરે; તે ભાંજગડ સામે વીર્યંતરાય કર્મનો ક્ષયોપશમ ઝઝૂમે છે અને ક્યારેક નાની કાંકરી મોટા ઘડામાં છિદ્ર પાડી દે છે, તેમ ઉદય કર્મ બળવાન બને તો વીર્યંતરાય કર્મનાં ક્ષયોપશમને પણ ઉલ્લંઘીને ચારિત્રમાં છિદ્ર ઊભું કરી દે છે. તે છિદ્ર પુરવાનું કાર્ય છેદ સૂત્રોનું છે.
ગત જન્મનો જેને બળવાન સંકલ્પ(પ્રશસ્ત ક્ષયોપશમ) હોય તેને માટે આ જન્મમાં વ્રત કે મહાવ્રતની આરાધના સરળ બને છે સંકલ્પ બળનો પ્રવાહ ક્યારેક આવરણથી યુક્ત(અવ્રત એટલે અનાદિની મન, વચન, કાયાની આદતો આવરણનું સ્વરૂપ ધારણ કરે છે) બને ત્યારે પુરુષાર્થ (સંકલ્પ બળની વિશેષ શુદ્ધિ) કામે લાગે છે અને પુરુષાર્થ પણ જ્યારે ટૂંકો પડે છે ત્યારે જે ઉદયાધીન દશા આવે, તે સમયે છેદસૂત્ર ઉપયોગમાં આવે છે.
30
Page #37
--------------------------------------------------------------------------
________________
ઉપરોક્ત તમામ પ્રક્રિયા જાગૃત સાધક હોય તેને લાગુ પડે છે કારણ તે જ પરીક્ષામાં બેઠેલા ગણાય, તેથી પાસ નાપાસનું પરિણામ તેને જ લાગુ પડે છે. અમુક આત્માઓ તો એવા હોય છે કે જે પરીક્ષામાં બેસતાં જ નથી. તેને માત્ર ઓઘ સંજ્ઞા જ હોય છે. ઓઘ સંજ્ઞામાં થતું આચરણ તેને બેહોશ અગર દંભી બનાવે છે.
ભગવાન તીર્થકર દેવો કદી પણ કોઈને સલાહ કે ભલામણ કરતા નથી કારણ કે સર્વના આત્માનાં ઊંડાણમાં તેમણે સર્વજ્ઞ પદ નિહાળ્યું છે, તેથી પોતાના ઉપદેશમાં માત્ર સાવધાની સ્વરૂપ જાગૃતિ આપીને ભવ્યાત્માને સભાન બનાવે છે. તેથી જ ‘તમો ખાડામાં પડશો નહીં' તેવું જ્ઞાન નથી આપ્યું પરંતુ ખાડામાં પડવા જેવું નથી' તેટલી જ માત્ર જાગૃતિ આપી છે, તેની સાક્ષી (દશ. સૂ. અધ્યયયન-૪, ગાથા–૧૧) છે.
કોઈ પણ જાગૃત સાધકથી પ્રતિસેવના(દોષાચરણ) કે વિરાધના થઈ જાય તો ભગવાન એમ નથી કહેતા કે મેં તને ના કહી હતી, જે થઈ ગયું છે, હવે ખાડામાંથી આ છેદ સૂત્રોનો આધાર લઈને બહાર આવો અને જે ગંદવાડ લાગેલો હોય તેનાથી સ્વચ્છ થઈ નિર્મલ બનો.
ખાડો કે શિખર એ બંને જાગૃત અને સભાન સાધકને જ લાગુ પડે છે કારણ કે મોક્ષ માર્ગે ગતિ તેની જ છે. જ્યાં માત્ર સાવધાની વગરની સંયમ યાત્રા છે. તે એક પ્રકારની ઉદયાધીન ઓઘ સંજ્ઞા છે. (દશ. અ-૨, ગાથા-૨), તેથી તેઓ તો વગર ખાડે ગબડેલા છે અને વગર પાણીમાં ડૂબેલા હોવાથી તેને માટે છેદ સૂત્રોનો કોઈ ઉપયોગ નથી.
પાંચમું અને છઠ્ઠ ગુણસ્થાન એટલે સંસાર દશાથી તો મુક્તિ મળી પણ છદ્મસ્થ દશામાં તો તેની ફસામણ છે જ ! એટલે સંજ્વલન કષાયની ઉપરના જે બે કષાયો છે તે દૂર હટીને(પ્રશસ્ત ક્ષયોપશમ) ગમે તેટલો પણ સંયમ માર્ગ નિર્મલ બનાવે તો પણ છધસ્થ દશાનાં આવરણથી તો ઘેરાયેલો છે એટલે જ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની કષાયોનાં નામ સાથે “આવરણ' શબ્દ જોડેલો છે.
આ આવરણનું કાર્ય એટલું છે કે સંયમના ભાવોને અસંયમના ભાવો તરફ આકર્ષણ ઊભું કરવું, આ વાત ભલે ગંભીર હોય પણ તેની મર્યાદા માત્ર અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારની હદ સુધી જ છે. મહાસાગરના માછલા જેમ ક્યારેક મોજાના ધક્કા ખાઈને કિનારા ઉપરનાં છીછરા પાણી સુધી પહોંચે, પણ સાગરની હદ બહાર તો ન જ જાય. તેમ આ “આવરણ” પણ મર્યાદાવંત છે અને તેથી જ શ્રી ભગવતીજી સૂત્રમાં શતક-ર૬માં સંજ્યા-નિયંઠાના અધિકારે છઠ્ઠાણવડિયા’ ષસ્થાનક હાનિ વૃદ્ધિ અધિકાર આત્માના સાંત્વન અને વર્ધમાન ભાવોનાં પોષણ માટે છે.
છઠ્ઠ ગુણસ્થાનક જે એક ભવ આશ્રી ૭૦૦ વાર આવે છે, તે ઉપરોક્ત આશયથી
Page #38
--------------------------------------------------------------------------
________________
જ ફરમાવેલું છે. જો આટલું રહસ્ય ભગવાન ન બતાવે તો આત્મા “ઓસન્ન' એટલે તેનો સંયમનો ઉત્સાહ ઓસરી જાય અને આગળ જતાં પાસત્થાની પતિત દશા પામી જાય. આવા દુર્નિર્વાવાર પરિણામથી ઉગરવા માટે જ ઉપરોક્ત રહસ્યો ભગવાને ખોલ્યા છે.
આત્મા ભલે પોતાના અસંગ અને નિર્લેપ ભાવની આરાધના માટે સંયમના ભાવને વહન કરે, પણ અનંત અવતારથી આત્માને પુલનો (પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયોનો) સંગ છે, તેથી તે પૂરી પરીક્ષા કર્યા વિના જલદીથી મુક્ત થવા દેતો નથી અને તે પોતાના પુદ્ગલ) તરફ ખેંચ-ખેંચ કર્યા કરે છે. આવા આકર્ષણ સમયે આત્માને જો જાગૃતિ ન રહી તો પુરુ ની ખેંચ આત્માને અંધકારમાં ધકેલીને એક એવી ગંભીર ભૂલ ઊભી કરાવે છે કે સુખ આત્મામાં નથી પણ પુલમાં સુખ છે એટલે પછી તે આત્માને નામે અને સંયમની આડમાં શાતા અને સગવડતાની જ શોધમાં રહે છે અને પરિણામે પોતાના સંયમને નકલી અને બનાવટી બનાવે છે. (દશ. અ-૪, ગાથા ર૬) જો છેદ સૂત્રો ન હોત તો આચાર સૂત્રો અપૂર્ણ ગણાત, સૌથી મોટું અને મહત્વનું છેદસૂત્ર શ્રી નિશીથ સૂત્ર છે, તે આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના એક વિભાગ તરીકે જ છે. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ એ બંનેનો સમન્વય થાય ત્યારે જ સંયમ પરિપૂર્ણ બને છે.
- કોઈપણ આશ્રવ દ્વારનું સેવન કપટને આધારે ટકેલું હોય છે. યોગ્ય જ્ઞાની ગુરુ પાસે કપટને જો ખુલ્લુ કરી દેવામાં આવે તો તે કપટ(દોષ) નિરાધાર બની જાય છે, પછી નિરાધાર બનેલા અપરાધીનું આચરણ ક્યાં સુધી ટકે? એટલા માટે જ શાસન વ્યવસ્થામાં ભગવાને ‘આલોચના' સર્વ પ્રથમ કહી છે. દોષ મુક્ત થવાની તમન્ના કેટલી જાગૃત છે, તેનું માપ વિચારીને પછી જ પ્રાયશ્ચિત્તનું તપ નિશ્ચિત કરે છે.
મહાવીર દેવનો માર્ગ નિર્વાણનો માર્ગ છે. નિર્વાણનો અર્થ એ છે કે સર્વ પ્રકારના કલેશો અને સંતાપોના મૂળ સમાન અજ્ઞાનથી નિવૃત્ત થવું. અજ્ઞાનથી હળવા થવા માટે જીવનની દિશા બદલવી જરૂરી છે. પોતાના જીવન પંથના માર્ગને સુધારવાના માર્ગનું નામ છે. ‘વિરતિભાવ” એટલે સંયમ અને ચારિત્ર.
ચારિત્ર એ એક મોટી સાધના છે પણ તે સાધના અનાદિકાળથી આત્માના ઊંડાણમાં ઉતરી ચૂકેલા અજ્ઞાન ભાવ અને કર્મભાવના હુમલાથી ઘેરાયેલા છે. તપ અને સંયમના ભાવપૂર્વકના પાલનથી સંગ્રહીત થયેલી આત્મ શક્તિ, અજ્ઞાનના એ હુમલા સામે ઝઝૂમીને પણ પોતાના અંગીકાર કરેલા ચારિત્ર રત્નનું રક્ષણ અને પોષણ
આત્મશુદ્ધિ અંગેની પૂર્વજન્મની તૈયારીમાં જો થોડી કચાશ હોય તો તે સંયમ
Page #39
--------------------------------------------------------------------------
________________
ભાવમાં સ્થિર થવા માટે આત્માને જરા નડે છે. તેમ છતાં પણ જો તે કચાશમાં જ અટવાય જઈએ તો આદર્યા અધૂરાં રહે.
કર્મના ઉદયનો હુમલો ક્યારેક ક્યારેક તો પોતાના અંગીકાર કરેલા રત્નત્રય (જ્ઞાન-દર્શન-ચારિત્રને અંધકાર(દોષ) તરફ લઈ જાય છે. તે એક સનાતન સત્ય છે. તેથી જ સર્વજ્ઞ વીતરાગ દેવે સાધક આત્માઓને માટે પ્રતિક્રમણ-આલોચના-પ્રાયશ્ચિત્ત ક્ષમાપના વગેરેથી શુદ્ધિનાં ઉપાયો પણ તે જ કારણે શાસ્ત્રોમાં ફરમાવ્યા છે.
આત્મા ભલે કર્મભાવ અને અજ્ઞાન ભાવના ધક્કાથી જ વિભાવમાં(અવગુણી વર્તન અને દોષ દષ્ટિ) ફેંકાતો હોય, પરંતુ પરિવર્તનશીલ આ જગતમાં અવગુણ આચરવાના સાધનો (દોષોનું આચરણ કરવાની રીતરસમ) અને દોષોમાં ઢસડાય જવાના નિમિત્તો દરેક યુગે જુદાં-જુદાં હોય છે, કારણ કે દરેક યુગમાં સંયોગો-સમય પરિસ્થિતિ શરીરબળ-પુણ્યશુદ્ધિ અને આત્મશુદ્ધિ વગેરેની હાલત એક સમાન હોતી નથી.
ગુણદોષની વ્યાખ્યા અને તેના આચરણની પદ્ધતિ દરેક યુગે એક સમાન હોતી નથી, તેથી જ દરેક યુગે આલોચના કરવાના સમયે યુગને પણ લક્ષમાં લેવો પડે છે અને તે કારણે જ આલોચનાની શબ્દરચના દરેક યુગે જુદા જુદા વાક્યોથી ગોઠવાતી હોય છે. તેમ છતાં પણ આલોચનાના પ્રાણ સમાન આત્મ શુદ્ધિનો મુખ્ય ઉદ્દેશ છે તે તો અબાધિત જ રહેતો હોય છે.
આત્મશુદ્ધિ વિના શાંતિ-સ્વસ્થતા કે સ્વરૂપની પ્રાપ્તિ શક્ય નથી અને આ છેદસૂત્ર શુદ્ધિ પામવા માટેનું જ અપૂર્વ સાધન છે. સૌ સંયમી સાધકો આ સૂત્રનો ઉપયોગ આત્મ શુદ્ધિને માટે આરાધે એટલે શ્રેયનો માર્ગ સફળ બને. અસ્તુ ઈતિ અલમ્...
જનકમુનિ જામનગર
Page #40
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. | તીર્થંકર-ગણધર સ્થવિર-ભગવંત શ્રતધર-ડુંગર દેવ જય-માણેક-પ્રાણ-રતિગુરુ પ્રસાદાત્ એષઃ યોગ ફલત
ગુર્દેવોની પ્રાણ ઊર્જા અમ ઉપરે જયંત-ગિરીશ-જનક ગુસ્વર્યોના માધ્યમે આશિષ બની વર્ષી રહી, ગુરુ જગદીશ-હસમુખ-મનહર-ગજેન્દ્ર-સુશાંત-નમ્ર-પિયુષ મુનિના પ્રેરક ઝરણા સદા રહ્યા વહી, સંત જશ-દેવ-ધીર-રાજ-ભાવ-ભવ્ય-પારસ સમ હર્ષાવિત બનેલી પ્રસન્નતા અમ અંતર રહ્યું છે ગ્રહી, નરેન્દ્રોનાં દેવ ત્રિલોકીનાથ પસાથે અનુવાદ કરી સતીદે ગોંડલ ગચ્છની ગરિમા ગૂંજતી રાખી સહી.
II કૃપા સિંધુ ઉજમ-ફૂલ-મોતી-આમ-પ્રભા ગુણી પ્રસાદાત્ એષઃ યોગ ફલતુ / મહત્તરા શ્રી ગુલાબ-પ્રાણ-લલિત-મુક્ત-ગુરુભગિનીઓ, વરદ હસ્ત અમ શિર પર રહ્યાં ધરી હીરેન્દ્રનિર્મળ સૂર્ય સમતેજસ્વી જિનવાણી સત્તાગમ સતી ઉષાએ અમહસ્તે દીધાં ભાવભરી, ધીર–કાંત-વિમલ હસ-સરલ મના સતીવૃંદે કુંદનશી શુભેચ્છા પાઠવી, દિલ દરિયાવ કરી, શ્રી સંઘની અનુમોદનાથી આગમ અનુવાદ સાધનાથી સિદ્ધ થયા લીલમ આમોદે વિજયવરી.
પ્રિય પાઠકગણ !
અમોએ આપશ્રીના કરકમળમાં અગિયાર અંગસૂત્રો, બાર ઉપાંગ સૂત્રો અને ચાર મૂળ સૂત્રો અર્ધમાગધીના મૂળપાઠો સહિત ગુજરાતી અનુવાદવાળા ગુપ્રાણ આગમ બત્રીસીના આગમ રત્નો ઉપસ્થિત કર્યા, હવે સાધકોની શુદ્ધિ કરવાનારું ચાર છેદ સૂત્રનું ચોથું છેદસૂત્ર શ્રી નિશીથસૂત્ર પ્રગટ કરી રહ્યા છીએ.
મધદરિયે ડોલાઝોલા ખાતી નાવ માંડ માંડ કિનારે આવે તેમ અમારી નાવ નવ વર્ષે આપ સહુની શુભેચ્છાએ કિનારે આવી રહી છે. કિનારાને જોતા નાવમાં બેઠેલા મુસાફરો કમાણી કરીને પાછા ફરતા અને કુટુંબીજનોને મળવાનો જે આનંદનો અનુભવ કરે તેનાથી અનેક ગુણો આનંદ અમોને બત્રીસ આગમના અનુવાદનું અવગાહન કરી
34
Page #41
--------------------------------------------------------------------------
________________
The .
: (0)
આપની સમક્ષ પ્રગટ કરતાં આવી રહ્યો છે.
નવ નવ વર્ષે સુભગ ઘડી, સુભગ ક્ષણ, પૂર્ણાહૂતિનો સુભગ અવસર અમારા માટે આવી ગયો. સાધ્વી ઉષાનો અંતરનાદ હતો કે સ્વામી ! અનુવાદનું કાર્ય આપના હાથે જ પૂર્ણ થવાનું છે અને થયું પણ એવું જ. આપ સહુની ઉલ્લાસપૂર્વકની અનુમોદના અમને મળતી ગઈ અને કાર્ય વેગવાન બનતા ચોત્રીસ શાસ્ત્ર બહાર પડી ગયા અને આ પાંત્રીસમું આગમ આપની સમક્ષ આવી રહ્યું છે. જે શાસ્ત્ર દોષની ડાળને છેદનારું, રાગદ્વેષના મૂળનું ઉચ્છેદન કરનારું, તૃષ્ણા રૂપી લતાના ઝેરીલા ફળને નિષ્ફળ બનાવનારું, આધ્યાત્મિક ક્ષેત્રને ખેડનારું, વિષય કષાયના કાદવને સૂકવી દેનારું, સર્વ સાધક છંદની રક્ષા કરનારું, મુક્તા ફળને પ્રગટ કરનારું, રત્નત્રય ધર્મના રહસ્યોનું ઉદ્ઘાટન કરનારું, રહસ્યમય, ગોપનીય યોગ્ય પાત્રમાં જ ઉપયોગી થનારું, ગંભીર ઉપયોગે જ સમજમાં આવનારું નિશીથ સૂત્ર નામ ધરાવનારું આગમ છેદ સૂત્ર કહેવાય
લો, સ્વીકારો. આપશ્રીના હાથમાં આવી રહ્યું છે. તેને ખોલો, વાંચો અને ન સમજાય તો ગુરુ ભગવંતોને અર્પણ કરી દેજો. તેમાં એકાંત સાધક આત્માની જ વાત છે.
આ આગમનો અનુવાદ કરવાનો અવસર આવ્યો, ત્યારે રોમરાજીમાં એક ધ્રુજારી અનુભવી. હર્ષોલ્લાસની લહરી આવીને આંખોમાં અદ્ભરૂપે વરસી ગઈ. ગુક્ષ્મીદેવા પાસે અમુલખ ઋષિનું આગમ શબ્દાર્થરૂપે સામાન્ય બુદ્ધિથી અબુદ્ધપણે વાંચ્યું હતું. ગુજ્જીદેવા પાચન થાય તેટલી જ વાત આજ્ઞા દ્વારા, પ્રાયશ્ચિત્ત દ્વારા આપી દેતા. પ્રશ્ન કદી ઉદ્ભવતો ન હતો. આજ્ઞા પ્રમાણે વર્તન ચાલુ રહેતું હતું. ભૂલ થાય તો વિદિત કરી દેવામાં આવતી. નિખાલસપણે સાધુ જીવનનો આનંદ લૂંટતા હતા.
ગુરુદેવે દશવૈકાલિકની વાંચણી આપતા ઘૂંટાવ્યું હતું કે પૃથ્વી સમાન સહનશીલ બનવાનું છે અને
हत्थसंजए, पायसंजए, वायसंजए संजइन्दिए । મારા સુસદિયા, સુર્થી ૨ વિયાળ ને મિQ શ્રી દશ. અ. ૧૦.
હાથ, પગ, વચન, સર્વ ઇન્દ્રિયના સંયતિ અધ્યાત્મમાં રક્ત સુસમાધિવાન હોય તે જ સૂત્રનો અર્થ અને ભાવને જાણે છે, જે જાણે, માણે તેને જ ભિક્ષુ કહેવાય. આ
Page #42
--------------------------------------------------------------------------
________________
ગાથા મંત્રરૂપે રોજ સ્વાધ્યાયમાં ચાલતી, ત્યારે સામાન્યરૂપે જાણપણું થયું હતું પણ વિશિષ્ટ રહસ્યો તો આ અનુવાદ કરવામાં જ સમજાયા. ગુરુદેવો શિષ્યો ઉપર કેવો ઉપકાર કરતા હોય છે. પહેલા સામાન્ય બોધથી બોધિત કરે, ત્યારપછી વિશિષ્ટ બોધ કરાવવા માટે જ આવો સંકેત આપી નિશીથ સૂત્રનો જ અનુવાદ મારી પાસે કરાવ્યો. મારું જ નિમિત્ત બનાવી મને સજાગ અને સુજાણ બનાવવા આ અપંડિતાને હાથે કામ ધરાવ્યું. ઓહ ગુરુદેવ પ્રાણ! પરોક્ષપણે અદશ્ય રહી, દશ્યમાન મૂર્તિમંત ચિત્તમાં રહી મારા હાથે કલમ પકડાવી. અનુવાદ અને બધા આગમનો સંપાદકીય લેખ લખવાનું સર્જાવ્યું. વીસાવદરના સ્થાનકમાં મૌન લઈ ઉપરના રૂમમાં બેસી અનુવાદનું કાર્ય કરતા આનંદના મોજા ઊછળતાં અને એમ થતું કે કોઈક સાથ આપનાર સહયોગી ગુરુવર્યો અને ગુરુણી દેવો સામે જ બેઠા છે. આ કાંઈ હું લખતી નથી, તેઓ જ લખાવે છે. પ્રિય બંધુઓ !
પ્રસ્તુત સૂત્રમાં વીસ ઉદ્દેશકો છે. તેમાં પ્રથમ ઉદ્દેશકમાં ક્રમશઃ હાથના, પગના અને ઇન્દ્રિયોના સંયતિ કેમ બનવું, તે વાત ખૂબ જ ઊંડાણથી સમજાવી છે. ત્યારપછી અધ્યાત્મ જગતમાં કેમ જવાય ? સંસારીનો પરિચય છોડી એકાંત સ્વસ્થ બની આત્મસ્થ થવા માટેના શિક્ષા પાઠ રજૂ કર્યા છે. એ ખુદ અનુવાદ સમજાવશે.
અધ્યાત્મ ક્ષેત્રમાં આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર પડેલા ચારિત્ર મોહાદિના આવરણો, કર્મના ઔદાયિક ભાવો, તેના ફળનો અનુભવ કરતા આ જીવ અનાદિકાળ થી સ્વભાવ ભૂલી વિભાવમાં ક્ષાયોપશમિક ભાવોનો પુરુષાર્થ ન કરતાં ઉદયાધીન બની જાય છે, તેથી સ્વભાવને હાંસલ કરી શકતો નથી. પ્રસ્તુત સૂત્રનું નામ જ નિશીથ છે. નિશીથ એટલે રાત્રિ. રાત્રિ એટલે વિશ્રાંતિ લેવાની ઘડી. તે હંમેશાં એકાંતનીજ હોય છે. સાધક એકાંતમાં રહીને જ પોતે પોતાની સાથે વાર્તાલાપ કરવાની પ્રવૃત્તિ આદરે છે, કારણ કે તેમણે સંસારમાંથી નિવૃત્તિ એટલા માટે જ લીધી છે. વાર્તાલાપ કરતાં તેને જણાય છે કે વાસના અને ઉપાસના વચ્ચેનું આંતરું, ભિન્નપણું કેવું છે.
સાધક ભિન્નપણું સમજવા માટે પુરુષાર્થ કરે છે પોતાને જ પૂછે છે, તું કોણ છે? પોતેજ જવાબ આપે છે. હું પોતે જ પ્રશ્ન કરનારો અને જવાબ દેનારો એક શુદ્ધ આત્મા છું.
આવો જવાબ મળતાં બીજો પ્રશ્ન કરે છે તો પછી આ બધું બિહામણું, ડરામણું ભયંકર, આજુબાજુના વિકલ્પોરૂપ વમળના વાતાવરણમાં ખેંચી જનારું, જંગલ જેવું શું
36
Page #43
--------------------------------------------------------------------------
________________
છે? મને કોણે જકડી રાખ્યો છે, બંધન તૂટતા કેમ નથી ? મારે મુક્ત થવું છે. મુક્ત કેમ બનવું, તેનો ઉપાય શો?
અંદરથી જવાબ આવે છે, તું જ્ઞાની ગુરુ ભગવંત સત્પુરુષના ચરણે ચાલ્યો જા તેઓ તને જવાબ આપશે. પુરુષાર્થ ઉપાડ. તે જે ઉપાયો દર્શાવે તેને તું અપનાવી લેજે. સાધક ઊભો થાય છે, અબ્ભષ્ઠિઓમિ કરે છે. ગુરુચરણ શરણમાં પહોંચી જાય છે. અધ્યાત્મમાં રહેલા બિહામણા જંગલને પાર કરવાની સંજ્ઞમેળ તવેનં બે જડીબુટ્ટી ગુરુભગવંત આપે છે. એક આચરણ યોગ્ય સંયમાનુષ્ઠાનની જડીબુટ્ટી અને બીજી તપાનુષ્ઠાનની જડીબુટ્ટી આપે છે અને મુમુક્ષુ આત્માને સમજાવે છે. તે તારી આંખો બંધ કરી બિહામણું જંગલ જોયું. તેના ઊંડાણમાંથી તને જવાબ મળ્યો ગુરુચરણમાં જા. તું આવ્યો હવે તારે સમજવાનું છે કે જંગલની અંદર મંગલ સમાયેલું છે. જે મંગલ છે તે જ તું છો. આ બે જડીબુટ્ટીનો ઉપયોગ સાધનાથી સિદ્ધ કરવાનો છે. આ જડીબુટ્ટીની સિદ્ધિ થશે એટલે જંગલ અદશ્ય થઈ જશે. તારું વાસ્તવિક સ્વરૂપ મંગલરૂપે પ્રગટ થશે. તારે શૂરવીર થઈને જંગલ અદશ્ય ન થાય ત્યાં સુધી તેમાં જ રહેવાનું છે. તે જંગલમાં સંયમની જડીબુટ્ટી લૂંટવા માટે કેટલાયે લૂંટારુઓ આવશે.
તારી જડીબુટ્ટી નહીં મળે તો તને હેરાન કરશે. ઘાયલ કરશે. જ્યારે જ્યારે ઘાયલ થા, ત્યારે આ બીજી જડીબુટ્ટી લગાવીને તું ઘા રૂઝાવી દેજે. ઘા રૂઝાય નહીં ત્યાં સુધી જંગલમાં જવાનું માંડી વાળજે. આ સંયમાનુષ્ઠાનમાં જ રહેજે.
મુમુક્ષુ સાધક– ગુરુદેવ ! મારે આહાર-વિહાર-નિહાર કરવા જવું પડે ત્યારે શું કરવાનું ?
ગુરુદેવ બોલ્યા– ત્યારે જવાનું પણ આ જડીબુટ્ટી સાથે રાખીને જવાનું, જવાનું સર્વ સ્થાને પણ આ બે જડીબુટ્ટી સાચવીને. જો હવે સાંભળી લે, તે સંયોગ સંબંધ છોડયો સંસારના સંબંધો છોડી દીધા, નિવૃત્તિના ક્ષેત્રે આવી ગયો, ફક્ત વિષય કષાયનું જંગલ પાર કરવાનું જ રહ્યું. તે જંગલ વિરલ લોકો જ પાર કરી શકે છે. આપણા તીર્થંકરો, ગણધરો આદિ અનંત અનંત આત્માઓ પાર થયા છે. તેઓએ જે જે અનુભવ કર્યો છે અને મંગલતાને વર્યા છે તે જ આત્માઓએ આપણને તારવા આ બે જડીબુટ્ટી આપી
છે.
જંગલ પાર કરવાની રીત દર્શાવનારું આ અધ્યાત્મ ગીતા સમ નિશીથ સૂત્ર
37
Page #44
--------------------------------------------------------------------------
________________
નામ આચારકલ્પ છે. તેના વીસ ઉદ્દેશક છે. તેમાં ૧૯ ઉદ્દેશક તો સંયમની જડીબુટ્ટી સાચવવા માટે જે મળેલું આ માનવ શરીર સાધક મુમુક્ષુનું. તેને મિત્ર બનાવી, ભોમિયો બનાવીને જંગલ પાર કરવાનું છે. જો તેને મિત્ર નહીં બનાવ તો તે વિફરી જશે માટે તેને મનાવી મનાવીને તેના હાથ, પગ વગેરે દરેકે દરેક અવયવોને તારે ચારિત્રથી સજાવી દેવા જોશે તેમાં હાથ મુખ્ય છે. તે મિત્ર એટલો રેઢિયાળ અને વ્યસની બની રીઢો થઈ ગયો છે કે જલદી તારી સાથે આવવા તૈયાર નહીં થાય. તેની તૈયારી માટે તેને હાથ કરી લેવો જરૂરી છે. તો તે સાથ આપી શકશે કદાચ હાથ સાથ આપવા તૈયાર થાય, ત્યારે જંગલમાં ઊભા કરેલા મોહરાજાના જાસુસો આવી વેદમોહનીય ઓઘ સંજ્ઞાને મોકલીને હાથની કુચેષ્ટાઓ કરાવશે અને મૈથુન સંજ્ઞા ઉત્પન્ન કરાવશે. શિક્ષાપાઠ–૧ – આ કુચેષ્ટાને રોકવા પહેલા ઉદ્દેશકમાં હાથનો સંયમ દર્શાવ્યો છે. માનવ હાથ મહાકિંમતી છે. તે દેહની પૂજામાં, સેવા શુશ્રુષામાં વાસનાથી વાસિત ન થઈ જાય પરંતુ સંયમથી સુવાસિત બને તે જ્ઞાનીની દષ્ટિ છે. અનાદિકાળથી જે નથી મળ્યું તે આ ભવમાં હાથમાં મળ્યું છે. હાથ મહા ઊંચા દરજ્જાના છે.
તો તેનાથી ઉચ્ચ પ્રકારના કાર્ય થવા જોઈએ, સુચારુ ચારિત્રવાન જેને બનવું છે તેને ચારિત્ર મોહ સાથે ઠંદ્ર ખેલવો પડે છે. વિરતિની તલવારથી લડાઈ કરવી પડે છે, તેમાં નવસૂત્રરૂપ સિગ્નલ ધરી ઘણા દાંત દર્શાવ્યા છે. દસમા સૂત્રમાં કોઈ પદાર્થને નાક દ્વારા સુંઘવા નહીં તેમ નાકનું રક્ષણ કર્યું છે. આ રીતે હાથથી પ્રારંભ કરીને પૂર્ણાહૂતિ પણ હાથ, પગને સંયમમાં લઈ જઈને કાર્યોત્સર્ગથી કરી છે.
કાર્યશીલ હાથ, પગ જ છે. તેનાથી જ બધા અવયવો ઠીકઠાક રહે છે, માટે હાથ-પગને સુસંસ્કૃત બનાવી વિકલ્પોના વનને ઉપવન બનાવવાનું છે. પોતે સ્વયં પોતાનું કાર્ય કરવાનું હોય છે. ગૃહસ્થ પાસે કોઈ કાર્ય કરાવવાનું નથી. જેમ કે પગને ચલાવવા માટે રસ્તો સારો જોઈએ તો ગૃહસ્થ પાસે પુલ પાળી કંઈ બનાવડાવવાનું નથી.
આહાર લેવા જાય તે પણ જોઈએ તેટલા જ લાવવાના હોય, વધારે પડતા આવી જાય તો તેને સાચવવા કબાટ શીંકાની જરૂર પડે, મચ્છર આવે તેને રોકવા મચ્છરદાની જરૂર પડે. તે વસ્ત્રને સીવવા સોય, વેતરવા કાતર, કાન સાફ કરવા કાન ખોતરણી, દાંત સાફ કરવા દાંત ખોતરણી, આહાર કરવા પાત્રા, ટેકો લેવા દંડ વગેરેની આવશ્યકતા હોય તે લાવે, પણ તેનું સમારકામ ગૃહસ્થ પાસે ન કરાવાય. તેમાં અનેક
R
)..
(38
Page #45
--------------------------------------------------------------------------
________________
જીવોને પીડા થાય છે. સાધક મુમુક્ષુને જંગલ પાર કરવા ટાઈમે આવા કંઈક પ્રલોભનકારી જંગલના દોષો ઉપસ્થિત થશે. તેની સંખ્યા અઠ્ઠાવન દર્શાવી છે. તું યુદ્ધ ખેલતો રહીશ પણ હાર જીત થયા કરશે અને ઘાયલ થા ત્યારે એક દિવસ નિવિ આયંબિલ તપની જડીબુટ્ટી લગાવીને શાંત પડ્યો રહેજે. વધારે ઘાયલ થા તો ૩૦ દિવસની નિવિ આયંબિલ કરી ઘા રૂઝવીને આગળ ધપજે, એવો શિક્ષાપાઠ આ ઉદ્દેશકમાં છે. શિક્ષાપાઠ-૨ – હે સાધક મુમુક્ષુ મુનિવર ! રસ્તામાં જતાં પગ બગડી જશે ત્યારે પગને લૂછવાનું કપડું વહોરીને લાવજે. તેને વ્યવસ્થિત રાખવું તે ઘણા ઘણા ઉપયોગમાં લેવાય છે માટે જ્યાંથી લાવ ત્યાંથી આજ્ઞા લઈને લાવજે. જો પ્રમાદ નામનો દસ્યુ આવી ચડશે તો તેને તે ભૂલાવી દેશે માટે સાવધાન રહેજે.
આ અધ્યાત્મ જંગલને પાર કરવાના સાવધાનીનાં (૫૭) સૂત્રો આ અધ્યાત્મ ગીતારૂપ નિશીથ સૂત્ર દર્શાવે છે. તું સ્વયં કાર્ય કરે છે. તેમાં પણ પ્રમાદ ઘુસીને ખરાબ કાર્ય ન કરાવે તે શિક્ષા દર્શાવી છે. જો કદાચ ભૂલો કરી બેસે તો શાંતિપૂર્વક તે ભૂલને જોઈને જે જગ્યાએ પ્રમાદે ડંખ દીધો હોય તે જગ્યા પર એક એકાસણું કરી લેજે અને વધારે પ્રમાણમાં ડંખ દીધા હોય તો સત્તાવીસ દિવસ એકાસણાના તપાનુષ્ઠાનરૂપ જડીબુટ્ટીનો મલમ લગાડી દેજે પછી જંગલ પાર કરજે. શિક્ષાપાઠ-૩ – મુમુક્ષુ મુનિવર ! તારે આહાર લેવા જવાનું હોય ત્યારે જ્યાં જાય ત્યાં અદીનપણે જજે મોહરાજની દાસી દીનતા તારી પાસે લટુડા પટુડા કરતી આવશે અને તને ધર્મશાળા આદિ સ્થાનોમાંથી માંગવાની આદત કરાવશે. જમણવારીમાં જ્યાં ત્યાં લઈ જશે અને રસનેન્દ્રિયને લાલયિત કરાવશે, રખડતો ભિખારી બનાવી દેશે, તું તો શહેનશાહનો શહેનશાહ છો. રખેને ભાન ભૂલી ન જતો અને જેવા તેવા દોષિત આહાર લાવીને બીમાર પડી જઈશ, ત્યારે પગ દુઃખશે તો ગૃહસ્થ પાસે માલિશ કરાવવાની લાલચ ઊભી કરશે પછી તેને ધોવા પડશે. ચીકાશ કાઢવા ઉબટન કરવું પડશે. આ રીતે પાપની લંગાર લાગશે અને ક્યારેક ગૂમડા થઈ આવશે, પરું થશે, આ રીતે ૮૦ પ્રકારની મુસિબતો ઊભી થશે તો સાવધાન રહેજે, નહીં તો હેરાન થઈ જઈશ. કદાચ હેરાન થાતો ત્યાં જ સ્થિર થઈને એક એકાસણાથી લઈને સત્તાવીસ એકાસણા કરી પેલી દીનતાને કાઢી મૂકજે. તો જ તું જંગલ પાર કરી આત્માનું મંગલ પદ પામીશ. શિક્ષાપાઠ-૪ – મુમુક્ષુ મુનિવર! તમે જે જગ્યા ઉપર ઉતર્યા હશો ત્યાં દર્શનાર્થે રાજા
( ).
)
|
39
Page #46
--------------------------------------------------------------------------
________________
મહારાજા મંત્રીવરાદિ લોકો આવશે લળીલળી વંદના કરશે ત્યારે લોભ કષાય આવીને તમારામાં પૂજાવાની એક ભાવના જાગૃત કરશે અને તેમને વશીકરણ કરવાની લબ્ધિપ્રયોગ કરવાની પ્રેરણા આપશે, તો તે પ્રેરણામાં પડી વશીકરણ કરવાની કોઈ ક્રિયામાં ઝંપલાવતા નહીં. જો ઝંપલાવશો તો તમે જંગલમાં જ અટવાઈને મહાપાપરૂપી પક્ષીઓની ચાંચથી ચૂંથાઈ જશો. આ ૧૨૮ સૂત્રો વશીકરણની વિદ્યાદિના પ્રયોગ ન કરવા માટેના છે અને જો તેમ કરી જ બેસો, કંટ્રોલ ગૂમાવી દીઓ, તો તમારે બીજી જડીબુટ્ટીનો ઉપયોગ કરવો એક એકાસણાથી લઈને ૨૭ એકાસણા કરી લઈને બીમારી દૂર કરવી. શિક્ષાપાઠ–૫:- મુમુક્ષુ મુનિવર ! તમો વિહાર કરતા થાકી જાઓ તો કોઈ વૃક્ષ નીચે ઊભા રહેવાની, બેસવાની, સૂવાની, આહાર કરવાની, મળમૂત્ર ત્યાગવાની, સ્વાધ્યાય કરવાની ભાવના જાગે, તો સચિત્ત વૃક્ષની આજુબાજુની સચિત્ત ભૂમિ પર આ ક્રિયાઓ કરતા નહીં, પછેડી ઓઢવા માટે કોઈ ગૃહસ્થ પાસે ન સીવડાવતા, લીમડા આદિ વૃક્ષોના સૂકા અચિત્ત પાંદડાઓને ધોઈને ન ખાતાં વગેરે શિખામણના ૧ થી લઈને ૫૩ સૂત્રો છે. તેને સાવધાનીથી સંયમ જડીબુટ્ટીમાં સાચવી રાખજો. રખેને તમારી પાસે મોહરાજાનો આળસ નામનો અનુચર આવીને આ કાર્યમાં વિલંબ કરાવે તો તેને જીતી લેજો અને તમે જીતાય જાઓ, તો એક એકાસણથી લઈને ૨૭ એકાસણ સુધી શાંતિ પકડી આ તપાનુષ્ઠાનની જડીબુટ્ટીનું અનુપાન કરી પાછા સાવધાન બની જજો. શિક્ષાપાઠ-૬, ૭:- અહો મુમુક્ષુ મુનિવર ! નિરોગી બનીને તમો આગળ વધશો જંગલ પાર કરવા જાઓ ત્યારે મધ્ય જંગલમાંથી વાસના દેવી પધારશે અને તમારી સંયમરૂપી જડીબુટ્ટી ચોરી લેવાની કોશીષ કરશે. તે તમારા પ્રત્યેક અંગઉપાંગમાં એવી તો રતિક્રીડા ઉત્પન્ન કરશે અને મૂછનો મદિરા પીવડાવશે. તમે જે સ્થિતિમાં હતા તેના કરતા બીજી જ સ્થિતિમાં આવી જશો. વિકૃતિ ભાવોના ૧૨૦ સૂત્રો જ્ઞાની પરમાત્માએ દર્શાવ્યા છે. જો કદાચ તમે તેમાં આવી જશો તો વાસનામાંથી ઉપાસનામાં પાછા આવવા માટે એક ઉપવાસથી લઈને ૧૨૦ ઉપવાસ સૂધી ભૂખ્યું રહેવું. તે તપાનુષ્ઠાનથી જ તમારી મૂછ ઉતરશે અને પાછા સંયમની ઉપાસના કરી શકશો. સાવધાની રાખવી બહુ જરૂરી છે. ભલભલા લોકો આ વાસનાના જગતમાં ફસાઈ જાય છે, પણ મંગલ આત્મા શોધવો જ હોય તો પાછા મૂછ રહિત બની પુરુષાર્થ કરી આગળ
40
Page #47
--------------------------------------------------------------------------
________________
વધવાનો પ્રત્યન કરશો તો જ જંગલ પાર કરી શકશો. શિક્ષાપાઠ-૮:- હે મુમુક્ષુ મુનિવર ! તમે તમારી યાત્રા આગળ ધપાવતા જાઓ. તમે ઉતરવા માટે ઘણા સ્થાન પસંદ કરો ત્યારે સંસારીના સંપર્કથી દૂર રહેજો. ધર્મકથા કરવા બેસો ત્યારે કોની પાસે કેવી રીતે કરવી તેનો ખ્યાલ રાખશો. ધર્મકથા ભૂલાવી દેવા રતિ દેવી તમારી પાસે આવશે અને વિકારોત્પાદક વિકથા કરાવશે, તે સમયે સાવધાન રહેવું જરૂરી છે. નહીં રહો તો સંયમ જડીબુટ્ટીને સાચવવાની ઘણી ઘણી હાનિ થશે. તે હાનિ કદાચ થઈ જાય તો તપાનુષ્ઠાનની જડીબુટ્ટીમાંથી એક ઉપવાસથી લઈને ૧૨૦ ઉપવાસ કરી લેવાની દવા પી જશો. પછી પાછા આગળ વધવાનું કામ કરજો. શિક્ષાપાઠ-૯:- અહો મુમુક્ષુ મુનિવર ! આરોગ્ય પ્રાપ્ત કરીને આગળ વધશો, ત્યારે તમારી દષ્ટિ બરાબર રાખજો. દષ્ટિમાં આહાર સુંદર દેખાય, રાજા માટે બનાવેલ હોય, તાજી તાજી સોડમ આવતી હોય લેવાનું મન થાય, તો તે છોડી દેજો કારણ કે તેમાં રતિદેવી આવીને વસી જઈને ઇચ્છા કરાવ્યા કરશે. તેમજ રાજા રાણીને જોવાનો ભાવ આવા કંઈક પચ્ચીસ પ્રકારના નખરા કરીને તમને જંગલમાં જ રોકી દેશે. કદાચ આવું બને તો તે જ મિનિટે બીજી જડીબુટ્ટીનો ઉપયોગ કરી એક ઉપવાસથી લઈને ૧૨૦ ઉપવાસ કરી લેજો. શિક્ષાપાઠ–૧૦:- હે મુમુક્ષુ મુનિવર ! તમારે પથ આગળ કાપવાનો છે, ઊંડાણવાળા ગીચોગીચ ભરેલા જંગલમાં ચાલવાનું છે. તે વખતે માન કષાય, તમારી સંયમરૂપી જડીબુટ્ટી ચોરવા આવશે અને જીભ ઉપર બેસી તમારા ઉપકારી રત્નાધિક ગુસ્વર્યો સાથે ભેદ પડાવવા કર્કશ વાણીનો પ્રયોગ કરાવી આશાતના કરાવશે. અનંત કાયયુક્ત આહાર લેવાની ફરજ પાડશે તેવો આહાર કરાવશે. કોઈની સામે નિમિત્ત જ્ઞાનનો પ્રયોગ કરાવશે. બીજા મુનિરાજોના શિષ્યોને ફોડી પોતાના કરવાની ફરજ પડાવશે. કલહની ઉદીરણા કરાવી શાંતિનો ભંગ કરાવશે. આ રીતે જીભના ૪૭ કાર્યો કરાવી ત્યાં અટકાવી દેશે. તે સમયે સાવધાન રહી તે કષાયરૂપ દાવાનળમાં દાઝી ન જતાં સંયમની જડીબુટ્ટીથી વારણ કરજો. જો તે નિવારણ ન કરી શકો તો તપરૂપ જડીબુટ્ટી આત્મ ભાવનાથી ઘૂંટીને તેનું પાન કરીને એક ઉપવાસથી લઈને ૧૨૦ દિવસ ઉપવાસ કરી માન કષાયને હટાવશો તો આરોગ્યવાન બની ચારિત્રની વાટે આગળ ચાલી શકશો. શિક્ષાપાઠ–૧૧ – અહો મુમુક્ષુ મુનિવર ! સંસારથી નિવૃત્તિ લઈને આત્મ ભાવના
Page #48
--------------------------------------------------------------------------
________________
ભાવી અધ્યાત્મ ભાવમાં સ્વભાવની રમણતા કરવા મંગલમય આત્મદેવમાં સ્થિર થવા તમે નીકળ્યા છો. વચ્ચે જંગી જંગલનો રસ્તો આવે છે. અડધું જંગલ પાસ થઈ ગયા પછી તમો જે નગરમાં ગોચરી માટે જાઓ ત્યારે ગોચરી લેવા માટેના જે પાત્રા છે, તે ત્રણ પ્રકારનાં તમોને કહ્યું છે. માટીના, તુંબડાના અને લાકડાના હળવા ફૂલ, તે તમારે લેવા જોઈએ. તે લેવાની ઇચ્છાથી તમે જાઓ ત્યારે લોભ લૂંટારો આવીને તમારા મન ઉપર સવારી કરીને તમને લોખંડના પાત્રો લેવાની ઇચ્છા કરાવશે. દૂર-દૂર ક્ષેત્રમાં જઈને તેને પ્રાપ્ત કરાવવાની ઇચ્છા કરાવશે. ધર્મની નિંદા અને અધર્મની પ્રશંસા કરાવશે. ગૃહસ્થનાં શરીરનું પરિકર્મ-સેવા કરાવશે. કેટલીક વિદ્યાનો પ્રયોગ કરાવી આશ્ચર્યચકિત કરાવશે તેવા ૯૧ નખરા તમારી પાસે કરાવવાની અભિલાષા ઉત્પન્ન કરાવશે, તો તે સમયે તમે વ્રતથી ચલિત ન થતાં તેવી અમારી તમોને શિક્ષા છે. તે આ સંયમ જડીબુટ્ટીની તાકાત છે. તેમાં તમે સ્થિર રહેશો તો આગળ વધી શકશો અને કદાચ આવી ઇચ્છામાં આવી જાઓ અને લોખંડ વગેરે ધાતુવાળા પાત્રાદિ વાપરવાની ઇચ્છા કરી બેસો, તો શાંત થઈને પાછા વળીને તપશ્ચરણની જડીબુટ્ટી આત્મભાવન કરી પ્રાયશ્ચિત્તના રૂપમાં લઈ લેજો. તે પણ, જેવી ભૂલનું દરદ હોય તે પ્રમાણે એક ઉપવાસથી લઈને ૧૨૦ ઉપવાસ સુધીનું સ્વીકારી લેજો. કલ્પતા પાત્રો ગ્રહણ કરીને જીવશો તો જંગલ પાર કરવાની પાછી શક્તિ આવી જશે અને ચારિત્રની વાટે આગળ વધી શકશો, નહીં તો જંગલમાં અટવાઈને દુઃખી થશો. શિક્ષાપાઠ-૧ર :- અહો ત્યાગી મુનિવર ! કરુણાસાગર પ્રભુએ સર્વ જીવો ઉપર કરુણા વરસાવી છે. તમે પણ કરૂણાશીલ છો. તમારી કરુણા શ્રેષ્ઠ છે. બીજાને દુઃખજનક બને તેવું કાર્ય સંતે ન કરાય, માટે આ ઉદ્દેશકમાં હિતશિક્ષા એવી રીતની આપી છે તે તમારે પચાવી લેવી જોઈએ. સંયમ જડીબુટ્ટી આત્મભાવનાના દોર સાથે બાંધેલી હોય તો વાંધો ન આવે પરંતુ તે દોરમાંથી ખસી જતાં પેલા જંગલમાં રહેતા શુદ્ર જંતુઓ તમારી કરુણાને ખાઈ જશે અને તમે જે સ્થાને ઊતર્યા છો તે સ્થાને કોઈ ત્રસ પ્રાણીઓને બાંધેલા જુઓ કે તુર્ત જ દેખાવની દયાવાળા બનીને તે ત્રસ પ્રાણીઓના બંધન છોડાવવાની ભાવના કરાવશે અને છુટા છે તેને બાંધવાની ઇચ્છા કરાવશે તો તેવું ન કરી બેસતાં એવું શિક્ષાપાઠનું વાક્ય છે. તમે જે નિયમો કર્યા છે તે વારંવાર તોડી નાખવાની પ્રેરણા કરશે, રોમવાળા મૃગચર્મ વાપરવાનું કહેશે, ગૃહસ્થના વસ્ત્રથી ઢાંકેલા તૃણપીઠ ઉપર બેસાડશે. વળી સાધ્વીજીની પછેડી ગૃહસ્થ પાસે સીવડાવી લેવી, તેમ કહેશે. પાંચ સ્થાવરની
42
Page #49
--------------------------------------------------------------------------
________________
વિરાધના કરાવશે, સચિત્ત વૃક્ષ ઉપર ચઢો, ગૃહસ્થના વાસણમાં જમો, બેસો, તેના વસ્ત્ર પહેરો, પલંગ પર સૂવો-બેસો આવા ૪૪ પ્રકારના ભાવો ઉત્પન્ન કરશે, તો તેને વશ ન થતાં આ શિક્ષાપાઠને મનમાં ઉતારશો તો આગળ વધી જશો, જલદી જંગલ પાર કરવાની આગેકૂચ થશે પરંતુ જો આ સૂત્રો યાદ નથી કર્યા તો પછી તેમાં જ ફસાઈ જશો. તેમાં ફસાવું ન હોય તો ત્યાંથી પાછા ફરીને શાંતિ પકડી લેજો અને તપાચરણની દવા લઈ લેજો. ચાર આયંબિલથી લઈને એકસો આઠ ઉપવાસ સુધીનો તપ કરવાનો છે. તે કરીને પાછા શક્તિશાળી બની જાઓ ત્યારે આગેકૂચ કરજો. શિક્ષાપાઠ-૧૩ :- અહો સંયમી મુનિવર ! સંયમનાં કારણે કોઈ લબ્ધિ ઉત્પન્ન થઈ હોય, તો તેને જાળવવી જોઈએ, અપ્રમતદશામાં રહેવું જોઈએ. તે દશા તોડાવી માયાદેવી આવીને તમારી ભાવના બદલાવી સચિત્ત પૃથ્વી ઉપર પાણીવાળી સ્નિગ્ધ પૃથ્વી, સચિત્ત રજવાળી પૃથ્વી ઉપર, સચિત્ત શિલા ઉપર, જીવયુક્ત કાષ્ઠ ઉપર ઊભા રાખી, બેસાડીને સૂવાની ભાવના કરાવશે. ઊંચે પાળી ઉપર, ઊંચા સ્થાન ઉપર, સૂવા-બેસવા આદિની ક્રિયા કરાવશે. ગૃહસ્થને શિલ્પકળા શીખવાડી દેવાની ભાવના કરાવશે. ગૃહસ્થ ઉપર કોપાયમાન થઈ કઠોરાદિ ભાષા બોલાવશે. કૌતુકકર્મ-ભૂતિકર્મ વગેરે જ્યોતિષ શાસ્ત્રના લક્ષણ વ્યંજનનાં જોશ જોવડાવશે, સ્વપ્નનાં ફળ વગેરે વગેરે ૭૮ પ્રકારના સ્વભાવ છોડાવી વિભાવભાવ કરાવશે. જો ચેતીને પગલા ભરશો તો વાંધો નહીં આવે, નહીં તો તે જ જગ્યામાં તમને રોકી દેશે. સંયમની જડીબુટ્ટી અલોપ કરી દેશે. કદાચ થોડી વિરાધના અપવાદ માર્ગે થઈ જાય તો પાછી પેલી તપશ્ચરણની જડીબુટ્ટી આત્મભાવનની કરી પી લેજો. તે એક આયંબિલથી લઈને એક્સો આઠ ઉપવાસ કરી સ્વસ્થ બની રસ્તો કાપજો પણ ચુંગાલમાં ફસાતા નહીં તે તમારો શિક્ષાપાઠ છે તેને ધ્યાનમાં લેજો. શિક્ષાપાઠ–૧૪:- અહો મોક્ષાભિલાષી મુનિવર ! તમે પરિગ્રહ ત્યાગી નિષ્કામી બનવા નીકળ્યા છો તે ભૂલી ન જતાં. તમો ચારિત્ર માટે આગળ વધવા પ્રયત્ન કરો ત્યારે પેલા જંગલમાંથી મૂછદેવી પ્રગટ થઈને તમારી સંયમ જડીબુટ્ટીને ઢાંકી દઈને તમારી વ્યાપારી બુદ્ધિને વિકસાવી દેશે અને કહેશે કે પાત્રાની ખરીદી કર, ઉધાર લઈને પછી પૈસા ચૂકવી દેજે, પાત્રનું પરિવર્તન કરી બીજા લઈ લે, ઝૂંટવીને લેવા, ભાગીદારની આજ્ઞા વિના લેવા, સામે લાવેલા લેવા, આચાર્યની આજ્ઞા વિના લેવા, સમર્થને પાત્ર દેવા, અસમર્થને ન દેવા, સુંદર પાત્ર કુરૂપ કરવા, કુરૂપને સુરૂપ કરવા સુગંધ ભરવી વગેરેમાં સમય પાસ કરાવી જંગલમાં રોકી દેવા ૪૧ પ્રકારની ક્રિયામાં જોડી મંગલ
Page #50
--------------------------------------------------------------------------
________________
આત્મા તરફ જવા નહીં દે માટે તેનાથી ચેતીને ચાલવું કદાચ તેની ચુંગલમાં આવી જાઓ તો પણ છૂટી જઈને પેલી તપશ્ચરણની જડીબુટ્ટીનું પાન કરીને એક આયંબિલથી લઈને ૧૦૮ ઉપવાસ કરી લઈને શુદ્ધ બની પાછા આગેકૂચ કરશોજી.
શિક્ષાપાઠ—૧૫ :– અહો મોક્ષકામી મુનિવર ! તમે તો ભાષા સમિતિને વરેલા છો. પૂર્ણ જગત છોડી જગતપતિ થવાં કદમ ભર્યા છે, પરંતુ મોહકર્મનું જંગી જંગલ નીચે મંગલ સ્વરૂપ છે તેને ઉજ્જવળ ભાવે પ્રગટ કરવા જોરદાર પુરુષાર્થ ઉઠાવવો પડે અને કદમ ઉપડે પણ ખરા ત્યાં તો વિકલ્પના વનપ્રદેશમાંથી કર્કશા દેવી માનભેર આવી જીભ ઉપર બેસી સંયમ જડીબુટ્ટીના પ્રભાવને ઢાંકી એલ ફેલ બોલાવી અન્ય સાધુની આશાતના કરાવે, સચિત્ત આમ્રાદિ ફળ ખાવાની ઇચ્છા કરાવે, ગૃહસ્થ પાસે પોતાના શરીર સંબંધી ૫૪ પ્રકારના પરિકર્મ કરાવે. અકલ્પનીય સ્થાનમાં મળમૂત્ર પરઠાવે, ગૃહસ્થને આહારાદિ અપાવે, આહાર વસ્ત્રાદિની લેતી દેતી કરાવે. જીભના દોષો લગાડવા માટે પાવરધા બનાવે, આ રીતે કર્કશા દેવી ૧૫૪ દોષો કરાવવાની કોશિષ કરશે તો તમે તેનાથી અળગા રહીને ઉત્સર્ગ માર્ગ છોડીને તેની ચાહમાં આવી જતાં નહીં, ખૂબ-ખૂબ આકર્ષણ કરીને કદાચ ખેંચી જાય તો જલદી પાછા ફરી ગુરુદેવના ચરણોમાં જઈ, પ્રણિપાત કરી, આશાતના છોડી, પેલી તપશ્ચરણની જડીબુટ્ટી ઘૂંટીને પી જઈને, એક દિવસની આયંબિલથી લઈને ૧૦૮ દિવસના ઉપવાસનું અનુપાન કરજો. સ્વસ્થ બની આત્મસ્થ થવા વળી પ્રયાણ આદરશો તો ચારિત્રની વાટ પકડાશે.
-
શિક્ષાપાઠ—૧૬ :– અહો પરમપદપિપાસુ મુનિવર ! તમે તો અચેતના ભોગી, નિઃસંગી વૈરાગી બની નીકળ્યા છો. વળી ગૃહસ્થયુક્ત, જલયુક્ત, અગ્નિયુક્ત મકાનમાં રહેવું તે યોગ્ય નથી. એવા મકાનમાં રહેતા મોહરાજાની આસક્તિ કુમારી તમારી પાસે આવીને કુસંગમાં લઈ જશે. સત્સંગમાં જતાં અટકાવશે. અરણ્યવાસી વટેમાર્ગુ પાસેથી આહાર લેવડાવશે, અલ્પ ચારિત્રવાનને વિશેષ ચારિત્રગુણ સંપન્ન કહેવામાં પ્રેરશે, કદાગ્રહાદિ બનાવી વિરાધનાવાળા સ્થાનોમાં લઈ જઈને, ૫૦ સ્થાનોમાં ફેરવીને આસક્તિ પોતાના બાહુપાશમાં જકડી લેશે તો ત્યાં સંભાળીને તમારે રહેવું જોઈએ. કદાચ અસંગ છોડી કુસંગમાં ફસાય જાવ તો જલદી છૂટીને પેલી તપશ્ચરણની જડીબુટ્ટી ઘૂંટીને, એક આયંબિલથી લઈને ૧૦૮ ઉપવાસ કરી સત્સંગ તરફ આગળ વધજો.
શિક્ષાપાઠ—૧૭ :– અહો કલ્યાણકામી મુનિવર ! તમોએ પ્રતિજ્ઞા કેટલી વિશુદ્ધ ભાવે લીધી હતી કે હું આત્મ સાધનામાં લાગી જઈશ. જ્ઞાન, દર્શન, સ્વાધ્યાયમાં સતતલીન રહીશ એ લીનતાનો ભંગ કરવા મોહરાજાનો પુત્ર કૌતુક કુમાર આવી વિક્ષેપ ઊભો
44
Page #51
--------------------------------------------------------------------------
________________
કરી દેશે અને કુતૂહલી બનાવી ત્રસ પ્રાણીઓની રમત ગમ્મતમાં, માળાઓ અને ફૂમતાઓ કરવા, આભૂષણો, વસ્ત્રાદિ બનાવવા, પહેરાવવા, વેશભૂષામાં લઈ જશે. સાધુ-સાધ્વીજી શરીરનું પરિકર્મ ગૃહસ્થ પાસે કરાવે, સમાન આચારવાળાને રહેવા સ્થાન ન આપે, આધાકર્મી આહાર લેવાની ભાવના કરાવે, ગાવું, વગાડવું, હસવું, નૃત્ય કરવું, હાથી, ઘોડા, સિંહ આદિ જાનવર જેવા અવાજ કરવા વગેરેમાં લઈ જઈને તારી ચારિત્રની વાટ રૂંધી દેશે, તો તે સાધક ! તારી ઇન્દ્રિયનો નિગ્રહ કરજે અને કદાચ ન જ કરી શકે. અપવાદમાં આવી જા ત્યારે જલદી સાવધાન થઈ પેલી તપશ્ચરણની જડીબુટ્ટીનું પાન કરી લેજે. એક આયંબિલથી લઈને ૧૦૮ દિવસ સેવન કરીશ તો કુતૂહલ વૃત્તિનો રોગ નષ્ટ થશે અને તું ચારિત્રની વાટે અગ્રેસર થઈને વિચારી શકીશ. શિક્ષાપાઠ-૧૮ :- હે આરાધનાના અભિલાષી મુનિવર ! આપ તો પાદવિહારી અહિંસાના આરાધક છો, ચારિત્ર વાટે નીકળતા મધ્યમાર્ગમાં નદી મોટી આવે, ત્યારે પ્રયોજન વિના ત્યાં નૌકા વિહાર કે વાહન વિહાર ભૂલેચૂકે નહીં કરતાં અને કદાચ ઉત્સર્ગ માર્ગથી નીચે લઈ જનારા રતિ મોહનો પુત્ર મોજશોખકુમાર તમારા હૃદયમાં બેસી ચિત્તભ્રમ કરાવી વાહનવિહાર, નૌકાવિહાર ભાડે કરાવે, કીચડમાં ફેરવે, પાણી કઢાવે, વગેરે પાપ કરાવશે તો તમે ત્યાં નીચે ઉતરી ન જતા. હે મુનિવર ! તમારી સંયમ જડીબુટ્ટીને જાળવજો. કદાચ ન જ રહેવાયને આ ૭૩ બોલના કોઈ સ્થાને ફસાય જવાય તો ઉપરોક્ત લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી શુદ્ધ થજો. શિક્ષાપાઠ-૧૯:- અહો મહાત્યાગી મુનિવર ! આપનું નિર્દોષ જીવન કર્મના ઉદયને ક્ષય કરવા કટિબદ્ધ થયેલું જીવન નિરોગી કાયાથી કસ કાઢી સંયમ અને તપોપૂત સાધનાથી જંગલના કર્મવૃક્ષને મૂળમાંથી ઉખેડી જંગલમાંથી મંગલ શોધવા ચારિત્ર વાટે વિચરી રહેલા એવા અને કદાચ રાગના રોગ ઘેરી વળે ત્યારે ઔષધ લેવું પડે તો નિર્દોષ લાવવું જોઈએ પરંતુ સદોષ ઔષધ જેમ કે ખરીદીને લાવવું, ખાંડવું, પીસવું, ભીંજવવું, ચાળવું, વિહારમાં રાખવું વગેરેની ક્રિયા તમને પ્રમાદમાં લઈ જશે. જડની જંજાળ કરાવી જંગલ પાર કરવા નહીં દે. સ્વાધ્યાય, જ્ઞાન, ધ્યાનમાં કાળાકાળનું ભાન નહીં રહેવા દે. વિનય વિવેક વ્યવહાર માર્ગમાં, આચાર્ય, ઉપાધ્યાયની વાંચના લેવામાં આળસ, મિથ્યાત્વી ગૃહસ્થી પાસે વાંચના લેવી ઇત્યાદિ ૩૫ બોલથી ચારિત્રમાં શિથિલતા આવી ન જાય તે ધ્યાનમાં લેજે અને કદાચ પ્રમાદી બની અપવાદમાં આવી જા ત્યારે તપશ્ચરણની જડીબુટ્ટીનો ઉપયોગ એક આયંબિલથી લઈને ૧૦૮ ઉપવાસ સુધી કરજે. સ્વસ્થ બની જંગલને પાર કરજે.તે પાર કરવા અપાર ઉપાયો પ્રભુએ દર્શાવ્યા છે તેમાં પાછો સ્થિર બનજે.
45
Page #52
--------------------------------------------------------------------------
________________
શિક્ષાપાઠ—૨૦ :– અહો કલ્યાણકાંક્ષી મુનિવર ! તું ગુરુની સન્મુખ રહેજે, ભૂલ કબૂલી લેજે. સત્ય વાત કરી આલોચના કરજે, તો જલદી શુદ્ધ થવાશે, પરંતુ વચન ખોટું, મન ખોટું અને કાયાની ક્રિયા ખોટી કરી ગુરુવર્યોની છેતરપીંડી નહીં કરતો. તે તને જંગલમાંથી મંગલ માર્ગે જવા નહીં દે અને ગુરુ તને આરોપણ પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કરશે. ખોટું બોલીશ તો પ્રાયશ્ચિત્ત વધી-વધીને છ માસ સુધીનું થઈ જશે તે પણ લઈને શુદ્ધ થજે, તો તારો બેડો પાર થશે, નહીં તો જંગલમાં જ પાપ શ્રમણ તરીકે જીવન પૂરું થશે, માટે આરોપણ પ્રાયશ્ચિત્તથી બચી જજે. આ છે આપણી મુનિ જીવનની શિક્ષાપોથી હે મુનિવર! મેં તને બે જડીબુટ્ટી આપી છે. તે વીતરાગ અરિહંત પરમાત્માની જ ચારિત્ર ચિકિત્સાલયમાંથી લાવીને આપી છે. આનું ભાવન તને પાર ઉતારશે. રોજ સાવધાન રહેજે. ચારિત્રની સારવાર કરજે. વિરાધનામાંથી બચવા માટે રોજ બંને વખત પ્રતિક્રમણ કરી પાપમાંથી પાછો ફરજે અને આગળ વધીને જંગલ પાર કરીને છેલ્લું દ્વાર આવે તે સંવર દ્વારને ખોલજે એટલે તેમાં તને પ્રવેશ મળી જશે. ત્યાં મંગલ એવો આત્મા બિરાજમાન છે, પંચાચારનો પલંગ છે, તેની ઉપર સમિતિની શય્યા અને ગુપ્તિની મચ્છરદાની છે. સર્વવિરતિની સાથે અનંત સુખમય જીવન વીતાવવાનું છે. કર્મની નિર્જરા કરીને સદા માટે સમતાનો સ્વાદ લેતા, અનંત સુખનો આનંદ લૂંટતા, સ્વમાં રમણતા કરવાની છે. એકાંત આત્મા સાથે વીતરાગતાની સુરતા ખેલવાની છે. તો આવી જાઓ મુનિવર સ્વ સ્વરૂપમાં સમાઈ જાઓ. તેમાં જ કેલી કરો તમારા ઉત્કૃષ્ટ તપ, જપ, યમ, નિયમ બધા તેમાં જ સમાવી દ્યો. આ છે આપણી નિશીથ અધ્યાત્મ ગીતાની શિક્ષાપોથી. તેને રોજ વાંચી હર્ષપૂર્વક આચરણ સુધારી સદાચારના પુષ્પોને પુષ્પિત કરી, ઉર્મિલ ભાવે સ્વને માણો પર થી પર થાઓ. વીરતાપૂર્વક સ્થિરતા કેવળો. વિનીત થઈ સમવાયમાં સમાઈ જાઓ, ભગવાન બનવા ભગવતી પરાયણ બની સદ્ગુણની આરતી રોજ સવાર-સાંજ આલોચનાથી ઉતારો. જ્ઞાતા દષ્ટા થઈ મનને સુમન બનાવો, વાસનાને ઉપાસનામાં વાળી ઉરમાં વસી જાઓ, કર્મનો અંત કરવા જંગી પુરુષાર્થ ઉપાડો કારણ કે આપણા ભારત ક્ષેત્રમાં તીર્થંકર નથી તેમની વાણીથી જ પાર ઉતરવાનું છે. અનુત્તર એવી કરણી કરવા સન્મતિ કેળવો. આત્માના પ્રશ્ન આત્મામાં જ કરો, સુનીત બનીને કરો જેથી વિવેકનું વ્યાકરણ જાગે, જડ ચેતન જુદા પડે તેવો પુરુષાર્થ ઉપાડો, સુખ દુઃખના વિપાકને સહન કરી, પ્રતિક્રિયા કર્યા વિના ખપાવી દો તો આનંદની ઉષા ઉદય પામે. જન્મમરણની ઉત્પત્તિ હંમેશાં ટાળો. કલ્પનામાંથી બહાર આવો કુદરતી તત્ત્વો જે છે તેને જ ભજો. તમે આસ્તિક બનો, નાસ્તિકતાનો સુમેળ કરો. અપેક્ષા છોડી સાપેક્ષવાદમાં ચિત્ત જોડો તો જ્ઞાનનું બિન્દુ સિન્ધુ બની જશે ત્યારે રૂપલ ઘંટડી અનંત આનંદની વાગશે. પુનિત બનશો તો ત્રિલોકી બની જવાશેને જીવાજીવાભિગમને સંપૂર્ણ
46
Page #53
--------------------------------------------------------------------------
________________
( 5.
જાણવાની શક્તિ પ્રગટ થશે. અનંત પ્રજ્ઞાપણું પ્રાપ્ત થશે. જ્ઞાનામૃતનું સુધા પાન કરશો તો શુદ્ધ ભાવમાં મહાલશો, જંબૂદ્વીપના મધ્યભાગમાંથી નીકળી મુક્ત બની જશો,
જ્યોતિષરાજની ઉપર ત્રણ લોકના અગ્રભાગના રાજેશ્વરી બની જશો. લોકોગ્રે બિરાજમાન થયેલો આત્મા ક્યારેય નિરિયાવલિકા આદિ ચારેય ગતિમાં પાછો આવતો નથી એવું છે જ્ઞાની પરમાત્માનું બોધિબીજનું કિરણ, તે કિરણ અનંત સૂર્યનાં તેજથી પણ અધિક તેજસ્વી છે. જેનાથી કોઈ ઉત્તર પ્રધાન નથી તેવા આગમ અધ્યયનમાં આત્મ અનુભવનાં અમીરસ ભર્યા છે. સુમતિ આસુપ્રજ્ઞા બની જાય છે, ત્યાં ક્યારેય વૈકાલિક દશા થતી નથીને સૈકાલિક દશામાં જ રહેવાનું છે, હસતા ગુલાબ કરતા પણ અનંત સહજ સુખ પ્રાપ્ત થઈ જાય છે, જ્ઞાનના નંદી ઘોષમાં લીન થઈ પ્રાણ પૂરી ચિદાનંદી બનવાનું, યોગ અનુયોગ સહિત સુબોધ સુખપ્રાણમાં જીવવાનું બધી ખંડ ખંડ દશા બૃહત્કલ્પ વ્યવહાર માર્ગની છે તેની જડ ક્રિયાનું છેદન કરી અખંડ આનંદના અનંતગુણરૂપી ડોલરથી મહેંકયા કરવાનું છે. અનંત શક્તિનાં આવશ્યક મર્યાદિત સ્વતંત્ર સુખ સ્વરૂપા બની જવાનું, તે જ અવશ્ય કરવા લાયક છે. નિત્ય ઉદયવાળી લીલમ તેજથી અધિક તેજવાળી સોળે કળાએ ખીલેલી સંપૂર્ણ નિશીથને માણવાની છે. આ છે આપણી આરાધના-સાધના અને સિદ્ધિ પ્રાપ્ત કરવાની રીત. આચાર પ્રકલ્પ સૂત્ર પૂર્ણ થાય છે. મારો અનુવાદ સંપાદકીય આપણા સહુનું શ્રેય કરનારું નીવડો અસ્તુ..
આ આધ્યાત્મિક ક્ષેત્રમાં ડૂબકી મારી ક્રોધ, માન, માયા, લોભ, કષાયને ત્યાગી વિષયથી વિરામ પામી જીવનને ઊર્ધ્વકરણમાં લઈ જવાનો સંયમ માર્ગ છે. તે માર્ગમાં સાધક દશા વિતે તેવી સાધના કરી આરાધક બનીએ તેવી મંગલ કામના.
પ્રિય સાધક વંદ! આ નિશીથ પૂર્ણ કંઠસ્થ કરી રોજ તેની સ્વાધ્યાય થશે તો આત્મા ઉપર ઉઠતો જશે. એવા બધા ગુણો મારામાં પ્રગટ થાઓ તેવી ભાવના નિરંતર નિરાવકાશપણે વર્તી રહે તે જ કૃપાળુ પાસે પ્રાર્થના.
નિરતિચાર ચારિત્ર પાળનાર શ્રુતધરોને, સંત મુનિવરોને મારી કોટીશઃ વંદના. આભાર : ધન્યવાદ : સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ પૂ. શ્રી જયંતીલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત, નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું. ગુરુપ્રાણ
47
Page #54
--------------------------------------------------------------------------
________________
આગમ બત્રીસીના સહયોગી આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી સંસ્કરણના ઉદ્ભવિકા, ઉત્સાહધરા, નિપુણા, કાર્યનિષ્ઠાવાન, ઉગ્ર તપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને સ્મરણ સાથે ધન્યવાદ છું.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરત્ના પુષ્પાબાઈ મ., પ્રભાબાઈ મ. એવં વીરમતી બાઈ મ, હસુમતી બાઈ મ., વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકાબાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી મારી શિષ્યા, પ્રશિષ્યા સહ સર્વ સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહસંપાદિકા મમ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીરના ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું.
આગમ નિષ્ઠાથી સેવા આપનાર શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં કુમારી ભાનુબહેન પારેખને તેમજ અમારા સંપાદકીય લખાણમાં યોગ જોડી, તન્મય બની, મોતીસમા અક્ષરે આલેખન કરનાર યોજ્ઞાબહેન મહેતાને અનેકશઃ ધન્યવાદ આપું છું.
= પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માન સભ્ય ભામાશા શ્રીયંત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિસભર હૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રુતસેવાસંનિષ્ઠ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી સર્વ સભ્યગણ; ધીરુભાઈ, વિનુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી સર્વ કાર્યકરો, આગમના શ્રુતાધાર બનનારને અને અન્ય દાનદાતા મહાનુભાવોને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધે-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
48
Page #55
--------------------------------------------------------------------------
________________
The .
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કિંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
| “ગોંડલ ગચ્છનાં મહામના હિર-વેલ-માન-દેવ-ઉજમ-મોતી ગુજ્જીને વંદના અમારા, દઢતા, વિવેક, બ્રહ્મ નિષ્ઠતા દક્ષતા ઉજ્જવળતા આદિ ગુણોના હતા અખૂટ ભંડારા, પરમ તારક ફૂલ-આય-અમૃત-પ્રભા છબલ ગુરુણીમૈયા હતા શાસન ના સિતારા ચંપા-જય-વિમલ ગુણી વંદના આગમ સમાપને લીલમ ઝીલે આશીર્વાદ તમારા.
પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના સુશિષ્યા – આર્યા લીલમ.
49
Page #56
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા નિર્વદ્યપણે સંયમની આરાધના કરતા સાધકો કર્મોદયને વશ બની, પ્રમાદના કારણે, અજ્ઞાનતા(અજાણતા) અને અસાથ્યના કારણે પાપસ્થાનનું આચરણ કરી સંયમને અસ્વસ્થ બનાવે, તે સમયે શ્રી નિશીથ સૂત્ર ચિકિત્સાલયનું કામ કરે છે. ચિકિત્સાલયમાં ઔષધ અને સાધનો ઉપલબ્ધ હોય છે, પણ તેનો ઉપયોગ કેમ કરવો? કયા રોગ ઉપર કેવા પ્રકારના ઔષધ કામયાબ નીવડે? તેના રહસ્યો વૈદ્યના અનુભવ અને કોઠાસુઝમાં હોય છે. નિશીથ સૂત્ર રૂપ ચિકિત્સાલયમાં પ્રાયશ્ચિત્તના વિધાનો છે, પ્રાયશ્ચિત્ત રૂપી ઔષધો અને તેના રહસ્યો, ઉપાયો આચાર્યાદિના જ્ઞાનમાં છે. સમાન પ્રાયશ્ચિત્ત સ્થાનનું જ્ઞાન કરનાર બે શિષ્યોને તેમની પરિસ્થિતિ, તેમના ભાવ વગેરેને જોઈ તપાસીને ગુરુ ભિન્ન-ભિન્ન પ્રાયશ્ચિત્ત આપી શકે છે.
આવા ગૂઢ રહસ્યોથી ભરેલા શ્રી નિશીથ સૂત્રનું સંપાદન અમારા વિષયની બહાર છે, તેમ છતાં પરોક્ષ-પ્રત્યક્ષ મહતી ગુરુ કૃપાએ અમે આ આગમના શબ્દ રહસ્યોને સમજાવવા યત્કિંચિત્ પુરુષાર્થ કર્યો છે. તેના ભાવ રહસ્યો તો ગુરુવર્યોના અધિકારમાં જ છે.
આ આગમના સંપાદનમાં ભાષ્ય-ચૂર્ણિને પ્રધાનતા આપવામાં આવી છે. પ્રાયઃ પ્રતોમાં ઘણી જગ્યાએ સૂત્રોના ક્રમ અને સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે. પ્રસ્તુતમાં ભાષ્યાનુસારી ક્રમ અને સૂત્ર સંખ્યાને સ્વીકૃત કર્યા છે.
ચોથા ઉદ્દેશકના પર થી ૫૯ સૂત્રમાં ખર પૃથ્વીકાયનું કથન છે. ખર પૃથ્વી(ફટકડી આદિના ટુકડા વગેરે)થી હાથ લિપ્ત થતાં નથી. તેનું ચૂર્ણ (પીસવા છતા) સચિત્ત સંભવે છે અને તેનાથી હાથ લિપ્ત બની શકે છે. તેવા લિપ્ત હાથથી સાધુ આહાર ગ્રહણ કરે નહીં. 0માં સૂત્રમાં સોરપિદું શબ્દમાં શબ્દનો એક અર્થ ચૂર્ણ છે. તેને દરિયાત, હિંગુર વગેરેના વિશેષણ રૂપે ગ્રહણ કરતાં હડતાલના ચૂર્ણથી, હિંગળોના ચૂર્ણથી લિપ્ત હાથ, તેવો અર્થ યુક્તિ સંગત લાગતા પર થી પ૯, આ સૂત્રમાં fપશબ્દને કૌંસમાં ઇટાલિયન ટાઈપમાં રાખ્યો છે.
50
Page #57
--------------------------------------------------------------------------
________________
નવમા ઉદ્દેશકના સૂત્ર–૫માં પ્રયુક્ત રાયતેપુરિયા શબ્દથી અંતઃપુર રક્ષક અને અંતઃપુર રક્ષિકા બંને અર્થ ગ્રાહ્ય છે, તેથી તેના ક્રિયા વિશેષણ રૂપે વયંત અને વયંતિ બંને ગ્રહણ કરી શકાય છે, તેથી પ્રસ્તુતમાં વયંતિ ને કૌંસમાં ઇટાલિયન ટાઈપથી ગ્રહણ કરેલ છે.
આ રીતે ભાષ્ય અને ચૂર્ણિને આધારભૂત બનાવીને સૂત્રપાઠ સ્વીકાર્યો છે અને । ભાવાર્થ તથા સંક્ષિપ્ત વિવેચન દ્વારા ગ્રંથનું સંપાદન કાર્ય પૂર્ણ કર્યું છે, તે સાધકોને
સૂત્રના સંયમી જીવનમાં સમાચારી પાલનમાં અપ્રમત્ત બનાવી શકે તેમ છે.
સમાપનની ક્ષણે અભિવાદન :–
આજે અમ હૃદયમાં આનંદનો મહાસાગર ઉછળી રહ્યો છે કે નવ વર્ષ પૂર્વે પ્રારંભ કરેલું આગમ અનુવાદનું કાર્ય આજે પૂર્ણ થયું છે. આગમ પ્રકાશન અર્થે શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી અને શ્રી રમણિકભાઈ શાહ તથા ચંદ્રકાંતભાઈ શેઠ આદિના અથાગ સહકારે અમારું તથા શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનનું ધ્યેય પરિપૂર્ણ થયું છે.
આ ગુરુપ્રાણ આગમ બત્રીસીના સમાપનની આ પાવન પળે પુણ્ય પુરુષ, પૂજ્યવાદ પૂ. શ્રી પ્રાણગુરુદેવ તથા કાર્ય પૂર્ણતા માટે સતત આશિષ વરસાવતા પૂ. રતિગુરુદેવના ચરણોમાં ભાવવંદના
આગમ અનુવાદ માટે કઠિનતમ નિયમોને ધારણ કરી, શરીરની ખેવના રાખ્યા વિના વિગય ત્યાગ, તપ-જપ સાધનાને સ્વીકારી, આગમમાં ઓતપ્રોત રહી, વિશાળ પરિવારના ડિલ હોવા છતાં ક્ષેત્ર સંન્યાસ, વ્યવહાર સંન્યાસ જેવા અભિગ્રહો ધારણ કરી કાર્યને સિદ્ધિ સુધી પહોંચાડનારા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ.ની મહતી કૃપાએ અમો સંપાદન કાર્ય પૂર્ણ કરી રહ્યા છીએ. આ ક્ષણે તેઓશ્રીને તથા તેઓશ્રીના પાવન સંયમને કોટી-કોટી વંદના.
અમારા પુરુષાર્થના પ્રેરણા શ્રોત, મૂક સહયોગી, અમારા કાર્ય ધગશમાં પ્રાણ પુરનારા અને આગમજ્ઞાનને હૃદયમાં પચાવવાની સતત પ્રેરણા આપતા ગુરુણીમૈયા પૂ. વીરમતીબાઈ મ. તથા પૂ. બિંદુબાઈ મ. આદિ અમ ગુરુકુળવાસી સર્વ સતિવૃંદના સહકારનું અભિવાદન કરીએ છીએ.
51
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રારંભિત કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડવા કૃત નિશ્ચયી અનેક નિયમોપનિયમોને ધારણ કરી, અમારા પગલે-પગલે શ્રુતસેવા સાથે ગતિ-પ્રગતિ કરતા, અતિ ઉત્તમ છતાં અતિ કઠિન કાર્યમાં સુદીર્ઘ સમયાવધિમાં આવેલા અવરોધો, ઉઠેલા ઝંઝાવાતો સામે હિમાલયથી શીતળતા સહ અડિખમ સહકાર આપનારા, અમારા શ્રુતયજ્ઞના યજમાન, શ્રુતસેવા સંનિષ્ઠ શ્રીયુત ચંદ્રકાંતભાઈ શેઠના સંપૂર્ણ સહયોગ આજે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું કાર્ય સંપન્ન થયું છે. આ ક્ષણે તેઓશ્રીનું તથા અમારા શ્રતયજ્ઞના નામી-અનામી સર્વ સહયોગીનું અભિવાદન કરતા ધન્યતા અનુભવીએ છીએ.
પ્રાંતે આમારા મૂળસોત સમા માતા-પિતાના ઋણને સ્મૃતિમાં લાવી તેમનું પણ અભિવાદન કરીએ છીએ. સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુષ્ણીશ્રી !
શરણુ ગ્રહું પૂ. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
52
Page #59
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની
બો. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. આગમ સાહિત્યમાં નિશીથ સૂત્ર, દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર અને વ્યવહાર સૂત્ર, આ ચાર આગમને છેદસૂત્રની સંજ્ઞા(નામ) પ્રાપ્ત થઈ છે. તે ચારમાં નિશીથ સૂત્ર પ્રથમ છેદસૂત્ર છે. તેને પ્રાયશ્ચિત્ત સૂત્ર પણ કહે છે. સંયમ જીવનની નિર્મળ તા જળવાઈ રહે તે હેતુથી જ છેદસૂત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. સંયમ જીવન માટે છેદ સૂત્રનું અધ્યયન આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય છે.
છેદ એટલે છેદવુ, કાપવું, દૂર કરવું, છેદ એટલે છિદ્ર. પ્રાયશ્ચિત્ત પ્રરૂપક આ આગમો ચારિત્રમાં પડેલા છિદ્રોની મરામત કરે છે. દોષોને દૂર કરી સંયમને વિશુદ્ધ બનાવે છે. પાંચ ચારિત્રમાંથી માવજીવનના છેદોપસ્થાપનીય ચારિત્ર સાથે પ્રાયશ્ચિત્તને સંબંધ હોવાથી પ્રાયશ્ચિત્ત નિરૂપક આ શાસ્ત્રો છેદ સૂત્ર કહેવાય છે. ભૂલો, દોષોનો છેદ કરી પ્રાયશ્ચિત્ત સંયમને શુદ્ધ કરે છે, તેથી નિશીથ, ઉ.–૧૯, સૂત્ર-૧૭માં તેને ઉત્તમ શ્રત કહ્યું છે. સર્વ પ્રથમ “છેદ સૂત્ર” શબ્દ પ્રયોગ આવશ્યક નિર્યુક્તિમાં થયો છે, તે પૂર્વે છેદ સૂત્ર' શબ્દનો પ્રયોગ જોવા મળતો નથી. નિશીથ સૂત્રનું મહત્વ - છેદ સૂત્રમાં નિશીથ સૂત્રનું મુખ્ય અને પ્રથમ સ્થાન છે. નિશીથ સૂત્રના જ્ઞાતા સાધુ જ પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારી છે અને તેથી જ નિશીથ સૂત્રના જ્ઞાન વિના સાધુ ગણનાયક બની સ્વતંત્ર વિહાર કરી શકતા નથી. નિશીથના જાણકાર સાધુ જ આચાર્ય, ઉપાધ્યાયાદિ પદને યોગ્ય ગણાય છે. નિશીથ સૂત્રના જ્ઞાન વિના સાધુ પોતાના પૂર્વ પરિચિત સંબંધીઓના ઘેર એકલા ગોચરીએ જઈ શકતા નથી. આચારપ્રકલ્પ(નિશીથ સૂત્ર)ના નામે કથિત વ્યવહાર સૂત્રના ઉપરોક્ત વિધાનો જ નિશીથ સૂત્રને ગૌરવ પૂર્ણ સ્થાન અર્પે છે. નિશીથ સૂત્રની રચના અને રચયિતા :- આગમોની રચના બે પ્રકારની છે. (૧) કૃતરચના. જે આગમોનું નિર્માણ સ્વતંત્ર રૂપે થયું છે, તે આગમોની રચના કૃત કહેવાય છે. ગણધર ભગવંતોએ સૂત્રરૂપે દ્વાદશાંગી (બાર અંગ) સૂત્રોની રચના કરી છે, સ્થવિર
53
Page #60
--------------------------------------------------------------------------
________________
ભગવંતોએ ઉપાંગ સૂત્રોની રચના કરી છે, તે કૃતરચના છે. (ર) નિસ્પૃહણ રચનાપૂર્વ શ્રુતમાંથી નિર્મૂઢ(ઉદ્ભૂત) કરી, જે આગમોની રચના થઈ છે, તે નિસ્પૃહણ રચના કહેવાય છે. આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ નવમાં પ્રત્યાખ્યાન પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર અને વ્યવહાર સૂત્રને ઉઠ્ઠત કર્યા છે. શ્રી શય્યભવાચાર્યે પૂર્વશ્રુતમાંથી દશવૈકાલિક સૂત્રનું નિર્મૂહણ કર્યું છે. તે નિસ્પૃહણ રચના છે.
શ્રી નિશીથ સૂત્ર કૃત રચના છે. અંગ સૂત્રોની રચના અત્થાગમે–અર્થરૂપે તીર્થકર પ્રરૂપિત છે અને સૂત્રરૂપે ગણધર ભગવાન રચિત છે. પહેલાં નિશીથ સૂત્ર પ્રથમ અંગ સૂત્ર-આચારાંગ સૂત્રના અધ્યયન રૂપે હતું અને કાળક્રમે તે આચારાંગ સૂત્રથી અલગ નિશીથ સૂત્રરૂપે પ્રસિદ્ધ થયું છે.
શ્રી વ્યવહાર સૂત્રમાં સાધુ માટે અધ્યયન ક્રમ દર્શાવ્યો છે, ત્યાં નિશીથ સૂત્રનું નામ નથી. ત્યાં આચાર પ્રકલ્પનું કથન છે. નિશીથ અધ્યયન સહિતના આચારાંગ સૂત્ર જ આચારપ્રકલ્પ રૂપે પ્રસિદ્ધ હતું. આચાર પ્રકલ્પનો પરિચય વ્યાખ્યા ગ્રંથો ભાષ્ય, ચૂર્ણિ, ટીકા(વૃત્તિ) વગેરે ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. (૧) ઠાણાંગ સૂત્ર, સ્થાન-૫, ઉદ્દે.-૨, સૂત્ર-૪૬માં પાંચ પ્રકારના આચાર પ્રકલ્પ કહ્યા છે અને તેની ટીકામાં આચાર પ્રકલ્પની વ્યાખ્યા આપી છે કે
आयारस्य प्रथमांगस्य पदविभाग समायारी लक्षण प्रकृष्ट कल्पाभिधायकत्वात् प्रकल्प आचार प्रकल्प निशीथाध्ययनम् । सच पंचविधः પંવિધ પ્રશ્વત્તfમથાયબ્રુવાત – સ્થાનાંગ ટીકા. આચાર પ્રકલ્પમાં આચાર એટલે પ્રથમ અંગ(આચારાંગ) સૂત્રનો પદ વિભાગ, પ્રકલ્પ એટલે પ્રકૃષ્ટ કલ્પ, આ આચાર પ્રકલ્પ નિશીથ અધ્યયન રૂપ છે. પ્રાયશ્ચિત્તના પાંચ પ્રકાર હોવાથી આચાર પ્રકલ્પના પણ પાંચ પ્રકાર છે. (૨) શ્રી સમવાયાંગ સૂત્રના ૨૮ના સમવાયમાં આચાર પ્રકલ્પના ૨૮ પ્રકાર કહ્યા छ. आचारः प्रथमांगः तस्य प्रकल्पो अध्ययन विशेषो निशीथम् इति अपराभि ધાનાણા સમવાયાંગ ટીકા. આચાર એટલે પ્રથમ અંગ(આચારાંગ) સૂત્ર અને પ્રકલ્પ એટલે તેનું અધ્યયન વિશેષ કે જેનું બીજું નામ નિશીથ છે.
54
Page #61
--------------------------------------------------------------------------
________________
(૩) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર, અધ્યયન–૧૦, સૂત્ર-૧ માં ૨૮ પ્રકારના આચાર પ્રકલ્પ કહ્યા છે. તેની વ્યાખ્યા કરતાં અભિધાન રાજેન્દ્ર કોષ, ભાગ–રમાં કહ્યું છે– अष्टाविंशति- विधः आचार प्रकल्पं, निशीथाध्ययन संयुक्तं आचारांगम् इत्यर्थः । स च एवं सत्थपरिण्णा जाव विमुत्ति, उग्धाइ, अणुग्धाइ, आसेवणा तिविहमो निसीहं तुं इति अट्ठावीसविहो आचार प्रकल्प नामोत्ति । निशीथ અધ્યયન સંયુક્ત આચારાંગ સૂત્ર અર્થાત્ આચાર પ્રકલ્પના ૨૮ પ્રકાર છે, યથા– શસ્ત્ર પરિજ્ઞાથી વિમુક્તિ પર્યંતના (આચારાંગ સૂત્રના) ૨૫ અધ્યયન અને ઉદ્ઘાતિક, અનુદ્ઘાતિક અને આરોપણા નામના ત્રણ નિશીથના, કુલ ૨૮ પ્રકારના આચાર પ્રકલ્પ
છે.
આ રીતે આચારાંગ સૂત્રના એક અધ્યયનનું નામ નિશીથ અધ્યયન હતું અને તેના ૨૦ ઉદ્દેશક હતા. તે નિશીથ અધ્યયનના વિષય વસ્તુની અપેક્ષાએ ત્રણ વિભાગ હતા. (૧) લઘુ (૨) ગુરુ અને (૩) આરોપણા અથવા (૧) માસિક (૨) ચૌમાસી અને (૩) આરોપણા. આ ત્રણે આચારાંગ સાથે જોડીને આચાર પ્રકલ્પના ૨૮ પ્રકાર થાય છે. અંગ સૂત્ર ઠાણાંગ, સમવાયાંગ, પ્રશ્નવ્યાકરણમાં આચાર પ્રકલ્પમાં નામથી જ વર્ણન છે.
રચના કાળ :– ભદ્રબાહુ સ્વામીએ વ્યવહાર સૂત્રની નિયૂહણા કરી, તે સમયે આચાર પ્રકલ્પ નામ છે અને દેવર્કિંગણી ક્ષમાશ્રમણે નંદી સૂત્રની રચના કરી, તેમાં આગમ ગણનામાં આચાર પ્રકલ્પનું નામ નથી, પરંતુ નિશીથ સૂત્રનું નામ છે. વ્યવહાર સૂત્રના રચના કાળ પછી લગભગ ૮૦૦ વર્ષ પછી નંદી સૂત્રની રચના થઈ છે. તે બંનેની વચ્ચેના સમયગાળામાં આચારાંગ સૂત્રનું નિશીથ અધ્યયન નિશીથ સૂત્રરૂપે પ્રસિદ્ધ પામ્યું હશે, તેમ અનુમાન કરી શકાય છે.
રચના શૈલી . :– નિશીથ સૂત્રના ૨૦ ઉદ્દેશકમાંથી પ્રથમના ૧૯ ઉદ્દેશકની રચના શૈલી પ્રાયઃ સમાન છે. તેના પ્રત્યેક સૂત્ર સાફપ્નદ્દ થી પૂર્ણ થાય છે. ઉદ્દેશકના પ્રત્યેક સૂત્રનો અન્વય અંતિમ સૂત્ર સાથે છે અર્થાત્ દરેક સૂત્ર કથિત પ્રાયશ્ચિત્ત સ્થાનું પ્રાયશ્ચિત્ત વિધાન તે ઉદ્દેશકના અંતિમ સૂત્રમાં છે. ૨૦માં ઉદ્દેશકમાં પ્રાયશ્ચિત્ત તપની આરોપણા વિધિના અનેક તથ્યોનું સંક્ષિપ્ત શૈલીથી વર્ણન છે.
55
Page #62
--------------------------------------------------------------------------
________________
વિષય વસ્તુ સકારણ કે નિષ્કારણ સંયમની મર્યાદાઓને ભંગ કરીને સાધક તેની આલોચના કરે, તો તેનું કેવા પ્રકારના પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિકરણ થાય, તે નિશીથ સૂત્રનો પ્રધાન વિષય છે. તે વિષય એકથી વીસ ઉદ્દેશકમાં આ પ્રમાણે વિભક્ત છે.
પ્રથમ ઉદ્દેશકમાં ગુમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે. બીજા પાંચમા ઉદ્દેશકમાં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે.
છટ્ટાથી અગિયારમા ઉદ્દેશકમાં ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું અને બારમાથી ઓણગીસમા ઉદ્દેશકમાં લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે.
વીસમા ઉદ્દેશકમાં સાધકને દોષ સેવનને અનુરૂપ પ્રાયશ્ચિત્ત તપમાં આરોપિત કરવાનું તથા તેને વહન કરાવવાની વિધિનું વિધાન છે.
અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપ દોષોની શુદ્ધિ આલોચના અને મિચ્છામિ દુક્કડમ્ કહેવા માત્રથી થઈ જાય છે. અનાચાર દોષની શુદ્ધિ નિશીથ સૂત્ર કથિત પ્રાયશ્ચિત્ત દ્વારા થાય છે અર્થાત્ નિશીથ સૂત્રમાં અનાચાર દોષ માટે પ્રાયશ્ચિત્ત વિધાન
પ્રાયશ્ચિત્ત સૂત્ર - છેદ સૂત્ર પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. પ્રાયશ્ચિત્ત એટલે પાપનું વિશોધન કરવું. પાપની શુદ્ધિ કરવાની પ્રક્રિયાનું નામ છે પ્રાયશ્ચિત્ત. પ્રાયમ્ એટલે અપરાધ અને ચિત્ત એટલે શોધન, જેના દ્વારા અપરાધોની શુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત્ત. પ્રાયશ્ચિત્તનું પ્રાકૃત રૂપ પછિત્ત છે. પાવ એટલે પાપ અને બ્રુિત્ત એટલે પાપનું છેદન, પાપનું છેદન કરે તે પ્રાયશ્ચિત્ત.
પ્રાયશ્ચિત્તમાં સાધક સ્વયં પોતાના દોષને પ્રગટ કરી, ગુરુજનો સમક્ષ પ્રાયશ્ચિત્ત પ્રદાન કરવા પ્રાર્થના કરે છે. જેનું અંતર સરળ, પાપભીરું હોય, સંયમ શુદ્ધિની તીવ્ર ભાવના હોય તે જ સાધક પ્રાયશ્ચિત્ત માટે તત્પર થાય છે. વ્યાખ્યા સાહિત્ય - રહસ્યો અને ગૂઢાર્થથી સભર નિશીથ સૂત્રના રહસ્યોને વ્યક્ત કરવા સમયે-સમયે વ્યાખ્યા સાહિત્યનું નિર્માણ થયું છે. આ સૂત્ર ઉપર ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિની રચના કરી છે. તેમાં પ્રત્યેક પદની નહીં પણ પારિભાષિક શબ્દોની પદ્ય
-
56
Page #63
--------------------------------------------------------------------------
________________
રૂપે વ્યાખ્યા કરવામાં આવી છે.
આ નિર્યુક્તિ ઉપર શ્રી સિદ્ધસેનગણિ (મતાંતરે શ્રી સંઘદાસ ગણિએ) ભાષ્યની રચના કરી છે. નિર્યુક્તિ અત્યંત સંક્ષિપ્ત અને ગૂઢ હતી, તેના ગંભીર રહસ્યોને પ્રાકૃત ભાષામાં પદ્યાત્મક રૂપે પ્રગટ કરવામાં આવ્યા છે.
મિશ્રિત
આ ભાષ્ય ઉપર શ્રી જિનદાસગણિ મહત્તરે ચૂર્ણિની રચના કરી. ચૂર્ણિ સંસ્કૃત પ્રાકૃત । ભાષામાં ગદ્યાત્મક રૂપે છે. તે વિશેષ ચૂર્ણિ નામે પ્રસિદ્ધ છે.
ઉપાધ્યાય કવિશ્રી અમર મુનિ મ.સા. અને શ્રી કનૈયાલાલજી(કમલ) મ.સા. દ્વારા સંપાદિત ચૂર્ણિ, ભાષ્ય, નિર્યુક્તિ સહિત નિશીથ સૂત્રનું પ્રકાશન આગ્રાથી થયું છે.
નિશીથ સૂત્રનો હિંદી અનુવાદ આચાર્ય અમોલક ઋષિજી મહારાજે વીર સંવત ૨૪૦માં પ્રકાશિત કર્યો છે. આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. સંસ્કૃત ભાષામાં ટીકા લખી છે. શ્રી મધુરકર મુનિ મ.સા. વિવેચન સહિત હિંદી અનુવાદ પ્રકાશિત કર્યો છે.
સુત્તાગમેમાં પુમિલ્લૂ (ફૂલચંદ્રજી મ.સા.), યુવાચાર્ય મહાપ્રજ્ઞજીએ નિસીહબ્નયળ નામે નિશીથ સૂત્રના મૂળપાઠને (પાઠાંતર સહિત) પ્રકાશિત કર્યો છે. આગમ મનિષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. જૈનાગમ નવનીત− છેદ સૂત્રમાં સંક્ષિપ્તમાં નિશીથ સૂત્ર સારને પ્રકાશિત કર્યો છે.
આ પૂર્વ પ્રકાશિત આગમ સાહિત્યના આધારે પ્રસ્તુત ગ્રંથ તૈયાર થયો છે. તેમાં સૂત્ર, ભાવાર્થ અને સંક્ષિપ્ત વિવેચનથી વિષયને સ્પષ્ટ કરવા પ્રત્યન કર્યો છે. અંતર અભ્યર્થના :
જિનેશ્વર ગણધર ભગવંતો, સ્થવિર ભગવંતોના રચેલા, વિસ્તાર પામેલા સાધક દશામાંથી પડતી વૃત્તિ સ્થિર કરનારા પ્રસ્તુત સૂત્રના અધ્યાત્મ ભાવોમાં ઓતપ્રોત થઈ, આપ્ત પુરુષોનાં આગમ વચનોને જીવનમાં ગ્રહી, આત્માનાં સત્—ચિ—આનંદ સ્વરૂપને પામવા શ્રુતજ્ઞાનના સમ્યક્ સથવારે સાધ્યને સાધી, સાધકમાંથી સિદ્ધબનવા, ગુરુકૃપા મારો પ્રાણ... ગુરુ આશીષ મારા ત્રાણ... ગુરુવચન મારો શ્વાસ બની રહો એ જ આગમ અનુવાદની પૂર્ણાહૂતિ પળે ભાવભીની ભાવના.
57
Page #64
--------------------------------------------------------------------------
________________
આગમ આભાની પ્રભા, દીક્ષિતની શિક્ષા, ભક્તિ કરેલી અર્ચના, સત્પુરુષના સત્સંગની ચરણ રેણુકા, સ્વરૂપા અનુસંધાન ધ્યાન, અનંત પ્રજ્ઞા પ્રગટ થાય ત્યાં સુધી ભવ્યતાની દિવ્યતાનો આસન્ન ભવ મોક્ષગામી બનાવે તેવો સામર્થ્ય યોગ મારામાં પ્રગટ થતો રહે તેવી અનિશ અંતર અભ્યર્થના..! સહ ક્ષમાયાચના.
બોધિ બીજ દીક્ષા—શિક્ષા દોરે બાંધી મુક્ત-લીલમ તણા તારકથયા, એવા ગુરુણી ‘ઉજમ–ફૂલ-અંબામાત’ને વંદન કરું ભાવભર્યા, વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ ક્ષમાયાચના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું વિજ્ઞાપના.
58
આમાં-મુક્ત-લીલમ
Page #65
--------------------------------------------------------------------------
________________
Uગાયું મુજ પ્રભાત
જય ગુરુદેવે જિનવાણીની વર્ષા કરી
શ્રી સંઘમાં માણેકે દીધા જ્ઞાન દાન, હે..સત્સંગી સાવરકુંડલા ગામે...પ્રગટયું મુજ પ્રભાત...(૧)
વાત્સલ્ય વારિધિ શ્રી જમનાદાસભાઈ,
દયામયી વ્રજકુંવરબાઈ માત છે. તેજાણી કને જનમ ધરિયો..પ્રગટ્ય મજ પ્રભાત..(ર)
શ્રી રૂગનાથ, સોમચંદ, લલિતભાઈ
શીવ, લલિતા નયના જેની છે માત, હે..પ્રભા, ઉષા, ભવ્યા, સંબોહીએ...પ્રગટયું મુજ પ્રભાત.(૩)
તારક શ્રી પ્રાણ–રતિ ગુરુદેવ ભેટયા
ફૂલ અંબાબાઈ ગુરુણી મમ ત્રાણ હે.ડુંગરશી કૂળે ગોંડલ ગચ્છે પ્રગટયું મુજ પ્રભાત..(૪)
સુદેવ જિનેશ્વરની આજ્ઞા શિરે ધરી,
શ્રમણી ધર્મ બની ગયો મારો પ્રાણ હે...કેવળી ભાષિત ધર્મનાં રંગે...પ્રગટયું મુજ પ્રભાત....(૫)
જ્ઞાન દર્શન ચારિત્રાચારે સ્થિર કરી
કેલી કરાવે અષ્ટ પ્રવચન માત હે..સહજાનંદી સ્વરૂપમાં જ રમવા....પ્રગટયું મુજ પ્રભાત..(૬)
આગમ અનુવાદ ઘડી સાંપડી
વિતી ગયા નવ નવ વર્ષ દિન રાત હે...એકસો આઠ પ્રાણ જન્મ વર્ષે..પ્રગટ્ય મુજ પ્રભાત..(૭)
શ્રી વીરવાણીના શ્રુતજ્ઞાન દીપ મહીં
બિન્દુ સતી એ તપ તેલ પૂર્યા આજ હે..આરતી-સુબોધિકા ! સંપાદને...પ્રગટયું મુજ પ્રભાત..(2)
શ્રુતપ્રેમી ચંદ્રકાંત, મુકુંદ, મણિભાઈ,
વિનય-ધીર–નેહલ–જિજ્ઞેશ સાથ, હે...નિઃસ્વાર્થી ભાનુયોજ્ઞાના સુયોગે...પ્રગટયું મુજ પ્રભાત..(૯),
પૂર્ણાહૂતિની અપૂર્વ પળ આવી ગઈ
સફળ થયું સંયમી જીવન આજ .લીલમ કહે શ્રી પ્રાણ પ્રતાપે...પ્રગટયું મુજ પ્રભાત..(૧૦)
59
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૨ સ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
ક્રમ
વિષય
અસ્વાધ્યાય કાલ
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી
બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર
એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૧ ૧૨-૧૩
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય
શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય
કરા પડે
ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય
ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ
[ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય].
ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ
સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં
યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર
ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને
- ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી
૨૧-૨૮]
સંપૂર્ણ દિવસ–રાત્રિ
એક મુહૂર્ત
૨૯-૩ર
[નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.].
Page #67
--------------------------------------------------------------------------
________________
श्री निशीथ सूत्राशीथ सूत्र श्री निशीथ निभूत्र श्री निशीथ सूत्र श्री निशील सूत्र श्री निशीथ सूत्रा श्री निशी श्री
नित्र श्री निशीथ सूत्र श्री निशीथ सूत्र
निसाथ
गीथ सूत्र श्री निशीथ सूत्र श्री निशीथ सूत्र श्री निशीथ सूत्र श्री निशीथ सुत्र श्री निशीथ सत्र प्रशीथी निशीथ सूत्रनशन श्री निशीथ सूत्र
श्री निशीथ सूत्र श्री निशा
बीच सीधी निशीथभत्र
૨ ચરિત છે,
છેદ
श्री निशीथ सूत्र श्री निशीथ सूत्र श्री निशीथ
नशांश
शानि
દ)
श्री निशीथ सत्र
श्री निशीथ सूत्र श्री निशीथ सूत्र श्री दि
भूणपाठ,
ભાવાર્થ,
વિવેચન
2
- અનાદિક
.
બાઈમ
આ કાલિકસૂત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે.
Page #68
--------------------------------------------------------------------------
Page #69
--------------------------------------------------------------------------
________________
પરિચય
|
પ્રથમ ઉદ્દેશક પરિચય છROCRORRORDROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૫૮ પ્રકારના ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
અબ્રહ્મચર્ય મૂલક કાયિક કુચેષ્ટાઓ કરવી, સચિત્ત પદાર્થ સુંઘવા, પદમાર્ગ, સંક્રમણ માર્ગ(પુલ) અવલંબનનું સાધન, પાણી કાઢવાની નીક વગેરે તૈયાર કરાવવા, શકું, તેનું ઢાંકણું તથા સૂતરની અથવા દોરાની ચિલમિલિકા તૈયાર કરાવવી.
સોય, કાતર, નખ છેદનક અને કર્ણશોધનકને સમા કરવા, સોય આદિની પ્રયોજન વિના યાચના કરવી, અવિધિએ યાચના કરવી, જે કાર્ય માટે યાચના કરી હોય તેના વડે બીજું કાર્ય કરવું, પોતાના કાર્ય માટે સોય આદિની યાચના કરીને, બીજાને આપવા અને અવિધિએ પાછી આપવી.
પાત્રનું પરિકર્મ કરાવવું, દંડ, લાકડી, અવલેહનિકા અને વાંસની સોયનું પરિકર્મ કરાવવું, અકારણ પાત્રને એક થીંગડું લગાડવાવું. સકારણ પાત્રને ત્રણથી વધુ થીંગડાં લગાડવવા. પાત્રને અવિધિથી બંધન બાંધવા, પાત્રને એક બંધન બાંધવું, પાત્રને ત્રણથી વધુ બંધન બાંધવું, ત્રણથી અધિક બંધનવાળુ (સાંધાવાળુ) પાત્ર દોઢ માસથી વધુ રાખવું.
પ્રયોજન વિના વસ્ત્રને એક થીંગડું લગાડવાવું, ફાટેલા વસ્ત્રને ત્રણથી વધુ થીંગડાં લગાડવાવા, અવિધિથી વસ્ત્રને સીવવા, કારણ વિના વસ્ત્રને એક ગાંઠ મારવી, કારણસર વસ્ત્રને ત્રણથી વધુ ગાંઠ મારવી, ફાટેલાં વસ્ત્રની સાથે એક વસ્ત્રખંડ જોડવું, ફાટેલાં વસ્ત્રની સાથે ત્રણથી વધુ વસ્ત્ર ખંડ જોડવા, અવિધિથી વસ્ત્ર ખંડ જોડવા, વિભિન્ન પ્રકારનાં વસ્ત્ર ખંડોને પરસ્પર જોડવા, ત્રણથી વધુ વસ્ત્રખંડ જોડેલાં વસ્ત્રને દોઢ મહિનાથી વધારે રાખવા.
ગૃહસ્થ પાસે ગૃહધૂમ- રસોડાની છત પર લાગેલી ધૂમાડાની મેશ ઉતરાવવી. પૂતિકર્મ દોષયુક્ત આહાર ગ્રહણ કરવો વગેરે પ્રસ્તુત ઉદ્દેશક ૫૮ સૂત્ર કથિત ૫૮ પ્રવૃત્તિઓનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે
છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
२
શ્રી નિશીથ સૂત્ર
પ્રથમ ઉદ્દેશક DEE 4८ गुरु भासिङ प्रायश्चित्त स्थान VED
મોહ ઉદ્દીપક ચેષ્ટાઓઃ
१ जे भिक्खू हत्थकम्मं करेइ, करेंतं वा साइज्जइ ।
२ जे भिक्खू अंगादाणं कट्ठेण वा किलिंचेण वा अंगुलियाए वा सलागाए वा संचालेइ, संचालेंतं वा साइज्जइ ।
३ जे भिक्खू अंगादाणं संबाहेज्ज वा पलिमद्देज्ज वा संबाहंतं वा पलिमद्दतं वा साइज्जइ ।
४ जे भिक्खू अंगादाणं तेल्लेण वा घएण वा वसाए वा णवणीएण वा अब्भंगेज्ज वा मक्खेज्ज वा अब्भंगेंतं वा मक्र्खेतं वा साइज्जइ ।
५ जे भिक्खू अंगादाणं कक्केण वा लोद्वेण वा पउमचुण्णेण वा ण्हाणेण वा सिणाणेण वा चुण्णेहिं वा वण्णेहिं वा उव्वट्टेज्ज वा परिवट्टेज्ज वा उव्वतं वा परिवट्टेतं वा साइज्जइ ।
६ जे भिक्खू अंगादाणं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा उच्छोलेंतं वा पधोवेंतं वा साइज्जइ ।
७
जे भिक्खू अंगादाणं णिच्छलेइ, णिच्छलेंतं वा साइज्जइ ।
८ जे भिक्खू अंगादाणं जिंघई, जिघंतं वा साइज्जइ ।
९ जे भिक्खू अंगादाणं अण्णयरंसि अचित्तंसि सोयंसि अणुप्पवेसेत्ता सुक्कपोग्गले णिग्घाएइ, णिग्घाएंतं वा साइज्जइ ।
भावार्थ :- જે સાધુ કે સાધ્વી વેદ મોહનીય કર્મને ઉદિત કરે, અબ્રહ્મભાવને ઉત્તેજિત કરે, તેવી વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે, તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં બ્રહ્મચર્ય મહાવ્રતમાં લાગતા અનાચાર દોષોના પ્રાયશ્ચિતનું વિધાન છે. અતિચાર પર્યંતના દોષોની શુદ્ધિ આલોચના—પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તથી થાય છે અને અનાચાર દોષોની શુદ્ધિ તપ પ્રાયશ્ચિત્તથી થાય છે.
સૂતેલા સિંહને જગાડવો, શાંત સર્પની પૂંછડી દબાવવી વગેરે ચેષ્ટાઓ, સ્વયંના ઘાતનું કારણ બને છે તેમ વિવિધ પ્રકારની કુચેષ્ટાઓ સાધુના સંયમની ઘાત કરે છે. અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ વધુ
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧
પ્રજ્વલિત થાય છે તેમાં વિવિધ પ્રકારની કચેષ્ટાઓ વેદ મોહનીય કર્મને ઉદ્દિપ્ત કરે છે, માટે સાધુએ અબ્રહ્મવર્ધક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ અને જો સાધુ તેવી પ્રવૃત્તિ કરે તો તે ગુરુમાસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. સુગંધની આસક્તિ - |१० जे भिक्खू सचित्त पइट्ठियं गंध जिंघइ जिंघतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી સચિત્ત પદાર્થમાં રહેલી સુગંધને સુંઘે કે સુંઘનારનું અનુમોદન કરે છે, તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સચિત્ત પદાર્થવર્તી સુગંધ માણવાનું પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું છે.
સૂત્રકારે અહીં સચિત્ત શબ્દનો જ પ્રયોગ કર્યો છે, અચિત્તનો નહિ, કારણ કે અચિત્ત પદાર્થની ગંધ સંબંધી પ્રાયશ્ચિત્ત બીજા ઉદ્દેશકમાં કહ્યું છે. શ્રી આચારાંગ સુત્રના બીજા શ્રુતસ્કંધમાં સાધુને પાંચમાં અપરિગ્રહ મહાવ્રતની સુરક્ષા માટે પાંચ ઇન્દ્રિયોના નિગ્રહનું કથન છે. સાધુ કોઈપણ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થાય નહીં.
સ્વાભાવિક રીતે આસપાસના કોઈ પદાર્થોની સુગંધ કે દુર્ગધ આવી રહી હોય, તો પણ સાધુ તેમાં રાગ-દ્વેષના ભાવ કરે નહીં, તે જ રીતે વિષયોની આસક્તિથી કોઈપણ પદાર્થોને સુંઘે નહીં.
ફળ, ફૂલ આદિ સચેત પદાર્થોને સુગંધની ઇચ્છાપૂર્વક સુંઘવાથી આસક્તિનો ભાવ પુષ્ટ થાય છે, ક્રમશઃ તે પદાર્થો લેવાની કે રાખવાની ઇચ્છા થાય છે, પરંપરાએ સાધુના અપરિગ્રહ મહાવ્રતની ખંડના થાય છે, તેથી સાધુ કોઈપણ પદાર્થોને આસક્તિ ભાવથી સુંઘે નહીં કે તે ક્રિયા કરાવે નહીં તેનું અનુમોદન પણ કરે નહીં.
સૂત્રપાઠમાં માત્ર બિનહૂ- સાધુનું જ કથન છે પરંતુ ઉપલક્ષણથી સાધ્વીનું પણ ગ્રહણ થાય છે. આચારાંગ સૂત્ર-દ્વિતીય શ્રુતસ્કંધમાં સાધુ-સાધ્વી, બૃહત્કલ્પમાં નિગ્રંથ-નિર્ચથી શબ્દપ્રયોગ છે. પ્રસ્તુત આગમમાં સર્વત્ર fમણૂ શબ્દનો પ્રયોગ છે. તે શબ્દ પ્રયોગ સાધુ-સાધ્વી બંને માટે છે, તેમ સમજવું. જિંપફ બિંધત વા સાફMફ - સુંઘે કે સુંઘનારનું અનુમોદન કરે. સૂત્રકારે સૂત્રમાં સ્વયં સૂંઘવું અને અનુમોદન કરવું, આ બે ક્રિયાનો ઉલ્લેખ કર્યો છે, કરાવવાનું કથન કર્યું નથી, પરંતુ સાફ શબ્દથી કરાવવાનું પણ ગ્રહણ થઈ જાય છે. સાફના કુવા-રાવણે અનુમોને સાનના બે અર્થ છે- કરાવવું અને અનુમોદવું. આ આગમમાં સર્વત્ર બે ક્રિયાનું કથન હોય ત્યાં કરવું, કરાવવું અને અનુમોદવું, ત્રણેનું ગ્રહણ થયું છે તેમ સમજવું. પ્રાયશ્ચિત્ત માટે વાક્ય પૂતિ – ઉપલબ્ધ પ્રતોના મૂળપાઠમાં આ સૂત્ર સાથે પ્રાયશ્ચિત્ત વિધાયક વાક્ય નથી. તેની પૂર્તિ આ ઉદ્દેશકના અંતિમ સૂત્ર દ્વારા કરવામાં આવી છે. ઉદ્દેશકનું અંતિમ સૂત્ર છે–સેવાને આવ૬ માસિયં પરિહારકુઈ અજુપાડ્યું . આ ઉદ્દેશકમાં કથિત પ્રત્યેક પ્રવૃત્તિનું સેવન કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. આ રીતે પ્રત્યેક સૂત્રના પ્રાયશ્ચિત્ત વિષય સાથે આ પ્રાયશ્ચિત્ત વાક્યનો અધ્યાહાર સમજી લેવો જોઈએ.
પ્રાચીનકાળમાં પ્રત્યેક સૂત્ર સાથે પ્રાયશ્ચિત્ત વિધાન રહ્યું હોય તેવું પ્રાચીન વ્યાખ્યાઓ(નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ)નું પરિશીલન કરતાં સ્પષ્ટ જણાય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
૪
શ્રી નિશીથ સૂત્ર
ગૃહસ્થ દ્વારા પદ માર્ગાદિ નિર્માણ :
|११ जे भिक्खु पयमग्गं वा संकमं वा अवलंबणं वा अण्णउत्थिएण वा गारत्थिएण वा कारेइ कारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પદ માર્ગ, સંક્રમણ માર્ગ કે અવલંબન માર્ગનું નિર્માણ કરાવે અથવા કરાવનારનું અનુમોદન કરે,
१२ जे भिक्खू दगवीणियं अण्णउत्थिएण वा गारत्थिएण वा कारेइ कारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પાણીની નીક કરાવે કે કરાવનારનું અનુમોદન કરે, १३ जे भिक्खू सिक्कगं वा सिक्कगणंतगं वा अण्णउत्थिएण वा गारत्थिएण वा कारेइ कारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાઘ્વીઅન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે શીકું કે શીકાનું ઢાંકણું કરાવે કે કરાવનારની અનુમોદના કરે,
| १४ जे भिक्खू सोत्तियं वा रज्जुयं वा चिलमिलि अण्णउत्थिएण वा गारत्थि वा कारेइ कारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સૂતરની કે દોરીની ચિલમિલિકા બનાવરાવે કે બનાવનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત
આવે છે.
વિવેચન :
યમાં :- પદમાર્ગ. વરસાદ વગેરેના કારણથી ચાલવાના માર્ગમાં પાણી ભરાય જાય કે કાદવ-કીચડ થઈ જાય તો તે રસ્તા પર ચાલવું મુશ્કેલ બને છે અને જીવોની વિરાધના થાય છે. આ સંયમવિરાધના કે આત્મવિરાધનાથી બચવા માટે ઈટ, પથ્થર વગેરે મૂકી રસ્તો બનાવવામાં આવે, તેને પદમાર્ગ કહે છે. संकमं :- સંક્રમણ માર્ગ. નીચે પથ્થર મૂકી, તેના પર લાકડાનું પાટીયું મૂકી, જમીનથી થોડો ઊંચો જે માર્ગ બનાવવામાં આવે તેને સંક્રમણ માર્ગ કહે છે. તેમાં પાણી નીચેથી વહેતું રહે અને ઉપરથી અવર-જવર થઈ શકે છે. અવલંવળ :- અવલંબન માર્ગ. પદમાર્ગ-સંક્રમણ માર્ગની આજુબાજુ આધાર માટે થાંભલા મૂકવા કે દોરડું બાંધે, સીડી ઉપર ચડવા-ઉતરવાના આધાર માટે દોરડું-થાંભલા વગેરે રાખવામાં આવે, તેને અવલંબન કહે છે. તેવા અવલંબન યુક્ત રસ્તાને અવલંબન માર્ગ કહે છે.
વીખિયું :- દગવીણિકા. કોઈ સ્થાનમાં પાણી ભરાતું હોય, ત્યારે તે પાણીને રસ્તો આપવા નીક બનાવવામાં આવે તેને દગવીણિકા કહે છે.
સિવાઃ– શીકું. ઉંદર, બિલાડી, કૂતરા વગેરેથી ભોજન સામગ્રીનું રક્ષણ કરવા શીકું બનાવવામાં આવે છે, તેમાં ખાધ સામગ્રી મૂકી તેને અદ્ધર ટીંગાડવામાં આવે છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧
સિવાળતા:- ભોજન સામગ્રીના રક્ષણ માટેના શીકાનાં ઢાંકણને સિક્કગણંતગ કહેવામાં આવે છે. રિમિતિ – શીલરક્ષા માટે અથવા આહાર અર્થે બેસવા યોગ્ય સુરક્ષિત સ્થાન ન મળે, માખી, મચ્છર કે સંપાતિમ જીવો વધુ હોય ત્યારે તેઓની રક્ષા માટે એક દિશામાં વસ્ત્રનો પડદો બનાવવામાં આવે અથવા ચારે દિશામાં તથા ઉપર, આ રીતે પાંચ દિશામાં વસ્ત્રનો પડદો નાંખીને ઓરડી જેવું સ્થાન બનાવવામાં આવે, તેને ચિલમિલિ કહે છે અર્થાતુ પડદાને તથા મચ્છરદાનીને ચિલમિલિ કહે છે. ચિલમિલિ એ ઔપગ્રહિક ઉપધિ છે. ચિલમિલિ રાખવાનું કથન તથા તેના ઉપયોગનું બૃહત્કલ્પ, ઉદ્દે.-૧, સૂત્ર-૧૮માં છે. સૂત્રમાં સૂતર અને દોરી, આ બે શબ્દનો ઉલ્લેખ છે. ઉપક્ષણથી અન્ય ઉન, વલ્કલ, ઝાડની છાલ વગેરેની ચિલમિલિકાનું પણ ગ્રહણ થઈ જાય છે.
ઉપરોક્ત પદમાર્ગ વગેરે સર્વકાર્ય ગૃહસ્થ વિવેકપૂર્વક કે યતનાથી કરે નહિ, તેનાથી વધુ જીવોની વિરાધના થાય, માટે તે કાર્યો ગૃહસ્થો કે અન્યતીર્થિકો પાસે કરાવે તો ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. જો અત્યંત જરૂર જણાય, તો સાધુ સ્વયં તે કાર્ય વિવેકપૂર્વક, અલ્પતમ હિંસા થાય તેમ કરે, તો બીજા ઉદ્દેશકમાં તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ગૃહસ્થ દ્વારા સોય, કાતર આદિ વગેરેનું ઉત્તરકરણ - |१५ जे भिक्खू सूईए उत्तरकरणं अण्णउत्थिएण वा गारथिएण वा कारेइ कारेंत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સોયને સમી કરાવે કે કરાવનારનું અનુમોદન કરે, |१६ जे भिक्खू पिप्पलगस्स उत्तरकरणं अण्णउत्थिएण वा गारत्थिएण वा कारेइ कारेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે કાતરને સમી કરાવે કે કરાવનારનું અનુમોદન કરે. १७ जे भिक्खू णहच्छेयणगस्स उत्तरकरणं अण्णउत्थिएण वा गारत्थिएण वा कारेइ कारेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે નખોદનકને સમું કરાવે કે કરાવનારનું અનુમોદન કરે. १८ जे भिक्खू कण्णसोहणगस्स उत्तरकरणं अण्णउत्थिएण वा गारथिएण वा कारेइ कारेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે કર્ણશોધનકને સમું કરાવે કે કરાવનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આ ચાર સૂત્રમાં સોય, કાતર, નખછેદનક, કર્ણશોધનક, આ ચાર ઔપગ્રહિક ઉપકરણના ઉત્તરકરણના પ્રાયશ્ચિત્તનું કથન છે. ૩૨૨v :- કોઈ પણ ઉપકરણને સમા કરાવવા, તેની ધાર કઢાવવી વગેરે ક્રિયાને ઉત્તરકરણ કહેવાય
Page #74
--------------------------------------------------------------------------
________________
|
૬
|
શ્રી નિશીથ સૂત્ર
છે. સોયની અણી વાંકી વળી ગઈ હોય તો સીધી કરવી, અણી બૂઠી થઈ ગઈ હોય તો પત્થર પર ઘસી ધારદાર કરવી, સોયના નાકાને નાનું-મોટું કરવું, તે સોયનું ઉત્તરકરણ છે. કાતરની ધાર કાઢવી, જડ મજબૂત કરવી વગેરે કાતરનું ઉત્તરકરણ છે. નખોદનકને ધારદાર બનાવવું, તે નખછેદનકનું ઉત્તરકરણ છે. કર્ણશોધનકને મૃદુસ્પર્શી બનાવવું તે કર્ણશોધનકનું ઉત્તરકરણ છે.
પ્રસ્તુત સૂત્રોમાં આ પ્રકારની ઉત્તરકરણ ક્રિયા ગૃહસ્થ પાસેથી કરાવવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાત્યિક વા પત્યિ વાદ- અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે કરાવવું. અહીં આ બે શબ્દોમાં સમસ્ત ગૃહસ્થોનો સમાવેશ થઈ જાય છે. ભાષ્ય-ચૂર્ણમાં ગૃહસ્થના આઠ પ્રકાર બતાવ્યા છે તથા કયા ક્રમથી ગૃહસ્થ પાસે કાર્ય કરાવાય તેનું સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. પરિસ્થિતિવશ પોતાનું કાર્ય ગૃહસ્થ પાસે કરાવવું પડે તો અનુક્રમથી તે ગૃહસ્થ પાસે કામ કરાવે પણ તે માટે તેને ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે, સ્વયં કરે તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ચૂર્ણકારે સ્વમત-અન્યમતના ગૃહસ્થનો નિમ્નોક્ત ક્રમ બતાવ્યો છે.
पच्छाकड, साभिग्गह, निरभिग्गह भद्दए वा असण्णी ।
frદ અતિસ્થિર વા, નિદિ પુષં પતરે પછી II ભાષ્ય ગાથા-૬૨૯. (૧) વેશત્યાગી શ્રમણ અથવા વૃદ્ધ અનુભવી પાસે કાર્ય કરાવે, તે ન મળે તો ક્રમશઃ (૨) અણુવ્રતધારી શ્રાવક પાસે, (૩) શ્રદ્ધાવાન શ્રાવક પાસે, (૪) ભદ્ર પરિણામી પાસે કાર્ય કરાવે.
આ ક્રમે સ્વમતના ગૃહસ્થ ન મળે અને અન્યમતના ગૃહસ્થ પાસે તે કાર્ય કરાવવા પડે, તો ક્રમશઃ (૫) સંન્યાસ ત્યાગી અથવા વૃદ્ધ અનુભવી પાસે, (૬) અન્યમતના વ્રતનું પાલન કરનારા પાસે, (૭) અન્યમતના શ્રદ્ધાવાન પાસે, (૮) સરલ સ્વભાવી અન્ય મતાવલંબી પાસે કરાવે.
આ સુત્રમાં અન્યતીર્થિક શબ્દ દ્વારા અન્ય મતના ગૃહસ્થ અને ગારન્થિય શબ્દથી સ્વમતના ગૃહસ્થનું કથન કરવામાં આવ્યું છે. ઉપકરણના પ્રકારઃ- સાધુના ઉપકરણોના બે પ્રકાર હોય છે– (૧) ઓધિક ઉપકરણ અને (૨) ઔપગ્રહિક ઉપકરણ.
(૧) ઔધિક ઉપકરણ– સંયમ અને શરીર ઉપયોગી જે ઉપકરણો હંમેશાં સાધુ પોતાની પાસે રાખે છે, તેવા ઉપકરણો ઔદિક ઉપકરણ કહેવાય છે, જેમ કે મુખવસ્ત્રિકા, રજોહરણ વગેરે સંયમ ઉપયોગી છે અને વસ્ત્ર, પાત્ર વગેરે શરીર ઉપયોગી છે. તે ઉપકરણ સાધુ હંમેશાં પોતાની પાસે રાખે છે. તે લીધા પછી પાછા આપી શકાતા નથી.
) ઔપગ્રહિક ઉપકરણ– જે ઉપકરણો સાધુ હંમેશાં પોતાની પાસે રાખતાં નથી પરંતુ વિશેષ પરિસ્થિતિમાં આવશ્યકતા પ્રમાણે ગૃહસ્થોને ત્યાંથી લઈ આવે અને તેની આવશ્યકતા ન રહે ત્યારે ગૃહસ્થને પાછા આપી દે, તેવા પાઢીહારા ઉપકરણને ઔપગ્રહિક ઉપકરણ કહેવામાં આવે છે.
ચશ્મા, દંડ, લાકડી વગેરે હંમેશાં ઉપયોગમાં આવે તેવા ઔપગ્રહિક ઉપકરણ છે, જ્યારે સોય, કાતર વગેરે ક્યારેક ઉપયોગમાં આવે તેવા ઔપગ્રહિક ઉપકરણ છે, સાધુ તે પાઢીહારા લઈ આવે અને જે કાર્ય માટે લાવ્યા હોય કાર્ય પૂર્ણ થતાં તે ગૃહસ્થને પાછા આપે છે.
આ સૂત્રનો અભિપ્રાય એ જ છે કે સાધુએ નિઃસ્પૃહભાવથી આવશ્યકતાનુસાર આ ઉપકરણોનો
Page #75
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧
|
૭
|
ઉપયોગ કરવો જોઈએ. તેનું સમારકામ વગેરે ગૃહસ્થો પાસે કરાવવું નહીં કે ઉપકરણો પ્રતિ આસક્તિ રાખવી નહીં. સોય, કાતર આદિની નિષ્કારણ યાચના:|१९ जे भिक्खू अणट्ठाए सूई जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નિષ્કારણ સોયની યાચના કરે કે યાચના કરનારનું અનુમોદન કરે, २० जे भिक्खू अणट्ठाए पिप्पलगं जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિષ્કારણ કાતરની યાચના કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | २१ जे भिक्खू अणट्ठाए णहच्छेयणगं जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિષ્કારણ નખદનકની યાચના કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | २२ जे भिक्खू अणट्ठाए कण्णसोहणगं जायइ, जायंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નિષ્કારણ કર્ણશોધનકની યાચના કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
સોયાદિનું કામ હોય ત્યારે સાધુ ગુરુ કે રત્નાધિકની આજ્ઞા લઈ તેની યાચના કરે. સોય વગેરે ઉપકરણો ખોવાઈ જવાની, તૂટી જવાની, વાગી જવાની કે પાછું આપવાનું ભૂલી જવાની સંભાવના હોવાથી તેની નિષ્કારણ યાચના ન કરે નહીં. સોય આદિનું અવિધિએ ગ્રહણ:२३ जे भिक्खू अविहीए सूई जायइ, जायंत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અવિધિએ સોયની યાચના(ગ્રહણ) કરે કે કરનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू अविहीए पिप्पलगं जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અવિધિએ કાતરની યાચના(ગ્રહણ) કરે કે કરનારનું અનુમોદન કરે, | २५ जे भिक्खू अविहीए णहच्छेयणगं जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અવિધિએ નખવેદનકની યાચના(ગ્રહણ) કરે કે કરનારનું અનુમોદન કરે, २६ जे भिक्खू अविहीए कण्णसोहणगं जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવિધિએ કર્ણશોધનકની યાચના(ગ્રહણ) કરે કે કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :વિદt:- સ્વધર્મના પ્રસિદ્ધ નિયમાનુસાર વસ્તુને ગ્રહણ કરવી, તે વિધિ છે અને સ્વધર્મના નિયમથી
Page #76
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
શ્રી નિશીથ સૂત્ર
વિપરીત રૂપે વસ્તુને ગ્રહણ કરવી, તે અવિધિ કહેવાય છે. સાધુ પ્રત્યેક કાર્ય વિધિપૂર્વક કરે છે. સોય વગેરે ઔપગ્રહિક ઉપકરણની આવશ્યકતા હોય ત્યારે ગૃહસ્થ પાસે યાચના કરતા કહે કે “મારે વસ્ત્ર સાંધવા, સીવવા આદિ કાર્ય માટે સોય, કાતર આદિની જરૂર છે, તે તમે આપો. કાર્ય પૂર્ણ થતાં અમુક સમયમાં આપની વસ્તુ પાછી આપી જઈશ', આ પ્રમાણે કહીને યાચના કરે અને તત્પશ્ચાત્ પોતાને કે ગૃહસ્થને વાગે નહીં, સોય આદિ પડી ન જાય, તેની અણી વગેરે તૂટે નહીં, તે રીતે વિવેકથી ગ્રહણ કરે, આ યાચના(ગ્રહણ)ની વિધિ છે, તેનાથી વિપરિત યાચના કરવી કે ગ્રહણ કરવી, તે અવિધિ છે.
સાધુને અવિધિ કે અવિવેકથી ગ્રહણ કરતા જોઈ ગૃહસ્થને પોતાની વસ્તુની સુરક્ષિતતામાં શંકા થાય અને સાધુને વસ્તુ આપવાની ભાવના મંદ થઈ જાય માટે સૂત્રમાં વિધિપૂર્વક ગ્રહણ કરવાનું વિધાન છે. પાઢીહારી વસ્તુથી નિર્દિષ્ટ કાર્ય સિવાયનું કાર્યકરણ:
२७ जे भिक्खु पाडिहारियं सूई जाइत्ता वत्थं सिव्विस्सामि त्ति पायं सिव्वइ सिव्वत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધકે સાધ્વી ‘વસ્ત્ર સીવીશ' તેમ કહી, યાચના કરીને પાઢીહારી સોયલાવે અને તે સોય દ્વારા પાત્ર સીવે અથવા પાત્ર સીવનારનું અનુમોદન કરે, | २८ जे भिक्खु पाडिहारियं पिप्पलगं जाइत्ता वत्थं छिंदिस्सामि त्ति पायं छिंदइ, छिंदत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ‘વસ્ત્ર વેતરીશ' તેમ કહી, યાચના કરીને પઢીહારી કાતર લાવે અને તેનાથી પાત્રમાં છેદ કરવાનું(કાપવાનું) કામ કરે અથવા કરનારનું અનુમોદન કરે. २९ जे भिक्खु पाडिहारियं णहच्छेयणगं जाइत्ता णहं छिंदिस्सामि त्ति सल्लुद्धरणं करेइ, करेंत वा साइज्जइ ।। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ‘નખ કાપીશ” તેમ કહી, યાચના કરીને પાઢીહારું નખછેદનક લાવે અને તેના દ્વારા કાંટો કાઢે અથવા કાઢાનારનું અનુમોદન કરે.
३० जे भिक्खु पाडिहारियं कण्णंसोहणगं जाइत्ता कण्णमलं णीहरिस्सामि त्ति दंतमलं वा णहमलं वा णीहरइ, णीहरंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કાન સાફ કરીશ' તેમ કહી, યાચના કરીને પાઢીહારું કર્ણશોધનક લાવે અને તેના દ્વારા દાંતનો મેલ, નખનો મેલ કાઢે અથવા કાઢનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :પડિહાપર્વ – ગૃહસ્થ પાસેથી લીધેલી જે વસ્તુ ઉપયોગ કર્યા પછી ગૃહસ્થને પાછી આપી શકાય તે વસ્તુ પાઢીહારું કે પ્રાતિહારિક કહેવાય છે. પ્રતિ ઉપસર્ગ અને દધાતુથી પ્રાતિહારિક શબ્દ બને છે. પ્રતિપાછું આપવું અને હું –ગ્રહણ કરવું, ગ્રહણ કર્યા પછી પાછા આપી શકાય તેવા ઉપકરણો, પાઢીહાર
Page #77
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧
કહેવાય છે. અમુક કાર્ય માટે સોય વગેરે લઈ જાઉં છું.” આ રીતે કાર્યનો સ્પષ્ટ નિર્દેશ કરી, સોય ગ્રહણ કરે તો તે સોય વડે અન્ય કાર્ય કરી શકાય નહીં. નિર્દેશ કરેલ કાર્ય સિવાય અન્ય કાર્ય કરવાથી સાધુનું બીજું અને ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે, ગૃહસ્થોને સાધુ ઉપર અવિશ્વાસ ઉત્પન્ન થાય છે, તેથી સાધુએ સોય વગેરેની યાચના સમયે કોઈ નિશ્ચિત કાર્યનો ઉલ્લેખ કરવો ન જોઈએ અને જો નિશ્ચિત કાર્યના ઉલ્લેખ સાથે સોય વગેરેની યાચના કરી હોય તો તે સોયથી તે જ કાર્ય કરવું જોઈએ, અન્ય કાર્ય કરે તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. પોતાના માટે લાવેલી વસ્તુ અન્યને આપવી :३१ जे भिक्खु अप्पणो एक्कस्स अट्ठाए सुइं जाइत्ता अण्णमण्णस्स अणुप्पदेइ, अणुप्पदेंत वा साइज्जइ ।। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પોતાના એકને માટે સોયની યાચના કરીને લઈ આવે અને તે અન્ય સાધુઓને આપે કે આપનારનું અનુમોદન કરે, |३२ जे भिक्खु अप्पणो एक्कस्स अट्ठाए पिप्पलगं जाइत्ता अण्णमण्णस्स અપ, મyખત વા સાફા ! ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી પોતાના એકને માટે કાતરની યાચના કરીને લઈ આવે અને તે અન્ય સાધુઓને આપે કે આપનારનું અનુમોદન કરે, ३३ जे भिक्खु अप्पणो एक्कस्स अट्ठाए णहच्छेयणगं जाइत्ता अण्णमण्णस्स अणुप्पदेइ, अणुप्पदेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પોતાના એકને માટે નખછેદનકની યાચના કરીને લઈ આવે અને તે અન્ય સાધુને આપે કે આપનારનું અનુમોદન કરે. ३४ जे भिक्खु अप्पणो एक्कस्स अट्ठाए कण्णसोहणगं जाइत्ता अण्णमण्णस्स अणुप्पदेइ, अणुप्पदेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પોતાના એકને માટે કર્ણશોધનકની યાચના કરીને લઈ આવે અને તે અન્ય સાધુને આપે કે આપનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
વસ્ત્ર સીવવા વગેરે કાર્ય માટે સોય આદિની જરૂર હોય ત્યારે સાધુએ જો માત્ર પોતાના કાર્યનો નિર્દેશ કરી સોય વગેરેની યાચના કરી હોય, તો તે સોય અન્ય સાધુને વાપરવા આપવી કલ્પતી નથી અને જો આપે તો સાધુનું બીજું-ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે, માટે કોઈનું નામ નિર્દેશ કર્યા વિના જ સોય આદિની યાચના કરવાનો વિવેક રાખવો, અથવા જે વ્યક્તિનો નામનિર્દેશ કરીને વસ્તુની યાચના કરી હોય, તે વ્યક્તિએ જ તે વસ્તુ વાપરવી જોઈએ. સોય આદિને અવિધિએ પાછા આપવાઃ३५ जे भिक्खू सूई अविहीए पच्चप्पिणेइ, पच्चप्पिणेतं वा साइज्जइ ।
Page #78
--------------------------------------------------------------------------
________________
૧૦ |
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવિધિથી સોય પાછી આપે કે આપનારનું અનુમોદન કરે, ३६ जे भिक्खू पिप्पलगं अविहीए पच्चप्पिणेइ, पच्चप्पिणेतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અવિધિથી કાતર પાછી આપે કે આપનારનું અનુમોદન કરે, |३७ जे भिक्खू णहच्छेयणगं अविहीए पच्चप्पिणेइ, पच्चप्पिणेतं वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અવિધિથી નખોદનક પાછું આપે કે આપનારનું અનુમોદન કરે, ३८ जे भिक्खू कण्णसोहणगं अविहीए पच्चप्पिणेइ, पच्चप्पिणेतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવિધિથી કર્ણશોધનક પાછું આપે કે આપનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
કાર્ય પૂર્ણ થયા પછી સાધુએ સોય વગેરે ઉપકરણો ગૃહસ્થને વિધિપૂર્વક જ પાછા આપવા જોઈએ. પાટીહારી વસ્તુઓ પાછી આપવાની વિધિ :- સોય, કાતર વગેરેની અણી કોઈને વાગે નહિ તેમ આપવી જોઈએ. ચૂર્ણિકારે સોય વગેરે પાછી આપવાની વિધિનું કથન આ પ્રમાણે કર્યુ છે– “ભાઈ ! (બહેન !) આ તમારી સોય સંભાળી લો” આ પ્રમાણે કહી ઘૂંટણથી ઉપર સ્થિત હોય તેવા હાથથી, ગૃહસ્થને હાથોહાથ સોય આપે તો તે અવિધિ છે. નીચા નમી ભૂમિ પર સોય મૂકીને અથવા હથેળીમાં રાખીને ગૃહસ્થને તે સોય સંભાળી લેવાનું કહેવું તે વિધિ છે. સોય આદિ ઉપકરણોને અવિધિથી પાછા આપવાનો નિષેધ શ્રી આચરાગ સૂત્ર, દ્વિતીય શ્રુતસ્કંધ, અધ્યયન-૭, ઉદ્દેશક-૧, સૂત્ર-પમાં છે.
ગૃહસ્થની કોઈ પણ વસ્તુ ઊંચેથી ફેંકીને અવિધિથી આપે તો ધર્મની લઘુતા થાય, વાયુકાય જીવોની વિરાધના થાય, સોઈ વગેરે નાની વસ્તુ ક્યારેક ખોવાઈ જાય છે અને દાતાના ભાવોમાં ન્યૂનતા આવવાની સંભાવના છે. આ રીતે આપવાથી તે સાધુ પ્રસ્તુત સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. ગૃહસ્થો દ્વારા પાત્રનું પરિકર્મ - ३९ जे भिक्खू लाउयपायं वा दारुपायं वा मट्टियापायं वा अण्णउत्थिएण वा गारत्थिएण वा परिघट्टावेइ वा संठावेइ वा जमावेइ वा अलमप्पणो करणयाए सुहुमवि णो कप्पइ, इति जाणमाणे सरमाणे अण्णमण्णस्स वियरइ, वियरत वा साइज्जइ । ભાવાર્થ:- (જે) સાધુ કે સાધ્વી તુંબડા, લાકડા કે માટીના પાત્રને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવામાં અર્થાત્ રંગ-રોગાનાદિ લગાડવામાં, સમું કરાવવામાં અને વિષમને સમ બનાવવામાં પોતે સમર્થ હોય, તો તેને ગૃહસ્થ કે અન્યતીર્થિકો પાસે અંશમાત્ર પણ તે કાર્ય કરાવવું કલ્પતું નથી. (જે સાધુ-સાધ્વી પાત્રને સમા કરવાનું આદિ કાય) જાણતા હોવા છતાં, સ્મરણમાં હોવા છતાં અને તે કાર્ય કરવામાં સમર્થ હોવા છતાં અન્ય-અન્ય (ગૃહસ્થ કે અન્યતીર્થિકો) પાસે કરાવે કે કરાવનારનું અનુમોદન કરે, તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાત્રનું પરિકર્મ ગૃહસ્થ પાસે કરાવવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧
|
૧૧
|
- સાધુને તુંબડા, લાકડા કે માટી, આ ત્રણ પ્રકારના પાત્રા રાખવા કહ્યું છે પણ તેનું નિર્માણ કે પરિષ્કરણ(સુધારવાનું)નું કાર્ય ગૃહસ્થ પાસે કરાવવું કલ્પતું નથી. આવશ્યક જણાય ત્યારે પાત્રનું સંસ્કરણ સાધુએ પોતે જ કરવું જોઈએ. પ્રસ્તુતમાં પરિષ્કરણ(સંસ્કરણ) વગેરે માટે ત્રણ શબ્દોનો પ્રયોગ થયો છે. રિપટ્ટાફ, સંડા, નીવેદ – આ ત્રણે શબ્દોના અર્થ ભાષ્ય-ચૂર્ણિમાં આ પ્રમાણે કરવામાં આવ્યા છે– પોષ-નિગ્નાવ, સંડવ-મુહાવી, જનાવણ-વિસના સમીકરણ !
(૧) પટ્ટાવનિર્માણ કરવું, બનાવવું અથવા ઉપયોગ યોગ્ય બનાવવું. પાત્રને તેલ, રોગાન, સફેદો વગેરે લગાવવા, તે પરિઘટ્ટણ કહેવાય છે. (૨) સંવાવે– પાત્રના મુખને બરાબર કરવું, પાત્રના મુખને મજબૂત બનાવવું. લાકડાના પાત્રના મુખ પર દોરા બાંધવા, તે સંઠાવણ કહેવાય છે. (૩) બનાવે– પાત્રમાં કોઈ જગ્યા વિષમ હોય, ઊંચી-નીચી હોય તેને સમ કરવી. પાત્રમાં રહેલા ખાડા જેવા ભાગને ભરીને, ઉપસેલા ભાગને કાચ કે કાચકાગળથી ઘસીને સમ કરવા, તે જમાવણ કહેવાય છે.
| સર્વ પ્રથમ તો સાધુએ આ ત્રણ પ્રકારના કાર્ય કરવા ન પડે તેવા પાત્રની ગવેષણા કરવી જોઈએ. કદાચ પરિકર્મ કરવું પડે તેવા પાત્ર મળે, તો તે કાર્ય સ્વયં કરે પણ ગૃહસ્થ પાસે કરાવે નહિ. ગૃહસ્થ પાસે કરાવવામાં છકાય જીવની હિંસા થવાની સંભાવના હોવાથી સાધુ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. ગૃહસ્થો દ્વારા દંડાદિનું પરિકર્મ - ४० जे भिक्खू दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूइयं वा अण्णउत्थिएणं वा गारत्थिएण वा परिघट्टावेइ वा संठावेइ वा जमावेइ वा अलमप्पणो करणयाए सुहुमवि णो कप्पइ इति जाणमाणे सरमाणे अण्णमण्णस्स वियरइ वियरतं वा साइज्जइ । ભાવાર્થ :- (જે) સાધુ કે સાધ્વી દંડ, લાકડી, અવલેહનિકા કે વાંસની સોયને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવમાં, સમું કરવામાં અને વિષમને સમ બનાવવામાં પોતે સમર્થ હોય, તો તેને ગૃહસ્થ કે અન્યતીર્થિકો પાસે અંશમાત્ર પણ તે કાર્ય કરાવવું કલ્પતું નથી. (જે સાધુ-સાધ્વી દંડાદિને સમાં કરવાનું કાય) જાણતા હોવા છતાં, સ્મરણમાં હોવા છતાં અને તે કાર્ય કરવામાં સમર્થ હોવા છતાં અન્ય (અન્યતીર્થિકો કે ગૃહસ્થ) પાસે કરાવે કે કરાવનારનું અનુમોદન કરે, તો તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગૃહસ્થો દ્વારા દંડાદિનું પરિકર્મ કરાવવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
દંડ વગેરે બનાવવા અથવા ઉપરથી સાફ કરવાને પરિઘટ્ટણ કહે છે. દંડાદિના મુખને મજબૂત કરવું અથવા તેની ગાંઠો સાફ કરવાને સંઠવણ કહે છે. દંડાદિના વિષમ ભાગને સમ કરવાને જમાવણ કહે છે. દંડાદિ સંબંધી આ ત્રણે કાર્ય ગૃહસ્થ પાસે કરાવવામાં છકાય જીવની હિંસાની સંભાવના હોવાથી સાધુ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
ચાલતા સમયે ટેકા માટે હાથમાં રાખવામાં આવે તેને દંડ, પગમાં લાગેલા કાદવને સાફ કરવા રાખવામાં આવતા ખપાટના ટુકડાને અવલેહનિકા અને રજોહરણની દેશી પરોવવા કે પાત્રાને સાંધવાના ઉપયોગમાં આવે, તે વાંસની સોય તરીકે પ્રસિદ્ધ છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
શ્રી નિશીથ સૂત્ર
નિષ્કારણ પાત્ર પરિકર્મ - ४१ जे भिक्खू पायस्स एक्कं तुडियं तड्डेइ, ततं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાત્રને નિષ્કારણ એક થીંગડું લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, |४२ जे भिक्खू पायस्स परं तिण्हं तुडियाणं तडेइ, ततं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાત્રને સકારણ ત્રણથી વધુ થીંગડાં લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, ४३ जे भिक्खू पायं अविहीए बंधइ, बंधतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવિધિએ પાત્રને બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू पायं एगेण बंधेण बंधइ बंधतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્રને નિષ્કારણ એક બંધન બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, ४५ जे भिक्खू पायं परं तिण्हं बंधाणं बंधई, बंधतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાત્રને સકારણ ત્રણથી વધુ બંધન બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, ४६ जे भिक्खू अइरेग बंधणं पायं, दिवड्डाओ मासाओ परेण धरेइ, धरतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ત્રણથી વધુ બંધનવાળા પાત્રને દોઢ મહિનાથી વધુ સમય રાખે કે રાખનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાત્ર સાંધવા સંબંધી વિધાન છે. સાધુ પાત્રને નિષ્કારણ, પાત્રની શોભા વધારવા એક પણ થીંગડું લગાવે નહીં કે થીંગડાં જેવું ચિહ્ન કરે નહીં, પાત્રમાં તડ પડે, તૂટી જાય, પાત્રમાં કાણું પડી જાય ત્યારે તેને સાંધવું કે થીંગડું લગાવવું આવશ્યક બને છે. આ રીતે સકારણ થીંગડું લગાવવું પડે તો પાત્ર જે પ્રકારનું હોય તેવું સજાતીય થીંગડું લગાવે.
કોઈપણ પાત્રને સકારણ થીંગડાં લગાડવા પડે તો વધુમાં વધુ ત્રણ થીંગડાં લગાડી શકાય છે. ત્રણથી વધુ થીંગડાં લગાડે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.
કેટલીક પ્રતોમાં "થીંગડું અવિધિથી લગાડે તો પ્રાયશ્ચિત્ત આવે", તે અર્થને સૂચવતું, ને મિfg પાયં વિહીપ કે વા સાફા આ સૂત્ર વધુ જોવા મળે છે. ભાષ્ય તથા ચૂર્ણિમાં આ સૂત્ર નથી. ભાષ્યાનુસાર ઉપરોક્ત ૪૩મું સૂત્ર દેહલી દીપક ન્યાયે પૂર્વના થીંગડાં સાથે તથા બંધન સૂત્ર સાથે અન્વય પામે છે. બંને સાથે તેનો અન્વય કરતા તેનો અર્થ આ પ્રમાણે થાય છે– અવિધિએ થીંગડું લગાવે કે અવિધિએ પાત્રને બંધન બાંધે, તો તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિધિ-અવિધિઃ- બંધન કે થીંગડું લગાડ્યા પછી તે સ્થાન પ્રતિલેખન યોગ્ય રહે, જે સ્થાન પર બંધન કે થીંગડું લગાવે તે સ્થાનેથી આહારના અંશ સરળતાથી સાફ કરી શકાય, તે રીતે બંધનાદિ બાંધવા, બંધન કે થીંગડું લગાડવાનું કાર્ય ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ થાય તે રીતે કરવું, ઉપરોક્ત પ્રકારે બંધન કે થીંગડું
Page #81
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧
૧૩ ]
લગાડે તો તે વિધિ કહેવાય છે. તેનાથી વિપરીત રીતે કરે તો તે અવિધિ કહેવાય છે.
થીંગડાંની જેમ સાધુ નિષ્કારણ એક પણ બંધન બાંધે તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. માટીના પાત્રમાં બંધનની આવશ્યકતા નથી. લાકડાના અત્યંત નાના પાત્રમાં પણ બંધનની આવશ્યકતા નથી. લાકડાના મોટા પાત્રમાં એક બંધનની આવશ્યકતા રહે છે, તુંબડાના પાત્રમાં આવશ્યક્તાનુસાર બે કે ત્રણ બંધનથી તેને સુરક્ષિત બનાવવું પડે છે. પાત્રના બંધન – પાત્રની ગોળાઈ પર દોરા બાંધી તેને મજબૂત કરવું કે જેથી તે પાત્ર લાંબા સમય સુધી સુરક્ષિત રહે. એક સ્થાન પર બંધન બાંધે તો તે એક બંધન કહેવાય જ્યારે ત્રણ સ્થાન પર બંધન બાંધે તો તે ત્રણ બંધન કહેવાય.
સાધુને પાત્ર ઉપર નિષ્કારણ બંધન બાંધવાની આજ્ઞા નથી પરંતુ આવશ્યકતા હોય તો ઉત્કૃષ્ટ ત્રણ બંધન બાંધવાની અનુજ્ઞા છે. કોઈપણ પાત્રમાં ત્રણથી વધુ બંધન બાંધવાની આવશ્યકતા રહેતી નથી. વિકટ પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી સૂત્રકારે કહ્યું છે કે કદાચ કોઈ પરિસ્થિતિમાં ત્રણથી વધુ બંધન બાંધવા પડે, તો તેવા પાત્રને દોઢ મહિનાથી વધુ સમય ઉપયોગમાં લેવું ન જોઈએ. લાકડા કે તુંબડાનું પાત્ર કે જેને પહેલેથી ત્રણ બંધન બાંધ્યા હોય, તે કોઈ કારણથી તૂટી જાય અને અન્ય પાત્ર ન મળે, તો ચોથું બંધન બાંધી કાર્ય ચલાવે પણ દોઢ મહિનામાં નવા પાત્રની યાચના કરી લેવી જોઈએ અને અધિક બંધનવાળા પાત્રને પરઠી દેવું જોઈએ. જો તેમ ન કરે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.
નિષ્કારણ એક કે અધિક થીગડાં લગાવવામાં કે બંધન બાંધવામાં સાધુના સ્વાધ્યાય ધ્યાનમાં અલના થાય છે, તે પાત્ર પર સાધુનો આસક્તિ ભાવ સ્પષ્ટ થાય છે. સકારણ ત્રણથી વધુ થીગડાં લગાવવામાં પ્રતિલેખનાદિ ક્રિયા વ્યવસ્થિત થતી નથી તેમ જ શાસનની હિલના થાય છે.. નિષ્કારણ વસ્ત્ર પરિકર્મઃ
४७ जे भिक्खू वत्थस्स एगं पडियाणियं देइ देंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિષ્કારણ વસ્ત્રમાં એક થીંગડું મારે કે મારનારનું અનુમોદન કરે, ४८ जे भिक्खू वत्थस्स परं तिण्हं पडियाणियाणं देइ देतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વસ્ત્રમાં સકારણ ત્રણથી વધુ થીંગડાં મારે કે મારનારનું અનુમોદન કરે, |४९ जे भिक्खू वत्थं अविहीए सिव्वइ, सिव्वंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વસ્ત્રને અવિધિએ સીવે કે સીવનારાનું અનુમોદન કરે, ५० जे भिक्खू वत्थस्स एगं फालियं-गंठियं करेइ, करेतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વસ્ત્રમાં નિષ્કારણ ફલિક ગાંઠ મારે કે મારનારનું અનુમોદન કરે. ५१ जे भिक्खू वत्थस्स परं तिण्हं फालिय-गंठियाणं करेइ, करेंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વસ્ત્રમાં સકારણ ત્રણથી વધુ ફલિકગાંઠ મારે કે મારનારનું અનુમોદન કરે, ५२ जे भिक्खू वत्थस्स एगं फालियाणं गंठेइ, गंठेतं वा साइज्जइ ।
Page #82
--------------------------------------------------------------------------
________________
[૧૪]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ફાટેલા વસ્ત્ર સાથે નિષ્કારણ ફલિક ગૂંથણી કરી એક વસ્ત્રખંડ (ટુકડા)ને જોડે કે જોડનારનું અનુમોદન કરે, ५३ जे भिक्खू वत्थस्स परं तिण्हं फालियाणं गंठेइ, गंठेतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ફાટેલા વસ્ત્ર સાથે સકારણ ફલિક ગૂંથણી કરી ત્રણ વસ્ત્ર ખંડ (ટુકડા)ને જોડે કે જોડનારનું અનુમોદન કરે, ५४ जे भिक्खू वत्थं अविहीए गंठेइ, गंठेतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અવિધિથી વસ્ત્રને જોડે કે જોડનારનું અનુમોદન કરે, ५५ जे भिक्खू वत्थं अतज्जाएण गहेइ, गहेतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વસ્ત્રને અન્ય જાતીય વસ્ત્ર સાથે જોડે કે જોડનારનું અનુમોદન કરે, ५६ जे भिक्खू अइरेग गहियं वत्थं परं दिवड्डाओ मासाओ धरेइ धरतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અતિરિક્ત જોડવાળા વસ્ત્રને દોઢ મહિનાથી વધુ રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વસ્ત્રને થીંગડાં મારવા આદિ ક્રિયા સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે.
જે ભિક્ષ અન્ય જાતિના વસ્ત્રનું થીંગડું લગાવે કે કારણ વિના તજ્જાતીય વસ્ત્રનું થીંગડું લગાવે તો આજ્ઞાભંગ અને સંયમ વિરાધનાના દોષના ભાગીદાર બને છે.
પછેડી આદિ ફાટી જાય, તેમાં કાણા પડી જાય અને શેષ ભાગ ઉપયોગમાં આવે તેવો સારો હોય તો સાધુ સમાન જાતીય વસ્ત્રના વધુમાં વધુ ત્રણ થીંગડાં લગાવી શકે છે. ત્રણથી વધુ થીંગડાં લગાવે, તો પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
વસ્ત્રની સિલાઈ વિધિપૂર્વક કરવી જોઈએ. સિલાઈ કરવામાં ઓછામાં ઓછો સમય લાગે અને સિલાઈ કર્યા પછી તે વસ્ત્રનું પ્રતિલેખન બરાબર થાય તે રીતે સિલાઈ કરવી જોઈએ. જ્યારે ગોમૂત્રિકા સિલાઈથી ખીલવટ કરવાને વિધિ સિવણ કહ્યું છે. આ પ્રકારની સિલાઈ જ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. પતિ - િવ - વસ્ત્ર વધુ ન ફાટે, તે માટે ગાંઠ મારવામાં આવે તેને ફલિક ગાંઠ કહે છે.જુદી-જુદી પ્રતોમાં ફલિક ગાંઠના જુદા-જુદા અર્થ કરવામાં આવ્યા છે. (૧) ફલિયનો એક અર્થ ફાટેલું વસ્ત્ર થાય છે. આ અર્થ પ્રમાણે કોઈ વસ્ત્ર ફાટી ગયું હોય અને સિલાઈ કામ થઈ શકે તેમ ન હોય, તો તેવા વસ્ત્રને સામસામા છેડેથી પકડી ગાંઠ મારી દેવામાં આવે કે જેથી તે વસ્ત્ર વધુ ન ફાટે. સાધુ વસ્ત્રમાં નિષ્કારણ એક પણ ગાંઠન મારે, કારણ ઉપસ્થિત થાય તો વધુમાં વધુ ત્રણ ગાંઠ મારી શકાય છે, ત્રણ ગાંઠ માર્યા પછી પણ તે વસ્ત્ર ઉપયોગમાં આવી શકે તેમ ન હોય, ત્યારે ત્રણથી વધુ ગાંઠ ન મારતા સિલાઈ કરી લેવી જોઈએ.
(૨) ફલિક ગાંઠ– વસ્ત્રના છેડેથી તાર નીકળી જતાં હોય તો તે તારને ગાંઠ મારી બાંધી દેવામાં આવે, તે ફલિક ગાંઠ કહેવાય છે તેવી ત્રણ ગાંઠથી વધુ ગાંઠ મારવી ન જોઈએ.
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧
| ૧૫ |
હારિયા :- વસ્ત્ર એવી રીતે ફાટયું હોય કે ગાંઠ મારી ન શકાય પણ ગૂંથણી કરી અન્ય વસ્ત્ર જોડવું પડે, રફ કરવું પડે, તે રીતે દોરાથી ગૂંથણી કરીને જોડ કરવાને ફલિક ગૂંથણ કહે છે. સુત્ર-પ૦, ૫૧માં ગાંઠ મારવાનું કથન છે અને સૂત્ર–પર, પ૩માં ગૂંથણી કરી વસ્ત્ર ખંડ જોડવાનું કથન છે. કેટલીક પ્રતોમાં વિલિક ગાંઠના બે સૂત્રો છે પરંતુ ભાષ્યન્ચૂર્ણિમાં તે નથી, તેથી અહીં તે ગ્રહણ કર્યા નથી. ગાંઠ મારવાની અવિધિ :- વસ્ત્રને ગાંઠ મારવામાં કે સાંધો કરવામાં વધુ સમય વ્યતીત થાય અથવા ગાંઠ માર્યા પછી કે સાંધો કર્યા પછી પ્રતિલેખન બરાબર થઈ શકે તેમ ન હોય તો તે અવિધિ કહેવાય. અવિધિથી થીંગડું લગાવે, ગાંઠ મારે કે સાંધો કરે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.. મતા - અન્ય જાતીય, વિજાતીય વસ્ત્ર. એક પ્રકારના વસ્ત્ર માટે બીજા પ્રકારના વસ્ત્રો વિજાતીય વસ્ત્ર કહેવાય છે. ઉન, સૂતર, શણ, રેશમ વગેરે અનેક પ્રકારના વસ્ત્ર હોય છે. ઉન-સૂતર વગેરે દરેકની પણ અનેક પેટાજાતિઓ હોય છે. જેમ કે ઉનમાં ઘેટાની ઉન, ઊંટની ઉન વગેરે, સુતરાઉ વસ્ત્રમાં મલમલ, પોપલીન, રેજા-ડબલ વણાટવાળું વસ્ત્ર, આવી અનેક પેટાજાતિઓ હોય છે. તે સર્વ જાતિ કે પેટાજાતિના વસ્ત્રો પરસ્પર વિજાતીય કે અસમાન વસ્ત્ર કહેવાય છે. તેમાંથી કોઈ પણ અસમાન વસ્ત્રોને પરસ્પર જોડવાથી આ સુત્ર દ્વારા પ્રાયશ્ચિત્ત આવે છે, માટે સાધુએ સમાન જાતિના વસ્ત્રને કે સમાન પેટાજાતિના વસ્ત્રને જ પરસ્પર સીવવા જોઈએ, જેમ કે– સુતરાઉ કપડાંને સુતરાઉ કપડા સાથે જોડવા જોઈએ.
અા યં -આ સૂત્રનો અન્વય પૂર્વસૂત્રો સાથે કરવામાં આવે છે. ત્રણથી વધુ થીંગડાં, ત્રણથી વધુ ગાંઠ અને ત્રણથી વધુ રફૂવાળા વસ્ત્રને “અતિરિક્ત ગ્રહિત વસ્ત્ર' કહેવાય છે. તેવા વસ્ત્ર પહેરવાથી શાસનની લઘુતા થાય છે. તેમ છતાં સાધુને બીજું વસ્ત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધુ સાંધેલું વસ્ત્ર પહેરી શકે છે. શાસ્ત્રકારે તેવા વસ્ત્રની સમય મર્યાદા દોઢ મહિનાની બતાવી છે. આ સમય મર્યાદા પૂર્ણ થાય તે પહેલા જ નવા વસ્ત્રની ગવેષણા કરી લેવી જોઈએ.
વસ્ત્રમાં એક થીંગડું કે ગાંઠ હોય તો સાધુ સૂત્ર અને અર્થ પોરસીના સ્વાધ્યાય-ધ્યાન પૂર્ણ કરીને અન્ય વસ્ત્રની ગવેષણા માટે નીકળે. વસ્ત્રમાં બે કે ત્રણ થીંગડાં, ગાંઠ હોય તો માત્ર સૂત્ર પોરસીમાં સ્વાધ્યાય કરીને અન્ય વસ્ત્રની ગવેષણા કરવા જાય. વસ્ત્રમાં ત્રણથી વધુ થીંગડાં, ગાંઠ થયા હોય તો સૂત્ર-અર્થ પોરસીની સ્વાધ્યાય ન કરે પણ પ્રથમ અન્ય વસ્ત્રની ગવેષણા કરવા જાય છે. ગૃહધૂમ ઉતરાવવો:५७ जे भिक्खू गिहधूमं अण्णउत्थिएण वा गारथिएण वा परिसाडावेइ, परिसाडावेत वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે ગૃહધૂમનું પરિશાટણ કરાવે કે કરાવનારનું અનુમોદન કરે છે, તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ગૃહધૂમ ઉતરાવવાના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. હિપૂન :- રસોડાની દિવાલ ઉપર કે છતની ઉપર ચૂલામાંથી નીકળેલો ધૂમાડો જામી જાય, તે કાળી મેશ ગૃહધૂમ કહેવાય છે. રસોડાના માલિક પાસે રસોડામાં પ્રવેશ કરવાની આજ્ઞા મેળવી, છતની
Page #84
--------------------------------------------------------------------------
________________
૧
|
શ્રી નિશીથ સત્ર
ઊંચાઈ સુધી હાથ પહોંચી શકે તેવું સાધન લઈને, સાધુ જો તે ધૂમાડાને અર્થાત્ તેની મેશને સ્વયં ઉતારી લે તો કોઈ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. રસોડામાં પ્રવેશ કરવાની આજ્ઞા ન મળે અથવા અન્ય કોઈપણ કારણે સાધુ સ્વયં ગૃહધૂમ ઉતારી ન શકે અને ગૃહસ્થ પાસે ગૃહધૂમ ઉતરાવે, તો તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
સાધુને ધાધર અથવા ખરજવું આદિ કોઈ પણ પ્રકારનો ચામડીનો રોગ થયો હોય, તો તે ગૃહધૂમથી તેની ચિકિત્સા કરી શકે છે. ગૃહધૂમને વિવિધ તેલ અથવા સ્વમૂત્રમાં ઘૂંટીને તેનાથી તૈયાર કરેલો મલમ ચર્મ રોગોમાં ઉપયોગી થાય છે. પૂતિકર્મ દોષ :५८ जे भिक्खू पूइकम्मं भुंजइ भुजंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પૂતિકર્મ દોષ યુક્ત(આધાકર્મ દોષથી મિશ્રિત) આહારને ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે છે તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકગત ૫૮ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈપણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારા સાધુ-સાધ્વીને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :પૂફH - પૂતિકર્મ – દોષ મિશ્રિત આહાર. દોષ રહિત આહારમાં દોષયુક્ત આહારનો અંશ મિશ્રિત થઈ જાય, તો તે આહાર પૂતિકર્મ દોષયુક્ત કહેવાય છે. તેના બે પ્રકાર છે– ૧. દૂષિત સંસ્કાર પૂતિકર્મ આહાર અને ૨. દૂષિત ઉપકરણ પૂતિકર્મ આહાર. (૧) મીઠું, જીરું, હળદર, સાકર આદિ દોષયુક્ત હોય, તેને નિર્દોષ આહારમાં નાખવામાં આવે, તો તે દૂષિત સંસ્કાર પૂતિકર્મ આહાર છે. (૨) દોષયુક્ત આહારવાળા ચમચા આદિ વાસણથી દોષરહિત આહાર આપવામાં આવે તો તે દૂષિત ઉપકરણ પૂતિકર્મ આહાર છે. પ્રસ્તુત સૂત્રમાં આ બંને પ્રકારના પૂતિકર્મ દોષવાળા આહારનું સેવન કરવાનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ભાષ્ય-ચૂર્ણિ વ્યાખ્યામાં પૂતિકર્મ દોષયુક્ત શય્યા અને ઉપધિનું પણ કથન છે. પતિકર્મ દોષયુક્ત ઉપધિ - આધાકર્માદિ દોષયુક્ત દોરાથી નિર્દોષ વસ્ત્રની સિલાઈ કરવામાં આવે. થીંગડાં લગાડવામાં આવે, તો તે ઉપધિ પૂતિકર્મ દોષ યુક્ત બની જાય છે. આધાકર્માદિ દોષયુક્ત ટુકડાથી પાત્રાને સાંધવામાં આવે, આધાકર્માદિ દોષયુક્ત બંધન બાંધવામાં આવે, તો તે પાત્ર પૂતિકર્મ દોષ યુક્ત બની જાય છે. પતિકર્મ દોષયુક્ત શય્યા – નિર્દોષ શય્યા-સ્થાનના કોઈપણ ભાગમાં આધાકર્માદિ દોષયુક્ત વાંસ અને કાષ્ઠ આદિનો ઉપયોગ થયો હોય, તો તે સ્થાન પૂતિકર્મ દોષયુક્ત બની જાય છે.
પ્રસ્તુત સૂત્રમાં આહાર પૂતિકર્મ દોષનું જ પ્રાયશ્ચિત્ત વિધાન છે, ભાષ્યન્ચૂર્ણિ કથિત પૂતિકર્મ દોષયુક્ત ઉપધિ અને શય્યા માટે પ્રાયશ્ચિત્ત વિધાન નથી, કારણ કે આધાકર્મદોષથી મિશ્રિત પૂતિકર્મ દોષવાળી ઉપધિ અને શય્યા કાલાંતરે પુરુષાંતરકત થઈ જાય, પછી સાધુ માટે તે ગ્રાહ્ય બને છે. (આચારાંગ સૂત્ર-દ્વિતીય શ્રુતસ્કંધ) પૂતિકર્મ દોષવાળો આહાર હજાર ઘરના આંતરે પણ દોષયુક્ત અને અગ્રાહ્યા જ રહે છે– સૂય. સૂત્ર અ.-૧, ઉ.–૧, ગા–૧તેવા આહારને સાધુ ભોગવે તો ગુરુમાસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧
સેવાને અવq.. - આ સૂત્રનો અન્વયે પ્રસ્તુત ઉદ્દેશકના દરેક સૂત્ર સાથે કરવો જોઈએ. સૂત્રપાઠને સંક્ષિપ્ત કરવા માટે દરેક સૂત્ર સાથે પ્રાયશ્ચિત્ત વિધાન ન રાખતાં અંતિમ સૂત્ર સાથે આ પ્રાયશ્ચિત્ત વિધાન છે.
નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ આદિ વ્યાખ્યાગ્રંથોમાં આ સૂત્રની વ્યાખ્યા આ ઉદ્દેશકના પ્રાયઃ બધા સૂત્રમાં ઉપલબ્ધ છે. તેના ઉપરથી અનુમાન કરી શકાય છે કે તે સમયે આ સૂત્રાંશ પ્રત્યેક સૂત્ર સાથે જોડાયેલો હશે, પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ પ્રાયઃ સર્વ પ્રતોમાં આ વાક્ય એક માત્ર અંતિમ સૂત્ર સાથે જ જોવા મળે છે. તે કારણે અને કંઠસ્થ કરનાર સ્વાધ્યાયીઓની સુવિધાને લક્ષ્યમાં રાખી પ્રસ્તુત સંસ્કરણમાં પણ પ્રાયશ્ચિત્ત નિર્દેશક આ વાક્ય અંતિમ સૂત્ર સાથે જ રાખ્યું છે. રિહારકા - પ્રાયશ્ચિત્ત સ્થાન. આ સૂત્રમાં પરિહાર સ્થાન શબ્દનો પ્રયોગ પરિહાર તપ નામના પ્રાયશ્ચિત્તના અર્થમાં પ્રયુક્ત નથી, પરંતુ પ્રાયશ્ચિત્ત સ્થાનના અર્થમાં જ છે. માસિયં-માસિક, અનુયાયંઅનુદ્દઘાતિક–ગુરુ, પરિહારકુન-પ્રાયશ્ચિત્ત સ્થાન. આ ઉદ્દેશકના ૫૮ સૂત્રોમાં પ૮ ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે.
પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી નિશીથ સૂત્ર
બીજો ઉદ્દેશક
પરિચય FORFORĐRORROOR પ્રસ્તુત । ઉદ્દેશકમાં ૫૭ પ્રકારના લઘુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા–
સાધુ કે સાધ્વીએ કાષ્ઠદંડ યુક્ત પાદપ્રોંચ્છન બનાવવું, કાષ્ઠદંડ યુક્ત પાદપ્રĪચ્છન ગ્રહણ કરવું, ગ્રહણ કરવાની આજ્ઞા આપવી, વિતરણ કરવું, ઉપયોગ કરવો, દોઢમાસથી વધુ રાખવું તેમજ કાષ્ઠદંડમાંથી પાદપ્રોંચ્છનને છોડવું. અચિત્ત પદાર્થ સૂંઘવા, પદમાર્ગાદિ પોતે બનાવવો, પાણી કાઢવાની નાલી, શીકું અને શીકાનું ઢાંકણ, ચિલમિલિ સ્વયં બનાવવા, સોય આદિનું પોતે જ પરિકર્મ કરવું. કઠોર ભાષા બોલવી, અલ્પ અસત્ય બોલવી, અલ્પ અદત્ત ગ્રહણ કરવું, અચિત્ત શીતલ કે ઉષ્ણજળથી હાથ, પગ, કાન, આંખ, દાંત, નખ અને મોઢું ધોવા.
કૃત્સ્નચર્મ, કૃત્સ્ન વસ્ત્ર તથા અભિન્ન વસ્ત્ર ધારણ કરવા, તુંબડાના કાષ્ઠના કે માટીના પાત્રનું પરિકર્મ કરવું, દંડ આદિને સુધારવા, સ્વજન ગવેષિત, પરજન ગવેષિત, પ્રમુખ ગવેષિત, બળવાન ગવેષિત, લવ ગવેષિત પાત્રને ગ્રહણ કરવા. નિત્ય અગ્રપિંડ કે દાનપિંડ ગ્રહણ કરવા.
એક સ્થાને નિત્યવાસ કરવો, ભિક્ષા લેતાં પહેલાં કે પછી દાતાની અથવા સ્વયંની પ્રશંસા કરવી, ભિક્ષા કાળની પહેલાં આહાર માટે ઘરોમાં પ્રવેશ કરવો, પારિહારિક સાધુએ અન્યતીર્થિક, ગૃહસ્થ કે અપારિહારિક સાધુની સાથે ભિક્ષા માટે પ્રવેશ કરવો, આ ત્રણેની સાથે સ્વાધ્યાયભૂમિમાં કે ઉચ્ચાર– પ્રસ્રવણ ભૂમિમાં પ્રવેશ કરવો, આ ત્રણેની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરવો.
મનોજ્ઞ પાણી પીવું અને કષાયેલું(તૂરું પાણી) પાણી પરઠી દેવું, મનોજ્ઞ આહાર કરવો, અમનોજ્ઞ આહાર પરઠી દેવો, આહાર કર્યા પછી વધેલો આહાર સાંભોગિક સાધુઓને પૂછ્યા વિના પરઠવો. શય્યાતર પિંડ ગ્રહણ કરવો, શય્યાતરપિંડ ભોગવવો, શય્યાતરના ઘર આદિ જાણ્યા વિના ભિક્ષા માટે નીકળવું, શય્યાતરની નિશ્રાથી આહાર પ્રાપ્ત કરવો કે તેના હાથથી ગ્રહણ કરવો.
શેષકાળના શય્યા-સંસ્તારકની કે ચાતુર્માસ કાળના શય્યા-સંસ્તારકની અવધિનું ઉલ્લંઘન કરવું, વરસાદમાં ભીંજાતા શય્યા-સંસ્તારકને ત્યાંથી ઉપાડી ન લેવા, શય્યા-સંસ્તારકની પુનઃ આજ્ઞા લીધા વિના અન્યત્ર લઈ જવા, પ્રાતિહારિક શય્યા-સંસ્તારક પાછા આપ્યા વિના વિહાર કરવો, શય્યાતરના શય્યા-સંસ્તારકને વ્યવસ્થિત રીતે પૂર્વ સ્થિતિ પ્રમાણે ગોઠવ્યા વિના વિહાર કરવો, શય્યા-સંસ્તા૨ક ખોવાઈ જાય તો તેની શોધ ન કરવી, અલ્પ ઉપધિની પણ પ્રતિલેખના ન કરવી, ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
܀܀܀܀܀
Page #87
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨,
| ૧૯ ]
– બીજો ઉદેશક
– VEl/2JK ૫૦ લઘુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન |El/E) દંડ યુક્ત પાદપ્રોપ્શન - | १ जे भिक्खू दारुदंडयं पायपुंछणं करेइ, करेंत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પાદપ્રોડ્ઝન બનાવે કે બનાવનારનું અનુમોદન કરે, |२ जे भिक्खू दारुदंडयं पायपुंछणं गेण्हइ, गेण्हतं वा साइज्जइ ।
ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પ્રાદપ્રોપ્શન ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू दारुदंडयं पायपुंछणं धरेइ, धरेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પાદપ્રોપ્શન ધારણ કરે કે ધારણ કરનારનું અનુમોદન કરે,
४ जे भिक्खू दारुदंडयं पायपुंछणं वियरइ, वियरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પાદપ્રચ્છન ગ્રહણ કરવાની આજ્ઞા આપે કે આપનારનું અનુમોદન કરે, | ५ जे भिक्खू दारुदंडयं पायपुंछणं परिभाएइ, परिभाएंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પાદપ્રોચ્છનનું વિતરણ કરે કે વિતરણ કરનારનું અનુમોદન કરે, |६ जे भिक्खू दारुदंडयं पायपुंछणं परिभुंजइ, परिभुजतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પાદપ્રોચ્છનનો ઉપયોગ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | ७ जे भिक्खू दारुदंडयं पायपुंछणं परं दिवड्डाओ मासाओ धरेइ, धरेतं वा साइज्जइ।
ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંયુક્ત પાદપ્રોચ્છનને દોઢ મહિનાથી વધુ રાખે કે રાખનારનું અનુમોદન કરે, | ८ जे भिक्खू दारुदंडयं पायपुंछणं विसुयावेइ विसुयातं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી કાષ્ઠદંડયુક્ત પાદપ્રચ્છન પૃથક કરે કે પૃથક્કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ આઠ સૂત્રોમાં પાદપ્રોડ્ઝન સંબંધી કથન છે. પ્રાદપ્રોપ્શન એટલે પગ લૂછવા માટેનો વસ્ત્રનો ટુકડો. ભાષ્યકારે અને ચૂર્ણિકારે પાયપુછi નો અર્થ રજોહરણ કર્યો છે. ભાષ્ય-ચૂર્ણિ તથા નિશીથ સૂત્રની કેટલીક પ્રતોમાં આ સૂત્રોનો અર્થ, વસ્ત્ર વીંટટ્યા વિનાના (નેસઠીયા વિનાના) કાષ્ઠદંડયુક્ત રજોહરણ બનાવે, ગ્રહણ કરે, ધારણ કરે, અન્યને ગ્રહણ કરવાની અનુજ્ઞા આપે અને ઉપયોગ કરે, તો તેને લઘુમાસિક
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૦ |
શ્રી નિશીથ સત્ર
પ્રાયશ્ચિત્ત આવે, તે પ્રમાણે કર્યો છે. આ સૂત્રોનું વિવેચન કરતાં તેઓ જણાવે છે કે સાધુ નિષ્કારણ તો વસ્ત્ર વીંટયા વિનાનો કાષ્ઠદંડયુક્ત રજોહરણ રાખે જ નહિ પરંતુ યાચના કરતાં વસ્ત્ર પ્રાપ્ત ન થાય, અગ્નિદાહ, રાજાનો રોષ, ઉન્માદ ગ્રસ્ત શિષ્યનો ઉપદ્રવ વગેરે કોઈ કારણ ઉપસ્થિત થાય તો દોઢ મહિનાથી વધુ સમય વસ્ત્રરહિત લાકડીવાળો રજોહરણ રાખી શકતા નથી, દોઢ મહિનાથી વધુ સમય રાખે તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વસ્ત્રરહિત કાષ્ઠદંડયુક્ત રજોહરણને ન ભીનો કરે કે ન સૂકવે કારણ કે તેમ કરવાથી જીવ વિરાધના થાય છે અને તેમ કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
પપુછM નો અર્થ રજોહરણ ન કરતાં પાદપ્રોપ્શન અર્થાત્ પગ લૂછવાનું વસ્ત્ર અર્થ કરવો વધુ ઉચિત જણાય છે. જીર્ણવસ્ત્ર કે કંબલનો ટુકડો કે જે પગની રજ દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તેને પાદપ્રોંચ્છન કહે છે. ઉપાશ્રયના કોઈ ઊંચા સ્થાનનું પ્રમાર્જન રજોહરણથી કરવું શક્ય ન હોય ત્યારે આ પાદપ્રોચ્છનને લાકડી સાથે કે કાષ્ઠના દંડ સાથે બાંધવામાં આવે છે. સાધુ નિષ્કારણ કાષ્ઠદંડયુક્ત પાદપ્રોંચ્છન બનાવે નહિ, તેનું ગ્રહણ, ધારણ, આજ્ઞાપ્રદાન, વિતરણ અને ઉપયોગ કરે નહીં. ઊંચા સ્થાનને પોજવા જેવું કારણ ઉપસ્થિત થાય તો કાષ્ઠદંડયુક્ત પાદપ્રોંચ્છન દોઢ મહિનાથી વધુ સમય રાખે નહીં. બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક–પ, સૂત્ર-૪૩, ૪૪માં કાષ્ઠદંડયુક્ત પાદપ્રચ્છનના વિધિ-નિષેધ દર્શાવ્યા છે. દોઢ મહિનાની સમય મર્યાદાનું કારણ - સામાન્ય રીતે બે-ચાર દિવસે અને વિશેષમાં દોઢ મહિના સુધી કોઈપણ સ્થાનનું પ્રમાર્જન થતું રહે તો પ્રાયઃ તે સ્થાનમાં કરોળિયા વગેરે જંતુઓનો ઉપદ્રવ રહેતો નથી, માટે દોઢ માસથી વધુ સમય તેની જરૂર રહેતી નથી. તે ઉપરાંત પ્રમાર્જન કરતાં-કરતાં દોઢ મહિને તે પાદપ્રોપ્શન મલિન થઈ જાય અને ભેજના કારણે તે વસ્ત્રમાં જીવોત્પત્તિની સંભાવના રહે છે તથા તે પાદપ્રચ્છના દોઢ મહિનામાં જીર્ણ બની, દુષ્પતિલેખ્ય પણ બની જાય માટે દોઢ મહિના પછી તેને છોડી નાખવું અને આવશ્યક્તા હોય તો બીજું બાંધવું જોઈએ.
દોઢ મહિનાની સમય મર્યાદા દરમ્યાન કોઈ કારણ ઉપસ્થિત થાય તો સાધુ પાદપ્રોંચ્છન ખોલી શકે છે પરંતુ નિષ્કારણ ખોલે નહિ. નિષ્કારણ પાદપ્રોંચ્છન ખોલવા-બાંધવાથી સ્વાધ્યાય આદિમાં અલના થાય છે અને પ્રમાદની વૃદ્ધિ થાય છે માટે દોઢ મહિના દરમ્યાન પાદપ્રોપ્શન નિષ્કારણ છોડે નહિ. રજોહરણ અને પાદપ્રચ્છન્નમાં ભિન્નતા - ભાષ્યકાર–ચૂર્ણિકાર પાયપુછM નો અર્થ રજોહરણ કરે છે, પરંતુ પાદપ્રોપ્શન અને રજોહરણ, આ બંને ઉપકરણો ભિન્ન-ભિન્ન છે. રજોહરણ ઉનની દોરીથી બનેલું
ઔધિક ઉપકરણ છે અને સાધુ હંમેશાં તેને પોતાની સાથે જ રાખે છે, તેના દ્વારા પ્રમાર્જનની(પોંજવાની) ક્રિયા થાય છે. પાદપ્રોંચ્છન તે વસ્ત્રનો ટુકડો છે અને ઔપગ્રહિક ઉપકરણ છે. લાકડી સાથે બાંધેલા વસ્ત્રના ટુકડાને કાષ્ઠદંડ યુક્ત પાદપ્રીંગ્ટન કહે છે. તેના દ્વારા પગ લૂછવા ઉપરાંત ઊંચા સ્થાને પોંજવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણે ગૃહસ્થને ત્યાંથી યાચના કરી લાવવામાં આવે છે અને કામ પૂર્ણ થાય ત્યારે ગૃહસ્થને પાછું આપી શકાય છે.
દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૪માં સાધુના ઉપકરણોમાં પાયjછi સિ વા ય સિ વા પાદપ્રોંક્શન અને રજોહરણ બંનેના નામ છે, તે જ બંનેની ભિન્નતા સૂચવે છે.
- આ આગમમાં પાંચમા ઉદ્દેશકમાં ૧૫ થી ૧૮ સૂત્રોમાં પયપુછi ગૃહસ્થને પાછા આપવા સંબંધી કથન છે. પયપુછ નો અર્થ રજોહરણ કરીએ તો રજોહરણ ઔધિક ઉપધિ હોવાથી ગૃહસ્થને પાછો
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨
૨૧ ]
આપી શકાતી નથી. તે ઉપરાંત તે જ ઉદ્દેશકમાં સૂત્ર ૬થી ૭૭માં રહi – રજોહરણનું કથન છે, તેથી જણાય છે કે બંને શબ્દોના અર્થ ભિન્ન-ભિન્ન છે અને પ્રસ્તુત સૂત્રોમાં કાર્ડ દંયુક્ત પ્રાદપ્રોચ્છનનું પ્રાયશ્ચિત વિધાન છે, તેમ સમજવું.
અચિત્ત પદાર્થની સુગંધ માણવી - | ९ जे भिक्खू अचित्तपइट्ठियं गंधं, जिंघइ जिंघतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અચિત્ત પદાર્થમાં રહેલી સુગંધને સુંઘે અથવા સૂંઘનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રથમ ઉદ્દેશકમાં સચિત્ત પદાર્થની સુગંધ સુંઘવા સંબંધી પ્રાયશ્ચિત્ત છે, જ્યારે અહીં અત્તર, ચંદન વગેરે અચિત્ત પદાર્થમાં રહેલી સુગંધને માણવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. સ્વયં પદ માગદિ બનાવવા :१० जे भिक्खू पदमग्गं वा संकम वा अवलंबणं वा सयमेव करेइ, करेंत वा સારૂ I ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પદમાર્ગ, સંક્રમણ માર્ગ અને અવલંબન માર્ગનું સ્વયં નિર્માણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ११ जे भिक्खू दगवीणियं सयमेव करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પાણીની નીકનું સ્વયં નિર્માણ કરે કે નિર્માણ કરનારનું અનુમોદન કરે, |१२ जे भिक्खू सिक्कगं वा सिक्कगणंतगं वा सयमेव करेइ, करैत वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી શકુંકેશકાંના ઢાંકણાનું સ્વયંનિર્માણ કરે કેનિર્માણ કરનારનું અનુમોદન કરે, १३ जे भिक्खू सोत्तियं वा, रज्जुयं वा चिलिमिलि वा सयमेव करेइ, करैत वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સૂતરની કે દોરીની(નેટની) ચિલમિલિનું સ્વયં નિર્માણ કરે કે નિર્માણ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રથમઉદ્દેશકમાં પાદમાર્ગવગેરે ગૃહસ્થો કે અન્યતીર્થિકો પાસે નિર્માણ કરાવે તો ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ગૃહસ્થ આવા કાર્યવિવેકપૂર્વકન કરે તેથી વધુ વિરાધનાનો સંભવ રહે. સાધુ સ્વયં કરે તો વિવેકપૂર્વક કરે, તેથી વિરાધનાની શક્યતા અલ્પ રહે છે, માટે સ્વયં કરે તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે અને અન્ય પાસે કરાવે તો ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સામાન્ય રીતે સાધુ પદમાર્ગ વગેરે બનાવે જ નહીં પરંતુ ક્યારેક કોઈક વિશિષ્ટ પરિસ્થિતિમાં તથા પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૨૨ |
શ્રી નિશીથ સૂત્ર
સ્વયં દ્વારા સોય વગેરેનું ઉત્તરકરણ - |१४ जे भिक्खू सूईए उत्तरकरणं सयमेव करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સોયને સ્વયં સમી કરે કે કરનારનું અનુમોદન કરે, |१५ जे भिक्खू पिप्पलगस्स उत्तरकरणं सयमेव केरइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કાતરને સ્વયં સમી કરે કે કરનારનું અનુમોદન કરે, १६ जे भिक्खू णहच्छेयणगस्स उत्तरकरणं सयमेव करेइ, करेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નખછેદનકને સ્વયં સમું કરે કે કરનારનું અનુમોદન કરે, |१७ जे भिक्खू कण्णसोहणगस्स उत्तरकरणं सयमेव करेइ, करेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કર્ણશોધનકને સ્વયં સમું કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચનઃ
પ્રથમ ઉદ્દેશકમાં સાધુ, સોય, કાતર, નખછેદનક અને કર્ણશોધનકનું ઉત્તરકરણ અર્થાત્ સમારકામ ગુહસ્થ કે અન્યતીર્થિક પાસે કરાવે તો તેનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અનિવાર્ય સંયોગોમાં તે જ કાર્ય સાધુ સ્વયં કરે તો તે વિવેકપૂર્વક અને અલ્પ જીવહિંસા થાય તેમ કરે છે, તેથી તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. પ્રથમ મહાવ્રતમાં દોષ સેવન - |१८ जे भिक्खू लहुसगं फरुसं वयइ, वयंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અલ્પમાત્રામાં કઠોર વચન બોલે કે બોલનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
ભાષા સમિતિનું પાલન કરનારા સાધુ-સાધ્વીઓએ કઠોર ભાષાનો પ્રયોગ કરવો ન જોઈએ. કઠોર ભાષા સાવધભાષા છે.
ચૂર્ણિ અનુસાર ઉપાલંભ, આદેશ, શિક્ષા તથા પ્રેરક વચનો પણ સ્નેહ રહિત, કોમળતા રહિત હોય, તો તે અલ્પકઠોર વચન' કહેવાય છે. આવા અલ્પ કઠોર વચન માટે આ સૂત્રમાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
ક્રોધાદિને વશ બની, અન્યને દુઃખ ઉત્પન્ન કરે તેવી ભાષા બોલવી તે એક પ્રકારની સૂક્ષ્મ હિંસા કહેવાય છે. આવા વચનપ્રયોગથી પ્રથમ મહાવ્રતમાં અતિચાર લાગે છે, માટે સાધુઓ તેવી ભાષાનો પ્રયોગ કરતા નથી.
આત્મીયતાથી હિતશિક્ષા આપવા કે બીજાને માર્ગ ઉપર લાવવા, કષાયભાવથી રહિત એવા કઠોર વચનનો ક્યારેક પ્રયોગ કરવો પડે, તો તેનું પ્રાયશ્ચિત્ત નથી. જેમ કે રાજમતીએ રથનેમીને માર્ગ ઉપર લાવવા, કેશી સ્વામીએ પરદેશી રાજાને બોધ પમાડવા કઠોર વચનોનો પ્રયોગ કર્યો હતો, પરંતુ તેમાં કષાયભાવ ન હતા, તેવા કઠોર વચનનું પ્રાયશ્ચિત્ત નથી.
Page #91
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨
| ૨૩ |
બીજા મહાવ્રતમાં દોષ સેવન - १९ जे भिक्खू लहुसगं मुसं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અલ્પમાત્રામાં પણ મૃષાવાદ(અસત્ય) બોલે કે બોલનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
ઉપયોગ શૂન્યતા, વિચાર શૂન્યતા, ભય કે સંદિગ્ધતાને કારણે અસત્ય ભાષાનો પ્રયોગ થઈ જાય તો તે અલ્પ અસત્ય ભાષા કહેવાય છે.
(૧) કોઈથી કોઈ ખોટું કાર્ય થઈ ગયું હોય અને તેના સંબંધમાં કાંઈ પૂછવામાં આવે ત્યારે ભયથી કહી દે કે મેં નથી કર્યું અથવા જે કાર્ય નથી કર્યું તેના સંબંધમાં પૂછે ત્યારે વિચાર કર્યા વિના જવાબ આપી દે કે હા, મેં કર્યું છે. (૨) ઊંઘતી વ્યક્તિને પૂછવામાં આવે ત્યારે કહે કે હું ઊંઘતો નથી. (૩) અંધારામાં કોઈ બીજાની વસ્તુને પોતાની વસ્તુ કહેવી. આ પ્રમાણેના લઘુ મૃષાવાદનું પ્રાયશ્ચિત્ત આ સૂત્રમાં કહ્યું છે. પંચક વૃત્તિથી અથવા કોઈનું અહિત કરવા માટે કહેલા અસત્ય વચનોનું પ્રાયશ્ચિત્ત અધિક હોય છે. ત્રીજા મહાવતમાં દોષ સેવન:
२० जे भिक्खू लहुसगं अदत्तं आइयइ, आइयंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અલ્પપણ અદત્ત ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
સાધુએ દરેક વસ્તુ યાચના કરીને જ ગ્રહણ કરવાની હોય છે, પરંતુ ઉપયોગ શૂન્યતાથી આજ્ઞા લીધા વિના ગ્રહણ થઈ જાય, તો તે અલ્પ અદત્ત કહેવાય છે. અ૫ અદાના ઉદાહરણ :- (૧) વાંસ, અવલેહનિકા (પગનો કાદવ ઉખેડવાની વાંસની ખપાટ) લાકડી વગેરે આજ્ઞા વિના ગ્રહણ કરે. (૨) આજ્ઞા લીધા વિનાની ભૂમિ પર વડીનીત, લઘુનીત વગેરે પરઠે. (૩) ભિક્ષા, વિહાર કે વર્ષા સમયે રસ્તામાં આજ્ઞા લીધા વિના વૃક્ષ નીચે ઊભા રહે, બેસે કે સૂવે વગેરે. માલિક વિનાના સ્થાન કે વસ્તુ માટે શકેન્દ્ર મહારાજાની આજ્ઞા લેવાનું વિધાન શ્રી ભગવતી સૂત્રમાં છે. (૪) અવિવેક કે ભૂલથી અદત્ત ગ્રહણ કરે તે.
શ્રી આચા. શ્ર.-૨, અ.-૭માં અદત્ત વિવેકના વિધાન પ્રસંગે કહ્યું છે કે પોતાના સાથી શ્રમણોના નાના મોટા ઉપકરણ પણ આજ્ઞા લઈને જ ગ્રહણ કરવા જોઈએ. પ્રસ્તુત સૂત્ર-૧૯ થી ૨૧માં ત્રણ મહાવ્રત દોષનું કથન છે. આ ત્રણ મહાવ્રતોનું વર્ણન દશ. સૂત્ર અ.-૪ તથા આચા. સૂત્ર, શ્ર.-૨, અ.-૧૫માં છે. ચોથા મહાવ્રતમાં દોષ સેવન - २१ जे भिक्खू लहुसएण सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा हत्थाणि वा पायाणि वा कण्णाणि वा अच्छीणि वा दंताणि वा णहाणि वा मुहवा
Page #92
--------------------------------------------------------------------------
________________
૨૪ ]
શ્રી નિશીથ સુત્ર
उच्छोलेज्ज वा पधोवेज्ज वा उच्छोलेंतं वा पधोवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી થોડા પણ ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી હાથ, પગ, કાન, આંખ, દાંત, નખ, મુખનું એકવાર કે વારંવાર પ્રક્ષાલન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
આ સૂત્રમાં બ્રહ્મચર્ય શબ્દ નથી, પરંતુ આ સૂત્રમાં બ્રહ્મચર્ય સંબંધી દોષોના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સ્નાનને કામનું અંગ અને બ્રહ્મચર્યનું દૂષણ કહ્યું છે, તેથી નિષ્કારણ હાથ-પગ, મોટું વગેરે ધુએ તો બ્રહ્મચર્યવ્રતમાં દોષ લાગે છે. દશ. સૂત્ર, અ.-૪, દમાં સાધુને માટે સ્નાન નિષેધ છે.
ભોજન કરતા હાથ લિપ્ત થાય અને તે મણિબદ્ધ પર્વતના હાથને ધૂએ તો તે હાથ સકારણ ધોયા કહેવાય. પગ કાંડા સુધી લિપ્ત થયા હોય અને આખું શરીર ધૂએ તો પગ સકારણ ધોયા કહેવાય પણ શેષ અંગો નિષ્કારણ ધોયા કહેવાય. પ્રસ્તુત સૂત્રમાં સકારણ ધોવાનું પ્રાયશ્ચિત કહ્યું નથી પણ નિષ્કારણ ધોવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અખંડ ચર્મ:२२ जे भिक्खू कसिणाई चम्माई धरेइ, धरैत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કૃત્ન ચર્મને ધારણ કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
સાધુને અખંડ ચર્મ એટલે મૃગ, વાઘ વગેરેના અવયવોના આકાર સહિતનું અખંડ ચામડું રાખવું કલ્પતું નથી. રોગાદિના કારણે સાધુને ચર્મ ગ્રહણ કરવું આવશ્યક થઈ જાય તોપણ અખંડ ચર્મ ગ્રહણ કરે નહીં પરંતુ ચર્મખંડ ગ્રહણ કરે. જો અખંડ ચર્મ ગ્રહણ કરે, તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
સાધુ નિષ્કારણ કન્ન ચર્મ ધારણ કરે તો તત્સંબંધી પ્રાયશ્ચિત્ત આ સૂત્રમાં બતાવ્યું છે, કારણ ચર્મખંડ ગ્રહણ કરે, તો તેના પ્રાયશ્ચિત્તનું અહીં વિધાન નથી. બહુમૂલ્ય વસ્ત્ર:२३ जे भिक्खू कसिणाई वत्थाई धरेइ, धरतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કૃમ્ન–બહુમૂલ્ય અને આકર્ષક વસ્ત્રને ધારણ કરે કે ધારણ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન:વસિMારું વત્થા – પ્રમાણથી વધુ, મૂલ્યવાન અને કોમળ વસ્ત્રને “કૃત્ન વસ્ત્ર' કહેવામાં આવે છે. કૃત્ન વસ્ત્રના ચાર પ્રકાર ભાષ્યમાં બતાવ્યા છે–
(૧) દ્રવ્ય કૃત્ન- શ્રેષ્ઠ તારથી બનેલા સુકોમળ મુલાયમ વસ્ત્રો. (૨) ક્ષેત્ર કૃત્ન- જે સ્થાનમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨
૨૫ |
જે વસ્ત્રો દુર્લભ હોય તે. (૩) કાળ કૃ—– જે કાળમાં જે વસ્ત્ર દુર્લભ હોય તે (૪) ભાવ કૃત્ન સુંદર વર્ણવાળા અને બહુમૂલ્ય વસ્ત્ર.
દેશ-કાળ પ્રમાણે વસ્ત્રની કિંમત બદલાતી રહે છે માટે જે દેશ અને જે કાળમાં જે વસ્ત્ર મૂલ્યવાન ગણાતા હોય, તે કૃમ્ન વસ્ત્ર કહેવાય છે, તેવા વસ્ત્ર ગ્રહણ કરવાથી સાધુ-સાધ્વી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે જે દેશાદિમાં જે વસ્ત્ર સાદગીપૂર્ણ અને અલ્પતમ મૂલ્યવાળા હોય તેની ગણના કન્જમાં થતી નથી અને તેનું પ્રાયશ્ચિત્ત પણ નથી. વસ્ત્રની અકસ્મતા - પ્રમાણથી યુક્ત વસ્ત્ર, સર્વત્ર સુલભ વસ્ત્ર, સર્વ જન ભોગ્ય વસ્ત્ર, અલ્પમૂલ્યવાળા અને અનાકર્ષક વસ્ત્ર અકૃત્ન કહેવાય છે. આવા અકૃત્ન વસ્ત્રને સાધુ-સાધ્વી ધારણ કરી શકે છે. કૃમ્ન વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ બૃહત્કલ્પ સૂત્ર, ઉ.-૩, સૂ.-૭માં છે, તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. કૃત્ન વસ્ત્ર ધારણ(ગ્રહણ) કરવાના દોષો :- પ્રમાણથી વધુ તથા મૂલ્યવાન એવા કૃત્ન વસ્ત્રને ગ્રહણ કરવાથી ઉપાડવામાં ભાર વધે, કોઈ ચોરી જશે તેવો ભય રહે, મૂલ્યવાન વસ્ત્ર પ્રતિ આસક્તિભાવ જન્મે તેના ઉપર રાગ થવાથી તે અધિકરણ બની જાય; ભગવાનની આજ્ઞાનો ભંગ વગેરે દોષ લાગે; માટે સાધુએ કૃત્ન વસ્ત્ર ધારણ ન કરતાં અકૃત્ન વસ્ત્ર જ ધારણ કરવા જોઈએ. અખંડ વસ્ત્ર - २४ जे भिक्खू अभिण्णाई वत्थाई धरेइ, धरैत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અભિન્ન-અખંડ વસ્ત્ર ધારણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
મUT:- વસ્ત્રના આખા તાકાને અભિન્ન કે અખંડ વસ્ત્ર કહે છે. આ સૂત્રમાં અભિન્ન(અખંડ) વસ્ત્ર સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે. બૃહત્કલ્પ સૂત્ર, ઉ.–૧૩, સૂ–૯માં અખંડ વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ છે, અહીં તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. અભિન્ન વસ્ત્ર રાખવાના દોષો:- અખંડ તાકાને ગ્રહણ કરવાથી વજન વધુ થાય, ચોરાય જવાનો ભય રહે તથા આખા તાકાનું પ્રતિલેખન વિધિપૂર્વક થાય નહિ તેમજ આજ્ઞા ભંગ વગેરે અનેક દોષોની સંભાવના રહે છે માટે સાધુએ અભિન્ન વસ્ત્ર ગ્રહણ ન કરતાં, આવશ્યક્તા અનુસાર, પ્રમાણોપેત વસ્ત્ર ગ્રહણ કરવા જોઈએ. પાત્ર પરિકર્મ - २५ जे भिक्खू लाउयपायं वा दारुपायं वा मट्टियापायं वा सयमेव परिघट्टेइ वा संठवेइ वा जमावेइ वा परिघट्टेतं वा संठवेंतं वा जमात वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી તુંબડા, કાષ્ઠ કે માટીના પાત્રનું નિર્માણ, સંસ્કરણ કે વિષમને સમ કરવાનું કાર્ય સ્વયં કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રકારના પાત્રનું પરિકર્મ વગેરે કાર્ય સાધુ સ્વયં કરે, તો તેનું લઘુમાસિક
Page #94
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ]
શ્રી નિશીથ સૂત્ર
પ્રાયશ્ચિત્ત અને પ્રથમ ઉદ્દેશકમાં ગૃહસ્થ કે અન્યતિર્થિક પાસે કરાવે, તો તેનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. - સાધુએ પરિકર્મ કરવા પડે તેવા પાત્ર ગ્રહણ જ કરવા ન જોઈએ. કદાચ તેવા પાત્ર ન મળે અને પરિકર્મ કરવું પડે તો સાધુ સ્વયં પરિકર્મ કરે. સ્વયં પરિકર્મ કરે, તો અલ્પ જીવ વિરાધના થાય અને ઉપયોગપૂર્વક કાર્ય થાય છે. સાધુને માટે સ્વાધ્યાયાદિ આરાધનાઓ જ મહત્ત્વપૂર્ણ છે, પાત્રનું પરિકર્મ કાર્ય તે એક પ્રકારનો પ્રમાદ છે. તે કાર્ય દ્વારા સ્વાધ્યાય આદિમાં અંતરાય થાય છે, માટે સાધુને પાત્ર પરિકર્મ સંબંધી પ્રાયશ્ચિત્ત લેવું અનિવાર્ય છે. દંડાદિ પરિકર્મ -
२६ जे भिक्खू दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूइयं वा सयमेव परिघट्टेइ वा संठवेइ वा जमावेइ वा परिघट्टेत वा संठवेत्तं वा जमावेत्तं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી દંડ, લાકડી, અવલેહનિકા અને વાંસની સોયનું પરિઘટ્ટણ, સંઠવણ કે જમાવણ સ્વયં કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
દંડ વગેરેને ઘસીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા આદિનું કાર્ય સાધુ સ્વયં કરે તો વિવેકપૂર્વક કરે અને જીવહિંસા અલ્પ થાય માટે આ સૂત્રમાં તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. પ્રથમ ઉદ્દેશકમાં દંડ-લાકડી વગેરે ગૃહસ્થાદિ પાસે કરાવે તો તેઓ અજતના અને અવિવેકથી કરે અને જીવહિંસા વધુ થાય, તેથી ત્યાં ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. દંડાદિના સંસ્કરણ કરવામાં જીવહિંસા તથા સ્વાધ્યાય આદિમાં અલના થવાના કારણે પ્રાયશ્ચિત્ત આવે છે, તેમ સૂત્રકારે કહ્યું છે. સ્વજનાદિ દ્વારા પાત્ર ગવેષણા:|२७ जे भिक्खू णियगगवेसियं पडिग्गहं धरेइ, धरतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સ્વજન ગવેષિત પાત્રને ધારણ કરે કે કરનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू परगवेसियं पडिग्गहं धरेइ, धरतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પરજન ગવેષિત પાત્રને ધારણ કરે કે કરનારનું અનુમોદન કરે, | २९ जे भिक्खू वरगवेसियं पडिग्गहं धरेइ, धरैत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી ગામ વગેરેની મુખ્ય વ્યક્તિ દ્વારા ગવેષિત પાત્રને ધારણ કરે કે કરનારનું અનુમોદન કરે, ३० जे भिक्खू बलगवेसियं पडिग्गहं धरेइ, धरैत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી બળવાન પુરુષ દ્વારા ગવેષિત પાત્રને ધારણ કરે કેકરનારનું અનુમોદન કરે, |३१ जे भिक्खू लवगवेसियं पडिग्गहं धरेइ, धरतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી લવગવેષિત(દાનનું ફળ બતાવીને ગવેષણા કરનાર પુરુષ દ્વારા) પાત્રને
Page #95
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨,
| ૨૭ ]
ધારણ કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરાશ્રિત પાત્ર ગવેષણાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સૂત્રમાં પ્રયુક્ત શબ્દોના અર્થ આ પ્રમાણે છે– પિયા- પોતાના સાંસારિક માતા, પિતા, ભાઈ વગેરે સ્વજન નિજક કહેવાય છે. પર– પર એટલે સ્વજનથી ભિન્ન પરજન ગૃહસ્થ અથવા અસંભોગી સાધુ. વર– વર એટલે ગામમાં જે મુખ્ય પુરુષ હોય તે. વન– પ્રામાદિનો સૌથી બળવાન પુરુષ. સવ– દાનના ફળને બતાવી વસ્ત્રપાત્ર ગ્રહણ કરે તે પુરુષ.
સાધુ સ્વયં પાત્રની ગવેષણા કરવા જાય તો પાત્રની નિર્દોષતા ચકાસીને સર્વ રીતે નિર્દોષ પાત્ર ગ્રહણ કરે, દાતાની ભાવનાને સમજી, અદીનવૃત્તિથી, વિધિપૂર્વક પાત્રને ગ્રહણ કરે પરંતુ જો સ્વજનાદિ ગવેષણા માટે જાય તો અનેક દોષની સંભાવના રહે છે. સ્વજન વગેરે પાત્રની ગવેષણા કરવા જાય અને અનેક વ્યક્તિઓ વચ્ચે સાધુને પાત્ર આપવાનું કહે, તો તે ગૃહસ્થ લજ્જા પામી, ઇચ્છા ન હોવા છતાં તે પાત્ર સાધુને આપવું પડે છે. ગૃહસ્થ-સ્વજન વગેરે વાહન વગેરેનો ઉપયોગ કરી પાત્રની ગવેષણા કરવા જાય વગેરે સર્વ દોષના ભાગી સાધુને બનવું પડે છે. આ રીતે સાધુની એષણા સમિતિનું પાલન થતું નથી, માટે સાધુએ સ્વજન કે અન્ય ગૃહસ્થ પાસે પાત્રની ગવેષણા કરાવવી ન જોઈએ. અગ્રપિંડનું ગ્રહણઃ३२ जे भिक्खू णितियं अग्गपिंडं भुंजइ भुंजतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી નિત્ય અગ્રપિંડ ભોગવે અથવા નિયતરૂપે અગ્રપિંડને ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં નિત્ય અગ્રપિંડ કે નિયત અગ્રપિંડ ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. નિલિયં:- ગિરિ શબ્દના ઐત્યિક અને નિયત, આ બે સંસ્કૃત રૂપ થાય છે. જે કાર્ય નિત્ય-રોજેરોજ કરવામાં આવે તે નૈત્યિક કહેવાય છે અને જે કાર્ય નિશ્ચિતરૂપે કરવામાં આવે તે નિયત કહેવાય છે. મf૬:- અગ્રના બે અર્થ છે– (૧) અગ્ર એટલે પ્રધાન વિશિષ્ટ અને (૨) અગ્ર એટલે પહેલા, આગળ પિંડ એટલે આહાર. ગૃહસ્થને ત્યાં જે વિશિષ્ટ આહાર બને તે અગ્રપિંડ કહેવાય છે અથવા ગૃહસ્થ ભોજન પૂર્વે દેવ, સાધુ, બલિ આદિના નિમિત્તે આહાર અલગ કાઢી લે, તે અગ્રપિંડ કહેવાય છે.
શ્રી દશ. સૂત્ર અ.-૩માં નિયા પંદનામે અનાચાર બતાવ્યો છે. તેનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન છે. foથાપિંડ અનાચારનો અર્થ - “મારા ઘેર દરરોજ આહાર લેવા પધારજો', આ પ્રમાણે ગૃહસ્થ સાધુ-સાધ્વીઓને નિમંત્રણ આપે અને સાધુ તેના ઘેરથી આહાર લાવે, તો તે નિયાગપિંડ કહેવાય છે. નિયાગપિંડ ભોગવવાથી સાધુ-સાધ્વીને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
૨૮ |
શ્રી નિશીથ સૂત્ર
અથવા જે ગૃહસ્થને ત્યાં પ્રતિદિન નિયમિત રૂપથી શ્રેષ્ઠ સરસ આહારનું દાન અપાતું હોય તે ગૃહસ્થ નિમંત્રણ આપે કે ન આપે, તેને ત્યાંથી તે આહાર લાવવાથી પણ સૂત્રોક્ત લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. દાન પિંડનું ગ્રહણ:
३३ जे भिक्खू णितियं पिंडं भुंजइ भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે ઘરમાં હંમેશાં તૈયાર કરેલા પૂર્ણ આહારનું દાન અપાતું હોય, તેવો આહાર જે સાધુ કે સાધ્વી લાવીને ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू णितियं अवड्भागं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ-જે ઘરમાં હંમેશાં આહારનો અર્થોભાગ દાનમાં અપાતો હોય, તેવો આહાર જે સાધુ કે સાધ્વી લાવીને ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू णितियं भागं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે ઘરમાં હંમેશાં આહારનો ત્રીજો ભાગ દાનમાં અપાતો હોય, તેવો આહાર જે સાધુ કે સાધ્વી લાવીને ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે. ३६ जे भिक्खू णितियं उवड्ढभागं भुंजइ, भुजुतं वा साइज्जइ । ભાવાર્થ - જે ઘરમાં હંમેશાં આહારનો છઠ્ઠો ભાગ દાનમાં અપાતો હોય, તેવો આહાર જે સાધુ કે સાધ્વી લાવીને ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સુત્રોમાંાિતિયં ઈષ આદિ શબ્દોનો પ્રયોગ થયો છે. પૂર્વે ૩રમાં સુત્રમાણિતિયં અપs શબ્દનો પ્રયોગ છે. ત્યાં (કરમાં સૂત્રમાં) અગ્ર એટલે શ્રેષ્ઠ, વિશિષ્ટ વ્યક્તિઓ માટે બનાવવામાં આવતા વિશિષ્ટ આહારને નિત્ય આમંત્રણપૂર્વક સાધુ-સાધ્વી ગ્રહણ કરે, તો તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આ ચાર સૂત્રોમાં નિત્ય દાન દેનાર કુળોમાંથી આહાર લેવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે. આ સૂત્રોમાં સાધારણ વ્યક્તિઓ માટે દાનાર્થ બનાવેલા સાધારણ આહારને ગ્રહણ કરવા સંબંધી જ વિધાન છે. પ્રસ્તુત સૂત્રગત મુખ્ય શબ્દોનો અર્થ ભાષ્યમાં આ પ્રમાણે છે
पिंडो खलु भत्तट्ठो, अवड्ड पिंडो तस्स य अद्धं ।
भागो तिभागमादि, तस्सद्धमुवड्ढभागो य ॥१००९॥ ગાથાર્થ–પંડ- સંપૂર્ણ ભોજન-સામગ્રી, આહાર, ઝવઠ્ઠ-આહારનો-રસોઈનો અર્થોભાગ, તિભાઆહાર-રસોઈનો ત્રીજો ભાગ અને ૩વરૃ- તેનો(ત્રીજા ભાગનો) અર્ધા અર્થાત્ છઠ્ઠો ભાગ
આચા. અ.૧, ઉર્દૂ. ૧, સૂત્ર–૧૦માં કહ્યું છે કે જે કુળમાં નિત્યપિંડ કે નિત્યઅગ્રપિંડ, નિત્ય આહારનો અર્થોભાગ, ત્રીજો ભાગ કે છઠ્ઠોભાગ દાનમાં અપાય છે, તેવું જાણે તો સાધુ તેવા કુળોમાં આહાર માટે પ્રવેશ કરે નહીં. દાન માટે અલગ રાખેલો આહાર સાધુ ગ્રહણ કરે તો દાનમાં અંતરાય પડે, દાન માટે
Page #97
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨,
૨૯ |
બીજીવાર આહાર બનાવે તો આરંભ-સમારંભ થાય અને પશ્ચાતુ કર્મ દોષ લાગે, માટે સાધુ તેવા આહારને ગ્રહણ કરે તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. દશ. અ.-પમાં પણ દાનપિંડ ગ્રહણ કરવાનો નિષેધ છે, તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. નિત્યવાસઃ३७ जे भिक्खू णितियं वासं वसइ वसंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી માસકલ્પ અને ચાતુર્માસ કલ્પની મર્યાદાનો ભંગ કરી એક સ્થાન પર નિત્યવાસ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
નિયંવાd - સાધુ-સાધ્વી માટે કલ્પ મર્યાદા છે કે શેષકાળમાં એક સ્થાન પર વધુમાં વધુ માસિકલ્પ અર્થાત્ સાધુ (ર૯) ઓગણત્રીસ દિવસ અને સાધ્વી (૫૮) અઠ્ઠાવન દિવસ રહી શકે અને ચાતુર્માસ કલ્પ અનુસાર એક સ્થાન ઉપર ચાર મહિના રહી શકે, પછી તેણે અવશ્ય વિહાર કરવો જોઈએ. આ માસકલ્પ અને ચાતુર્માસ કલ્પની મર્યાદાનું ઉલ્લંઘન કરી એક સ્થાને જ રહે તો તે નિત્યવાસ કહેવાય છે. આચા., શ્રુ. ૨, અ. ૨, ઉ. ૨, સૂ. ૭માં તેને કાલાતિક્રમ દોષ કહ્યો છે.
જે સ્થાનમાં માસકલ્પ વ્યતીત કર્યો હોય ત્યાં તેનાથી બમણો અર્થાત્ સાધુ ૫૮ દિવસ અને સાધ્વી ૧૧૬ દિવસ પસાર કર્યા પછી તથા ચાતુર્માસકલ્પ પસાર કર્યા પછી આઠ મહિના અન્ય સ્થાનમાં વ્યતીત કર્યા પછી જ તે સ્થાનમાં પાછા આવી શકે છે. ચાતુર્માસ કલ્પ પછી આઠ મહીના બાદ બીજું ચાતુર્માસ આવી જાય, માટે એક વરસ પછી તે સ્થાનમાં આવવું કલ્પ છે. માસ કલ્પ પછી બે મહીના પહેલાં અને ચાતુર્માસ પછી એક વરસ પહેલાં તે સ્થાનમાં સાધુ નિષ્કારણ આવીને રહે તો તેને પણ નિત્યવાસ કહેવામાં આવે છે. આચા. શ્રુ. ૨ અ. ૨, ઉ. ૨, સૂ. ૮ માં તેને ઉપસ્થાન ક્રિયા નામનો દોષ કહ્યો છે. તે બંને દોષોનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. નિત્યવાસ નિષેધનાં કારણો :- નિત્યવાસના કારણે ગૃહસ્થનો અતિપરિચય થાય, તેનાથી ક્યારેક પરસ્પર અવજ્ઞા અને અનુરાગ થાય, રાગવૃદ્ધિથી ચારિત્રમાં અલના થાય, તેથી સાધુ માટે નિત્યવાસનો નિષેધ છે.
આગમોમાં કલ્પ ઉપરાંત તે સ્થાનમાં રહેવા માટે કોઈ આપવાદિક વિધાન નથી પરંતુ ભાષ્યમાં (ગાથા-૧૦૨૧ થી ૧૦૨૪ સુધીમાં) ગ્લાન અવસ્થા, જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ વગેરે કારણોથી નિત્યવાસ કરે, તો તેને દોષરહિત કહ્યો છે. ભિક્ષા પૂર્વે અને પશ્ચાત્ દાતાની પ્રશંસા :
३८ जे भिक्खू पुरेसंथवं वा पच्छासंथवं वा करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ભિક્ષા લેતાં પહેલાં કે પછી દાતાની કે પોતાની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન:
ઉત્પાદનના સોળ દોષોમાં પૂર્વ-પશ્ચિાતુ સંસ્તવ નામનો એક દોષ છે. આ દોષનું સેવન કરનારા સાધુ-સાધ્વીઓને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
૩૦ |
શ્રી નિશીથ સૂત્ર
પુસંધવ :- પૂર્વ સંસ્તવ. ભિક્ષા ગ્રહણ કરતા પહેલાં ભિક્ષા દાતાની પ્રશંસા કરવી “પૂર્વ સંસ્તવ દોષ છે. સરસ, શ્રેષ્ઠ આહાર પ્રાપ્ત કરવાના આશયથી સાધુ દાતા દાન આપે તે પૂર્વે દાતાની પ્રશંસા કરે છે.
કેટલાક સાધુ-સાધ્વી દાતાની પ્રશંસા ન કરતાં પોતાની જ પ્રશંસા કરે છે. તે પોતાના જાતિ-કુળ ની, જ્ઞાન-ધ્યાનની કે તપસ્યા આદિની ચમત્કાર ભરી ગરિમા બતાવીને દાતાને પ્રભાવિત કરે છે. સ્વપ્રશંસા પાછળનો આશય પણ સન્માનપૂર્વક યથેષ્ટ આહાર પ્રાપ્તિનો જ હોય છે. પછHથવં - પશ્ચાતુ સંસ્તવ. ભિક્ષા ગ્રહણ કર્યા પછી દાતાની પ્રશંસા કરવી, તે પશ્ચાતુ સંસ્તવ દોષ છે. પશ્ચાત્ પ્રશંસાનો આશય પણ ઇષ્ટ આહારની પ્રાપ્તિ જ હોય છે. આ પ્રમાણે આહાર પ્રાપ્તિને માટે દાતાની પ્રશંસા કરવાથી સાધુની નિસ્પૃહ વૃત્તિ દૂષિત થાય છે, તેથી આ સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ધાર્મિક સંસ્કારની વૃદ્ધિ કરાવવા, પ્રવચનના સમયે દાનની વિધિ, દાનનું ફળ, દાતાના ગુણ તથા સુપાત્રદાનનું સ્વરૂપ સમજાવે, તો તે દોષરૂપ નથી પણ ગુણરૂપ જ છે. તેના દ્વારા ધર્મપ્રભાવના થાય છે અને તે ગુણ નિર્જરાનું કારણ બને છે. ભિક્ષાના સમય પૂર્વે પરિચિત કુળોમાં પ્રવેશ:
३९ जे भिक्खू समाणे वा वसमाणे वा गामाणुगामं वा दूइज्जमाणे पुरे संथुयाणि वा पच्छा संथुयाणि वा कुलाइ पुव्वामेव अणुपविसित्ता पच्छा भिक्खायरियाए अणुप्पविसइ अणुपविसत वा साइज्जइ । ભાવાર્થ:- સ્થિરવાસ રહેનારા, માસ કલ્પ કે ચાતુર્માસ કલ્પ પ્રમાણે વિચરનારા તથા ગ્રામાનુગ્રામ વિહાર કરનારા સાધુ પૂર્વ પરિચિત કે પશ્ચાતુ પરિચિત કુળોમાં ભિક્ષાના સમય પહેલાં પ્રવેશ કરે અને પછી પુનઃ ભિક્ષા માટે પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આ સૂત્રમાં ત્રણ પ્રકારના સાધુઓના નિર્દેશ પૂર્વક ભિક્ષાચરી સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે.
(૧) વૃદ્ધાવસ્થા, શારીરિક અસામર્થ્ય, બીમારી વગેરે કારણથી જેઓ સ્થિરવાસ રહ્યા છે તે. (૨) માસ કલ્પ કે ચાતુર્માસ કલ્પમાં જે સાધુ એક ગામમાં ૨૯ દિવસ અને સાધ્વી ૫૮ દિવસ તથા ચાર્તુમાસ કલ્પમાં ચાર મહિના માટે સ્થિર હોય તે. (૩) ચાતુર્માસ કલ્પ સિવાયના આઠ મહિનાના સમય દરમ્યાન ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુઓ. આ ત્રણે પ્રકારના સાધુ-સાધ્વી ભિક્ષાના કાળ પૂર્વે જ પૂર્વ પરિચિતકુળ અને પશ્ચાતુ પરિચિત કુળમાં પ્રવેશ કરે, તો ગૃહસ્થો સાધુના નિમિત્તે આહારાદિ તૈયાર કરે, તે આહારમાં આધાકર્મ કે ઔદેશિકાદિ અનેક દોષોની સંભાવના છે, તેથી તે સાધુ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. પરિચિતકુળના પ્રકાર – પરિચિત કુળના બે પ્રકાર છે-(૧) પૂર્વ પરિચિત અને (૨) પશ્ચાત્ પરિચિત. ગૃહસ્થ પર્યાયના પરિચિત માતા-પિતા, ભાઈ વગેરે પૂર્વ પરિચિત કહેવાય છે અને સાસુ, સસરા, સાળા વગેરે પશ્ચાત્ પરિચિત કહેવાય છે. પરિચિત કળોમાં પૂર્વ પ્રવેશના નિષેધન કારણ:- સાધુ પધાર્યાની જાણ થાય તે ઉદ્દેશથી ભિક્ષાના સમય પહેલાં સાધુ પરિચિત કુળમાં પ્રવેશ કરે અને ગૃહસ્થ તેમને જોઈ ઉગમાદિ દોષ યુક્ત આહાર
Page #99
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક–ર
૩૧
બનાવી, સાધુ પુનઃ ભિક્ષાકાળે પધારે ત્યારે દૂષિત આહાર વહોરાવે, માટે આચારાંગ સૂત્રના શ્રું-૨, અ-૧, ઉ-૯માં પરિચિતકુળમાં ભિક્ષાના સમય પૂર્વે પ્રવેશ કરવાનો નિષેધ છે અને અહીં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અન્યતીર્થિકાદિ સાથે ગમન ઃ
४० जे भिक्खू अण्णउत्थिएण वा गारत्थिएण वा परिहारिओ वा अपरिहारिएण सद्धिं गाहावइकुलं पिंडवायपडियाए णिक्खम इ वा अणुप्पविसइ, अणुपविसंतं णिक्खतं वा साइज्जइ ।
ભાવાર્થ -- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે અથવા પારિહારિક–ઉત્તમ સાધુ અપારિહારિક—પાર્થસ્થાદિ સાધુ સાથે ગૃહસ્થના ઘરમાં ગોચરી માટે પ્રવેશ કરે, નીકળે કે પ્રવેશ કરનારનું કે બહાર નીકળનારનું અનુમોદન કરે,
४१ जे भिक्खू अण्णउत्थिएण वा गारत्थिएण वा परिहारिओ वा अपरिहारिएण सद्धिं बहिया विहारभूमिं वा वियारभूमिं वा पविसइ वा णिक्खमइ वा पविसंत वाणिक्खमंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે અથવા પારિહારિક (ઉત્તમ સાધુ) અપારિહારિક (પાર્શ્વસ્થાદિ) સાધુ સાથે વિહાર ભૂમિ–સ્વાધ્યાય ભૂમિમાં કે વિચારભૂમિ—સ્થંડિલ ભૂમિમાં પ્રવેશ કરે, નીકળે, પ્રવેશ કરનાર કે નીકળનારનું અનુમોદન કરે,
४२ जे भिक्खू अण्णउत्थिएण वा गारत्थिएण वा परिहारिओ वा अपरिहारिएण सद्धिं गामाणुगामं दूइज्जइ, दूइज्जतं वा साइज्जइं ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે અથવા પારિહારિક–ઉત્તમ સાધુ, પાર્શ્વસ્થાદિ અપારિહારિક સાધુની સાથે એક ગામથી બીજે ગામ (ગ્રામાનુગ્રામ) વિહાર કરે કે વિહાર કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પારિહારિક સાધુને અન્યતીર્થિક આદિ ત્રણની સાથે ગોચરી આદિ માટે ગમન કરે, તો તેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
પારિહારિક— ગવેષણા-દોષોના પૂર્ણ જ્ઞાતા અને ગવેષણાના દોષો ન લગાડનારા ઉત્તમ સાધુ, અપારિહારિક- ગવેષણા-દોષોના જ્ઞાતા હોવા છતાં પ્રમાદવશ દોષોનું સેવન કરનારા પાર્શ્વસ્થાદિ, અન્યતીર્થિક— આજીવક, ચરક, પરિવ્રાજક, શાક્ય આદિ ભિક્ષુ.
ગૃહસ્થ— ભિક્ષાજીવી ગૃહસ્થ અર્થાત્ શનિવાર આદિ નિશ્ચિત્ત દિવસે ભિક્ષા કરનાર,
ગવેષણાના દોષોના જ્ઞાતા સાધુએ ગવેષણાના દોષના જ્ઞાતા અન્ય સાધુ સાથે જ ગોચરીએ જવું ઉચિત છે. ગવેષણાના દોષના જ્ઞાતા ન હોય, તેવા અન્યતીર્થિક કે અન્યભિક્ષુ સાથે અથવા દોષો જાણવા છતાં પ્રમાદથી દોષોનું સેવન કરનારા અપારિહારિક શિથિલાચારી (જૈન સાધુ) સાથે જવું ઉચિત નથી.
Page #100
--------------------------------------------------------------------------
________________
૩ર
|
શ્રી નિશીથ સૂત્ર
અન્યતીર્થિક આદિની સાથે જવાથી દાતાના મનમાં અનેક વિકલ્પો ઉત્પન્ન થાય છે, તે વિચારે છે કે– (૧) પહેલાં શ્રમણ નિગ્રંથને ભિક્ષા આપું કે તેની સાથે આવેલા છે તેને પહેલાં આપું? શ્રમણ નિગ્રંથને કેવો આહાર આપું? અને આને કેવો આહાર આપું. અન્યતીર્થિક આદિની સાથે શ્રમણ નિગ્રંથ કેમ આવ્યા હશે? શ્રમણ નિગ્રંથ તો સ્વયં મહાન છે જો તે સ્વયં આવ્યા હોત તો શું હું તેને ભિક્ષા ન આપત? ઇત્યાદિ.
(૨) દરેક જગ્યાએ તેમની સાથે જવા આવવાથી જોનાર લોકો વિચારે છે કે– શ્રમણ નિર્ગથોની ચર્યા અને અન્યતીર્થિકોની ચર્ચા ભિન્ન-ભિન્ન છે તો પણ તેમની સાથે કેમ આવતાં જતાં હશે? (૩) કેટલાક લોક એમ પણ વિચારે છે કે- આ શ્રમણ અને અન્યતીર્થિક કેવળ વેશથી ભિન્ન-ભિન્ન દેખાય છે, અંતરંગ તો તેઓના સમાન પ્રતીત થાય છે માટે જ હંમેશાં સાથે રહે છે.
(૪) અપારિવારિક ભિક્ષ(જૈન સાધુ) પ્રાયઃ દોષસેવી હોય છે, જન સાધારણમાં તેમની શ્રમણ ચર્યા પ્રશંસનીય હોતી નથી. તેની સાથે આવવા-જવાથી પારિહારિક શ્રમણની પ્રતિષ્ઠા ઝાંખી પડે છે. આ પ્રકારના વિવિધ કારણોથી અન્યતીર્થિક આદિની સાથે જાય, તો તે લઘુમાસિક પ્રાયશ્ચિત્તને યોગ્ય પ્રાપ્ત થાય છે.
સંક્ષેપમાં લોક વ્યવહાર કે લોકાપવાદને લક્ષ્યમાં રાખીને શ્રમણે અન્યતીર્થિક, ગૃહસ્થ કે અપારિહારિક(જૈન સાધુ)ની સાથે આવવું-જવું ન જોઈએ. આચા. શ્રુ–૨, અ-૧, ઉ.–૧, સૂત્ર ૪ થી ૬માં આ ત્રણે સાથે જવા-આવવાનો નિષેધ છે અને અહીં તેનું પ્રાયશ્ચિત્ત કથન છે. અમનોજ્ઞ પાણી પરઠવું - ४३ जे भिक्खू अण्णयरं पाणगजायं पडिगाहित्ता पुप्फ पुप्फ आइयइ कसायं कसायं परिटुवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી વિવિધ (પ્રાસુક) પાણી ગ્રહણ કરી, મનોજ્ઞ સારા-સારા સ્વાદિષ્ટ, પાણીને પીવે અને કાષાયિક (બેસ્વાદુ, અમનોજ્ઞ)ને પરઠેકે પરઠનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુ-સાધ્વીઓ ગવેષણાથી પ્રાપ્ત થયેલા નિર્દોષ પાણીનો ઉપયોગ કરે છે. આગમોમાં આવા પાણીને અચેત, એષણીય કે પ્રાસુક કહ્યું છે. સાધારણ ભાષામાં તેને ધોવણ પાણી, ગરમપાણી કે પ્રાસુક પાણી પણ કહે છે. આચારાંગ આદિ સૂત્રોમાં આવા પાણીના અનેક પ્રકાર કહ્યા છે. આ વિવિધ પ્રકારના પાણીમાં સાધુએ આસક્ત થવું ન જોઈએ. આસક્તિના કારણે જ મનોજ્ઞ, સ્વાદિષ્ટ પાણી પીવાનું અને અમનોજ્ઞ પાણીને પરઠવાનું મન થાય છે, આ પ્રકારની વૃત્તિથી સાધુ અમનોજ્ઞ પાણી પરઠે, તો પ્રસ્તુત સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. મનોજ્ઞ-અમનોજ્ઞના ભેદ ન કરતાં સાધુએ શુદ્ધ, એષણીય પાણી ઉપયોગમાં લેવું જોઈએ. - પ્રસ્તુત સૂત્રમાં બે વિશેષ શબ્દ છે– (૧) પુ- જે પાણીનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, પ્રશસ્ત હોય તેને અહિં “પુષ્પ” સંજ્ઞા આપી છે. દૂધ, સાકર, ગોળ, લવિંગ આદિ સુસ્વાદુ તથા સુગંધી પદાર્થોથી નિષ્પન્ન થયેલું ધોવણ પાણી મનોજ્ઞ– પુષ્પ(સ્વચ્છ-સુંદર) હોય છે તથા શુદ્ધોદક તેમજ ઉષ્ણોદક પણ
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨
૩૩ ]
સ્વચ્છ હોય છે. (૨) સાયં- જે પાણીનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અપ્રશસ્ત હોય તેને અહિં “કષાય” સંજ્ઞા આપી છે. કેરડા, કારેલા, મેથી કે લોટ આદિથી નિષ્પન્ન થયેલું ધોવણ પાણી કષાયેલું– અમનોજ્ઞ હોય છે.
આચારાંગ હ્યુ-૨, અ-૧, ઉ.-૯, સૂ.માં અમનોજ્ઞ પાણી પરઠવાનો નિષેધ છે, અહીં તેનું પ્રાયશ્ચિત્ત કથન છે. કોઈ પાણી વિષયુક્ત કે સ્વાથ્યને હાનિકારક હોય, તો તેને પરઠવાનું પ્રાયશ્ચિત્ત નથી, તેમ સમજવું. અમનોજ્ઞ ભોજન પરડવું:४४ जे भिक्खू अण्णयरं भोयणजायं पडिगाहित्ता सुभि-सुभि भुंजइ, दुभिदुभि परिट्ठवेइ, परिहवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારના આહાર ગ્રહણ કરી સારા-સારા(મનોજ્ઞ, સ્વાદિષ્ટ) આહાર આરોગે અને નીરસ(અમનોજ્ઞ, બેસ્વાદ) આહારને પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં રસાસ્વાદની આસક્તિથી અમનોજ્ઞ આહારને પરાઠવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
આ સૂત્રમાં આહાર માટે સુડિંગ અને હિંમ શબ્દપ્રયોગ છે. ચૂર્ણિમાં–સુડિંખ-સુમ, હિંમ-રામ અર્થ કર્યો છે. ભાષ્ય ગાથામાં પણ આ જ ભાવ દર્શાવ્યા છે.
वण्णेण य गंधेण य, रसेण फासेण जउ उववेतं,
तं भोयणं तु सुभि, तव्विवरीयं भवे दुभि ॥१११२॥ અર્થ - શુભ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત આહારને હિંજ અને તેનાથી વિપરીત અશુભ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા આહારને સુખ સમજવો જોઈએ.
સાધુ-સાધ્વીઓએ આહારની આસક્તિ છોડી અરસ, વિરસ સર્વ પ્રકારના આહારને ભોગવી લેવો જોઈએ. તેમાં જે વિરસ આહાર હોય તેને પરઠવો ન જોઈએ. દશ. અ. ૫, ઉ. ૨, ગા. ૧માં કહ્યું છે કેદુધ વા સુધિ વા, સન્ન મુંને છેઅર્થાત્ મુનિ સારો અને નરસો બધો આહાર અનાસક્ત ભાવે ભોગવી લે, કંઈ પણ પરઠે નહીં. આચા. શ્રુ.-૨, અ-૧, ઉ–૯માં અમનોજ્ઞ આહારને પાઠવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
ભિક્ષા ગ્રહણ કર્યા પછી અભિમંત્રિત, વિષમિશ્રિત અને દોષયુક્ત આહારની જાણકારી થાય અને તે આહારને પરઠવો પડે, તો અહીં તેનું પ્રાયશ્ચિત્ત કથન નથી, તેમ સમજવું. અવશિષ્ટ આહારને નિમંત્રણ કર્યા વિના પરઠવોઃ४५ जे भिक्खू मणुण्णं भोयणजायं पडिगाहेत्ता बहुपरियावण्णं सिया, अदूरे तत्थ साहम्मिया, संभोइया, समणुण्णा, अपरिहारिया संता परिवसति, ते अणापुच्छिय अणिमंतिय परिढुवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ - મનોજ્ઞ આહાર ગ્રહણ કર્યા પછી એમ થાય કે આ આહાર વધુ છે, કોઈ સાધુ વાપરી શકે તેમ
Page #102
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
શ્રી નિશીથ સૂત્ર
નથી તો સમીપમાં ક્યાંય સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ, અપારિવારિક સાધુ વિદ્યમાન હોય, તો તેમને પડ્યા વિના, આમંત્રણ આપ્યા વિના તે આહારને જે સાધુ-સાધ્વી પરઠે કે પરઠનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધર્મિક સાધુને પૂછ્યા વિના અધિક થયેલા આહારને પરઠવાનું પ્રાયશ્ચિત્તનું કથન છે.
સામાન્ય રીતે ભિક્ષાચર્યા તથા ગવેષણામાં કુશળ, સમયજ્ઞ, આહારની માત્રાના જ્ઞાતા સાધુ ગોચરી માટે જાય છે અને તે મુનિ પોતાની અને સહવર્તી સાધુઓની આવશ્યકતા અનુસાર આહાર ગ્રહણ કરે છે, તેમ છતાં ક્યારેક આહાર કરી લીધા પછી થોડો આહાર વધે, તો તે આહારનો ઉપયોગ કરવાની વિધિ આ સૂત્રમાં પ્રદર્શિત કરી છે.
સમીપના કોઈ ઉપાશ્રયમાં સાધર્મિક, સાંભોગિક કે સમનોજ્ઞ સાધુ હોય, તો ત્યાં તે આહાર લઈને જાય અને તેઓને કહે કે અમારે આ આહાર વધારે છે, આપ તેનો ઉપયોગ કરો. જો તે ન લે, તો તેને એકાંતમાં લઈ જઈને પ્રાસુક ભૂમિ ઉપર પરઠી શકાય છે. સમીપવર્તી ક્ષેત્રમાં રહેલા સાધુઓને વધેલો આહાર દેખાડ્યા વિના તથા ઉપયોગમાં લેવાનું નિમંત્રણ આપ્યા વિના સાધુ તે આહાર પરઠે તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. આચા, શ્ર–૨, અ-૧, ઉ–૯, સૂ-૭ કથિત નિષેધનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
સૂત્રમાં સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ આવા ત્રણ વિશેષણ પ્રયુક્ત છે. () સાહનિમય – સાધર્મિક સમાન ધર્મનું પાલન કરનારા, જૈન શ્રમણ પરંપરાના નિયમોનું, આચારવિચારનું પાલન કરનારા સર્વ શ્રમણો સાધર્મિક કહેવાય છે. (૨) સંબો:- સાંભોગિક. સંભોગ એટલે સાધુઓનો પરસ્પરનો વ્યવહાર. આગમોમાં સાધુને માટે બાર પ્રકારના સંભોગનું નિરૂપણ છે. તેમાંથી મુખ્ય રૂપે પોતાના ગચ્છની પરંપરા અનુસાર અન્ય જે-જે ગચ્છના સાધુઓ સાથે પરસ્પર આહાર-પાણીનું આદાન-પ્રદાન થતું હોય, તે સાધુઓ પરસ્પર સાંભોગિક કહેવાય છે. જૈન શ્રમણ પરંપરાના સર્વ સાધુઓ સાધર્મિક છે, પરંતુ બધા સાંભોગિક હોતા નથી. (૨) સમપુણ:- સમનોજ્ઞ. શાસ્ત્રાનુકૂલ સમાન સમાચારીવાળા સાધુ.
આ ત્રણે પ્રકારના સાધુઓમાં સાંભોગિકની પ્રમુખતા છે. શય્યાતર પિંડ :४६ जे भिक्खू सागारियपिंडं गिण्हइ, गिण्हतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી શય્યાતરપિંડ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ४७ जे भिक्खू सागारियपिंडं भुंजइ भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શય્યાતરપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨
૩૫ ]
વિવેચનઃ
આ સૂત્રમાં શય્યાતરનો આહાર ગ્રહણ કરવા અને ભોગવવાના પ્રાયશ્ચિત્તનું કથન છે. સરિય :- સાગારિક. સાગારિક માટે શય્યાતર, શબ્દનો પ્રયોગ પણ થાય છે. સાગરિક, શય્યાતર, શય્યાદાતા, શય્યાધર અને શય્યાકર, આ પાંચ પર્યાયવાચી શબ્દો છે.
(૧) સાગારિક- આગર એટલે ઘર-ગૃહ, ઘર સહિત જે ગૃહસ્થ હોય તે સાગાર અને સાધુને સ્થાનનો સંયોગ કરાવે, સ્થાન આપે તે સાગારિક. (૨) શય્યાતર- સાધુને શય્યા-સ્થાનનું દાન આપી દે ભવને તરી જાય, તે શય્યાતર. (૩) શય્યાદાતા- સાધુને શય્યા-સ્થાન કે વસતિનું દાન આપે તે શય્યાદાતા. (૪) શય્યાધર- સાધુને શય્યાનું દાન આપી દુર્ગતિમાં જતાં પોતાના આત્માને સદ્ગતિમાં ધારણ કરી રાખે તે શય્યાધર. (૫) શય્યાકર- શયા-સ્થાનની સાધુને સોંપણી કરે છે માટે તે શય્યાકર કહેવાય છે. શધ્યાતર સંબંધી સાત દ્વાર :(૧) કોણ સાગારિક કહેવાય? -
सेज्जातरो पभू वा, पभुसंदिट्टो वा होइ कायव्यो ।
एगमणेगो व पभू, पभुसदिट्ठो वि एमेव ॥ અર્થ – પ્રભુ એટલે માલિક અને પ્રભુ સંદિષ્ટ(માલિક દ્વારા નિયુક્ત) વ્યક્તિ શય્યાતર કહેવાય છે. તે માલિક અને માલિક સદશ એક પણ હોય અનેક પણ હોય શકે છે.
મકાન કે સ્થાનના માલિક કે માલિક સદશ અર્થાત્ માલિક દ્વારા નિયુક્ત અધિકારીને શય્યાતર કહેવામાં આવે છે. માલિકે પોતાનું મકાન અન્યને સોંપ્યું હોય, સાધુ વગેરેને તે આપવાની આજ્ઞા આપી હોય, તો તે વ્યક્તિ પ્રભુ સદશ કહેવાય છે. આચારાંગમાં કહ્યું છે ને તન્થ ફરે ને તન્દુ સમાપ 1 જે મકાનના માલિક હોય કે જે મકાનના અધિષ્ઠાતા હોય, જેના અધિકારમાં મકાન હોય તેની આજ્ઞા લઈ સાધુ તે સ્થાનમાં રહી શકે છે. બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દેશક–રમાં કહ્યું છે કે મકાનના માલિક એક કે અનેક હોય તેમ અધિષ્ઠાતા પણ એક કે અનેક હોય શકે છે. અનેક માલિક કે અધિષ્ઠાતામાંથી જેની આજ્ઞા લઈ સાધુ મકાનમાં ઉતરે તે શય્યાતર કહેવાય છે. તેનો આહાર લેવો સાધુને કલ્પતો નથી. અન્ય માલિક અને અધિષ્ઠાતાઓના ઘેરથી આહાર લઈ શકાય છે. (બૃહત્કલ્પ, .-૨, સૂત્ર–૧૩) (૨) શય્યાતર ક્યારે કહેવાય?:- સાધુ મકાનમાં ઉતરવાની આજ્ઞા લે અને મકાનમાં ઉપકરણ વગેરે રાખે ત્યારથી તે શય્યાતર કહેવાય છે. (૩) શય્યાતર પિંડના કેટલા પ્રકાર છે ? :- શય્યાતરપિંડના બાર પ્રકાર છે- અશનાદિ ચારઅશન, પાણી, ખાદિમ અને સ્વાદિમ. વસ્ત્રાદિ ચાર– વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણ. સોયાદિ ચાર- સોય, કાતર, નખછેદનક અને કર્ણશોધનક. (૪) શય્યાતર, અશય્યાતર ક્યારે કહેવાય? - આખો દિવસ કે દિવસના અમુક કલાક જે મકાનમાં સાધુ રહ્યા હોય ત્યારપછી તે મકાન છોડે, ગૃહસ્વામીની આજ્ઞા પાછી આપે ત્યારે તે અશય્યાતર બને છે. સાધુ એક રાત્રિ કે અનેક રાત્રિ રહ્યા પછી મકાનને છોડે, ગૃહસ્વામીને આજ્ઞા પાછી આપે, તો તે પછી આઠ પ્રહર સુધી શય્યાતર કહેવાય, આઠ પ્રહર પછી તે અશય્યાતર બને છે. અશય્યાતર બન્યા પછી તેમના આહાર-પાણી લેવા સાધુને કહ્યું છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ ]
શ્રી નિશીથ સૂત્ર
(૫) ક્યા શય્યાતર છોડવા યોગ્ય ગણાય? - એક મંડળમાં બેસીને આહાર કરનાર શ્રમણો જો અનેક મકાનોમાં રહ્યા હોય, તો તે બધા મકાન માલિકોને શય્યાતર સમજવા જોઈએ. જો કોઈ શ્રમણ પોતાનો લાવેલો આહાર જ કરતાં હોય, તો તે પોતાના મકાન માલિકને અને આચાર્યના મકાન માલિકને પોતાના શય્યાતર સમજે છે. () શય્યાતરપિંડ ગ્રહણ કરવામાં શું દોષ?- સાધુના દશ કલ્પમાં શય્યાતરપિંડનો ત્યાગ, તે સ્થિત કલ્પ છે, ચોવીસે તીર્થકરોના સાધુને તેનું પાલન કરવું અનિવાર્ય છે, તેથી સાધુ જો ગ્રહણ કરે તો તીર્થકરોની આજ્ઞાનો ભંગ થાય, શય્યાતરપિંડ ગ્રહણ કરવામાં ઉદ્ગમાદિ દોષોની સંભાવના રહે, સાધુને શય્યા-સ્થાન પ્રાપ્ત થવા દુર્લભ છે, તેમાં જો શય્યાતરના ઘેરથી આહાર લે, તો શય્યા-સ્થાન પ્રાપ્ત થવા અતિદુર્લભ બની જાય, શય્યાતરની ભાવનામાં ઓટ આવવાની સંભાવના રહે, આ રીતે અનેક દોષોની સંભાવના છે. (૭) અનેક માલિકમાંથી કોને શય્યાતર માનવા?:- કોઈ મકાનના અનેક માલિક હોય અને સાધુ તેમાંથી કોઈ એકની આજ્ઞા લે તો તે એક માલિક જ શય્યાતર કહેવાય છે. શય્યાતરનું અને અન્ય માલિકના ભોજનગૃહ અલગ-અલગ હોય તો, શય્યાતર સિવાયના અન્ય માલિકોને ત્યાંથી આહાર લઈ શકે છે પરંતુ જો શય્યાતર અને અન્ય માલિકના ભોજનગૃહ સાથે જ હોય તો ત્યાંથી આહાર ગ્રહણ કરી શકતા નથી. સાગારિક કુળની માહિતીનો અભાવ -
४८ जे भिक्खू सागारियकुलं अजाणिय अपुच्छिय अगवेसिय पुव्वामेव पिंडवाय-पडियाए अणुपविसइ अपुविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શય્યાતરના ઘર વિષયક જાણકારી, પૃચ્છા, ગષણા કર્યા પહેલાં જ ગોચરી માટે ઘરોમાં પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શય્યાતરના ઘરની જાણકારી માટે ત્રણ શબ્દોનો પ્રયોગ છે. ગાય- શય્યાતરનું નામ શું છે, તેનું ઘર ક્યાં છે? વગેરે સામાન્ય જાણકારી મેળવ્યા વિના. અપુછિય- શય્યાતરના નામ-ગોત્રના નામવાળી એક વ્યક્તિ છે કે અનેક છે? તથા તેનું ઘર ક્યાં છે? તેવી પૃચ્છા કરીને વિશેષ જાણકારી મેળવ્યા વિના.
જિ- શય્યાતરને તથા તેના ઘરને પ્રત્યક્ષ જોયા વિના, તેના વય, વર્ણ, ચિહ્ન આદિની જાણકારી મેળવ્યા વિના.
પરિચિત ક્ષેત્રમાં નામ-ગોત્ર અને ઘરની જાણકારી પૂછવા માત્રથી થઈ જાય છે, પરંતુ અપરિચિત ક્ષેત્રમાં વ્યક્તિને પ્રત્યક્ષ જોઈને, તેની વય, વર્ણ, આકૃતિ તથા મકાનની આસપાસનું સ્થળ જોઈને વ્યક્તિ અને મકાન તથા તેના પરિવારવાળાને સ્મૃતિમાં રાખવા આવશ્યક હોય છે. ત્યાર પછી જ કોઈ પણ ભિક્ષુ ગોચરી જઈ શકે છે. પૂર્વદરે પૃચ્છા, અપૂર્વદષ્ટ નવેષા પૂર્વ પરિચિત ક્ષેત્રમાં પૃચ્છા કરવાથી અને અપરિચિત ક્ષેત્રમાં ગવેષણાથી શય્યાતરની જાણકારી મેળવી શકાય છે. fપંડવાવ-પડિયાપ:- પાત એટલે ગૃહસ્થ દ્વારા અપાયેલા, પિંડ એટલે અશનાદિ આહારને અને પ્રતિજ્ઞયા એટલે ગ્રહણ કરવા માટે ગોચરીએ નીકળવું.
Page #105
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨
68
શય્યાતર વિષયક માહિતી મેળવ્યા વિના ભિક્ષુ ગોચરી અર્થે નીકળે નહિ. શય્યાતરનું ઘર ક્યાં છે ? તે જાણતા ન હોય તો ભૂલથી તેનાં ઘેરથી આહાર ગ્રહણ થઈ જાય, તો શય્યાતર પિંડ ગ્રહણ કરવાનો દોષ લાગે, માટે ગોચરીએ નીકળતાં પહેલાં શય્યાતર વિષયક સંપૂર્ણ માહિતી મેળવી લેવી જરૂરી છે. માહિતી મેળવ્યા વિના નીકળે તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. આચા. શ્રુ—૨, અ–૨, ઉ.–૩, સૂ-૪નું આ પ્રાયશ્ચિત્ત . સૂત્ર
છે.
સાગારિકની નિશ્રાએ આહાર યાચનાઃ
४९ जे भिक्खू सागारियणीसाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा ओभासियओभासिय जायइ, जायंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સાગારિકની નિશ્રાએ અશનાદિ ચારે પ્રકારના આહારને માંગી-માંગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં શય્યાતરના સહયોગથી પ્રાપ્ત આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. શય્યાતર ગોચરી અર્થે નીકળેલા સાધુને ઘર બતાવી અશનાદિ આહાર અપાવે, અન્ય ઘરોમાં જઈ આ વસ્તુ વહોરાવો, આ વસ્તુ વહોરાવો, આ રીતે વસ્તુનો નિર્દેશ કરી–કરીને, પ્રેરણા આપીને આહાર અપાવે, તો તેવા પ્રકારનો આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન આ સૂત્રમાં છે.
શય્યાતર પોતાના ગામના અન્ય ગૃહસ્થો સાથે કૌટુંબિક, સામાજિક આદિ અનેક પ્રકારના વ્યવહારથી સંબંધિત હોય છે. શય્યાતરના કહેવાથી ક્યારેક કોઈ ગૃહસ્થને આહારાદિ આપવાની ઇચ્છા ન હોય, તોપણ શરમ-સંકોચથી આપવો પડે, દાતાને તેનો ભાર લાગે, પરિણામ મલિન થાય, માટે સાધુ શય્યાતર સહયોગથી પ્રાપ્ત થતાં આહારને ગ્રહણ કરતાં નથી.
કાલાતિક્રાંત દોષયુક્ત શય્યા સંસ્તારક :
५० जे भिक्खू उउबद्धियं सेज्जासंथारयं परं पज्जोसवणाओ उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઋતુબદ્ધકાળ માટે(શેષકાળમાં) ગ્રહણ કરેલા શય્યાસંસ્તારકને પર્યુષણા પછી રાખે કે રાખનારનું અનુમોદન કરે.
|५१ जे भिक्खू वासावासियं सेज्जासंथारयं परं दसरायकप्पाओ उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વર્ષાવાસ માટે ગ્રહણ કરેલા શય્યાસંસ્તારકને ચોમાસા પછી દસ રાત્રિ-દિવસથી વધુ સમય રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં કાલાતિકાંત દોષયુક્ત શય્યા-સંસ્તારક વાપરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૩૮ |
શ્રી નિશીથ સૂત્ર
કોઈ ક્ષેત્રમાં સાધુએ શેષકાળના આષાઢ મહિનામાં મકાન કે પાટ આદિ ગૃહસ્થની આજ્ઞાપૂર્વક ગ્રહણ કર્યા હોય અને કારણવશ તેને તે ક્ષેત્રમાં ચાતુર્માસના નિમિત્તે રહેવું પડે, તો ચોમાસાને માટે તે મકાન કે પાટની ફરીવાર આજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ અથવા માલિકને યથા સમયે પાછા આપી દેવા જોઈએ. કોઈ કારણથી તેમ કરી શક્યા ન હોય, તો ચાતુર્માસમાં સંવત્સરી સુધીમાં તેની પુનઃ આજ્ઞા લેવી જોઈએ. સંવત્સરી સુધી પણ શય્યાદિ પાછા ન આપે કે ફરીથી આજ્ઞા પ્રાપ્ત ન કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
તે જ રીતે ચાતુર્માસને માટે શય્યા-સંસ્કારક ગ્રહણ કર્યા હોય અને ચાતુર્માસ પછી કોઈ શારીરિક આદિ કારણથી વિહાર ન થઈ શક્યો હોય, તો દસ દિવસની અંદર તે શય્યા-સંસ્મારકની ફરી આજ્ઞા લેવી જોઈએ અથવા પાછા આપવા જોઈએ.
અવધિનું(સમય મર્યાદાનું) અતિક્રમણ થાય, તો આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે માટે સમયાવધિ પૂર્ણ થાય ત્યારે શાસ્ત્રોક્ત આદેશાનુસાર પુનઃ આજ્ઞા પ્રાપ્ત કરી લેવી જોઈએ. વરસાદમાં પલળતા શય્યાદિ:५२ जे भिक्खू उउबद्धियं वा वासावासियं वा सेज्जासंथरयं उवरिसिज्जमाणं पेहाए ण ओसारेइ, ण ओसारेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શેષકાળ કે વર્ષાકાળ માટે ગ્રહણ કરેલ શય્યા-સંસ્તારકને વરસાદમાં પલળતા જોઈ તેને ત્યાંથી ન ઉપાડે, ન ઉપાડનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :૩વર સિક્કા ઉપધિની ઉપર વરસાદ પડતો હોય.
આ સુત્રમાં પ્રત્યાર્પણીય–પાઢીહારા શય્યા-સંસ્તારકનો ઉલ્લેખ છે પરંતુ ઉપલક્ષણથી પાઢીહારી કોઈપણ વસ્તુને સાધુ વરસાદમાં પલળતી જુએ અને તે ઉપધિને ત્યાંથી લઈ ભીંજાય નહીં તેવી જગ્યાએ ન મૂકે, ઉપધિને પલળવા દે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.
વરસતા વરસાદમાં ઉપધિને લેવા જવું, તે પાણીના જીવોની વિરાધનાનું કારણ હોવા છતાં ઉપધિ વરસાદમાં ભીની થાય, ત્યારે બીજા અનેક દોષો થાય છે.
ઉપધિ પલળી જાય તો પલળેલી ઉપાધિ ઉપયોગને અયોગ્ય બની જાય, ખરાબ થઈ જાય, પ્રતિલેખનને અયોગ્ય બની જાય, તેમાં લીલ-ફૂગ થઈ જાય, ભીની ઉપધિમાં કંથવા વગેરે જીવોની ઉત્પત્તિ થાય, જે દાતાની વસ્તુ હોય તેને ખબર પડે કે તેની વસ્તુ વરસાદમાં પલળીને ખરાબ થઈ ગઈ છે તો તે સાધુ પર નારાજ થાય, સાધુ અને શાસનની નિંદા કરે, ભવિષ્યમાં સાધુને શય્યાદિ આપવાનો નિષેધ પણ કરે અને શય્યાસંસ્તારક મળવા દુર્લભ બની જાય માટે પલળતી ઉપધિને ત્યાંથી ઉપાડી લેવી જોઈએ અને તેમ કરતાં હાથાદિ શરીર અવયવો પર સચિત્ત પાણી પડે તો સાધુ દશવૈકાલિક સૂત્રના કથન અનુસાર તેને લૂછે નહીં, તે સૂકાય ન જાય ત્યાં સુધી સ્થિર રહે. શય્યાદિને અન્યત્ર લઈ જવા :५३ जे भिक्खू पाडिहारियं वा सागारियं संतियं वा सेज्जा-संथारयं दोच्चंपि
Page #107
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨,
૩૯ ]
अणणुण्णवेत्ता बाहिं णीणेइ, णीणेतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરેથી પાઢીહારા લાવેલા કે શય્યાતરના શય્યાસંસ્તારકને તેઓની બીજીવાર આજ્ઞા લીધા વિના અન્ય સ્થાને લઈ જાય અથવા લઈ જનારાનું અનુમોદન કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પાઢીહારા લાવેલા શય્યા–સંસ્તારકને સાધુ પુનઃ તેના માલિકની આજ્ઞા લીધા વિના અન્યત્ર લઈ જાય, તો તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
સાધુને રહેવાના સ્થાનમાં જે શયા-સંસ્કારક હોય, તેના માટે સૂત્રમાં સીરિય સંતિય શબ્દનો પ્રયોગ થયો છે અને અન્યત્રથી લઈ આવેલા શય્યા-સંસ્મારકને માટે પડદરિયં શબ્દનો પ્રયોગ થયો છે. મકાનમાં જ રહેલા કે બહારથી લાવેલા, આ બંને પ્રકારના શય્યા-સંસ્તારક પાઢીહારા જ હોય છે.
મકાનમાં રહેલા શય્યા-સંસ્તારક કોઈ કારણથી અન્ય મકાનમાં લઈ જવાની જરૂર હોય તો તેના માલિકની આજ્ઞા ફરીવાર લેવી આવશ્યક છે. બહારથી લાવેલા શય્યા-સંસ્તારકના માલિક પણ પ્રાયઃ સાધના રહેવાના સ્થાનને ધ્યાનમાં રાખીને શય્યાદિ આપે છે તથા શય્યાતર પણ પોતાના મકાનમાં ઉપયોગ કરવા માટે આપે છે, તેથી સાધુને તે શય્યા-સંસ્મારક અન્યત્ર લઈ જવા માટે ફરી આજ્ઞા લેવી આવશ્યક છે.
આજ્ઞા વિના અન્યત્ર લઈ જવામાં અદત્તનો દોષ લાગે છે તથા તેના માલિક નારાજ થાય, નિંદા કરે, શય્યા-સંસ્તારક મળવા દુર્લભ થાય આદિ દોષોની સંભાવના હોવાથી તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે.
પ્રાયઃ પ્રતોમાં આ એક સૂત્રના સ્થાને ત્રણ સૂત્ર જોવા મળે છે, તેમાંનું આ ત્રીજું સૂત્ર છે. ભાષ્ય ચૂર્ણિકારના સમયમાં આ એક સૂત્ર જ હોવાનું પ્રતીત થાય છે. બૃહત્કલ્પ. ઉ. ૩, સૂ. ૭માં આ વિષયનું વિધાન એક જ સૂત્રમાં કર્યું છે, તેથી પ્રસ્તુતમાં એક સૂત્રને સ્વીકાર્યું છે. વર્તમાન પ્રતોમાં પ્રાપ્ત શેષ બે સૂત્ર આ પ્રમાણે છે
जे भिक्खु पाडिहारियं सेज्जासंथारगं दोच्चपि अणणुण्णवेत्ता बा हिं णीणेइ णीणेतं वा સાગ IIII
जे भिक्खु सागारियसंतियं सेज्जासंथारगं दोच्चंपि अणणुण्णवेत्ता बाहिं जीणेइ णीणेतं વા સારૂi II ૨I
(૧) પાઢીહારાના શય્યા-સંસ્તારક અન્ય સ્થાનેથી લાવ્યા હોય. (૨) તે જ સ્થાનમાં રહેલા શય્યાતરના શય્યા-સંસ્તારક લીધા હોય. (૩) શય્યાતરના શય્યા-સંસ્તારક તેના અન્ય સ્થળેથી લાવ્યા હોય; આ ત્રણે ય પ્રકારના શય્યા-સંસ્તારકની ફરીવાર આજ્ઞા લીધા વિના બીજા મકાનમાં લઈ જાય તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. શચ્યા-સંસ્તારક પાછા ન સોંપવા:५४ जे भिक्खू पाडिहारियं सेज्जा-संथारयं आयाए अपडिहटु संपव्वयइ संपव्वयंत वा साइज्जइ ।
Page #108
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ |
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થ પાસેથી પ્રાતિહારિક–પાઢીહારા ગ્રહણ કરેલા શય્યા-સંતારકાદિ તેના માલિકને પાછા આપ્યા વિના વિહાર કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
५५ जे भिक्खू सागारियसंतियं सेज्जा-संथारयं अविकरणं कटु अणप्पिणित्ता सपव्वयइ, सपव्वयत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શય્યાતર પાસેથી ગ્રહણ કરેલા શય્યા-સંસ્તારકને વ્યવસ્થિત યથાસ્થાને મૂકીને પાછા આપ્યા વિના વિહાર કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
ગૃહસ્થના ઘેરથી જે શય્યા-સંસ્તારક ગ્રહણ કર્યા હોય, તે વિહાર કરતાં પૂર્વે સાધુએ તેના ઘેર જઈને પાછા સોંપી દેવા જોઈએ.
સાધુ જે મકાનમાં ઉતર્યા હોય ત્યાં રહેલા શય્યાતરના શય્યા-સંસ્તારક વગેરેને શય્યાતરની આજ્ઞા પૂર્વક આવશ્યકતા પ્રમાણે સ્થાનાંતર કર્યા હોય કે વાંસ-છોઈ વગેરેથી બાંધીને ઉપયોગ યોગ્ય બનાવ્યા હોય, તો વિહાર કરતાં પૂર્વે તેને છોડીને યથાસ્થાને ગોઠવી દેવા જોઈએ. બૃહત્કલ્પ, ઉ.—૩, સૂ. ૨૪, ૨૫નું અહીં પ્રાયશ્ચિત્ત કથન છે. વિવરણ:- ૧થાવત તથા રણમ જેમ ગ્રહણ કર્યા હોય તેમ કરીને, શય્યાતરને સોંપીને પછી જ વિહાર કરી શકાય છે, તેમ ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. ખોવાયેલા શય્યાદિની ગવેષણાની ઉપેક્ષા - ५६ जे भिक्खू पाडिहारियं वा, सागारियसंतियं वा सेज्जासंथारयं विप्पणटुं ण गवेसइ, ण गवसत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ખોવાઈ કે ચોરાઈ ગયેલા પાઢીહારા લાવેલા કે સાગારિકના શધ્યા-સંસ્મારકની શોધ ન કરે કે તેમ ન કરનારની અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
ગુહસ્થ પાસેથી લાવેલા કે શય્યાતરના શા-સંસ્મારકાદિ ઉપધિ સાધુની નિશ્રામાં હોય અને કોઈ ઉપાડી જાય કે ખોવાઈ જાય તો સાધુએ તેની તપાસ કે શોધ કરવામાં અને માલિકને તેની સૂચના આપવામાં ઉપેક્ષા કરવી ન જોઈએ. જો ઉપેક્ષા કરે તો ભવિષ્યમાં શય્યાદિ મળવા દુર્લભ બની જાય, પ્રવચનની નિંદા થાય. બૃહત્કલ્પસૂત્ર-ઉદ્દેશક-૩, સૂત્ર-૨૬માં પ્રાતિહારિક તથા સાગરિકના શધ્યા-સંતારક ખોવાઈ જવા સંબંધી વિધિ-નિષેધનું વર્ણન છે, અહીં તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ઉપધિના પ્રતિલેખનની ઉપેક્ષા:५७ जे भिक्खू इत्तरियं पि उवहिं ण पडिलेहेइ, ण पडिलेहेंतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणे उग्घाइयं ।
Page #109
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨
|
૪૧
|
ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સ્વલ્પપણ ઉપધિનું પ્રતિલેખન ન કરે કે ન કરનારનું અનુમોદન કરે તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકના ૫૭ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈપણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારા સાધુ-સાધ્વીને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુએ પોતાની સર્વ ઉપધિનું સવારે અને સાંજે એમ બે વાર પ્રતિલેખન કરવું જોઈએ. પ્રતિલેખન ન કરવાથી જીવોની વિરાધના થાય તથા વસ્ત્રાદિમાં વીંછી આદિ હોય અને પ્રતિલેખન ન કર્યું હોય તો ડંખ દે તેવી સંભાવના રહે અને તો આત્મવિરાધના થાય, તે ઉપરાંત અન્ય પણ અનેક દોષ લાગે છે. પ્રતિલેખન ન કરવાથી પ્રમાદ વધે, પ્રમાદ વધવાથી સંયમ ક્રિયા વિસ્મૃત થાય, સ્વાધ્યાયાદિ ક્રિયા વિસ્મૃત થાય, ચારિત્રથી ભ્રષ્ટ થાય અને પરંપરાએ અનંત-જન્મ-મરણને પ્રાપ્ત થાય છે. આ પર્વ તો તમે સોવ કુiાં ડિબ્બો આ ભાષ્યગાથાનુસાર બે સંધ્યાએ અવશ્ય પ્રતિલેખન કરવું જોઈએ. ઉપધિના પ્રકાર – જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ઉપધિના ત્રણ પ્રકાર કહ્યા છે. મુખવસ્ત્રિકા જઘન્ય, ચોલપટ્ટક વગેરે મધ્યમ અને સર્વ વસ્ત્ર-પાત્ર ઉત્કૃષ્ટ ઉપધિ કહેવાય છે. આ સૂત્રમાં મુખવસ્ત્રિકા જેવી જઘન્ય ઉપધિને સ્વલ્પ ઉપધિ કહી છે અને તેના પ્રતિલેખનની પણ ઉપેક્ષા કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પ્રતિલેખનનો કાળ :- પ્રાસંગિકરૂપે અહીં પ્રતિલેખનના કાળની વક્તવ્યતા કહી છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬મા અધ્યયનમાં સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં એમ બે કાળ પ્રતિલેખનના કહ્યા છે. પણ પદમ-વરમ રજુ વાનો, તથ્વી અને વિદાઓ 1 દિવસની પ્રથમ અને ચોથી પોરસી પ્રતિલેખન કાળ છે અને શેષ છ પોરસી (ચાર રાત્રિની દિવસની વચલી બે એમ છ) પ્રતિલેખનના અકાળની છે. ભાષ્યકારે કહ્યું છે કે પ્રતિલેખના દિવસે જ થાય જ્યારે પ્રમાર્જન રાત્રે પણ થઈ શકે છે. ચૂર્ણિ– રાવપુલ પમMUT ચો સંમતિ, ઉત્તેT ન સંમતિ, મહુવા
રાત્રે પ્રમાર્જન–પીંજવું સંભવિત છે, પરંતુ રાત્રે દષ્ટિનો વિષય ન હોવાથી પ્રતિલેખન(જોવું) સંભવિત નથી. સાધુ ઉપધિનું પ્રતિલેખન કરે, પરંતુ જો સ્વલ્પ ઉપધિનું પણ પ્રતિલેખન ન કરે તો આ સૂત્રથી તેને પ્રાયશ્ચિત્ત આવે છે. ૩ - લઘુ પ્રાયશ્ચિત્ત. પ્રથમ ઉદ્દેશકમાં વર્ણિત દોષોનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત છે. આ બીજા ઉદ્દેશકમાં વર્ણિત દોષ સ્થાનોનું ૩થાડ્યું એટલે લઘુમાસિક પ્રાયશ્ચિત્ત છે. બીજા ઉદ્દેશકના દોષો સામાન્ય અપરાધવાળા અને અલ્પવિરાધનાવાળા છે, તેથી તેનું લઘુ માસિક પ્રાયશ્ચિત્ત અને તેની અપેક્ષાએ પહેલા ઉદ્દેશકના દોષો વિશેષ અપરાધવાળા અને વિશેષ વિરાધનાવાળા છે, તેથી તેનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પ્રસ્તુત ઉદ્દેશકના પ૭ સૂત્રોમાં પ૭ લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
| બીજો ઉદ્દેશક સંપૂર્ણ
Page #110
--------------------------------------------------------------------------
________________
[ ૪૨ ]
શ્રી નિશીથ સૂત્ર
ત્રીજો ઉદ્દેશક | પરિચય છROCRORROROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૮૦ પ્રકારના લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
સાધુ-સાધ્વીએ ધર્મશાળા આદિ સ્થાનોમાં એક પુરુષ, અનેક પુરુષો, એક સ્ત્રી, અનેક સ્ત્રીઓ પાસે માંગીને યાચના કરવી, ધર્મશાળા આદિ સ્થાનોમાં કુતુહલ વૃત્તિથી માંગી-માંગીને યાચના કરવી, દાતા અદષ્ટ સ્થાનથી આહાર લાવીને આપે ત્યારે પહેલાં નિષેધ કરીને પુનઃ તેની પાછળ-પાછળ જઈને યાચના કરવી,
ઘરના સ્વામીનો નિષેધ હોવા છતાં પણ ફરી તેના ઘેર આહાર આદિ લેવાને માટે જવું, સામૂહિક ભોજન (મોટી જમણવારી)ના સ્થાને આહાર અર્થે જવું, ત્રણ ઘર (ઓરડા)ના આંતરાથી અધિક દૂરથી લાવેલા આહારને ગ્રહણ કરવો, ચરણોનું પ્રમાર્જન (સાફ) કરવું, મર્દન, માલિશ કરવું, પીઠી ચોળીને પ્રક્ષાલન કરવું, હાથ-પગ રંગવા, ચમકાવવા, કાયાનું પ્રમાર્જન આદિ કરવું. વ્રણનું (ઘાનું) પ્રમાર્જન આદિ કરવું.
કંઠમાળ(ગંડમાળ) આદિનું છેદન કરાવવું (ઓપરેશન), ગંડમાળ આદિને દબાવીને લોહી, પરું આદિ કાઢવા, ગંડમાળ આદિ પર પ્રક્ષાલન, વિલેપન, તેલ આદિનું માલિશ કરવું, સુગંધિત પદાર્થ લગાવવા.
કૃમિને કાઢવા, નખ કાપવા, વિવિધ શરીરવયવના વાળને કાપવા, સુશોભિત કરવા, દાંતોને ઘસવા, ધોવા, રંગવા, હોઠોનું, આંખોનું પ્રમાર્જન આદિ કરવું, શરીર પર જમા થયેલા આંખ-કાન-દાંત અને નખોનો મેલ કઢાવવો.
ગ્રામાનુગ્રામ વિહાર કરવાના સમયે માથે ઓઢીને વિહાર કરવો, વશીકરણ સૂત્ર બનાવવા, ઘરમાં સ્મશાનના જુદા-જુદા વિભાગોમાં, નવીન માટીની ખાણ આદિમાં, કોલસા બનાવવા આદિ સ્થાનોમાં, કીચડ-આદિના સ્થાનોમાં, ફળ સંગ્રહ કરવાના સ્થાનોમાં, વનસ્પતિ (ભાજી-પાલા)નાં સ્થાનોમાં, ઈક્ષ, શાલિ આદિના ક્ષેત્રોમાં, અશોક વૃક્ષ આદિના વનમાં તથા તાપ ન આવવાના સ્થાનમાં મળ-મૂત્રનો ત્યાગ કરવો, ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
6देश-3
। ४३ ।
_ श्री महेश . VEDEO घमासिक प्रायश्चित्त स्थान VDC દીનવૃત્તિથી કે કુતૂહલવૃત્તિથી યાચના - | १ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थियं वा गारत्थिय वा असणं वा पाणं वा खाइम वा साइम वा ओभासियओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉદ્યાન ગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમમાં જઈને એક અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશનાદિ ચારે પ્રકારના આહારની માંગી માંગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिया वा गारत्थिया वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा ओभासियओभासिय जायइ, जायत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉદ્યાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમમાં જઈ અનેક અન્યતીર્થિકો કે ગૃહસ્થો પાસે અનાદિ ચારે પ્રકારના આહારની માંગી-માગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू आगंतारेसु वा, आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिी वा गारत्थिी वा असणं वा पाणं वा खाइम वा साइमं वा ओभासिय ओभासिय जायइ, जायंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉદ્યાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમમાં જઈ એક અન્યતીર્થિક સ્ત્રી કે ગૃહસ્થ સ્ત્રી પાસે અશનાદિ ચારે પ્રકારના આહારની માંગી-માંગીને યાચના કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | ४ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिणीओ वा गारत्थिणीओ वा असणं वा पाणं वा खाइमं वा साइम वा ओभासिय-ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉદ્યાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમોમાં જઈ અનેક અન્યતીર્થિક સ્ત્રીઓ કે ગૃહસ્થ સ્ત્રીઓ પાસે અશનાદિ ચારે પ્રકારના આહારની માંગી માંગીને યાચના કરે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ५ जे भिक्खू आगंतारेसुवा, आरामागारेसुवा, गाहावइकुलेसु वा परियावसहेसु
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
वा कोउहल्लपडियाए पडियागयं समाणं अण्णउत्थियं वा गारत्थियं वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा ओभासिय- ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- - જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસોના આશ્રમમાં કુતૂહલ બુદ્ધિથી એક અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશનાદિ ચારે પ્રકારના આહારની માંગી-માંગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
४४
६ जे भिक्खू आगंतारेसु वा, आरामागारेसु वा, गाहावइकुलेसु वा, परियावसहेसु वा कोउहल्लपडियाए पडियागयं समाणं अण्णउत्थिया वा गारात्थिया वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा ओभासिय- ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસોના આશ્રમમાં કુતૂહલ બુદ્ધિથી અનેક અન્યતીર્થિકો કે ગૃહસ્થો પાસે અશનાદિ ચારે પ્રકારના આહારની માંગી-માંગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
७ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा कोउहल्लपडियाए पडियागयं समाणं, अण्णउत्थिणीं वा गारत्थिणीं वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा ओभासिय- ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । भावार्थ :જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસોના આશ્રમમાં કુતૂહલ બુદ્ધિથી એક અન્યતીર્થિક સ્ત્રી કે ગૃહસ્થ સ્ત્રી પાસે અશનાદિ ચારે પ્રકારના આહારને માંગી-માંગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
८ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा कोहलवडियाए पडियागयं समाणं अण्णउत्थिणीओ वा गारत्थिणीओ वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा ओभासिय- ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસોના આશ્રમમાં કુતૂહલ બુદ્ધિથી અનેક અન્યતીર્થિક સ્ત્રીઓ કે ગૃહસ્થ સ્ત્રીઓ પાસે અશનાદિ ચારે પ્રકારના આહારને માંગી-માંગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે,
९ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिएण वा गारत्थिएण वा असणं वा पाणं वा खाइमं वा साइमं व अभिहडं आहट्टु दिज्जमाणं पडिसेहेत्ता, तमेव अणुवत्तिय - अणुवत्तिय, परिवेढियपरिवेढिय, परिजविय-परिजविय, ओभासिय- ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળામાં, ઉદ્યાનગૃહમાં, ગૃહસ્થના ઘરમાં કે તાપસોના આશ્રમમાં એક અન્યતીર્થિક કે ગૃહસ્થ દ્વારા સામે લાવીને અપાતા અશનાદિ ચારે પ્રકારના આહારનો પહેલાં નિષેધ કરે અને ત્યાર પછી તે દાતાની પાછળ-પાછળ જઈને, તેની આસપાસ ફરીને, ખુશામતભર્યા વચનો કહી-કહીને, માંગી-માંગીને અશનાદિની યાચના કરે કે તેમ કરનારની અનુમોદના કરે,
Page #113
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૩
૪૫ ]
१० जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिएहिं वा गारथिएहिं वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा अभिहड आह? दिज्जमाणं पडिसेहेत्ता, तमेव अणुवत्तिय-अणुवत्तिय, परिवेढियपरिवेढिय, परिजविय-परिजविय, ओभासिय-ओभासिय जायइ, जायंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળામાં, ઉદ્યાનગૃહમાં, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમમાં અનેક અન્યતીર્થિકો કે ગૃહસ્થો દ્વારા સામે લાવીને અપાતા અશનાદિ ચારે પ્રકારના આહારનો પહેલાં નિષેધ કરે અને ત્યાર પછી તે દાતાની પાછળ-પાછળ જઈને, તેની આસપાસ ફરીને, ખુશામતભર્યા વચનો કહી-કહીને, માંગી-માંગીને અશનાદિની યાચના કરે છે તેમ કરનારની અનુમોદના કરે, ११ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिणीए वा गारत्थिणीए वा असणं वा पाणं वा खाइम वा साइमं वा अभिहडं आहट्ट दिज्जमाणं पडिसेहेत्ता, तमेव अणुवत्तिय-अणुवत्तिय, परिवेढियपरिवेढिय, परिजविय-परिजविय, ओभासिय-ओभासिय जायइ, जायंत वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમમાં એક અન્યતીર્થિક સ્ત્રી કે ગૃહસ્થ સ્ત્રી દ્વારા સામે લાવીને અપાતા અશનાદિ ચારે પ્રકારના આહારનો પહેલાં નિષેધ કરે અને ત્યાર પછી તે દાતાની પાછળ-પાછળ જઈને, તેની આસપાસ ફરીને ખુશામત ભર્યા વચનો કહી-કહીને, માંગી-માંગીને અશનાદિની યાચના કરે છે તેમ કરનારની અનુમોદના કરે, १२ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिणीहिं वा गारत्थिणीहिं वा असणं वा पाणं वा खाइमं वा अभिहडं आहटु दिज्जमाणं पडिसेहेत्ता तमेव अणुवत्तिय-अणुवत्तिय, परिवेढिय-परिवेढिय, परिजविय-परिजविय, ओभासिय-ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળામાં, ઉદ્યાનગૃહમાં, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમમાં અનેક અન્યતીર્થિક સ્ત્રીઓ કે ગૃહસ્થ સ્ત્રીઓ દ્વારા સામે લાવીને અપાતા અશનાદિ ચારે પ્રકારના આહારનો પહેલાં નિષેધ કરે અને ત્યાર પછી તે દાતાની પાછળ-પાછળ જઈને, તેની આસપાસ ફરીને, ખુશામત ભર્યા વચનો કહી-કહીને, માંગી-માંગીને અશનાદિની યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રોમાં ધર્મશાળા, ઉદ્યાનગૃહ આદિ ચાર સ્થાનોના કથનથી ભિક્ષા ગ્રહણના સર્વ સ્થાનોનું ગ્રહણ કરવામાં આવ્યું છે અને બે પ્રકારના દાતામાં (૧) અન્યતીર્થિક શબ્દથી પરમતના ગૃહસ્થ અને (૨) ગૃહસ્થ શબ્દથી સ્વમતના ગૃહસ્થ-શ્રાવકનું ગ્રહણ થાય છે. “હે શ્રાવક! તું મને અમુક અંશનાદિ આપ”, આ પ્રમાણે અશનાદિ આહારનો નામ નિર્દેશ કરીને ગૃહસ્થ પાસે માંગે તો અતિચાર-દોષ લાગે છે. આવશ્યક સૂત્રના બીજા શ્રમણ સૂત્રમાં દાસ ઉબડ્ડા – ભિખારીની જેમ માંગી-માંગીને લેવું, તેને અતિચાર દોષ કહ્યો છે. ઉપરોક્ત સૂત્રોમાં તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ૧ થી ૪ સૂત્રોમાં આહારના નામ
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
નિર્દેશપૂર્વક માંગીને યાચના કરવાનું, ૫ થી ૮ સૂત્રોમાં કુતૂહલ વૃત્તિથી માંગવાનું અને ૯ થી ૧૨ સૂત્રોમાં ખુશામત કે પ્રશંસા કરીને આહાર માંગવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
૪
વસ્તુનું નામ લઈને કે માંગીને યાચના કરવી તે દીનવૃત્તિ છે અને તેમ માંગવાથી સાધુને તીર્થંકરની આજ્ઞાભંગનો દોષ લાગે છે, પરંતુ ગીતાર્થ સાધુ કારણ વિશેષ ઉપસ્થિત થતાં વિવેકપૂર્વક કોઈક વસ્તુનો નામ નિર્દેશ કરી યાચના કરી શકે છે. સકારણ યાચના કરવામાં પ્રાયશ્ચિત્ત નથી પણ નિષ્કારણ કે સામાન્ય કારણે યાચના કરવાનું પ્રાયશ્ચિત્ત છે.
જોડ વિડિયા- કુતૂહલવૃત્તિથી. અહીં કુતૂહલ શબ્દથી હાસ્ય, જિજ્ઞાસા, પરીક્ષા આદિનું પણ ગ્રહણ થઈ જાય છે. સાધુએ આવી કુતૂહલવૃત્તિ રાખવી ઉચિત નથી.
અણુવત્તિય...ોમસિય- પાછળ જઈને...માંગીને. ધર્મશાળા વગેરે સ્થાનોમાં જાય અને ત્યાં કોઈ ગૃહસ્થ પુરુષ કે સ્ત્રી આદિ સામે લાવીને આહાર આદિ આપે, ઘરના અદષ્ટ સ્થાન કે ઘરના અતિદૂરના સ્થાનમાંથી આહાર લાવીને આપે, ત્યારે પહેલાં આવો આહાર લેવો કલ્પતો નથી, તે પ્રમાણે કહીને તે આહાર લેવાનો નિષેધ કરે અને તે ગૃહસ્થ પાછા ફરી જાય ત્યારે તે અશનાદિ લેવાના વિચારથી ગૃહસ્થની પાછળ-પાછળ જઈ, તેની આસપાસ ફરતાં રહી, ‘તમે મારા માટે જ આહાર લાવ્યા હતા, તમારો તે શ્રમ અને ભાવના નિષ્ફળ ન થાય માટે તે અશનાદિ લઈ લઉં’ આવા વચનો બોલી આહાર માંગે તો સાધુને પ્રાયશ્ચિત્ત આવે છે.
ભાષાદોષ, અસ્થિરવૃત્તિ આદિ કારણોથી ગવેષક સાધુને ઉપરોક્ત પ્રવૃત્તિનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે માટે સાધુએ યોગ્ય નિર્ણય કરીને જ વ્યવહાર કરવો જોઈએ.
નિષેદ્ધ કરેલા ઘરમાં પુનઃ પ્રવેશઃ
१३ जे भिक्खू गाहावइकुलं पिंडवाय-पडियाए पविट्ठे पडियाइक्खिए समाणे दोच्चंपि तमेव कुलं अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- ગૃહસ્થના ઘરમાં આહાર પ્રાપ્તિની ઇચ્છાથી પ્રવિષ્ટ સાધુને ગૃહસ્થ ઘરમાં આવવાની ના પાડે તેમ છતાં તેના ઘરમાં જે સાધુ કે સાધ્વી બીજીવાર પ્રવેશ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
આહાર પ્રાપ્તિ માટે કોઈ ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને તે ગૃહસ્થ ‘અહીં મારા ઘેર આવવું નહિ’, આ પ્રમાણે ઘરમાં પ્રવેશ કરવાનો કે આહાર આપવાનો નિષેધ કરે, તો સાધુ ક્યારે ય તેના ઘેર જાય નહીં અને પોતાના સહવર્તી શ્રમણોને તેની જાણ કરી દે કારણ કે ગૃહસ્થનો નિષેધ હોવા છતાં તેના ઘરમાં જવું, તે સાધુનો અવિવેક કહેવાય છે. આવા અવિવેકથી ગૃહસ્થ કોપિત બને, ગૃહસ્થને સાધુ પર શંકા થાય અને સાધુ સાથે અનુચિત્ત વ્યવહાર પણ કરે, શાસનની અવહેલના થાય. તેવા અવિવેકનું જ આ સૂત્રમાં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
જમણવારમાંથી આહારનું ગ્રહણ ઃ
| १४ जे भिक्खू संखडि - पलोयणाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिगाहेइ पडिगार्हेतं वा साइज्जइ ।
Page #115
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૩
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સંખડી જમણવાર માટે બનાવેલી રસોઈ જોઈને આ આપો, આ આપો, તેમ અશનાદિકના નામ નિર્દેશપૂર્વક ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
બૃહત્કલ્પ ઉદ્દેશક–૧ તથા આચા., શ્ર.-૨, અ.-૧, ઉ.-૩માં સંખડીમાં જવાનો તથા તે દિશામાં ગોચરીએ જવાનો નિષેધ કરેલ છે, તેનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું છે.
સંખડીમાં જમણવારમાં ઘણા આરંભ-સમારંભથી સેંકડો વ્યક્તિઓ માટે આહાર બને છે, પૃથ્વીકાય વગેરે છકાયના જીવોના પ્રાણ ખંડિત થાય છે. તે સંયમ વિરાધના, આત્મ વિરાધનાનું સ્થાન હોવાથી સંખડીમાં જવાની સાધુને આજ્ઞા નથી.
ડિપોયણ – જમણવારના સ્વામીની આજ્ઞાથી તેના રસોડામાં પ્રવેશ કરી, સુગંધી ભાત આદિ જોઈને કોઈપણ આહારાદિના નામનિર્દેશપૂર્વક “આ આપો” “આ આપો” આ પ્રમાણે માંગવું, તે સંખડી પલોયણા કહેવાય છે. જમણવારમાં ખાધ સામગ્રી બનતી જોવી અને ત્યાંથી ઇચ્છિત વસ્તુ માંગી-માંગીને લેવી, તેનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. દૂરના ઓરડામાંથી લાવેલા આહારનું ગ્રહણ:|१५ जे भिक्खू गाहावइकुलं पिंडवाय-पडियाए अणुपविढे समाणे परं तिघरंतराओ असणं वा पाणं वा खाइम, वा साइमं वा अभिहडं आहटु दिज्जमाणं पडिग्गाहेइ, पडिगाहेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી આહાર પ્રાપ્તિ માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે ત્રણ ઘર એટલે ત્રણ ઓરડાથી વધુ દૂરથી લાવીને અપાતાં અશનાદિ ચારે પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
- સાધુ ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે ત્યારે પોતે જ્યાં ઊભા હોય ત્યાંથી વધુમાં વધુ ત્રીજા ઓરડામાંથી આહાર લાવીને આપે તો સાધુને લેવા કહ્યું છે, પરંતુ ત્રણ ઓરડાથી વધુ દૂર અર્થાત્ ચોથા-પાંચમા ઓરડામાંથી આહાર લાવીને આપે તો તે સાધુને લેવો કલ્પતો નથી. પરં તિલતરો - ત્રણ ઓરડા સુધી સાધુની નજર પહોંચી શકે છે, તેનાથી વધુ દૂર નજર પહોંચી શકતી નથી. આવશ્યક સૂત્રમાં મહાપ દોષથી યુક્ત આહાર લેવાને અતિચાર કહ્યો છે, એષણા સંબંધી દોષોથી દૂર રહેવા માટે આ સૂત્રમાં ત્રણ ઓરડા એટલે લગભગ ૩૦ ફૂટની મર્યાદા બતાવી છે.
જે ઓરડામાં આહાર હોય અર્થાત્ જે આહાર નજર સામે હોય તે આહાર જ સાધુએ લેવો જોઈએ, પરંતુ જે ઘરમાં સાધુ પ્રવેશ કરે, તે ઘરની મર્યાદાને પણ સાધુએ લક્ષ્યમાં રાખવાની હોય છે. દશ. અ.-પ, ઉ–૧માં કહ્યું છે ગુ રૂપૂર્ષિ ગાળા માં ભૂમિં પરવરને જે કુળમાં સાધુને જે સીમા સુધી પ્રવેશ કરવાની આજ્ઞા હોય તે જાણીને તે મર્યાદિત સ્થાન સુધી જ સાધુએ જવું જોઈએ. કુળ મર્યાદા
Page #116
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ]
શ્રી નિશીથ સૂત્ર
અથવા બીજા કોઈ વિશેષ કારણથી જ્યાં આહાર હોય તે સ્થાન સુધી જવાની શક્યતા ન હોય તો ત્રણ ઓરડા જેટલા દૂરથી લાવેલા આહારને ગ્રહણ કરી શકાય છે. સૂત્રોક્ત મર્યાદા કરતા વધુ દૂરથી સાધુ આહાર ગ્રહણ કરે તો તે લઘુમાસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. પગ સંબંધી પરિકર્મ:|१६ जे भिक्खू अप्पणो पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जतं वा पमज्जत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના પગનું એકવાર કે અનેકવાર આમર્દન કરે કેકરનારનું અનુમોદન કરે, |१७ जे भिक्खू अप्पणो पाए संबाहेज्ज वा पलिमद्देज्ज वा संबाहेंतं वा पलिमड़त वा साइज्जइ ।। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના પગને એકવાર કે અનેકવાર દબાવે કે દબાવનારનું અનુમોદન કરે, |१८ जे भिक्खू अप्पणो पाए तेल्लेण वा जाव णवणीएण वा अब्भंगेज्ज वा मक्खेज्ज वा अब्भंगेंतं वा मक्खेंत वा साइज्जइइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પોતાના પગને તેલ, ઘી, માખણ કે સ્નિગ્ધ પદાર્થ દ્વારા એકવાર કે વારંવાર માલિશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | १९ जे भिक्खू अप्पणो पाए लोद्धेण वा कक्केण वा जाव वण्णेहिं वा उल्लोलेज्ज वा उव्वट्टेज्ज वा उल्लोलेंतं वा उव्वटेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પોતાના પગને લોધ, કલ્ક, ચૂર્ણ, અબીલચૂર્ણ, કમળ આદિ પુષ્પના ચૂર્ણથી એકવાર કે વારંવાર ચોળે કે ચોળનારનું અનુમોદન કરે,
२० जे भिक्खू अप्पणो पाए सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा उच्छोलेंतं वा पधोवेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પોતાના પગને ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી એકવાર કે અનેકવાર ધુએ કે ધોનારનું અનુમોદન કરે, | २१ जे भिक्खू अप्पणो पाए फुमेज्ज वा रएज्ज वा फुमेंतं वा रएतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના પગને તેલાદિ લગાવી ચમકીલા બનાવે કે અલતા, મહેંદી આદિથી રંગે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પગને ઘસવા કે સાફ કરવા, દબાવવા, માલિશ કરવા, ચોળવા, ધોવા અને રંગવા, આ છ પરિકર્મ ક્રિયાઓ બતાવી છે. આ ક્રિયાઓ સાધુ જો નિષ્કારણ કરે તો તેને અનાચાર કહે છે. સકારણ
Page #117
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૩
૪૯ ]
ઘુએ, જેમ કે- સાધુ વિહાર, સ્વાધ્યાય, ગોચરી, કરીને આવે અને પગધૂળવાળા થયા હોય તો તેનું આમર્જન-પ્રમાર્જન કરે, કાદવવાળા થયા હોય તો સાફ કરે તો તેનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન નથી, તેમ સમજવું.
તે જ રીતે વાયુ આદિ રોગ, થાક, વૃદ્ધાવસ્થા આદિના કારણે પગને દબાવે, માલિશ કરે તેમજ સૂત્રનિર્દિષ્ટ અન્ય ક્રિયાઓ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત નથી. સ્થવિરકલ્પી સાધુ માટે સહનશીલતાના અભાવમાં તથા વિશેષ કારણ ઉપસ્થિત થાય ત્યારે ઔષધ સેવનનો તથા શરીરનું પરિકર્મ કરવાનો નિષેધ નથી. ભાષ્યમાં પગ પરિકર્મના દોષોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કર્યું છે
संघट्टणा तु वाते, सुहुमे य अण्णे विराधए पाणे ।
बाउस दोस विभूसा, तम्हा ण पमज्जए पाए ॥१४९३॥ પગ સંબંધી પરિકર્મ કરવામાં સંઘટણાથી વાયુકાયના જીવની તથા હવામાં ઉડતા કીડી-પતંગિયા, મચ્છર આદિ સૂક્ષ્મ અન્ય અનેક જીવોની વિરાધના થાય, બકુશતાનો અને વિભૂષાનો દોષ થાય, બ્રહ્મચર્યની અગુપ્તિ થાય છે; તદુપરાંત પરિકર્મ પ્રવૃત્તિમાં રહેતાં સ્વાધ્યાય-ધ્યાનમાં પ્રમાદ થાય છે અને લોકાપવાદ પણ થાય, માટે સાધુ કારણ વિના આવી પ્રવૃત્તિ ન કરે. કાયા સંબંધી પરિકર્મ:
२२ जे भिक्खू अप्पणो कायं आमज्जेज वा पमज्जेज्ज वा आमज्जंतं वा પન્નાં વા સાફા ! પર્વ પાયાને ચડ્યું . નાવ..... ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી પોતાના શરીરનું એકવાર કે અનેકવાર પ્રમાર્જન કરે કે કરનારનું અનુમોદન કરે. આ રીતે પગ સંબંધી ક્રિયા કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેની સમાન કાયા સંબંધી છ ક્રિયા કરવાનું પ્રાયશ્ચિત્ત સમજવું વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શરીરના પરિકર્મનું અતિદેશાત્મક વર્ણન છે. પૂર્વ સૂત્રોમાં પગ સંબંધી છ ક્રિયા કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે તે જ રીતે પ્રસ્તુતમાં સંપૂર્ણ શરીર સંબંધી છ ક્રિયા કરવાના પ્રાયશ્ચિત્તનું કથન છે. શેષ સર્વ વક્તવ્ય પૂર્વ સૂત્રો પ્રમાણે જ છે. શરીરના ઘા-વ્રણ સંબંધી પરિકર્મ - २३ जे भिक्खू अप्पणो कार्यसि वणं आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जतं वा पमज्जत वा साइज्जइ । एवं पायगमेण णेयव्वं । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના શરીરના ઘા ને એકવાર કે અનેકવાર સાફ કરે કે સાફ કરનારનું અનુમોદન કરે. આ રીતે પગ સંબંધી છ ક્રિયા કરવાના પ્રાયશ્ચિત્તની સમાન શરીરના ઘા સંબંધી છ ક્રિયાનું પ્રાયશ્ચિત્ત વિધાન સમજવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શરીરના ત્રણ–ઘાના પરિકર્મનું અતિદેશાત્મક વર્ણન છે. વ્રણના બે પ્રકાર છે
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
(૧) સ્વાભાવિક– બાહ્ય નિમિત્ત વિના શરીરમાં થતાં કોઢ, ધાધર, ખરજવું આદિ રોગથી શરીરમાં ઘા थाय, ते स्वाभाविप्रा उहेवाय छे. (२) शस्त्रभत - शस्त्रथी उत्पन्न. तसवार, अंटा, जीसा वगेरेथी શરીરમાં જે ઘા થાય, તે શસ્ત્રજાત વ્રણ કહેવાય છે. આ પ્રકારના વ્રણ—ઘાને સ્થવિરકલ્પી સાધુ કારણવશ સાફ કરી શકે છે. શક્ય હોય ત્યાં સુધી સાધુ, તેને સહન કરે છે પરંતુ જ્યારે સાધુ સહન કરવા સમર્થ ન હોય અને પરિકર્મના કાર્યો કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સાધુને સહન કરવાના લક્ષ્યની સ્મૃતિ બની રહે તે માટે આ પ્રાયશ્ચિત્ત વિધાન છે.
કંઠમાળાદિ રોગની શલ્ય ચિકિત્સા ઃ
૫૦
२४ जे भिक्खू अप्पणो कार्यसि गंड वा पिलगं वा अरइयं वा अंसियं वा भगंदलं वा अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं आच्छिदेज्ज वा विच्छिदेज्ज वा आच्छिदंतं वा विच्छिदंतं वा साइज्जइ ।
भावार्थ :જે સાધુ કે સાધ્વી પોતાના શરીર પરના ખંડમાળ, ગૂમડાં, ફોડલીઓ, હરસ-મસા, ભગંદર વગેરેને એકવાર કે અનેકવાર તીક્ષ્ણશસ્ત્રથી છેદે કે છેદનારનું અનુમોદન કરે,
२५ जे भिक्खू अप्पणो कायंसि गंड वा पिलगं वा अरइयं वा अंसियं वा भगंदलं वा अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं आच्छिदित्ता विच्छिदित्ता पूयं वा सोणियं वा णीहरेज्ज वा विसोहेज्ज वा, णीहरेंतं वा विसोहेंतं वा साइज्जइ ।
भावार्थ :- જે સાધુ કે સાધ્વી પોતાના શરીરના ગંડમાળ, ગૂમડાં, ફોડલીઓ, હરસ-મસા, ભગંદર વગેરેને તીક્ષ્ણ શસ્ત્રથી છેદી-ચેકો મૂકીને તેમાંથી પરુ-રસી અને લોહી કાઢે, શોધન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २६ जे भिक्खू अप्पणो कायंसि गंडं वा पिलगं वा अरइयं वा अंसियं वा भगंदलं वा अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं, आच्छिदित्ता विच्छिदित्ता पूयं वा सोणियं वाणीहरित्ता विसोहित्ता, सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा उच्छोलेंतं वा पधोवेंतं वा साइज्जइ ।
भावार्थ :- જે સાધુ કે સાધ્વી પોતાના શરીર પરના ગંડમાળ, ગૂમડાં, ફોડલીઓ, હરસ-મસા,
ભગંદર વગેરેને તીક્ષ્ણ શસ્ત્રથી છેદીને, પરુ-લોહી કાઢીને ઠંડા કે ગરમ એવા અચિત્ત પાણીથી એકવાર કે અનેકવાર ધુએ કે ધોનારનું અનુમોદન કરે,
२७ जे भिक्खू अप्पणो कायंसि गंड वा पिलगं वा अरइयं वा अंसियं वा भगंदलं वा अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं आच्छिदित्ता विच्छिदित्ता पूयं वा सोणियं वा णीहरित्ता विसोहित्ता, सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलित्ता पधोवित्ता अण्णयरेणं आलेवणजाएणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिंपतं वा साइज्जइ ।
भावार्थ :
જે સાધુ કે સાધ્વી પોતાના શરીર પરના ગંડમાળ, ગૂમડાં, ફોડલીઓ, હરસ-મસા,
Page #119
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૩
૫૧ |
ભગંદર વગેરેને તીક્ષ્ણ શસ્ત્રથી છેદીને, પરુ-લોહી કાઢીને, ગરમ કે ઠંડા અચિત્ત પાણીથી ધોઈને, એકવાર કે અનેકવાર મલમ લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू अप्पणो कार्यसि गंडं वा पिलगं वा अरइयं वा अंसियं वा भगंदलं वा अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं आच्छिदित्ता विच्छिदित्ता पूर्व वा सोणियं वा णीहरित्ता विसोहित्ता, सीओदगवियडेण वा उसिणोदगवियडेग वा उच्छोलित्ता पधोवित्ता, अण्णयरेणं आलेवणजाएणं आलिंपित्ता विलिंपत्ता तेल्लेण वा जाव णवणीएण वा अब्भगेज्ज वा मक्खेज्ज वा अब्भंगेंतं वा मक्खेंत वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના શરીર પરના ગંડમાળ, ગુમડાં, ફોડલીઓ, હરસ-મસા કે ભગંદરને કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી છેદીને, લોહી-પરુ કાઢી, ગરમ કે ઠંડા અચિત્ત પાણીથી ધોઈ, મલમ લગાવીને તેલ, ઘી, માખણ કે સ્નિગ્ધ પદાર્થનું એકવાર કે વારંવાર માલિશ કરે કે માલિશ કરનારનું અનુમોદન કરે, | २९ जे भिक्खू अप्पणो कार्यसि गंडं वा पिलगंवा अरइयं वा अंसियं वा भगंदलं वा अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं, आच्छिदित्ता विच्छिदित्ता पूर्व वा सोणियं वा णीहरित्ता विसोहित्ता, सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलित्ता पधोवित्ता, अण्णयरेणं आलेवणजाएणं आलिंपित्ता विलिंपित्ता तेल्लेण वा जाव णवणीएण वा अब्भंगेत्ता मक्खेत्ता, अण्णयरेणं धूवजाएणं धूवेज्ज वा पधूवेज्ज वा धूवेंतं वा पधूवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના શરીર પરના ગંડમાળ, ગૂમડાં, ફોડલીઓ, હરસ-મસા કે ભગંદરને તીક્ષ્ણ શસ્ત્રથી છેદી, પરુ-લોહી કાઢી, ગરમ કે ઠંડા અચિત્ત પાણીથી ધોઈ, મલમ લગાવી, માલિશ કરી સુગંધિત પદાર્થથી એકવાર કે વારંવાર સુગંધિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત છ સૂત્રોમાં શરીર પર થતાં ગંડમાળ વગેરેની શલ્યક્રિયા-છેદનક્રિયા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. આ સૂત્રોમાં ગંડમાળ, ગૂમડાં, અરતિકા, અર્શ, ભગંદર આ પાંચનો નામોલ્લેખ છે પરંતુ તેનાથી તેના જેવા અન્ય દર્દીનું પણ ગ્રહણ થઈ જાય છે.
- ગંડમાળ. કાનની નીચેથી કંઠ તથા ડોક સાથે સંબંધિત ગાંઠ વિશેષ. પિત્તન- પગમાં થયેલા ગૂમડાં. અહીં પગના ગૂમડાંથી આખા શરીર પર થતાં ગૂમડાં ગ્રહણ કરી લેવા. બરનાની-નાની ફોડકીઓ. જેની વેદનાથી મનમાં અરતિ ભાવ ઉત્પન્ન થાય છે, જેને ખંજવાળવાથી તત્કાલ સુખ લાગે પણ પાછળથી ઘણું દુઃખ થાય છે, તેવી અળાઈયો કે ફોડકીઓ. સિ– હરસ-મસાભાવગુહ્યસ્થાનમાં થયેલું ગૂમડું. આ છ સૂત્રમાં ગૂમડાં વગેરેની શલ્ય ચિકિત્સા સંબંધી ક્રમિક છ ક્રિયા બતાવી છે. જેમ કે– ગૂમડાં વગેરે પર– (૧) પહેલાં કોઈ તીક્ષ્ણ શસ્ત્ર દ્વારા ચેકો મૂકી, (૨) તેમાંથી લોહી-રસી કાઢી (૩) તે ઘાને ધોઈ-સાફ કરી (૪) તેના ઉપર મલમ લગાડી, (૫) માલિશ કરી (૬) તેમાંથી દુર્ગધ આવતી હોય તો તેને સુગંધી પદાર્થથી સુગંધિત કરવામાં આવે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
[ પર |
શ્રી નિશીથ સૂત્ર
આ છ ક્રિયા માટે અહીં છ સૂત્ર આપવામાં આવ્યા છે. પ્રત્યેક સૂત્રમાં આગળ-આગળની એક-એક ક્રિયા ઉમેરવામાં આવી છે અને પૂર્વની ક્રિયાનું પુનરુચ્ચારણ છે.
કાય સંબંધી, શરીર સંબંધી અને ત્રણ સંબંધી છ-છ ક્રિયાઓ એક સરખી છે. તે છએ ક્રિયાઓ સ્વતંત્ર અને અક્રમિક છે અર્થાત્ છ ક્રિયાઓ ક્રમથી જ કરવી પડે તેવું જરૂરી નથી, ક્યારેક કોઈ એક-બે ક્રિયા પણ થાય છે. શલ્ય ચિકિત્સા સંબંધી છ સૂત્રોમાં વર્ણિત ક્રિયાઓ પરસ્પર સંબંધિત અને ક્રમિક છે. ગૂમડાં વગેરેનું છેદન ન કરે તો લોહી-પરુ કાઢી ન શકે. લોહી-પરુ કાઢ્યા પછી જ તેને ધોવા અને સાફ કરવાની વાત શક્ય બને. આ રીતે આ ચોથા સૂત્ર-ષક સંબંધી જી એ ક્રિયાઓ સામાન્યતઃ ક્રમિક અને પરસ્પર સંબંધિત છે. અપાય.. ગM - લોકમાં શસ્ત્ર, લેપ, ધૂપ વગેરેના અનેક પ્રકાર (જાતિ) પ્રાપ્ત થાય છે. તે અનેક પ્રકાર (જાત)માંથી કોઈપણ એક શસ્ત્ર, લેપ કે ધૂપાદિ દ્વારા ઉપરોક્ત ક્રિયા સાધુ કરે, તે સૂચવવા સુત્રકારે અUUM અને નાણM શબ્દનો પ્રયોગ કર્યો છે.
ગૂમડાં આદિની છેદન ક્રિયા માટે “આચ્છિદ’ અને ‘વિચ્છિદ’ આ બે ક્રિયાપદનો પ્રયોગ છે. તેમાં પ્રથમ પ્રયોગ એકવાર અથવા અલ્પ અર્થમાં અને બીજીવારના ક્રિયાપદનો પ્રયોગ અનેકવાર અથવા વધુ અર્થમાં થયો છે, તેમ સર્વત્ર સમજવું.
વ્રણ, ગંડમાળ આદિ કોઈ પણ રોગ થાય ત્યારે અશાતાવેદનીયના ઉદયે આ રોગ થયો છે, તેમ ચિંતવી સાધુએ, પ્રસન્નચિત્તથી, અદીનવૃત્તિથી, કર્મનિર્જરાનું લક્ષ્ય રાખી, સમભાવ રાખવો જોઈએ. જિનકલ્પી સાધુ તો હંમેશાં સમતા ભાવમાં જ રહે છે અને સ્થવિરકલ્પી સતત સમભાવમાં રહેવા પુરુષાર્થશીલ હોય છે તેમ છતાં વેદના અસહ્ય થાય, સ્વાધ્યાય આદિ કાર્યમાં તેમજ ચિત્ત સમાધિમાં વિક્ષેપ થતો હોય, ત્યારે (૧) સૂત્ર અને અર્થનો વિચ્છેદ ન થાય, (૨) સંયમી જીવનનું પાલન થાય, (૩) સમાધિભાવ પૂર્વક મૃત્યુ થાય અને (૪) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની વૃદ્ધિ થાય, આ લક્ષ્ય છેદનાદિ ક્રિયા કરે, તો તે સકારણ ચિકિત્સા કહેવાય છે, તે માટે પ્રાયશ્ચિત્ત નથી. ભાષ્યમાં આ ભાવાર્થને સૂચિત કરતી ત્રણ ગાથા આ પ્રમાણે છે
णिक्कारणे ण कप्पति, गंडादीएस छेअ-धुवणादी । आसज्ज कारण पुण, सो चेव गमो हवइ तत्थ ॥१५०७॥ णच्चुपतितं दुक्खं, अभिभूतो वेयणाए तिव्वाए । अद्दीणो अव्वहिओ, तं दुक्खं अहियासए सम्मं ॥१५०८॥ अव्वोच्छित्ति णिमित्तं जीवट्ठिए समाहि हेउं वा ।
पमज्जणादि तु पदे, जयणाए समायरे भिक्खू ॥१५०९॥ ગાથાર્થ :- સાધુને ગંડમાળાદિનું છેદન-ધૂપનાદિ કાર્ય નિષ્કારણ કલ્પતું નથી. કારણ ઉપસ્થિત થાય તો તેમ કરી શકે છે. / ૧ | તીવ્ર વેદનાથી અભિભૂત–દુઃખને પ્રાપ્ત થયેલા સાધુ, વ્યથિત બન્યા વિના તે દુઃખને સમભાવથી સહન કરે. ને ૨ | સ્વાધ્યાય આદિનો વિચ્છેદ ન થાય, તથા આત્માની ચિત્ત સમાધિ જળવાઈ રહે અને યતનાપૂર્વક સંયમ પ્રવૃત્તિઓ થાય તે માટે સાધુ શરીર પરિકર્મ કરે. // ૩ //
Page #121
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૩
[ ૫૩ ]
કૃમિ કાઢવા - ३० जे भिक्खू अप्पणो पाउकिमियं वा, कुच्छिकिमियं वा, अंगुलीए णिवेसियणिवेसिय णीहरइ, णीहरतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અપાનદ્વારના રહેલા કૃમિને તથા કુક્ષિકૃમિને આંગળી વડે કાઢે કે કાઢ નારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પેટમાં ઉત્પન્ન થતાં કરમીયા આદિને બહાર કાઢવાથી તે જીવોની વિરાધનાથી સંયમ વિરાધના , આત્મવિરાધના થાય છે. સંયમાર્થીએ કૃમિજન્ય દુઃખને અદીનભાવે, સમભાવે સહન કરવું જોઈએ. નખ સુશોભન - ३१ जे भिक्खू अप्पणो दीहाओ णहसीहाओ कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्त वा संठवेत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના વધેલા નખને(સુશોભન અર્થે) કાપે, સરખા કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સૂત્રમાં નખ કાપવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. સાધુએ શોભા કે વિભૂષાની દષ્ટિએ નખ કાપવા ન જોઈએ.
આગમમાં સાધુને એકાંતે નખ કાપવાનો નિષેધ નથી. આચા., શ્ર.-૨, અ.-૭, ઉ.–૧માં પોતાના માટે ગ્રહણ કરેલું નખછેદનક અન્યભિક્ષુને આપવું નહિ અને ગૃહસ્થને પાછું આપવાની વિધિ પણ બતાવી છે તથા પ્રસ્તુત સૂત્રના પહેલા ઉદ્દેશકમાં નખ કાપવાનું કહીને નખછેદનક લાવ્યા હોય અને અન્ય કાર્ય કરે તો પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.
સાધ નિષ્કારણ એક માત્ર વિભષાની દષ્ટિએ નખ કાપે કે નખને આકાર આપે, તો તેનું પ્રાયશ્ચિત્ત પ્રસ્તુત સૂત્રમાં છે. સેવા આદિ કાર્યમાં વધેલા નખ બાધારૂપ થતા હોય તથા સ્વયંને પણ પ્રવૃત્તિઓમાં આત્મ વિરાધનારૂપ થતાં હોય ત્યારે જરૂરી લાગતાં નખ કાપે તો તે સકારણ કહેવાય છે, સ્વાથ્યને જાળવવા માટે નખકાપવાનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. વાળ સુશોભન - ३२ जे भिक्खू अप्पणो दीहाई जंघरोमाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्तं वा संठेवेत वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो दीहाई वत्थिरोमाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्तं संठवेंतं वा साइज्जइ ।
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
__ जे भिक्खू अप्पणो दीहाई रोमराई कप्पेज्ज वा संठवेज्ज वा कप्तं वा संठवेंतं वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो दीहाई कक्खरोमाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्तं वा संठवेंतं वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो दीहाई उत्तरोट्ठरोमाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्त वा संठेवेंतं वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो दीहाई मंसुरोमाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्पेंत वा संठवेंतं वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो दीहाई अच्छिपत्ताई कप्पेज्ज वा संठवेज्ज वा कप्तं वा संठवेंतं वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो णासारोमाइं कप्पेज्ज वा संठवेज्ज वा कप्त वा संठवेंत वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो दीहाई भुमगरोमाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्त वा संठवेंतं वा साइज्जइ ।
___ जे भिक्खू अप्पणो दीहाई केसाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्त वा संठवेंतं वा साइज्जइ । भावार्थ:- साधु साध्वी पोताना घा, पस्ति, वांटी, सोढी, भू७, ५il, नासिक, ભ્રમર, મસ્તક વગેરે વિવિધ શરીરવયવના વધી ગયેલા વાળને કાપે, સમારે-સુશોભિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. विवेयन:
ચૂર્ણિ, ભાષ્ય અન્ય પ્રતોમાં વાળ સંબંધિત સૂત્રોના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. પ્રસ્તુતમાં કેશ સંબંધિત સર્વ સુત્રોને સાથે રાખ્યા છે. આ સર્વ સૂત્રોક્ત પ્રવૃત્તિ નિષ્કારણ કરે, તો પ્રાયશ્ચિત્ત આવે છે, સકારણ કરે, તો પ્રાયશ્ચિત્ત આવતું નથી, તેમ સમજવું. हत सुशोभन :|३३ जे भिक्खू अप्पणो दंते आघंसेज्ज वा पघंसेज्ज वा आघसंतं वा पघसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી એકવાર કે અનેકવાર દાંતને મંજન આદિથી ઘસે કે તેમ કરનારનું અનુમોદન કરે ३४ जे भिक्खू अप्पणो दंते सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा उच्छोलेंतं वा पधोवेंतं वा साइज्जइ ।
Page #123
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૩
[ ૫૫ ]
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી એકવાર કે અનેકવાર ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી દાંતને ધુએ કે ધોનારનું અનુમોદન કરે, |३५ जे भिक्खू अप्पणो दंते फुमेज्ज वा रएज्ज वा फुतं वा रएंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પોતાના દાંતને ચમકીલા બનાવે કે રંગે અથવા તેમ કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત ક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
આ સૂત્રમાં દાંતની શોભા વધારવા દંતમંજન અને દંતપ્રક્ષાલન સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે, દશ. અ. ૩, ગા. ૩માં દંતપ્રક્ષાલનને ‘અનાચાર' કહ્યો છે. ઔપપાતિક સુત્ર આદિ આગમોમાં અવત ધોવા નું શ્રમણચર્યા રૂપે કથન છે. આગામોમાં બ્રહ્મચર્યનું સુગમતાથી પાલન કરવા માટે અસ્નાન, અદંતધોવન જેવા નિયમો બતાવ્યા છે, માટે સાધુએ નિષ્કારણ દંતમંજન કે દંત પ્રક્ષાલન કરવા ન જોઈએ. દાંત સંબંધિત રોગોના કારણે મંજનાદિ કરવા પડે તો સકારણ ગણાય અને તેનું પ્રાયશ્ચિત્ત નથી. હોઠ સુશોભન - |३६ जे भिक्खू अप्पणो उढे आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जंतं वा पमजतं वा साइज्जइ । एवं उढे पायगमो भाणियव्वो । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના હોઠને એકવાર કે અનેકવાર આમર્જન કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે, આ રીતે પગ સંબંધી છક્રિયાના આલાપકની(સુત્ર ૧૬થી ૨૧) સમાન હોઠ સંબંધી છ આલાપક કહેવા જોઈએ. નેત્ર પરિકર્મ - |३७ जे भिक्खू अप्पणो अच्छीणि आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जंत वा पमज्जतं वा साइज्जइ । एवं पायगमेणं णेयव्वं ।। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાની આંખનું એકવાર કે વારંવાર આમર્જન કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે, આ રીતે પગ સંબંધી છ ક્રિયાના આલાપક (સૂત્ર ૧૬ થી ૨૧)ની સમાન આંખ સંબંધી છ ક્રિયાના આલાપક પણ કહેવા જોઈએ. વિવેચન :
પગ સંબંધી છ સૂત્રોની સમાન આ સૂત્રોનું વિવેચન સમજી લેવું જોઈએ, પરંતુ પગ સંબંધી આમર્જન, મર્દન, માલિશ આદિ ક્રિયાઓ કરવામાં અને આંખ સંબંધી ક્રિયાઓ કરવામાં તફાવત છે આંખ સંબંધી પુના -ર માં મહેંદી, તેલ આદિના સ્થાને અંજન આંજવું વગેરે સમજવું અર્થાત્ કાજળ, સુરમા, ગુલાબ જળ, દવાના ટીપાં વગેરેનો આંખ માટે ઉપયોગ થાય છે. પરસેવાનું નિવારણ - ३८ जे भिक्खू अप्पणो कायाओ सेयं वा जल्लं वा पंकं वा मलं वा णीहरेज्ज
Page #124
--------------------------------------------------------------------------
________________
[
પ
]
શ્રી નિશીથ સુત્ર
वा विसोहेज्ज वा णीहरंतं वा विसोहत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના શરીર ઉપરથી સ્વેદ- પરસેવાને, જલ્લ–પાણીની જેમ ટપકતા પરસેવાને, પંક–પરસેવા સાથે ધૂળ મિશ્રિત થઈ ગઈ હોય તેને, મલ–શરીર ઉપર જામી ગયેલી ધૂળને દૂર કરે, વિશુદ્ધ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
આ સૂત્રમાં શરીર પરથી પરસેવા અને તેના મેલને દૂર કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તેય - સેલો- સ્વ- પ્રવેલા થોડો પરસેવો. ગci-fથi(કન્સ્ટ્રક) નો ભવતિ ઘણો પરસેવો એટલે પાણીની જેમ ટપકતો પરસેવો “જલ્લ' કહેવાય છે. પં વ પ ર સંતનાત્કૃતિપૂણિપુસ્ત-- પસીના સાથે ધૂળાદિ મિશ્રિત થતાં ઉત્પન્ન ભીનાશવાળા મેલને પંક કહેવામાં આવે છે. મહત્ત- નો પુખ ૩ત્તરમાળો છો, રજૂ ના શરીર ઉપર જામી ગયેલો અને સ્પર્શ આદિ દ્વારા ઉતરીને સાફ થઈ જાય તેવો સૂકો મેલ “માલ” કહેવાય છે.
સ્વસ્થ અને સમર્થ સાધકે જલ્લ પરીષહને અગ્લાન ભાવથી સહન કરવો જોઈએ. અલ્પ સામર્થ્યવાળા સાધકે પણ સામર્થ્યનુસાર મેલ પરીષહને સહન કરવાની ભાવના રાખવી જોઈએ અને નિષ્કારણ પરિકર્મ પ્રવૃત્તિ કરવી ન જોઈએ. પ્રત્યેક વ્યક્તિની સહનશક્તિ કે તેના સમાધિભાવ અનુસાર જ તેની સકારણતા-નિષ્કારણતાનો નિર્ણય થાય છે. આંખ, કાન આદિના મેલનું નિવારણ:३९ जे भिक्खू अप्पणो अच्छिमलं वा कण्णमलं वा दंतमलं वा णहमलं वा णीहरेज्ज वा विसोहेज्ज वा णीहरंतं वा विसोहतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના આંખના મેલને, કાનના મેલને, દાંતના મેલને કે નખના મેલને દૂર કરે, વિશુદ્ધ કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
સાધુ-સાધ્વીએ પોતાના સામર્થ્ય–અનુસાર શરીરથી નિરપેક્ષ રહેવું જોઈએ. તેમ છતાં સ્થવિર કલ્પી સાધુને વિવેક પૂર્વક શરીર સંબંધી પ્રવૃત્તિઓ કરવાનો એકાંતે નિષેધ નથી, સાધુ પૂર્ણરૂપે શરીર લક્ષી વૃત્તિવાળો ન થઈ જાય તે માટે અહીં તે ક્રિયાઓનું લઘુ માસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. દાંતમાંથી અનાજના કણ, નખમાંથી મેલ કે આંખમાં રોગના કારણે થતા મેલને કાઢે તો તે સકારણ કહેવાય, તેનું પ્રાયશ્ચિત્ત વિધાન નથી. વિહારમાં મસ્તક ઢાંકવું - |४० जेभिक्खूगामाणुगामंदूइज्जमाणे अप्पणो सीसदुवारियं करेइ, करेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પોતાના મસ્તકને ઢાંકીને વિહાર કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સાધુ માથે ઓઢીને ગ્રામાનુગ્રામ વિહાર કરે, તો તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે, ભાષ્યમાં
Page #125
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૩
૫૭
ગોચરી, સ્પંડિલ અને સ્વાધ્યાય ભૂમિમાં સાધુ માથે ઓઢીને જાય, તો તેનું પણ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. भिक्खु वियार विहारे, दुइज्जतो य गामाणुगामिं
दुवारं भिक्खु, जो कुज्जा आणमादीणि ॥ १५२४ ॥
સીસકુવારિય:- મસ્તકને આવિરત કરવું. વિહાર, ગોચરી આદિ કાર્ય અર્થે બહાર જાય કે ત્યારે મસ્તક પર વસ્ત્રાદિ ઓઢીને જવું તે ‘લિંગ-વિપર્યાસ’ છે, તેથી સાધુ અકારણ મસ્તક ઢાંકીને વિહારાદિ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. વૃદ્ધાવસ્થામાં કે કોઈ બીમારીમાં અસહ્ય ગરમી-ઠંડીમાં મસ્તક ઢાંકીને જવું તે ‘સકારણ’ છે. તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન નથી. લિંગ વિપર્યાસને કારણે સાધ્વી મસ્તક ઢાંક્યા વિના રહે તો પ્રાયશ્ચિત્ત આવે છે તેમ સમજવું જોઈએ. સાધુને ઉપાશ્રયમાં મસ્તક ઢાંકીને બેસવા વગેરેનું પ્રાયશ્ચિત્ત નથી. રાત્રિએ મળ-મૂત્ર પરિત્યાગ માટે મસ્તક ઢાંકીને બહાર જવાની પરંપરા છે, તેથી તેનું પણ પ્રાયશ્ચિત્ત નથી. વશીકરણ અર્થે દોરા બનાવવા :
४१ जे भिक्खू सणकप्पासओ वा उण्णकप्पासओ वा पोंडकप्पासओ वा अमिलकप्पासओ वा वसीकरणसुत्ताइं करेइ, करेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સણના કપાસથી, ઊનના કપાસથી, પોંડના કપાસથી કે અમિલના કપાસથી વશીકરણ કરવા માટેના દોરા બનાવે કે બનાવનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનેક જાતની પૂણીથી દોરા બનાવી, તેને મંત્રિત કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત કથન છે.
(૧) સણ–પ્રસિદ્ધ વનસ્પતિ. (૨) ઊન—ઘેટાના વાળ. (૩) પોંડ–રૂનું કપાસ. (૪) અમિલ– આંકડાનો કપાસ; આ ચાર પ્રકારના કપાસનું સૂત્રમાં કથન છે, તેમ છતાં અન્ય પણ સંભવિત કપાસથી મંત્રિત દોરા બનાવવાનું પ્રાયશ્ચિત્ત સમજી લેવું જોઈએ.
રુપાલ :– કાંતવા યોગ્ય સ્થિતિમાં જે ઊન તથા રૂની પૂણી આદિ હોય તેને અહીં કપાસ કહ્યો છે. વસીરપ સુત્તારૂં:- કપાસમાંથી સૂતરનો દોરો બનાવીને અથવા દોરો વણીને મંત્રથી અભિમંત્રિત કરીને તેના પ્રયોગથી કોઈને વશીભૂત કરાય તે વશીકરણ સૂત્ર–દોરા કહેવાય.
ગૃહસ્થના સ્થાનમાં પરઠવું:
४२ जे भिक्खू हिंसि वा गिहमुहंसि वा गिहदुवारियंसि वा गिहपडिदुवारियंसि वा गिलुयंसि वा गिहंगणंसि वा गिहवच्चंसि वा उच्चार- पासवणं परिट्ठवेइ परिट्ठवेंतं वा साइज्जइ ।
-
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં, ઘરના મુખ્ય દ્વારની સામે, ઘરના પ્રવેશદ્વારમાં–ડેલામાં, ઘરના પ્રતિદ્વારમાં, દ્વાર અને પ્રતિદ્વારના વચ્ચે બંને બાજુના ઓટલામાં, ઘરના આંગણામાં કે ઘરના સંડાસ-બાથરૂમના સ્થાનમાં, મળ-મૂત્રને પરહે અથવા પરઠનારનું અનુમોદન કરે,
४३ जे भिक्खू मडगगिहंसि वा मडगछारियंसि वा मडगथ्रुभियंसि वा मडगआसयसि
Page #126
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી નિશીથ સૂત્ર
वा मडगलेणंसि वा मडगथंडिलंसि वा मडगवच्चंसि वा उच्चार-पासवणं परिट्ठवेइ, परिटुवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી મૃતકગૃહમાં–સ્મશાનમાં(બાળતાં પહેલાં મૃતકને રાખવાની જગ્યામાં), મૃતકની રાખ પડી હોય તે સ્થાન પર, મૃતકસ્તૂપ પર, મૃતકના આશ્રય- સ્મશાન પ્રવેશ પૂર્વે મૃતકને વિસામો આપવાના સ્થાન પર, મૃતકલયન-મૃતકના દાહક્રિયાના સ્થાનમાં, મૃતકÚડિલ-મૃતકના બળી ગયેલા હાડકા નાખવાની જગ્યામાં, મૃતકવચ્ચ–સ્મશાનની અન્ય ખુલ્લી ભૂમિ પર મળ-મૂત્ર પરડે કે પરઠનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू इंगालदाहंसि वा खारदाहंसि वा गायदाहंसि वा तुसदाहंसि वा भुसदाहसि वा उच्चार-पासवणं परिढुवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કોલસા બનાવવાના સ્થાન પર, ક્ષાર બનાવવાના સ્થાન પર, પશુઓને ડામ દેવાના સ્થાન પર, ધાન્યના ફોતરા અથવા ભૂસું બાળવાના સ્થાન પર મળ-મૂત્રને પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ४५ जे भिक्खू अभिणवियासु वा गोलेहणियासु, अभिणवियासु वा मट्टियाखाणिसु, परिभुज्जमाणियासु वा अपरिभुज्जमाणियासु वा उच्चार-पासवणं परिट्ठवेइ, परिट्ठवेंतं વા સાઝ . ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નવી ખેડાયેલી ભૂમિમાં, નવી ખોદેલી માટીની ખાણમાં કે જે લોકોના ઉપયોગમાં હોય અથવા ઉપયોગમાં ન હોય, તેવા સ્થાન પર મળ-મૂત્રને પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, ४६ जे भिक्खू सेयाययणंसि वा पंकसि वा पणगंसि वा उच्चार-पासवणं परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઘણા કાદવવાળા સ્થાન, કીચડવાળા સ્થાન, લીલફૂગવાળા સ્થાન પર મળમૂત્ર પરઠે કે પરઠનારનું અનુમોદન કરે,
४७ जे भिक्खू उंबरवच्चंसि वा णग्गोहवच्चंसि वा असोत्थवच्चंसि वा સવાર-પાસવાં પદવે, દુર્વેત વા સારૂનારૂ I ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ઉમરા, વડ કે પીપળાના ફળ સંગ્રહ કરવાના સ્થાન પર મળ-મૂત્ર પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ४८ जे भिक्खू डागवच्चंसि वा सागवच्चंसि वा मूलगवच्चंसि वा कोत्थुबरिवच्चंसि वा खारवच्चसि वा जीरयवच्चंसि वा दमणगवच्चसि वा मरुगवच्चसि वा उच्चारपासवणं परिट्ठवेइ परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ભાજી, શાક, મૂળા, કોથમીર, ખાર, જીરું, દમનક, મરુક વગેરે વનસ્પતિઓના ઢગલા પર કે વાડીઓમાં મળ-મૂત્ર પરઠે અથવા પરઠનારનું અનુમોદન કરે,
Page #127
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૩
[ પ
]
४९ जे भिक्खू इक्खुवर्णसि वा सालिवणंसि वा कुसंभवर्णसि वा कप्पासवणंसि वा उच्चारपासवणं परिडेवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શેરડી, ડાંગર, કસુંબા, કપાસ વગેરેના વન-ખેતરોમાં મળ-મૂત્ર પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ५० जे भिक्खू असोगवणंसि वा सत्तिवण्णवणंसि वा चंपगवणंसि वा चूय-वणंसि वा अण्णयरेसु वा तहप्पगारेसु, पत्तोववेएसु, पुप्फोववेएसु, फलोववेएसु, बीओववेएसु उच्चार-पासवणं परिटुवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અશોકવન, સપ્તપર્ણ વન, ચંપકવન, આમ્રવન તથા તેવા પ્રકારના પત્ર, પુષ્પ, ફળ અને બીજયુક્ત અન્ય વનોમાં મળ-મૂત્ર પરઠે અથવા પરઠનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને પરડવાના અવિવેક સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે.
આ સૂત્રોમાં ૩qીર-સવા આ બંને શબ્દોનો પ્રયોગ સાથે થયો છે પણ તેમાં ૩ળ્યાવડીનીતની મુખ્યતા સમજવી. વ્યાખ્યાકારે પણ વડીનીતની મુખ્યતાથી જ વ્યાખ્યા કરી છે. યાતિ - પશુઓના રોગના ઉપશમ માટે, ડામ દઈને ઉપચાર કરવામાં આવે તેવું નિયત સ્થાન. સલાલિ-મુલાસિ:- ધાન્ય ઉપરના ફોતરાને તુસ કહે છે, ધાન્યના પૂળાઓનો સંપૂર્ણ કચરો અથવા અનાજના ફોતરાને ભૂસું કહેવાય છે, તેને બાળવાના સ્થાનના બે પ્રકાર છે– (૧) ખેતરની સમીપમાં બાળવાનું સ્થાન અને (૨) કુંભારના નીંભાડા- જ્યાં ફોતરા-ભેંસાને બળતણના રૂપે બાળવામાં આવે છે. નિશીથ સૂત્રમાં પાઠાંતર રૂપે તુલસિ વા, મુસ કારિ વા આવો પાઠ પણ જોવા મળે છે, આ બંને શબ્દનો અર્થ થાય છે કે ખેતરની પાસે સંગ્રહ માટેનું સ્થાન–ખળું. રેયાવલિ :- કીચડ વધુ હોય અને પાણી ઓછું હોય તેવા સ્થાન “રેયાય' કહેવાય છે. વર્ષા થવાથી કીચડ થઈ જાય છે તથા ત્યાં લીલફૂગ થઈ જાય છે, તે જીવોની વિરાધનાનું કારણ જાણી તેવી જગ્યાએ પરાઠવા જવું નહીં. આવિયાણ નોળિયાક્ષ - તાજી ખેડેલી ભૂમિ. ગો – બળદ આદિના દ્વારા હળથી ઇખેડાયેલી ભૂમિ. તાજી ખેડાયેલી અર્થાત્ ૧–રદિવસની હોય તો તે સચેત હોય છે, માટે તેનું વર્જન આવશ્યક છે.
વરસાદ થવાના થોડા સમય પહેલાં ખેડૂત ખેતરને ખેડે છે, ત્યાં તાજી ખેડેલી તે ભૂમિ સચિત્ત કે મિશ્ર હોવાની સંભાવના છે, તેથી ત્યાં સાધુએ જવું ન જોઈએ. નક્રિયા હાળા :- જ્યાંથી માટી ખોદીને કાઢવામાં આવે તે માટીની ખાણ. તે પણ તાજી ખોદેલી હોય ત્યાં સુધી સચિત્ત, અચિત્ત કે મિશ્રિત હોવાની સંભાવના છે.
કોઈના ઘર, ઘરમુખ વગેરે સ્થાનોમાં મળ-મુત્ર પરઠવાથી માલિક રોષે ભરાય અને સાધુનો તિરસ્કાર કરે, તેનાથી સાધુની અને પ્રવચનની હીલના થાય. સ્મશાનાદિ સ્થાનો પર વ્યંતર દેવાના સ્થાન
Page #128
--------------------------------------------------------------------------
________________
૨૦ |
શ્રી નિશીથ સૂત્ર
હોય અને ત્યાં મળ-મૂત્ર પરઠવાથી વ્યંતર દેવ કુપિત થાય અને હેરાન કરે તો આત્મવિરાધના, સંયમ વિરાધના થાય. અગ્નિ દ્વારા લાકડામાંથી કોલસા બનાવવા વગેરે અગ્નિ સંબંધી સ્થાનો; માટી, પાણી સંબંધી સ્થાનો; વનસ્પતિ, વન, શાકભાજી આદિ સંબંધી સ્થાનોમાં જીવવિરાધના-સંયમ વિરાધનાની સંભાવના હોવાથી સાધુને તેવા સ્થાનોમાં પરઠવાની આજ્ઞા નથી. અવિધિએ પરડવું:५१ जे भिक्खू दिया वा राओ वा वियाले वा उच्चार-पासवणेणं उब्बाहिज्जमाणे सपायं गहाय, परपाय वा जाइत्ता, उच्चा-पासवणं परिटुवेत्ता अणुग्गए सूरिए एडेइ, एडतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી દિવસે, રાત્રે કે સંધ્યા સમયે ઉચ્ચાર-પ્રસવણની બાધા થાય ત્યારે પોતાના પાત્રને ગ્રહણ કરીને અથવા અન્ય સાધુના પાત્રની યાચના કરીને, તેમાં ઉચ્ચાર, પ્રસવણ કરીને
જ્યાં સૂર્યનો તાપ પહોંચતો ન હોય તેવા સ્થાનમાં પરઠે કે પરઠનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકના ૮૦ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈપણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારા સાધુ-સાધ્વીને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :અgroણ સૂરિપઃ- આ શબ્દનો અર્થ સૂર્યોદયની પહેલાં પરઠવું નહિ તેવો થાય છે, પરંતુ તે અર્થ સુસંગત નથી. “દિવસે મળવિસર્જિત કરનાર સાધુ દિવસ ઉગ્યા પહેલા પરઠે તો પ્રાયશ્ચિત્ત આવે” આવી અસંગત વાત બની જાય, માટે તેનો અર્થ જ્યાં સૂર્યનો તાપ પહોંચતો નથી, તેવા છાયાવાળા સ્થાનમાં પરઠે તો પ્રાયશ્ચિત્ત આવે, તે પ્રમાણે કરવો જોઈએ.
પાત્રમાં ઉચ્ચાર-પ્રસવણ કરી પરઠવાની વિધિનો નિર્દેશ આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧૦માં છે, છતાં પણ યોગ્ય સમય અને યોગ્ય ડિલ ભૂમિ સુલભ હોય તો સાધુએ ઈંડિલ ભૂમિનો જ ઉપયોગ કરવો જોઈએ.
સૂત્રકમ | પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા સૂત્ર ક્રમ પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા ૧થી ૪ |
૪ ૫ થી ૮ |
૪ ૯ થી ૧૨ ૧૩ ૧૪ ૧૫ |
૧
| ૧૬ થી ર૧ | ૬ |
Page #129
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૩
|
૧
|
સૂત્રકમ | પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા |
પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા
સૂત્ર કેમ
૪૨
૨૪ થી ર૯
જ |
૩0
G |
F |
Y |
૩ર ૩૩
| |
૧૦ ૧
| |
|
|
| B | 5
૪૮ ૪૯ ૫૦
|
|
પ૧
આ ઉદ્દશકમાં કુલ ૫૧ સૂત્રોમાં ૮૦ લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
ત્રીજો ઉદ્દેશક સંપૂર્ણ
Page #130
--------------------------------------------------------------------------
________________
[ 2 ]
શ્રી નિશીથ સૂત્ર
ચોથો ઉદેશક | પરિચય છROCRORROROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૧૨૮ પ્રકારના લઘુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે. યથા–
રાજા, રાજાના રક્ષક, નગરરક્ષક, નિગમરક્ષક, સર્વરક્ષક(મંત્રી) આદિને વશ કરવા, તેઓના ગુણગાન કરવા તથા તેઓને પોતાની તરફ આકર્ષિત કરવા, ગ્રામરક્ષક, દેશરક્ષક, સીમારક્ષક, રાજ્યરક્ષક, સર્વરક્ષક(મંત્રી) આદિને વશ કરવા, ગુણગાન કરવા તથા તેઓને પોતાની તરફ આકર્ષિત કરવા.
સચિત્ત ધાન્યનો આહાર કરવો, આચાર્યાદિની આજ્ઞા વિના દૂધાદિ વિગયો વાપરવા, સ્થાપના કુલોને જાણ્યા વિના ભિક્ષાચર્યાને માટે જવું, નિગ્રંથીઓના ઉપાશ્રયમાં અવિધિથી પ્રવેશ કરવો, નિગ્રંથીઓના આગમન પથમાં દંડાદિ રાખવા, નવો કલહ ઉત્પન્ન કરવો, ઉપશાંત કલહને ફરી ઉત્પન્ન કરવો, મોટેથી ખડખડાટ હસવું; પાર્થસ્થ, અવસગ્ન, કુશીલ, સંસકત, નિત્યક આ પાંચને પોતાનો સંઘાડો સોંપવો અથવા તેઓનો સંઘાડો લેવો; અષ્કાય, પૃથ્વીકાય અને વનસ્પતિકાય આદિ સચિત્ત પદાર્થોથી લિપ્ત હાથ દ્વારા આહારાદિ ગ્રહણ કરવા.
સાધુએ સાધુના શરીરનું પરિકર્મ કરવું, સંધ્યા સમયે ત્રણ સ્થડિલ ભૂમિનું પ્રતિલેખન ન કરવું, ટૂંકી ઈંડિલ ભૂમિનો ઉપયોગ કરવો, અવિધિથી પરઠવું તથા તે સંબંધી વિધિ-નિષેધોનું પાલન ન કરવું, પ્રાયશ્ચિત વહન કરનારની સાથે ગોચરીએ જવું કે સાથે જવા માટે તેને આમંત્રણ આપવું ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૪
૩ |
• ચોથો ઉદ્દેશક બે Ele/K૧ર૮ લઘ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન VEJE.
રાજા વગેરેનું વશીકરણ:| १ जे भिक्खू रायं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાને વશ કરે કે વશ કરનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू रायारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાના અંગરક્ષકને વશ કરે કે વશકરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू णगरारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નગરરક્ષકને–કોટવાલને વશ કરે કે વશ કરનારનું અનુમોદન કરે, | ४ जे भिक्खू णिगमारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નિગમ રક્ષક-નગર શેઠને વશ કરે કે વશ કરનારનું અનુમોદન કરે, | ५ जे भिक्खू सव्वारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સર્વરક્ષક-મુખ્યમંત્રીને વશ કરે કે વશકરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન - અરજરેટ્ટ :- આત્મીરોતિ સ્વાધીન નથતિ રાજા વગેરેને પોતાને વશ કરવા, પોતાને આધીન કે અનુકૂળ બનાવવા. રાજાને વશ કરવાના કારણો - રાજા વગેરેને વશ કરવાના કારણો બે પ્રકારના હોય છે– (૧) પ્રશસ્ત કારણ અને (૨) અપ્રશસ્ત કારણ. સંકટકાલીન પરિસ્થિતિમાં સંઘહિતાર્થ, સંઘરક્ષણાર્થ જેવા શુભ કારણો અને શુભ પ્રયત્નોથી સ્વલબ્ધિ દ્વારા રાજા વગેરેને વશ કરે, તો તે પ્રશસ્ત કારણ કહેવાય છે અને (૨) અન્યનું અહિત કરવા, પોતાની પ્રતિષ્ઠા વધારવા, પોતાના કોઈ સ્વાર્થના કારણે છળ-કપટ વગેરેનો આશ્રય લઈ રાજા વગેરેને વશ કરવામાં આવે, તો તે અપ્રશસ્ત કારણ કહેવાય છે. આ સૂત્રમાં પ્રશસ્ત કારણથી રાજા વગેરેને વશ કરવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. અપ્રશસ્ત કારણથી જો રાજા વગેરેને વશ કરવામાં આવે તો તેનું પ્રાયશ્ચિત્ત વધુ હોય છે. રાજા વગેરેને વશ કરવાથી થતાં નુકસાન ઃ- (૧) શ્રી સૂયગડાંગ સૂત્રમાં રાજા વગેરેનો સંસર્ગ કરવાનો નિષેધ છે– સંસજ અસાદું રાહિં, અમારી ૩ તાપથરસ વિ - સૂયડાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ગાથા–૧૮. સંયમ સાધનામાં રત સાધુઓ માટે રાજાનો પરિચય અને સંસર્ગ હિતકારી નથી. તે સંયમમાં અસમાધિ ઉત્પન્ન કરવાનું કારણ બની શકે છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૪ |
શ્રી નિશીથ સૂત્ર
રાજા વગેરે વધુ અનુકૂળ થાય તો તેઓનો અતિઅનુરાગ સંયમ સાધનામાં બાધક બની શકે અને રાજા વગેરે પ્રતિકૂળ થાય તો દંડ આપે, જિન શાસનનું અહિત કરે; માટે સાધકે રાજા અને રાજા જેવી વિશિષ્ટ વ્યક્તિઓથી વ્યક્તિગત સંપર્ક કરવો ન જોઈએ. ધર્મ શ્રવણાદિ માટે રાજા વગેરે આવે તો તેઓને ધર્માનુરાગી બનાવવામાં દોષ નથી. સમ્બારિયઃ- સર્વરક્ષકારાગારક્ષાલારબ્ધ નિરક્ષપર્યતા સર્વાન આ પામર : પ્રજ્ઞા વા, આ સમન્નાદ્રાતિ યઃ સ સર્વરક્ષઃ પ્રધાનોfધારા, મુરધ્યમંત્રીત્યર્થ સર્વ એટલે રાજાથી લઈને નગર શેઠ તથા પ્રજા વગેરે સર્વનું રક્ષણ કરે, તે સર્વરક્ષક અર્થાત્ પ્રધાન, મુખ્યમંત્રી. રાજા વગેરેની પ્રશંસા :|६ जे भिक्खू रायं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાના ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
७ जे भिक्खू रायारक्खियं अच्चीकरेइ, अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાના અંગરક્ષકનું ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |८ जे भिक्खू णगरारक्खियं अच्चीकरेइ, अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નગર રક્ષક(કોટવાળ)નું ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | ९ जे भिक्खू णिगमारक्खियं अच्चीकरेइ, अच्चीकरेंतं वा साइज्जइ ।। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નિગમ રક્ષક-નગર શેઠનું ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |१० जे भिक्खू सव्वारक्खियं अच्चीकरेइ, अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સર્વરક્ષક-મુખ્યમંત્રીનું ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં રાજા આદિની પ્રશંસાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
પૂર્વના સુત્ર(૧ થી ૫)માં રાજા વગેરેને વશ કરવાનું કથન છે. વ્યક્તિની પ્રશંસા કરવાથી તે વ્યક્તિ સરળતાથી પોતાને વશ બની જાય છે. અ રે સૂત્ર કરી સૂત્રનું પૂરક સૂત્ર જ છે. અશ્વીર - અતિ -શનિવર્નનાંતિ - શૌર્યાદિ ગુણોનું કીર્તન કરવું, પ્રશંસા કરવી. તેના બે પ્રકાર છે– (૧) સત્ ગુણકીર્તન. જે વ્યક્તિમાં જે ગુણ વિદ્યમાન હોય, તેવા ગુણોનું વર્ણન કરવું અને (૨) અસત્ ગુણકીર્તન. વ્યક્તિમાં જે ગુણો વિદ્યમાન ન હોય તેનું ગુણકીર્તન કરવું. તે ગુણકીર્તન સ્વયં પોતે કરે તો પ્રત્યક્ષ ગુણકીર્તન કહેવાય અને બીજા દ્વારા ગુણકીર્તન કરાવે તો તે પરોક્ષ કહેવાય. પ્રત્યક્ષ કે પરોક્ષ, સતુ કે અસતુ ગુણકીર્તન પ્રશસ્ત હેતુથી કરે તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે અને જો અપ્રશસ્ત હેતુથી કરે તો તેનું પ્રાયશ્ચિત્ત વધુ હોય છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૪
[ પ ]
રાજા વગેરેનું આકર્ષણઃ|११ जे भिक्खू रायं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १२ जे भिक्खू रायारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાના અંગરક્ષકને આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १३ जे भिक्खू णगरारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નગરરક્ષક-કોટવાળને આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १४ जे भिक्खू णिगमारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નિગમરક્ષક-નગર શેઠને આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |१५ जे भिक्खू सव्वारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સર્વરક્ષક-મુખ્યમંત્રીને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન - અસ્થીર - અથરીતિ | તેના ત્રણ અર્થ થાય છે– (૧) સાધુ રાજાની પ્રાર્થના કરે. (૨) સાધુ કોઈપણ પ્રયોગ દ્વારા એવો પ્રયત્ન કરે કે જેથી રાજા સાધુની સહાય ઇચ્છ. (૩) સાધુ રાજાનું કોઈ કાર્યસિદ્ધ કરી દે. સાધુ એવા પ્રયત્ન કરે કે રાજા તેનો અર્થી-પ્રયોજનવાન બની રહે. આ સાધુ પાસે ભૂત-ભવિષ્યનું જ્ઞાન છે, તેની પાસેથી મને મંત્રાદિ મળશે, મારા કાર્ય સફળ થશે, તેવા ભાવ રાજાના મનમાં જન્મે, તેવા પ્રયત્ન કરી રાજાને પોતા તરફ આકર્ષિત રાખવા, પોતાના તપ-સંયમ-લબ્ધિના પ્રદર્શન, વર્ણન દ્વારા રાજાને આકૃષ્ટ કરવા. આરીફ:- રાજા વગેરેને વશ કરવા. કોઈ વ્યક્તિને ગુણ-પ્રશંસા દ્વારા વશ કરી શકાય છે તે જ રીતે પોતાના તપ-સંયમ અને પ્રાપ્ત લબ્ધિઓનું વર્ણન કરી, તે વ્યક્તિને પોતાના અનુરાગવાળી બનાવી શકાય છે. આ સૂત્રમાં પોતાના ગુણો પ્રદર્શિત કરી રાજા વગેરેને પોતાના તરફ આકૃષ્ટ કરવાનું વર્ણન છે. ગીર સૂત્ર અબ્ધીરે સૂત્રનું પૂરક છે. - રાજા વગેરેને પ્રશસ્ત હેતુથી આકર્ષિત કરે, તો તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સમજવું અને અપ્રશસ્ત હેતુથી આકર્ષિત કરે, તો તેનું પ્રાયશ્ચિત્ત વધુ આવે છે.
કેટલીક પ્રતોમાં અછી શબ્દ દ્વારા પાંચ સૂત્રો જોવા મળે છે. ત્યાં છીછરેનો અર્થ બીમાર રાજા વગેરેને ઔષધ, મંત્રાદિ આપી નીરોગી કરવા, આ રીતે પણ રાજાને વશ કરી શકાય છે. ગામરક્ષક વગેરેનું વશીકરણ:१६ जे भिक्खू गामारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ ।
Page #134
--------------------------------------------------------------------------
________________
[
s ]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગામ રક્ષકને–ગ્રામની રક્ષા કરનાર અર્થાત્ દેખરેખ રાખનાર સરપંચને વશ કરે કે વશમાં કરનારનું અનુમોદન કરે, १७ जे भिक्खू देसारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી દેશ રક્ષક–દેશની રક્ષા કરનાર રાષ્ટ્રપતિ વગેરેને વશમાં કરે કે વશ કરનારનું અનુમોદન કરે, १८ जे भिक्खू सीमारक्खियं अत्तीकरेइ, अत्तीकात वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સીમા રક્ષકને વશમાં કરે કે વશમાં કરનારનું અનુમોદન કરે, १९ जे भिक्खू रण्णारक्खियं अत्तीकरेइ अत्तीकरेंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજ રક્ષક–રાજ્યની રક્ષા કરનાર રાજ્યપાલને વશ કરે કે વશમાં કરનારનું અનુમોદન કરે, | २० जे भिक्खू सव्वारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સર્વરક્ષક–સર્વ ક્ષેત્રમાં પૂછવા યોગ્ય વડાપ્રધાનને વશ કરે કે વશ કરનારનું અનુમોદન કરે, २१ जे भिक्खू गामारक्खियं अच्चीकरेइ, अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગામ રક્ષકની પ્રશંસા–ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २२ जे भिक्खू देसारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી દેશ રક્ષકની પ્રશંસા–ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २३ जे भिक्खू सीमारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સીમા રક્ષકની પ્રશંસા–ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू रण्णारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રાજ રક્ષકની પ્રશંસા ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २५ जे भिक्खू सव्वारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સર્વ રક્ષકની પ્રશંસા-ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | २६ जे भिक्खू गामारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગામ રક્ષકને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २७ जे भिक्खू देसारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ ।। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી દેશ રક્ષકને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
Page #135
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૪
| | ક૭ ]
२८ जे भिक्खू सीमारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સીમા રક્ષકને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | २९ जे भिक्खू रण्णारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજ રક્ષકને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३० जे भिक्खू सव्वारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સર્વ રક્ષકને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત ગ્રામ રક્ષક આદિ ૧થી ૩૦ સુધીના સૂત્રો રાજ્યની મુખ્યતાએ છે અને પૂર્વના ૧ થી ૧૫ સુધીના સૂત્રો રાજા અને રાજધાનીની મુખ્યતાએ છે. સર્વ રક્ષક :- ૧૫-૧૫ સુત્રોના આ બંને વિભાગમાં “સર્વરક્ષક’ શબ્દ છે. તેમાં પ્રથમ વિભાગના “ સર્વરક્ષક’ શબ્દનો “રાજા વગેરેના સર્વકાર્યમાં સલાહ લેવા યોગ્ય’ મુખ્યમંત્રી તેવો અર્થ થાય છે અને બીજા વિભાગમાં “ગ્રામરક્ષક–સરપંચ વગેરેને સર્વકાર્યમાં સલાહ લેવા યોગ્ય’ તેવો અર્થ થાય છે.
પ્રાયઃ પ્રતોમાં માનયિં આદિ સૂત્રો ૩૬૩ સૂત્ર (૪૯ થી ૩) પછી છે. સરજિય વાળા સૂત્રો મરવિર્ય (સૂ. ૪, ૯, ૧૪) પછી છે.
આ રીતે ભિન્ન-ભિન્ન પ્રતોમાં આ સૂત્રોના ક્રમમાં ભિન્નતા છે, તાત્વિક તફાવત નથી પ્રસ્તુતમાં ભાષ્ય અનુસાર ક્રમ નિશ્ચિત કર્યો છે. કૃત્ન ધાન્યનો આહાર:
३१ जे भिक्खू कसिणाओ ओसहिओ आहारेइ, आहारेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કૃત્ન ઔષધિનો આહાર કરે કે આહાર કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અખંડ ઔષધિ-અખંડત ધાન્ય આદિ ખાવાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
ઔષધિ એટલે ધાન્ય એવો અર્થ થાય છે, પરંતુ ઉપલક્ષણથી પ્રત્યેક જીવવાળા સર્વ “બીજ'નું પણ ગ્રહણ થઈ જાય છે.
સિMઓ સદિઓ:- કુસ્ન ઔષધિ. તેના બે પ્રકાર છે– (૧) અખંડ ધાન્ય દ્રવ્ય કૃત્ન છે અને (૨) સચિત્ત ધાન્ય ભાવ ન છે. આ સૂત્રમાં ભાવ કૃત્ન એટલે સચિત્ત ધાન્યખાવા સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
અખંડ ધાન્યાદિને બાફવાથી, ઉકાળવાથી તે અચિત્ત થઈ જાય છે, તે અખંડ દેખાવા છતાં અચિત્ત હોવાથી સાધુ ગ્રહણ કરી શકે છે અને તેનું અહીં પ્રાયશ્ચિત્ત કથન નથી, તેમ સમજવું.
Page #136
--------------------------------------------------------------------------
________________
|
૮
|
શ્રી નિશીથ સૂત્ર
આચાર્યાદિની આજ્ઞા વિના વિગય સેવન - ३२ जे भिक्खू आयरिय-उवज्झाएहिं अविदिण्णं विगई आहारेइ, आहारतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની વિશેષ આજ્ઞા વિના વિનયનો આહાર કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધારણ રીતે આગમમાં સાધુ માટે વિગયરહિત આહારનું સેવન કરવાનું વિધાન છે. વિધિ :- સાધુ ગોચરીને માટે આજ્ઞા લઈને જ જાય છે, તે આજ્ઞાથી તો વિગય રહિત આહાર જ ગ્રહણ કરી શકે છે. જો વિગય–ઘી, દૂધ લેવું આવશ્યક હોય તો તેની અલગ આજ્ઞા લેવી જરૂરી છે. વિગયના પ્રકારો – ઘી, તેલ, દહીં, દૂધ અને ગોળ, આ પાંચ વિગય છે. ઠાણાંગ સૂત્રના નવમા ઠાણામાં નવ પ્રકારના વિગય બતાવ્યા છે. તેમાંથી ચાર વિગયને ચોથે ઠાણે મહાવિગય કહ્યા છે. આ રીતે ચાર મહાવિગય અને પાંચ વિગય, આ રીતે કુલ નવ વિગય છે. ચાર મહાવિગયમાંથી મધ અને માંસ સાધુ માટે સર્વથા વર્ય છે, કારણ કે ઠાણાંગ સૂત્રમાં તેવા આહારને નરકગતિનું કારણ કહ્યું છે. માખણ તથા મધ આ બે મહાવિગય તથા પાંચ વિગયનો ઉપયોગ રોગ નિવારણ માટે આચાર્યાદિની આજ્ઞાથી થઈ શકે છે. આચાર્યાદિની આજ્ઞા વિના વિનયનું સેવન કરે, તો તે સાધુ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
નિશીથ સુત્રની કેટલીક પ્રતોમાં આ સૂત્રની પૂર્વે અદત્ત આહાર લેવા સંબંધી એક સુત્ર જોવા મળે છે. તેનો અર્થ આ પ્રમાણે છે– આચાર્ય કે ઉપાધ્યાયની આજ્ઞા વિના આહાર ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ભાષ્ય-ચૂર્ણિમાં આ સૂત્ર કે તેની વ્યાખ્યા નથી, તેથી પ્રસ્તુતમાં તે સૂત્ર ગ્રહણ કર્યું નથી. સ્થાપના કુળની જાણકારી વિના ગોચરી ગમન :|३३ जे भिक्खू ठवणाकुलाई अजाणिय अपुच्छिय अगवेसिय पुव्वामेव(गाहावइ कुल) पिंडवाय-पडियाए अणुप्पविसइ, अणुप्पविसत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સ્થાપના કુળોની જાણકારી કર્યા વિના, પૂછડ્યા વિના કેળવેષણા કર્યા વિના જ ગૃહસ્થના ઘરોમાં ગોચરી માટે પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સ્થાપનાકુળ એટલે વિશિષ્ટ પરિસ્થિતિ માટે અલગ સ્થાપિત કરવામાં આવેલા કુળ અર્થાત્ સાધારણ રીતે જે ઘરોમાં સાધુઓ ભિક્ષા માટે જતાં ન હોય, તેવા ઘર. સ્થાપના કળના પ્રકાર – અનિવાર્ય આવશ્યકતાના સમયે ભિક્ષા માટે સ્થવિરો દ્વારા સ્થાપિત(અલગ રખાયેલા) ઘરો, તે સ્થાપના કુળ કહેવાય છે. ભાષ્યમાં તેના ચાર પ્રકાર કહ્યાં છે– (૧) અત્યંત દ્વેષ રાખનારા ઘર, (૨) અત્યંત અનુરાગ રાખનારા ઘર. (૩) ઉપાશ્રયની એકદમ સમીપના ઘર અને (૪) બહુમૂલ્ય પદાર્થ અથવા વિશિષ્ટ ઔષધિ વગેરે ઉપલબ્ધ થાય તેવા ઘર.
Page #137
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૪
|
૯
|
અથવા જે ઘરોમાં સાધુ આદિના નિમિત્તે આહારાદિ, વસ્ત્રાદિ, ઔષધાદિ અલગ સ્થાપિત કરીને રાખવામાં આવે, તે પણ સ્થાપના કુળ કહેવાય છે. બાલ-ગ્લાન, વૃદ્ધ, આચાર્ય, અતિથિમુનિ માટે જ્યારે વિશેષ વસ્તુની આવશ્યકતા હોય ત્યારે ગીતાર્થ બહુશ્રુત મુનિ તે સ્થાપિત કુળોમાં ભિક્ષા માટે જાય છે, તેથી સાધારણ પરિસ્થિતિમાં સામાન્ય સાધુ માટે તે સ્થાપિત કુળોમાં જવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અગાયિ:- કોઈના કહેવાથી કે સ્વતઃ, પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાનથી આવા કુળોની જાણકારી મેળવ્યા વિના. કવિ :- સ્થાપના કુળના માલિકના નામ-ગોત્ર પૂછયા વિના. કાલિય - વૃક્ષ, સૂપ આદિ ચિહ્ન દ્વારા તે ઘર ઓળખી શકાય, તેવા ચિહ્ન-સંકેત આદિની ગવેષણા કર્યા વિના સાધુ ગોચરીએ જાય નહિ. સ્થાપનાકુળની જાણકારી આદિ મેળવ્યા વિના જાય તો, તેવા કુળોમાં ગોચરી અર્થે પહોંચી જવાની સંભાવના રહે છે.
સ્થાપના કુળોમાં જવાથી અવ્યવસ્થા થાય, ગુરુ-અદત્ત દોષ લાગે અને આવશ્યકતાના સમયે વિશિષ્ટ પદાર્થની પ્રાપ્તિ દુર્લભ બને માટે સાધુ સ્થાપના કુળમાં ભિક્ષાર્થ ન જાય અને તે કુળોની જાણકારી કરીને જ ગોચરી અર્થે નીકળે. સાધ્વીના ઉપાશ્રયમાં અવિધિએ પ્રવેશ:३४ जे भिक्खू णिग्गंथीणं उवस्सयंसि अविहीए अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ સાધ્વીઓના ઉપાશ્રયમાં અવિધિએ પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુને નિષ્કારણ સાધ્વીઓના ઉપાશ્રયમાં પ્રવેશ કરવો કલ્પતો નથી. કોઈ પ્રયોજનથી સાધુને સાધ્વીના ઉપાશ્રયમાં જવું આવશ્યક બને ત્યારે સાધુએ વિધિપૂર્વક પ્રવેશ કરવો જોઈએ. ભાષ્યકારે પ્રવેશ વિષયક ચૌભંગી બતાવી છે. ચૌભેગી - (૧) અકારણ વિધિપૂર્વક, (૨) સકારણ અવિધિપૂર્વક, (૩) અકારણ અવિધિપૂર્વક અને (૪) સકારણ વિધિપૂર્વક. પ્રથમના ત્રણ ભંગથી પ્રવેશ કરે, તો પ્રાયશ્ચિત્ત આવે છે, સાધુએ ચોથા ભંગ પ્રમાણે જ પ્રવેશ કરવો જોઈએ. વિધિ - સાધુએ સાધ્વીના ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં પૂર્વે ઉપાશ્રયની બહાર ઊભા રહી સંબોધનના શબ્દથી અથવા અન્ય કોઈ શબ્દ દ્વારા થોડો સમય વ્યતીત થયા પછી પ્રવેશ કરવો અથવા સાધ્વી પધારો કે તેવા સંકેતરૂપ શબ્દથી બોલે ત્યારપછી પ્રવેશ કરવો જોઈએ. તે વિધિ પ્રવેશ કહેવાય છે. પોતાના આગમનને સૂચિત કર્યા વિના મૌનપણે પ્રવેશ કરવો, તે અવિધિ કહેવાય. સાધ્વીના માર્ગમાં ઉપકરણ રાખવા - ३५ जे भिक्खू णिग्गंथीणं आगमणपहंसि, दंडगंवा लट्ठियं वा रयहरणं वा मुहपोत्तियं वा अण्णयरं वा उवगरणजायं ठवेइ, ठवेंत वा साइज्जइ ।
Page #138
--------------------------------------------------------------------------
________________
[ ૭૦ ]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ :- જે સાધુ-સાધ્વીના આગમન માર્ગમાં દંડ, લાકડી, રજોહરણ અથવા મુખવસિકા આદિ કોઈપણ ઉપકરણ રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
સાધ્વીઓના આવવાના માર્ગમાં સાધુએ કોઈપણ પ્રકારના ઉપકરણ રાખવા ન જોઈએ. fણથી આ મUપતિ :- સાધ્વીઓનો આગમનનો માર્ગ. ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા પછી આચાર્ય-રત્નાધિક જ્યાં બેઠા હોય ત્યાં સુધી પહોંચવા સાધ્વીઓ જે સ્થાન પસાર કરે તેને સાધ્વીઓનો આગમન માર્ગ કહેવામાં આવે છે.
સૂત્રમાં ચાર ઉપકરણના નામ આપ્યા છે. તે સિવાયના અન્ય કોઈપણ પ્રકારના ઉપકરણ ગયાં ...ગાયં શબ્દથી સૂચિત થાય છે. સાધ્વીઓના માર્ગમાં ઉપકરણ રાખવાના કારણ:
चिटुंतो पडिलेहतो, कुणंतो वावि लुंचणं ।
मिसेणं वाऽहं वत्थूणं,णिक्खेवस्स हि संभवो ॥ સાધ્વીનો આવવાનો માર્ગ એ ઉપાશ્રયનો એક ભાગ જ છે, સાધુ ત્યાં બેઠા હોય, ભોજન કરતા હોય, પ્રતિલેખન કરતા હોય અથવા ત્યાં લોચ વગેરે કરતા હોય અને પોતાના રજોહરણ વગેરે ઉપકરણ ઉપાશ્રયના તે વિભાગમાં મૂક્યા હોય અને સાધ્વીઓના આવવાના સમયે અસાવધાનીના કારણે લેવાનું ભૂલી ગયા હોય અથવા રસ્તામાં ઉપકરણ ભૂલથી રહી ગયા હોય, તો તેનું અહીં પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. ઉપહાસ, કુતૂહલ વગેરે કારણથી સાધ્વીના આગમન માર્ગમાં રજોહરણ વગેરે કોઈ પણ વસ્તુ રાખી હોય, તો તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. નવો કલહ ઉત્પન્ન કરવો - ३६ जे भिक्खू णवाई अणुप्पण्णाई अहिगरणाइं उप्पाएइ, उप्पाएंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નવા-નવા કલહ ઉત્પન્ન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સૂત્રમાં “અધિકરણ' શબ્દથી કલહ-ક્લેશ સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે. અધિકરણ- જેના દ્વારા આત્મા અધોગતિમાં પડે, તે અધિકરણ. ક્લેશ જીવને અધોગતિમાં લઈ જાય છે માટે તેને અધિકરણ કહેવામાં આવે છે આ સૂત્રમાં શસ્ત્રાદિ દ્રવ્ય અધિકરણનો અધિકાર નથી પરંતુ ક્રોધ, માન, માયા અને લોભથી જે કલહ-ઝગડા થાય, તે ભાવ અધિકરણનો અધિકાર છે. ઉગ્રપ્રકૃતિ, અતિવાચળ તા, નિરર્થક ભાષણ, હાસ્ય કે કુતૂહલથી કલહ ઉત્પન્ન થાય છે.
કલહરૂ૫ અધિકરણના કારણે સાધુનો અપયશ ફેલાય છે. જ્ઞાન-દર્શન- ચારિત્ર-તપનો હાસ થાય છે, સંસારની વૃદ્ધિ થાય છે. સૂયગડાંગ સૂત્ર, અ.-૨, ૬-૨, ગા.- ૧૯માં પણ કહ્યું છે કે
Page #139
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૪
[ ૭૧ ]
अहिगरण कडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं ।
अट्ठ परिहायइ बहु, अहिगरणं ण करेज्ज पंडिए । ક્લેશ કરવાથી સંયમની અત્યધિક હાનિ થાય છે, કટુવચન બોલવાથી પરસ્પરમાં અસમાધિ અને અશાંતિની વૃદ્ધિ થાય છે માટે સાધુ અધિકરણ અને અધિકરણની ઉત્પત્તિના કારણોથી હંમેશાં દૂર રહે.
લહની ઉદીરણા - |३७ जे भिक्खू पोराणाइ अहिगरणाई खामिय विओसमियाई पुणो उदीरेइ उदीरेंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ક્ષમાયાચનાથી ઉપશાંત થયેલા જૂના ક્લેશ(ઝગડા)ને પુનઃ ઉત્પન્ન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
વંદના કરી વિધિપૂર્વક ખમાવી જે ક્લેશને શાંત કર્યો હોય, તે ક્લેશ પુનઃ જાગૃત ન થાય તે માટે સાધુએ સાવધાન રહેવું જોઈએ. ક્લેશને ઉત્પન્ન કરે તેવા પ્રસંગો, નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. વિવેક રાખવા છતાં પણ ક્લેશ ઉત્પન્ન થવાની સંભાવના હોય તો તે વ્યક્તિના સંપર્કથી જ દૂર રહેવું જોઈએ. શાંત થયેલા ક્લેશને પુનઃ ઉદીરિત કરે, તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે. કલેશની ઉદીરણાના દોષો :- સાધુ પૂર્વગત શાંત ક્લેશને પુનઃ ઉત્પન્ન કરે, તો આજ્ઞાભંગ, મિથ્યાત્વ સંયમ વિરાધના આદિ દોષ લાગે છે. ક્લેશથી મનમાં સંતાપ, લોકમાં અપયશ થાય છે, જ્ઞાનાદિની હાનિ થાય છે. ક્લેશમાં જ સ્વાધ્યાયનો સમય સમાપ્ત થઈ જાય, સ્વાધ્યાયમાં પ્રમાદ, અન્ય સાધુ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. ક્લેશથી સંસારની વૃદ્ધિ થાય છે માટે ક્લેશની ઉદીરણા સાધુ ન કરે. ખડખડાટ હસવું - ३८ जे भिक्खू मुहं विप्फालिय-विप्फालिय हसइ, हसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ખડખડાટ હસે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :સાધુએ મુખથી અવાજ થાય તે રીતે મોટેથી હસવું ન જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે
णिदं च ण बहु मणेज्जा, सप्पहासं विवज्जए ।
મિ દિન, સફાયરન ર સયા | દશવૈકાલિક સૂત્ર, અ૮, ગાથા-૪૨. અર્થ- સાધુએ બહુ નિદ્રા ન કરવી જોઈએ અને ખડખડાટ હાસ્યનો ત્યાગ કરવો જોઈએ, પરસ્પર વાતો કરવામાં અને ઠઠ્ઠા મશ્કરી કરવામાં સાધુએ સમય વ્યતીત ન કરવો જોઈએ, પરંતુ સ્વાધ્યાયાદિમાં લીન રહેવું જોઈએ.
હસં રિના સે નિri, નો સિવ આચારાંગ સૂત્ર, શ્ર૨, અ. ૧૫.
Page #140
--------------------------------------------------------------------------
________________
[
૭૩
]
શ્રી નિશીથ સૂત્ર
અર્થ– ભિક્ષુ હાસ્યનો ત્યાગ કરનાર હોય છે માટે સાધુએ હાસ્ય કરવું ન જોઈએ. હાસ્યના દોષો :- લોકમાં નિંદા થાય, વાયુકાય તથા સંપાતિમ જીવોની વિરાધના થાય છે, તેથી સંયમ વિરાધના થાય જેના ઉપર હાસ્ય કર્યું હોય તેને દુઃખ થાય, તેને પોતાનું અપમાન લાગે, અપમાન રોષ કે વેરનું કારણ બને, શત્રુભાવની વૃદ્ધિ થાય, માટે ખડખડાટ હસવું નહિ, પણ ગંભીર સ્વભાવથી સંયમ આરાધનામાં રત રહેવું જોઈએ. પાર્થસ્થાદિ સાથે સંવાડાનું આદાન-પ્રદાનઃ३९ जे भिक्खू पासत्थस्स संघाडयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પાર્થસ્થને સંઘાડો આપે કે આપનારનું અનુમોદન કરે, ४० जे भिक्खू पासत्थस्स संघाडयं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાર્થસ્થ પાસેથી સંઘાડો ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ४१ जे भिक्खू ओसण्णस्स संघाडयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અવસન્ન(ઓસના)ને સંઘાડો આપે કે આપનારનું અનુમોદન કરે, ४२ जे भिक्खू ओसण्णस्स संघाडयं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અવસત્ર(ઓસના) પાસેથી સંઘાડો ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે ४३ जे भिक्खू कुसीलस्स संघाडयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કુશીલને સંઘાડો આપે કે આપનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू कुसीलस्स संघाडयं पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કુશીલ પાસેથી સંઘાડો ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ४५ जे भिक्खू संसत्तस्स संघाडयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સંસક્તને સંઘાડો આપે કે આપનારનું અનુમોદન કરે, ४६ जे भिक्खू संसत्तस्स संघाडयं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સંસક્ત પાસેથી સંઘાડો ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ४७ जे भिक्खू णितियस्स संघाडयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નિત્યકને ને સંઘાડો આપે કે આપનારનું અનુમોદન કરે, ४८ जे भिक्खू णितियस्स संघाडयं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નિત્યક પાસેથી સંઘાડો ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
શ—૪
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાર્શ્વસ્થ આદિ સાથે સંઘાડાના આદાન-પ્રદાનનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. સંપાયુંઃ— બે અથવા બે થી વધુ સાધુઓના સમૂહને સંઘાટક-સંઘાડો કહેવામાં આવે છે. અનેક સંઘાડાના સમૂહને ગણ કે ગચ્છ કહેવામાં આવે છે. આગમમાં કોઈ-કોઈ સ્થાને સંઘાડા માટે ગણ શબ્દનો પ્રયોગ પણ જોવા મળે છે. અન્ય કોઈ પાર્શ્વસ્થ આદિ સાધુને સેવા વગેરેના પ્રયોજનથી સંઘાડો આપે અર્થાત્ પોતાના એક કે વધુ શિષ્યને તે સાથે મોકલે તો તે સંઘાડો આપ્યો કહેવાય અને સહાય માટે પાર્શ્વસ્થના એક-બે કે વધુ શિષ્યને સ્વીકારે, તો તે સંઘાડો લીધો કહેવાય છે.
૭૩
પાર્શ્વસ્થાદિ સાથે સંઘાડાના આદાન-પ્રદાનના દોષો :- પાર્થસ્થાદિ સાથે રહેતાં તથા ગોચરીએ જતાં આચાર ભેદ અથવા ગર્વપણા ભેદના કારણે શ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. તેમજ બંનેના આચારમાં ભિન્નતા દેખાવાથી જૈન શાસનની અવહેલના થાય છે તથા તે પાર્શ્વસ્થ આદિની અશુદ્ધ ગવેષણા અને આચારની અનુમોદનાના નિમિત્તે કર્મબંધ પણ થાય છે, માટે તેઓને સંઘાડો અર્થાત્ એક સાધુ કે અનેક સાધુઓ દેવા કે લેવા કલ્પતા નથી. બાહ્ય વ્યવહારમાં જે સમાન આચાર-વિચારવાળા હોય, તેઓ સાથે જ રહેવાથી સંયમ સાધના શાંતિપૂર્વક સંપન્ન થાય અને વ્યવહાર પણ શુદ્ધ રહે છે.
पासत्था :- यो ज्ञान-दर्शन- चारित्र तपसां पार्क-समीपे तिष्ठति न तु तेषामाराधको भवति स પાઈĂ: । જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની સમીપે રહે છે પણ તેના આરાધક નથી, તે પાર્શ્વસ્થ કહેવાય છે. બીજી રીતે પાસ' એટલે બંધન, ‘ત્યા' એટલે સ્થિત. જે કર્મ બંધનના કર્મપાશના કારણોમાં અર્થાત્ આશ્રવમાં સ્થિત રહે છે, તે પાસસ્થ—પાર્શ્વસ્થ કહેવાય છે.
દેશળ:-જે આળસના કારણે ચારિત્રને ખંડિત કરે છે, તે અવસન્ન કહેવાય છે. અવસળ, ओसण्ण કે કહ્યું એ સ્ત્રોતના પર્યાયવાચી શબ્દ જ છે. સમાવાä વિતત ગોસને પાવતી તત્ત્વ । સમાચારીથી વિપરીત આચરણ કરનારને ભાષ્યકારે અવસન કહ્યા છે
आवासग सज्झाए, पडिलेहज्झाण भिक्ख भत्तट्ठे ।
काठस्सग्ग पडिक्कमणे, कितिकम्म णेव पडिलेहा ॥ ४३४५ ॥
आवासगं अणियतं करेति हीणातिरित्त विवरीयं ।
गुरुवयण णियोग वलयमाणे, इणमो उ ओसणो ॥ ४३४६ ॥
અર્થ ‘આવસહિ’ આદિ સમાચારી, સ્વાધ્યાય, પ્રતિલેખન, ધ્યાન, ગવેષણા, વિધિપૂર્વક આહાર, કાયોત્સર્ગ, પ્રતિક્રમણ, કૃત્તિકર્મ-વંદનવિધિ, પ્રતિલેખન, આ આરાધનાઓ ન કરે અથવા ક્યારેક કરે ક્યારેક ન કરે, ન્યૂનાધિક કરે, વિપરીત કરે, સંયમના શુદ્ઘપાલન માટે ગુરુજનો પ્રેરણા કરે તો તેની અવહેલના કરે તેને ઓસન્—અવસન્ન કહેવામાં આવે છે.
कुसीला · સંયમ જીવનમાં નહિ કરવા યોગ્ય, નિંદનીય કાર્ય કરે તે કુશીલ કહેવાય છે.
-
कोउय भूतिकम्मे, पसिणापसिणं णिमित्तमाजीवी ।
कक्क कुरुय सुमिण लक्खण, मूलमंतं विज्जोवजीवी कुसीलो उ ॥ ४३४९ ॥
અર્થ— કૌતુકકર્મ, ભૂતિકર્મ, અંજન કરી પ્રશ્નોત્તર કરવા, નિમિત્ત શાસ્ત્રથી આજીવિકા ચલાવવી, કકાદિથી
Page #142
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી નિશીથ સૂત્ર
ઉબટન કરવું વગેરે બકુશ ભાવનું સેવન કરે તથા સ્વપ્ન શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર, મૂળકર્મ (કંદમૂળના ઉપચાર બતાવવા), મંત્ર-વિધાનો પ્રયોગ કરે તે કુશીલ કહેવાય છે. संसत्ताः-संखेवो इमो-जो जारिसेसु मिलति सो तारिसो चेव भवति एरिसो संसत्तो णायव्वोચૂર્ણિ, અર્થ જે સાધુ સાથે રહે તેના જેવા બની જાય તેને સંસક્ત કહેવાય છે. જો તે પાર્થસ્થ સાથે રહે તો પાર્થસ્થ જેવો અને જો પ્રિયધર્મી સાથે રહે તો પ્રિયધર્મી બની જાય છે.
पंचासव पवतो जो खलु तिहिं गारवेहिं पडिबद्धो ।
इत्थिगिहि संकिलिट्ठो, संसत्तो सो य णायव्वो ॥४३५२॥ અર્થ– પાંચ આશ્રવમાં પ્રવૃત્ત, ત્રણ ગારવમાં વૃદ્ધ, સ્ત્રી અને ગૃહસ્થ સાથે સંશ્લિષ્ટ અર્થાત્ ગૃહસ્થના પરિવાર સંબંધી કાર્યમાં પ્રતિબદ્ધ થઈ જાય તે સંસત્ત કહેવાય છે. ઉત્તિર :- જે સાધુ એક સ્થાને નિત્ય રહે છે તેને “નિતિય-નિત્યક’ કહેવામાં આવે છે. તે નિત્યકના બે પ્રકાર છે– (૧) કાલાતિક્રાંત નિત્યક અને (૨) ઉપસ્થાન નિત્યક. (૧) કાલાનિકાંત નિત્યક- જે માસ કલ્પ અને ચાતુર્માસ કલ્પની મર્યાદાનું નિષ્કારણ ઉલ્લંઘન કરી નિરંતર એક જ ક્ષેત્રમાં રહે છે તે. (૨) ઉપસ્થાન નિત્યક-માસ કલ્પ કે ચાતુર્માસ કલ્પ પૂર્ણ થયા પછી અન્ય ક્ષેત્રમાં બમણોકાળ વ્યતીત કર્યા વિના જ તે ક્ષેત્રમાં આવીને રહે છે.
નિશીથસૂત્રોની અન્ય પ્રતોમાં આ દસ સૂત્રોના ક્રમમાં તફાવત જોવા મળે છે. અહીં ભાષ્ય અને ચૂર્ણ અનુસાર સૂત્ર અને તેનો ક્રમ રાખવામાં આવ્યો છે.
કોઈ ગીતાર્થ મુનિ કે ગીતાર્થની આજ્ઞા પ્રાપ્ત મુનિ કોઈ વિશેષ અપવાદિક સ્થિતિમાં ઉપરોક્ત પાર્થસ્થ આદિ જેવી કોઈ પણ પ્રવૃત્તિ કરે તો તે પાર્થસ્થ કહેવાતા નથી. તે પ્રતિસેવી નિગ્રંથ જ કહેવાય છે. આ સૂત્ર દ્વારા તેમને પ્રાયશ્ચિત્ત આવતું નથી. સચિત્ત લિપ્ત હસ્તાદિથી આહાર ગ્રહણ :|४९ जे भिक्खू उदउल्लेण हत्थेण वा मत्तेण वा दव्वीएण वा भायणेण वा असणं वा पाणं वा खाइम वा साइम वा पडिग्गाहेइ पडिग्गाहेंत वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સચિત્ત પાણીવાળા(ભીના) હાથથી, માટીના વાસણથી, કડછીથી કે કોઈ ધાતુના વાસણથી અપાતા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
५० जे भिक्खू मट्टियासंसटेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત માટીથી લિપ્ત હાથથી યાવત ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ५१ जे भिक्खू ऊससंसद्रुण हत्थेण वा जाव पडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સાજીખારથી લિપ્ત હાથથી યાવતું ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ५२ जे भिक्खू हरियाल(पिट्ठ)संसद्रुण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ ।
Page #143
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૪
૭૫
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી હરતાલ (ચૂર્ણ)થી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, ५३ जे भिक्खू हिंगुल ( पिट्ठ) संसद्वेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहें वा साइज्जइ ।
-
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી હિંગળો (ચૂર્ણ)થી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, ५४ जे भिक्खू मणोसिल (पिट्ट) संसट्टेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहें वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મનઃશીલ-પીળી કઠોર માટી(ચૂર્ણ)થી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
५५ जे भिक्खू अंजण (पिट्ठ) संसट्टेण हत्थेण वा जाव पडिग्गाहेइ पडिग्गार्हेतं वा साइज्जइ ।
ભાવાર્થ -- જે સાધુ કે સાધ્વી અંજન–સુરમા(ચૂર્ણ)થી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
|५६ जे भिक्खू लोण ( पिट्ठ) संसट्टेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहें वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મીઠાના ચૂર્ણથી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, ५७ जे भिक्खू गेरुय ( पिट्ठ) संसट्टेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहें वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગેરુ–કઠોર લાલ માટીના ચૂર્ણથી લિપ્ત હાથથી યાવત્ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
५८ जे भिक्खू वण्णिय ( पिट्ठ) संसट्टेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहें वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વર્ણિક—પીળી કઠોર માટીના ચૂર્ણથી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
५९ जे भिक्खू सेढिय ( पिट्ठ) संसद्वेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहें व साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ખડી—સફેદ કઠોર માટીના ચૂર્ણથી લિપ્ત હાથથી યાવત્ ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
६० जे भिक्खू सोरट्ठियपिट्ठसंसद्वेण हत्थेण वा जाव पडिग्गाहेइ पडिग्गाहें तं वा साइज्जइ ।
Page #144
--------------------------------------------------------------------------
________________
[
૭૪ ]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સચિત્ત ફટકડીના ચૂર્ણથી લિપ્ત હાથથી લાવતું ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |६१ जे भिक्खू कुक्कुससंसद्रुण हत्थेण वा जावपडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી લીલી વનસ્પતિના બારીક છીલકા, ટુકડાદિથી લિપ્ત હાથથી થાવત્ ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
६२ जे भिक्खू उक्कुट्ठसंसद्रुण हत्थेण वा जावपडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી લીલી વનસ્પતિના ચૂર્ણથી લિપ્ત હાથથી યાવત ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ६३ जे भिक्खू असंसद्रुण हत्थेण वा जाव पडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અલિપ્ત હાથથી થાવ ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં આહાર ગ્રહણ સમયે વિવિધ પ્રકારે પૃથ્વીકાયાદિ સ્થાવર જીવોની વિરાધના થઈ જાય, તો તેનું પ્રાયશ્ચિત્ત કથન છે.
૪૯મા સૂત્રમાં અપ્લાયની વિરાધના, ૫૦ થી ૬૦ સુધીના સૂત્રોમાં પૃથ્વીકાયની વિરાધના અને ૬૧-દરમા સૂત્રમાં વનસ્પતિકાયની વિરાધનાની અપેક્ષાએ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. કિયા :- સાધારણ માટી, ચીકણી માટી, કાચું મકાન બનાવવામાં, માટીના માટલા બનાવવામાં જે માટી વપરાય છે. અલ- ૩ઃ પશુવારઃ- દશવૈકાલિકચૂર્ણિ, ઉખર ભૂમિ ઉપર ખારો જામેતે વસશાકભાજીને સુધારતાં જે બારીકમાં બારીક ટુકડા, છીલકાદિ હાથ વગેરે ઉપર ચોંટી જાય તેને જીવન સંસદુ કહે છે. ૩૬૦૬- કોથમીર વગેરેને અત્યંત પીસીને ચટણી બનાવવામાં આવે, તે તત્કાલ સચિત્ત હોય છે, તેનાથી ખરડાયેલા હાથ વગેરેને ૩૬ સંસદ કહે છે.
આ સૂત્રોમાં “સચિત્ત' શબ્દનો પ્રગટ પ્રયોગ નથી. તે અધ્યાહાર છે, માટે આ સૂત્રોમાં સચિત્ત પાણી, સચિત્ત માટી તેમ સમજવું આવશ્યક છે. પાણી-માટી વગેરે શસ્ત્ર-પરિણત થયા પછી અચિત્ત કહેવાય છે અને તેવા અચિત્ત પાણીવાળા હાથ આદિ હોય તેવા ગૃહસ્થ પાસેથી સાધુ આહાર ગ્રહણ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. સચિત્ત પાણી આદિવાળા હાથથી અપાતા આહારને ગ્રહણ કરે તો તેમાં જીવ વિરાધના થાય છે.
૩માં સૂત્રમાં પશ્ચાત્ કર્મની અપેક્ષાએ અસંસૃષ્ટિનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ભિક્ષા દાતાના હાથ અલિપ્ત એટલે કોઈ પણ સચિત્ત કે અચિત્ત પદાર્થથી ખરડાયેલા ન હોય, તેવા હાથથી ખાદ્ય સામગ્રી સાધુને આપે તો દાતાના હાથ તે ખાદ્ય વસ્તુથી લિપ્ત થાય અને સાધુના ગયા પછી દાતા સચિત્ત પાણીથી તે હાથ ધુએ, તો સાધુને પશ્ચાત્ કર્મ દોષ લાગે; તે જ અપેક્ષાએ અહીં અસંસૃષ્ટ–અલિપ્ત હાથથી આહાર ગ્રહણ કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે, પરંતુ કેટલીક વાર સાધુ અસંતૃષ્ટ હાથથી ભિક્ષા ગ્રહણ કરી શકે છે. આગામોમાં
Page #145
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૪
તેના વિધિ-નિષેધ પ્રાપ્ત થાય છે. (૧) હાથ જો પહેલેથી જ કોઈ વસ્તુથી લિપ્ત હોય અને દાતા સાધુને તે હાથથી ખાધ સામગ્રી આપે, તો તે હાથ સાધુના નિમિત્તે લિપ્ત થયા નથી, તેથી સાધુને પશ્ચાત્ કર્મ દોષ ન લાગે અને તેવા લિપ્ત હાથથી સાધુ આહાર લઈ શકે છે. (૨) જો ખાધ સામગ્રી હાથને લિપ્ત કરે તેવી ન હોય, તો તે પણ અસંતૃષ્ટ હાથથી લઈ શકાય. (૩) દશ, અ. ૫, ગા. ૩૫. પ્રમાણે દાતા વિવેક સંપન્ન હોય અને પશ્ચાત્ કેમે દોષ લાગવા દે તેમ ન હોય, તો અસંતૃષ્ટ હાથથી આહાર ગ્રહણ કરી શકાય છે.
આચા., શ્ર.-૨, અ-૧, ઉ.–દમાં તથા દશ, અ–પ, ઉ.–૧માં ૧૬ પ્રકારના પદાર્થથી હાથ લિપ્ત હોય તો આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી તેવું વિધાન છે, તેના આ પ્રાયશ્ચિત્ત સૂત્રો છે.
fપટ્ટ- ચૂર્ણ. નિશીથ સૂત્રની અન્ય પ્રતોમાં તથા ચૂર્ણિકારે પદું શબ્દથી અલગ સૂત્ર કહ્યું છે તેઓએ ઉપદૃશબ્દનો અર્થ લોટ કર્યો છે. ધાન્યનો લોટ કર્યા પછી અમુક સમય સુધી તે સચિત્ત રહે છે તેવા સચિત્ત લોટ વાળા હાથથી અપાતી ભિક્ષા ગ્રહણ ન કરે.
પ્રસ્તુતમાં પદું શબ્દને માટીના વિશેષણ રૂપે ગ્રહણ કરીને ખાવાથી લઈ નોદિય સુધીની જે કઠોર માટી છે તે સર્વ સાથે જિદ્દે શબ્દનો જોડી દેવો આવશ્યક છે. જિદ્દનો અર્થ ચૂર્ણ થાય છે અને કઠોર માટીના ચૂર્ણથી હાથ લિપ્ત થાય છે. હરતાલ વગેરે કઠોર માટી(હરતાલ વગેરેના પત્થર)થી હાથ લિપ્ત થતાં નથી પરંતુ તેનું બારીક ચૂર્ણ કરવામાં આવે, તો તે ચૂર્ણથી હાલ લિપ્ત થાય છે માટે હરિયાત પડ્યું – હરતાલ ચૂર્ણ, અસિત ૬િ – મનઃશીલનું ચૂર્ણ, આ પ્રમાણે અર્થ કરી ૬િ શબ્દ પ્રયોગ સાથે અલગ સૂત્ર આપ્યું નથી. પ્રસ્તુતમાં રિયાત વગેરે પછી કૌંસ અને ઇટાલી ટાઈપમાં પ૬ શબ્દ મૂક્યો છે.
ભાષ્ય-ચૂર્ણિ તથા અન્ય પ્રતોમાં મૂળપાઠમાં ભિન્નતા જોવા મળે છે. કેટલીક પ્રતોમાં સોદિય સૂત્ર નથી અને તાવ, સોદ્ધા, વ૬, મૂલ, સિવેર, પુખ ના એક-એક સૂત્ર જોવા મળે છે. અહીં ભાષ્ય પ્રમાણે સૂત્રની સંખ્યા અને ક્રમને સ્વીકાર્યો છે. ભાષ્યા ગાથા
उदउल्ल मट्टिया वा, ऊसगते चेव होति बोधव्वे । हरिताले हिंगुलाए, मणोसिला अंजणे लोणे ॥१८४८॥ गेरुय वण्णिय सेढिय, सोरट्ठियपिट्ठ कुक्कुसकए य ।
उक्कुट्ठमसंसट्टे, णेयव्वे आणुपुवीए ॥१८४९॥ લોધ્ર, કંદ, મૂળ, સિંગબેર, પુષ્ફગ આ સર્વ વનસ્પતિના જ પ્રકાર છે. અહીં રુfસ અને ૩૬માં તેનો સમાવેશ થઈ જાય છે, માટે અન્ય પ્રતો સાથે કોઈ તાત્વિક વિરોધ આવતો નથી. પરસ્પર કરાતું શરીર પરિકર્મ - ६४ जे भिक्खू अण्णमण्णस्स पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जत वा पमज्जत वा साइज्जइ । एवं तइयउद्देसगमेणं णेयव्वं जाव..... जे भिक्खू गामाणुगामं दूइज्जमाणे अण्णमण्णस्स सीसदुवारियं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ પરસ્પર એકબીજાના પગને એકવાર અથવા વારંવાર આમર્જન કરે છે તેમ
Page #146
--------------------------------------------------------------------------
________________
૭૮ |
શ્રી નિશીથ સૂત્ર
કરનારનું અનુમોદન કરે છે. આ રીતે ત્રીજા ઉદ્દેશકના ૪૦ સૂત્રની સમાન સૂત્રો કહેવા યાવત જે સાધુ ગ્રામાનુગ્રામ વિહાર કરતા સમયે પરસ્પર એક બીજાના મસ્તકને ઢાંકે કે ઢાંકનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુ અન્ય સાધુના કે સાધ્વી અન્ય સાધ્વીના પગનું પ્રમાર્જન આદિ કરે તેનું અતિદેશાત્મક કથન છે. ત્રીજા ઉદ્દેશકના ૧૬ થી ૪૦ સૂત્ર પ્રમાણે જ અહીં તે ક્રિયાઓ સમજવી. આ સર્વ પરિકર્મ સૂત્રોમાં નિષ્કારણ, કુતૂહલ કે અનુરાગથી પરસ્પરનું શરીર પરિકર્મ કરવાનું પ્રાયશ્ચિત્ત સમજવું, સકારણ પરસ્પરમાં શરીર પરિકર્મ કરવા પડે તો તેનું પ્રાયશ્ચિત્ત નથી. પરિષ્ઠાપના સમિતિના દોષો - |६५ जे भिक्खू साणुप्पए उच्चार-पासवणभूमि ण पडिलेहेइ, ण पडिलेहतं वा સાન્ન ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી દિવસની ચોથી પોરસીના ચોથા ભાગે ઉચ્ચાર-પ્રસવણ ત્યાગ કરવાના સ્થાનનું(ઈંડિલ ભૂમિનું) પ્રતિલેખન ન કરે કે ન કરનારનું અનુમોદન કરે, |६६ जे भिक्खू तओ उच्चार-पासवणभूमिओ ण पडिलेहेइ, ण पडिलेहेंतं वा સારૂ I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ત્રણ ઉચ્ચાર-પ્રસવણ ભૂમિનું પ્રતિલેખનન કરે કે ન કરનારનું અનુમોદન કરે,
६७ जे भिक्खू खुड्डागंसि थंडिलंसि उच्चार-पासवणं परिहवेइ, परिहवेंतं वा સાક્કા
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી (એક હાથથી પણ) ટૂંકી જગ્યામાં ઉચ્ચાર-પ્રસવણનો ત્યાગ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે. ६८ जे भिक्खू उच्चार-पासवणं अविहीए परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અવિધિએ ઉચ્ચાર-પ્રસવણ પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, |६९ जे भिक्खू उच्चार-पासवणं परिट्ठवेत्ता ण पुंछइ, ण पुंछतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ઉચ્ચાર-પ્રસવણ ત્યાગ કર્યા પછી લેપ્ય અંગને લૂછે નહિ કે તેમ કરનારનું અનુમોદન કરે, ७० जे भिक्खू उच्चार-पासवणं परिट्ठवेत्ता कट्टेण वा किलिंचेण वा अंगुलियाए वा सलागाए वा पुछइ, पुंछत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ઉચ્ચાર-પ્રસવણ ત્યાગ કર્યા પછી કાષ્ઠ, વાંસની છોઈ આંગળી કે કોઈ પણ સળીથી લેપ્ય અંગને લૂછે કે તેમ કરનારનું અનુમોદન કરે,
Page #147
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૪
[ ૭૯ |
७१ जे भिक्खू उच्चार-पासवणं परिट्ठवेत्ता णायमइ, णायमतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ઉચ્ચાર-પ્રસવણ ત્યાગ કર્યા પછી આચમન-લેપ્ય અંગનું પ્રક્ષાલન ન કરે ન કરનારનું અનુમોદન કરે, ७२ जे भिक्खू उच्चार-पासवणं परिहवेत्ता तत्थेव आयमइ, आयमतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વીએ જે સ્થાનમાં ઉચ્ચાર-પ્રસવણનો ત્યાગ કર્યો હોય તે જ સ્થાને આચમન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |७३ जे भिक्खू उच्चार-पासवणं परिट्ठवेत्ता अइदूरे आयमइ आयमंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઉચ્ચાર-પ્રસવણનો ત્યાગ કર્યો હોય તે સ્થાનથી અતિદૂર જઈ આચમન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ७४ जे भिक्खू उच्चार-पासवणं परिढुवेत्ता परं तिण्हंणावापूराणं आयमइ, आयमंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ઉચ્ચાર-પ્રસવણ ત્યાગ કર્યા પછી ત્રણ અંજલી પ્રમાણથી વધુ પાણી વડે આચમન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત દસ સૂત્રોમાં ઉચ્ચાર-પ્રસવણ-વિસર્જન સંબંધી સમાચારી ઉલ્લંઘનનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. સાધુની પાંચ સમિતિઓમાં પાંચમી સમિતિ પરઠવા વિષયક છે.
સાધુ દિવસે ઈંડિલ ભૂમિનું પ્રતિલેખન કરી તેનો ઉપયોગ કરે છે અને રાત્રે તેનો ઉપયોગ કરવા માટે દિવસે જ દિવસના ચોથા પ્રહરમાં તેનું પ્રતિલેખન કરવાનું વિધાન ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨૬માં છે અને તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. સાપુ :- આ શબ્દ દ્વારા પરઠવા યોગ્ય ભૂમિનું પ્રતિલેખન કરવાના સમયનું કથન કરવામાં આવ્યું છે. સાપુણો ગામ વ8મા વસેલ રિમાણ પરિક્ષણ અંતિમ-ચોથી પોરસીના ચોથા ભાગના ચરમકાલમાં, સંધ્યા સમયે સ્વાધ્યાયનો અસક્ઝાય કાળ આવે ત્યારે પરઠવાની ભૂમિનું પ્રતિલેખન અવશ્ય કરવું જોઈએ. પરઠવાની ભૂમિનું પ્રતિલેખન ન કરવાના દોષો:- રાત્રિમાં પરઠવા માટે તે અંડિલ ભૂમિનું દિવસે પ્રતિલેખન કરવામાં આવે તો જ કીડી વગેરેના દર, લીલી વનસ્પતિ, સચિત્ત પૃથ્વી આદિની ખબર પડે. જો અપ્રતિલેખિત ભૂમિનો રાત્રે ઉપયોગ કરવામાં આવે તો અંધારામાં ન દેખાવાથી છકાય જીવોનું ઉપમર્દન અને તેથી સંયમ વિરાધના થાય, અપ્રતિલેખિત ભૂમિમાં સર્પાદિના ઉપઘાતની સંભાવના રહે અને તેના દ્વારા આત્મવિરાધના થાય, અપ્રતિલેખિત ભૂમિ વિષમ(ખાડા-ટેકરાવાળી) હોય તો પડી જવાથી ઉપકરણાદિ કે હાથ-પગ આદિ તૂટી જવાની સંભાવના રહે. ઉપરોક્ત દોષોથી બચવા માટે દિવસના
Page #148
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
શ્રી નિશીથ સૂત્ર
અંતિમ પ્રહરના અંતિમ ભાગમાં પરઠવાની ભૂમિનું અવશ્ય પ્રતિલેખન કરવું જોઈએ. ભાષ્યકારે આ સૂત્રના ભાવોને સ્પષ્ટ કરતા કહ્યું છે કે
साणुप्पाए काले, पडिलेह णो करिज्ज जो भिक्खू ।
उच्चारपासवणस्स, भूमीए पावए मिच्छ ॥ સંધ્યા સમયે ઉચ્ચાર-પ્રસવણ ભૂમિનું જે ભિક્ષુ પડિલેહણ ન કરે તે મિથ્યાત્વ વગેરે અનેક દોષોને પ્રાપ્ત થાય છે. તો વાર-પાવનભૂમિ :- પરઠવાની ત્રણ ભૂમિ. શાસ્ત્રકારોએ દિવસના અંતિમ પ્રહરમાં ત્રણ ભૂમિનું પ્રતિલેખન કરવા કહ્યું છે, કારણ કે એક જ ભૂમિનું પ્રતિલેખન કર્યું હોય અને તેના ઉપયોગ કરવાના સમયે ત્યાં કોઈ હિંસક પશુ આવીને બેસી જાય, વગેરે કોઈપણ પ્રકારની બાધા ઉત્પન્ન થાય અને તે ભૂમિનો ઉપયોગ થઈ શકે તેમ ન હોય, તો બીજી કે ત્રીજી પ્રતિલેખિત ભૂમિનો ઉપયોગ કરી શકાય; જો એક જ ભૂમિનું પ્રતિલેખન કર્યું હોય અને પ્રતિલેખિત ભૂમિમાં બાધા ઉત્પન્ન થતાં અપ્રતિલેખિત ભૂમિનો ઉપયોગ કરવો પડે અને તો સંયમ વિરાધના, આત્મવિરાધના જેવા ઉપરોક્ત દોષોની સંભાવના રહે છે માટે સાયંકાલે ત્રણ ભૂમિનું પ્રતિલેખન અવશ્ય કરવું જોઈએ, ન કરવાથી આ સૂત્ર ૧૧૯ અનુસાર તે ભિક્ષુ પ્રાયશ્ચિત્ત ને પ્રાપ્ત થાય છે. ત્રણ ભૂમિનું વિશ્લેષણ કરતાં ભાષ્યમાં સ્પષ્ટ કર્યું છે કે- આ ત્રણ ભૂમિ આસન, મધ્યરૂપા અને દૂરસ્થ તેમ ત્રણ પ્રકારની હોય છે. (૧) ઉપાશ્રયની નજીકની પરઠવાની ભૂમિ તે પ્રથમ આસન ભૂમિ છે. (૨) ૧૦૦ હાથ દૂરની બીજી મધ્યરૂપા ભૂમિ છે અને પોતાના સ્થાનથી ર૫૦ હાથ દૂરની ભૂમિ તે ત્રીજી દૂરસ્થ ભૂમિ કહેવાય છે. આ ત્રણ ભૂમિનું પ્રતિલેખન કરવું જોઈએ. ઈંડિલ ભૂમિનો વિસ્તાર – પરાઠવા યોગ્ય ભૂમિ એક હાથ લાંબી અને એક હાથ પહોળી તથા નીચે ચાર આંગુલ સુધી અચિત્ત હોય તેવી ભૂમિ જઘન્ય વિસ્તીર્ણ કહેવાય છે. એક હાથથી અલ્પ વિસ્તારવાળ ૧ ભૂમિને ક્ષુલ્લક ડુકાન ભૂમિ કહેવામાં આવે છે. હુ ભૂમિમાં પરઠે તો તે અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. ભાષ્યકારે કહ્યું છે–
विक्खंभायामेहिं, रयणीमेत्तं हवेज्ज थंडिल्लं । चउरंगुल मोगाढं, जहण्ण वित्थिण्णमच्चित्तं ॥ एत्तो हीणतरं जं, खुड्डागं थंडिलं मुणेयव्वं ।
एत्थ य परिट्ठवेंतो, आणाभंगाइ पावेइ ॥ રત્ની એટલે હાથ પ્રમાણ લાંબી-પહોળી તથા ચાર અંગુલ અવગાઢ એટલે ઊંડાઈમાં અચિત્ત એવી Úડિલ ભૂમિ “જઘન્ય વિસ્તીર્ણ” કહેવાય છે. તેનાથી ન્યૂનભૂમિ હુIIT કહેવાય છે. તેમાં પરઠે તો તેને આજ્ઞાભંગાદિ દોષ લાગે છે અને પ્રાયશ્ચિત્ત આવે છે. ઉચ્ચાર-પ્રસવણ પરઠવાની વિધિઃ- જે ભૂમિમાં ઉચ્ચાર-પ્રસવણનું વિસર્જન કરવાનું હોય તે સ્થાનનું પ્રથમ પ્રતિલેખન કરવું જોઈએ. જો ત્યાં ત્રસ જીવો હોય તો તેનું પ્રમાર્જન કરવું જોઈએ. આજુબાજુથી ગુહસ્થની દષ્ટિ ન પડે, કોઈપણ પ્રકારે શાસનની હીલના ન થાય, તે રીતે યતના અને વિવેકપૂર્વક પરઠવાની ક્રિયા કરે. કોઈદેવ-દાનવનો ઉપદ્રવન આવે તે માટે ભાષ્યકારે પરઠવાની વિધિમાં જુનાગદાસ્તુદો તેમ બોલી પરઠવાનું કહ્યું છે. કેટલીક પરંપરામાં “શકેન્દ્ર મહારાજની આજ્ઞા” તેમ બોલી, નીચા નમીને
Page #149
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૪
| | ૮૧ |
અર્થાત્ જમીનથી ચાર અંગુલ ઊંચેથી પરઠે, તેનાથી વધુ ઊંચેથી પરહે નહીં. ઇત્યાદિ પરઠવાની વિધિથી ન પડે તો પ્રાયશ્ચિત્ત આવે છે. ખાવાપૂર – હાથની પસલી કે અંજલી કરે તો તેનો આકાર નાવ જેવો થાય છે. પાણીથી ભરેલી અંજલી કે પસલીને નાવાપૂરક કહે છે. પારિવારિક સાધુ સાથે ભિક્ષાર્થગમન - ७५ जे भिक्खू अपरिहारिए णं परिहारियं वएज्जा- एहि अज्जो ! तुमं च अहं च एगओ असणं वा पाणं वा खाइम वा साइमं वा पडिग्गाहेत्ता तओ पच्छा पत्तेयंपत्तेयं भोक्खामो वा पाहामो वा, जो तं एवं वयइ, वयंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ :- અપારિવારિક સાધુ કે સાધ્વી પારિહારિક સાધુને એમ કહે કે હે આર્ય! આવો, તમે અને હું સાથે જઈ અશનાદિ આહાર ગ્રહણ કરીએ અને પછી આપણે બંને અલગ-અલગ આહાર-પાણી કરશું. આ પ્રમાણે જે કહે કે કહેનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકગત ૧૨૮ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારા સાધુ સાધ્વીને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પારિહારિક અને અપારિહારિક સાધુને એક સાથે ગોચરી જવા માટેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પારિવારિક-અપારિવારિક સાધુ - પ્રાયશ્ચિત્ત તપનું વહન ન કરનાર સાધુને અપારિહારિક સાધુ કહે છે અને માસિકથી છ માસિક સુધીના પ્રાયશ્ચિત્ત તપનું વહન કરનાર સાધુને પારિવારિક સાધુ કહે છે.
બીજા ઉદ્દેશકના ૪૦ થી ૪રમાં સૂત્રમાં પારિહારિક અને અપારિહારિક શબ્દનો પ્રયોગ છે અને ત્યાં પ્રસંગાનુસાર તેનો અર્થ અલગ થાય છે. ત્યાં એષણાના દોષોનો પરિહાર એટલે ત્યાગ કરનાર સાધુને પારિવારિક' (ઉત્તમ) સાધુ કહ્યા છે અને એષણાના દોષોનો ત્યાગ નહિ કરનાર એટલે એષણાના દોષો નું સેવન કરનારા સાધુને “અપારિહારિક' કહ્યા છે. આ રીતે પ્રસ્તુત સૂત્રોનુસાર પ્રાયશ્ચિત્ત તપને અપ્રાપ્ત ગચ્છના સમસ્ત શ્રમણ અપારિવારિક કહેવાય છે તથા પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત અને તેને વહન કરનાર શ્રમણ પારિવારિક કહેવાય છે. પારિહારિક તપનું સ્વરૂપ - કોઈ સાધુ મૂળગુણ સંબંધી ઉત્કૃષ્ટ દોષનું સેવન કરે, તો તેને એક મહિનાથી લઈ છ મહિના સુધીનું “પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. આ તપને વહન કરવા માટે યોગ્ય, સુદઢ સંહનન, વૈર્યવાન, ગીતાર્થ અને સમર્થ, તરુણ અને સ્વસ્થ હોય તેને જ આ પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. બાલ-વૃદ્ધ-રોગી કે સાધ્વીને આ પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી. સાધુને આ પ્રાયશ્ચિત્તમાં સ્થાપિત કરતા પહેલાં ગચ્છવાસી સર્વ સાધુને સૂચના આપી, તે સાધુ સાથેનો આહાર-પાણી આદિ સર્વ વ્યવહાર બંધ કરવામાં આવે છે. આચાર્ય સિવાયના ગચ્છના કોઈપણ સાધુ તેની
Page #150
--------------------------------------------------------------------------
________________
૮૨ |
શ્રી નિશીથ સૂત્ર
સાથે વાર્તાલાપ-સ્વાધ્યાય આદિ એક પણ કાર્ય કરી શકતા નથી. તે સાધુને આત્મશુદ્ધિ માટે ગચ્છ સંબંધી સર્વ વ્યવહારથી નિવૃત્ત કરવામાં આવે છે. પ્રાયશ્ચિત્ત શરુ થયા પછી તે સાધુએ સંપૂર્ણ રીતે આચાર્યની આજ્ઞામાં જ રહેવાનું હોય છે અર્થાતુ આચાર્ય જ માત્ર તેમની સાથે વાતચીત આદિ કરી શકે છે.
પારિહારિક સાધુને કોઈ કામ હોય, તો આચાર્યની આજ્ઞા લઈ તે કાર્ય કરી શકે છે, આચાર્ય પાસે આલોચના કરી શકે, પ્રશ્ન પૂછી શકે, તેમને જ આહાર બતાવી શકે છે. રોગાદિ થાય તો આચાર્યને જ કહે છે. બીજા સાધુઓને કહેવું કે પૂછવું કલ્પતું નથી. પારિવારિક સાધુને અસહ્યુવેદના થતી હોય તો પણ અન્ય સાધુ આચાર્યની આજ્ઞા વિના પારિહારિક સાધુની સેવા આદિ કરી શકતા નથી. ગોચરી આદિ કોઈ કાર્ય અર્થે બહાર ગયેલા પારિવારિક સાધુ પડી જાય કે આકસ્મિક પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો અન્ય સાધુ તાત્કાલિક સારવાર આપી ઉપાશ્રયે લાવી આચાર્યને જાણ કરે અને ત્યાર પછી આચાર્ય કહે તે રીતે પારિવારિક સાધુની સેવા અપારિવારિક સાધુ કરે. પારિવારિક સાધુની જ્યારે વિશેષ પરિસ્થિતિ સમાપ્ત થઈ જાય, ત્યારે તે સ્વયં પોતાનું કાર્ય પૂર્વવત્ કરે છે.
પારિહારિક સાધુને જેટલા સમય સુધી પારિહારિક પણે રહેવાનું હોય તેટલો સમય ઓછામાં ઓછું એકાંતર ઉપવાસનું તપ અને પારણાના દિવસે આયંબિલ તપ કરવાનું હોય છે. “પારિવારિક સ્થિતિ દરમ્યાન તે સાધુનો ઉત્સાહ મંદ પડી જાય તો આચાર્ય તેની સ્થિતિને ખ્યાલમાં લઈ યથાયોગ્ય કરી શકે છે. તેની સારણા-વારણા આદિ સર્વ કાર્યનું ઉત્તરદાયિત્વ આચાર્યનું જ રહે છે. આચાર્યને જરૂર લાગે તો તેને વિષયની છૂટ પણ આપી શકે છે અને ગોચરી વગેરેની સેવા પણ કરાવી શકે છે.
ટૂંકમાં પારિહારિક સાધુ સાથે અન્ય સાધુઓ દસ પ્રકારનો વ્યવહાર બંધ કરે છે– (૧) પરસ્પરનો વાર્તાલાપ ૨) સૂત્રાર્થ પૂછવા. (૩) સ્વાધ્યાયાદિ સાંભળવા-સંભળાવવા સાથે ઉઠવું-બેસવું (૫) વંદન વ્યવહાર () પાત્રાદિ ઉપકરણનું આદાન-પ્રદાન (૭) પ્રતિલેખન આદિ કાર્ય (૮) સંઘાડો બનાવી સાથે ગોચરીએ જવું (૯) આહારનું આદાન-પ્રદાન (૧૦) સાથે બેસી ભોજન કરવું.
ગચ્છના સાધુઓ પરસ્પર આ દસ પ્રકારનો વ્યવહાર કરતાં હોય છે, પારિવારિક પ્રાયશ્ચિત્ત વહન કરતા હોય તે સાધુની સાથે તે વ્યવહાર બંધ કરવામાં આવે છે. ઉપરોક્ત દસ વ્યવહારમાંથી અન્ય સાધુ “પારિહારિક' સાથે ક્રમશઃ આઠ વ્યવહાર કરે તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે અને અંતિમ બે વ્યવહાર સંબંધી ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
વર્તમાનમાં વિશિષ્ટ સહનન આદિના અભાવે સાધારણ તપનું જ પ્રાયશ્ચિત્ત અપાય છે. વધુમાં વધુ દીક્ષા છેદ અને મૂળ પ્રાયશ્ચિત્ત (નવી દીક્ષા) આપવામાં આવે છે. અનેકવાર અનાચારના સેવન કરનારને, દીર્ઘકાળ પર્યત દોષ સેવન કરનારને, લોકાપવાદકે તપશ્ચર્યાની શક્તિ નહોય તેને છેદ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તેમાં જઘન્ય એક દિવસ અને ઉત્કૃષ્ટ છ મહિનાનો દીક્ષા છેદ કરવામાં આવે છે તેનાથી વધુ પ્રાયશ્ચિત્તની આવશ્યકતા હોય તો મૂળ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. વીરપ્રભુના નિર્વાણ પછી સેંકડો વરસો સુધી પારિહાર' પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું હતું તેથી છેદસૂત્રોના પાઠમાં અનેક જગ્યાએ પારિવારિક સાધુ સંબંધી વિધાનો છે.
આ ઉદ્દેશકમાં ૭૫ સૂત્રોમાં ૧૨૮ લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનનો ઉલ્લેખ છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૪
૮૭ |
સૂત્ર ક્રમ
પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા
સૂત્ર ક્રમ | પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા ૧ થી ૧૫ ૧૬ થી ૩૦
૧૫
૩૭
- ૧૫
૩૮
|
૧૦
૩૧ ૩૨
૩૯ થી ૪૮ ૪૯ થી ૩
૩૪ ૩૫ ૩૬
| | |
૧ ૧ ૧
| | |
૫ થી ૭૪ ૭૫
| |
૧૦ ૧
કુલ સૂત્ર - ૭૫
| પ્રાયશ્ચિત્ત સ્થાન – ૧૨૮
આ ચોથો ઉદ્દેશક સંપૂર્ણ
Page #152
--------------------------------------------------------------------------
________________
૮૪
શ્રી નિશીથ સૂત્ર
પાંચમો ઉદ્દેશક
પરિચય ORRORRORROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં પર પ્રકારના લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા–
વૃક્ષના થડની આસપાસની સચિત્ત પૃથ્વી ઉપર ઊભા રહેવું, બેસવું, સૂવું આહાર કરવો સ્વાધ્યાયાદિ કરવા, પોતાની પછેડી આદિ ગૃહસ્થ પાસે સીવડાવવી, નાની પછેડી આદિને બાંધવાની દોરીઓ લાંબી રાખવી, લીમડાદિના અચિત્ત પાંદડાઓને પાણીથી ધોઈને ખાવા, શય્યાતરના અથવા અન્યના પાદપ્રોંચ્છન અને દંડ આદિ નિર્દિષ્ટ સમયે પાછા ન દેવા, શય્યા-સંસ્તારકને પાછા આપી દીધા પછી ફરીવાર આજ્ઞા લીધા વિના વાપરવા; ઊન, સૂતર આદિ કાંતવા; સચિત્ત, રંગીન તથા વિવિધ રંગયુક્ત કે આકર્ષક દંડ બનાવવા કે રાખવા, નવા વસેલા ગ્રામાદિમાં અથવા નવી ખાણોમાં ગોચરી માટે જવું મુખ આદિથી વીણા બનાવવી, તે વીણા વગાડવી તથા અન્ય વાદ્ય જેવા અવાજ મુખાદિથી કાઢવા; ઔદેશિક, સપ્રામૃત, સપરિકર્મ શય્યામાં પ્રવેશ કરવો, અથવા રહેવું, સંભોગ પ્રત્યયિક ક્રિયા લાગવાનો નિષેધ કરવો, ઉપયોગમાં હોય તેવા પાત્રને વસ્ત્ર, કંબલ, પાદપ્રĪચ્છનના ટુકડા કરીને પરઠી દેવા; દંડ, લાકડીના ટુકડા કરીને પરઠી દેવા; પ્રમાણથી મોટો રજોહરણ બનાવવો કે રાખવો. દેશીઓ નાના નાકાની બનાવવી, દેશીઓને પરસ્પર સંબદ્ધ કરવી, રજોહરણને અવિધિથી બાંધવા, રજોહરણને એક બંધનથી બાંધવો, રજોહરણને ત્રણથી વધારે બંધન બાંધવા, પાંચ પ્રકાર સિવાય અન્ય જાતિના રજોહરણ બનાવવા, પોતાના સ્થાનથી રજોહરણને દૂર રાખવો, રજોહરણ ઉપર પગ મૂકવા, માથા નીચે રાખવો. ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
܀܀܀܀܀
Page #153
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-પ
૮૫
પાંચમો ઉદ્દેશક IZE/Z પર લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાન E/E
વૃક્ષના મૂળની સમીપે ક્રિયાઓઃ
१ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा आलोएज्जा वा पलोएज्ज वा आलोएंतं वा पलोएंतं वा साइज्जइ ।
ભાવાર્થ:જુએ કે જોનારની અનુમોદના કરે,
જેસાધુકેસાધ્વીવૃક્ષનીનીચેનીસચિત્તભૂમિમાંસ્થિતથઈનેએકવારકેઅનેકવારઆજુબાજુ
२ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, चेएतं वा साइज्जइ ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈને કાર્યોત્સર્ગ, શયન, બેસવું આદિ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
३ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारेइ, आहारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ અશનાદિ ચાર પ્રકારનો આહાર કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
४ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा उच्चारं वा पासवणं वा परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈને ઉચ્ચાર-પ્રસવણનું વિસર્જન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
५ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा सज्झायं करेइ, करेंतं वा साइज्जइ। ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ સ્વાધ્યાય કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
६ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा सज्झायं उद्दिसइ, उद्दिसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ સ્વાધ્યાયનો ઉદ્દેશ (નવા મૂળપાઠની વાચના આપે) કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
७ जे भिक्खू सचित्त- रुक्खमूलसि ठिच्चा सज्झायं समुद्दिसइ, समुद्दिसतं वा साइज्जइ ।
Page #154
--------------------------------------------------------------------------
________________
es
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ:
। શુદ્ધ કે પાકું) કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
८ जे भिक्खू सचित्त- रुक्खमूलंसि ठिच्चा सज्झायं अणुजाण, अणुजाणतं वा साइज्जइ ।
પાઠને
જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત સ્વાધ્યાયનો સમુદ્દેશ (કંઠાગ્ર
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ સ્વાધ્યાયની આજ્ઞા આપે કે આપનારની અનુમોદના કરે.
९ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा सज्झायं वाएइ, वायंतं वा साइज्जइ । ભાવાર્થ : જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ સૂત્રાર્થથી વાચના આપે કે આપનારની અનુમોદના કરે.
--
१० जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा सज्झायं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ। ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ સૂત્રાર્થની વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારની અનુમોદના કરે.
११ जे भिक्खू सचित्त-रुक्खूलंसि ठिच्चा सज्झायं परियट्टेइ, परियदृतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ સ્વાધ્યાયની પરિયટ્ટણા કરે કે તેમ કરનારની અનુમોદના કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે.
વિવેચન :
પ્રસ્તુત । અગિયાર સૂત્રોમાં વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સૂવા, બેસવા, ઊભા રહેવા કે સ્વાધ્યાય આદિ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સચિત્ત-વશ્ર્વમૂલસિ – વૃક્ષમૂળ ભાગની સચિત્ત ભૂમિ. વૃક્ષના મૂળભાગમાં થડની ચારે બાજુની જમીન સચિત્ત હોય છે. તેની મર્યાદા ચૂર્ણિમાં આ પ્રમાણે બતાવી છે—
જે વૃક્ષનું થડ ‘હસ્તિ પદ’ પ્રમાણ અર્થાત્ એક હાથનું હોય તે વૃક્ષની ચોમેર એક-એક હાથ પ્રમાણ ભૂમિ સચિત્ત હોય છે. આ રીતે વૃક્ષના થડનો જેટલા હાથ પ્રમાણ વિસ્તાર હોય, તેટલા હાથ પ્રમાણ થડની પ્રમાણે વૃક્ષની ચારેબાજુની જમીન ચિત્ત જાણવી, જેમ કે બે હાથનું થડ હોય તો વૃક્ષના મૂળ ભાગથી ચારેબાજુ બે-બે હાથ પ્રમાણ જમીન ચિત્ત હોય છે.
વૃક્ષની નીચે તેના મૂળભાગમાં જમીન ચિત્ત હોવાના કારણે ત્યાં ઊભા રહેવાથી કે અન્ય કાર્ય કરવાથી પૃથ્વીકાયના જીવોની વિરાધના થાય છે. ક્યારેક ભૂલથી કે પ્રમાદથી થડ, પાંદડાદિનો સ્પર્શ થઈ જાય, તો વનસ્પતિની વિરાધના થાય છે, તેમજ વૃક્ષ આશ્રિત રહેલા ત્રસ જીવોની વિરાધના પણ થાય છે. આ રીતે ત્રસ-સ્થાવર જીવોની વિરાધના થતાં સંયમ વિરાધના થાય છે. વૃક્ષ નીચે ચરતા અને થડ સાથે શરીર ઘસવા માટે આવતાં પશુઓ દ્વારા સાધુના શરીરને ઉપઘાત પણ થઈ શકે છે, તેથી આત્મવિરાધના થાય છે, ઇત્યાદિ વિવિધ દોષોના કારણે તેનું અહીં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-પ
८७
વાળ સેન્ગ બિલીહિય :– ઢાળ – સ્થિત થવું, થોડાક સમય માટે ઊભા રહેવું. સેન્ગ – નિવાસ ક૨વો, વધુ સમય માટે ઊભા રહેવું. બિÎહિય – બેસવું.
ભાષ્ય-ચૂર્ણિ પ્રમાણે– (૧) દાળ – જાતસ્સો, વસત્તિ ગિમિત્તે સેન્ગા, વિસામાળ ગિમિત્ત ખિલÎપિયા । સ્થાન એટલે સ્થિર થવું. કાર્યોત્સર્ગમાં સ્થિર થવાય છે માટે વાળ શબ્દનો અર્થ કાર્યોત્સર્ગ થાય છે. (૨) લેખ્ખું – તેના બે અર્થ છે– ૧. નિવાસ કરવો, વધુ સમય રહેવું. ૨. પૂર્ણ શરીરથી શયન કરવું, સૂવું. (૩) નિશીથૅિ – તેના બે અર્થ છે— ૧. વિશ્રામ નિમિત્તે બેસવું, ૨. પાપ ક્રિયાનો નિષેધ થઈ જવાથી સ્વાધ્યાય સ્થાનને નૈષધિકી કહેવામાં આવે છે. સ્વાધ્યાયાદિ બેસીને જ કરાય છે માટે અહીં નિલીશિયનો અર્થ બેસવું માત્ર કર્યો છે. સ્વાધ્યાય આદિ માટે અહીં જુદા સૂત્રો છે.
સન્નાથૅ :– વાચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષા અને ધર્મકથા, આ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવામાં આવે છે. તેમાં વાચના અને પરિયટ્ટણાનું ૯મું અને ૧૧મું સૂત્ર છે જ, તેથી અહીં સત્ત્તાય શબ્દમાં અનુપ્રેક્ષા, ધર્મકથા અને પૃચ્છા આ ત્રણનું જ ગ્રહણ થાય છે.
उद्दिसइ :- તો અભિનવ અષિતસ્સ – (૧) નવીન મૂળપાઠની વાચના દેવી (૨) સૂત્ર અર્થ અને ઉભયનું પઠન-પાઠન કરાવવું, તે ઉદ્દેશ કહેવાય છે.
समुद्दिसइ :– કંઠસ્થ કરેલા પાઠને પાકા કરાવવા, શુદ્ધ કરાવવા, વારંવાર પઠન કરાવવા, તે સમુદ્દેશ કહેવાય છે.
अणुजाणइ :- ચિત્તભૂયમ્સ અનુળા – સ્થિર અને શુદ્ધ કંઠસ્થ થઈ જાય ત્યારે અન્યને શીખવવાની આજ્ઞા આપવી.
અનુયોગ દ્વાર સૂત્રની હરીભદ્રીય ટીકામાં ઉદ્દેશાદિનો અર્થ આ પ્રમાણે છે– દ્દેશ – સૂત્ર શીખવા આજ્ઞા આપવી, સમુદ્દેસ–સ્થિર કરવા આજ્ઞા આપવી, અનુગ્ગજ – બીજાને ભણાવવાની આજ્ઞા આપવી.
વૃક્ષ નીચે સચિત્ત ભૂમિમાં સાધુ ઊભા રહે, બેસે, સૂવે, પરઠે કે સ્વાધ્યાય સંબંધી કોઈ પણ કાર્ય કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વૃક્ષના થડથી દૂર સચિત્ત ભૂમિ ન હોય ત્યાં સાધુ વિવેકપૂર્વક કોઈ પણ ક્રિયા કરી શકે છે; રાત્રિ વિશ્રામ પણ કરી શકે છે. તેમાં તેને પ્રાયશ્ચિત્ત આવતું નથી. સાધ્વીઓને શીલ રક્ષાના ઉદ્દેશથી બૃહત્કલ્પસૂત્રમાં વૃક્ષ નીચે રાત્રિ નિવાસનો નિષેધ છે. વિહારમાં રસ્તે ચાલતાં વિસામો લેવા વૃક્ષ નીચે અચિત્ત ભૂમિ પર થોડીકવાર બેસી શકે છે.
ગૃહસ્થ પાસે સિલાઈ કામ કરાવવું:
| १२ जे भिक्खू अप्पणो संघाडि अण्णउत्थिएणं वा गारत्थिएण वा सिव्वावेइ, सिव्वावेतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પોતાની પછેડી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સીવડાવે કે સીવડાવનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ગૃહસ્થ દ્વારા સીવણ કાર્ય કરાવવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
શ્રી નિશીથ સૂત્ર
Mળો સંપાદ્ધિ:- પોતાની પછેડી. પ્રસ્તુતમાં પછેડીનું કથન છે, પરંતુ ઉપલક્ષણથી ચોલપટ્ટક આદિ કોઈ પણ વસ્ત્ર ગૃહસ્થ પાસે સીવડાવવાનું આ પ્રાયશ્ચિત્ત છે, તેમ સમજવું જોઈએ.
સાધુ નિષ્કારણ વસ્ત્ર સીવવાનું કાર્ય કરે નહીં અને આવશ્યક હોય ત્યારે સ્વયં સીવવાનું કાર્ય કરે તો તેને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી, પરંતુ અન્યતીર્થિક કે ગૃહસ્થની પાસે સીવડાવે તો તેનું આ સૂત્રથી પ્રાયશ્ચિત આવે છે. આવશ્યકતા ન હોવા છતાં સાધુ સીવવાનું કાર્ય કરે, તો તેને આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે. ચૂર્ણિમાં પણ કહ્યું છે કે- ગ૬ fજેવારને અપૂણા સિવિ, વાર વા ખત્યિયાત્યિ સિધ્યાતિ, ત માનહુ - ભાષ્ય ગાથા-૧૯૨૧ ચૂર્ણિ.
આવશ્યકતા પ્રમાણે લાંબુ-પહોળું વસ્ત્ર ન મળે તો વસ્ત્ર સીવવા પડે. આગમમાં સાધુને ગ્રાહ્ય વસ્ત્રો માટે અગર, થાં, અધુવં અને અધારણીયં જેવા શબ્દ જોવા મળે છે. સાધુને જે માપના વસ્ત્ર રાખવા કલ્પે છે તે માપના વસ્ત્ર હોય તો તે અત્ત કહેવાય છે અને પર્યાપ્ત માપવાળું ન હોય તો અખi કહેવાય છે. બન્ને વસ્ત્ર હોય તો સીવવું પડે. કામમાં આવવા યોગ્ય, મજબૂત વસ્ત્રને સ્થિર કહે છે, જીર્ણ વસ્ત્રને અસ્થિર કહે છે. “સ્થિર’ વસ્ત્ર કોઈ કારણથી ફાટી જાય તો તેને સીવવું પડે. આગમોક્ત લક્ષણોથી યુક્ત, ધારણ કરવા યોગ્ય વસ્ત્રને ધારણીય કહે છે, વસ્ત્ર ધારણ કરવા યોગ્ય ન રહે તેને અધારણીય કહે છે. ધારણીય વસ્ત્ર કોઈ કારણે ફાટી જાય તો તેને સીવવું(સાંધવું) પડે છે. સાધુ સ્વયં સીવે અથવા અન્ય સાધુ પાસે સીવડાવે; કોઈ સીવનાર નહોય, સીવતા આવડતું ન હોય તો સાધ્વી પાસે સીવડાવે તો પ્રાયશ્ચિત્ત આવતું નથી. સ્વતીર્થિક ગૃહસ્થ કે અન્યતીર્થિક ગૃહસ્થ પાસે પછેડી આદિ સીવડાવવી પડે, તો તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. પછેડીને લાંબી દોરીઓ બાંધવી - |१३ जे भिक्खू अप्पणो संघाडीए दीहसुत्ताई करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાની પછેડીને લાંબી દોરીઓ બાંધે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પછેડી અથવા ગાત્રીબંધન માટેનું કાપડ નાનું હોય અને તેને દોરી બાંધવી આવશ્યક હોય તો બે-ચાર કે છ સ્થાને દોરી બાંધવામાં સામસામે છેડે બે-બે દોરીને બાંધતા એક, બે કે ત્રણ બંધન થાય છે. તે દોરીઓ પ્રમાણોપેત હોય, તો તેનું પ્રાયશ્ચિત્ત આ સૂત્રમાં નથી, પરંતુ તે દોરીઓ લાંબી રાખે તો પ્રાયશ્ચિત્ત આવે છે. દોરીઓનું માપ – ભાષ્ય ગાથામાં તેના માટે આ પ્રમાણે કહ્યું છે– વડરજીત્તપૂના, તા સંકિ સુર ના | સાધુ ટૂંકા કપડાના કારણે ચાર આંગળ પ્રમાણ લાંબી દોરીઓ પછેડીમાં કરી શકે છે. લાંબી દોરીઓથી થતાં દોષો :- વધુ લાંબી દોરીઓ હોય તો ઉપાડવવામાં, રાખવામાં અયતના થાય. સંમા વહિવધુ નામનો પ્રતિલેખનનો દોષ લાગે. લાંબી દોરીઓ ગૂંચવાય જાય તો ગૂંચ ઉકેલવામાં સમય વ્યતીત થાય અને સ્વાધ્યાયમાં અલના થાય છે. લાંબી દોરી જોઈ અલ્પબુદ્ધિ અને કુતુહલવૃત્તિવાળા શિષ્ય દ્વારા ઉપહાસની સંભાવના રહે છે માટે બાંધ્યા પછી ચાર અંગુલથી વધુ રહે તેવી લાંબી દોરી રાખી શકાય છે. આગમ સૂત્રોમાં તે દોરીઓની લંબાઈ માટે સ્પષ્ટીકરણ જોવા મળતું નથી.
Page #157
--------------------------------------------------------------------------
________________
| ઉદ્દેશક-૫
૮૯ |
સચેત પાન ખાવાઃ१४ जे भिक्खू पिउमंद-पलासयं वा पडोल-पलासयं वा बिल्ल-पलासयं वा सीओदग वियडेण वा उसिणोदग वियडेण वा संफाणिय-सफाणिय आहारेइ, आहारेत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી લીમડાના પાન, પરવેલના પાન કે બિલ્વના પાનને ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી ધોઈને ખાય કે ખાનારની અનુમોદના કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
લીમડા વગેરેના પાન, ઔષધરૂપે લેવા આવશ્યક હોય તો ગૃહસ્થ સૂકવી–સ્વચ્છ કરી વાપરતા હોય તેવા પાનની ગવેષણા કરવી જોઈએ. સાધુ સૂકાયેલા અચિત્ત પાંદડા સ્વયં ધૂએ તો સદાશ્રિત કુંથવા વગેરે જીવોની વિરાધના થાય છે. ધોખેલા પાણીને પરઠે તો પરઠવા સંબંધી દોષોની સંભાવના રહે અને પ્રમાદની વૃદ્ધિ થાય માટે સાધુ નિષ્કારણ આવી પ્રવૃત્તિ કરે નહિ. સૂત્ર કથિત લીમડા આદિ સિવાય અન્ય પણ ઔષધ યોગ્ય સર્વ પ્રકારના અચિત્ત પત્ર-પુષ્પ આદિને ધોવા સંબંધી આ લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સમજી લેવું જોઈએ. પ્રસ્તુત સૂત્રમાં સચિત્ત કે અચિત્ત વિશેષણ વિના માત્ર પાન સંબંધી સૂત્રપાઠ છે, સચિત્ત પાનનો સ્પર્શ કરવો પણ સાધુને કલ્પતો નથી, તેથી અહીં સૂકાયેલા અચિત્ત પાનને ધોવાનું કથન છે તેમ સમજવું. પાઢીહારા પાદપ્રોડ્ઝન વિષયક અસત્ય ભાષા:१५ जे भिक्खू पाडिहारियं पायपुंछणं जाइत्ता तमेव रयणि पच्चप्पिणिस्सामि त्ति सुए पच्चप्पिणइ पच्चप्पिणतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ગૃહસ્થ પાસેથી આજે પાછું આપીશ તેમ કહી પાદપ્રોચ્છનની યાચના કરી, બીજા દિવસે પાછું આપે કે તેમ કરનારની અનુમોદના કરે, १६ जे भिक्खू पाडिहारियं पायपुंछणं जाइत्ता सुए पच्चप्पिणिस्सामि त्ति तमेव रयणि पच्चप्पिणइ, पच्चप्पिणतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ગૃહસ્થ પાસેથી, “કાલે પાછું આપીશ” તેમ કહી, પાદપ્રોચ્છનની યાચના કરી, તે જ દિવસે પાછું આપે કે તેમ કરનારનું અનુમોદન કરે. |१७ जे भिक्खू सागारियसंतियं पायपुंछणं जाइत्ता तमेव रयणिं पच्चप्पिणिस्सामि त्ति सुए पच्चप्पिणइ, पच्चप्पिणत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શય્યાતર પાસેથી “આજે પાછું આપીશ તેમ કહી, પાદપ્રક્શનની યાચના કરી બીજા દિવસે પાછું આપે કે તેમ કરનારનું અનુમોદન કરે. |१८ जे भिक्खू सागारियसंतियं पायपुंछणं जाइत्ता सुए पच्चप्पिणिस्सामि त्ति तमेव रयणिं पच्चप्पिणइ, पच्चप्पिणतं वा साइज्जइ ।
Page #158
--------------------------------------------------------------------------
________________
[ ૯૦ ]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શય્યાતર પાસેથી “કાલે પાછું આપીશ” તેમ કહી, પાદપ્રોચ્છનની યાચના કરી તે જ દિવસે પાછું આપે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
બીજા ઉદ્દેશકમાં કાષ્ઠ દંડયુક્ત પાદપ્રોપ્શન રાખવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે જ્યારે આ ચાર સુત્રોમાં પાઢીહારા પાદપ્રોંચ્છન ની યાચના કરતાં સમયે જે ભાષાપ્રયોગ કર્યો હોય, તેનાથી વિપરીત કાર્ય કરે તો તત્સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
સાધુ ક્ષેત્ર-કાળ સંબંધી વિશેષ પરિસ્થિતિમાં ગૃહસ્થ કે શય્યાતર પાસેથી પ્રાતિહારિક પાદપ્રોંચ્છન લઈ શકે છે પણ પાદપ્રક્શનની યાચના સમયે સાધુએ ભાષાનો વિવેક રાખવો જોઈએ. “આજે પાછું આપી જઈશ, કાલે પાછું આપી જઈશ' તેવી નિશ્ચયકારી ભાષા સાધુએ બોલવી ન જોઈએ અને જો તેવી ભાષા બોલે તો તે ભાષા અસત્ય ન થાય તે માટે, તે પ્રમાણે જ કાર્ય કરવું જોઈએ.
આ ચાર સૂત્રોમાંથી ૧૫–૧૬ સૂત્રમાં ગૃહસ્થના પાદપ્રોપ્શન અને ૧૭–૧૮ સૂત્રમાં શય્યાતરના પાદપ્રોડ્ઝન સંબંધી કથન છે. ૧૫મા અને ૧૭મા સૂત્રમાં આજે પાછું આપવાનું કહી બીજા દિવસે આપે તથા ૧૬મા અને ૧૮મા સુત્રમાં બીજા દિવસે આપવાનું કહી આજે આપે તો અસત્ય ભાષણના દોષનું પ્રાયશ્ચિત્ત છે. તવ રથ – આ ચારે ય સૂત્રમાં પાઢીહારું પાદપ્રોપ્શન આપવા વિષે જ શબ્દનો પ્રયોગ થયો છે. સાધુ માટે રાત્રે કોઈ પણ વસ્તુના આદાન-પ્રદાનનો નિષેધ છે અને શાસ્ત્રોમાં આ શબ્દ સમુચ્ચય રીતે એક-બે દિવસ માટે પણ પ્રયુક્ત થાય છે. તેથી તમેવ બનો અર્થ આજે જ કે આજના દિવસે જ અને સુખનો અર્થ કાલે એટલે બીજે દિવસે કરવો પ્રસંગાનુરૂપ છે. પાઢીહારા દંડાદિ વિષયક અસત્ય ભાષા:१९ जे भिक्खू पाडिहारियं दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूई वा जाइत्ता तमेव रयणि पच्चप्पिणिस्सामि त्ति सुए पच्चप्पिणइ, पच्चप्पिणत वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થ પાસેથી “આજે જ પાછું આપીશ' તેમ કહીને દંડ, લાકડી, અવલેખનિકા(પગમાંથી કાદવ સાફ કરવાની વાંસની ખપાટનો ટુકડો) કે વાંસની સોયની યાચના કરી, બીજા દિવસે પાછું આપે કે તેમ કરનારનું અનુમોદન કરે. | २० जे भिक्खू पाडिहारियं दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूई वा जाइत्ता सुए पच्चप्पिणिस्सामि त्ति तमेव रयणि पच्चप्पिणइ, पच्चप्पिणतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થ પાસેથી કાલે પાછું આપીશ” તેમ કહીને દંડ, લાકડી, અવલેખનિકા કે વાંસની સોયની યાચના કરી, તે જ દિવસે પાછું આપે કે તેમ કરનારનું અનુમોદન કરે, २१ जे भिक्खू सागरिय-संतियं दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूई वा जाइत्ता तमेव रयणि पच्चप्पिणिस्सामि त्ति सुए पच्चप्पिणइ, पच्चप्पिणतं वा साइज्जइ।
Page #159
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૫
૯૧ ]
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શય્યાતર પાસેથી “આજે જ પાછું આપીશ” તેમ કહીને, દંડ, લાકડી, અવલેખનિકા કે વાંસની સોયની યાચના કરી, બીજા દિવસે પાછા આપે કે તેમ કરનારનું અનુમોદન કરે, २२ जे भिक्खू सागरिय-संतिय दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूई वा जाइत्ता सूए पच्चप्पिणिस्सामि त्ति तमेव रयणि पच्चप्पिणइ, पच्चप्पिणतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શય્યાતર પાસેથી “કાલે પાછા આપીશ તેમ કહીને દંડ, લાકડી, અવલેખનિકા કે વાંસની સોયની યાચના કરી, તે જ દિવસે પાછા આપે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
દંડ, લાકડી, અવલેખનિકા આદિ ઔપગ્રહિક ઉપધિ છે. તે પાછું આપવાનું કહીને શય્યાતર અથવા અન્ય પાસેથી ગ્રહણ કરી શકાય છે. એક-બે દિવસ માટે અથવા વધારે સમય પણ રાખી શકાય છે. અહીં ભાષાના અવિવેકનું પ્રાયશ્ચિત્ત કહેવામાં આવેલું છે માટે ભિક્ષુએ જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે કરવું જોઈએ. પાછા સોંપી દીધેલા શય્યા-સંસ્તારકનો આજ્ઞા વિના ઉપયોગ - २३ जे भिक्खू पाडिहारियं वा सागारियसंतियं वा सेज्जासंथारयं पच्चप्पिणित्ता दोच्चं पि ओग्गहं अणणुण्णविय अहिढेइ, अहिद्रुतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના કે શય્યાતરના શય્યા-સંસ્મારક પાછા સોંપીને આવશ્યકતા ઉત્પન્ન થાય, તો તેની બીજીવાર આજ્ઞા લીધા વિના ઉપયોગ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શય્યાતર સિવાયના અન્ય ગૃહસ્થ પાસેથી, અન્યત્રથી લાવેલા શય્યા-સંતારક માટે વિદ્યાર્થિ શબ્દનો પ્રયોગ થયો છે. રહેવાના સ્થાન પર રહેલા શય્યાતરના શય્યા-સંસ્તારક આદિ માટે સાહિત્ય સરિતાં શબ્દનો પ્રયોગ થયો છે. તે બંને પાઢીહારા જ છે.
જ્યારે ભિક્ષુને શયા-સંસ્મારકની આવશ્યકતા ન રહે ત્યારે ઉપાશ્રયમાં જ ગૃહસ્થને તે પાછા સોંપી દે; ત્યાર પછી ક્યારેક શય્યા-સંસ્મારકની પુનઃ આવશ્યકતા જણાય તો તે ચીજો માટે ગૃહસ્થની ફરી આજ્ઞા લેવી જોઈએ, આજ્ઞા લીધા વિના ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે.
શય્યાતરના શયા-સંસ્તારક તેના મકાનમાં છોડીને વિહાર કરી શકાય છે, પરંતુ અન્ય ગૃહસ્થના ઘરેથી લાવેલા શય્યા-સંસ્કારક પણ અલ્પ સમય માટે ઉપાશ્રયમાં રાખી અન્ય સ્થળે જઈ શકાય છે, એમ આ પ્રાયશ્ચિત્ત સૂત્રથી અને વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૮થી ફલિત થાય છે.
ગ્રહણ કરેલી સમસ્ત પ્રાતિહારિક(પાછી આપવા યોગ્ય) ઉપધિ વિહાર કરતાં પહેલાં તેના માલિકને સોંપવી અને દૂરની હોય તો તેને પહોંચાડવી આવશ્યક છે; એમ બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દેશક–૩માં
Page #160
--------------------------------------------------------------------------
________________
[
૯૨ |
શ્રી નિશીથ સૂત્ર
વિધાન છે. પાછી આપ્યા વિના વિહાર કરે તો નિશીથ સૂત્ર ઉ.—૨, સૂ. ૫૪-૫૫ અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. વિવિધ પ્રકારના રૂ કાંતવા - २४ जे भिक्खू सणकप्पासाओ वा उण्णकप्पासाओ वा पोंडकप्पासाओ वा अमिल-कप्पासाओ वा दीहसुत्ताई करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી શણ, ઊન, રૂ કપાસ અમિલના રૂને કાંતીને સૂતરનો ફાળકો બનાવે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધન દ્વારા સૂતર, રૂ, ઊન વગેરે કાંતવાની પ્રવૃત્તિ સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. હીરસુત્ત - હીરજુ બાસં વત્તતા દીર્ઘ સૂત્રનો અર્થ છે કાંતવું, રૂને કાંતીને સૂતરના તાર બનાવવા. સાધુએ શણ, ઊન, રૂ ને કાંતીને તેના તાર–સૂતર બનાવવા વગેરે ગૃહસ્થના કાર્ય સાધુ-સાધ્વીઓએ કરવા ન જોઈએ. ભાષ્યમાં તેના દોષો આ પ્રમાણે કહ્યા છે–
सुत्तत्थे पलिमंथो, उड्डाहो झुसिर दोस समद्दो ।
हत्थोवघाय संचय, पसंग आदाण गमणं च ॥१९६६॥ અર્થ:- (૧) મુલ્યો- કાંતવામાં સમય પસાર કરે તો સ્વાધ્યાયમાં બાધા પહોંચે અને સુત્રાર્થની સ્વાધ્યાય ન થતાં સુત્રાર્થનું પરિમંથો – વિનાશ, વિસ્મરણ થાય. (૨) ધો- કાંતવું તે ગૃહસ્થનું કાર્ય છે, માટે સાધુને કાંતતા જોઈ લોકોમાં નિંદા થાય કે “આ સાધુ ગૃહસ્થનું કાર્ય કરે છે અને આવી નિંદાથી શાસનની લઘુતા થાય છે. (૩) સર કોષ- તારના ફાળકાના પોલાણમાં રહેલા કંથવા વગેરેની પ્રતિલેખના ન થાય, તેથી તે જીવોની વિરાધના થાય (૪) સંતો – યંત્ર ચલાવવાથી વાયુકાયિક જીવોની વિરાધના થાય અને મચ્છર કે કીડી આદિ જીવોનું સંમર્દન થાય. (૫) થવાય- અધિક સમય યંત્ર ચલાવવાથી હાથ વગેરે દુઃખે અથવા યંત્રમાં આંગળી વગેરે ને ક્ષતિ પહોંચે (૬) સં- કાંતવા માટે રૂનો અને કાંતેલા સૂતરનો પરિગ્રહ વધતો જાય. (૭) આલાપ સામા પક્ષ - ઊન, રૂ વગેરે લેવા જવું અને કાંતેલા સૂતર આદિને દેવા જવું વગેરે પ્રવૃત્તિઓની વૃદ્ધિ થાય છે. આ રીતે ભાષ્ય ગાથામાં કાંતવાની પ્રવૃત્તિમાં સંયમ વિરાધના, આત્મવિરાધના અને સાધુની તથા જિન શાસનની હીલના બતાવી છે, માટે સાધુ-સાધ્વીઓએ આવી પ્રવૃત્તિઓ પોતે કરવી નહીં અને તેની પ્રેરણા કે અનુમોદના પણ કરવી જોઈએ નહીં. સચિત્ત, રંગીન અને આકર્ષક દંડ બનાવવા -
२५ जे भिक्खू सचित्ताई दारुदंडाणि वा वेणुदंडाणि वा वेत्तदंडाणि वा करेइ, करेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્તકાષ્ઠ, વાંસ કે નેતરનો દંડ બનાવે અથવા બનાવનારનું અનુમોદન કરે. २६ जे भिक्खू सचित्ताई दारुदंडाणि वा वेणुदंडाणि वा वेत्तदंडाणि वा धरेइ, धरेंत वा साइज्जइ ।
Page #161
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-પ
૯૩
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત કાષ્ઠ, વાંસ કે નેતરનો દંડ ધારણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, २७ जे भिक्खू सचित्ताइं दारुदंडाणि वा वेणुदंडाणि वा वेत्तदंडाणि वा करेइ, करेंत वा साइज्जइ ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી કાષ્ઠ, વાંસ અને નેતરના દંડને રંગ લગાવે કે તેમ કરનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू चित्ताइं दारुदंडाणि वा वेणुदंडाणि वा वेत्तदंडाणि वा धरेइ, धरेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી રંગવાળા(કલર કરેલા) કાષ્ઠ, વાંસ કે નેતરના દંડને ધારણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
२९ जे भिक्खू विचित्ताइं दारुदंडाणि वा वेणुदंडाणि वा वेत्तदंडाणि वा करे, करेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી કાષ્ઠ, વાંસ કે નેતરના દંડને અનેક રંગોથી રંગે(કોતરણી યુક્ત આકર્ષક કરે) કે તેમ કરનારનું અનુમોદન કરે,
३० जे भिक्खू विचित्तारं दारुदंडाणि वा वेणुदंडाणि वा वेत्तदंडाणि वा धरेइ, धरेंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રંગ-બેરંગી (કોતરણી યુક્ત આકર્ષક) કાષ્ઠ, વાંસ કે નેતરના દંડને ધારણ કરે કે ધારણ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
દંડ તે ઔપગ્રહિક ઉપધિ છે. સાધુ શારીરિક દુર્બળતા વગેરે વિશેષ કારણથી જરૂરિયાત હોય ત્યાં સુધી દંડને રાખી શકે છે. સાધુ અચિત્ત તૈયાર દંડની જ ગવેષણા કરે છે. જો તેવો તૈયાર દંડ ન મળે તો સાધુ સ્વયં અચિત્ત કાષ્ઠથી દંડ બનાવી ધારણ કરી શકે છે અને તેનું આ સૂત્રોથી પ્રાયશ્ચિત્ત આવતું નથી. सचित्ताई : :– સચિત્ત. સચિત્તના બે અર્થ કરવામાં આવે છે. (૧) જેમાં ભીનાશ હોય તે સચિત્ત લાકડું (૨) સૂકાયેલા અચિત્ત લાકડામાં પણ ઘણાદિ જીવો હોય તો તે લાકડું સચિત્ત કહેવાય છે. પ્રસ્તુતમાં બીજા પ્રકારના ક્ષુદ્ર જીવજંતુવાળા લાકડાનો દંડ બનાવવાનું પ્રાયશ્ચિત્ત કથન છે, તેમ સમજવું. લીલા લાકડાનો દંડ બનાવવામાં જીવ વિરાધના વધુ થાય છે, તેથી લીલા લાકડાનો દંડ કરવો કલ્પતો નથી અને તેમ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત વધુ આવે છે.
વિજ્ઞાફ-વિવિત્તાડું:- સૂત્ર ૨૫–૨માં સચિત્ત દંડ બનાવવા કે ધારણ કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત છે, સૂત્ર ૨૭–૨૮માં અચિત્ત દંડને એક રંગથી રંગવાનું કે તેવા દંડને ધારણ કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત છે. સૂત્ર ૨૯–૩૦માં અચિત્ત દંડને વિવિધ રંગોથી રંગવાનું કે કોતરણી કરવાનું અથવા ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
અન્ય અનેક પ્રતોમાં રમુજ ક્રિયા પદથી ત્રણ સૂત્ર વધુ છે, તેમાં કુલ નવ સૂત્ર જોવા મળે છે. ભાષ્ય-ચૂર્ણ પ્રાચીન વ્યાખ્યા ગ્રંથોમાં રમુંગહ્ના ત્રણ સૂત્ર ન હોવાથી પ્રસ્તુત સંસ્કરણમાં તે લીધા નથી, ધારણ કરવામાં જ પરણુંજ- ભોગવવાનો સમાવેશ થઈ જાય છે. દંડ વિષયક વિવેક :- કાષ્ઠ દંડાદિ સર્વથા જીવ રહિત-અચિત્ત હોવા જોઈએ. તેમજ રંગીન ન હોવા જોઈએ. દંડની સુરક્ષા માટે વાર્નીસ–સફેદો લગાવવો અથવા રંગેલા કે તેવા દંડ મળે તો તેને ધારણ કરવાનો નિષેધ નથી, તેમ સમજવું જોઈએ. નવનિર્મિત પ્રામાદિમાં પ્રવેશ - ३१ जे भिक्खू णवगणिवेसंसि गामसि वा नगरंसि वा खेडसि वा कब्बडंसि वा मडंबंसि वा दोणमुहंसि वा पट्टणंसि वा आसमंसि वा सण्णिवेसंसि वा णिगमंसि वा संबाहंसि वा रायहाणिसि वा अणुप्पविसित्ता असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નવનિર્મિત ગામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, સન્નિવેશ, નિગમ, સંબાહ કે રાજધાનીમાં પ્રવેશ કરી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સૂત્રમાં ગામથી લઈને રાજધાની સુધીના બાર સ્થાનો નવા વસતા હોય ત્યારે ત્યાં આહારાદિ માટે પ્રવેશ કરવાનું પ્રાયશ્ચિત્ત કથન છે. આ સૂત્રમાં ૧૨ નામ આવ્યા છે. બૃહત્કલ્પ ભાષ્યમાં ૧૬ નામ આપ્યા છે. અન્ય આગમોમાં પણ આ નામોની સંખ્યા તથા ક્રમમાં તફાવત જોવા મળે છે. સૂત્રગત બાર તથા અન્ય ચાર તેમ ૧૬ સ્થાનો ની વ્યાખ્યા આ પ્રમાણે છે
(૧) ગામ- બુદ્ધિ વગેરે ગુણો જ્યાં ગ્રસિત થાય-કુંઠિત થાય તે ગામ. (૨) નગર– જ્યાં કર લેવાતો ન હોય તે. (૩) ખેડ- જે ગામમાં ધૂળનો કિલ્લો હોય તે. (૪) કબૂટ- નાનું નગર, કો. (૫) મર્ડબ-જેની આજુબાજુ અઢીગાઉ સુધી કોઈ ગામ ન હોય તે. (૬) પટ્ટણ-જ્યાં જલમાર્ગથી માલ-સામાન આવતા હોય તે જલપટ્ટણ અને જ્યાં સ્થળ માર્ગથી માલ-સામાન આવતો હોય તે સ્થળપટ્ટણ. (૭) દ્રોણમુખ– જ્યાં જલ અને સ્થળ બંને માર્ગથી માલ-સામાન આવતા હોય તે. (૮) આશ્રમ- તાપસ વગેરેના સ્થાન અને તેની આસપાસ ગૃહસ્થો વસ્યા હોય તે સ્થાન. (૯) સન્નિવેશ- નગરની બહાર નગરની નજીકના વસવાટ સ્થાન ઉપનગર. (૧૦) નિગમ- જ્યાં વણિકની વસતિ હોય તે. (૧૧) સબાહ– પર્વતની નિકટના ધાન્ય સંગ્રહ કરવાના તથા રહેવાના સ્થાન. (૧૨) રાજધાની– રાજા જ્યાં નિવાસ કરતાં હોય તે. (૧૩) ઘોસ- જ્યાં ગોવાળની વસતિ હોય તે. (૧૪) આંશિકા- ગામાદિનો ત્રીજો-ચોથો અંશ જ્યાં જઈને રહ્યો હોય તે. (૧૫) ૫ટભેદન– બજારની બાજુમાં વસેલી વસતિ. અનેક દિશાઓથી માલ-સામાનના વેચાણ માટે લોકો જ્યાં આવતા હોય તેવી મંડીની આસપાસની વસ્તી. (૧) આગર- પત્થર, ધાતુની ખાણ પાસે વસેલી વસતિ.
નવા વસતા ગામ આદિમાં સાધુને પ્રવેશ કરતાં જોઈને કેટલાક ભદ્ર લોકો તેને શુકન માને, સાધુના પગલાથી ગામ સ્થિર બનશે તેમ માની કેટલાક લોકો ત્યાં રહેવા આવે અને આરંભની પ્રવૃત્તિ કરે તથા
Page #163
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૫
| ૯૫ |
ઉગમાદિ દોષ યુક્ત અશનાદિ વહોરાવે, કેટલાક અભદ્રિક લોકો અપશુકન માને, તેને આહાર ન આપે, નવનિર્મિત ગ્રામમાં પ્રવેશ કરતાં સચેત પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિના સ્પર્શની સંભાવના પણ રહે છે માટે સાધુ નવનિર્મિત ગામ આદિમાં પ્રવેશ કરે નહિ તથા આહાર માટે પણ ન જાય. નવનિર્મિત ખાણમાં પ્રવેશ:|३२ जे भिक्खू णवग-णिवेससि अयागरंसि वा तंबागरसि वा तउयागरंसि वा सीसागरसि वा हिरण्णागरसि वा सुवण्णागरसि वा वइरागरंसि वा अणुप्पविसित्ता असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી લોખંડ, ત્રાંબુ, કલઈ–જસત, સીસુ, ચાંદી, સોનું કે વજ રત્નની નવનિર્મિત ખાણમાં જઈને અર્થાત્ ખાણ પાસેની વસાહતમાં જઈને અનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પૂર્વસૂત્ર પ્રમાણે જ નવનિર્મિત ખાણની આસપાસ જે વસાહત વસી હોય, ત્યાં સાધુએ પ્રવેશ કરવો જોઈએ નહીં. લોકો સાધુના પ્રવેશને શુકન કે અપશુકન રૂપ માને છે. તે ઉપરાંત ખાણમાંથી નીકળ તા દ્રવ્ય વિષયક લાભ-અલાભની શંકા થાય, નૂતન ખાણની નજીક પૃથ્વીકાયિક જીવોની વિરાધનાની સંભાવના રહે તથા સુવર્ણાદિની ખાણ સમીપે સાધુને જોતાં ચોરીનો આક્ષેપ પણ આવે. આવા દોષોના કારણે નવનિર્મિત ખાણની સમીપે સાધુએ કેટલોક સમય જવું નહિ તથા ગોચરી કરવી નહિ. વિવિધ પ્રકારની વીણા બનાવવી તથા વગાડવી - ३३ जे भिक्खू मुहवीणियं वा दंतवीणियं वा ओट्ठवीणियं वा णासावीणियं वा कक्खवीणियं वा हत्थवीणिय वा णहविणिय वा पत्तवीणिय वा पुप्फवीणिय वा फलवीणियं वा बीयवीणियं वा हरियवीणियं वा करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી મુખ વીણા, દાંત, હોઠ, નાક, કાંખ(બગલ), હાથ, નખ, પાંદડા, પુષ્પ, ફળ, બીજ અથવા લીલી વનસ્પતિની વીણાને બનાવે અર્થાત મુખથી વીણા જેવો ધ્વનિ કાઢી શકાય તેવો મુખનો આકાર બનાવે કે બનાવનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू मुंह-वीणियं वा जाव हरियवीणियं वा वाएइ, वाएतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી મુખ વીણા યાવત્ લીલી વનસ્પતિની વીણાને વગાડે કે વગાડનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू अण्णयराणि वा तहप्पगारणि अणुद्दिण्णाई सदाइं उदीरेइ, उदीरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી બીજા કોઈ પણ તેવા પ્રકારના (વીણાની જેમ પશુ-પક્ષી વગેરેના) અનુત્પન્ન શબ્દોને ઉત્પન્ન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
[ ૯૬ ]
શ્રી નિશીથ સુત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૧૨ પ્રકારની વીણા કહી છે, તેમાંથી સાત શરીરના અંગોપાંગજન્ય વીણાનો આકાર છે અને પાંચ વનસ્પતિજન્ય છે. વીણા જેવો ધ્વનિ મુખ-હાથ વગેરેથી ઉત્પન્ન કરી શકાય છે, તેવો ધ્વનિ કાઢવા મુખાદિનો વિશિષ્ટ પ્રકારનો આકાર બનાવવો પડે છે. ૩૩માં સૂત્રમાં મુખાદિનો તેવા આકાર બનાવવા સંબંધી પ્રાયશ્ચિત્ત છે અને ૩૪મા સૂત્રમાં મુખાદિ દ્વારા વીણા વગાડવા સંબંધી અર્થાત્ વીણા જેવો ધ્વનિ કાઢવા સંબંધી પ્રાયશ્ચિત્ત છે. ૩પ માં સુત્રમાં વીણાની જેમ અન્ય કોઈ પણ વાંજિત્ર જેવા અવાજ પશુ-પક્ષીના અવાજ, મુખાદિથી ઉત્પન્ન કરવા અથવા પત્થર, કાચ વગેરે દ્વારા વિવિધ અવાજ-ધ્વનિ ઉત્પન્ન કરવા સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે.
મુખાદિથી વીણાવાદન કરવું, તે ચંચલવૃત્તિનું દ્યોતક છે. માન સંજ્ઞાની પ્રધાનતા તથા કુતૂહલવૃત્તિથી આ કાર્ય સંભવે છે. મુખ આદિ અવયવોથી વણા જેવો ધ્વનિ ઉત્પન્ન કરવા મુખાદિને વિકૃત કરવા પડે મુખાદિથી વીણા વગાડવા જતાં કે વિકૃત આકાર કરવા જતાં તે અવયવને નુકશાન થાય તો આત્મવિરાધના થાય. વનસ્પતિજન્ય વીણા બનાવવા માટે વનસ્પતિનું છેદન કરવું પડે. વીણા બનાવવામાં વનસ્પતિના જીવોની વિરાધના થાય છે. શરીરાવયવ નિષ્પન્ન કે વનસ્પતિ નિષ્પન્ન વીણાથી વાદન કરતાં વાયુકાયિક જીવની પણ હિંસા થાય છે, તેથી સંયમ વિરાધના થાય છે. મુખાદિથી વીણાવાદન જેવી પ્રવૃત્તિઓ સ્વ-પરને વ્યામોહિત કરનારી છે. આવા દોષોની સંભાવનાને લક્ષ્યમાં રાખી સાધુએ શરીરના અવયવો કે વનસ્પતિ દ્વારા વીણાવાદન કરવું જોઈએ નહિં. ઔદેશિક આદિ સ્થાનમાં પ્રવેશ:३६ जे भिक्खू उद्देसियं सेज्जं अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ‘દેશિક શય્યા-સ્થાનમાં પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३७ जे भिक्खू सपाहुडियं सेज्जं अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ‘સપ્રાભૃતિક શય્યા–સ્થાનમાં પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३८ जे भिक्खू सपरिकम्मं सेज्जं अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી “સપરિકર્મ શય્યા–સ્થાનમાં પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
સાધુ-સાધ્વીઓના ઉતરવાના, રહેવાના સ્થાન માટે શય્યા, વસતિ કે ઉપાશ્રય શબ્દોનો પ્રયોગ આગમોમાં દષ્ટિગોચર થાય છે. આ સૂત્રોમાં સાધુ માટે શય્યા વિષયક પ્રાયશ્ચિત્ત વિધાન છે. આચારાંગ, શ્ર-૨, ઉ.–૧માં ઔદેશિકાદિ શધ્યા(મકાન)માં રહેવાનો નિષધ છે, તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. ઔદેશિક, સપ્રાભૃતિક અને સપરિકર્મા એવી શય્યા કે મકાનમાં નિવાસ કરવા માટે સાધુ-સાધ્વી તેમાં પ્રવેશ કરે, તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. કણિયું - ઔદેશિક શય્યા. જે મકાનનું નિર્માણ સાધુ માટે કરવામાં આવે તે મકાન ઔશિક શય્યા
Page #165
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૫
[ ૯૭]
કહેવાય છે, સાધુ માટે તે અકલ્પનીય છે. ભાષ્યકારે ચાર પ્રકારની ઔદેશિક શય્યા બતાવી છે.
जावइयं उद्देसो, पासंडाणं भवे समुद्देसो ।
समणाणं तु आदेसो, णिग्गंथाणं समादेसो ॥२०२०॥ (૧) યાત્રિકો, શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ ભિખારી આદિ સર્વના નિમિત્તે ધર્મશાળા, મકાન આદિ બનાવ્યા હોય તે. (૨) અન્યતીર્થિક સંન્યાસીઓ, પાખંડીઓના નિમિત્તે મકાન આદિ બનાવવામાં આવ્યા હોય તો તે ઔદેશિક શયા કહેવાય છે. આ બે પ્રકારના ઔદેશિક મકાન નિર્માણ થયા પછી બ્રાહ્મણ, અતિથિ, સંન્યાસી વગેરે
ત્યાં નિવાસ કરી ગયા હોય અને પછી નિગ્રંથ સાધુ તેમાં પ્રવેશ કરે તો તેને પ્રાયશ્ચિત્ત આવતું નથી, પરંતુ તેવા મકાનમાં નિગ્રંથ સાધુ પ્રથમ પ્રવેશ કરે તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. (૩) નિગ્રંથ, શાક્ય–બૌદ્ધ, તાપસ, ઐરિક અને આજીવિક શ્રમણ, આ પાંચ પ્રકારના શ્રમણના નિમિત્તે કોઈ ગૃહસ્થ મકાન બનાવ્યું હોય તો તે “સાવધક્રિયા' દોષ યુક્ત શય્યા કહેવાય છે. આ પાંચ પ્રકારના શ્રમણોમાં “નિગ્રંથ” શબ્દથી જૈન સાધુનું પણ ગ્રહણ થઈ જાય છે. શ્રમણ માટે મકાન બનાવવામાં જૈન સાધુ પણ નિમિત્તરૂપ છે, તેથી તેને “સાવધક્રિયા' નામના દોષવાળી શય્યા કહેવામાં આવે છે. આ શય્યા સાધુ માટે અકલ્પનીય છે, તેમાં પ્રવેશ કરે તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. (૪) નિગ્રંથ સાધુ એટલે જૈન સાધુના નિમિત્તે જ કોઈ ગૃહસ્થ મકાન બનાવે તો તે મહાસાવધ' ક્રિયા દોષ યુક્ત શા કહેવાય છે. તે શય્યા આધાકર્મ દોષ યુક્ત છે. સાધુ માટે તે અકલ્પનીય છે, તેમાં પ્રવેશ કરે તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સાહિત્ય - સપ્રાકૃતિક દોષ યુક્ત શય્યા. આહાર વિષયક 'ઉદ્ગમ'ના સોળ દોષ છે. તેમાં છઠ્ઠો પાદુડિયા નામનો દોષ છે. તે દોષ અહીં શય્યા માટે સમજવો જોઈએ. ગૃહસ્થ પોતાના માટે જ મકાનનું નિર્માણ કરતાં હોય પરંતુ સાધુ આવવાના હોય તો તેને લક્ષ્યમાં રાખી નિર્માણ સમયને આગળ-પાછળ કરે કે શીધ્ર કરે અર્થાત્ પાંચ દિવસનું કાર્ય એક દિવસમાં પૂરું કરે તો તે મકાનને સપાહુડ શવ્યા કહેવામાં આવે છે. તે મકાન પાઉડદોષથી દૂષિત છે. ભાષ્યમાં બાદર પાડિયા દોષ અને સૂક્ષ્મ પાડિયા દોષ એમ બે પ્રકાર બતાવ્યા છે. બાદર પાહુડિયા દોષની ભાષ્યગાથાબાદર પાહડિયા દોષ -વિલન છાવળ તેવો જ, પૂનમે પડુ પાડયા .
સfખ હિસ , તેને ય બાળા ! ૨૦૨૬ II અર્થ- સગ-હિલ અર્થાત સમયને આગળ-પાછળ કરી મકાન સંબંધી નિમ્નોક્ત કાર્ય કરે. વિદ્ધસ-મકાનના કોઈ ભાગને પાડવો, છાવ- કોઈ ભાગ પર આવરણ કરવું, લીંપણ લીંપવું, રંગ-રોગાન કરાવવા, ભૂમિને– વિષમ ભૂમિને સમ કરવી, મકાન બનાવતા હોય અને સાધુ આવવાના છે તે જાણી ઉપરોક્ત કાર્ય જલદી કરે કે, થોડા સમય પછી વિલંબથી કરે તો તેને સ્થલ પાડિયા દોષ કહેવામાં આવે છે. સુથમ પાડિયા દોષ :- સના વરિલીયા, ૩વર્તવા પુખ વીવણ જેવા
ओसक्कण उस्सक्कण, देसे सव्वे य णायव्वा ॥२०३१॥
Page #166
--------------------------------------------------------------------------
________________
૯૮ |
શ્રી નિશીથ સૂત્ર
અર્થ– સમાર્જન કરવું એટલે કે સાફ-સૂફ કરવું, પાણી પડતું હોય તો સીમેન્ટ પથરાવવી, લીંપણ કરવું, મકાનમાં પ્રકાશ થાય તેમ કરવું, આ સૂક્ષ્મ પાહુડ દોષ છે.
આ સૂક્ષ્મ અને બાદર પાહુડ દોષના એક દેશથી અને સર્વ દેશથી તેવા બે ભેદ છે. સર્વ દેશથી બાદર પાહુડ દોષનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત ભાષ્યકારે બતાવ્યું છે, તેનું આ સૂત્રમાં વિધાન નથી, પરંતુ એકદેશથી બાદર પાહુડ દોષ યુક્ત મકાન અને એક દેશ કે સર્વ દેશથી સૂક્ષ્મ પાહુડ દોષયુક્ત મકાનમાં પ્રવેશ કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સપરિવહનં :- પરિકર્મ દોષ યુક્ત શય્યા. સાધુને માટે જ ઉપાશ્રયમાં રંગ-રોગાન વગેરે કરાવવા, તે પરિકર્મ દોષ છે. પાહુડ દોષના પરિકર્મ કાર્યો ગૃહસ્થ માટે હોય છે પરંતુ તેમાં સાધુના નિમિત્તથી સમય આગળ પાછળ કરાય છે અને સપરિકર્મ દોષના પરિકર્મ કાર્યો સાધુ માટે જ કરવામાં આવે છે.
આચારાંગ સૂત્ર અનુસાર અનેક પરિકર્મ યુક્ત શય્યા ગૃહસ્થ સ્વભાવિક રૂપે ઉપયોગમાં લઈ લે ત્યાર પછી કે કાલાંતરે તે સાધુ માટે કલ્પનીય બની જાય છે. કાલાંતરે પુરુષાંતરકૃત થયા પછી સાધુને તે મકાનમાં પ્રવેશ કરવામાં અને રહેવામાં કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.
સંક્ષેપમાં (૧) કેવળ જૈન સાધુના ઉદ્દેશ્યથી અથવા જૈન સાધુ સહિત અન્ય સંપ્રદાયના સાધુઓ તથા પથિકોના ઉદ્દેશ્યથી બનાવેલી ધર્મશાળા આદિદેશિક શય્યા છે. (૨) પોતાના માટે મકાન બનાવતા હોય, તેનો સમય અથવા પરિકર્મ કાર્યનો સમય સાધુના નિમિત્તે આગળ-પાછળ કરે કે શીધ્ર કરે તો તે ટે સપાહુડ શય્યા (૩) મકાન ગૃહસ્થને માટે બનાવેલું હોય, પરંતુ તેમાં સાધુ માટે પરિકર્મ કાર્ય(સમાર કામ) કર્યા હોય તે સપરિકર્મ શય્યા છે. આ ત્રણ પ્રકારની દોષયુક્ત શય્યામાં પ્રવેશ કરવાનું અર્થાત્ રહેવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવ્યું છે. સંભોગ પ્રત્યયિક ક્રિયાનો નિષેધ - |३९ जे भिक्खू णत्थि संभोग-वत्तिया किरिय त्ति वयइ, वयंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી “સંભોગ પ્રત્યયિક ક્રિયા લાગતી નથી તેમ કહે છે અથવા તેમ કહેનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
( પત્ર મોબન મોનઃ એક સાથે ભોજન કરવું તે સંભોગ અને એક મંડળમાં સાથે બેસીને જે સાધુઓ ભોજન કરે છે, તેઓ પરસ્પર સાંભોગિક સાધુઓ કહેવાય છે અથવા સમાચારી સમાન ન હોવા છતાં જે સાધુઓ પરસ્પર ભોજનાદિ ૧૨ પ્રકારનો વ્યવહાર રાખતા હોય તેઓ સાંભોગિક કહેવાય છે. કોઈ સાધુ ગવેષણાના દોષયુક્ત આહાર લાવે, તે વસ્તુનો જે-જે સાંભોગિક ઉપયોગ કરે છે, તેને પણ ગવેષણા દોષ સંબંધી ક્રિયા લાગે છે, તે સંભોગ પ્રત્યયિક ક્રિયા કહેવાય છે અને તદનુસાર કર્મબંધ પણ થાય છે તથા તે આહાર સંબંધી પ્રાયશ્ચિત્ત પણ આવે છે.
સાંભોગિક સાધુ ૧૬ પ્રકારના આધાકર્માદિ અને ઉદ્દગમના દોષ રહિત શુદ્ધ ઉપધિ, આહારાદિ લાવે તો અન્ય સાંભોગિક સાધુ શુદ્ધ કહેવાય છે. અશુદ્ધ–ઉગમાદિ દોષ યુક્ત આહાર, ઉપધિ લાવે તો અન્ય સાંભોગિક સાધુઓ પણ અશુદ્ધ બને છે, તેને પણ કર્મબંધ થાય છે અને તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત પણ આવે
Page #167
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૫
૯૯ ]
છે. તેમ છતાં કોઈ સાધુ એમ કહે કે “સંભોગ પ્રત્યયિક ક્રિયા લાગતી નથી” તો તેનું તે વાક્ય મિથ્યા છે. આવું મિથ્યા વચન બોલવા માટે તેને પ્રાયશ્ચિત્ત આવે છે. યોગ્ય ઉપધિને પરઠી દેવી -
४० जे भिक्खू लाउयपायं वा दारुपायं वा मट्टियापायं वा अलं थिरं धुवं धारणिज्जं परिभिदिय-परिभिदिय परिट्ठवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પરિપૂર્ણ, મજબૂત, લાંબો સમય ચાલે તેવા, ધારણ કરવા યોગ્ય તુંબડા, કાષ્ઠ અને માટીના પાત્રને તોડીને, ટુકડા કરીને પરઠ કે તેમ કરનારનું અનુમોદન કરે, ४१ जे भिक्खू वत्थं वा कंबलं वा पायपुंछणं वा अलं थिरं धुवं धारणिज्ज पलिछिंदिय-पलिछिंदिय परिट्ठवेइ, परिहवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પરિપૂર્ણ મજબૂત, લાંબો સમય ચાલે તેવા ધારણીય વસ્ત્ર, કંબલ, પાદપ્રોચ્છનને ફાડીને, ખંડ-ખંડ કરીને પરઠે કે તેમ કરનારનું અનુમોદન કરે, ४२ जे भिक्खू दंडगं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूई वा पलिभंजियपलिभंजिय परिट्टवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી દંડ, લાઠી, અવલેહનિકા અથવા વાંસની સોયને તોડીને પર કે પરઠનારની અનુમોદના કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વાપરવા યોગ્ય ઉપધિને પરઠવાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
સૂત્રકારે પાત્ર, વસ્ત્ર, કંબલ અને પાદપ્રોપ્શન માટે અલ, થિર, ધ્રુવ અને ધારણીય, આ ચાર વિશેષણનો પ્રયોગ થયો છે. તેના અર્થ ભાષ્યકારે આ પ્રમાણે બતાવ્યા છે
जं पज्जत्तं तं अलं, दढं थिरंअपडिहारियं धवं त ।
लक्खण जुत्तं पायं, तं होति धारणिज्ज तु ॥२१५९॥ (૧) અન્ન- મં પુષત્ત તં અiા જે પર્યાપ્ત-પરિપૂર્ણ હોય, લંબાઈ-પહોળાઈમાં પ્રમાણોપેત હોય, તેમજ અખંડ અને કામમાં આવવા યોગ્ય હોય તે “અલ’ કહેવાય છે. (૨) fથર– ૪ થા જે વસ્ત્ર પાત્રાદિ મજબૂત હોય, પૂર્ણ રીતે વ્યવસ્થિત હોય, તેને સ્થિર કહેવામાં આવે છે. (૩) ઘુવં– અપકર્ષિ પુર્વ તેના ત્રણ અર્થ છે– (૧) જે વસ્ત્ર-પાત્રાદિ ગૃહસ્થ પાસેથી પૂર્ણ રીતે પ્રાપ્ત હોય છે, તેને પાછા આપવાના ન હોય, તે અપ્રાતિહારિક વસ્ત્ર-પાત્રને અહીં ધુવં કહ્યા છે. (૨) અન્ય સાધુ કે આચાર્યાદિને પાછા દેવાના ન હોય, પોતાને રાખવાની આજ્ઞા પ્રાપ્ત થઈ ગઈ હોય, તે વસ્ત્ર-પાત્રાદિ ધ્રુવ કહેવાય છે. (૩) જે વસ્ત્ર-પાત્રાદિ લાંબા સમય સુધી વાપરી શકાય તેવા ટકાઉ હોય તે ધ્રુવ કહેવાય છે. (૪) ધારીજ- નવા ગુરૂં પાણM . જે વસ્ત્ર-પાત્ર બાહ્ય દોષોથી રહિત એટલે લક્ષણ યુક્ત હોય અને ઉદ્દગમાદિ દોષ રહિત હોવાથી કલ્પનીય હોય, તેને ધારા ધારણ કરવા યોગ્ય કહેવાય છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
શ્રી નિશીથ સૂત્ર
સાધુને આ ચારે વિશેષણોથી યુક્ત વસ્ત્ર, પાત્ર આદિ ધારણ કરવા યોગ્ય હોય છે. તેવા વસ્ત્ર પાત્ર આદિના ટુકડા કરીને પરઠી દે તો સાધુને પ્રાયશ્ચિત્ત આવે છે.
જ્યારે વસ્ત્ર, પાત્ર આદિ અત્યંત જીર્ણ-શીર્ણ થઈ જાય, ઉપયોગમાં આવે તેમ ન હોય, ત્યારે તેને વિધિપૂર્વક પરઠી શકાય છે. તેનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી.
દંડ, લાકડી, અવલેહનિકા અને વાંસની સોય, આ ચારે ઔપગ્રહિક ઉપકરણ છે, તે જીર્ણ થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જ જોઈએ તેવો નિયમ નથી. તેનું કાર્ય સમાપ્ત થઈ જાય ત્યારે તે ગૃહસ્થને પાછા સોંપી શકાય છે. ગૃહસ્થની જે પ્રમાણે આજ્ઞા લીધી હોય તે પ્રમાણે અખંડ અવસ્થામાં ઉપાશ્રય આદિમાં પણ છોડી શકાય છે અને જો ઉપયોગમાં લેતાં અયોગ્ય બની જાય તો તેને તે જ રૂપે ઈંડિલ ભૂમિમાં પરઠી શકાય છે. બિ૪િ – ત્રણ સુત્રોમાં ભિન્ન-ભિન્ન ત્રણ ક્રિયાઓનો પ્રયોગ થયો છે. (૧) બિલિય- પાત્ર ફોડીને. (૨) લિયિ – વસ્ત્ર ફાડીને, (૩) મિલિય- દંડાદિ તોડીને. આ પ્રમાણે ત્રણ શબ્દોની વિશેષતા સમજવી જોઈએ. રજોહરણ સંબંધી વિપરીતતા - ४३ जे भिक्खू अइरेगपमाणं रयहरणं धरेइ, धरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પ્રમાણથી મોટો રજોહરણ રાખે કે રાખનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू सुहुमाई रयहरण-सीसाइं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રજોહરણના નાકા સૂમ બનાવે છે તેમ કરનારનું અનુમોદન કરે, ४५ जे भिक्खू रयहरणं कंडूसग-बंधेणं, बंधइ बंधतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રજોહરણને કડૂસગ’ બંધનથી બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, ४६ जे भिक्खू रयहरणं अविहीए बंधइ, बंधतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રજોહરણને અવિધિથી બાંધે કે બાંધનારનું અનુમોદન કરે. ४७ जे भिक्खू रयहरणस्स एक्कं बंधं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રજોહરણને એક બંધન બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, ४८ जे भिक्खू रयहरणस्स परं तिण्हं बंधाणं देइ, देतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રજોહરણને ત્રણથી વધુ બંધન બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, ४९ जे भिक्खू रयहरणं अणिसटुं धरेइ, धरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અકલ્પનીય રજોહરણને ધારણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ५० जे भिक्खू रयहरणं वोसटुं धरेइ, धरेंतं वा साइज्जइ ।
Page #169
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૫
[ ૧૦૧]
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી રજોહરણને શરીર પ્રમાણ ક્ષેત્રથી દૂર રાખે છે તેમ કરનારનું અનુમોદન કરે, ५१ जे भिक्खू रयहरणं अहिडेइ, अहिटुंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી રજોહરણ પર અધિષ્ઠિત થાય કે તેમ કરનારનું અનુમોદન કરે. ५२ जे भिक्खू रयहरणं उस्सीसमूले ठवेइ, ठवेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રજોહરણને ઓશીકે સ્થાપે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકના પર પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈપણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં રજોહરણ સંબંધી વિપરીત ક્રિયાઓના પ્રાયશ્ચિત્તનું કથન છે. લાકડી સહિતના દેશીઓના સમૂહને રજોહરણ કહેવામાં આવે છે. રજોહરણ દ્વારા ભૂમિનું પ્રમાર્જન કરવામાં આવે છે. ભૂમિ ઉપર ચાલતા-ફરતા જીવજંતુઓ રાત્રે દેખાય નહીં, તેથી રજોહરણથી પોજીને ચાલવાનું વિધાન છે. પોંજી શકાય તેટલા પ્રમાણવાળા રજોહરણથી પોંજવા સિવાયના વિપરીત કાર્યો કરવામાં આવે તો તેનું અહીં પ્રાયશ્ચિત્ત કથન છે. (૧) અડ્ડા પHI:- અધિક પ્રમાણવાળો. રજોહરણમાં દેશીઓના સમૂહનો ઘેરાવો પ્રમાણોપેત હોવો જોઈએ અર્થાત્ રજોહરણ દ્વારા એકવાર પૂંજેલી ભૂમિમાં પોતાનો પગ આવી શકે, તેટલા પ્રમાણમાં દેશીઓનો સમૂહ હોવો જોઈએ. વ્યાખ્યા ગ્રંથોમાં ૩ર અંગુલ પ્રમાણનો નિર્દેશ મળે છે. તે દેશીઓના ઘેરાવા માટે જ સમજવું સુસંગત છે. ૩ર અંગુલના ઘેરાવાની દેશીઓનો સમૂહ ઓછામાં ઓછો સોળ અંગુલ પહોળી ભૂમિનું પ્રમાર્જન કરે છે અને પગની લંબાઈ પ્રાયઃ ૧૨ થી ૧૫ અંગુલ સુધીની હોય છે, તેથી પોંજીને ચાલવાનું કાર્ય સમ્યફ પ્રકારથી સંપન્ન થઈ શકે છે. આ રીતે રજોહરણનું ૩ર અંગુલનું પ્રમાણ તેના ઘેરાવાની અપેક્ષાથી જ સમજવું જોઈએ.
કેટલાક વ્યાખ્યાગ્રંથોમાં ૩ર અંગુલ પ્રમાણને રજોહરણની દાંડી (લાકડી) સાથે ઘટાવીને રજોહરણની દાંડી ૩ર અંગુલ પ્રમાણવાળી હોવી જોઈએ, તેમ કહ્યું છે પરંતુ તે વાત સુસંગત જણાતી નથી. તેનું કારણ એ છે કે નવ વર્ષના સાધુ અઢી ફૂટની અવગાહનાવાળા હોઈ શકે છે અને વીસ વર્ષના સાધુની છ ફૂટની ઊંચાઈ પણ હોઈ શકે છે. બધાને માટે ડાંડીની લંબાઈ ૩ર અંગુલની કહેવી ઉપયુક્ત નથી. ૩ર અંગુલનો ઘેરાવો પણ એકાંતે સમજવો નહિ, તે ઉર અંગુલનો ઘેરાવો પણ ઉત્કૃષ્ટ પ્રમાણ સૂચક છે. સૂત્ર પાઠથી એટલો જ ભાવ ફલિત થાય છે કે શરીર તથા પગની લંબાઈ અનુસાર પોંજવાનું કાર્ય સમ્યક પ્રકારથી સંપન્ન થઈ શકે, તેટલા ઘેરાવા અને લંબાઈનો રજોહરણ હોવો જોઈએ. તેનાથી અધિક ઘેરાવો અથવા લંબાઈ અનાવશ્યક હોવાથી તે પ્રમાણાતિરિક્ત રજોહરણ કહેવાય છે. ઉપલક્ષણથી રજોહરણની લંબાઈ તથા ઘેરાવો પ્રમાણથી ઓછા હોય, તો તે પણ દોષરૂપ અને પ્રાયશ્ચિત્ત યોગ્ય છે.
રજોહરણ પ્રમાણથી મોટો હોય તો પોંજતા સમયે પ્રાણીઓને પરિતાપ પહોંચે, તેની પ્રતિલેખના
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૦૨ |
શ્રી નિશીથ સૂત્ર
(૩) ૦
બરાબર ન થાય, અતિરિક્ત રજોહરણના પોલાણમાં કંથવા વગેરે જીવો બેસી જાય, ક્યારેક તે જીવોની વિરાધના થવાથી સંયમ વિરાધના થાય, લાકડી લાંબી હોય તો જમીનને અડતા કંથવા, કીડી વગેરે જીવની વિરાધના થાય. પ્રમાણથી ન્યૂન રજોહરણ હોય તો પણ પ્રમાર્જન કાર્ય બરાબર ન થાય અને અર્ધપ્રમાર્જિત ભૂમિ પર પગ પડતાં સંયમ વિરાધના થાય, ઇત્યાદિ કારણોથી જૂનાધિક રજોહરણ રાખવામાં આવે, તો આ સૂત્રથી લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. (૨) સુમારું રચંદરા લીલા – રજોહરણનું શીર્ષ એટલે રજોહરણની દેશીઓના નાકાઓ જે નાકાના સ્થાનથી દેશીઓને દોરામાં પરોવવામાં આવે છે, તે નાકાને સૂક્ષ્મ બનાવે. પ્રમાણથી વધુ પાતળા બનાવે. શોભા માટે તેને પાતળા બનાવે તો દેશી પણ પાતળી બને અને દેશીની સંખ્યા વધુ રાખવી પડે તથા પાતળા નાકાવાળી દેશી ટકાઉ ન બને માટે નાકા પાતળા ન કરતાં મધ્યમ કરવા જોઈએ.
સન નં :- કંડસગ બંધન. રજોહરણની દેશીઓને પરસ્પર દોરાથી બાંધવામાં આવે, તેને કંસગ બંધન કહે છે. આવા બંધન કરવામાં વધુ સમય લાગે છે, તેથી સ્વાધ્યાય-ધ્યાનાદિમાં વિક્ષેપ થાય છે, પરંતુ દેશીઓ છૂટી પડી જાય તેમ હોય તો તેને સંબદ્ધ કરી દેવાથી છૂટી ન પડે અને પ્રતિલેખનામાં સુવિધા રહે; તેવા સમયે દેશીઓને બાંધવાનું પ્રાયશ્ચિત્ત આવતું નથી, પરંતુ નવી દેશીઓને વિના કારણે પરસ્પર દોરાથી બાંધે, તો તેનું આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
અન્ય વ્યાખ્યા પ્રમાણે કંડસગ(કંદુક) એટલે દડાની જેમ રજોહરણને દોરાથી કે કપડાંથી બાંધી રાખે તોપણ તે કંસગ બંધન કહેવાય છે અને તેમ કરનારને પણ આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે. (૪) વિદીe:- રજોહરણને વ્યવસ્થિત અને મજબૂત બાંધવો જોઈએ. તેના કપડાંમાં ક્યાંય જીવ જંતુ બેસી ન શકે, તેમજ તે છૂટી પણ ન જાય. અવ્યસ્થિત કે વારંવાર છૂટી જાય તેવી રીતે બાંધવું અવિધિ બંધન છે અને તેનું જ પ્રાયશ્ચિત્ત કથન છે. એક બંધન કે ત્રણથી વધુ બંધન કરવા તે પણ અવિધિ બંધન છે. તેનું પ્રાયશ્ચિત્ત કથન અહીં સ્વતંત્ર(૪૭મા) સૂત્રથી કર્યું છે. રજોહરણ દ્વારા પ્રમાર્જન બરાબર થઈ ન શકે તેમ તેને બાંધવો તે પણ અવિધિ બંધન છે. (૫) cવર્ષ:- રજોહરણ વ્યવસ્થિત બંધાયો હોય તો જ પ્રમાર્જન બરાબર થઈ શકે. દાંડી પર રજોહરણને વ્યવસ્થિત રીતે બાંધવા ત્રણ બંધનની આવશ્યકતા રહે છે. રજોહરણને એક જ બંધનથી બાંધે તો પ્રમાર્જન કરતાં રજોહરણ છુટી જવાની સંભાવના રહે, છૂટેલા રજોહરણથી પ્રમાર્જન કરતાં જીવોને પરિતાપ પહોંચે વિરાધના થાય, પ્રતિલેખનના કાળ સિવાય પણ છૂટેલા રજોહરણને પુનઃ પુનઃ બાંધવો પડે અને સ્વાધ્યાયમાં અલના થાય માટે તેનું પ્રાયશ્ચિત્ત વિધાન કહ્યું છે. (૬) પર સિબ્દ વંધાઈ – દાંડી પર રજોહરણને વ્યવસ્થિત બાંધવા ત્રણ બંધનની જરૂર છે. (૧) દાંડીની નીચેના ભાગમાં, (૨) દાંડીની ઉપરના ભાગમાં (૩) દેશીઓના સમૂહ પાસે તેમ ત્રણ બંધન બાંધવા આવશ્યક છે. ત્રણથી વધુ ચાર-પાંચ બંધન બાંધે તો પ્રાયશ્ચિત્ત આવે છે. (૭) સિ૬:- આજ્ઞા વિનાના રજોહરણ. તીર્થકરો દ્વારા અદત્ત અર્થાત્ જે રજોહરણ રાખવાની તીર્થકરોએ આજ્ઞા આપી નથી તેવો રજોહરણ રાખવો તે લિટું કહેવાય છે. ઊન, ઊંટના વાળ, શણ, દાભ(ઘાસ) અને મૂંજ આ પાંચ પ્રકારના રજોહરણ રાખવાની તીર્થકરોની આજ્ઞા બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૨ તથા ઠાણાંગ સૂત્ર, સ્થાન–પમાં છે. આ પાંચ પ્રકાર સિવાયના અન્ય પ્રકારના રજોહરણ રાખે તો તે
સિટું કહેવાય છે અને તેનું આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૫
૧૦૩.
(૮) વોટું - ૩૬ વેરાગો, જળ = ત તુ હરિ વોસ૬
આ સોસ૬, વોલ થરંત આવી ૨૨૮૧ અર્થ– આત્મ પ્રમાણ અર્થાત્ શરીર પ્રમાણ(૫-૬ ફૂટ) ક્ષેત્રથી દૂર રાખેલો રજોહરણ વોસદુ કહેવાય છે રજોહરણ દૂર રાખવાથી આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, રજોહરણ પોતાની આસપાસમાં હોય, તો પોંજવાની જરૂર પડે ત્યારે તુરંત તેને ગ્રહણ કરી શકાય છે. દૂર રહેલો રજોહરણ યથાસમયે ઉપયોગમાં આવતો નથી, તેથી તેનું પ્રાયશ્ચિત્ત આવે છે. (૯) ફિ :- અધિષ્ઠિત થવું. શરીરના કોઈપણ અવયવ, હાથ-પગ આદિ નીચે રજોહરણને દબાવવો તે અધિષ્ઠિત થવું કહેવાય છે; તેમ કરવું રજોહરણનો અનાદર છે. રજોહરણ ઋષિધ્વજ પણ કહેવાય છે માટે પોજવા સિવાય તેનો ઉપયોગ કરાય નહીં. (૧૦) ૩ન્સીસમૂર્તઃ-મસ્તક તો ઉત્તમાંગ છે તેમ છતાં રજોહરણને માથા નીચે રાખી, ઓશીકું કરી સૂવું નહિ. તેમ કરવાથી પણ રજોહરણનો દુરુપયોગ તથા અનાદર થાય છે. જે વસ્તુનું જે કાર્ય હોય તેમાં જ તેનો ઉપયોગ કરવો યોગ્ય કહેવાય છે.
નિશીથ સુત્રની કેટલીક પ્રતોમાં રજોહરણ પર સુવે, પાસા બદલે તેવા અર્થમાં ત ક્રિયાપદથી એક સૂત્ર વધુ જોવા મળે છે, પણ તેનો સમાવેશ નહિ અને ઉલ્લાસમૂર્વ ના સૂત્રમાં થઈ જાય છે.
આ ઉદ્દેશકગત પર સૂત્રોમાં પર લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
પાંચમો ઉદ્દેશક સંપૂર્ણ
Page #172
--------------------------------------------------------------------------
________________
| १०४ ।
શ્રી નિશીથ સૂત્ર
- 8ो देश . VEIPE गुरु यौभासी प्रायश्चित्त स्थान VEEL બ્રહમચર્ય દોષ સંબંધી પ્રાયશ્ચિત્ત :| १ जे भिक्खू माउग्गाम मेहुणं वडियाए विण्णवेइ, विण्णवेंतं वा साइज्जइ। | २ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए हत्थकम्मं करेइ, करेंत वा साइज्जइ। एवं पढमुद्देसगमेण णेयव्वं जाव । | ३ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अंगादाणं अण्णयरंसि अचित्तंसि सोयसि अणुप्पवेसित्ता सुक्कपोग्गले णिग्घायइ, णिग्घायंतं वा साइज्जइ । |४ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अवाउडिं सयं कुज्जा, सयं बूया, करेंतं वा बूएंतं वा साइज्जइ ।
५ जेभिक्खू माउग्गामस्स मेहुणवडियाए कलहं कुज्जा, कलहं बूया,कलहवडियाए बाहिं गच्छइ, गच्छंतं वा साइज्जइ । ६ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए लेहं लिहइ, लेहं लिहावेइ, लेहवड़ियाए बाहिं गच्छइ, गच्छत वा साइज्जइ ।
७ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए पोसंतं वा पिटुंतं वा भल्लायएण उप्पाएइ, उप्पाएत वा साइज्जइ । |८ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए पोसंतं वा पिटुंतं वा भल्लायएण उप्पाएत्ता, सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा उच्छोलेंतं वा परोवेंतं वा साइज्जइ । | ९ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए पोसंतं वा पिटुंतं वा भल्लायएण उप्पाएत्ता, सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलित्ता, पधोवित्ता, अण्णयरेणं आलेवणजाएणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । |१० जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए पोसंतं वा पिटुंतं वा भल्लायएण उप्पाएत्ता, सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेत्ता पधोवित्ता, अण्णयरेण आलेवणजाएणं आलिंपित्ता विलिंपित्ता, तेल्लेण वा जाव णवणीएण वा अब्भंगेज्ज वा मक्खेज्ज वा अब्भंगेंतं वा मक्खेंत्तं वा साइज्जइ ।
Page #173
--------------------------------------------------------------------------
________________
6देश-
७
| १०५ |
|११ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए पोसतं वा पिटुंतं वाभल्लायएण उप्पाएत्ता, सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेत्ता पधोवित्ता, अण्णयरेणं आलेवणजाएणं आलिंपित्ता विलिंपित्ता, तेल्लेण वा जाव णवणीएण वा अब्भंगेत्ता मक्खेत्ता, अण्णयरेण धूवजाएण धूवेज्ज वा पधूवेज्ज वा धूर्वेतं वा पधूवेंतं वा साइज्जइ । |१२ जे भिक्खूमाउग्गामस्स मेहुणवडियाए कसिणाइंवत्थाई धरेइ, धरतं वा साइज्जइ। १३ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अहयाई वत्थाई धरेइ, धरतं वा साइज्जइ। १४ जेभिक्खू माउग्गामस्स मेहुणवडियाए घोयरत्ताइवत्थाई धरेइ, धरतं वासाइज्जइ। |१५ जे भिक्खूमाउग्गामस्स मेहुणवडियाए चित्ताइवत्थाइ धरेइ, धरेत वा साइज्जइ। |१६ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए विचित्ताइवत्थाइधरेइ, धरत वा साइज्जइ। |१७ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अप्पणो पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जतं वा पमजतं वा साइज्जइ । एवं तइयउद्देसगमेण णेयव्वं जाव १८ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए गामाणुगामं दुइज्जमाणे अप्पणो सीसदुवारियं करेइ, करेंतं वा साइज्जइ । १९ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए खीरं वा दहिं वा णवणीयं वा सप्पि वा गुलं वा खंड वा सक्करं वा मच्छंडियं वा अण्णयरं पणीयं आहारं आहारेइ, आहारेंतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । V272 IdHÌ GÈXIS Z22
ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન | १ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए तणमालियं वा मुंजमालियं वा वेंतमालियं वा कट्ठमालियं वा मयणमालियं वा भिंडमालियं वा पिच्छमालियं वा हडमालियं वा दंतमालियं वा संखमालियं वा सिंगमालियं वा पत्तमालियं वा पुप्फमालियं वा फलमालियं वा बीयमालियं वा हरियमालियं वा करेइ, करेंतं वा साइज्जइ । | २ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए तणमालियं वा जाव हरियमालियं वा धरेइ, धरैत वा साइज्जइ ।
Page #174
--------------------------------------------------------------------------
________________
| १० |
શ્રી નિશીથ સૂત્ર
| ३ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए तणमालियं वा जाव हरियमालियं वा पिणद्धेइ, पिणखेंतं वा साइज्जइ । |४ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अयलोहाणि वा तंबलोहाणि वा तउयलोहाणि वा सीसलोहाणि वा रुप्पलोहाणि वा सुवण्णलोहाणि वा करेइ, करेंत वा साइज्जइ । | ५ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अयलोहाणि वा जाव सुवण्णलोहाणि वा धरेइ, धरेत वा साइज्जइ । |६ जे भिक्खू माउग्गमस्स मेहुणवडियाए अयलोहाणि वा जाव सुवण्णलोहाणि वा पिणद्धेइ, पिणतं वा साइज्जइ । |७ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए हाराणि वा अद्धहाराणि वा एगावली वा मुत्तावली वा कणगावली वा रयणावली वा कडगाणि वा तुडियाणि वा केऊराणि वा कुडलाणि वा पट्टाणि वा मउडाणि वा पलंबसुत्ताणि वा सुवण्णसुत्ताणि वा करेइ, करेंतं वा साइज्जइ । ८ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए हाराणि वा जाव सुवण्णसुत्ताणि वा धरेइ, धरेत वा साइज्जइ । | ९ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए हाराणि वा जाव सुवण्णसुत्ताणि वा पिणद्धेइ, पिणखेंतं वा साइज्जइ । १० जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए- आइणाणि वा सहिणाणि वा सहिणकल्लाणाणि वा आयाणि वा कायाणि वा खोमियाणि वा दुगुल्लाणि वा तिरीडपट्टाणि वा मलयाणि वा पत्तुण्णाणि वा अंसुयाणि वा चिणंसुयाणि वा देसरागाणि वा अभिलाणि वा गज्जलाणि वा फालिहाणी वा कोयवाणि वा कंबलाणि वा कंबल पावराणि वा उद्दाणि वा पेसाणि वा पेसलेसाणि वा किण्हमिगाईणगाणि वा णीलमिगाईणगाणि वा गोरमिगाईणगाणि वा कणगाणि वा कणगंताणि वा कणगपट्टाणि वा कणगखचियाणि वा कणगफुसियाणि वा वग्घाणि वा विवग्घाणि वा आभरण चित्ताणि वा आभरण विचित्ताणि वा करेइ, करेंतं वा साइज्जइ। |११ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए आइणाणि वा जाव आभरण विचित्ताणि वा धरेइ, धरेंत वा साइज्जइ । १२ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए आइणाणि वा जाव आभरण विचित्ताणि वा पिणद्धेइ, पिणतं वा साइज्जइ ।
Page #175
--------------------------------------------------------------------------
________________
6देश-७
| १०७ ।
१३ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अक्खंसि वा ऊरुसि वा उयरंसि वा थणंसि वा गहाय संचालेइ, संचालतं वा साइज्जइ । १४ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णमण्णस्स पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जत वा पमजत वा साइज्जइ । एवं तइयउद्देस गमेण णेयव्वं जाव..... |१५ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए गामाणुगाम दुइज्जमाणे अण्णमण्णस्स सीसदुवारियं करेइ, करेंत वा साइज्जइ । १६ जे भिक्खू माउग्गामस्स मेहुणवडिवाए अणंतरहियाए पुढवीए णिसीयावेज्ज वा तुयथावेज्ज वा णिसीयावेतं वा तुयट्टावेत वा साइज्जइ । १७ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ससिणिद्धाए पुढवीए णिसीयावेज्ज वा तुयट्टावेज्ज वा णिसीयावेत वा तुयट्टावेंतं वा साइज्जइ । |१८ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए ससरक्खाए पुढवीए णिसीवावेज्ज वा तुयथावेज्ज वा णिसीयावेत वा तुयट्टावेत वा साइज्जइ ।वा साइज्जइ । १९ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए मट्टियाकडाए पुढवीए णिसीयावेज्ज वा तुयथावेज्ज वा णिसीयावेतं वा तुयट्टावेत वा साइज्जइ । २० जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए चित्तमंताए पुढवीए णिसीयावेज्ज वा तुयट्टावेज्ज वा णिसीयावेंतं वा तुयट्टावेंतं वा साइज्जइ । २१ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए चित्तमंत्ताए सिलाए णिसीयावेज्ज वा तुयट्टावेज्ज वा णिसीयावेंतं वा तुयट्टावेंतं वा साइज्जइ । २२ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए चित्तमंत्ताए लेलुए णिसीयावेज्ज वा तुयट्टावेज्ज वा णिसीयावेंतं वा तुयट्टावेंतं वा साइज्जइ ।। २३ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए कीलावासंसि वा दारुए जीवपइट्ठी; सअंडे, सपाणे, सबीए, सहरिए, सओसे, सउदए, सउत्तिंगपणग-दग-मट्टिय-मक्कडासंताणए णिसीयावेज्ज वा तुयट्टावेज्ज वा णिसीयावेंतं वा तुयट्टावेंतं वा साइज्जइ। २४ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अंकंसि वा पलियंकसि वा णिसीयावेज वा तुयट्टावेज्ज वा णिसीयावेतं वा तुयट्टावेतं वा साइज्जइ ।
२५ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अंकसि वा पलियंकसि वा णिसीयावेत्ता वा तुयट्टावेत्ता वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा अणुग्घासेज्ज वा अणुप्पाएज्ज वा अणुग्घासंतं वा अणुप्पाएंतं वा साइज्जइ ।
Page #176
--------------------------------------------------------------------------
________________
| १०८
શ્રી નિશીથ સૂત્ર
२६ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु, वा णिसीयावेज्ज वा तुयट्टावेज्ज वा णिसीयावेतं वा तुयथावेंतं वा साइज्जइ । २७ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा णिसीयावेत्ता वा तुयट्टावेत्ता वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा अणुग्घासेज्ज वा अणुपाएज्ज वा अणुग्घासंतं वा अणुपाएंत वा साइज्जइ । २८ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णयरं तेइच्छं आउट्टइ, आउद्भृतं वा साइज्जइ । २९ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अमणुण्णाई पोग्गलाई णीहरइ, णीहरंत वा साइज्जइ । ३० जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए मणुण्णाई पोग्गलाई उवकिरइ, उवकिरत वा साइज्जइ । ३१ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णयरं पसुजायं वा पक्खिजायं वा पायंसि वा पक्खंसि वा पुच्छसि वा सीसंसि वा गहाय संचालेइ संचालतं वा साइज्जइ । ३२ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णयरं पसुजायं वा पक्खिजायं वा सोयसि कटुं वा किलिंचं वा अंगुलियं वा सलागं वा अणुप्पवेसित्ता संचालेइ, संचालेंतं वा साइज्जइ । |३३ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णयरं पसुजायं वा पक्खिजायं वा अयमित्थित्ति कटु आलिंगेज्ज वा परिस्सएज्ज वा परिचुम्बेज्ज वा छिदेज्ज वा विच्छिंदेज्ज वा आलिंगंतं वा परिस्सयंतं वा परिचुंबतं वा छिदंतं वा विच्छिदंतं वा साइज्जइ । ३४ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए असणं वा पाणं वा खाइमं वा साइम वा देइ, देंत वा साइज्जइ । ३५ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए असणं वा पाणं वा खाइम वा साइमं वा पडिच्छइ, पडिच्छत वा साइज्जइ । ३६ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ, देंतं वा साइज्जइ ।
Page #177
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૭
[ ૧૦૯ ]
|३७ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिग्गाहेइ, पडिग्गहावेंतं वा साइज्जइ । |३८ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए सज्झायं वाएइ, वाएंत वा साइज्जइ। |३९ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए सज्झायं पडिच्छइ, पडिच्छंतं वा
४० जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णयरेणं इंदिएणं आकारं करेइ, करेत वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ - પ્રસ્તુત બને ઉદ્દેશકોમાં અબ્રહ્મ સેવનની ઇચ્છાથી સાધુ સાધ્વીઓની વિવિધ પ્રવૃત્તિઓનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વિવેચન :આગમોમાં બ્રહ્મચર્ય મહાવ્રતની મહત્તા - બ્રહ્મચર્ય વ્રતની દુષ્કરતાનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં આ પ્રમાણે છે
विरई अबंभचेरस्स, कामभोग रसण्णुणा ।
મદળાં વર્ષ, ધારેલ્વે સુલુ - ઉત્તરા. આ. ૧૯, ગાથા–૨૮. અર્થ-કામભોગોના રસના અનુભવીને માટે અબ્રહ્મચર્યથી વિરત થવું અને ઉગ્ર એવા ઘોર બ્રહ્મચર્ય મહાવ્રતને ધારણ–પાલન કરવું અત્યંત દુષ્કર છે.
તુ વંશવયં પોર, ધારેલું મ ળો – ઉત્તરા. આ. ૧૯, ગાથા-૩૩.
સામાન્ય મનુષ્ય માટે ઘોર દુષ્કર બ્રહ્મચર્ય મહાવ્રતને ધારણ કરવું અતીવ કષ્ટદાયક હોય છે. દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રમાં અબ્રહ્મચર્યના ત્યાગ માટે કહ્યું છે કે
मूलमेयं अहम्मस्स, महादोस समुस्सयं । ..
તબ્દી મેખ સંસા, ળિયથા વMતિ - દશવૈ. અ. ૬, ગાથા–૧૭. અર્થ- મૈથુન અધર્મનું મૂળ છે અને મહાન દોષોનો સમૂહ છે, તેથી નિગ્રંથ મુનિઓ મૈથુન સંસર્ગનું વર્જન કરે છે. સંસાર નોહત વિપfમૂયા, હીપા પત્થાન ટુ વન મો - ઉત્તરા અ ૧૪, ગાથા૧૩. કામભોગ મોક્ષના વિપક્ષી વિરોધી છે અર્થાત્ સંસારવર્ધક છે, તેથી તે અનર્થોની ખાણ છે.
- આ રીતે અનેક અનેક સુત્રોમાં આગમકારોએ યથાપ્રસંગ સાધકને બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષા માટે ભિન્ન-ભિન્ન રીતે સાવધાન કર્યા છે. તે આગમ સ્થળો આ પ્રમાણે છેદશવૈ. અ. ૮, ગાથા-૫૩, ૬૦.
ઉત્તરા. અ. ૧૯, ગાથા–૧૭. ઉત્તરા. અ. ૮, ગાથા-૪, ૬, ૧૮, ૧૯.
ઉત્તરા. આ. ૨૫, ગાથા-૨૭, ૪૧, ૪૩. દશ. અ. ૨, ગાથા-૨, ૯.
ઉત્તરા. આ. ૩ર, ગાથા-૯,૨૦. ઉત્તરા. આ. ૯, ગાથા-પ૩.
ઉત્તરા. અ. ૨, ગાથા-૧૬, ૧૭. ઉત્તરા. આ. ૧૩, ગાથા-૧૬, ૧૭
ઉત્તરા. આ. ૧, ગાથા-૨૬.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૧૦]
શ્રી નિશીથ સૂત્ર
સૂયગડાંગ ધ્રુ. ૧, અ. ૪. બે ઉદ્દેશાત્મક સંપૂર્ણ ચોથું અધ્યયન બ્રહ્મચર્ય વિષયક છે.
આચારાંગ સૂત્ર, શ્રુ. ૧, અ. ૯, ઉ. ૪માં બ્રહ્મચર્યની સુરક્ષા માટે અનેક ઉપાયોનું કથન કરતાં અંતે સંથારો કરી મરણ સ્વીકાર કરવાનું પણ સૂચિત કર્યું છે.
આચારાંગ સૂત્ર અધ્યયન-૮, ઉદ્દેશક-૪માં બ્રહ્મચર્યની સુરક્ષા માટે કટોકટીના પ્રસંગે ફાંસીથી મૃત્યુ સ્વીકારવાનું સૂચન છે અને તથા પ્રકારના મરણને કલ્યાણકારી કહ્યું છે.
“નવવાડ” અને “દસ બ્રહ્મચર્ય સમાધિ સ્થાન આ બંનેના વિષયોમાં પ્રાયઃ સમાનતા છે. બ્રહ્મચર્યની પૂર્ણ સુરક્ષા માટે તેમાં વર્ણિત સૂચનાઓનું કાળજી પૂર્વક પાલન કરવું અનિવાર્ય છે.
મોહનીય કર્મના પ્રબલ ઉદયમાં બ્રહ્મચર્ય દૂષક પ્રવૃત્તિઓની સંભાવના રહે છે. તેવા સમયે બ્રહ્મચર્ય વ્રતનાં અતિચારોનું કે અનાચારોનું આચરણ કરવાથી સાધક પોતાના સંયમમાં સ્થિર રહી શકતો નથી. આગમોમાં અન્ય અંધજનોની અપેક્ષાએ મોહાંધને પ્રગાઢ અંધ કહ્યો છે માટે સાધકે સતત સાવધાન રહીને આગમાનુસાર આહાર-વિહારનો વિચાર રાખી દોષોથી રહિત જીવન વ્યતીત કરવું જોઈએ.
આ ઉદ્દેશકના સર્વ સૂત્રોમાં બ્રહ્મચર્ય મહાવ્રતને દૂષિત કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ને છકો-સાતમો ઉદ્દેશક સંપૂર્ણ
Page #179
--------------------------------------------------------------------------
________________
પ્રાકશન
૧૧૧
આઠમો ઉદ્દેશક
પરિચય ORROROORROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૧૮ પ્રકારના ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા–
ધર્મશાળા, ઉદ્યાન, અટ્ટાલિકા, દગમાર્ગ, શૂન્યગૃહ, તૃણગૃહ, યાનશાળા, દુકાન, ગોશાળા આદિ ઉદાહરણરૂપે કથિત ૪૪ સ્થાનોમાં એકલા સાધુએ એકલી સ્ત્રી સાથે રહેવું, આહાર આદિ કરવા,સ્વાધ્યાય આદિ કરવા, સ્થંડિલ ભૂમિમાં જવું કે વિકારોત્પાદક વાર્તાલાપ કરવો.
રાત્રિના સમયે સ્ત્રી પરિષદમાં અથવા સ્ત્રી યુક્ત પુરુષ પરિષદમાં અપરિમિત કથા કરવી, સાધ્વીની સાથે વિહાર આદિ કરવો, અતિ સંપર્ક રાખવો, ઉપાશ્રયમાં સ્ત્રીને રાત્રે રહેવા દેવી, તેનો નિષેધ ન કરવો તથા તેની સાથે બહાર ગમનાગમન કરવું,
અનેક પ્રકારના મહોત્સવમાં મૂર્ધાભિષિક્ત રાજાના આહારને ગ્રહણ કરવો, ઉત્તરશાળા, ઉત્તરગૃહ તથા અશ્વશાળા આદિમાં રાજાના આહારને ગ્રહણ કરવો, રાજાના દૂધ, દહીં આદિના સંગ્રહ સ્થાનોમાંથી આહારને ગ્રહણ કરવો, રાજાના ઉત્કૃષ્ટ પિંડ આદિ, દાન નિમિત્તે સ્થાપિત આહારને ગ્રહણ કરવો ઇત્યાદિ પ્રવૃત્તિઓનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
| ११२
શ્રી નિશીથ સૂત્ર
• मालभो देश . e ac olar zilHizi ya IT rello 722 એકલી સ્ત્રીનો સંપર્ક નિષેધ - | १ जे भिक्खू आगंतारंसि वा आरामगारंसि वा गाहावइकुलसि वा परियावसहसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ, सज्झायं वा करेइ, असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारेइ, उच्चारं वा पासवणं वा परिढुवेइ, अण्णयरं वा अणारिय णिठुरं अणारियं असमणपाओग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે એકલા સાધુ ધર્મશાળામાં, ઉદ્યાનગૃહમાં, ગૃહસ્થના ઘરમાં કે પરિવ્રાજકના આશ્રમમાં એકલી સ્ત્રી સાથે રહે(વિહાર કરે), સ્વાધ્યાય કરે, અશનાદિ ચાર પ્રકારનો આહાર કરે, ઉચ્ચાર પ્રસવણ પરઠે, કોઈપણ પ્રકારે અનાર્ય, શ્રમણને અયોગ્ય વાર્તાલાપ કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू उज्जाणंसि वा उज्जाणगिहसि वा उज्जाणसालंसि वा णिज्जाणंसि वा णिज्जाणगिहसि वा णिज्जाणसालसि वा एगो एगित्थीए सद्धि विहार वा करेइ जाव असमणपाओग्गं कहं कहेइ, कहेंत वा साइज्जइ । भावार्थ:- हमेसा साधु 6धान(बगीया)मा, 6धानमा, Gधान शाणामा, નિર્માણ–રાજમાર્ગમાં, રાજમાર્ગ સ્થિત ગૃહમાં, રાજમાર્ગ પર સ્થિત શાળામાં એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू अमुसि वा अट्टालयंसि वा चरियसि वा पागारंसि वा दारंसि वा गोपुरंसि वा एगो एगित्थीए सद्धिं विहारं वा करेइ जाव असमणपाओग्गं कह कहेइ, कहेत वा साइज्जइ । ભાવાર્થ :- જે એકલા સાધુ પ્રાકાર કિલ્લાની ઉપરના ઘરમાં, પ્રાકારના ઝરુખામાં, પ્રાકાર અને નગરની વચ્ચેના માર્ગમાં, પ્રાકારમાં, નગરના દ્વારમાં, ગોપુરમાં– ઢાળ યુક્ત નગરના મુખ્ય દ્વારમાં, એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે, | ४ जे भिक्खू दगमगंसि वा दगपहसि वा दगतीरंसि वा दगठाणंसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ जावअसमणपाओग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે એકલા સાધુ જળાશયના પાણી આવવાના માર્ગમાં, જળાશયમાંથી પાણી ભરીને લઈ જવાના માર્ગમાં, જળાશયના કિનારા ઉપર, જળસ્થાનમાં એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે, | ५ जे भिक्खु सुण्णगिहंसि वा सुण्णसालंसि वा भिण्णगिहंसि वा भिण्णसालंसि
Page #181
--------------------------------------------------------------------------
________________
6देश-८
| ११३
वा कूडागारंसि वा कोट्ठागारंसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ जाव असमणपाओग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે એકલા સાધુ શૂન્ય ગૃહમાં, શૂન્ય શાળામાં, ખંડેરમાં, ખંડેર શાળામાં, કૂટ–શિખરના આકારવાળી ઝૂંપડીમાં, ધાન્ય આદિના કોઠારમાં, એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે, |६ जे भिक्खु तणगिहंसि वा तणसालंसि वा तुसगिहसि वा तुससालंसि वा भुसगिहसि वा भुससालसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ जाव असमणपाओग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે એકલા સાધુ તૃણગૃહમાં, તૃણશાળામાં, શાલિ આદિના તુષ(ભુંસા) રાખવાના સ્થાનમાં તુષશાળામાં, મગ-અડદ આદિના ભુંસાના ઘરમાં, ભુંસાની શાળામાં એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે, | ७ जे भिक्खु जाणसालंसि वा जाणगिर्हसि वा वाहणगिहंसि वा वाहणसालंसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ जाव असमणपाओग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે એકલા સાધુ રથ આદિ યાનગૃહમાં, યાનશાળામાં, અશ્વ આદિવાહનગૃહમાં, વાહનશાળામાં, એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે,
८ जे भिक्खु पणियगिहंसि वा पणियसालंसिवा कुवियगिहसि वा कुवियसालंसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ जाव असमणपाओग्गं कहं करेइ, कहेंतं वा साइज्जइ । भावार्थ :- मेरा साधु विश्य गृडमा(दुआनमा), वियामा(12भां), सुडारगृडमां, सुडार શાળામાં એકલો, એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે,
९ जे भिक्खु गोणसालंसि वा गोणगिहंसि वा महाकुलंसि वा महागिहंसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ जाव असमणपाओग्गं कहं कहेइ, कहेंत वा साइज्जइ । ભાવાર્થ :- જે એકલા સાધુ ગૌશાળામાં, ગૌગૃહમાં, મહાશાળામાં, મહાગૃહમાં એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. विवेयन:
પ્રસ્તુત ૯ સૂત્રોમાં ધર્મશાળાદિ ચાર, ઉદ્યાનાદિ છે, અટ્ટાલિકાદિ છે, દગમાર્ગાદિ ચાર, શૂન્ય ગૃહાદિ છે, તૃણગૃહાદિ છે, યાનશાળાદિ ચાર, દુકાનાદિ ચાર, ગૌશાળાદિ ચાર, કુલ ૪૪ સ્થાનોનું કથન છે,
Page #182
--------------------------------------------------------------------------
________________
| ૧૧૪ |
શ્રી નિશીથ સૂત્ર
ઉપલક્ષણથી કોઈ પણ સ્થાનમાં એકલા સાધુએ એકલી સ્ત્રી સાથે વાતચીત કરવી, ઊભા રહેવું આદિ એક પણ ક્રિયા કરવી ન જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં સ્ત્રી સંસર્ગને તાલપુટ વિષની ઉપમા આપી છે અને સો વર્ષની વૃદ્ધા સાથે પણ સંસર્ગ કરવાનો નિષેધ કર્યો છે. દશ, અ.-૮, ગા. પર થી ૫૮; ઉત્ત. અ.-૧, ગા.-૨૬ તથા અ-૩૩, ગા.-૧૩ થી ૧૬માં તથા અન્ય આગમોમાં સાધુ માટે સ્ત્રી સંસર્ગનો નિષેધ જોવા મળે છે. ભાષ્યમાં કહ્યું છે
अवि मायरं पि सद्धि, कहातु एगागियस्स पडिसिद्धा ।
किं पुण अणारियादी, तरुणित्थीहिं सहगयस्स ॥२३४४॥ અર્થ- સાધુને એકલી વૃદ્ધ માતા અથવા બહેન આદિ સાથે ધર્મકથા કરવી પણ કલ્પતી નથી, તો પછી અન્ય તરુણી કે અન્ય સ્ત્રી સાથે કથા વાર્તા ક્યાંથી કરી શકે? અર્થાત્ એકલો સાધુ એકલી સ્ત્રી તથા એકલી સાધ્વી સાથે કથાવાર્તા કરી શકે નહીં.
વિહરં જે- અહીં પ્રસંગોપાત વિહારનો અર્થ સાથે રહેવું, તેમ કરવામાં આવ્યો છે, જ્યારે વા પાસવર્ણ વા પરિવે- ઉચ્ચાર પ્રસવણ પરઠવાનો અર્થ ઈંડિલ ભૂમિમાં જવું, તેવો અર્થ થાય છે. ગારિયે.. અનાર્ય કામકથા, નિરંતર અપ્રિય કથા કહેવી અથવા કામનિષ્ફર(નિષ્ફર અશ્લીલ) વાતો કરવી.
આ સ્થાનો સિવાયના સ્થાનોનું અર્થાત્ ઉપાશ્રય આદિનું ગ્રહણ પણ ઉપલક્ષણથી સમજી લેવું. રાત્રિ-કથા નિષેધ - |१० जे भिक्खु राओ वा वियाले वा इत्थीमज्झगए, इत्थीसंसत्ते इत्थीपरिवुडे अपरिमाणाए कह कहेइ, कहेंत वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ સ્ત્રી પરિષદમાં, સ્ત્રીઓની મધ્યમાં અર્થાતુ સ્ત્રી પરિષદમાં કે સ્ત્રીના સમુદાયમાં રાત્રે અથવા સંધ્યા સમયે અપરિમિત ધર્મકથા કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે રાત્રિ કથાના પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
આગમોમાં સાધુ માટે રાત્રે સ્ત્રી સમુદાયને કે પુરુષ યુક્ત સ્ત્રી પરિષદને ધર્મકથા કહેવાનો નિષેધ છે. અપરિમાણ:- અપરિમિત કથા. અનેક સાધુઓ હોય તો પણ સ્ત્રી સમુદાયને રાત્રે અપરિમિત કથા કરવાનો નિષેધ છે. ભાષ્ય ચૂર્ણિમાં પણ કહ્યું છે કે
इत्थीणं मज्झम्मि, इत्थीसंसत्ते परिवुडे ताहि ।
चउ पंच उ परिमाणं, तेण परं कहंत आणादी ॥२४३०॥ परिमाणं जाव तिण्णि चउरो पंच वा वागरणाणि, परतो छट्ठादि अपरिमाणं -यूलि અર્થ- સાધુ સ્ત્રી પરિષદ, સ્ત્રી યુક્ત પરીષદ અને સ્ત્રીના સમુદાયને ત્રણ, ચાર, પાંચ પ્રશ્નના ઉત્તર
Page #183
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૮
[ ૧૧૫ |
આપે કે પાંચ ગાથાનું કથન કરે તો તે પરિમિતકથા કહેવાય છે. છ કે છથી વધુ પ્રશ્નો, છ કે છથી વધુ ગાથાઓનું કથન કરે, તો તે અપરિમિતકથા કહેવાય છે.
સાધુ આપવાદિક સ્થિતિમાં રાત્રે આ સૂત્રાનુસાર સંક્ષિપ્ત અને પરિમિત ધર્મકથા કહી શકે છે, પરિમાણનું ઉલ્લંઘન કરી અપરિમિત કથા કહે તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વાં વહે – આ સૂત્રમાં ‘કથા” શબ્દ દ્વારા ધર્મકથા-ધર્મોપદેશનું ગ્રહણ કરાય છે. સાધ્વી વિષયક સંકલ્પ-વિકલ્પઃ११ जे भिक्खू सगणिच्चियाए वा परगणिच्चियाए वाणिग्गंथीए सद्धिंगामाणुगामं दूइज्जमाणे पुरओ गच्छमाणे, पिट्ठओ रीयमाणे, ओहयमणसंकप्पे चिंतासोयसागरसंपविटे, करयलपल्हत्थमुहे, अट्टज्झाणोवगए, विहारं वा करेइ जाव असमणપોષ વદ ૬, વહેત વા સારૂ I ભાવાર્થ :- જે સાધુ સ્વગણ અથવા અન્ય ગણની સાધ્વી સાથે તેની આગળ કે પાછળ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સંકલ્પ-વિકલ્પ કરે, ચિંતાતુર રહે, શોક સાગરમાં ડૂબી જાય, હથેળી ઉપર મુખ રાખીને આર્તધ્યાન કરે વાવતું સાધુને અયોગ્ય વાર્તાલાપ કરે કે તેમ કરનારની અનુમોદના કરે છે, તેને ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુતમાં સાધુના સાધ્વી વિષયક સંકલ્પ-વિકલ્પના પ્રાયશ્ચિત્તનું કથન છે.
સાધુને ગોચરી અને ધર્મકથા સિવાય સ્ત્રીસંપર્ક તથા સ્ત્રી પરિચયનો અને સાધ્વી સાથે સુત્રાર્થ વાચના સિવાય સંપર્ક અને પરિચયનો નિષેધ છે.
સામાન્ય રીતે સાધુ-સાધ્વીને એકબીજાના ઉપાશ્રયમાં બેસવું-ઊભા રહેવું વગેરેનો નિષેધ, બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૩, સૂત્ર–૧, રમાં છે અને આ સૂત્રમાં સાધુ-સાધ્વીનો સાથે વિહાર અને અતિસંર્પક અને તન્જન્ય આર્તધ્યાન વિષયક પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. ઉપાશ્રયમાં સ્ત્રીનો રાત્રિ નિવાસઃ|१२ जे भिक्खू णायगंवा अणायगंवा उवासयं वा अणुवासयं वा अंतो उवस्सयस्स अद्ध वा राइ कसिणं वा राई संवसावेइ, संवसावेंत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ સ્વજન-અન્ય જનની ઉપાસિકા કે અનુપાસિકા(સ્ત્રીને)ને ઉપાશ્રયમાં અર્ધ(અપૂર્ણ) રાત્રિ કે પૂર્ણ રાત્રિ નિવાસ કરાવે છે તેમ કરાવનારનું અનુમોદન કરે.(તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.) વિવેચન :
આ સૂત્રમાં ઉપાસક-અનુપાસક શબ્દનો પ્રયોગ છે. સામાન્ય રીતે શ્રાવક માટે ઉપાસક અને શ્રાવિકા માટે ઉપાસિકા' શબ્દનો પ્રયોગ થાય છે. અહીં ‘ઉપાસક' શબ્દથી પ્રસંગને અનુલક્ષીને ઉપાસિકા
સ્ત્રી' અર્થ ગ્રહણ કરવો જોઈએ. ભાષ્ય તેમજ ચૂર્ણિમાં પણ આજ વાત કહી છે. કં પુખ સુત્ત Oિ પડુ આ સૂત્ર સ્ત્રીની અપેક્ષાએ કહ્યું છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ]
શ્રી નિશીથ સૂત્ર
अद्ध वा राई:- अद्धं राईए दो जामा, 'वा' विकप्पेण एगं जामं । चउरो जामा कसिणा राई वा વિખે રિષિ ગામ - ચૂર્ણિ. સંપૂર્ણ રાત્રિ ચાર યામ(પ્રહર)ની હોય છે. અર્ધરાત્રિ બે પ્રહરની હોય છે. વા વિકલ્પથી એક પ્રહર કે ત્રણ પ્રહર રાત્રિનું ગ્રહણ થાય છે. સંવલાવેડ-સંવાદ એટલે ઉપાશ્રયમાં વાસ કરાવે. કોઈ સ્ત્રીને ઉપાશ્રયમાં રાત્રિવાસ માટે નિમંત્રણ આપવું અથવા કોઈ સ્ત્રી સ્વતઃ સ્ત્રીવાસ માટે આવે તો તેને ‘ના’ ન કહે તો તે મૌન સંમતિ જ ગણાય માટે આ બંનેમાંથી કોઈ પણ રીતે સ્ત્રીઓ ઉપાશ્રયમાં રાત્રિવાસ કરે તો તે 'સંવસાવેઈ’ કહેવાય અને આ સૂત્રથી તત્ સંબંધી પ્રાયશ્ચિત્ત આવે છે.
નિશીથ સૂત્રની કેટલીક પ્રતિઓમાં ‘ના’ ન પાડવા સંબંધી ન પડિયાર ક્રિયાપદથી એક સૂત્ર અલગ જોવા મળે છે. ‘ના’ ન પાડવાનો સમાવેશ સંવાદમાં થઈ જતો હોવાથી તથા ચૂર્ણિમાં તે સૂત્ર નથી માટે તે સૂત્ર અહીં આપ્યું નથી. રાત્રિમાં સ્ત્રી સાથે ગમનાગમન - |१३ जे भिक्खू णायगंवा अणायगंवा उवासयं वा अणुवासयं वा अंतो उवस्सयस्स अद्ध वा राई, कसिणं वा राई संवसावेइ, तं पडुच्च णिक्खमइ वा पविसइ वा णिक्खमंतं वा पविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે ભિક્ષુ સ્વજન-અન્ય જનની ઉપાસિકા–અનુપાસિકા સ્ત્રીને અર્ધ(અપૂર્ણ) રાત્રિ કે પૂર્ણરાત્રિ ઉપાશ્રયમાં રાત્રિવાસ કરાવે અને તેના નિમિત્તે ગમનાગમન કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. રાજમહોત્સવમાંથી આહાર ગ્રહણઃ१४ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं- समवाएसु वा पिंडणियरेसु वा इंदमहेसु वा खंदमहेसु वा रुद्दमहेसु वा मुगुंदमहेसु वा भूयमहेसु वा जक्खमहेसु वा णागमहेसु वा थूभमहेसु वा चेइयमहेसु वा रुक्खमहेसु वा गिरिमहेसु वा दरिमहेसु वा अगडमहेसु वा तडागमहेसु वा दहमहेसु वा णइमहेसु वा सरमहेसु वा सागरमहेसु वा आगारमहेसु वा; अण्णयरेसु वा तहप्पगारेसु विरूवरूवेसु महामहेसु असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી (૧) મેળો, (૨) પિતૃભોજન, (૩) ઇન્દ્ર મહોત્સવ, (૪) સ્કન્દમહોત્સવ, (૫) રુદ્ર મહોત્સવ, (૬) વાસુદેવ મહોત્સવ,(૭) ભૂત મહોત્સવ, (૮) યક્ષ મહોત્સવ, (૯) નાગ મહોત્સવ, (૧૦) સૂપ મહોત્સવ, (૧૧) ચૈત્ય મહોત્સવ, (૧૨) વૃક્ષ મહોત્સવ, (૧૩) પર્વત મહોત્સવ, (૧૪) ગુફા મહોત્સવ, (૧૫) કૂપ મહોત્સવ, (૧૬) તળાવ મહોત્સવ, (૧૭) જળાશય મહોત્સવ, (૧૮) નદી મહોત્સવ, (૧૯) સરોવર મહોત્સવ, (૨૦) સમુદ્ર મહોત્સવ, (૨૧) ખાણ મહોત્સવ તથા તેવા કોઈ પણ પ્રકારના મહોત્સવોમાં મૂર્ધાભિષિક્ત શુદ્ધવંશીય ક્ષત્રિય રાજાના નિમિત્તે બનેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
Page #185
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૮
૧૧૭
१५ जे भिक्खू रणो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं उत्तरसालंसि वा उत्तरगिहंसि वा रीयमाणाणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઉત્તર(અન્ય) શાળા કે ઉત્તરગૃહમાં થોડા સમય માટે આવેલા મૂર્વાભિષિક્ત, શુદ્ધવંશીય, ક્ષત્રિય રાજાના અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, १६ जे भिक्खू रणो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं हयसालागयाण वा गयसालागयाण वा मंतसालागयाण वा गुज्झसालागयाण वा रहस्ससालागयाण वा मेहुणसालागयाण वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અશ્વશાળા, હસ્તિશાળા, મંત્રશાળા, ગુપ્તશાળા, મૈથુનશાળામાં સ્થિત મૂર્ધાભિષિક્ત શુદ્ધ વંશીય ક્ષત્રિય રાજાના અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
१७ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं सण्णिहिसण्णिचयाओ खीरं वा दहिं वा णवणीयं वा सप्पि वा गुलं वा खंड वा सक्करं वा मच्छंडियं वा अण्णयरं भोयणजायं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી મૂર્ધાભિષિક્ત, શુદ્ધ વંશીય ક્ષત્રિય રાજાના ખાદ્ય સામગ્રીના સંગ્રહ સ્થાનમાંથી દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, ખાંડ, સાકર કે મિશ્રી તેમજ અન્ય કોઈ પણ પ્રકારની ભોજન સામગ્રી ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
१८ भिक्खू रण खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं उस्सट्ठपिंडं वा संसट्ठपिंडं वा अणाहपिंडं वा वणीमगपिंडं वा पडिग्गाहेइ पडिग्गार्हतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મૂર્વાભિષિક્ત, શુદ્ધવંશીય, ક્ષત્રિય રાજાના ઉત્કૃષ્ટ પિંડ, સંસક્તપિંડ, અનાથપિંડ, વનીપકપિંડને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકના ૧૮ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં રાજપિંડ ગ્રહણનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
અહીં રાજાને માટે ત્રણ વિશેષણોનો પ્રયોગ છે, યથા- (૧) મુદ્દિય- શુદ્ધ વંશીય, (૨) મુદ્ધાભિસિત્ત– અનેક રાજાઓ દ્વારા અભિસિક્ત અથવા માતા-પિતા દ્વારા અભિસિક્ત અર્થાત્ અનેક રાજાઓ જેના ચરણમાં ઝૂકે છે તેવા મોટા રાજા. (૩) રખ્ખો વ્રુત્તિયાળ– ક્ષત્રિય રાજા.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૧૮ |
શ્રી નિશીથ સૂત્ર
રાજાના આ ત્રણે યવિશેષણ તેના સ્વરૂપદર્શક છે અને રાજાના મહત્વને પ્રદર્શિત કરે છે. ચોવીસમાં તીર્થકરના શાસનમાં સાધુ-સાધ્વીઓને મૂર્ધાભિષિક્ત મોટા રાજાઓનો આહાર લેવો કલ્પતો નથી. રાજાના રસોઈગૃહમાં કે અન્યત્ર રાજા માટે બનાવેલો આહાર સાધુને લેવો કલ્પતો નથી. તેના જાગીરદાર, ઠાકોર આદિના આહાર ગ્રહણનો નિષેધ સમજવો ન જોઈએ.
સમવાળ્યું – જ્યાં ઘણાં લોકો ભેગા મળે છે, તેવા “મેળા' વગેરે સ્થાનમાં (આચારાંગ, શ્ર.-૨, અ.-૧, ઉ–, સૂ.-૩). fપંડનિયરે– પિતૃ ભોજન, શ્રાદ્ધ. (આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉદ્દેશક–૨, સૂત્ર-૩) ૦૬ - શિવ, મહાદેવ, મુખ્ય – વાસુદેવ મહોત્સવઃ - ભગવતી શતક–૯, ઉદ્દેશક–૩૩માં મુકંદ મહોત્સવ માટે વાસુદેવ મહોત્સવ શબ્દપ્રયોગ છે. રેડ્ય – ચૈત્ય – દેવકુલ, દેવાલય, મંદિર. સર – ખોદાવ્યા વિના સ્વતઃ નિષ્પન્ન જળાશય-તળાવ. તડા – ખોદાવીને તૈયાર કરેલું તળાવ.
અનેક પ્રકારના મહોત્સવમાં રાજા માટે બનાવેલો આહાર સાધુ ગ્રહણ કરે, તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. મહોત્સવોના સ્થાનોમાં જવાથી મહારંભ અને સંઘટા આદિ અનેક દોષોની સંભાવના રહે છે. તેમજ રાજાનું પ્રસન્ન થવું કે નારાજ થવું બંને સ્થિતિઓ પણ અનેક દોષોનું નિમિત્ત થઈ શકે છે માટે તે પ્રકારના સ્થાનોમાં સાધુએ જવું જોઈએ નહીં. પ્રસ્તુત સૂત્રોમાં રાજપિંડના નિષેધ સાથે દાનપિંડ અને સંખડી પિંડ આદિનો પણ નિષેધ થઈ જાય છે. દશ, અ-૩, તથા આચા, શ્ર.-૨, અ–૧૫, ઉ.-૩માં રાજપિંડનો; દશ., અ.૫, ગા.-૪૭ થી પરમી ગાથામાં દાનપિંડ અને આચા., શ્ર.-૨, અ.-૧, ઉ–રમાં સંખડીમાંથી આહાર ગ્રહણનો નિષેધ છે. તેનું અહીં (સૂત્ર ૧૪ થી ૧૮)માં પ્રાયશ્ચિત્ત કથન છે. ૩રસદૃ – ઉત્કૃષ્ટ આહાર. તેના બે અર્થ છે. (૧) કાગડા વગેરે માટે રાખેલો આહાર (૨) રાજાએ જમી લીધા પછી વધેલો એઠો આહાર. સદ્ પિંદુ :- સંસક્ત પિંડ. તેના બે અર્થ છે– (૧) ગરીબ વગેરેને દેવા માટે રાખેલો આહાર (૨) બધાના જમી લીધા પછી વધેલો આહાર,
ઉપલબ્ધ અનેક પ્રતોમાં જિનિપિંડ પાઠ અધિક છે. ભાષ્ય ચૂર્ણિમાં તેની વ્યાખ્યા નથી તથા તેનો ભાવ દાન પિંડ અને વનીપક પિંડમાં ગર્ભિત થઈ જાય છે, તેથી તે શબ્દ અહીં ગ્રહણ કર્યો નથી.
આ રીતે આ ઉદ્દેશકના ૧૮ સૂત્રો દ્વારા ૧૮ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનનો ઉલ્લેખ છે.
છે આઠમો ઉદ્દેશક સંપૂર્ણ
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રાકશન
૧૧૯
નવમો ઉદ્દેશક
પરિચય ORORORORROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૨૭ પ્રકારના ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે. તેમાં રાજપિંડ અને રાજા સંબંધિત અનેક પ્રસંગોનું પ્રાયશ્ચિત્ત કથન છે. વિવિધ સ્થાનોમાં ગયેલા રાજાના આહારને તે-તે સ્થાનમાંથી ગ્રહણ કરવાના નિષેધ સાથે અંતઃપુરમાં પ્રવેશીને કે અંતઃપુરમાંથી લઈને આવેલા આહાર ગ્રહણનો નિષેધ છે.
દશવૈકાલિક અ. ૩માં રાજપિંડ ગ્રહણને અનાચાર કહ્યો છે તથા ઠાણાંગ સૂત્રના પાંચમા ઠાણામાં પાંચ કારણથી રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરવાનું આપવાદિક કથન છે. આ ઉદ્દેશકના પ્રથમ ત્રણ સૂત્રોનો વિષય અન્ય આગમોમાં છે જ્યારે શેષ સૂત્ર ૪ થી ૨૭ સુધીના સૂત્રોમાં અન્ય આગમોમાં અનિર્દિષ્ટ વિષયનું કથન તથા પ્રાયશ્ચિત્ત છે.
આ પ્રમાણે આ ઉદ્દેશકમાં અન્ય આગમોમાં અનુક્ત વિષય જ અધિક છે અને સંપૂર્ણ વિષય એક માત્ર રાજા, રાજાના સંબંધી તથા રાજાની વિવિધ પ્રવૃત્તિઓથી સંબંધિત છે, તે જ પ્રસ્તુત ઉદ્દેશકની વિશેષતા છે.
܀܀܀܀܀
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૨૦ |
શ્રી નિશીથ સૂત્ર
- નવમો ઉદ્દેશક
– 227 26 olaszilhizil yadd zelld 722 રાજપિંડનું ગ્રહણઃ| १ जे भिक्खू रायपिंडं गिण्हइ, गिण्हतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજપિંડને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારની અનુમોદના કરે, | २ जे भिक्खू रायपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રાજપિંડને ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાજપિંડ ગ્રહણ કરવા અને ભોગવવાનો સ્પષ્ટ નિષેધ બતાવ્યો છે. વર્ષ :- રાજાનો આહાર, રાજા માટે બનાવેલો આહાર રાજપિંડ કહેવાય છે. ઉપલક્ષણથી રાજાને ત્યાંથી વસ્ત્રાદિ ગ્રહણ કરે, તો તે પણ રાજપિંડના જ કહેવાય છે. ભાષ્યમાં રાજપિંડના આઠ પ્રકાર કહ્યા છે.
असणादिया चउरो, वत्थे पाए य कंबले चेव ।
पाउंछणगा य तहा, अट्ठविहो रायपिंडो उ ॥२५००॥ અર્થ:-અશનાદિ ચાર પ્રકારનો આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રચ્છન, આ આઠ પ્રકારના રાજપિંડ છે.
પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં રાજપિંડ ગ્રહણનો નિષેધ છે, મધ્યના ર૪ તીર્થકરના શાસનમાં અને મહાવિદેહના સાધુ માટે રાજપિંડ ગ્રહણનો નિષેધ નથી.
રાજા સંબંધિત આહાર અતિ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને મદવર્ધક હોય અને વસ્ત્રાદિ વસ્તુઓ મન મોહક હોય છે. રાજપિંડ ગ્રહણ કરવાથી મોહની વૃદ્ધિ થવાની સંભાવના રહે છે. મોહક રાજપિંડની પ્રાપ્તિ માટે રાજાની પ્રશંસા-સ્તુતિ કરે, તેમજ ભાટ-ચારણની જેમ રાજાની પ્રશંસા કરવા જતાં અસત્યનો દોષ લાગે બહુમૂલ્ય વસ્તુ ગ્રહણ કરવાથી પરિગ્રહ(આસક્તિ)નો દોષ લાગે અને મર્યાદાભંગની સંભાવના રહે, અપરિમિત વસ્તુ ભેગી થવાથી અસમાધિ થાય, મૂલ્યવાન વસ્તુ રાખવાથી સતત ચોરીનો ભય રહે, વસ્ત્ર-પાત્રાદિના અતિ લાભથી લોભની વૃદ્ધિ થાય, એષણા સમિતિનો નાશ થાય. તે વસ્તુના રક્ષણમાં સમય વ્યતીત થતાં સ્વાધ્યાય-સૂત્રાર્થની હાનિ થાય છે વગેરે અનેક દોષોની સંભાવનાના હોવાથી અહીં રાજપિંડ ગ્રહણ કરવાનું અને ભોગવવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અંતઃપુરમાંથી આહાર ગ્રહણઃ| ३ जे भिक्खू रायंतेपुरं पविसइ, पविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે કે પ્રવેશ કરનારનું અનુમોદન કરે,
Page #189
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૯
૧૨૧ |
|४ जे भिक्खू रायंतेपुरियं वएज्जा- आउसो रायंतेपुरिए ! णो खलु अम्हं कप्पइ रायतेपुरं णिक्खमित्तए वा पविसित्तए वा; इमं णं तुम पडिग्गह गहाय रायंतेपुराओ असणं वा पाणं वा खाइमं वा साइमं वा अभिहडं आहटु दलयाहि, जो तं एवं वयइ वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અંતઃપુર રક્ષકને(અથવા અંતઃપુર રક્ષિકાને) કહે કેહે આયુષ્યમાન્ અંતઃપુર રક્ષક! રાજાના અંતઃપુરમાં ગમનાગમન કરવું (પ્રવેશ-નિર્ગમન) અમને કલ્પતું નથી, માટે તું આ પાત્ર લઈ અંતઃ પુરમાંથી અશનાદિ ચાર પ્રકારના આહારને લાવી આપ, જે આ પ્રમાણે કહે અથવા કહેનારનું અનુમોદન કરે, | ५ जे भिक्खू णो वएज्जा रायंतेपुरिया वएज्जा- आउसंतो समणा ! णो खलु तुझं कप्पइ रायतेपुरं णिक्खमित्तए वा पविसित्तए वा आहरेयं पडिग्गह अहं रायंतेपुराओ असणं वा पाणं वा खाइमं वा साइमं वा अभिहडं आहटु दलयामि; जो तं एवं वयंतं [वयंति] पडिसुणइ, पडिसुणतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી રાજાના અંતઃપુર રક્ષકને કહે નહિ પરંતુ અંતઃપુર રક્ષક સ્વયં સાધુને કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! તમને રાજાના અંતઃપુરમાં ગમનાગમન કરવું કલ્પતું નથી, તો મને પાત્ર આપો, હું અંતઃપુરમાંથી અશનાદિ ચાર પ્રકારના આહારને લાવી આપું, આ પ્રકારના વચન સાંભળી તેનો સ્વીકાર કરે કે સ્વીકાર કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અંતઃપુરમાં પ્રવેશ કે અંતઃપુરમાંથી આહાર મંગાવીને તે આહાર ગ્રહણ કરવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે. અંતઃપુરના પ્રકાર :- રાજાનું અંતઃપુર ત્રણ પ્રકારનું હોય છે–(૧) ગુuતે રં– પ્રવીનાનપુરમ્ | અપરિભોગ્યા- વૃદ્ધ રાણીઓને રહેવાનું સ્થાન. (૨) વતેસર - નવાન્તઃપુરમ્ | પરિભોગ્યા- યુવા રાણીઓને રહેવાનું સ્થાન. (૩) તેડર – વાન્તઃપુરમ્ | યૌવનને અપ્રાપ્ત કન્યાઓને (રાજકુમારીઓને) રહેવાનું સ્થાન.
આ ત્રણેના પુનઃ બે-બે પ્રકાર છે– (૧) સ્વસ્થાન–રાજમહેલગત સ્થાન અને (૨) પરસ્થાનઉદ્યાનગત સ્થાન. આ રીતે ૩ ૪ ૨ = પ્રકારના અંતઃપુરમાં આહારાદિ માટે સાધુને પ્રવેશ કરવાનો નિષેધ છે.
અંતઃપુરરક્ષક ગમનાગમન કરતાં ઇર્યાસમિતિનું ધ્યાન રાખે નહીં, તેથી છકાય જીવની વિરાધના થાય, તેઓ અપ્રતિલેખિત ભૂમિ પર પાત્રને રાખે, તેઓ એષણાદોષથી અજાણ હોવાથી અનેષણીય આહાર લાવીને આપે, વનસ્પતિ વગેરેથી સંઘટિત આહાર લાવી આપે તો સંયમ વિરાધના થાય. સાધુના રૂપમાં મોહિત બની વશીકરણાદિ ચૂર્ણ પ્રક્ષિપ્ત કરી આહાર આપે અથવા સાધુ પ્રત્યેના તેજોદ્વેષથી અભિમંત્રિત કે વિષયુક્ત આહાર આપે તો સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય. આ પ્રકારે અનેક દોષોની સંભાવનાના કારણે સાધુ અંતઃપુર રક્ષક કે અંતઃપુર રક્ષિકા પાસે આહાર મંગાવી ગ્રહણ ન કરે.
તેપુરિયા - અંતઃપુર રક્ષક કંચુકી પુરુષ અથવા અંતઃપુર રક્ષિકા દાસી. આ બંને અર્થ સુસંગત
Page #190
--------------------------------------------------------------------------
________________
૧રર |
શ્રી નિશીથ સૂત્ર
હોવાથી પ્રતોમાં વયત અને શક્તિ બંને પ્રકારે પાઠ જોવા મળે છે, તેથી પ્રસ્તુત સંસ્કરણમાં બંને પ્રકારના શબ્દોને વૈકલ્પિક રૂપે સ્વીકારીને વલ ને કૌંસમાં રાખ્યો છે. રાજાના દાનપિંડનું ગ્રહણ:| ६ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं दुवारियंभत्तं वा पसभत्त वा भयगभत्त वा बलभत्त वा कयगभत्त वा हयभत्त वा गयभत्त वा कतार भत्तं वा दुब्भिक्खभत्तं वा दुकालभत्तं वा दमगभत्तं वा गिलाणभत्तं वा बद्दलियाभत्तं वा पाहुणभत्तं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી શુદ્ધ વંશીય, મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાના- દ્વારપાળો, પશુઓ, નોકરો, સૈનિકો, દાસ-દાસીઓ, ઘોડાઓ, હાથીઓ, અટવીના યાત્રિકો, દુર્ભિક્ષપીડિતો, દુકાળ પીડિતો, દીન-દુઃખીઓ, રોગીઓ, અતિવૃષ્ટિથી પીડિતો અને મહેમાનોના નિમિત્તે બનેલા ભોજનને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચના:
- અનેક રાજકુળોમાં, શ્રીમંતકુળોમાં પ્રતિદિન દ્વારપાળ, નોકર આદિને ભોજન આપવાની પરંપરા હોય છે. તેમાંથી કોઈ પણ પ્રકારનું ભોજન સાધુ ગ્રહણ કરે તો જેઓ માટે ભોજન બનાવ્યું હોય તેઓને અંતરાય પડે, તેઓ માટે બીજીવાર ભોજન બનાવે, તો આરંભ-સમારંભ થાય અને રાજપિંડ સંબંધી પૂર્વોક્ત દોષો પણ લાગે, માટે તે પ્રકારના આહાર ગ્રહણનું અહીં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. Goભg-દુજાત - એક વરસે અનાજ ઉત્પન્ન ન થાય તો દુર્ભિક્ષ અને ઘણા વરસથી અનાજ ઉત્પન્ન થતું ન હોય તો દુષ્કાળ કહેવાય છે.
પ્રતોમાં સૂત્રપાઠના કુવાાિં ભત્ત વગેરે શબ્દોના ક્રમ અને સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે. પ્રસ્તુતમાં સુવાર્ષિ માં થી પાદુiાં પર્વતના ૧૪ શબ્દોને સ્વીકાર્યા છે. રાજાના કોઠારાદિને જાણ્યા વિના ગોચરી ગમન - |७ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं इमाइं छद्दोसाययणाई अजाणिय, अपुच्छिय अगवेसिय परं चउराय-पंचरायाओ गाहावइकुलं पिंडवायपडियाए णिक्खमइ वा पविसइ वा णिक्खमंतं वा पविसंतं वा साइज्जइ, तं जहाकोट्ठागारसालाणि वा भंडागारसालाणि वा पाणसालाणि वा खीरसालाणि वा गंजसालाणि वा महाणससालाणि वा । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શ્રદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાની કોઠાર શાળા, ભંડારશાળા, પાનકશાળા, ક્ષીરશાળા(ડેરી), ગંજશાળા અને રસોઈશાળા, આ છ દોષ સ્થાનોની ચાર-પાંચ દિવસમાં જાણકારી મેળવ્યા વિના, પૃચ્છા અને ગવેષણા કર્યા વિના, ગોચરીની ઇચ્છાથી ગૃહસ્થના ઘરમાં જવા નીકળે, પ્રવેશ કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૯
૧૨૩
વિવેચનઃ
રાજધાની આદિમાં પ્રવેશ કર્યા પછી સાધુએ સ્થાપ્ય કુલોની અને શય્યાતરના કુળની જાણકારી મેળવી લેવી જોઈએ, તે જ રીતે રાજાના છ સ્થાનોની પણ જાણકારી મેળવવી આવશ્યક છે, કારણ કે આ છ સ્થાનો સાધુ માટે દોષસ્થાનો છે. શય્યાતર અને સ્થાપ્ય કુલોની જાણકારી વિના સાધુને ગોચરીએ જવાનો નિષેધ છે. તે જ રીતે રાજાના આ છ સ્થાનોને જાણવા માટે ૪-૫ દિવસની છૂટ આપવામાં આવી છે, તેથી ઉત્કૃષ્ટ ૪-૫ દિવસમાં તો ગોચરી જનાર શ્રમણે આ સૂત્રોક્ત છ સ્થાનોની જાણકારી અવશ્ય મેળવી લેવી જોઈએ. તેમ કરવામાં ઉપેક્ષા રાખે તો તેને આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્રોક્ત છ સ્થાનો આ પ્રમાણે
સમજવા.
૬. વ્હોટ્ટાનારસાલાળિ– ધાન્ય, મેવા આદિના(ભંડાર) કોઠાર. ૨. ભંડારસાતા–િવસ્ત્ર, અનાજ વગેરેના ભંડાર. રૂ. પાળસાપ્તાળિ– અનેક પ્રકારના પીણાના સંગ્રહ સ્થાન. ૪. હીરસાતા-િ લીવર । દૂધ, દહીં, ઘી આદિના સંગ્રહ સ્થાન. બ. ગેંગલાલાષિ- જ્યાંવિવિધ(૧૭) પ્રકારના ધાન્યના ઢગલા રૂપે સંગ્રહ થતો હોય અને ક્રય—વિક્રય થતું હોય તે. ૬. મહાળલસાપ્તાખિ— જ્યાં વિવિધ પ્રકારનો આહાર વિપુલ પ્રમાણમાં નિષ્પન્ન થતો હોય તેવા મોટા રસોડા.
સાધુ આ સ્થાનોની જાણકારી, ગવેષણા કર્યા વિના ગોચરીએ નીકળે તો તે સ્થાનોમાં ભિક્ષાર્થે પહોંચી જવાની સંભાવના છે. તે સ્થાનના રક્ષક જો ભદ્રપરિણામી હોય અને સાધુને આહારાદિ આપે તો રાજપિંડ ગ્રહણ કર્યાનો દોષ લાગે અને જો તે રક્ષક પ્રતિકૂળ થાય તો ચોર કે ગુપ્તચર સમજી સાધુને પકડે, કષ્ટ આપે, તિરસ્કાર કરે, કેદ કરે, આ રીતે ઉપસર્ગ થતાં સંયમવિરાધના, આત્મવિરાધના અને શાસનની લઘુતા થાય છે માટે ગોચરીએ જતાં પૂર્વે સાધુએ રાજાના આ છ સ્થાનોની જાણકારી મેળવવી આવશ્યક છે. સવારીમાં નીકળેલા રાજા-રાણીના દર્શન ઃ
८ जे भिक्खू रणो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं आगच्छमाणाणं वा णिग्गच्छमाणाणं वा पयमवि चक्खुदंसण-पडियाए अभिसंघारेइ, अभिसंघातं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના નગરમાં નીકળવાના સમયે તેને જોવાના સંકલ્પથી(ઇચ્છાથી) એક પગલું પણ ઉપાડે કે ઉપાડનારનું અનુમોદન કરે,
९ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं इत्थीओ सव्वालंकारविभूसियाओ पयमवि चक्खुदंसण-पडियाए अभिसंघारेइ, अभिसंघारेतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિયરાજાની સર્વ અલંકારથી વિભૂષિત રાણીઓને જોવાની ઇચ્છાથી એક પગલું ઉપાડે અથવા ઉપાડનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
આચારાંગ સૂત્રમાં સાધુ માટે દર્શનીય સ્થળોએ જવાનો નિષેધ છે અને તે સંબંધી લઘુચૌમાસી
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
પ્રાયશ્ચિત્ત નિશીથ સૂત્રના ૧૨મા ઉદ્દેશકમાં બતાવ્યું છે. આ સૂત્રમાં રાજા તથા રાણીને જોવાની પ્રવૃત્તિ અત્યંત આપત્તિજનક હોવાથી તે સંબંધી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
૧૨૪
રાજા-રાણીને જોવા જવાના થતાં દોષો :- (૧) ભદ્રદોષ- રાજા નગરમાંથી બહાર નીકળતા હોય તે સમયે સાધુને જોઈ તેને શુકન-મંગલરૂપ માને અને કદાચ કાર્ય સિદ્ધ થાય તો નગરમાં આવી સાધુનું સન્માન કરે, પ્રસન્ન બની વસ્ત્રાદિ આપી સત્કાર કરે. સત્કાર-સન્માનની પ્રાપ્તિથી સાધુ સંયમમાં પ્રમાદી બને, તો સંયમ વિરાધના થાય. (૨) અભદ્ર દોષ– રાજા સાધુને જોઈ અપશુકન માને અને કદાચ કાર્યમાં વિઘ્ન આવવાથી નગરમાં પાછા આવે ત્યારે સાધુ પર દ્વેષ કરી, લોકોને આહાર-પાણી આપવાની ના પાડે, સાધુને નગરમાંથી બહાર કાઢે. (૩) રાજમાર્ગ પર રાજસવારી નીકળે ત્યારે હજારો લોકો રાજાના દર્શન માટે ભેગા થયા હોય સાધુ પણ રાજાને જોવા માટે ત્યાં જાય, તો તેને જોઈ લોકો સાધુ પ્રત્યે અનેક સંકલ્પ વિકલ્પ કરે અને લોકોની શ્રદ્ધા-ભક્તિમાં હાનિ થાય, મિથ્યાત્વ પામે. (૪) અલંકૃત રાણીને જોવાથી સાધુને મોહાસક્તિ ઉત્પન્ન થાય, સંયમથી પતિત બને, શાસનની નિંદા-લઘુતા થાય ઇત્યાદિ કારણોથી પ્રસ્તુત સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન છે.
વ્યાખ્યાકારે તેનો પ્રાયશ્ચિત્ત ક્રમ આ પ્રમાણે પણ બતાવ્યો છે— મળસા ચિંતેતિ માલનુ, ક્રિતે चलहुं, पदभेदे चउगुरुं, एगपद भेदे वि चउगुरगा, किमंग पुण दिट्ठे ?
અર્થ— રાજા-રાણીને જોવનો વિચાર કરે તો ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત, જોવાની ઇચ્છાથી ઊભા થાય તો લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત અને પગ ઉપાડે તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે, તો જોવાની તો વાત જ કયાં રહે ? અર્થાત્ આ પ્રકારે જોવાની પ્રવૃત્તિ સાધુને કલ્પતી નથી.
અન્ય સ્થાને ગયેલા રાજાના આહારનું ગ્રહણ :
१० जे भिक्खू रणो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं मंसखायाण वा मच्छखायाण वा छविखायाण वा बहिया णिग्गयाणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ ।
-
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી માંસ, માછલી, શીંગ વગેરે ખાવા માટે બહાર વનપ્રદેશ વગેરે ક્ષેત્રમાં ગયેલા શુદ્ધ વંશીય, મૂર્ધાષિક્ત ક્ષત્રિય રાજાના અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
११ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं अण्णयरं उववूहणियं समीहियं पेहाए तीसे परिसाए अणुट्टियाए, अभिण्णाए अवोच्छिण्णाए जो तमण्णं पडिग्गाहेइ, पडिग्गार्हेतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાને પુષ્ટિકારક, મનોભિલષિત ભોજન અપાતું હોય, તે જોઈને તે રાજપરિષદ ત્યાંથી ઊભી થઈને બહાર નીકળી ગઈ ન હોય, તેમાંથી એક પણ વ્યક્તિ રહી હોય, તેવા સમયે ત્યાંથી આહાર ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે.
१२ अह पुण एवं जाणेज्जा इहज्ज रायखत्तिए परिवुसिए जे भिक्खू ताए गिहाए ताए पएसाए ताए उवासंतराए विहारं वा करेइ, सज्झायं वा करेइ, असणं वा
Page #193
--------------------------------------------------------------------------
________________
6देश
| १२५ ।
पाणं वा खाइमं वा साइमं वा आहारेइ, उच्चारं वा पासवणं वा परिट्ठवेइ, परिहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી એમ જાણે કે રાજા આજે આ સ્થાનમાં રહ્યા છે, રાજા રહ્યા હોય તે ઘરમાં, તે પ્રદેશમાં(અર્થાતુ રાજાએ તલવારાદિ રાખ્યા હોય) અથવા રાજાના નિવાસની સમીપના સ્થાનમાં નિવાસ કરે, સ્વાધ્યાય કરે, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આ ચાર પ્રકારનો આહાર કરે, ઉચ્ચાર-પ્રસવણ પરઠે અથવા તેમ કરનારનું અનુમોદન કરે, १३ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं बहिया जत्तासंपट्ठियाणं असणं वा पाणं वा खाइम वा साइम वा पडिग्गाहेइ, पडिग्गाहेंत वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી યુદ્ધની યાત્રાએ જતાં શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १४ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं बहिया जत्तापडिणियत्ताणं असणं वा पाणं वा खाइम वा साइम वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી યુદ્ધની યાત્રાથી પાછા ફરતાં, શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १५ जे भिक्खू खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं णइ-जत्तासंपट्ठियाणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી નદીની યાત્રાએ જતાં શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |१६ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं णइजत्तापडिणियत्ताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નદીની યાત્રાથી પાછા ફરતાં, શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १७ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं गिरि-जत्तासंपट्ठियाणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી પર્વતની યાત્રાએ જતાં શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १८ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं गिरिजत्तापडिणियत्ताणं असणं वा पाणं वा खाइम वा साइम वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ। ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી પર્વતની યાત્રાથી પાછા ફરતા, શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના
Page #194
--------------------------------------------------------------------------
________________
| ૧૨૬ |
શ્રી નિશીથ સૂત્ર
ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પૂર્વ સૂત્રોમાં વિવિધ પ્રકારના રાજપિંડ સંબંધી પ્રાયશ્ચિત્ત કથન આવી ગયું છે, તેમ છતાં રાજાની વિવિધ અવસ્થાઓની સ્પષ્ટતા માટે આ સૂત્રોમાં ભિન્ન-ભિન્ન રીતે અન્યત્ર ગયેલા રાજાના આહારાદિને ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કથન છે. વહિયા શિયા- પોતાના રાજમહેલ સિવાય અન્ય કોઈપણ સ્થાનમાં રાજા ગયા હોય તો ત્યાં તેમના માટે અશનાદિ બનાવવામાં આવે છે અને તે ત્યાં જ ભોજન કરે છે. તે ક્ષેત્રમાં પણ ભોજન રાજાની માલિકીનું હોય, તો તે રાજપિંડ કહેવાય છે અને તે ભોજન ગ્રહણ કરવું સાધુને કલ્પતું નથી અને જ્યાં નિમંત્રણ પામીને રાજા ભોજન કરતાં હોય તથા ભોજનની માલિકી નિમંત્રણ આપનારની હોય, તો ભોજન કરીને રાજાના ગયા પછી સાધુ ત્યાંથી આહારાદિ ગ્રહણ કરી શકે છે, કારણ કે તે ભોજન રાજપિંડ કહેવાતું નથી. ૩વધૂળ :- ૩૫ઝુદાં -પુષ્ટિકારક, આમંત્રણપૂર્વક પુષ્ટિકારક, મનોભિલષિત ભોજનના આયોજનને ૩વવૃદળીય કહેવાય છે. નગરની કોઈ પણ વ્યક્તિએ પુષ્ટિકારક અલ્પાહાર કે પૂર્ણાહારનું આયોજન કર્યું હોય અને તેમાં રાજાને આમંત્રણ આપ્યું હોય, તો જ્યાં રાજા અને તેમની સાથે આવેલા લોકો જ્યાં સુધી ભોજન કરતાં હોય, ત્યાં સુધી સાધુએ ભિક્ષા માટે ત્યાં જવું ન જોઈએ. રાજા આદિની ઉપસ્થિતિમાં ત્યાં જવું આપત્તિજનક છે, માટે તેનું અહીં ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
આ સૂત્રનો ભાવાર્થ એ છે કે જ્યાં રાજા ભોજન કરી રહ્યા હોય તે સમયે તે ઘરમાં ભિક્ષા માટે જવું કલ્પતું નથી. તેઓ ભોજન કરીને ચાલ્યા જાય પછી તે ઘરમાં આહાર લેવા જાય તો આ સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્ત આવતું નથી. રાયરના પરિવુતિ તાદે ... – આ સૂત્રાનુસાર રાજા ક્યાંય અલ્પસમય માટે આવીને રહ્યાં હોય, ત્યાં યોગસંયોગથી સાધુ પણ વિહાર કરીને આવી પહોંચે અને સાધુને રાજાના આગમનની જાણકારી થાય, તો ત્યાં તેની આજુબાજુ પણ સાધુએ નિવાસ કરવો જોઈએ નહીં. સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે– સલા અસાદુ વાર્દિ, સમાદિ ૩ તદાયસા વિ II સૂય. અ. ૨, ઉર્દૂ. ૨, ગાથા–૧૮. અર્થ- સાધુ માટે રાજાનો સંસર્ગ હિતાવહ નથી. રાજાનો સંસર્ગ અસમાધિ ઉત્પન્ન કરે છે. રાજાના નિવાસ સ્થાનની બહાર અને આસપાસ તેના રાજરક્ષકો ચોકીપહેરો કરતા હોય છે, તેમાંથી કોઈ ધર્મનો અજાણ હોય, તો તે સાધુને રાજ નિવાસથી નજીકમાં જોઈને શંકાથી વિવિધ પ્રકારે પૂછપરછ કરે, પકડે, મારે આદિ પરિસ્થિતિઓ ઊભી થવાની સંભાવના રહે છે, તેથી તેવી જગ્યાએ સાધુ નિવાસ કરવાથી સાધુને પ્રાયશ્ચિત્ત આવે છે. ની સંપત્તિમાં સત્તા વિરા - યાત્રાર્થે નીકળેલા રાજા અને યાત્રા કરી પાછા ફરતાં રાજા. સુત્ર ૧૩ થી ૧૮ સુધીના છ સૂત્રોમાં યુદ્ધ, નદી અને પર્વત, તે ત્રણ પ્રકારની યાત્રાએ જવા અને પાછા આવવાનું કથન છે. તે યાત્રાએ જતાં અને પાછા આવતા માર્ગમાં રાજાનો પડાવ અને છાવણી નાંખવામાં આવે છે અને ત્યાં આહારાદિ બનાવવામાં આવે છે. અહીં તે પડાવમાંથી રાજાના આહારાદિ ગ્રહણ કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. કોઈપણ પરિસ્થિતિમાં સાધુ માટે રાજપિંડ ગ્રાહ્ય નથી.
Page #195
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશદ-૯
[ ૧૨૭ ]
રાજ્યાભિષેક સમયે ગમનાગમન -
१९ जे भिक्खु रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं महाभिसेयंसि वट्टमाणंसि णिक्खमइ वा पविसइ वा णिक्खमंतं वा पविसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાનો મહાન રાજ્યાભિષેક થતો હોય તે સમયે બહાર નીકળે કે પ્રવેશ કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
જે સમયે રાજાનો મહારાજ્યાભિષેક થઈ રહ્યો હોય તે સમયે તે નગરીમાં અનેક કાર્યોને માટે રાજપુરુષોનું અને લોકોનું આવાગમન થતું હોય છે. તે સમયે સાધુઓએ પોતાના સ્થાનમાં જ રહેવું જોઈએ. કોઈ પણ જગ્યાએ ગમનાગમન કરવું ન જોઈએ અથવા તે દિશાઓમાં ગમનાગમન કરવું ન જોઈએ. ગમનાગમન કરતાં સાધુને જોઈ, રાજા કે કર્મચારીઓના મનમાં મંગલ-અમંગલની ભાવના જાગે; તત્સંબંધી પૂર્વોક્ત દોષો અને જનાકીર્ણતા જન્ય અનેક દોષોની સંભાવના રહે છે, તેથી અહીં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. રાજધાનીમાં વારંવાર પ્રવેશ - २० जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं इमाओ दस अभिसेयाओ रायहाणीओ उद्दिवाओ गणियाओ वंजियाओ अंतो मासस्स दुक्खत्तो वा तिक्खुत्तो वा णिक्खमइ वा पविसइ वा णिक्खमंतं वा पविसंतं वा साइज्जइ, तं जहा- चंपामहुरा, वाणारसी, सावत्थी, साकेय, कपिल्लं, कोसंबी, मिहिला, हत्थिणाउर, रायगिह। ભાવાર્થ – શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાઓના રાજ્યાભિષેકની ચંપા, મથુરા, વારાણસી, શ્રાવસ્તી, સાકેતપુર, કાંડિલ્ય, કૌશાંબી, મિથિલા, હસ્તિનાપુર અને રાજગૃહી, આ દસ નગરીઓ કે જે રાજધાનીરૂપે ગણાય છે અને રાજધાનીરૂપે પ્રસિદ્ધ છે તે રાજધાનીઓમાં જે સાધુ કે સાધ્વી એક મહિનામાં બે કે ત્રણવાર પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મોટી રાજધાનીમાં જવા સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે.
આ દસ રાજધાનીઓમાં બાર ચક્રવર્તીઓ થયા છે. જેમાંથી શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ત્રણેય એક જ હસ્તિનાપુર નગરીમાં થયા. તેથી બારમાં બે ઓછા થતાં દસ રાજધાનીઓનું કથન છે. આવી મોટી રાજધાનીઓમાં મહિનામાં એક થી વધુ વાર જવાનું અહીં પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
મોટી-મોટી રાજધાનીઓમાં તેની રક્ષાની વ્યવસ્થા વધુ સઘન હોય છે. સાધુ એકથી વધુ વાર આ રાજધાનીઓમાં વિહાર કરીને જાય, તો વારંવાર નગરીમાં સાધુઓને આવતાં જોઈ રાજપુરુષોને તે સાધુ ગુપ્તચર હોવાની શંકા થાય અને તે કારણે સાધુને પકડે, મારે વગેરે અનેક દોષોની સંભાવના રહે છે.
મોટી રાજધાનીઓમાં રાજ્ય સંબંધી તથા નગરજનોના અનેક મહોત્સવ ચાલતા જ હોય અને તેમાં નૃત્ય-ગીત, વાજિંત્રવાદન, સ્ત્રી-પુરુષોના મનમોહક રૂપ આદિ વિષય-વિકાર વર્ધક વાતાવરણ
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ]
શ્રી નિશીથ સૂત્ર
સર્જાતું હોય છે, તે જોઈ ભક્તભોગીને પૂર્વકાલીન ભોગની સ્મૃતિ થાય અને અભુક્ત ભોગીને કુતૂહલવૃત્તિથી સંયમમાં અરતિ તથા અસમાધિ ઉત્પન્ન થાય; બાહ્ય કોલાહલના કારણે સ્વાધ્યાય-ધ્યાન આદિમાં અલના થાય; રસ્તામાં ઘણા વાહનોની અવર-જવરના કારણે કોઈ વાહનાદિ સાથે અથડાયતો આત્મ વિરાધના થાય અને સંઘટ્ટાદિના દોષ લાગે માટે સાધુ આવી મોટી રાજધાનીઓમાં મહિનામાં એકવારથી વધુવાર જાય નહીં.
આ સૂત્રમાં રાજધાની રૂપે તત્કાલીન દસ મહાનગરોનાં નામ આપ્યા છે. જે સમયે જે મહાનગરો કે રાજધાનીઓ હોય તેને માટે આ નિયમ સમજી લેવો જોઈએ. કુત્તો gિlો :- બીજીવાર, ત્રીજીવાર. સાધુને આ પ્રકારની રાજધાનીઓમાં એકવાર પ્રવેશ કરવો કલ્પનીય છે, પરંતુ કોઈ વિશિષ્ટ કારણ વિના બીજીવાર પ્રવેશ કરે કે ત્રીજીવાર પ્રવેશ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. રાજ્યાધિકારીના આહારનું ગ્રહણ:|२१ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ, तं जहाखत्तियाण वा राईण वा कुराईण वा रायवसियाण वा रायपेसियाण वा । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાના– (૧) અંગરક્ષક,(ર) ખંડિયારાજા (૩) કુરાજા–સમીપ નગરસ્થ રાજા, જાગીરદાર (૪) રાજાના વંશજ (૫) રાજ સેવકો ઇત્યાદિ અન્ય માટે રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
२२ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । तं जहाणडाण वा णट्टाण वा कच्छुयाण वा जल्लाण वा मल्लाण वा मुट्ठियाण वा वेलबगाण वा खेलयाण वा कहगाण वा पवगाण वा लासगाण वा।। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાના- (૧) નટ (૨) નૃત્યકારો (૩) દોરી પર નૃત્યકરનારા (૪) રાજાનો સ્તુતિપાઠ કરનારા (૫) મલ્લયુદ્ધ કરનારા (૬) મુષ્ટિયુદ્ધ કરનારા (૭) વાંસ પાઈપ વગેરે પર લટકીને વિવિધ પ્રકારે પ્રદર્શન કરનારા અથવા વિદુષકની જેમ વિવિધ ચેષ્ટાઓ કરનારા (૮) ભૂમિ પર અનેક પ્રકારની રમતનું પ્રદર્શન કરનારા (૯) કથા કરનારા (૧૦) જલ-કીડા કરનારા-તરનારા, (૧૧) જય-જય ધ્વનિ કરનારા(છડી પોકારનારા) ઇત્યાદિના નિમિત્તે રાખેલા આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २३ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । तं जहाआसपोसयाण वा हत्थिपोसयाण वा महिसपोसयाण वा वसहपोसयाण वा सीहपोसयाण वा वग्घपोसयाण वा अयपोसयाण वा पोयपोसयाण वा मिगपोसयाण वा सुणयपोसयाण वा सूयरपोसयाण वा मेंढपोसयाण वा कुक्कुडपोसयाण वा
Page #197
--------------------------------------------------------------------------
________________
6देश-८
। १२८ ।
मक्कडपोसयाण वा तित्तिरपोसयाण वा वट्टयपोसयाण वा लावयपोसयाण वा चीरल्लपोसयाण वा हंसपोसयाण वा मयूरपोसयाण वा सुयपोसयाण वा । भावार्थ:-हे साधु साध्वी शुद्धवंशीय, भूमिषित, क्षत्रिय 01- (१) अश्व (२) जस्ति (3) भडिप (४) (५) सिंह (6) वाघ (७) ५४री (८) सूत२ () भृग (१०) श्वान (११) सूव२ (१२) घेटा (१) (१४) व (१५) तेतर (१७) मत (१७) सा43 (१८) थि२८६ (१८) डंस (२०) મયુર (ર૧) પોપટ વગેરે પશુ-પક્ષીઓના પાલકો, પોષકો કે રક્ષકોના નિમિત્તે રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે અથવા ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ, तंजहाआसदमगाण वा हत्थिदमगाण वा आसपरियट्टाण वा हत्थिपरियट्टाण वा आसमिठाण वा हत्थिमिठाण वा आसरोहाण वा हत्थिरोहाण वा।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શ્રદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાઓના- અશ્વ અને હાથીઓને શિક્ષિત કરનારા, તેને ફેરવવા લઈ જનારા, તેને આભૂષણોથી સજ્જ કરનારા અને તેના ઉપર આરૂઢ થનારાના નિમિત્તે રાખેલા ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २५ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ, तं जहासत्थवाहाण वा सबाहयाण वा अब्भगयाण वा उव्वद्रयाण वा मज्जावयाण वा मंडावयाण वा छत्तग्गहाण वा चामरग्गहाण वा हडप्पग्गहाण वा परियट्टग्गहाण वा दीवियग्गहाण वा असिग्गहाण वा धणुग्गहाण वा सत्तिग्गहाण वा कोतग्गहाण वा। भावार्थ:-साधु साध्वी शुद्धवंशीय, भूमिषित, क्षत्रिय राजमोना- (१) संदेशवाड (२) भईन ४२नारा (3) मालिश २ना२। (४) 6421-पीही योजना। (५) स्नान शवनारा () भुगट વગેરે આભૂષણ પહેરાવનારા (૭) છત્ર ધારણ કરનારા (૮) ચામર વીંઝનારા (૯) આભૂષણોનો થાળ वगेरे हाथमा राणी लामा २3ना। (१०) परिवर्तन भाटेना वस्त्र राना, (११) ही धरना। (१२) તલવાર ધારણ કરનારા (૧૩) ધનુષ ધારણ કરનારા, (૧૪) શક્તિ-શસ્ત્ર વિશેષને ધારણ કરનારા (૧૫) ભાલા ધારણ કરનારા, આ સર્વના નિમિત્તે રાખેલા અશનાદિ ચારે પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २६ जे भिक्खु रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं असणं वा पाणं वा खाइम वा साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ पडिग्गाहेत वा साइज्जइ, तं जहावरिसधराण वा कंचुइज्जाण वा दुवारियाण वा दंडारक्खियाण वा । भावार्थ:-हे साप साध्वी शुद्धवंशीय, भाभिषिक्षत्रिय राना- (१) अंत:५२ना २१), (२) युटी पुरुषो, (3) द्वारपाको भने (४) धार), सासननिमित्त राणेसा आहारने अड। ४३ તેમ કરનારનું અનુમોદન કરે,
Page #198
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦ ]
શ્રી નિશીથ સૂત્ર
२७ जे भिक्खु रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं असणं वा पाणं वा खाइम वा साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ, तं जहा- खुज्जाण वा चिलाइयाण वा वामणीण वा वडभीण वा बब्बरीण वा बउसीण वा जोणियाण वा पल्हवियाण वा इसीणीयाण वा धोरुगीणीण वा लासीण वा लउसीण वा सिंहलीण वा दमिलीण वा आरबीण वा पुलिंदीण वा पक्कणीण वा बहलीण वा मुरंडीण वा सबरीण वा पारसीण वा । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ-જે ભિક્ષુ, શુદ્ધવંશીય રાજ્ય મુદ્રાધારક મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાની- (૧) કુબ્બારાસી (કુબડા શરીરવાળી) (૨) કિરાત દેશોત્પન્ન દાસી (૩) વામનઠીંગણી દાસી, (૪) વક્ર શરીરવાળી દાસી (૫) બર્બર દિશોત્પન્ન દાસી(૬) બકુશ દેશોત્પન્ન દાસી (૭) યવન દેશોત્પન્ન દાસી (૮) પલ્લવ દેશોત્પન્ન દાસી, (૯) ઇસીનિકા દેશોત્પન્ન દાસી (૧૦) ઘોરુક દેશોત્પન્નક દાસી (૧૧) લાટ દેશોત્પન્નક દાસી (૧૨) લકુશ દેશોત્પન્ન દાસી (૧૩) સિંહલ દેશોત્પન્ન દાસી (૧૪) દ્રવિડ દેશોત્પન્ન દાસી (૧૫) અરબ દેશોત્પન્ન દાસી (૧૬) પુલિંગ દેશોત્પન્ન દાસી (૧૭) પક્કણ દેશોત્પન્ન દાસી (૧૮) બહલ દેશોત્પન્ન દાસી (૧૯) મુડ દેશોત્પન્ન દાસી (૨૦) શબર દેશોત્પન્ન દાસી (૨૧) પારસ દેશોત્પન્ન દાસી, તે સર્વને માટે રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકના ૨૭ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારા સાધુ-સાધ્વીને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં વર્ણિત વ્યક્તિઓ માટે બનાવેલા આહારને ગ્રહણ કરવાથી રાજપિંડ દોષ અને તે સંબંધી અન્ય અનેક દોષ, તેમજ અંતરાય દોષ, આરંભ દોષ વગેરે દોષો લાગવાની સંભાવના રહે છે માટે તેવો આહાર સાધુને ગ્રહણ કરવા કહ્યું નહિ.
રાજા તે વ્યક્તિને તે આહાર આપી દે તે વ્યક્તિની માલિકીમાં તે આહાર આવી જાય પછી તે વ્યક્તિ જો આગમથી કહ્યું તેવા કુળની હોય તો એષણા સમિતિપૂર્વક તેઓની પાસેથી તે આહાર લેવો સાધુને કહ્યું છે. છત્તાપુવાળ વા:- સૂત્ર-રરમાં ત્તવાળ વા આ આદિ ઉપરોક્ત પાંચ શબ્દો પછી છત્તાપુવાળ વા શબ્દ પ્રતોમાં અધિક મળે છે. જે લિપિ–પ્રમાદથી આવેલો હોય તેમ જણાય છે. ચૂર્ણિકારની સમક્ષ આ પાઠ ન હોય તેમ લાગે છે તથા સૂત્ર-૨૫માં તેનું કથન છે અને અહીંના પાંચ શબ્દો સાથે તેનો મેળાપ પણ થતો નથી, માટે પ્રસ્તુત પાઠમાં તેને સ્વીકાર્યો નથી. પોસથાળ ના - પોષાક, સૂત્ર-૨૩માં હાથી વગેરે અનેક પશુ-પક્ષીઓના આહાર, ઔષધ સંબંધી ધ્યાન રાખનારા, શારીરિક સેવા, સ્નાન, મર્દન વગેરે કરનારા, તેઓના નિવાસ સ્થાનની શુદ્ધિનું ધ્યાન રાખનારા આ રીતે પશુ-પક્ષીઓનું પૂર્ણ સંરક્ષણ કરનારાઓને અહીં પોષ શબ્દથી સૂચિત કર્યા છે. આ ૨૩મા સૂત્રની અનેક પ્રતોમાં મજદ પોલવાન શબ્દ નથી, પરંતુ આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧૦માં ગુરુ અને તીતર શબ્દની વચ્ચે મડ શબ્દ છે, તેથી પ્રસ્તુત સૂત્રમાં મોડ
Page #199
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૯
[ ૧૩૧ ]
શબ્દ રાખ્યો છે. વા, નવI :- વૃદત્તર વત્ત પાલા વટ્ટ; અન્યતર રક્ત પાલા નાવIT | અલ્પ લાલ પગવાળા લાવક હોય છે અને અધિક લાલ પગવાળા બતક’ કહેવાય છે. રમણ-પરિયા-
કિંગ-રોદાળ - ૨૪મા સૂત્રમાં અશ્વ સંબંધી ચાર અને હાથી સંબંધી ચાર શબ્દો છે, પરંતુ આ એક સૂત્રના સ્થાને કોઈ પ્રતોમાં ત્રણ અને કોઈક પ્રતોમાં ચાર સૂત્ર જોવા મળે છે. ચૂર્ણિ અને ભાષ્યમાં ૨૪મા સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે છે
आसाण य हत्थीण य, दमगा जे पढमताए विणियंति ।
परियट्ट मेंठ पच्छा, आरोहा जुद्धकालम्मि ॥२६०१॥ અર્થ- અશ્વ અને હસ્તી આ બન્નેને પ્રથમ શિક્ષિત કરનારા મ, બંનેને ફેરવનારા પરિયડ્ડા, બંનેને આસન, વસ્ત્ર, આભૂષણથી સુસજ્જિત કરનારા મેં તથા યુદ્ધમાં બંને ઉપર સવારી કરનારા બારોટ કહેવાય છે. વરસધરાજ વા.... – રમા સૂત્રમાં આ ચાર શબ્દોથી અંતઃપુર સંબંધી ચાર પ્રકારની વ્યક્તિઓનું કથન છે– (૨) વરિસધારા- કૃતનપુંસક, અંતઃપુરની અંદર રહેનારો રક્ષક. (૨) પુષ્પાબ વાકંચુકી, જન્મ નપુંસક; રાણીઓનું આત્યંતર(અંદરનું) અને બહારનું કાર્ય કરનારા, અંતઃપુરમાં જ રહેનારા કિંચુકી પુરુષ. (૨) ફુવારા વા-દ્વારપાળ, દરવાજા પાસે ઊભારહેનારાદરવાન પુરુષ. (૪) વંડરવિયાણ વા- દંડ રક્ષક, પહેરગીર, બહાર ચારેય તરફ રક્ષા કરનારો દંડધારી પુરુષ.
m/ળ ના નવ પરીખ વ:- આ ૨૭મા સૂત્રમાં દાસીઓના નામનો પાઠ કોઈ પ્રતોમાં નવ શબ્દથી સૂચિત કરીને પહેલા-છેલ્લા બે નામ જ આપ્યા છે તથા કોઈ પ્રતોમાં ૧૭, ૧૮ અને ૨૧ સંખ્યા છે. ૨૧ની સંખ્યાવાળો પાઠ ઉપયુક્ત છે, કારણ કે ૧૮ દેશની દાસીઓ સૂત્રોમાં પ્રસિદ્ધ છે અને ત્રણ શરીરની આકૃતિથી પ્રસિદ્ધ છે– ૧. કુન્જા-કૂબડી(ખૂંધવાળી) ૨. વક્રા(ઝુકેલા શરીરવાળી) ૩. વામન–નાના કદવાળી(બાવન અંગુલ પ્રમાણ શરીરવાળી, વામણી). આ જ કારણે પ્રસ્તુત સંસ્કરણના અનેક શાસ્ત્રોના પ્રસંગાનુસાર પ્રાયઃ ૨૧ નામ વાળો સૂત્ર પાઠ જ રાખ્યો છે.
આ રીતે પ્રસ્તુત ઉદ્દેશકના ૨૭ સૂત્રોમાં ૨૭ લઘુચમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
નવમો ઉદ્દેશક સંપૂર્ણ
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી નિશીથ સૂત્ર
દસમો ઉદ્દેશક
પરિચય ROORROROOR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૪૧ પ્રાયશ્ચિત્ત સ્થાનોનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
આચાર્ય ગુરુ કે રત્નાધિક પૂજનીય શ્રમણ ભગવંતોને કઠોર વચન, રૂક્ષ વચન કે કઠોરતા યુક્ત રૂક્ષ વચન કહેવા અથવા કોઈ પણ પ્રકારની આશાતના કરવી, અનંતકાય સંયુક્ત આહાર કરવો, આધાકર્મ દોષયુક્ત આહારનું સેવન કરવું, વર્તમાન અથવા ભવિષ્ય સંબંધી નિમિત્ત કથન કરવું, શિષ્યનું અપહરણ કે વિપરિણમન કરવું, દીક્ષાર્થીનું અપહરણ કે વિપરિણમન કરવું, આગંતુક સાધુને આગમનનું કારણ પૂછ્યા વિના આશ્રય આપવો, કલહ ઉપશાંત ન કરનારા અથવા પ્રાયશ્ચિત્ત ન કરનારા સાથે આહાર કરવો, પ્રાયશ્ચિત્તની વિપરીત પ્રરૂપણા કરવી અથવા વિપરીત પ્રાયશ્ચિત્ત આપવું, પ્રાયશ્ચિત્ત સેવન, તેના કારણો અને સંકલ્પને સાંભળીને અથવા જાણીને પણ તે ભિક્ષુની સાથે આહાર કરવો, સૂર્યોદય અથવા સૂર્યાસ્તના વિષયમાં સંદેહ હોવા છતાં પણ આહાર કરવો, રાત્રિના સમયે મુખમાં આવેલા આહાર પાણીના ઘચરકાને ગળી જાવો, ગ્લાનની સેવા ન કરવી અથવા વિધિ-વિવેક પૂર્વક સેવા ન કરવી, ચાતુર્માસમાં વિહાર કરવો, પર્યુષણ(સંવત્સરી)ની આરાધના નિશ્ચિત્ત દિને ન કરતા અન્ય દિવસે કરવી, પર્યુષણના (સવંત્સરીના) દિવસ સુધી લોચ ન કરવો, પર્યુષણના દિવસે(સંવત્સરીનો) ચૈાવિહારો ઉપવાસ ન કરવો, પર્યુષણા કલ્પ નામનું અધ્યયન ગૃહસ્થોને સંભળાવવું, ચાતુર્માસમાં વસ્ત્ર ગ્રહણ કરવા, આ પ્રવૃત્તિઓનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૦
[ ૧૩૩ ]
– દશમો ઉદેશક - VIEW ૪૧ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન //e/2/
આચાર્યાદિની આશાતના - | १ जे भिक्खु भदंतं आगाढं वयइ, वयंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગુરુ-આચાર્યાદિ ભગવંતને રોષ યુક્ત વચન કહે કે કહેનારનું અનુમોદન કરે
२ जे भिक्खु भदंतं फरुसं वयइ, वयंत वा साइज्जइ ।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આચાર્યાદિ ભગવંતને કઠોર વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खु भदंतं आगाढं फरुसं वयइ, वयंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આચાર્યાદિ ભગવંતને રોષયુક્ત કઠોર વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, | ४ | जे भिक्खु भदत अण्णयरीए अच्चासायणाए अच्चासाएइ, अच्चासाएत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આચાર્યાદિ ભગવંતની તેત્રીશ આશાતનાઓમાંથી કોઈ પણ પ્રકારની આશાતના કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
મહંત પૂજ્ય પુરુષો. પ્રસ્તુત સૂત્રમાં ભદંત શબ્દ દ્વારા ગુરુ, રત્નાધિક અને આચાર્યાદિ સર્વ પદવીધર વગેરે પૂજ્ય પુરુષોની આશાતના સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે. આ દં– જે વચન બોલવાથી શરીર ગરમ થઈ જાય, અંદરનો કષાયભાવ પ્રગટ થાય, તેવા વચન “આગાઢ” વચન કહેવાય છે. – સ્નેહ રહિત, અપ્રિય વચન અર્થાત્ રોષ ન હોવા છતાં સાંભળનારને અપ્રિય લાગે, હૃદયમાં વાગે તેવા વચન. ગાઢ જે વચન રોષ યુક્ત પણ હોય અને અપ્રિય પણ હોય તે.
સાધુ આચાર્યને, તમે તો હીન જાતિના છો ! તેમ સ્પષ્ટ રીતે કઠોર વચન કહે અથવા વ્યંગયુક્ત વાક્યથી કહે કે- જોયા તમને, તમે તો જાતિ સંપન્ન છો ને! આ જાતિ સંબંધી આગાઢ-કઠોર વચન છે. તે જ રીતે કુળ, રૂપ, ભાષા, ધન, બલ, દીક્ષા પર્યાય યશ, લાભ, આત્મબળ, ઉંમર, બુદ્ધિ, ધારણા-સ્મૃતિ, ઉપગ્રહ, શીલ, સમાચારી ઇત્યાદિ વિષયોને લઈને કઠોર વચન બોલાય છે. કુલ આદિને લઈને આગાઢ આદિ વચન સમજી લેવા. ઉત્ત. અ.-૧ તથા અ. ૧૭માં દશ. અ.-૯માં રત્નાધિક આદિની અવિનય, આશાતનાના દુષ્કળ બતાવી તેમ ન કરવાનું શિષ્યને સૂચન છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. અનંતકાય સંયુક્ત આહાર:| ५ जे भिक्खू अणंतकाय-संजुत्तं आहारं आहारेइ, आहारतं वा साइज्जइ ।
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અનંતકાય સંયુક્ત(મિશ્રિત) આહાર કરે અથવા કરનારનું અનુમોદન કરે છે, તેને ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનંતકાય સંયુક્ત-મિશ્રિત ખાદ્ય પદાર્થોના આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
સાધુ જાણી જોઈને તો સચિત્ત અનંતકાયને ગ્રહણ ન કરે, પરંતુ કોઈ ખાદ્ય પદાર્થમાં સચિત્ત અનંતકાયના ટુકડા મિશ્રિત કરેલા હોય અથવા કોઈ અચિત્ત ખાદ્ય પદાર્થમાં લીલ-ફૂગ થઈ ગઈ હોય, તેવો અનંતકાય મિશ્રિત આહાર અજાણતા ગ્રહણ થઈ જાય અને આહાર કરતાં સમયે અથવા આહાર કરી લીધા પછી ખબર પડે, તો તે સંબંધી અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે.
અનેક પ્રકારના મિષ્ટાન્ન કે અથાણા આદિમાં લીલ ફગની શક્યતા રહે છે. તે સર્વ આહાર કાય સયુક્ત કહેવાય છે સાધુએ તેવા પદાર્થોને તપાસીને ગ્રહણ કરવા જો
આચા, શ્રુ.-૨, અ-૧, ઉ.-૧, સૂ–૧સચિત્ત પદાર્થની અંતર્ગત પારંપનક–લીલફૂગ મિશ્રત આહાર લેવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. આધાકમદિનો ઉપયોગ - |६ जे भिक्खू आहाकम्मं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી આધાકર્મી આહારનું સેવન કરે કે સેવન કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃઆધાકર્મ :- આ - પૂર્ણ રીતે, થા - ધારણ કરીને અર્થાતુ મનમાં સાધુનું અવધારણ કરીને, વર્ષ – સાવધ ક્રિયાઓ. દ્વારા નિષ્પન્ન આહાર, તે આધાકર્મ આહાર કહેવાય છે.
संजयं च मणे किच्चा,णिप्फाए ओयणाइयं ।
छक्कायजीवमद्देणं, आहाकम्म मुणेहि तं ॥ અર્થ - સંયમી સાધુને મનમાં અવધારીને અર્થાત્ સાધુના માટે છકાય જીવનું મર્દન(હનન) કરીને જે ઓદનાદિ આહાર બનાવે, તે આધાકર્મ આહાર જાણવો.
વ્યાખ્યાકારે તેની ભાવપરક ચાર વ્યાખ્યા કહી છે– (૧) જેના ગ્રહણથી આત્મા કર્મથી આવૃત્ત થાય તે આધાકર્મ. (૨) જેના ગ્રહણથી આત્માવિશુદ્ધ સંયમ સ્થાનથી અશુદ્ધ સંયમ સ્થાન તરફ અધોગમન કરે તે અધોકર્મ. (૩) જેના ગ્રહણથી જ્ઞાનાદિ ભાવોનું હનન થાય તે આત્મહાન–આતાહમ્મ. (૪) જે આહારાદિ ગ્રહણથી પરકર્મ અર્થાતુ ગૃહસ્થના કર્મથી પોતાના કર્મનો બંધ કરે તે અત્તકર્મો. આધાકર્મના પ્રકાર:-આધાકર્મના ત્રણ પ્રકાર છે–આહાર આધાકર્મ, ઉપધિ આધાકર્મ, વસતિ આધાકર્મ. (૧) આહાર આધાકર્મ :- સાધુના નિમિત્તે જ આહાર બનાવવામાં આવે તે આહાર આધાકર્મ કહેવાય છે તેના ચાર પ્રકાર છે– અશન, પાન, ખાધ અને સ્વાદ્ય.
Page #203
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૦
[ ૧૩૫ ]
(૨) ઉપધિ આધાકર્મ - સાધુના નિમિત્તે જે ઉપધિ બનાવવામાં આવે તે ઉપધિ આધાકર્મ કહેવાય. તેના બે પ્રકાર છે- વસ્ત્ર ઉપધિ અને પાત્ર ઉપધિ. વસ્ત્ર પાંચ પ્રકારના અને પાત્ર ત્રણ પ્રકારના હોય છે. ઉપલક્ષણથી ઔધિક અને ઔપગ્રહિક બંને પ્રકારની ઉપધિનું ગ્રહણ થઈ જાય છે. (૩) વસતિ આધાકર્મ :- શય્યા કે સાધુના ઉતરવાના સ્થાન-મકાનને વસતિ કહેવામાં આવે છે. સાધુ માટે ઉપાશ્રય કે મકાન બનાવવામાં આવે તો તે 'વસતિ આધાકર્મ' કહેવાય છે.
પહેલા અને અંતિમ તીર્થંકરના શાસનમાં કોઈ પણ સાધુના નિમિત્તે બનાવેલો આહાર તે સાધુને કે અન્ય કોઈ પણ સાધુને લેવો કલ્પતો નથી. જ્યારે મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં જે સાધુ કે સાધુ સમુદાય માટે આહાર બનાવવામાં આવ્યો હોય, તે સાધુ કે તે સાધુ સમુદાયને તે આહાર લેવો કલ્પતો નથી, પરંતુ અન્ય સાધુ કે અન્ય સાધુ સમુદાયને તે લેવો કહ્યું છે. તેઓ માટે તે આહાર ઔદેશિક કહેવાય છે. આધાકર્મ અને ઔદેશિક વચ્ચે તફાવત :- જે સાધુ કે સાધુ સમુદાય માટે આહાર બનાવવામાં આવ્યો હોય તેઓ માટે તે આહાર આધાકર્મ દોષથી દૂષિત કહેવાય. તે સિવાયના અન્ય સાધુ કે સાધુ સમુદાય માટે તે આહાર ઔદેશિક કહેવાય.
મધ્યમ બાવીશ તીર્થકરના શાસનમાં આધાકર્મ દોષયુક્ત આહાર અગ્રાહ્ય હોય છે પણ ઔદેશિક દોષયુક્ત અગ્રાહ્ય નથી. જ્યારે પહેલા અને અંતિમ તીર્થંકરના શાસનમાં આધાકર્મ અને ઔદેશિક બંને દોષવાળા આહાર અગ્રાહ્ય છે.
પ્રસ્તુતમાં આધાકર્મ અને ઔદેશિક બંને પ્રકારના દોષયુક્ત આહાર સેવન કરવાનું પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ. ઉપધિ અને મકાન સંબંધી પ્રાયશ્ચિત્ત અન્ય ઉદ્દેશકોમાં(પાંચમા, ચૌદમા, અઢારમા ઉદ્દેશકમાં) છે. આચા, શ્ર.-૨, અ.-૧, ઉ–૯, સૂ.-૧, તથા સૂય. શ્ર.-૨, અ.-૧, ગા.-૮ થી ૧૧૧ માં આધાકર્મી આહાર ગ્રહણનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. નિમિત્ત કથન :| ७ जे भिक्खू पडुप्पण्णं णिमित्तं वागरेइ, वागरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી વર્તમાન વિષયક નિમિત્ત'નું કથન કરે કે કરનારનું અનુમોદન કરે, |८ जे भिक्खू अणागयं णिमित्तं वागरेइ, वागरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ભવિષ્ય વિષયક નિમિત્ત'નું કથન કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નિમિત્ત કથનનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
હસ્ત રેખા, પગની રેખા, મસ્તક રેખા કે શરીરના અન્ય લક્ષણોથી, તિથિ, વાર અથવા રાશિથી, જન્મતિથિ અથવા જન્મ કુંડળીથી, પ્રશ્ન કરવાથી ઇત્યાદિ અનેક રીતે ભૂત-ભવિષ્યના શુભાશુભ પ્રસંગોના કથનને નિમિત્ત કથન કહે છે.
લાભ-અલાભ, સુખ-દુઃખ અને જન્મ-મરણ એ નિમિત્ત કથનના વિષય છે અને ભૂત-ભવિષ્ય
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
અને વર્તમાન ત્રણે કાળ સંબંધી નિમિત્ત કથન થાય છે. પ્રસ્તુત બે સૂત્રોમાં વર્તમાન અને ભવિષ્ય નિમિત્ત કહેવાનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત વિધાન છે. ભૂતકાળના નિમિત્ત કથનનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્તનું વિધાન તેરમા ઉદ્દેશકમાં કહ્યું છે.
નિમિત્ત કથનનો નિષેધ આગમોમાં અનેક સ્થાને કરવામાં આવ્યો છે, યથા–
૧૩૬
जे लक्खणं च सुविणं च, अंगविज्जं च जे पउजंति ।
ન હૈં તે સમળા વુન્પતિ, વં આરિä અવન્હાય ॥ –ઉત્તરા. અ. ૮, ગાથા—૩. અર્થ :- જે સાધક લક્ષણ શાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર એવું અંગ વિધાનો પ્રયોગ કરે છે, તે શ્રમણ કહેવાતો નથી, તેમ તીર્થંકરોએ કહ્યું છે.
छिन्नं सरं भोमंमंतलिक्खं, सुविणं लक्खणदंडवत्थुविज्जं ।
વિયાર સરસ વિનય, ને વિન્ગાહિં ન નીવડ્ સ મિલ્લૂ ॥ –ઉત્તરા. અ. ૧૫/૭. અર્થ :– જે છેદન વિદ્યા, સ્વર વિધા, ભૌમ વિદ્યા, અંતરિક્ષ વિધા, સ્વપ્ન, લક્ષણ, દંડ વસ્તુ વિધા, અંગ સ્ફુરણ અને સ્વર વિજ્ઞાન આદિ વિધાઓ દ્વારા આજીવિકા કરતો નથી, તે ભિક્ષુ છે.
णक्खत्तं सुमिणं जोगं, णिमित्तं मंत भेसज्जं ।
શિદિનો તે ન માત્ત્વે, મૂયાદિરળ પયં || –દશવૈકાલિક સૂત્ર, અ. ૮, ગાથા—૫૦. અર્થ :– નક્ષત્ર, સ્વપ્ન, વશીકરણ, યોગ, નિમિત્ત, મંત્ર અને ભેષજ; આ સર્વ જીવ હિંસાના સ્થાન છે. તેથી મુનિ ગૃહસ્થોને તેના ફળાફળ ન કહે અને જો કહે તો તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
(૧) નિમિત્ત કથનથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. (ર) સાધક સંયમ સાધનાથી ચલિત થાય છે. (૩) સાવધ પ્રવૃત્તિઓનું નિમિત્ત બને છે. (૪) પરંપરાએ અનેક અનર્થોની સંભાવના રહે છે.
સૂત્રકૃતાંગ સૂત્ર, અધ્યયન-૧૨, ગાથા–૧૦માં કહ્યું છે કે– નિમિત્ત કથન કેટલીક વાર સત્ય અને કેટલીક વાર અસત્ય પણ થઈ જાય છે, જેથી સાધુનો યશ અને બીજું મહાવ્રત દૂષિત થાય છે. શિષ્ય અપહરણઃ
९ जे भिक्खू सेहं अवहरइ, अवहरतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અન્યના શિષ્યનું અપહરણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, १० जे भिक्खू सेहं विप्परिणामेइ, विप्परिणामेतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યના શિષ્યના ભાવોને પરિવર્તિત કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અન્યના શિષ્ય (સાધુ)ના ભાવોનું પરિવર્તન કરીને તેને પોતાની પાસે લઈ લેવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
અપહરણ ઃ– અન્યના શિષ્યને પોતા તરફ આકર્ષિત કરવા માટે આહાર આદિ આપવા, શિક્ષા અને જ્ઞાન આપવું તેમજ તેને લઈને અન્યત્ર ચાલ્યા જવું, પોતાના શિષ્ય સાથે તેને અન્યત્ર મોકલી દેવા.
Page #205
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૦
| ૧૩૭ |
વિપરિણમન - અન્યના શિષ્યના ભાવ પરિવર્તિત કરવા તેના ગુરુ આદિના અવગુણ પ્રગટ કરવા, નિંદા કરવી અને પોતાના ગુણ પ્રગટ કરવા, પોતાની પ્રશંસા કરવી. અન્ય પાસે રહેવાની હાનિઓ અને પોતાની પાસે રહેવાનો લાભ દેખાડીને તેના ભાવોનું પરિવર્તન કરવાને વિપરિણમન કહેવાય છે.
- અન્યના શિષ્યનું અપહરણ કે વિપરિણમન કરવામાં ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે, તેમજ સામી વ્યક્તિનો વિશ્વાસઘાત થાય છે, તેથી તેનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. દિશા અપહરણ:११ जे भिक्खू दिसं अवहरइ, अवहरतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી દીક્ષાર્થીનું અપહરણ કરે કે કરનારનું અનુમોદન કરે, १२ जे भिक्खू दिसं विप्परिणामेइ, विप्परिणामेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી દીક્ષાર્થીના ભાવોનું વિપરિણમન-પરિવર્તન કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દીક્ષાર્થીના ભાવ પરિવર્તન અને અપહરણના પ્રાયશ્ચિત્તનું કથન છે.
શિષ્ય બે પ્રકારના હોય છે– (૧) દીક્ષિત(સાધુ) અને (૨) દીક્ષાર્થી(વૈરાગી). પૂર્વના બે સૂત્રોમાં દીક્ષિત સાધુનું અને પ્રસ્તુત બે સૂત્રમાં દીક્ષાર્થીનું કથન છે.
અપહરણ અને વિપરિણમન એ બંને ભિન્ન-ભિન્ન ક્રિયાઓ છે. ક્રિયા હંમેશાં કર્તા વ્યક્તિ સાથે સંબંધિત હોય છે, તેથી ૬ નો અર્થ દીક્ષિત શિષ્ય કરવામાં આવે છે. તિરં દિશા(ગુરુ-ગુરુણીનો નિર્દેશ) જેના માટે હોય તે દિશાવાન અર્થાતુ દીક્ષાર્થી. આ રીતે સિં શબ્દથી દીક્ષાર્થીનું કથન કરવામાં આવ્યું છે.
પ્રવ્રજ્યા અથવ ઉપસ્થાપના(વડી દીક્ષા)ના સમયે નવદીક્ષિતને જે આચાર્ય, ઉપાધ્યાયના નેતૃત્વનો નિર્દેશ કરાય છે, તે તેની દિશા કહેવાય છે. તે આચાર્ય, ઉપાધ્યાયના નિર્દેશને છોડાવીને અન્ય આચાર્ય, ઉપાધ્યાયનું કથન કરાવવું તે શિષ્યની દિશાનું અપહરણ કર્યું કહેવાય છે. તે જ પ્રમાણે સાધ્વીને માટે પણ જે પ્રવર્તિનીનો નિર્દેશ કરવાનો હોય તેને પરિવર્તિત કરીને અન્ય પ્રવર્તિનીનો નિર્દેશ કરવો, તે તેની દિશાનું અપહરણ કર્યું કહેવાય છે.
અપહરણમાં સીધો અન્ય આચાર્ય-ઉપાધ્યાયનો નિર્દેશ કરાય છે અને વિપરિણમનમાં નવદીક્ષિતના વિચારોમાં પરિવર્તન કરવામાં આવે છે. આ બંને ક્રિયાનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. અજ્ઞાત સાધુને આશ્રય:१३ जे भिक्खू बहियावासियं आएसं परं ति-रायाओ अविफालेत्ता संवसावेइ, संवसावेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્ય ગચ્છમાંથી આવેલા સાધુને આવવાનું કારણ વગેરે પૂછ્યા વિના ત્રણ દિવસથી વધુ સમય સાથે રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ ]
શ્રી નિશીથ સૂત્ર
વિવેચન :
અન્ય ગચ્છથી એકલા આવેલા સાધુ, જો સાથે રહેવા ઇચ્છે તો તેની જાણકારી મેળવવી આવશ્યક થાય છે. તેને આગમનનું કારણ પૂછ્યા વિના ત્રણ દિવસથી વધુ સાથે રાખી ન શકાય.
આગંતુક સાધુ જો પરિચિત હોય તો તેના આગમનનું કારણ પૂછવું આવશ્યક છે અને જો અપરિચિત હોય તો તે કોણ છે? કયા ગચ્છનો છે? શા માટે આવ્યો છે? કયાં જવા ઇચ્છે છે? આ સર્વ માહિતી મેળવવી આવશ્યક છે. પરં તિરાવાઓ :– આગંતુક ભિક્ષુ જે દિવસે આવે તે જ દિવસે તેના વિષયક માહિતી પ્રશ્નો પૂછી મેળવી લેવી જોઈએ. જો વિહારના થાક કે રોગાદિ કારણથી તે જ દિવસે ન મેળવી શકાય તો ત્રણ દિવસમાં તેના વિષયમાં માહિતી અવશ્ય મેળવી લેવી જોઈએ. માહિતી મેળવ્યા વિના ત્રણ રાતથી વધુ સમય વ્યતીત કરવો, યોગ્ય નથી.
ગચ્છનાયક અથવા ગચ્છના પ્રમુખ સાધુનું આ કર્તવ્ય છે કે અન્ય ગચ્છમાંથી આવેલા સાધુની પૂછપરછ કરવી, ન કરે તો તેમને પ્રાયશ્ચિત્ત આવે છે. સામાન્ય સાધુને માટે આ પ્રાયશ્ચિત્ત વિધાન નથી.
આવનાર સાધુ આલોચના કરવા માટે, જ્ઞાનપ્રાપ્તિ માટે, સંઘના કાર્ય માટે ઉપસંપદા માટે ઇત્યાદિ શુભ આશયથી આવ્યા હોય અને તેને કાંઈ પૂછવામાં ન આવે, તો તેના શ્રદ્ધા ભાવમાં પરિવર્તન આવી શકે છે અને તેનાથી અપયશ આદિ અનેક દોષોની સંભાવના રહે છે. જો તે ગુરુ આજ્ઞા વિના આવ્યા હોય તો ત્રણ રાત્રિથી વધુ રાખવામાં અદત્ત દોષ તેમજ ક્લેશ, કદાગ્રહ આદિની સંભાવના રહે છે. આ પ્રકારના કારણોથી જ અહીં આગંતુક સાધુની જાણકારી ન મેળવવાના વિષયમાં પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે.
શુભ આશયથી આવનાર ભિક્ષુ જેટલી અને જે પ્રકારની ગુરુ આજ્ઞા લઈને આવ્યા હોય, તેટલા સમયે અને તે પ્રમાણે તેને રાખી શકાય છે, તેમાં કોઈ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. ક્લેશ કરીને આવેલા ભિક્ષુ સાથે આહાર - १४ जे भिक्खू साहिगरणं अविओसवियपाहुडं अकडपायच्छित्तं परं ति-रायाओ विप्फालिय अविप्फालिय संभुंजइ, संभुंजतं वा साइज्जइ । ભાવાર્થ-જેણે ક્લેશ કર્યો હોય અને તે ક્લેશને ઉપશાંત ન કર્યો હોય, તેનું પ્રાયશ્ચિત્ત કર્યું ન હોય, તેવા સાધુની પૂછપરછ કરીને કે કર્યા વિના જે ભિક્ષુ તેની સાથે ત્રણ દિવસથી વધુ સમય આહાર કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
બ્રહલ્કલ્પસૂત્ર, ઉદ્દેશક-૪માં બતાવ્યું છે કે કોઈ સાધુને અન્ય કોઈ સાધુ સાથે ક્લેશ થયો હોય તો તેને ખમાવીને શાંત કર્યા વિના, આલોચના-પ્રાયશ્ચિત્ત કર્યા વિના ગોચરી આદિ કોઈ કાર્ય માટે પણ બહાર જવું કલ્પતું નથી.
આ સૂત્રથી ફલિત થાય છે કે ક્લેશયુક્ત ભિક્ષુને ક્લેશના કારણો વગેરે પૂછે તોપણ તે શાંત ન થાય, પ્રાયશ્ચિત્ત ગ્રહણ ન કરે, તો તેની સાથે આહાર આદિ વ્યવહાર રાખી શકાય નહીં. જો ત્રણ દિવસ પછી પણ તે અનુપશાંત ભિક્ષુ સાથે આહારાદિ કરે તો તેને આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે. અહીં ત્રણ
Page #207
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૦
૧૩૯ |
રાત્રિ-દિવસની મર્યાદાના કથનનું કારણ એ છે કે આ સમય મર્યાદામાં તે કલેશ કરનારા સાધુ આત્મસ્થ બની જાય, તેનો કલેશ શાંત થઈ જાય, ત્રણ રાત દિવસમાં તે શાંત ન થાય, પ્રાયશ્ચિત્તનો સ્વીકાર ન કરે તો તેની સાથે અન્ય સાધુઓએ આહારાદિ વ્યવહાર બંધ કરવો જોઈએ અને તેમ ન કરે તો તેનું પ્રાયશ્ચિત્ત વિધાન પણ આ સૂત્રમાં કહ્યું છે. ન્યૂનાધિક પ્રાયશ્ચિત્ત કથનાદિઃ१५ जे भिक्खू उग्घाइयं अणुग्घाइयं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી લઘુપ્રાયશ્ચિત્ત સ્થાનને ગુરુપ્રાયશ્ચિત્ત સ્થાન કહે કે કહેનારનું અનુમોદન કરે, १६ जे भिक्खू अणुग्घाइयं उग्घाइयं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગુરુપ્રાયશ્ચિત્ત સ્થાનને લઘુપ્રાયશ્ચિત્ત સ્થાન કહે કે કહેનારનું અનુમોદન કરે, १७ जे भिक्खू उग्घाइयं अणुग्घाइयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી લઘુપ્રાયશ્ચિત્ત સ્થાનનું ગુરુપ્રાયશ્ચિત્ત આપે કે આપનારનું અનુમોદન કરે, |१८ जे भिक्खू अणुग्घाइयं उग्घाइयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ગુરુપ્રાયશ્ચિત્ત સ્થાનનું લઘુપ્રાયશ્ચિત્ત આપે કે આપનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
૧૫–૧૬મા સૂત્રમાં વિપરીત પ્રરૂપણા અને ૧૭-૧૮મા સૂત્રમાં રાગ-દ્વેષ કે અજ્ઞાનતાના કારણે ન્યૂનાધિક પ્રાયશ્ચિત્ત આપવાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.
જો અલ્પદોષનું વધુ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે તો તે સાધુને પીડા થાય, તે સાધુ પ્રત્યેની અનુકંપા હણાય અને આલોચના કરનાર આલોચક ભય પામે અને પુનઃ કયારેય આલોચના કરે નહિ.
જો મહાદોષનું અલ્પ પ્રાયશ્ચિત્ત આપે તો પૂર્ણ શુદ્ધિ થતી નથી અને પુનઃ દોષ સેવનની સંભાવના રહે. પ્રાયશ્ચિત્ત દેવાના અધિકારીએ પ્રાયશ્ચિત્ત સંબંધી વિપરીત પ્રરૂપણા ન થઈ જાય કે કોઈ સાધુને વિપરીત પ્રાયશ્ચિત્ત ન અપાય જાય તેનો વિવેક રાખવો જોઈએ, તે વિવેક ચૂકાય તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત સાધુ સાથે આહારાદિ વ્યવહાર:१९ जे भिक्खू उग्घाइयं सोच्चा णच्चा संभुंजइ, संभुजतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી લઘુપ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરવાનું સાંભળીને કે જાણીને તે સાધુની સાથે આહારાદિનો વ્યવહાર રાખે કે રાખનારનું અનુમોદન કરે, २० जे भिक्खू उग्घाइय-हेउं सोच्चा णच्चा संभुंजइ, संभुजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી લઘુપ્રાયશ્ચિત્તનું કારણ સાંભળીને કે જાણીને તે સાધુની સાથે આહારાદિનો વ્યવહાર રાખે કે રાખનારનું અનુમોદન કરે,
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ]
શ્રી નિશીથ સુત્ર
२१ जे भिक्खू उग्घाइय-संकप्पं सोच्चा णच्चा संभुंजइ, संभुंजतं वा साइज्जइ। ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી લઘુપ્રાયશ્ચિત્તના સંકલ્પને સાંભળીને કે જાણીને તે સાધુની સાથે આહારાદિનો વ્યવહાર રાખે કે રાખનારનું અનુમોદન કરે, २२ जे भिक्खू अणुग्घाइयं सोच्चा णच्चा संभुंजइ संभुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ગુરુપ્રાયશ્ચિત્તના સ્થાનનું સેવન કરવાનું સાંભળીને કે જાણીને તે સાધુની સાથે આહારાદિનો વ્યવહાર રાખે કે રાખનારનું અનુમોદન કરે, २३ जे भिक्खू अणुग्घाइय-हेउं सोच्चा णच्चा संभुंजइ, संभुंजतं वा साइज्जइ। ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી ગુરુપ્રાયશ્ચિત્તના કારણોને સાંભળીને કે જાણીને તે સાધુની સાથે આહારાદિનો વ્યવહાર રાખે કે રાખનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू अणुग्घाइय-संकप्पं सोच्चा णच्चा संभुंजइ, संभुजतं वा साइज्जइ। ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી ગુરુપ્રાયશ્ચિત્તના સંકલ્પને સાંભળીને કે જાણીને તે સાધુની સાથે આહારાદિનો વ્યવહાર રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત ભિક્ષુની ત્રણ અવસ્થાઓનો નિર્દેશ છે અને તે સર્વ અવસ્થાવાળા ભિક્ષુઓ સાથે આહાર-પાણી કરવા આદિ વ્યવહારોનું પ્રાયશ્ચિત્ત કથન છે. ૩થાઇયં દે ણિયંઃ- (૧) પ્રાયશ્ચિત્ત સ્થાન સેવનને ‘ઉદ્ઘાતિક” કહે છે. (૨) પ્રાયશ્ચિત્ત સ્થાન (પાપ સેવન)ની આલોચના કરે તે “ઉઘાતિક હેતુ” અને (૩) પ્રાયશ્ચિત્તમાં સ્થાપિત કરવાનો જે દિવસ નિશ્ચિત્ત કર્યો હોય તે દિવસ સુધી “ઉદ્યાતિક સંકલ્પ’ કહેવાય છે.
પ્રાયશ્ચિત્ત સ્થાન સેવનના સમયથી પ્રાયશ્ચિત્તરૂપે પ્રાપ્ત તપ પૂર્ણ થાય ત્યાં સુધી તે સાધુની સાથે આહારનું આદાન-પ્રદાન કરવાનો નિષેધ છે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે કરવામાં આવતા તપની વિશિષ્ટ વિધિ અનુસાર પ્રાયશ્ચિત્ત વહન કરનારાની સાથે સામાન્ય બધા જ વ્યવહાર સમાપ્ત કરી દેવામાં આવે છે, પરંતુ અહીં તેની પૂર્વની અવસ્થામાં આહારનો વ્યવહાર બંધ કરવાના ત્રણ વિભાગો દ્વારા કથન કરી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ત્રણ સૂત્રોમાં ઉદ્યાતિકથી સંબંધિત પ્રાયશ્ચિત્ત અને ત્રણ સૂત્રોમાં અનુઘ્રાતિકથી સંબંધિત પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ચૂર્ણિકારે આ સૂત્રોની વ્યાખ્યામાં પ્રારંભમાં જ કહ્યું છે કે તે છઃ સુતા ! આ છ સૂત્રો..., પરંતુ કાળક્રમે તેના સાંયોગિક ભંગોના સૂત્ર બની ગયા અને વર્તમાને ઉપલબ્ધ પ્રતોમાં ૧૨ સૂત્રો જોવા મળે છે. પ્રસ્તુતમાં ભાષ્ય, ચૂર્ણિ અનુસાર છ સૂત્ર જ રાખ્યા છે. રાત્રિ ભોજનના અતિચારો - २५ जे भिक्खू उग्गयवित्तीए अणथमिय-मणसंकप्पे संथडिए णिव्वितिगिच्छासमावण्णेणं अप्पाणेणं असणं वा पाणं वा खाइम वा साइमं वा पडिग्गाहेत्ता
Page #209
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૦
૧૪૧
आहारं आहारमाणे अह पुण एवं जाणेज्जा- अणुग्गए सूरिए अत्थमिए वा से जं च मुहे जं च पाणिसि जं च पडिग्गहंसि, तं विगिंचेमाणे विसोहेमाणे णाइक्कमइ जो तं भुजइ, भुजतं वा साइज्जइ ।
ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞા(સંકલ્પ)થી બદ્ધ સમર્થ સાધુ કે સાધ્વી સૂર્યોદય કે સૂર્યાસ્તના વિષયમાં સંદેહ રહિત અર્થાત્ સૂર્યોદય થઈ ગયો છે– સૂર્યાસ્ત થયો નથી તેવા નિશ્ચયાત્મક આત્મ પરિણામથી અશનાદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે અને ત્યારપછી આહાર કરતા સમયે જાણે કે હજુ સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે, મોઢા આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. જે (સાધુ-સાધ્વી) તે આહારને વાપરે અથવા વાપરનારાનું અનુમોદન કરે,
२६ जे भिक्खू उग्गयवित्तीए अणत्थमिय-मणसंकप्पे संथडिए वितिगिच्छा-समावण्णेणं अप्पाणेणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्ता आहारं आहारेमाणे, अह पुण एवं जाणेज्जा - अणुग्गए सूरिए अत्थमिए वा से जं च मुहे जं च पाणिसिं जंच पडिग्गहंसि, तं विगिंचेमाणे विसोहेमाणे णाइक्कमइ जो तं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞાથી બદ્ધ સમર્થ સાધુ કે સાધ્વી સૂર્યોદય–સૂર્યાસ્ત થયો હશે કે નહીં ? તે વિષયમાં સંશયાત્મક આત્મપરિણામથી અશનાદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે અને ત્યારપછી આહાર વાપરતા સમયે જાણે કે હજુ સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય પાત્રમાં હોય તેને પરઠી દે, મોઢા આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. જે (સાધુ–સાધ્વી) તે આહારને વાપરે કે વાપરનારાનું અનુમોદન કરે,
२७ जे भिक्खू उग्गयवित्तीए अणत्थमिय-मणसंकप्पे असंथडिए णिव्वितिगिच्छासमावण्णेणं अप्पाणेणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्ता आहारं आहारेमाणं, अह पुण एवं जाणेज्जा- अणुग्गएसूरिए, अत्थमिए वा से जं च मुहे, जं च पाणिसिं, जं च पडिग्गहंसि, तं विगिंचेमाणे विसोहेमाणे णाइक्कमइ, जो तं भुंजइ, भुंजंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞા(સંકલ્પ)થી બદ્ધ અસમર્થ સાધુ કે સાધ્વી સૂર્યોદય કે સૂર્યાસ્તના વિષયમાં સંદેહ રહિત અર્થાત્ સૂર્યોદય થઈ ગયો છે– સૂર્યાસ્ત થયો નથી તેવા નિશ્ચયાત્મક આત્મ પરિણામથી અશનાદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે અને ત્યારપછી આહાર કરતા સમયે જાણે કે હજુ સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે, મોઢા આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. જે (સાધુ-સાધ્વી) તે આહારને વાપરે અથવા વાપરનારાનું અનુમોદન કરે,
२८ जे भिक्खू उग्गयवित्तए अणत्थमिय- मणसंकप्पे अंसथडिए वितिगिच्छासमावणेणं अप्पाणेणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्ता आहारं
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
आहारेमाणे, अह पुण एवं जाणेज्जा- अणुग्गए सूरिए, अत्थमिए वा से जंच मुहे, जं च पाणिसिं, जं च पडिग्गहंसि तं विगिंचेमाणे विसोहेमाणे णाइक्कमइ, जो तं भुंजइ, भुंजंतं साइज्जइ ।
૧૪૨
ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞાથી બન્નેં અસમર્થ સાધુ કે સાધ્વી સૂર્યોદય–સૂર્યાસ્ત થયો હશે કે નહીં ? તે વિષયમાં સંશયાત્મક આત્મપરિણામથી અશનાદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે અને ત્યારપછી આહાર વાપરતા સમયે જાણે કે હજુ સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે, મોઢા આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. જે (સાધુ–સાધ્વી) તે આહારને વાપરે કે વાપરનારાનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સમર્થ-અસમર્થ, સંશયાત્મક, નિશ્ચયાત્મક માનસવાળા શ્રમણની અપેક્ષાએ ચૌભંગી યુક્ત । રાત્રિ ભોજન સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે. તે ચાર ભંગ આ પ્રમાણે છે—
(૧) સંદેહ રહિત સમર્થ સાધુ આહાર ગ્રહણ કરે છે. (૨) સંદેહ યુક્ત સમર્થ સાધુ આહાર ગ્રહણ કરે છે. (૩) સંદેહ રહિત અસમર્થ સાધુ આહાર ગ્રહણ કરે છે. (૪) સંદેહ યુક્ત અસમર્થ સાધુ આહાર ગ્રહણ કરે છે.
સંથક-અસંથહ :- (૧) સંસ્કૃત- હૃષ્ટ-સ્વસ્થ, સમર્થ. (૨) અસંસૃત– છઠ અને અટ્ટમ આદિ તપથી અશક્ત બનેલા, રૂગ્ણતાથી દુર્બલ શરીરવાળા અથવા લાંબા વિહારમાં આહારના અલાભથી ક્ષુધાતુર ભિક્ષુ અસંસ્કૃત કહેવાય છે અર્થાત્ અસ્વસ્થ- અસમર્થ કહેવાય છે.
પિવિત્તિપિત્ઝા :– વિચિકિત્સા અર્થાત્ વિમર્શ, સંદેહ; સંદેહ જેનામાંથી નીકળી ગયો હોય તે સંદેહ રહિત, નિઃશંક હોય, તેને નિર્વિચિકિત્સ કહેવાય છે.
વિત્તિપિત્ઝાઃ- વાદળા આદિના કારણોથી સૂર્ય દેખાતો ન હોય ત્યારે સૂર્યોદય થયો છે કે નહિ ? અથવા સૂર્યાસ્તના સમયે સૂર્ય છે કે અસ્ત થઈ ગયો છે કે નહીં ? તેવી શંકા હોય તે શંકાયુક્તને વિચિકિત્સ કહેવાય છે.
સંદિગ્ધ અથવા અસંદિગ્ધ અવસ્થામાં આહાર ગ્રહણ કર્યા પછી જો નિર્ણય થઈ જાય કે સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે અથવા આહાર ગ્રહણ કર્યા પછી સૂર્યોદય થયો છે તો સાધુને તે આહાર સેવન કરવો કલ્પતો નથી. સેવન કરવાથી તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તે આહાર પાત્રમાં, હાથમાં કે મોઢામાં હોય, તો તેને કાઢીને પરઠવી દેવો જોઈએ અને હાથ આદિને પાણીથી ધોઈ સાફ કરી લેવા જોઈએ. બૃહત્કલ્પ સૂત્ર, ઉ. ૫, સૂ. ૬ થી ૯માં પણ આ જ પ્રકારનું કથન છે.
ઉદગાલ(ઘચરકા)ને પાછો ગળી જવો
--
२९ जे भिक्खू राओ वा वियाले सपाणं सभोयणं उग्गालं उग्गिलित्ता पच्चोगिल, पच्चोगिलंतं वा साइज्जइ ।
Page #211
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૦
[ ૧૪૩ ]
ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી રાત્રે અથવા વિકાળ સંધ્યા સમયે(પૂર્વે ગ્રહણ કરેલા) પાણી અને આહાર સહિતના ઘચરકાને મોઢામાં આવ્યા પછી પુનઃ ગળી જાય કે ગળી જનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન:
મર્યાદાથી વધારે આહાર કરવાથી ઘચરકો આવે છે. દિવસે, રાત્રે કે વિકાળમાં(સંધ્યા સમયે) ઘચરકો આવે અને જો તે ગળા સુધી આવીને પોતાની મેળે સહજરૂપે પેટમાં ઉતરી જાય કે દિવસે ગળી જાય તો સાધુને તેનું પ્રાયશ્ચિત્ત આવતું નથી, રાત્રિએ ઘચરકો મુખમાં આવી જાય અને ભિક્ષુ તેને જાણીને ગળી જાય તો તેનું આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ સૂત્ર, રાત્રિભોજન સંબંધિત સૂક્ષ્મ મર્યાદાના પાલનનું પ્રેરક છે. આગમકારે ઉદ્ગાલ–ઘચરકો પાછો ગળી જવાને પણ રાત્રિભોજન જ માન્યું છે, તેથી તેનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ગ્લાનની સેવા કરવામાં પ્રમાદઃ३० जे भिक्खू गिलाणं सोच्चा णच्चा ण गवेसइ, ण गवसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગ્લાન-બીમાર સાધુના સમાચાર સાંભળીને અથવા જાણીને તેની માહિતી ન મેળવે કે માહિતી ન મેળવનારનું અનુમોદન કરે, ३१ जे भिक्खू गिलाणं सोच्चा णच्चा उम्मग्गं वा पडिपहं वा गच्छइ, गच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગ્લાન સાધુના સમાચાર સાંભળીને અથવા જાણીને ગ્લાન ભિક્ષુ તરફના માર્ગને છોડીને અન્ય માર્ગથી અથવા પ્રતિપથથી ચાલ્યો જાય છે તેમ કરનારનું અનુમોદન કરે, ३२ जे भिक्खू गिलाणवेयावच्चे अब्भुट्ठिए सएण लाभेण असंथरमाणे जो तस्स ण पडितप्पइ ण पडितप्पंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગ્લાનની સેવામાં ઉપસ્થિત થઈને પોતાના લાભથી(પ્રયત્નથી) ગ્લાનનો નિર્વાહ થતો ન હોય, તેવા સમયે તેની સમીપે ખેદ પ્રગટ કરી તેને આશ્વાસિત ન કરે કે આશ્વાસિત ન કરનારનું અનુમોદન કરે, ३३ जे भिक्खू गिलाणवेयावच्चे अब्भुट्ठिए गिलाणपाउग्गे दव्वजाए अलभमाणे जो तं ण पडियाइक्खइ ण पडियाइक्खतं वा साइज्जइ ।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગ્લાનની સેવામાં ઉપસ્થિત થયા હોય અને તેને યોગ્ય ઔષધ, પથ્ય આદિ મળે નહીં અને તે ગ્લાન ભિક્ષુને કહે નહીં કે નહીં કહેનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વૈયાવચ્ચની ઉપેક્ષાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪ |
શ્રી નિશીથ સત્ર
પ્રસ્તુત ચારે ય સૂત્રોનો ફલિતાર્થ આ છે કે- (૧) કોઈ પણ બીમાર સાધુ સંબંધી સમાચાર મળે કે તેને સેવા કરનારની જરૂર છે, તો ભિક્ષુએ પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીને તેની સેવામાં જવું જોઈએ. (૨) બીમાર ભિક્ષુના ગામ કે સ્થાનની માહિતી મળી જવા છતાં સેવા ન કરવાની ભાવનાથી અન્યત્ર ક્યાંય ચાલ્યા ન જવું જોઈએ. (૩) બીમારની સેવામાં રહેતાં તેના માટે ગવેષણા કરતાં આવશ્યક પદાર્થ ન મળ અથવા પૂર્ણ માત્રામાં ન મળે તો તેની સંતુષ્ટિ માટે અપ્રાપ્તિનો દોષ પોતા ઉપર લઈને ખેદ પ્રકટ કરવો જોઈએ. (૪) ઔષધ અથવા પથ્ય આહારાદિ ગવેષણા કરવા છતાં પ્રાપ્ત ન થાય તો પહેલાં બીમાર પાસે આવીને કહેવું જોઈએ કે આટલી ગવેષણા કરવા છતાંયે આવશ્યક વસ્તુ પ્રાપ્ત થઈ નથી અથવા થોડીવાર પછી આ વસ્તુ પ્રાપ્તિની સંભાવના છે.
આગમમાં વૈયાવચ્ચને આત્યંતર તપ કહ્યો છે, તેથી તેને સાધુએ સેવાને પોતાની આત્મશુદ્ધિનું કાર્ય સમજીને અન્ય સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરવી જોઈએ અને વિચારવું જોઈએ કે આ ગ્લાને મારા પર ઉપકાર કર્યો છે, મને સહેજે આત્યંતર તપનો અવસર આપ્યો છે. આ પ્રકારના શુદ્ધ ભાવથી સેવા કરનારને અત્યધિક નિર્જરા થાય છે.
શ્રી ઉત્તરાધ્યયન અધ્યયન-૨૯માં સેવાનું ઉત્કૃષ્ટ ફળ તીર્થકર પદની પ્રાપ્તિનું કહ્યું છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉદ્દેશક-૩ અને ૪માં ગ્લાન ભિક્ષુની અગ્લાન ભાવથી સેવા કરવાનો આગ્રહપૂર્વક નિર્દેશ કર્યો છે. વર્ષા ઋતુમાં વિહાર:३४ जे भिक्खू पढमपाउसंसि गामाणुगाम दूइज्जइ, दूइज्जतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી પ્રથમ પ્રાવૃષ કાળમાં અર્થાત્ પર્યુષણ પૂર્વેના ચાતુર્માસ કાળમાં ગ્રામાનુગ્રામ વિહાર કરે કે વિહાર કરનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू वासावासं पज्जोसवियंसि गामाणुगाम दुइज्जइ, दूइज्जतं वा
ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી વર્ષાવાસ(ચાતુર્માસ)માં પર્યુષણ કર્યા પછી પ્રામાનુગ્રામ વિહાર કરે કે વિહાર કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
ભિક્ષ હેમંત અને ગ્રીષ્મના આઠ માસમાં વિચરણ કરે અને વર્ષા કાળના ચાર માસમાં વિચરણ ન કરે. જેમ કે–ોપ થાપ વાણિwથી વા વાલાવાસાસુ વાર વખfiથા વા fણાથી વા દેમત ઉઠ્ઠાણું વારણ I –બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૧, સૂત્ર-૩૬, ૩૭.
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાવૃષ અને વર્ષાવાસ, આ બે શબ્દ દ્વારા સંપૂર્ણ ચાતુર્માસનું કથન છે અને તેમાં વિહાર કરવાના પ્રાયશ્ચિત્તનું સૂચન છે. પ્રાવૃષ શબ્દથી અષાઢ અને શ્રાવણ માસ અર્થાત્ સંવત્સરી સુધીનો કાળ અને વર્ષાવાસ શબ્દથી સંવત્સરીથી કારતક સુદ પૂનમ સુધીનો કાળ ગ્રહણ કર્યો છે. આ બંને સૂત્રનો સંયુક્ત અર્થ આ પ્રમાણે થાય કે ચાતુર્માસમાં સાધુ-સાધ્વી વિહાર કરે તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. પદમપરાતિ :- પ્રથમ પ્રાવષકાળ. પ્રાકૃષ–વર્ષાકાળ ચાર મહિનાનો હોય છે. સાધુ-સાધ્વીઓ આ
Page #213
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૦
| ૧૪૫ |
ચાર મહિનામાં એક સ્થાને સ્થિર રહે છે. તે વર્ષાવાસ કે ચાતુર્માસ કહેવાય છે. તેમાં પર્યુષણ(સંવત્સરી) પહેલાંના અર્થાત્ ચાતુર્માસના પ્રારંભના ૫૦ દિવસના સમયને પૂર્વકાળ કે પ્રથમ પ્રાકૃષકાળ કહેવાય છે. વાલીવારં પોલિવિયંતિ :- ચાતુર્માસમાં પર્યુષણ પછીનો પશ્ચાત્ કાલ (ઉત્તરકાલ) કહેવાય છે. પ વિતિ થી પર્યુષણ અર્થ ગ્રહણ થાય છે અર્થાત્ પર્યુષણ પછીના ચાર્તુમાસકાળમાં સાધુ વિહાર કરે તો પણ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
ઠાણાંગ સૂત્ર, અધ્યયન-૫, ઉદ્દેશક-૨, સૂત્ર-૨–૩માં ચાતુર્માસમાં વિહાર કરવાના કારણોનું કથન બે વિભાગ કરીને કહ્યું છે. પ્રથમ વિભાગને પઢમં પાડેનિમ અને દ્વિતીય વિભાગને વાલાવાસ પmવિષિ કહ્યું છે, બંને સૂત્રોના પૂર્વાર્ધમાં વિહારનો નિષેધ કરીને ઉત્તરાર્ધમાં અપવાદ માર્ગે વિહાર કરવાના ૫-૫ કારણો કહ્યા છે. આ બંને વિભાગ ચાતુર્માસના જ છે, કારણ કે શેષ આઠ માસનો વિહાર તો કલ્પનીય જ છે અને અપવાદ માર્ગનું સેવન તો અકલ્પનીય સમયે જ થાય છે. ઠાણાંગ સૂત્રના આ બંને સૂત્રોની સમાન જ પ્રસ્તુત સૂત્ર ૩૪, ૩પમાં પણ ચાતુર્માસના બે વિભાગોનું કથન કરીને તે બંને વિભાગમાં વિહાર કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પર્યુષણની કાલ મર્યાદાનું ઉલ્લંઘન :|३६ जे भिक्खू पज्जोसवणाए ण पज्जोसवेइ, ण पज्जोसर्वतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી પર્યુષણ(સંવત્સરી)ના દિવસે પર્યુષણ ન કરે કે ન કરનારનું અનુમોદન કરે, |३७ जे भिक्खू अपज्जोसवणाए पज्जोसवेइ पज्जोसवेंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી પર્યુષણ(સંવત્સરી)ના દિવસ સિવાય અન્ય દિવસે પર્યુષણ કરે કે અન્ય દિવસે પર્યુષણ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
ચાતુર્માસ-વર્ષાવાસ, ચાર માસનો હોય છે. તેમાં પર્યુષણ(સંવત્સરી)નો એક નિશ્ચિત્ત દિવસ હોય છે, તેથી આ બે સુત્રોમાં તે જ દિવસે પર્યુષણ(સંવત્સરી) ન કરવાનું તથા અન્ય દિવસે પર્યુષણ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
આગમોના મૂળપાઠમાં આ દિવસની તિથિનું સ્પષ્ટ કથન નથી, પરંતુ આ બંને સૂત્રોના પ્રાયશ્ચિત્ત વિધાનથી સ્પષ્ટ થઈ જાય છે કે સંવત્સરીનો કોઈ એક નિશ્ચિત દિવસ અવશ્ય છે.
સમવાયાંગ સૂત્રના સિત્તેરમાં સમવાયમાં તેમણે ભવં મહાવીરે વાલાણં સવસરાફા મારે વફતે સત્તરિપ રાધિ રે વાલાવાસં પનોતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વર્ષાવાસના વીસ રાત્રિ સહિત એક માસ (એક માસ અને ૨૦ રાત્રિ-દિવસ) અર્થાત્ ૫૦ દિવસ વ્યતીત થયા અને સિત્તેર રાત્રિ-દિવસ શેષ રહ્યા ત્યારે પર્યુષણા(સંવત્સરી) કરી. અષાઢ પૂર્ણિમાથી એક માસ ૨૦ દિવસ વ્યતીત થતાં ભાદરવા સુદ-૫ આવે છે. નિશીથ ભાષ્ય ગાથા ૩૧૪૬ તથા ૩૧૫૭ની ચૂર્ણિમાં પણ ભાદરવા સુદ-૫નું કથન છે. ઉપરોક્ત પ્રમાણથી પર્યુષણા સંવત્સરીનો નિશ્ચિત્ત દિવસ ભાદરવા સુદ-પાંચમ છે. આ ભાદરવા સુદ-૫ સિવાયના કોઈપણ દિવસે પર્યુષણા-સંવત્સરી કરવાથી આ સૂત્ર દ્વારા પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ |
શ્રી નિશીથ સૂત્ર
સંવત્સરીની આરાધના :|३८ जे भिक्खू पज्जोसवणाए गोलोमाइं पि बालाई उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પર્યુષણ-સંવત્સરીના દિવસે ગાયના રોમ જેટલા કેશ રાખે અર્થાતુ લોચ ન કરે કે લોચ ન કરનારનું અનુમોદન કરે, |३९ जे भिक्खू पज्जोसवणाए इत्तरियपि आहारमाहारेइ, आहारेंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પર્યુષણ-સંવત્સરીના દિવસે થોડો પણ આહાર કરે કે આહાર કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં પર્યુષણ સંબંધી સાધુના લોચ અને આહાર ત્યાગ રૂપે કર્તવ્ય ન કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. સાધુ-સાધ્વી માટે કેશ-લૂચન(માથાના તથા દાઢી-મૂછના વાળને હાથેથી કાઢવા) અનિવાર્ય છે. કેશલંચનએ કાયકલેશ નામનું તપ છે. સંવત્સરીના દિવસે ગાયના રોમ જેવડા પણ વાળ હોવા ન જોઈએ. સંવત્સરીના દિવસે સાધુ-સાધ્વીએ ચારે ય આહારનો પૂર્ણપણે ત્યાગ અર્થાત્ ચૌવિહારો ઉપવાસ કરવો જોઈએ.
આ કર્તવ્યોનું પાલન ન કરવાથી સાધુ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. તેનું પાલન કરવું તે જ પર્યુષણને પર્યાષિત કર્યા કહેવાય છે. તે સિવાય સંપૂર્ણ વર્ષની સંયમ આરાધના-વિરાધનાનું ચિંતન કરી, તપ સંયમના લાભાલાભનું અવલોકન કરવું; આલોચના, પ્રતિક્રમણ અને ક્ષમાપના આદિ કરી, આત્માને શાંત અને સ્વસ્થ કરીને વર્ધમાન પરિણામ રાખવા ઇત્યાદિ વિશિષ્ટ ધર્મ જાગરણ કરવા માટે જ સંવત્સરીનો દિવસ છે. આગમમાં આ દિવસને માટે “પર્યુષણ” શબ્દ પ્રયોગ કર્યો છે. શ્વેતામ્બર પરંપરામાં પૂર્વ સાધનાના સાત દિવસ યુક્ત આઠ દિવસોને પર્યુષણ કહે છે અને એક આઠમા દિવસને “સંવત્સરી” કહે છે, પરંતુ વાસ્તવમાં સંવત્સરીનો દિવસ જ આગમોક્ત પર્યુષણ દિવસ છે. શેષ દિવસ પર્યુષણની ભૂમિકારૂપ છે. પર્યુષણા કલ્પ સાધુ-સામાચારી :
४० जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा पज्जोसवेइ, पज्जोसर्वतं वा સાગરૃ T ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક અથવા ગૃહસ્થને પર્યુષણાકલ્પ(સાધુ-સમાચારી) સંભળાવે કે સંભળાવનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
અન્યતીર્થિક અને ગૃહસ્થના આઠ પ્રકાર છે. તેનું વર્ણન પહેલા ઉદ્દેશકના સૂત્ર- ૧૫માં કર્યું છે. દશાશ્રુતસ્કંધ સૂત્ર, દશા–૮નું નામ પોલવણ છે. તેમાં વર્ષાવાસની સાધુ-સમાચારીનું કથન છે.
પર્યુષણના દિવસે સાયંકાલીન પ્રતિક્રમણ કરીને બધા સાધુપણવખ્ય અધ્યયનનું સામૂહિક ઉચ્ચારણ કરે અથવા શ્રવણ કરે તથા તેમાં વર્ણિત સાધુ-સમાચારીનું ચાતુર્માસમાં અને અન્ય કાળમાં પાલન કરે. ચૂર્ણિમાં આ પ્રાયશ્ચિત્ત સૂત્રની વિધિનું કથન આ પ્રમાણે છે
Page #215
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૦
૧૪૭ |
काल
पज्जोसवणाकप्प कहणे इमा समायारी- अप्पणो उवस्सए, पाओसिए आवस्सए कए,
(વાનગતિનેહર), મુદ્દે પકૂવેરા વહાલા......... સવ્વ સાદૂમખાણ #ાલયમાં રુતિ..... અર્થ :- પોતાના ઉપાશ્રયમાં પ્રાદોષિક એટલે સાયંકાલીન પ્રતિક્રમણ કર્યા પછી મુનિ સ્વાધ્યાય કાળનું પ્રતિલેખન કરી, સ્વાધ્યાય યોગ્ય શુદ્ધકાળ જાણીને આ અધ્યયનનું કથન-શ્રવણ કરે અને પછી સમાપ્તિ સૂચક કાર્યોત્સર્ગ કરે.
પ્રસ્તુત સૂત્રમાં “પર્યુષણાકલ્પ અધ્યયન” ગૃહસ્થોને સંભળાવવાનો અથવા ગૃહસ્થ યુક્ત સાધુ પરિષદમાં સંભળાવવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેથી રાત્રિના સમયે સાધુ પરિષદમાં જ કહેવાનું અને સાંભળવાનું વિધાન સ્પષ્ટ થાય છે. આ પક્ઝોસવણાકલ્પ વર્તમાનમાં ઉપલબ્ધ નથી અને તેના સ્વાધ્યાય(શ્રવણ)ની પરંપરા પણ નથી.
સુત્રગત પુસા નો અર્થ સાંવત્સરિક પ્રતિક્રમણ પણ કરવામાં આવે છે. વર્ષાકાળમાં વસ્ત્ર ગ્રહણઃ४१ जे भिक्खू पढमसमोसरणुद्देसे पत्ताई चीवराई पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ચાતુર્માસકાળ પ્રારંભ થઈ ગયા પછી વસ્ત્ર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે તેને ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકના ૪૧ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
સાધુના ગ્રામાદિમાં આગમનને “સમવસૃત થવું” કહેવાય છે. તે આગમન બે પ્રકારે સંભવે છે. (૧) ચાતુર્માસકાળ માટે આગમન અને (૨) ઋતુબદ્ધ કાળને માટે આગમન. આગમમાં તેના માટે ક્રમશઃ પ્રથમ સમવસરણ અને દ્વિતીય સમવસરણ, આ શબ્દો પ્રયુક્ત થયા છે.
બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દેશક-૩, સૂત્ર ૧૬માં ચાતુર્માસમાં વસ્ત્રગ્રહણનો નિષેધ છે અને આ સુત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સૂત્રમાં પત્તારું શબ્દ છે. તેની વ્યાખ્યામાં બંને વ્યાખ્યાકારોએ પ્રતાનિ છાયા કરીને અને તેનો અર્થ પ્રાપ્ત વસ્ત્ર ગ્રહણ ન કરે, તેમ થાય છે. પત્તારૂં શબ્દનો પાત્ર' અર્થ પણ થાય છે, પરંતુ સૂત્ર રચના અનુસાર પ્રાપ્તાનિ અર્થ સંગત થાય છે, કારણ કે બે વસ્તુનું કથન કરવું હોય તો આગમકાર વ શબ્દનો પ્રયોગ કરે છે, જેમ કે વત્થ વા પડાદ વાા પરંતુ અહીં તેમ નથી, તેથી આ સૂત્રમાં કેવળ વસ્ત્રનું જ કથન છે તેમ સમજવું. તેમ છતાં વ્યાખ્યાકારે ચાર્તુમાસમાં બધા ઉપકરણો ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે તદ્દનુસાર ચાતુર્માસમાં પાત્ર પણ ગ્રહણ કરી શકાતા નથી.
આ રીતે પ્રસ્તુત ઉદ્દેશકના ૪૧ સુત્રોમાં ૪૧ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
| દશમો ઉદ્દેશક સંપૂર્ણ
Page #216
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮]
શ્રી નિશીથ સૂત્ર
અગિયારમો ઉદ્દેશક પરિચય છRORRORDROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૯૧ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
લોખંડ આદિના પાત્ર બનાવવા અને રાખવા, લોખંડ આદિના બંધનવાળા પાત્ર બનાવવા અને રાખવા, અર્ધા યોજન કરતાં વધુ દૂરથી પાત્ર લઈ આવવા, કારણ વશ પણ અર્ધ યોજન કરતાં વધુ દૂરથી સામે લાવીને અપાતા પાત્ર લેવા, ધર્મની નિંદા કરવી, અધર્મની પ્રશંસા કરવી, ગૃહસ્થના શરીરનું પરિકર્મ કરવું. સ્વયંને અથવા અન્યને ડરાવવા, સ્વયંને અથવા અન્યને વિસ્મિત કરવા, સ્વયંને અથવા અન્યને વિપરીત સ્વરૂપે દેખાડવા. કોઈ વ્યક્તિની કે તેના કુધર્મની મિથ્યાપ્રશંસા કરવી, બે વિરોધી રાજ્યોમાં વારંવાર ગમનાગમન કરવું, દિવસ ભોજનની નિંદા અને રાત્રિ ભોજનની પ્રશંસા કરવી; દિવસે લાવેલા આહારને બીજે દિવસે, દિવસે લાવેલા આહારને રાત્રે, રાત્રે લાવેલા આહારને દિવસે અને રાત્રે લાવેલા આહારને રાત્રે વાપરવો.
આગાઢ પરિસ્થિતિ વિના રાત્રે અશનાદિ રાખવા, આગાઢ પરિસ્થિતિને કારણે રાત્રે રાખેલો આહાર વાપરવો, સખડીના આહારને ગ્રહણ કરવાની અભિલાષાથી અન્યત્ર રાત્રિ નિવાસ કરવા જવું, નેવૈદ્યપિંડ ગ્રહણ કરીને વાપરવો, સ્વચ્છંદાચારીની પ્રશંસા કરવી, તેને વંદન કરવા, અયોગ્યને દીક્ષા દેવી અથવા વડી દીક્ષા દેવી, અયોગ્ય પાસે સેવા કાર્ય કરાવવું. અચેલ અથવા સચેલ સાધુએ સચેલ અથવા અચેલ સાધ્વીઓની સાથે રહેવું, રાત્રે રાખેલા ચૂર્ણ, મીઠું આદિ ઉપયોગમાં લેવા, આત્મઘાત કરનારાની પ્રશંસા કરવી ઈત્યાદિ દોષ સ્થાનોનું સેવન કરવાથી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૧.
| ૧૪૯ ]
+ અગિયારમો ઉદેશક – VEE/A ૯૧ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન VEIES
નિષિદ્ધ પાત્રગ્રહણ:| १ जे भिक्खू अयपायाणि वा तंबपायाणि वा तउयपायाणि वा सीसगपायाणि वा हिरण्णपायाणि वा सुवण्णपायाणि वारीरियपायाणि वा हारपुडपायाणि वा मणिपायाणि वा कायपायाणि वा कसपायाणि वा संखपायाणि वा सिंगपायाणि वा दंतपायाणि वा चेलपायाणि वा सेलपायाणि वा चम्मपायाणि वा करेइ, करेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી (૧) લોખંડ (૨) ત્રાંબુ (૩) જસત (૪) સીસું (૫) ચાંદી (૬) સોનું (૭) પીતળ (૮) રત્નજડિત લોઢું (૯) મણિ (૧૦) કાચ (૧૧) કાંસુ (૧૨) શંખ (૧૩) શીંગડા (૧૪) હાથીદાંત (૧૫) વસ્ત્ર (૧૬) પત્થર (૧૭) ચામડું, ઇત્યાદિના પાત્ર બનાવે કે બનાવનારનું અનુમોદન કરે, | २ | जे भिक्खू अयपायाणि वा जाव चम्मपायाणि वा धरेइ, धरैत वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી લોઢાના પાત્ર યાવત્ ચર્મના પાત્રને ધારણ કરે કે ધારણ કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू अयबंधणाणि वा जाव चम्मबंधणाणि वा [पायाणि] करेइ, વત વા સારૂ I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્ર ઉપર લોઢાના બંધન યાવત ચામડાના બંધન બાંધે કે બાંધનારનું અનુમોદન કરે,
४ जे भिक्खू अयबंधणाणि वा जाव चम्मबंधणाणि वा [पायाणि] धरेइ, धरेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી લોઢાના બંધન યાવત ચામડાના બંધનવાળા પાત્રને ધારણ કરે કે ધારણ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન:
- સાધુ-સાધ્વીને ત્રણ પ્રકારના પાત્ર રાખવા કહ્યું છે– (૧) તુંબડાનું પાત્ર (૨) કાષ્ઠપાત્ર અને (૩) માટીના પાત્ર. – આચારાંગ સૂત્ર, શુ. ૨, અ. ૬, ઉ. ૧, અને ઠાણાંગ સૂત્ર, સ્થાન–૩.
આચારાંગ હૃ. ૨, અ. ૬, ઉ. ૧, સૂ. ૫-૬ સૂત્રમાં સાધુને લોઢા વગેરે ધાતુ નિર્મિત પાત્ર તથા બહુમૂલ્યપાત્ર લેવાનો નિષેધ છે. તેનું જ અહીં આ ચાર સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
તુંબડું, કાષ્ઠ અને માટીના પાત્ર અલ્પમૂલ્યવાળા અને સામાન્ય જાતિના છે, તેથી કોઈ ચોરી જશે
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
તેવો ભય રહેતો નથી. કાષ્ઠપાત્ર અને તુંબડાપાત્રનું વજન પણ ઓછું હોય છે. લોખંડાદિ ધાતુના બંધનવાળા પાત્ર મૂલ્યવાન હોય છે અને વજનદાર પણ હોય છે, તેથી ચોરાઈ જવાનો સતત ભય રહે છે માટે સાધુને લોખંડ આદિ કોઈપણ ધાતુના કે ચામડાંના પાત્ર રાખવાનો સાધુ માટે નિષેધ છે.
૧૫૦
પ્રતોમાં પ્રાપ્ત થતાં પાઠાંતર :– આ સૂત્રગત પાત્ર સંબંધી ધાતુઓના નામ તથા તેના ક્રમ પ્રતોમાં ભિન્ન-ભિન્ન જોવા મળે છે. સર્વ પ્રતોના પાઠ ભેગા કરતા રર નામો થાય છે, આ પ્રમાણે છે– (૧) અયપાળિ (૨) સંનપાયાખિ (૩) તકયપાયાખિ (૪) સુવળપાયાખિ (૫) લપાયાખિ (૬) ષિપાયાખિ (૭) વંતપાયાળિ (૮)સિંનપાયાબિ(૯) સંસ્થપાયા (૧૦) ચમ્મપાયાબિ(૧૧) શ્વેતપાયાબિ(૧૨)વરપાયાખિ । (૧૩) સીસ-પાયા િ (૧૪) રુપ્પપાયાગિ (૧૫) નાયલપાયાખિ (૧૬) પગપાયખિ (૧૭) વિળયાવાળ (૧૮) વિપાયા (૧૯) હારપુડપાયા (૨૦) જાવાવાળ (1) સેલપાયાબિ (૨૨) પાવાનિ । નિશીય સૂત્રની એક પ્રતમાં અવાજ આ તપ્વારા પાયા રે તું જા સાફ આવું એક અધિક સૂત્ર પણ જોવા મળે છે.
આચારાંગ સૂત્ર તથા પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ધાતુપાત્રના ૧૭ પાત્રનો નામોલ્લેખ છે અને અન્ય પાત્રોને અન્નવર િવદ વાષિ શબ્દ દ્વારા ગ્રહણ કર્યા છે. તેથી અહીં ૧૭ નામ ગ્રહણ કર્યા છે. તે સિવાયના પાંચ નામો ૧૭ નામોમાં સમાવિષ્ટ થઈ જાય છે, જેમ કે– (૧) રુપ્પનો હિપ્ન માં, (૨-૩) આવલ અને ગન નો સુવપ્ન માં, (૪-૫)મં અને વર નો પુષ્ઠ માં સમાવેશ થઈ જાય છે.
અહીં પાત્ર, પાત્ર બંધનના નિષેધ સંબંધી રેફ તથા પર્ આ બે ક્રિયાપદથી ચાર સૂત્ર આપ્યા છે. જ્યારે કેટલીક પ્રતોમાં પરિશ્રુંગ ક્રિયાપદથી બીજા બે સૂત્ર ગ્રહણ કરીને છ સૂત્ર જોવા મળે છે. ચૂર્ણિમાં ચાર સૂત્ર હોવાથી અહીં ચાર સૂત્ર ગ્રહણ કર્યા છે.
હારપુક :– લોખંડ, સોના ચાંદી, આદિના પાત્ર વિશેષ કે જે મોતી, આદિથી સુશોભિત હોય અર્થાત્ મોતી રત્નાદિથી જડિત લોખંડાદિ પાત્રને હારપુ કહે છે.
પાયાણિ રે, ગંધબિર – લોખંડ વગેરેના બંધનવાળા પાત્ર બનાવવા અર્થાત્ કાષ્ઠ વગેરેના પાત્ર પર લોખંડાદિના તારથી બંધન બાંધવા. સૂત્રમાં લોખંડના બંધન કરવાનું કથન છે પરંતુ બાંધવાની ક્રિયાના આધારભૂત પાત્રનું કથન નથી, તેથી પાત્ર શબ્દને અહીં કૌંસમાં ઈટાલી ટાઈપમાં રાખ્યો છે. પાત્ર ગવેષણાની ક્ષેત્ર મર્યાદાનું ઉલ્લંઘન :
५ जे भिक्खू परं अद्धजोयणमेराओ पायवडियाए गच्छइ, गच्छंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પાત્રને ગ્રહણ કરવાની ઇચ્છાથી (ગવેષણા માટે) અર્ધયોજનથી દૂર જાય કે જનારનું અનુમોદન કરે,
६ जे भिक्खू परं अद्धजोयणमेराओ सपच्चवायंसि पायं अभिहडं आह देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કોઈ બાધાજનક પરિસ્થિતિમાં અર્ધયોજન કરતાં વધુ દૂરથી સામે લાવેલા પાત્રને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૧
૧૫૧
વિવેચન :
સાધુને પાત્રની ગવેષણા માટે અર્ધયોજન—સાત કીલોમીટરથી વધુ દૂરના ક્ષેત્રમાં જવાનો આચા. સૂત્ર, બ્રુ.-૨, ૬, ઉ.-૧, સૂ.-રમાં નિષેધ છે. તેનું આ (સૂત્ર. ૫) પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. અર્ધયોજનથી વધુ દૂર જવા-આવવામાં વધુ સમય વ્યતીત થાય છે અને સ્વાધ્યાયાદિમાં વિક્ષેપ થાય છે.
=
અપિ :- આચા., બ્રુ.-૨, અ.-૬, ઉ.-૧ સૂત્ર-૪માં અષિક– સામે લાવેલા પાત્રને ગ્રહણ કરવાનો સાધુ માટે નિષેધ છે અને તેનું પ્રાયશ્ચિત્ત કથન ૧૪મા ઉદ્દેશકમાં છે અને વિશેષ પરિસ્થિતિમાં અમિક સામેથી લાવેલા પાત્રને હણ કરવા પડે તો શાસ્ત્રકારે તેની ક્ષેત્ર મર્યાદા અર્ધયોજન એટલે બે ગાઉ અર્થાત્ ૭ કી. મી. ની બતાવી છે. તે મર્યાદાનું ઉલ્લંઘન કરે તો તત્સંબંધી પ્રાયશ્ચિત્ત આ છઠ્ઠા સૂત્રમાં બતાવ્યું છે. સપન્નવાસઃ- જે દિશા કે ક્ષેત્રમાં પાત્ર પ્રાપ્ત થાય તેમ હોય ત્યાં જવાનો માર્ગ સિંહ, સર્પ, ઉન્મત્ત હાથી, પાણી, મહાનદી, વનસ્પતિ વગેરેથી પ્રતિબદ્ધ હોય, રુગ્ણાદિ અવસ્થા હોય અને પાત્રની અત્યંત આવશ્યક્તા હોય તો કોઈ અર્ધ યોજનની અંદરથી લાવીને આપે, તો તેવા 'અભિહડ’ પાત્રને લેવું કહ્યું છે. પણ તેમાં અર્ધયોજનની મર્યાદાનું ઉલ્લંઘન થાય તો આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
ધર્મની નિંદા ઃ
-
| जे भिक्खू धम्मस्स अवण्णं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ધર્મની નિંદા કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.)
વિવેચન :
ધર્મના બે પ્રકાર છે— શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. શ્રુતધર્મ જ્ઞાનરૂપ છે. ચારિત્રધર્મ દેશિવરિત અને સર્વવિરતિ ચારિત્રરૂપ છે.
આ બંને પ્રકારના ધર્મની દેશથી અને સર્વથી નિંદા કરવી, આગમના અમુક કથન નિરર્થક છે, અમુક ક્રિયાઓ નિરર્થક છે, આવા કથનોને શ્રુત-ચારિત્ર ધર્મની નિંદા કહેવાય. દશા., દશા-૯, ગા. ૨૩-૨૪. કહ્યું છે કે શ્રુત-ચારિત્ર ધર્મની નિંદા કરવાથી મંદબુદ્ધિ સાધક સાધનાથી શ્રુત થઈ જાય અને નિંદા કરનારને જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે તીર્થંકર અને ધર્મનો અવર્ણવાદ કરનારાને મહામોહનીય કર્મનો બંધ થાય છે. ધર્મની નિંદા કરનારને આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
અધર્મની પ્રશંસા :
८ जे भिक्खू अधम्मस्स वण्णं वयइ, वयंतं वा साइज्जइ ।
=
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અધર્મની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
હિંસા, અસત્ય, ચોરી વગેરે અઢાર પાપોની તથા હિંસાત્મક ધર્મની પ્રશંસા કરવી, તે અધર્મ
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૫ર |
શ્રી નિશીથ સૂત્ર
પ્રશંસા છે. અધર્મની પ્રશંસા કરવાથી અન્યને પાપકાર્યોની પ્રેરણા મળે છે, મિથ્યાત્વનું પોષણ થાય છે, સામાન્ય વ્યક્તિ મિથ્યાત્વ તરફ પ્રેરાય છે. પરફાસંડ પ્રશંસા સમકિતનો અતિચાર છે– ઉપાસક, અધ્ય.—૧. અધર્મની પ્રશંસાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે સાધુ મૌન રહે, ઉપેક્ષાભાવ રાખે અને અવસર જોઈ શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરે. ગૃહસ્થના શરીરવયવોનું પરિકર્મ| ९ जे भिक्खू अण्णउत्थियस्स वा गारत्थियस्स वा पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा, आमजतं वा पमजतं वा साइज्जइ । एवं तइयउद्देसगमेण णेयव्व जाव... जे भिक्खू गामाणुगाम दूइज्जमाणे अण्णउत्थियस्स वा गारत्थियस्स वा सीसदुवारियं करेइ, करेंत वा साइज्जइ । ભાવાર્થ- જે સાધ કે સાધ્વી એક કે અનેકવાર અન્યતીર્થિક કે ગૃહસ્થના પગ દબાવે કે દબાવનારનું અનુમોદન કરે વગેરે ત્રીજા ઉદ્દેશક પ્રમાણે કહેવું યાવત જે સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સમયે અન્યતીર્થિક અથવા ગૃહસ્થનું મસ્તક ઢાંકે કે ઢાંકનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
ચાર પ્રકારના ગૃહસ્થ અને ચાર પ્રકારના અન્યતીર્થિક ગૃહસ્થના(ગૃહસ્થના પ્રકાર પ્રથમ ઉદ્દેશકના ૧૫મા સૂત્ર અનુસાર જાણવા), પગ દબાવવા આદિ ૫૪ પ્રકારની શરીર સંબંધી પ્રવૃત્તિ સાધુ કરે; તો તેને ગૃહસ્થ સેવાનો દોષ લાગે છે. તેમ કરવાથી સાધુની તેમજ જિનધર્મની લઘુતા થાય છે, વ્યવહાર અશુદ્ધ થાય છે, તેથી તેનું અહીં ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સ્વ-પરને ભયભીત કરવા :१० जे भिक्खू अप्पाणं बीभावेइ, बीभावेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પોતાને ડરાવે અર્થાત્ ભયાક્રાંત કરે કે કરનારનું અનુમોદન કરે, ११ जे भिक्खू परं बीभावेइ, बीभात वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી બીજાને ડરાવે કે ડરાવનારનું અનુમોદન કરે, તેને ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
કોઈપણ વ્યક્તિ ભયમોહનીયના ઉદયથી ભય પામે છે. ભયભીત થવાના નિમિત્તના આધારે તેના ચાર પ્રકાર કહેવામાં આવે છે. યથા– (૧) મનુષ્ય સંબંધી (૨) ભૂત-પિશાચ વગેરે દેવ સંબંધી (૩) સર્પ, સિંહ, પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે તિર્યંચ સંબંધી અને (૪) આકસ્મિક-નિર્દેતુક ભય.
ભયના નિમિત્ત ઉપસ્થિત થાય અને સાધુ ભય પામે કે અન્યને ભયભીત કરે તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૧
[ ૧૫૩ |
ભયભીત થવાના દોષો - ભય પામવાથી અને બીજાને ભયભીત કરવાથી પોતાના અને અન્યના સુખની ઉપેક્ષા થાય છે, અન્ય વ્યક્તિ ભયભીત થાય તે જોઈ પ્રસન્નતા અનુભવતી વ્યક્તિ દિપ્તચિત્ત-ઉન્મત્ત ચિત્તવાળા બની જાય, ભયના કારણે કોઈ વ્યક્તિ રોગિષ્ઠ બની જાય અને કયારેક ભયના કારણે મૃત્યુ પણ પામે, ભયભીત બનવાથી ભૂતાદિનો પ્રવેશ થાય તો અન્ય અનેક દોષો ઉત્પન્ન થાય છે, ભયના કારણે થતી ઉપયોગ રહિત પ્રવૃત્તિઓથી છકાય જીવોની વિરાધનાની સંભાવના રહે છે, માટે સાધુ પોતે ભય પામે નહિ અને અન્યને ભય પમાડે નહિ. સ્વ-પરને વિસ્મિત કરવા - १२ जे भिक्खू अप्पाणं विम्हावेइ, विम्हावेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સ્વયં વિસ્મય(આશ્ચય) પામે અથવા વિસ્મય પમાડનારની અનુમોદના કરે, १३ जे भिक्खू परं विम्हावेइ, विम्हावेंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અન્યને વિસ્મિત (આશ્ચર્યાન્વિત) કરે કે વિસ્મિત કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આશ્ચર્યચકિત થવાનું કે અન્યને કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
ભયાનક પદાર્થો જોવાથી ભય ઉત્પન્ન થાય છે અને અનુપમ, અદષ્ટ, વિશિષ્ટ આકર્ષક પદાર્થો જોતાં કે પ્રસંગો ઉપસ્થિત થતાં આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. કૌતુક ભાવોથી આશ્ચર્ય ઉત્પન્ન થાય છે.
તપોલબ્ધિથી, લબ્ધિ પ્રયોગથી આશ્ચર્યકારી ઘટના બતાવી આશ્ચર્ય ઉત્પન્ન કરી શકાય છે. જાદુ દ્વારા, મંત્ર-તંત્રના પ્રયોગથી, ભૂત-ભવિષ્ય વર્તમાનકાલીન નિમિત્ત વચનથી, પારલેપ વગેરે પ્રયોગથી આશ્ચર્ય ઉત્પન્ન કરી શકાય છે. આવા પ્રયોગો સાંભળ્યા-જોયા ન હોય તેવા અસભૂત પ્રયોગની કલ્પના દ્વારા પોતાને અથવા અન્યને વિસ્મિત કરવાનું પ્રસ્તુત સૂત્રમાં ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે, પરંતુ વાસ્તવિક વિસ્મયકારક પ્રયોગથી પોતાને કે અન્યને વિસ્મિત કરવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત ભાષ્યમાં બતાવ્યું છે. અસંભૂતમાં અસત્ય અને માયાનો અંશ હોવાથી તેનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત છે. વિસ્મિત કરવાના દોષ - હર્ષ અને આશ્ચર્યના અતિરેકમાં સ્વ-પર બંને વિક્ષિપ્ત ચિત્તવાળા–ઉન્મત્ત બની જાય તો સ્ત્રાર્થને હાનિ પહોંચે, સંયમઘાત અને આત્મઘાત પણ થઈ શકે છે, અસભૂત આશ્ચર્યોમાં માયા-મૃષાવાદના દોષ લાગે છે. વિદ્યા સંબંધી આશ્ચર્યો બતાવતા કોઈ વિદ્યાની યાચના કરે અને તેને વિધા આપતાં તે ગ્રહણ કરનાર પાપયુક્ત પ્રવૃત્તિ કરે તો હિંસાદિનો દોષ લાગે. વિદ્યાદિ પ્રયોગમાં પ્રવૃત્ત થવાથી સંયમ-તપની હાનિ થાય માટે સાધુ સદ્દભૂત કે અસભૂત કોઈ પણ વિસ્મિત કરાવનારી પ્રવૃત્તિઓ કરે નહીં. વિપર્યાસ દર્શન - १४ जे भिक्खू अप्पाणं विप्परियासेइ, विप्परियासंतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી પોતાના વાસ્તવિક સ્વરૂપને વિપરીત પણે દેખાડે છે તેમ કરનારનું અનુમોદન કરે,
Page #222
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૪ ]
શ્રી નિશીથ સૂત્ર
१५ जे भिक्खू परं विप्परियासेइ, विप्परियासतं वा साइज्जइ । । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી બીજાના સ્વરૂપને વિપરીત પણે દેખાડે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વ-પરના સ્વરૂપને અન્યરૂપે બતાવવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. નિરિયા :- વિપરીત દેખાડવું. (૧) પોતાની જે અવસ્થા છે, જેમ કે સ્ત્રી, પુરુષ, બાળ, વૃદ્ધ, યુવાન, સરોગી, નીરોગી, સુરૂપ-કુરૂપ વગેરે; તેનાથી વિપરીત અવસ્થા કહેવી કે દેખાડવી તે સ્વવિપર્યાસ કરણ છે. તેમ અન્યની પણ જે અવસ્થા હોય તેનાથી વિપરીત બતાવવી, તે પર વિપર્યાસ કરણ છે. (૨) જે ભાવો જે પ્રમાણે સ્થિત છે, તે ભાવોને અન્યથા પ્રકારે મનમાં સમજે કે ક્રિયામાં ક્રિયાન્વિત કરે, તે પણ વિપર્યાસ કરણ છે. (૩) તે સિવાય બહુરૂપિયાની જેમ વિવિધ રૂપો ધારણ કરવા તે પણ વિપર્યાસ કરણ છે.
વિપર્યાસકરણમાં અસત્યનો દોષ લાગે છે, તેમજ સાધુ જીવનમાં આ પ્રકારની પ્રવૃત્તિ અશોભનીય છે, તેમાં હાસ્યાદિ કષાય કે નોકષાય મોહનીય કર્મ ઉદીપિત થાય છે, તેથી સાધુ આ પ્રકારની કુચેષ્ટા કરે, તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. અન્યમતની પ્રશંસા :१६ जे भिक्खू मुहवण्णं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી (અસભૂત-મિથ્યાધર્માદિની) મુખવર્ણ–પ્રશંસા કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં ખોટી પ્રશંસા કરવાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. મુદવાખ:- મુદ એટલે મુખ સામે, વઘઇ એટલે પ્રશંસા (૧) મુખ સામે પ્રશંસા કરવી, વ્યક્તિની સામે તેની પ્રશંસા કરવી. (૨) જે વ્યક્તિ સામે હોય તેના મિથ્યા ધર્મની કે તે ધર્મના મુખ્ય તત્ત્વોની પ્રશંસા કરવી. (૩) મિથ્યાવાદીઓના સિદ્ધાંતોને મુખની જેમ આદર આપી પ્રશંસા કરવી તે મુખવર્ણન કહેવાય છે. સંક્ષેપમાં મુખવર્ણ એટલે અસતુ ગુણાદિની પ્રશંસા કરવી.
મુખ વર્ણથી– અન્ય ધર્મની પ્રશંસાથી મિથ્યાત્વ અને મિથ્યા પ્રવૃત્તિની પુષ્ટિ થાય, જિન પ્રવચનની પ્રભાવનામાં હાનિ થાય, સાધુની અપકીર્તિ થાય, અસત્ ગુણ કથનથી માયા અને અસત્ય વચનના દોષ લાગે છે, ઇત્યાદિ કારણોથી અહીં તેનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પરસ્પર વિરોધી રાજ્યમાં ગમનાગમન - १७ जे भिक्खू वेरज्ज-विरुद्धरजंसि सज्जं गमणं, सज्ज आगमणं, सज्ज गमणागमणं करेइ, करेंत वा साइज्जइ ।
Page #223
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૧
૧૫૫ ]
ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી પરસ્પર વિરોધી રાજ્ય અર્થાત્ પરસ્પરના રાજ્યમાં ગમનાગમન માટે સમસ્ત પ્રજાજનોમાં નિષેધ જાહેર કર્યો હોય, તેવા રાજ્યોમાં વારંવાર ગમન, વારંવાર આગમન, વારંવાર ગમનાગમન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
બે રાજાઓમાં પરસ્પર વિરોધ ચાલી રહ્યો હોય, એક રાજ્યથી બીજા રાજ્યની સીમામાં જવાનો પ્રતિબંધ હોય તો ત્યાં સાધુએ જવું જોઈએ નહીં. જો ત્યાં જવું આવશ્યક જ હોય તો એકવાર ગમન અથવા આગમન કરે, તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી, પરંતુ વારંવાર ગમન અથવા આગમનમાં અનેક દોષોની સંભાવના રહે છે, તેથી તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૧ સૂ. ૩૭માં આ સંબંધમાં નિષેધ કર્યો છે તથા તે પ્રમાણે કરનારા ભગવદાજ્ઞા તથા રાજાજ્ઞા બન્નેનું ઉલ્લંઘન કરે છે, તેમ કહ્યું છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
વિરુદ્ધ રાજ્યમાં પણ જ્યાં સર્વથા ગમનાગમનનો નિષેધ હોય તેવા રાજ્યમાં સાધુ એકવાર પણ ન જાય અને જ્યાં વ્યાપાર અર્થે જવાની છૂટ હોય તો ત્યાં સાધુ આવશ્યક્તા પ્રમાણે એકાદવાર જઈ શકે છે.
વિરોધી રાજ્યમાં વારંવાર જવાથી સાધુમાં જાસૂસ કે ચરપુરુષ હોવાની શંકા થાય તો સાધુને માર મારે, કેદ કરે, તો સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે. લોકોમાં સાધુની નિંદા થાય, ધર્મની હાનિ થાય, ઇત્યાદિ કારણોથી અહીં તેમ કરવાનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. જો આવશ્યક ન હોય તો ભિક્ષુએ તેવા વિરોધી ક્ષેત્રોમાં વિચરણ ન કરવું જોઈએ. દિવસ ભોજન નિંદા અને રાત્રિ ભોજન પ્રશંસા:| १८ जे भिक्खू दियाभोयणस्स अवण्णं वयइ, वयंत वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી દિવસ ભોજનની નિંદા કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १९ जे भिक्खू राइभोयणस्स वण्णं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી રાત્રિભોજનની પ્રશંસા કરે છે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
સાધુ રાત્રિ ભોજનના સર્વથા ત્યાગી હોય છે.
દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૪માં કથન છે કે ભિક્ષુ રાત્રિ ભોજનના ત્રણ કરણ ત્રણ યોગથી જીવન પર્યત પ્રત્યાખ્યાન લે છે. દશવૈકાલિક સૂત્રમાં પાંચ મહાવ્રત પછી છઠ્ઠ રાત્રિ ભોજન વિરમણ વ્રતનું કથન છે, તે મહાવ્રત જેવી તુલ્યતા સૂચિત કરે છે. દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, દશાશ્રુતસ્કંધ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર વગેરે આગમોમાં અનેક સ્થાને રાત્રિભોજનના ત્યાગનું કથન છે.
દિવસ ભોજનની નિંદા તથા રાત્રિ ભોજનની પ્રશંસા કરવાથી સાધુ રાત્રિ ભોજનના પ્રેરક થાય છે, જેથી ત્રણ કરણ અને ત્રણ યોગથી સ્વીકારેલું રાત્રિ ભોજન પ્રત્યાખ્યાન વ્રત દૂષિત થાય છે અને જિનવાણીથી
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૫૬ |
શ્રી નિશીથ સૂત્ર
વિપરીત પ્રરૂપણા કરવાનો દોષ પણ લાગે છે, તેથી પ્રસ્તુત સૂત્ર દ્વયમાં તેનું ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વિવિધ પ્રકારે રાત્રિ ભોજન -
२० जे भिक्खू दिया असणं पाणं खाइमं साइमं पडिग्गाहेत्ता दिया भुंजइ, भुजंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારના આહારને દિવસે ગ્રહણ કરી, બીજા દિવસે ખાય કે તેમ કરનારનું અનુમોદન કરે,
२१ जे भिक्खू दिया असणं पाणं खाइमं साइमं पडिग्गाहेत्ता रत्तिं भुंजइ, મુંજાત વા લાફા ! ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારના આહારને દિવસે ગ્રહણ કરી રાત્રે ખાય કે તેમ કરનારનું અનુમોદન કરે, | २२ जे भिक्खू रत्तिं असणं पाणं खाइमं साइमं पडिग्गाहेत्ता दिया भुंजइ,
ગત વા સાફm I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારના આહારને રાત્રે ગ્રહણ કરી, દિવસે ખાય કે તેમ કરનારનું અનુમોદન કરે. २३ जे भिक्खू रत्तिं असणं पाणं खाइमं पडिग्गाहेत्ता रत्तिं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અશનાદિ ચારે પ્રકારના આહારને રાત્રે ગ્રહણ કરી. રાત્રે ખાય કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ચૌભંગી દ્વારા રાત્રિ ભોજનનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. રાત્રે લઈ દિવસે વાપરવું અને દિવસે લઈ રાત્રે વાપરવું વગેરે ચારે ય વિકલ્પવાળો આહાર કરવો સાધુને કલ્પતો નથી. અહીં પ્રથમ સુત્રમાં દિવસે લઈ દિવસે વાપરવાનું જે કથન છે તે પહેલા દિવસે લઈને બીજા દિવસે વાપરવા સંબંધી છે. દિવસે લઈ રાત્રે, રાત્રે લઈ રાત્રે આહાર કરે, તે તો સ્પષ્ટરૂપે રાત્રિભોજન જ છે, પરંતુ રાત્રે ગ્રહણ કરાતો આહાર દિવસે વાપરે તો પણ રાત્રે ગ્રહણ થયો હોવાથી તે રાત્રિભોજન જ કહેવાય છે. રાત્રિભોજનના દોષો :- (૧) રાત્રિ ભોજનથી પ્રાણાતિપાત વિરમણ વ્રતાદિ મૂળગુણોની વિરાધના થાય છે. (૨) છઠ્ઠા રાત્રિ ભોજન વિરમણ વ્રતનો ભંગ થાય છે. (૩) રાત્રે આહાર ગ્રહણ કરવા જતાં એષણા સમિતિનું પાલન શક્ય નથી. (૪) લીલ-ફૂગ, કંથવા જેવા સૂક્ષ્મ પ્રાણીઓની વિરાધનાનો સંભવ છે.
મૂળગુણનો ભંગ થતો હોવાથી પ્રત્યક્ષ જ્ઞાનીઓ આહારને વિશુદ્ધ જાણવા છતાં રાત્રે વાપરતા નથી. તીર્થકર, ગણધર તથા આચાર્યો દ્વારા રાત્રિ ભોજન અનાસેવિત છે. તેમાં છઠ્ઠા મૂળગુણની વિરાધના થતી હોવાથી રાત્રિ ભોજન કરવું ન જોઈએ.
Page #225
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૧
[ ૧૫૭]
રાત્રે આહાર રાખવો, વાપરવો - २४ जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा अणागाढे परिवासेइ, परिवासंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અનાગાઢ સ્થિતિ વિશેષ પરિસ્થિતિ(કારણ) વિના અશનાદિ ચાર પ્રકારના આહારને રાત્રે રાખે કે રાખનારનું અનુમોદન કરે, २५ जे भिक्खू परिवासियस्स असणस्स वा पाणस्स वा खाइमस्स वा साइमस्स वा तयप्पमाणं वा भूइप्पमाणं वा बिंदुप्पमाणं वा आहारं आहारेइ, आहारत वा સાફ |
ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી આગાઢ–પરિસ્થિતિવશ રાત્રે રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારમાંથી ત્વપ્રમાણ, ચપટી પ્રમાણ, તૃણ પ્રમાણ કે ભૂતિપ્રમાણ(રાખના કણ જેટલું), બિપ્રમાણ પણ અશનાદિ ચારે પ્રકારના આહારને વાપરે કે વાપરવાનું અનુમોદન કરે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ બે સુત્રમાં અનાગાઢ પરિસ્થિતિમાં રાત્રે આહાર રાખે કે આગાઢ પરિસ્થિતિમાં રાત્રે રાખેલા આહારને વાપરે તો તેના સંબંધી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. આગાઢ-અનાગાઢનું સ્પષ્ટીકરણ :- અનિવાર્ય કારણ ઉપસ્થિત થાય ત્યારે કે કોઈ કાર્ય માટે બીજો ઉપાય જ ન હોય તેવી પરિસ્થિતિ આગાઢ કહેવાય છે અને તેવી કોઈ પરિસ્થિતિ ન હોય, સામાન્ય સ્થિતિને અનાગાઢ કહે છે. સાધુ અનાગાઢ સ્થિતિમાં રાત્રે આહાર રાખે નહિ, આગાઢ પરિસ્થિતિમાં ક્યારેક આહાર રાત્રે રાખવો પડે તો તે રાખેલા આહારને ભોગવે નહિ. સૂત્ર. ૨૪માં અનાગાઢ શબ્દ પ્રયોગ છે કે સામાન્ય પરિસ્થિતિમાં રાત્રે અશનાદિ રાખે તો પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. સૂ. ૨૫માં આગાઢ શબ્દ પ્રયોગ નથી, પરંતુ અર્થપત્તિથી આગાઢ પરિસ્થિતિવશ રાખવાનું થાય છે. આગાઢ પરિસ્થિતિના ઉદાહરણ :- આગાઢ પરિસ્થિતિને સ્પષ્ટ કરતા બે ઉદાહરણ આ પ્રમાણે છે(૧) સાંજે ગોચરી લાવ્યા પછી વાવાઝોડા સહિત વરસાદ આવે, ઘોર અંધકાર વ્યાપી જાય અને તેવી પરિસ્થિતિમાં આહાર વાપરી શકાય નહિ અને સૂર્યાસ્ત થઈ જાય તો (૨) આહાર અધિક માત્રામાં આવી ગયો હોય, વાપરી શકાય તેમ ન હોય, વધારાનો આહાર પરઠવો પડે તેમ હોય અને તે જ સમયે મૂશળ ધાર વરસાદ તૂટી પડે જેથી પરઠવા જવું દુષ્કર બની જાય, તેવી પરિસ્થિતિમાં આહાર રાખવો પડે તો તે આગાઢ પરિસ્થિતિ કહેવાય. આવી પરિસ્થિતિમાં રાત્રે રાખેલા આહારમાંથી જરા માત્ર આહાર સાધુ વાપરે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.
બૃહત્કલ્પ, ઉ.૫, સૂત્ર-૪નાણપત્થ કાજુ કાણુસૂત્રાશના આધારે વ્યાખ્યાકારે રોગાદિ કારણોમાં ઔષધ રૂ૫ દ્રવ્યની પ્રાપ્તિ અત્યંત દુર્લભ હોય, ત્યારે દુર્લભ દ્રવ્ય વગેરેને રાખવા પડે, તેને આગાઢ કારણ કહ્યું છે, પરંતુ આગમમાં રાત્રે કોઈપણ પ્રકારના ખાદ્ય પદાર્થને રાખવાનો સ્પષ્ટ નિષેધ છે.
હિં ર જ સુષ્યના અનુમાવે જ સંગ-દશ. અ.૮, ગાથા-૨૪. સદિં બ બ્લેઝા, નેવાથી સંન– ઉત્ત. અ. ૬, ગાથા–૧૫.
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૫૮ ]
શ્રી નિશીથ સૂત્ર
ને સિયા નાહીને, શિર પવરૂપ સે–દશ. અધ્યયન-૬.
સાધુ અણુમાત્ર, લેશમાત્ર પણ ખાદ્ય પદાર્થનો સંચય કરે નહિ. રોગાદિ વિશેષ પરિસ્થિતિમાં પણ રાત્રે ખાદ્ય પદાર્થ રાખવાની આગમમાં સ્પષ્ટ મનાઈ છે– i fપ ય સમાપ્ત વિયસ ૩ रोगायंके बहुप्पगारम्मि समुपण्णे वाताहिग पित्त जाव जीवियतकरे, सव्वसरीर परितावणकरे, ण कप्पइ तारिसे वि अप्पणो तह परस्स वा ओसहभेसज्ज भत्तपाणं च तं पि सण्णिहीकयं । પ્રશ્નવ્યાકરણ સૂત્ર, શ્રત. ૨, અ. ૫, સૂત્ર-૭. અર્થ - વિધિપૂર્વક સંયમનું પાલન કરનાર જે કોઈ શ્રમણને વાત-પિત્ત સંબંધી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય ત્યારે જીવનનો અંત થઈ જાય કે શરીરનો ત્યાગ થઈ જાય અર્થાત્ મૃત્યુ થઈ જાય તો પણ સાધુ પોતાના કે પરના માટે ઔષધ, ભેષજ આહાર પાણીનો સંચય કરે નહિ અર્થાત્ રાત્રે રાખે નહિ. આ રીતે સુત્રોમાં રાત્રે આહાર રાખવા સંબંધી કોઈ પણ અપવાદ માર્ગ નથી. કોઈ આગાઢ પરિસ્થિતિમાં રાત્રે આહાર રહી ગયો હોય તો તે વાપરવો કલ્પતો નથી.
શ્રી દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, સૂયગડાંગ સૂત્ર આદિ અનેક આગમોમાં અનેક સ્થાને સાધુને માટે રાત્રે સંગ્રહનો સર્વથા નિષેધ કર્યો છે. (૧) દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૩, ગાથા-૩માં સહી એટલે આહારના સંગ્રહ કરવાને અનાચાર કહ્યો છે. (૨) વિમુક્ષેમં તો, તિરૂં સર્વ જયં
જ તે સોદિમિતિ, બાયપુર વોરયા II –દશ. અ-૬, ગાથા–૧૮. (૩) forઉં વ , પુનર્વ ઉપ સંગ |
મુહાનવી અવહે, અન્ન નલિપ II -દશ. અ–૮, ગાથા–૨૪. तहेव असणं पाणगं वा, विविहं खाइमं साइमं लभित्ता । ઢોહી અ સુ કરે વા, સં ગ રે જ દાવ ને સfમહૂ II દશ. અ.–૧૦, ગા.-૮. कय विक्कय सण्णिहिओ विरए । સષ્ય સંવIણ ય ને સfમહૂ ! –દશ. અ. ૧૦, ગાથા-૧૬. चउव्विहे वि आहारे, राइभोयण वज्जणा।
સાહી સંવો રેવ, વનેયષ્યો સુહુર્જર –ઉત્તરા. આ. ૧૯, ગાથા-૩૦. - ઉપરોક્ત આગમ સંદર્ભોથી સ્પષ્ટ થાય છે કે આહાર અને ઔષધિ કોઈ પણ પદાર્થ રાત્રે રાખવા સાધુને કલ્પતા નથી. ભાષ્ય નિર્દિષ્ટ અપવાદિક પરિસ્થિતિમાં પણ અશનાદિ રાખવાથી સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. રોગપરીષહ તથા ક્ષુધા-પિપાસા પરીષહ વિજેતા ભિક્ષુ અપવાદ સ્થાનોનું કદાપિ સેવન ન કરે, પરંતુ નિરતિચાર શુદ્ધ સંયમનું તથા ભગવદાજ્ઞાનું આરાધન કરે. આહારની ઈચ્છાથી અન્યત્ર રાત્રિ નિવાસ કરવોઃ२६ जे भिक्खू... आहेणं वा पहेणं वा हिंगोलं वा संमेलं वा अण्णयरं वा
Page #227
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૧
| ૧૫૯ |
तहप्पगारं विरूवरूवं हीरमाणं पेहाए ताए आसाए, ताए पिवासाए तं रयणि अण्णत्थ उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી વરગૃહનું ભોજન, અર્થાત્ નવવધૂના પ્રવેશના લક્ષ્ય બનાવેલું ભોજન, વધૂગૃહનું ભોજન અર્થાત્ પિતૃ ગૃહે વધુ(કન્યા)ના પુનઃ પ્રવેશ પ્રસંગે બનાવેલું ભોજન, શ્રાદ્ધભોજન, મિત્રો માટે બનાવેલું ભોજન અથવા તેવા પ્રકારના અન્ય કોઈ પણ જાતના ભોજનને લાવતા-લઈ જવાતા જોઈને તે આહારની આશાથી, પિપાસાથી બીજે સ્થાને રાત્રિવાસ માટે જાય અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પુ - આદિ શબ્દોની વ્યાખ્યા આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉદ્દેશક-૪ સુત્ર–૧માં કરી છે. તદનુસાર અહીં અર્થ કર્યા છે તે સિવાય ત્યાં પોતાનો અર્થ યક્ષાદિની યાત્રાનું ભોજન તથા સમેલનો અથે પરિજન આદિના સન્માનાથે બનાવેલું ભોજન પણ થાય છે.
પ્રસ્તુત સુત્રની ચૂર્ણિમાં આ શબ્દોની વૈકલ્પિક વ્યાખ્યાઓ આપી છે. તેનાથી પણ ભાવાર્થમાં કરેલા અર્થની પુષ્ટી થાય છે. હિંગોનં- મૃતક ભોજન, શ્રાદ્ધ ભોજન આદિ. સમેત- વિવાહ સંબંધી ભોજન, ગોષ્ઠી ભોજ-મિત્રોનું ભોજન.
ઉપરોક્ત પ્રસંગે સાધુ આહારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવાતા જુએ અથવા શય્યાદાતાને ત્યાં વિશેષ ભોજનનું આયોજન હોય અને શય્યાતર પિંડ નિષિદ્ધ હોવાથી આ મકાનમાં શય્યાતરનો આહાર ગ્રહણ કરી શકાશે નહીં તેમ વિચારીને આહારની આકાંક્ષાથી તે મકાન છોડીને બીજાને ઘેર રાત્રિયાસ રહેવા ચાલ્યા જાય. તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત આવે છે. તે પ્રકારે કરવામાં આહારની આસક્તિ, લોકનિંદા અથવા અન્ય સંખડી સંબંધી દોષોની સંભાવના હોવાથી ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વ્યાખ્યાકારે શય્યાદાતા ઉપરાંત અન્ય વ્યક્તિના ઘરના ભોજનની આકાંક્ષાથી ગૃહ પરિવર્તન કરવાનું પ્રાયશ્ચિત્ત પણ આ સુત્રથી કહ્યું છે, જેમ કે કોઈ ભક્તિવાળા વ્યક્તિના ઘેર વિશેષ ભોજનનું આયોજન છે અને તે સ્થાન દૂર છે તો તેની નિકટમાં જઈને રાત્રિવાસ કરવો. આ પ્રમાણે શય્યાતર અને બીજા ભોજનની અપેક્ષાએ સ્થાન પરિવર્તન કરવામાં આવે તો તેનું અહીં ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેમ સમજવું જોઈએ.
પ્રસ્તુત સૂત્રમાં મહેન્દ્ર પારેખ ની પૂર્વે આમિષ પરક શબ્દનો પ્રયોગ છે, તે લિપિ દોષથી કે પ્રક્ષિપ્ત થયો હોય, તેમ જણાય છે. આચા, શ્રુ. ૨, અ. ૧, ઉ. ૪, સૂ. ૧ અનુસાર અહીં તે પાઠ ગ્રહણ કર્યો નથી. નૈવેધપિંડ ગ્રહણઃ२७ जे भिक्खू णिवेयणपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નૈવેદ્યપિંડ વાપરે કે વાપનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
દેવી-દેવતાઓને અર્પણ કરવા, મણિભદ્ર-પૂર્ણભદ્ર વગેરે અરિહંત પાક્ષિક દેવોને અર્પણ કરવા માટે જે આહાર બનાવવામાં આવે તે નૈવેદ્યપિંડ કહેવાય છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૦ ]
શ્રી નિશીથ સત્ર
નૈવેધપિંડના પ્રકાર – નૈવેદ્યપિંડના બે પ્રકાર છે. (૧) નિશ્રાકૃત અને (૨) અનિશ્રાકૃત.
નિશ્રાકત– (૧) સાધુને આપવાની ભાવના સાથેનો નૈવેદ્યપિંડ મિશ્રજાત દોષ યુક્ત કહેવાય. (૨) સાધુને આપવાની ભાવનાથી નિયત દિવસને આગળ-પાછળ કરી જે નૈવેદ્યપિંડ બનાવાય તે પાડિયા દોષ યુક્ત કહેવાય અને (૩) નૈવેદ્યપિંડ તૈયાર કર્યા પછી સાધુને દેવા અલગ રાખ્યો હોય તો તે સ્થાપના દોષ યુક્ત કહેવાય. આ ત્રણે પ્રકારના નૈવેદ્યપિંડ “નિશ્રાકૃત નૈવેદ્યપિંડ' કહેવાય છે. તે આહાર મિશ્રજાત, પાડિયા અને સ્થાપના દોષથી દૂષિત હોવાથી તે ગ્રહણ કરે તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
અનિશ્રાકૃત– સાધુના નિમિત્ત વિના સ્વાભાવિક રૂપે જ નિશ્ચિત્ત દિવસે નૈવેદ્યપિંડ બનાવ્યો હોય તો તે અનિશ્રાકૃત નૈવેદ્યપિંડ કહેવાય છે.
આ અનિશ્રાકૃત સ્વાભાવિક નૈવેદ્યપિંડ દેવતાને અર્પિત કર્યા પછી દાનને માટે રાખવામાં આવે છે, તે નૈવેદ્યપિંડ દાનપિંડરૂપ હોવાથી નિશીથ સૂત્રના બીજા ઉદ્દેશકમાં આવેલા દાનપિંડના પ્રાયશ્ચિત્ત સૂત્રોમાં તેનો સમાવેશ થઈ જાય છે અને ત્યાં તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
આ વર્ણનથી જ્ઞાત(જાણ) થાય છે કે આગમ કાળમાં દેવતાઓને અધિક માત્રામાં ખાદ્ય પદાર્થ અર્પિત કરવામાં આવતા હતા. જે પૂજાવિધિ કર્યા પછી દાન રૂપમાં વિતરિત કરવામાં આવતા હતા. સ્વછંદાચારીની પ્રશંસા-વંદના:२८ जे भिक्खू अहाछंदं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સ્વછંદાચારીની પ્રશંસા કરે કે તેમ કરનારનું અનુમોદન કરે. २९ जे भिक्खू अहाछंदं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી સ્વછંદાચારીને વંદન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃયથાઈદના પ્રકાર :- યથાછંદ(સ્વછંદાચારી)ના બે પ્રકાર છે– (૧) પ્રરૂપણા વિષયક યથાછંદ. આગમ વિષયમાં પોતાના મનમાં આવે તેમ, ગમે તેવી પ્રરૂપણા કરવી. (૨) ચારિત્ર વિષયક યથાછંદ. ચારિત્ર વિષયમાં ભગવાનની આજ્ઞાને એક બાજુ મૂકી મનમાં આવે તેમ વર્તે છે. આ બંને પ્રકારના સ્વચ્છેદાચારીની પ્રશંસા કે વંદના કરવાથી તેને પ્રોત્સાહન મળે છે માટે તેનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ઉપલક્ષણથી સ્વચ્છંદાચારીની સાથે શિષ્ય તથા આહાર આદિનું આદાન-પ્રદાન કરે, સંપર્ક રાખે તો પણ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે, તેમ સમજવું જોઈએ.
તેરમા ઉદ્દેશક અનુસાર પાસત્થા આદિ નવ પ્રકારના સાધુઓને વંદના તથા તેમની પ્રશંસા કરવાનું તો લઘચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તેઓની સાથે અન્ય પ્રકારે સંપર્ક રાખવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્તનું કથન અન્ય ઉદ્દેશકોમાં છે, પરંતુ સ્વચ્છેદાચારી સાધુ ઉસૂત્ર પ્રરૂપક હોવાથી તેની સાથે કોઈ પણ પ્રકારના સંપર્કનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેમ સમજાય છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૧
[૧૧]
અયોગ્યને પ્રવૃતિ કરવા - ३० जे भिक्खू णायगं वा अणायगं वा उवासगं वा अणुवासगं वा अणलं पव्वावेइ, पव्वावेत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી દીક્ષા માટે અયોગ્ય એવા સ્વજન કે પરજનને, શ્રાવક કે અશ્રાવકને દીક્ષા આપે કે આપનારનું અનુમોદન કરે. ३१ जे भिक्खू णायगं वा अणायगं वा उवासगं वा अणुवासगं वा अणलं उवट्ठावेइ, उवट्ठावेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી દીક્ષાને અયોગ્ય એવા સ્વજન કે પરજનને, શ્રાવક કે અશ્રાવકને દીક્ષા ભૂલથી અપાઈ ગઈ હોય અને ત્યાર પછી તેની જાણ થવા છતાં તેને વડી દીક્ષા આપે કે આપનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અયોગ્ય વ્યક્તિને દીક્ષા, વડી દીક્ષા આપવાથી દીક્ષાદાતાને આવતા પ્રાયશ્ચિત્તનું કથન છે. દીક્ષા માટેના ઉમેદવારની બરાબર તપાસ-કસોટી કરી તેની યોગ્યતાનો નિર્ણય કરવો તે દીક્ષાદાતાનું કર્તવ્ય છે. આવી તપાસ ન કરે તો તે દીક્ષાદાતાનો પ્રમાદ છે. અયોગ્ય વ્યક્તિને દીક્ષા આપવાથી શાસનની હીલણા-નિંદા થાય માટે અહીં અયોગ્ય વ્યક્તિને દીક્ષા આપવાનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. કદાચ ભૂલથી અયોગ્ય વ્યક્તિને દીક્ષા અપાઈ ગઈ હોય અને પછી સાથે રહેવાથી અયોગ્યતાનો ખ્યાલ આવે તો વડી દીક્ષા આપવી ન જોઈએ, પણ ખ્યાલ આવવા છતાં વડી દીક્ષા આપે તો તેનું પ્રાયશ્ચિત્ત પ્રસ્તુત સૂત્રમાં કહ્યું છે. અયોગ્ય પાસે વૈયાવૃત્ય કરાવવી :३२ जे भिक्खू णायगेण वा अणायगेण वा उवासएण वा अणुवासएण वा अणलेणं वेयावच्चं कारवेइ, कारवंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અયોગ્ય-અસમર્થ સ્વજન, પરજન, ઉપાસક, અનુપાસક એવા દીક્ષિત ભિક્ષુ પાસે સેવા કરાવે કે સેવા કરાવનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અયોગ્ય સાધુ પાસે સેવા કરાવવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પ્રસ્તુત સૂત્રમાં સાધુપદ અધ્યાહાર છે. પૂર્વસૂત્રમાં અયોગ્ય સ્વજન-પરજન ઉપાસક-અનુપાસક(અશ્રાવક)ને દીક્ષા આપવાનું કથન છે. તેવા અયોગ્ય દીક્ષિત સાધુની સેવા લેવાનું પ્રાયશ્ચિત્ત પ્રસ્તુત સૂત્રમાં કહ્યું છે.
સેવા કાર્ય અનેક પ્રકારના હોય છે પરંતુ ભાષ્યકારે આ સૂત્રમાં માત્ર ભિક્ષાચરીની અપેક્ષાએ અયોગ્યનું વર્ણન કર્યું છે. તે અયોગ્ય સાધુના ચાર પ્રકાર છે– (૧) જેણે પિડેષણાનું અધ્યયન કર્યું ન હોય, (૨) જેને સેવાકાર્યમાં શ્રદ્ધા-રુચિ ન હોય, (૩) જેણે પિડેષણા અધ્યયનના અર્થ-પરમાર્થ જાણ્યા ન હોય. (૪) જે દોષોનો પરિહાર કરી શકતો ન હોય.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧દર |
શ્રી નિશીથ સૂત્ર
ઉપરોક્ત પ્રકારના અયોગ્ય સાધુ પાસેથી ભિક્ષાચરી સંબંધી સેવા કાર્ય કરાવવાથી મુખ્ય સાધુને કે પદવીધરને પ્રાયશ્ચિત્ત આવે છે. શારીરિક શક્તિથી સક્ષમ અને ક્ષયોપશમ યોગ્ય એવા સાધુ પાસે સેવા કાર્ય કરાવવું ઉચિત છે. શક્તિ અને યોગ્યતાથી વધુ સેવાકાર્ય કરાવવાથી અનેક દોષોની સંભાવના રહે છે, આ કારણે પ્રસ્તુત સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાધુ-સાધ્વીઓને સહ સંવાસઃ३३ जे भिक्खू सचेले सचेलाणं मज्झे संवसइ, संवसंत वा साइज्जइ । ભાવાર્થ-જે સચેલ ભિક્ષુ સચેલ સાધ્વીઓની સાથે રહે કે રહેનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू सचेले अचेलाणं मज्झे संवसइ, संवसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સચેલ ભિક્ષુ અચેલ સાધ્વીઓની સાથે રહે કે રહેનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू अचेले सचेलाणं मज्झे संवसइ, संवसंत वा साइज्जइ । ભાવાર્થ- જે અચેલ ભિક્ષુ સચેલ સાધ્વીઓની સાથે રહે કે રહેનારનું અનુમોદન કરે, ३६ जे भिक्खू अचेले अचेलाणं मज्झे संवसइ, संवसंतं वा साइज्जइ । ભાવાર્થ-જે અચેલ ભિક્ષુ અચેલ સાધ્વીઓની સાથે રહે કે રહેનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
(૧) બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક–૧માં સાધુને સ્ત્રીયુક્ત સ્થાનમાં અને સાધ્વીને પુરુષયુક્ત સ્થાનમાં રહેવાનો નિષેધ છે. બૃહત્કલ્પ., ઉ. ૩, સૂ. ૧|રમાં સાધુને સાધ્વીના અને સાધ્વીને સાધુના ઉપાશ્રયમાં રહેવાનો કે સ્વાધ્યાયાદિ ક્રિયા કરવાનો આદિનો નિષેધ છે. તે ઉપરાંત સાધુ-સાધ્વીને બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષા માટે વિવિક્ત શય્યા-આસનના ઉપયોગનું કથન છે. શ્રી ઠાણાંગ સૂત્રના દશમા સ્થાનમાં તેના અપવાદનું કથન છે. કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં ગીતાર્થ ગુરુની આજ્ઞાપૂર્વક સાધુ-સાધ્વી સાથે રહી શકે છે. આ રીતે આગમોમાં સૂત્રોક્ત વિષય માટે ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું કથન છે. પ્રસ્તુત સૂત્રોમાં ઉત્સર્ગ માર્ગે- કોઈપણ અનિવાર્ય કારણ વિના પણ સચેલ કે અચેલ સાધુ-સાધ્વી સાથે રહે, તો તેનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. રાત્રે મીઠું આદિ રાખવું - |३७ जे भिक्खू परियासियं पिप्पलिं वा पिप्पलिचुण्णं वा मिरियं वा मिरियचुण्णं वा सिंगबेरं वा सिंगबेरचुण्णं वा बिलं वा लोणं, उब्भियं वा लोणं आहारेइ, आहारेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રાત્રે રાખેલા પીપર, પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, સૂંઠ, સૂંઠચૂર્ણ, બલવણ મીઠું કે ઉભિજ લવણ (મીઠું) ખાય કે ખાનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૧
૧૬૩
વિવેચનઃ
લવણ આદિનો સંગ્રહ કરવાનો નિષેધ દશ., અ.-૬, ગાથા-૧૮, ૧૯માં છે અને આહારાદિ પાસે રાખવાનો નિષેધ અન્ય અનેક આગમોમાં છે. રાત્રે વાપરવાથી અથવા રાત્રે રાખેલા પદાર્થને દિવસે વાપરવાથી પણ મૂળ ગુણરૂપ રાત્રિ ભોજન વિરમણ વ્રતનો ભંગ થાય છે. બધા પ્રકારના રાત્રિ ભોજનનું પ્રાયશ્ચિત્ત વિધાન સૂત્ર–ર૦ થી ૨૩ સુધીની ચૌભંગીમાં સમાવિષ્ટ છે.
પ્રસ્તુત સૂત્રમાં પુનઃ રાત્રિ ભોજન સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેનું કારણ એ છે કે અશન, પાન, આદિ પદાર્થ ભૂખ-તરસને શાંત કરનારા છે, પરંતુ લવણાદિ પદાર્થોમાં તે ગુણ નથી. આ ભિન્નતાના કારણે તેનું પૃથક પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પિવૃતિ– ઔષધિ વિશેષ–પીપર, પીપરી મૂળ. ખિરીય– (મરચું–મરી) આ અનેક પ્રકારના હોય છે. લાલ મરચા, કાળા મરી, ધોળા મરી. અનેક પ્રતિઓમાં મિરીય મિરીયન્તુળ વા આ શબ્દો પ્રાપ્ત થતાં નથી, પરંતુ ચૂર્ણિકારની સામે આ શબ્દ મૂળ પાઠમાં હતા, એમ પ્રતીત થાય છે. તેથી આ શબ્દોને મૂળ પાઠમાં ગ્રહણ કર્યા છે. પીપર અને મરી(મરચા) બંને સચિત્ત પદાર્થ છે, પરંતુ અનેક સ્થાને આ પદાર્થ શસ્ત્ર પરિણત પણ પ્રાપ્ત થાય છે.
सिंगबेरं : :– આદુ સૂકાઈ જાય ત્યારે સૂંઠ કહેવાય છે, જે અચિત્ત છે. સૂત્રોક્ત પીપર આદિ આ ત્રણે ય પદાર્થના અચિત્ત ચૂર્ણ પણ અનેક સ્થાને સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે.
વિત્ત વા તોળ :- પકાવેલું મીઠું, ધ્મિય વા તોળ – અન્ય શસ્ત્ર પરિણત મીઠું. આ બંને પ્રકારનું મીઠું અચિત્ત છે.
બાલમરણની પ્રશંસા ઃ
| ३८ जे भिक्खू गिरिपडणाणि वा मरुपडणाणि वा भिगुपडणाणि वा तरुपडणाणि वा गिरिपक्खंदणाणि वा मरुपक्खंदणाणि वा भिगुपक्खंदणाणि वा तरुपक्खंदणाणि वा जलपवेसाणि वा जलणपवेसाणि वा जलपक्खंदणाणि वा जलणपक्खंदणाणि वा विसभक्खणाणि वा सत्थोपाडणाणि वा वलयमरणाणि वा वसट्टमरणाणि वा तब्भवमरणाणि वा अंतोसल्लमरणाणि वा वेहाणसमरणाणि वा गिद्धपुट्ठमरणाणि वा अण्णयराणि वा तहप्पगाराणि बालमरणाणि पसंसइ, पसंसंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अनुग्धाइयं ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી (૧) પર્વત પરથી પડીને કે દશ્ય સ્થાન પરથી પડીને (૨) મરુભૂમિ પર પડીને અથવા અદશ્ય સ્થાન પરથી પડીને (૩) ખાઈ-કૂવા આદિમાં પડીને (૪) વૃક્ષ ઉપરથી પડીને (૫) પર્વત ઉપરથી કે દશ્ય સ્થાન પરથી કૂદકો મારીને (૬) મેરુભૂમિમાં અથવા અદશ્ય સ્થાન પરથી કૂદકો મારીને (૭) ખાડાવાળા કૂવા આદિમાં કૂદીને પડીને (૮) વૃક્ષ ઉપરથી કૂદીને (૯) જલમાં પ્રવેશ કરીને (૧૦) અગ્નિ સ્નાન કરીને (૧૧) જલમાં કૂદી પડીને (૧૨) અગ્નિમાં કૂદી પડીને (૧૩) વિષભક્ષણ કરીને (૧૪) તલવાર આદિ શસ્ત્રના વાર કરીને (૧૫) ગળું દબાવીને (૧૬) વિરહ વ્યથાથી પીડિત થઈને
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ]
શ્રી નિશીથ સૂત્ર
(૧૭) વર્તમાન ભવને ફરી પ્રાપ્ત કરવાના સંકલ્પથી નિદાન કરીને (૧૮) તીર, ભાલા, આદિથી વિંધાઈને (૧૯) વેહાનસ- ગળે ફાંસો ખાઈને (૨૦) ગીધ આદિ પક્ષીથી શરીરનું ભક્ષણ કરાવીને તથા આ પ્રકારના આત્મઘાત રૂપ અન્ય કોઈ પણ બાલ મરણોની પ્રશંસા કરે છે અથવા પ્રશંસા કરનારની અનુમોદના કરે છે, તેને ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકમાં વર્ણિત ૯૧ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૦ પ્રકારના બાલમરણ(આત્મહત્યા)ની પ્રશંસા કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
ભગ, શ.-૧૩, ૬-૭, સૂ.-૮૧માં; ઠાણાંગ સૂત્ર, સ્થા.-૨, -૪, સૂ.-૧૧માં, આ ૨૦ પ્રકારના મરણોને ૧૨ પ્રકારનાં મરણોમાં સમાવિષ્ટ કર્યા છે. નિશીથ ચૂર્ણિમાં પણ કહ્યું છે– આ બાર પ્રકારનાં બાલ મરણોમાંથી કોઈ પણ બાલ મરણની પ્રશંસા કરવાનું ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પ્રારંભના ચાર મરણોમાં પડીને મરવાની' સમાનતા હોવાથી એક મરણ ભેદ થાય છે. ત્યાર પછી ચાર મરણોમાં “કુદીને મરવાની સમાનતા હોવાથી તેમનો પણ એક ભેદ થાય છે. એવી રીતે નવમાં અને દસમા મરણનો એક તથા અગિયારમા અને બારમા મરણનો એક ભેદ થાય છે. આ રીતે બાર મરણોને બદલે ચાર મરણ ભેદ થઈ જાય છે અને શેષ વિષભક્ષણાદિ આઠ મરણના આઠ ભેદ ગણવાથી કુલ બાર ભેદોનો સમન્વય થઈ જાય છે.
આચા, શ્ર.-૧, અ.-૮, ઉ.-૪માં બ્રહ્મચર્ય રક્ષાને માટે વૈહાનસ મરણ સ્વીકારવાનું વિધાન છે અને તે આત્મા માટે હિતકારી અને કલ્યાણકારી છે. સંયમ અથવા શીલની રક્ષાને માટે વૈહાનસ મરણ કે અન્ય કોઈ પણ પ્રકારના મરણથી શરીરનો ત્યાગ કરવો તે બાલ મરણ નથી.
આ ૧૨ અથવા ૨૦ પ્રકારના બાલ મરણ આત્મઘાત કરવાની વિભિન્ન પદ્ધતિ છે. અજ્ઞાની જીવો દ્વારા કષાયવશ તેનો સ્વીકાર કરવામાં આવે છે, તેથી તેને બાલ મરણ કહે છે. બાલ મરણોની પ્રશંસાથી થતા દોષ :- (૧) બાલ મરણની પ્રશંસા કરવાથી સાંભળનારા કોઈ વિચારે કે “અહો આ આત્માર્થી સાધુ” આવા મરણોની પ્રશંસા કરે છે, તો તે વાસ્તવમાં કરવા યોગ્ય લાગે છે, તેમાં કોઈ દોષ નહીં હોય. (૨) સંયમથી ખિન્ન કોઈ સાધક આ પ્રકારે સાંભળીને બાલ મરણ સ્વીકાર કરી શકે છે, ઇત્યાદિ દોષોની ઉત્પત્તિનું કારણ હોવાથી સાધએ બાલ મરણની પ્રશંસા કરવી ન જોઈએ.
આ મરણની પ્રશંસા કરવી પણ અકલ્પનીય છે, તો આ મરણનો સંકલ્પ અથવા પ્રવૃત્તિ કરવાનો નિષેધ સ્વતઃ સિદ્ધ જ થઈ જાય છે, માટે મુમુક્ષુ સાધક આ પ્રકારના મરણની કદાપિ ઇચ્છા ન કરે, પરંતુ આવા કારણો ઉપસ્થિત થાય ત્યારે સમભાવ અને શાંતિની વૃદ્ધિ માટે સાધના કરે તથા સંલેખના રૂપ પંડિત મરણનો સ્વીકાર કરે. તેમ કરવામાં સંયમની શુદ્ધિ અને આરાધના થઈ શકે છે, પરંતુ દુઃખોથી ગભરાઈને અથવા તીવ્રકષાયથી પ્રેરિત થઈને બાલ મરણનો સ્વીકાર કરવાથી પુનઃપુનઃ દુઃખ પરંપરાની જ વૃદ્ધિ થાય છે.
પ્રસ્તુત ઉદ્દેશકના ૩૮ સુત્રોમાં ૯૧ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૧
૧૬૫
સૂત્ર ક્રમ
પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા
૨૪-૨૫
સૂત્ર ક્રમ | પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા ૧ થી ૪ ૫-૬ ૭-૮
૫૪ ૧૦ થી ૧૫
૧૬ ૧૭ ૧૮ થી ૨૩
૨૭ ૨૮-૨૯
|
૩૦-૩૧
- ૩ર ૩૩ થી ૩૬
૩૮ કુલ સૂત્ર – ૩૮
| કુલ પ્રાયશ્ચિત્ત સ્થાન –૯૧
+ અગિયારમો ઉદ્દેશક સંપૂર્ણ |
Page #234
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી નિશીથ સૂત્ર
બારમો ઉદેશક | પરિચય છROCRORROROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૪૪ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા– ત્રસ પ્રાણીઓને બાંધવા કે છોડવા, વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવો, પ્રત્યેક કાય મિશ્રિત આહાર કરવો, સરોમચર્મનો ઉપયોગ કરવો, ગૃહસ્થના વસ્ત્રાચ્છાદિત તૃણના બાજોઠ આદિ પર બેસવું, સાધ્વીની પછેડી ગૃહસ્થ પાસે સીવડાવવી, પૃથ્વી આદિ પાંચ સ્થાવરકાયિક જીવોની કિંચિત્ માત્ર વિરાધના કરવી, સચિત્ત વૃક્ષ ઉપર ચઢવું, ગૃહસ્થના વાસણોમાં આહાર કરવો, ગૃહસ્થના વસ્ત્ર પહેરવા, ગૃહસ્થની શય્યાદિ ઉપર બેસવું, ગૃહસ્થની ચિકિત્સા કરવી.
પૂર્વકર્મ દોષયુક્ત આહાર ગ્રહણ કરવો, ઉદક ભાજન (ગૃહસ્થને પાણી ભરવાના કે ઉલેચવાના વાસણ)થી આહાર ગ્રહણ કરવો, દર્શનીય સ્થળોને જોવા જાવું, મનોહર રૂપોમાં આસક્ત થવું, પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહારને ચોથા પ્રહરમાં વાપરવા, બે ગાઉ ઉપરાંત આહાર-પાણી લઈ જઈને તેનો ઉપભોગ કરવો, છાણ અથવા લેપ્ય પદાર્થ રાત્રે લગાવવા અથવા રાત્રે રાખીને દિવસે લગાવવા, ગૃહસ્થ પાસે ઉપધિ વહન કરાવવી તથા તેને આહાર આપવો, મોટી નદીઓને મહિનામાં એક વારથી અધિક વાર પગે ચાલીને અથવા નાવાદિથી તરીને પાર કરવી ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૨
[ ૧૭ ]
- બારમો ઉદ્દેશક - El.El.E ૪૪ લઘ ચોમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન VIE/E)
ત્રસ પ્રાણીઓને બાંધવા, છોડવા - | १ जे भिक्खू कोलुणवडियाए अण्णयरं तसपाणजायं, तणपासएण वा मुंजपासएण वा कट्ठपासएण वा चम्मपासएण वा वेत्तपासएण वा रज्जुपासएण वा सुत्तपासएण वा बंधइ, बंधत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કરુણા ભાવથી કોઈ ત્રસ પ્રાણીને તૃણ, મુંજ, કાષ્ઠ, ચર્મ, નેતર, રજૂ કે સૂતરના બંધનથી બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू कोलुणवडियाए अण्णयरं तसपाणजायं, तणपासएण वा जाव सुत्त- पासएण वा बद्धेल्लयं मुंचइ मुंचतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કરુણા ભાવથી તૃણ વાવસૂતરના બંધનથી બંધાયેલા કોઈ પણ ત્રણ પ્રાણીને મુક્ત કરે કે મુક્ત કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પશુઓને બાંધવા-છોડવા વગેરે કાર્ય ગૃહસ્થના છે, તે સંયમ સમાચારી વિહિત નથી, તેથી કરુણા ભાવ સાથે પણ આ પ્રકારની મર્યાદા ભંગના કાર્યો થાય તો તેનું અહીં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સોનુણપડિયા - લુણં વરુષ્ય, મહુવા ચૂર્ણિકારે સુઇ શબ્દનો અર્થ કરુણા અથવા અનુકંપા કર્યો છે. (૧) સાધુ પશુ આદિના વાડાની નજદીક રહ્યા હોય અને ગૃહસ્વામી કોઈ કાર્ય અર્થે અન્ય સ્થાને ગયા હોય. તે સમયે કોઈ પશુ વાડામાંથી બહાર નીકળી જતાં હોય તો તેને બાંધવા અથવા ગૃહસ્વામી બહાર જતાં સમયે એમ કહે કે “અમુક સમય પછી આ પશુઓને છોડી નાખજો અથવા બહારથી અમુક સમયે પશુઓ આવશે ત્યારે તેને બાંધી દેજો” તો તે પશુઓને બાંધવા કે છોડવા, તે શય્યાતર પરનો મોહયુક્ત કરુણા ભાવ છે. (૨) બાંધેલા પશુ બંધનથી મુક્ત થવાને માટે ધમપછાડા કરતાં હોય, તેને બંધનથી મુક્ત કરવા અથવા છૂટા પશુને નિયત સ્થાને બાંધવા, એ પશુ પ્રત્યેનો કરુણા ભાવ છે. પશને બાધવા-છોડવાના દોષો :- ભિક્ષુ મુધાજીવી હોય છે તથા નિઃસ્પૃહ ભાવથી સંયમ પાલન કરે છે, તેથી કરુણા ભાવથી ગૃહસ્વામીનું કાર્ય કરવું, એ તેની શ્રમણ સમાચારીથી વિપરીત છે.
પશુને બાંધવાથી તે બંધનથી પીડિત થાય, આકુળ-વ્યાકુળ થાય, તેથી તજ્જન્ય હિંસાનો દોષ લાગે છે. બંધનથી મુક્ત કરતાં તે પશુ કોઈનું નુકસાન કરે, ખોવાય જાય અથવા જંગલમાં ચાલ્યા જાય અને ત્યાં વન્ય પશુ તેને મારી નાખે તો તે સંબંધી દોષ લાગે છે માટે ભિક્ષુએ આ પ્રકારના અસમાધિજન્ય સ્થાનમાં રહેવું ન જોઈએ, કારણ વશ રહેવું પડે તો નિઃસ્પૃહ ભાવથી રહેવું.
Page #236
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી નિશીથ સૂત્ર
અગિયારમા ઉદ્દેશકમાં સેવા ભાવનાથી અથવા મોહભાવથી ગૃહસ્થના કાર્ય કરવાનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પશુઓને બાંધવા-છોડવા આદિ સંયમ સમાચારીથી વિહિત નથી. તે કાર્યો ગૃહસ્થોના જ છે, તેમ છતાં કોઈ વિશેષ પરિસ્થિતિ વશ જીવદયા–અનુકંપા ભાવથી કોઈ ભિક્ષુ તથાપ્રકારના કાર્યો કરે તો તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત અને ગૃહસ્થના અનુરાગ કે મોહથી કરે તો તેને ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
અનુકંપા સમ્યકત્ત્વનું મુખ્ય લક્ષણ છે, તેમ છતાં સાધુ, ગૃહસ્થ જીવનના અનેક કાર્યોમાં ગૂંચવાઈ ન જાય, તે માટે તેના સંયમી જીવનની અનેક મર્યાદાઓ છે અને મર્યાદાનું પાલન કરવામાં જ સાધુ જીવનની સુરક્ષા છે. પ્રત્યાખ્યાન ભંગ - | ३ जे भिक्खू अभिक्खणं-अभिक्खणं पच्चक्खाणं भंजइ, भंजतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પ્રત્યાખ્યાનનો વારંવાર ભંગ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવો, તે શબલ દોષ છે, તેમ દશાશ્રુતસ્કંધની બીજી દશામાં કહ્યું છે.
મરણાં–વારંવાર. ભાષ્યકારે ભાષ્યમાં કહ્યું છે કે જે સાધુ ત્રીજીવાર પ્રત્યાખ્યાન ભંગ કરે તો સત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. અહીં પ્રત્યાખ્યાનથી ઉત્તરગુણરૂ૫ નમુક્રવાર સહિયે (નવકારશી) આદિ પ્રત્યાખ્યાનનો અધિકાર સમજવો જોઈએ. પ્રત્યાખ્યાનની ઉપેક્ષા કરી, સંકલ્પપૂર્વક પ્રત્યાખ્યાનનો ત્રણ કે તેનાથી વધુવાર ભંગ કરે તે બહુ કહેવાય છે.
પ્રત્યાખ્યાનનો ભંગ કરવાથી અપ્રતીતિ-અવિશ્વાસ, અવર્ણવાદ, પ્રસંગદોષ, અદઢતા, માયા, મૃષા, માયા-મૃષા વગેરે દોષ લાગે છે. ભાષ્યમાં કહ્યું છે
अपच्चओ य अवण्णो, पसंग दोसो य अदडता धम्मे ।
માયા ય મુસાવાઝો, દો પપા તોવો ય II ભાષ્ય ગાથા-૩૯૮૮ | (૧) અપ્રતીતિ- જે ઉત્તર ગુણરૂપ પ્રત્યાખ્યાનનો વારંવાર ભંગ કરે છે, તેનામાં લોકોને વિશ્વાસ રહેતો નથી. લોકોને થાય કે ઉત્તર ગુણરૂપ પ્રત્યાખ્યાનનો વારંવાર ભંગ કરે છે તો તે મૂળગુણરૂપ પ્રત્યાખ્યાનનો પણ ભંગ કરતા હશે. આ રીતે અવિશ્વાસને પાત્ર બને છે. (૨) પ્રત્યાખ્યાન ભંગથી સાધુ અને સંઘ બંનેનો અવર્ણવાદ–નિંદા થાય છે. (૩) એકવાર એક પ્રત્યાખ્યાનનો ભંગ કરવાથી અન્ય અનેક પ્રત્યાખ્યાન ભંગનો પ્રસંગ આવે છે. (૪) એકવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવાથી અન્ય પ્રત્યાખ્યાનમાં અને શ્રમણ ધર્મના પાલનમાં દઢતા રહેતી નથી (૫) પ્રત્યાખ્યાન ભંગ કરે અર્થાતુ પ્રત્યાખ્યાન કંઈક કરે અને આચરણ કાંઈક જુદું કરે તો માયાચાર સેવનનો દોષ લાગે છે, જેમ કે– આયંબિલના પ્રત્યાખ્યાન કરી, એકાસણું કરી લે. () કહેવા અને કરવાની ભિન્નતાથી મૃષાવાદનો દોષ લાગે છે, જેમ કે- આજે એકાસણું છે તેમ કહી બે વાર જમી લે તો તે વચન અસત્ય થાય છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૨
૧૬૯
(૭) પ્રત્યાખ્યાન ભંગના અવગુણને છુપાવવા માયાપૂર્વક મૃષાભાષણની સંભાવના પણ છે.
પ્રત્યાખ્યાન ભંગથી સંયમની વિરાધના પણ થાય છે માટે તેનું પ્રાયશ્ચિત્ત વિધાન આ સૂત્રમાં બતાવ્યું છે. પ્રત્યાખ્યાનનું પૂર્ણપાલન શક્ય ન હોય ત્યારે ગીતાર્થ મુનિની આજ્ઞાથી આગારનું સેવન કરે તો પ્રત્યાખ્યાન ભંગ ન કહેવાય અને તે આગાર સેવન પછી ગીતાર્થ મુનિ સમક્ષ તેની આલોચના અને પ્રાયશ્ચિત્ત અવશ્ય કરવા જોઈએ.
પ્રત્યેક કાય મિશ્રિત આહાર વાપરવોઃ
४ जे भिक्खू परित्तकायसंजुत्तं आहारं आहारेइ, आहारेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પ્રત્યેક કાયથી સંયુક્ત મિશ્રિત આહાર વાપરે કે વાપરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
આચા., શ્રુ.૨, અ.૧, ઉ. ૧માં સાધુને સચિત્ત ધાન્યાદિ ખાવાનો નિષેધ છે તથા ચોથા ઉદ્દેશકમાં સચિત્ત ધાન્ય અને બીજ વગેરે ખાવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે, દશમા ઉદ્દેશકમાં અનંતકાય મિશ્રિત આહાર વાપરવાનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કથન છે અને આ સૂત્રમાં પ્રત્યેકકાય મિશ્રિત આહારનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પરિત્તાય સંગુત્ત:- અહીં અસંખ્ય જીવ યુક્ત પ્રત્યેકકાય વનસ્પતિનું કથન છે. થડ, શાખા, પ્રશાખા, છાલ, પાંદડા, પુષ્પ, ફળ વગેરે અસંખ્યાત શરીરી અને અસંખ્યાત જીવવાળા હોય છે. તેને અહીં પરિત્તકાયમાં પ્રત્યેકકાયમાં ગ્રહણ કરવામાં આવ્યા છે. બીજ ધાન્ય વગેરે પણ પરિત્તકાય છે, પરંતુ તેનું કથન ચોથા ઉદ્દેશકમાં છે.
સચિત્ત મીઠું, પાણી-બરફ, પ્રત્યેક શરીરી વનસ્પતિ યુક્ત ખાદ્ય પદાર્થ કે જે શસ્ત્ર પરિણત થયા ન હોય અથવા અચિત્ત થવા યોગ્ય પૂર્ણ સમય વ્યતીત થયો ન હોય, તેવા ખાધ પદાર્થોને પ્રત્યેકકાય સંયુક્ત આહાર કહેવાય છે, જેમ કે– (૧) કોઈ પેય પદાર્થમાં કે અચિત્ત પાણી વગેરેમાં બરફ નાંખ્યો હોય (૨) શાક, દાળ ને અગ્નિ પરથી ઉતાર્યા પછી તેના ઉપર અને ખમણ ઢોકળા વગેરે ઉપર કોથમીર છાંટી હોય (૩) કેટલાક ખાદ્ય પદાર્થ પર સચિત્ત મીઠું નાંખ્યું હોય તો તે પદાર્થ પરિત્તકાય—પ્રત્યેકકાય સંયુક્ત કહેવાય છે.
આ પ્રકારનો કોઈ પણ આહાર ગ્રહણ કર્યા પછી તેની મિશ્રિતતાનો ખ્યાલ આવે તો સાધુ તે આહાર વાપરે નહીં, જો વાપરતાં-વાપરતાં ખ્યાલ આવે તો તરત જ મુખ, હાથ અને પાત્રમાં રહેલો તે સર્વ આહાર પરઠી દે પણ વાપરે નહીં. તેવા ખાદ્ય પદાર્થ વાપરવાથી જીવવિરાધના થાય છે અને પ્રથમ મહાવ્રત દૂષિત થાય છે. તેનું આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
સરોમ ચર્મ ધારણ કરવું ઃ
५ जे भिक्खू सलोमाइं चम्माई अहिट्ठेइ, अहिट्ठेतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રોમ–વાળયુક્ત ચર્મનો ઉપયોગ કરે અથવા કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૦]
શ્રી નિશીથ સુત્ર
વિવેચન :
ઉત્સર્ગ માર્ગમાં સાધુને ચર્મ રાખવું કલ્પતું નથી. બૃહત્કલ્પ, ઉ.—૩, સૂ.-૩માં રુવાંટીવાળા ચર્મના ઉપયોગનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. બીજા ઉદ્દેશકમાં અખંડ ચર્મ ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. કોઈ કારણવશાત્ ચર્મખંડ આવશ્યકતા પર્યત રાખવું તેમજ ઉપયોગમાં લેવું વિહિત છે.
કોઈ વિશેષ પરિસ્થિતિમાં સાધુ સરોમ ચર્મ પણ સૂત્રોક્ત વિધિ પ્રમાણે ઉપયોગમાં લઈ શકે છે, પરંતુ અધિક સમય સુધી રાખી શકતા નથી. સાધ્વીને માટે તો સરોમ ચર્મનો સર્વથા નિષેધ જ છે. સરોમ ચર્મના દોષોઃ- (૧) રોમોમાં અનેક સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થઈ જાય છે. (૨) પ્રતિલેખના સારી રીતે થઈ શકતી નથી. (૩) વરસાદમાં કંથવા અથવા ફલણ થઈ જાય છે. (૪) તાપમાં રાખવાથી તે જીવોની વિરાધના થાય છે.
કોઈ પરિસ્થિતિમાં સરોમ ચર્મ લાવવું પડે તો કુંભાર, લુહાર જે ચર્મખંડ ઉપર આખો દિવસ બેસતા હોય, તેને રાત્રે અનાવશ્યક હોય તો તે લાવવું જોઈએ. રાત્રે રાખીને પાછું દઈ દેવું જોઈએ કારણ કે કુંભાર, લુહાર, આદિને દિવસભર અગ્નિની પાસે કામ કરવાના કારણે તેમાં એકરાત્રિ સુધી જીવોત્પત્તિનો સંભવ રહેતો નથી, તેથી બૃહત્કલ્પ ઉ. ૩માં એક રાત્રિથી અધિક સમય રાખવાનો નિષેધ કર્યો છે.
આ સૂત્રોક્ત લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સાધુને માટે સમજવું જોઈએ, સાધ્વી સરોમ ચર્મનો ઉપયોગ કરે તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. રોમ રહિત ચર્મ વિશેષ પરિસ્થિતિ વશ સાધુ-સાધ્વી લઈ શકે છે અને નિયત સમય સુધી રાખી શકે છે. તેને રાખવાનું સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું નથી પરંતુ ભાષ્યકારે આ સૂત્રના વિવેચનમાં રોમરહિત ચર્મ રાખવાથી સાધુને ગુરુચૌમાસી અને સાધ્વીને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તે અકારણ રાખવાની અપેક્ષાએ કહ્યું છે. વસ્ત્રાચ્છાદિત બાજોઠ ઉપર બેસવું - |६ जे भिक्खू तणपीढगं वा पलालपीढगं वा छगणपीढगं वा वेत्तपीढगं वा कट्ठपीढगं वा परवत्थेणोच्छण्णं अहिढेइ, अहिडेत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના વસ્ત્રથી આચ્છાદિત–ઢંકાયેલા તૃણના, પરાલના, છાણના, નેતરના કે કાષ્ઠના બાજોઠ ઉપર બેસે કે બેસનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
દિઃ ક્રિયાપદથી બેસવું, સૂવું, ઊભા રહેવું આદિ સર્વે ક્રિયાઓનું ગ્રહણ થાય છે. સૂત્રોક્ત બાજોઠ આદિ પ્રાયઃ બેસવાના ઉપયોગમાં આવે છે.
સુત્રમાં તણાદિથી નિર્મિત પીઢ, બાજોઠનું કથન છે. ભિક્ષુને પીઠ-ફલગ, શય્યા-સંસ્કારક ગ્રહણ કરવા કલ્પનીય છે, પરંતુ ગૃહસ્થના વસ્ત્ર જડિત બાજોઠાદિ અકલ્પનીય છે. વસ્ત્ર યુક્ત બાજોઠમાં અપ્રતિલેખના અથવા દુષ્પતિલેખનાજન્ય દોષ તેમજ જીવ વિરાધનાનો સંભવ છે, તેથી વસ્ત્રયુક્ત બાજોઠાદિના ઉપયોગનું લુઘચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૨
[ ૧૭૧ ]
ગૃહસ્થાદિ પાસે સિલાઈ કામ કરાવવું - |७ जे भिक्खू णिग्गंथीए संघाडि अण्णउत्थिएण वा गारथिएण वा सिव्वावेइ सिव्वावेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સાધ્વીની પછેડી સીવડાવે કે સીવડાવનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
સાધુ-સાધ્વીએ પોતાની પછેડીનું સીલાઈ કાર્ય હાથે જ કરવું જોઈએ. પરિસ્થિતિ વશ ગીતાર્થની આજ્ઞા પ્રાપ્ત કરી સાધુ-સાધ્વી પરસ્પર એક બીજા પાસે સીલાઈ કરાવી શકે છે અને ક્યારેક સમીપસ્થ કોઈ સાધુ-સાધ્વી સીલાઈનું કાર્ય કરી શકે તેમ ન હોય, તો ગૃહસ્થ પાસે સીલાઈ કામ કરાવવું પડે, તો ઉદ્દેશક–પ, સૂત્ર–૧૨ પ્રમાણે લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે પરંતુ જો કોઈ સાધુ ગૃહસ્થ પાસે સાધ્વીની પછેડી સીવડાવે તો તેને આ સૂત્રથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
ગૃહસ્થ પાસે વસ્ત્ર સીવડાવવા તે સાધુનો આચાર નથી, તેમ છતાં સાધ્વીની પછેડી સીવડાવવામાં તો બીજા પણ દોષોની સંભાવના છે. ગૃહસ્થ સાધુના બ્રહ્મચર્યમાં શંકિત થાય માટે તેમ ન કરવું, તે જ સાધુ માટે ઉત્તમ છે.
સ્થાવરકાયનો આરંભ:|८ जे भिक्खू पुढविकायस्स वा आउकायस्स वा अगणिकायस्स वा वाउकायस्स वा वणस्सइकायस्स वा, कलमायमवि समारंभइ, समारभत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય અથવા વનસ્પતિકાયની અલ્પ માત્રામાં પણ હિંસા કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્થાવરકાય જીવોની અલ્પ પણ હિંસા થાય તો તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. નમયમવિ – નીતિ તો પ્રમM – અલ્પ માત્રામાં અહીં એકેન્દ્રિય-સ્થાવર જીવોની અલ્પ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આચા., શ્ર.-૧, અ.-૧માં એકેન્દ્રિયની સજીવતા, તેની વિરાધનાના પ્રકાર તથા વિરાધનાના કારણોનું વર્ણન છે. દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૪માં વિરાધના ન કરવાની પ્રતિજ્ઞાનું સ્વરૂપ છે. તેનું અહીં તે જીવવિરાધના રૂપ પ્રતિજ્ઞા ભંગનું પ્રાયશ્ચિત્ત છે.
નિશીથ સૂત્રની ભાષ્ય-ચૂર્ણિ વ્યાખ્યામાં સ્થાવરકાયની વિરાધનાના સ્થાનોનું વિસ્તૃત વર્ણન છે.
સાધુને નવકોટિએ જીવન પર્યત અહિંસા મહાવ્રતનું પાલન કરવાનું હોય છે. તેથી પોતાની દિનચર્યામાં ગોચરી, વિહાર, પ્રતિલેખન, પ્રમાર્જન, પરિષ્ઠાપન આદિ પ્રત્યેક ક્રિયામાં કોઈપણ રીતે સ્થાવર જીવોની વિરાધના થાય નહીં તેનું લક્ષ રાખે. ચાલવું, બેસવું, ઊભા રહેવું, સૂવું, ભાષાપ્રયોગ કરવો અને ભોજન કરવું, આ છ એ ક્રિયાઓ યતનાપૂર્વક કરે. સાધુ પ્રમાદાદિને વશ થઈને ઉપયોગ શૂન્યપણે વર્તન કરે, તો તેના નિમિત્ત પૃથ્વીકાયાદિ જીવોની વિરાધના થાય છે અને તેનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રી નિશીથ સૂત્ર
ગોચરીમાં ગૃહસ્થ દ્વારા પૃથ્વીકાય, અપ્લાય, અગ્નિકાય, વાયુકાય તથા પ્રત્યેક વનસ્પતિકાયની વિરાધના થઈ જાય તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે, અનંતકાયની વિરાધના થઈ જાય તો ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
સાધુ દ્વારા પૃથ્વી આદિ કોઈપણ જીવની વિરાધના થાય તો પ્રસ્તુત સૂત્રથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને અનંતકાયની વિરાધના થાય તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે, તેમ ભાષ્યમાં બતાવ્યું છે. સચિત્ત વૃક્ષ પર ચડવું:
९ जे भिक्खू सचित्त- रुक्खं दुरूहइ, दुरूहंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સચિત્ત વૃક્ષ પર ચડે કે ચડનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સચિત્ત વૃક્ષ પર ચડવાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
સચિત્ત વૃક્ષના પ્રકાર :– સચિત્ત વૃક્ષના ત્રણ પ્રકાર છે. (૧) સંખ્યાત જીવ યુક્ત તાડ વગેરે વૃક્ષ. (૨) અસંખ્યાત જીવ યુક્ત આમ્ર વગેરે વૃક્ષ અને (૩) અનંત જીવ યુક્ત થોર વગેરે. આ સૂત્રથી સંખ્યાત અને અસંખ્યાત જીવવાળા વૃક્ષ પર ચડવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે તેમ સમજવું. અનંત જીવ યુક્ત વૃક્ષો પર ચડવાનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત ભાષ્યમાં કહ્યું છે. અનંતકાયિક થોર આકડા વગેરે વૃક્ષ નાના હોય છે તેના ઉપર ચડવાનો સંભવ નથી પણ તેનો સહારો લે તો ઉપરોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે તેમ સમજવું. આચારાંગ શ્રુ. ૨, અ.૩, ઉ.૩, સૂત્ર ૧૨માં વૃક્ષ પર ચઢવાનો નિષેધ છે, તેનું અહીં પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. પાંચમા ઉદ્દેશકમાં સચિત્ત વૃક્ષની સમીપે ઊભા રહેવા, બેસવા, સ્વાધ્યાય કરવા આદિનું પણ પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ક્યારેક અતિવૃષ્ટિના કારણે પૂર આવે, શ્વાપદ કે ચોરાદિના ભયથી કે અન્ય કોઈ પરિસ્થિતિના કારણે વૃક્ષ પર સાધુને ચડવું પડે, તો આ સૂત્રગત પ્રાયશ્ચિત્ત આવે છે. અકારણ કે વારંવાર ચડવાનો પ્રસંગ આવે તો પ્રાયશ્ચિત્તમાં વૃદ્ધિ થતી જાય છે.
વૃક્ષ ઉપર ચડવાથી :- (૧) વનસ્પતિકાયની વિરાધના થાય અને તે વૃક્ષને આશ્રિત ત્રસ જીવોની વિરાધના થાય. (૨) ચડતાં-ચડતાં ક્યારેક હાથ-પગ છોલાઈ જાય. (૩) નીચે પડે તો અન્ય જીવની વિરાધના થાય. (૪) નીચે પડે અને હાથ-પગમાં વાગે તો આત્મ વિરાધના થાય. (૫) સાધુને વૃક્ષ ઉપર ચડતા જોઈ કોઈને શંકા થાય. (૬) ધર્મ તથા શાસનની નિંદા થાય, માટે સાધુએ વૃક્ષ પર ચડવું ન જોઈએ. ગૃહસ્થના પાત્રમાં આહાર ઃ
१० जे भिक्खू गिहिमत्ते भुंजइ, भुंजंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના પાત્રમાં આહાર કરે કે આહાર કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
સાધુનો આચાર છે કે ગૃહસ્થ જે અશનાદિ આપે તે પોતાના પાત્રમાં ગ્રહણ કરી, પોતાના સ્થાને
Page #241
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૨
૧૭૩ ]
આવીને વાપરે. દશ, અ.-૩, ગા.-૩માં ગૃહસ્થના પાત્રમાં વાપરવાની પ્રવૃત્તિને અનાચાર કહ્યો છે. સૂય. શ્રુત. ૧, અ. ૯, ગાથા–૨૦ તથા દશવૈ. અ. ૬, ગાથા-પ૧, પર અને ૫૩માં ગૃહસ્થના પાત્રમાં સાધુને આહાર કરવાનો નિષેધ કર્યો છે અને તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. ગુહસ્થના પાત્રમાં ખાવાથી-પીવાથી :- (૧) સાધુને પાત્ર આપતા પૂર્વે ગૃહસ્થ વાસણ સાફ કરીને આપે, (૨) સાધુએ ઉપયોગ કરી લીધા પછી ગૃહસ્થ તેને કાચા પાણીથી સાફ કરે છે, તેથી અપ્લાય જીવોની વિરાધના થાય છે. (૩) તે પાણી ફેંકે તેમાં ત્રસ જીવોની વિરાધના થાય છે. આ રીતે પૂર્વકર્મ અને પશ્ચાત્ત કર્મ દોષ લાગે છે. (૪) ગૃહસ્થના વાસણમાં જમે તો ગૃહસ્થના ઘેર જમવાનો પણ પ્રસંગ આવે (૫) ગૃહસ્થ સાધુ માટે અલગ આહાર-પાણીની વ્યવસ્થા કરે તો આધાકર્માદિ અનેક દોષોની પરંપરા વધતી જાય. (૬) ગૃહસ્થ સાધુ માટે નવા વાસણ ખરીદે, ઇત્યાદિ દોષોથી દૂર રહેવા સાધુએ ગૃહસ્થના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. ગૃહસ્થના વસ્ત્રનો ઉપયોગ - |११ जे भिक्खू गिहिवत्थं परिहेइ, परिहेंतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના વસ્ત્રને પહેરે કે પહેરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચોમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
સૂત્રકૃત્તાંગ સૂત્ર, શ્ર.-૧, અ.-૯, ગા.-૨૦માં ગૃહસ્થના વસ્ત્રને ઉપયોગમાં લેવાનો નિષેધ છે, તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. સાધુને આવશ્યક્તા હોય ત્યારે ગૃહસ્થ પાસેથી વસ્ત્ર યાચના કરીને લઈ આવે પરંતુ પાઢીહારા વસ્ત્ર લેવા કલ્પતા નથી. ગૃહસ્થના વસ્ત્રનો ઉપયોગ કરવાથી પૂર્વકર્મ-પશ્ચાત્ કર્મનો દોષ લાગે છે, માટે મુનિ ગૃહસ્થના વસ્ત્ર વાપરે નહીં. ગૃહસ્થના પલંગાદિ પર બેસવું:|१२ जे भिक्खू गिहिणिसेज्जं वाहेइ, वाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના પલંગાદિ પર બેસે કે બેસનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
ઉત્ત. સૂત્ર, અ.–૧૭માં ગૃહસ્થની નિષધા પર બેસનાર, સૂનારા સાધુને પાપ શ્રમણ કહ્યા છે. દશ. સૂત્ર અ.૩ તથા અ. દમાં ગૃહસ્થના પલંગાદિ પર બેસવાને અનાચાર કહ્યો છે. સૂયગડાંગ સૂત્ર, શ્ર.-૧, અ.-૯, ગા-૨૧માં ગૃહસ્થના આસન-પલંગ પર બેસવાનો નિષેધ છે. તેનું જ અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. ગૃહસ્થના આસન દુષ્પતિલેખ કે અપ્રતિલેખ્ય હોય છે. તેના પર સાધુ બેસે તો જીવોની વિરાધના થાય છે. સાધુના બ્રહ્મચર્યનો ભંગ થવાની સંભાવના રહે છે તથા લોકોમાં નિંદા થાય છે, માટે ગૃહસ્થના પલંગ આદિ આસનો પર મુનિ બેસે નહીં.
જો તે આસન કાષ્ઠના હોય, સુપ્રતિલેખ હોય, તો સાધુ જરૂર પ્રમાણે વિવેકપૂર્વક તેનો ઉપયોગ
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ]
શ્રી નિશીથ સૂત્ર
કરી શકે છે, વૃદ્ધ, તપસ્વી, ગ્લાન સાધુને ક્યારેક ગૃહસ્થના આસન પર બેસવાની જરૂર પડે અને બેસે તો તે અપવાદ માર્ગનું પ્રાયશ્ચિત્ત વિધાન નથી. ગૃહસ્થની ચિકિત્સા કરવી:१३ जे भिक्खू गिहितेइच्छं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ગૃહસ્થની ચિકિત્સા કરે અથવા ચિકિત્સા કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
ગૃહસ્થના રોગની ઉપશાંતિ માટે ઔષધ-ભેષજ બતાવવું કે શલ્ય ચિકિત્સા કરાવવી સાધુને કલ્પતી નથી. દશ, અ.-૩, ગા.-૪માં તેને અનાચાર કહ્યો છે, ગૃહસ્થની ચિકિત્સાનો નિષેધ દશ, અધ્ય.-૮, ગા.-૫૦ તથા ઉત્ત., અધ્ય.-૧૫, ગા.-૮માં છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. ગૃહસ્થની ચિકિત્સા કરવાના દોષોઃ- (૧) અનેક પ્રકારની ચિકિત્સાઓમાં સાવધ પ્રવૃત્તિ કરવી પડે તેથી સંયમની વિરાધના થાય છે. (૨) સાવધ સેવનની પ્રેરણા આપવી પડે. (૩) નિર્વદ્ય ચિકિત્સા બતાવે તો પણ સાધુ પાસે ગૃહસ્થનું આવાગમન વધુ રહે અને ચિકિત્સા કરવામાં સમય વ્યય થતાં સ્વાધ્યાયદિની હાનિ થાય, ચિકિત્સા કરતાં કોઈના રોગની વૃદ્ધિ થાય તો અપયશ થાય છે. પૂર્વકર્મ દોષયુક્ત આહાર ગ્રહણઃ१४ जे भिक्खू पुरेकम्मकडेण हत्थेण वा मत्तेण वा दविएण वा भायणेण वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી પૂર્વકર્મ દોષ યુક્ત હાથ, માટીના વાસણ, કડછી અથવા ધાતુના વાસણથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૂર્વકર્મ દોષયુક્ત આહાર ગ્રહણનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. પુરેમ :- ગોચરી વહોરાવતાં પહેલાં થતી હિંસા. સાધુને આહાર આપતા પહેલાં ગૃહસ્થ હાથ, કડછી, અથવા વાસણને સચિત્ત પાણીથી ધોઈને, તે હાથથી કે વાસણાદિથી સાધુને આહાર આપે, તો તે આહાર “પૂર્વકર્મ દોષ યુક્ત” કહેવાય છે. આ દોષ એષણાના “દાયક’ નામના દોષમાં સમાવિષ્ટ થાય છે.
કેટલાક કુળોમાં એવો રિવાજ હોય છે કે હાથ ધોઈને પછી જ ખાદ્ય સામગ્રીનો સ્પર્શ કરે; કેટલાક લોકો શુદ્ધિના સંકલ્પથી વાસણાદિ ધોઈ પછી દાન દેવા ઇચ્છે અને તેમ કરે તો તે આહાર પૂર્વકર્મ દોષ યુક્ત બની જાય છે. દશ., એ. ૫, ઉ.૧, ગા.૩રમાં તથા આચા, શ્રુ.૨, અ.૧, ઉ.૬, સૂત્ર-૩માં પૂર્વકર્મદોષ યુક્ત આહાર લેવાનો નિષેધ છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. પાણીના વાસણથી આહાર ગ્રહણઃ| १५ जे भिक्खू गिहत्थाण वा अण्णउत्थियाण वा सीओदग-परिभोगेण हत्थेण
Page #243
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૨
| ૧૭૫]
वा मत्तेण वा दविएण वा भायणेण वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના કે અન્યતીર્થિકના સચિત્ત જળ પરિભોગના અર્થાત્ સચિત્ત પાણીના વપરાશના કારણે ભીના હાથ, માટીના વાસણ, કડછી કે ધાતુના વાસણથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સચિત્ત પાણીના વપરાશવાળા ભીના પાત્ર આદિથી આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
કોઇ મત્તા સવોનાં રિમુનિ તે બિલકુ ા પતિ ચૂર્ણિ. ગૃહસ્થ જે વાસણથી પાણી લેતા કે પીતા હોય તે વાસણ દ્વારા સાધુને ખાદ્ય પદાર્થ આપે, તો સાધુને તે આહાર લેવો કલ્પ નહિ. પશ્ચાત્ કર્મદોષ - પૂર્વ સૂત્રમાં દાતા ભિક્ષા દેતા પહેલાં હાથ, વાસણ આદિ ધોઈને આપે તો તે પ્રકારના આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને આ સૂત્રમાં ગૃહસ્થ સચેત પાણીથી કાર્ય કરી રહ્યા હોય ત્યારે હાથ આદિ ભીના હોય, તે ભીના હાથથી કે ભીના વાસણથી ભિક્ષા આપે તો પાણીના જીવોની વિરાધના થાય છે, તેનું અહીં પ્રાયશ્ચિત્ત કથન છે. પાણીનું કાર્ય કરતાં ગૃહસ્થ ભીના હાથથી સાધુને વહોરાવ્યા પછી પુનઃ તે જ કામ કરે, તો પાણીના જીવની પુનઃ વિરાધના થાય અને પશ્ચાત્ત કર્મ દોષ લાગે છે તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. વિવિધ સ્થાનોનું દર્શન - १६ जे भिक्खू- वप्पाणि वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वा गड्ढाओ वा दरीओ वा कूडागाराणि वा णूमगिहाणि वा रुक्खगिहाणि वा पव्वयगिहाणि वा रुक्खं वा चेइय कडं, थूभं वा चेइयं कडं, आएसणाणि वा आयतणाणि वा देवकुलाणि वा सहाओ वा पवाओ वा पणियगिहाणि वा पणियसालाओ वा जाणगिहाणि वा जाणसालाओ वा सुहाकम्मंताणि वा दब्भकम्मंताणि वा वद्धकम्मंताणि वा वक्ककम्मंताणि वा वणकम्मंताणि वा इंगालकम्मंताणि वा कट्ठकम्मंताणि वा सुसाणकम्मंताणि वा संतिकम्मंताणि वा गिरिकम्मंताणि वा कंदरकम्मंताणि वा सेलोवट्ठाणकम्मंताणि वा भवणगिहाणि वा चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી (૧) ખેતર (૨) ખાઈ (૩) કોટ (૪) તોરણ (૫) આગળીયો (૬) આગળીયાનું બંધન (૭) ખાડા (૮) ગુફા (૯) કૂટ જેવા મહેલ (૧૦) તલઘર (૧૧) વૃક્ષગૃહ (૧૨) પર્વતગૃહ (૧૩) દેવાધિષ્ઠિત વૃક્ષ-વૃક્ષનું ચેત્યાલય (૧૪) સૂપનું ચેત્યાલય (૧૫) લુહારશાળા (૧૬) ધર્મશાળા (૧૭) દેવાલય (૧૮) સભાગૃહ (૧૯) પરબ (૨૦) દુકાન (૨૧) ગોદામ (રર) યાનગૃહ (૨૩)
Page #244
--------------------------------------------------------------------------
________________
| ૧૭૬ |
શ્રી નિશીથ સૂત્ર
યાનશાળા (૨૪) ચૂનાનું કારખાનું (૨૫) દર્ભના કર્મસ્થાન (૨૬) ચમાર શાળા (૨૭) વલ્કલનું કર્મસ્થાન (૨૮) વનસ્પતિના કર્મસ્થાન (ર૯) કોલસાના કારખાના (૩૦) લાકડાના કારખાના (૩૧) સ્મશાનગૃહ (૩૨) શાંતિકર્મ સ્થાન (૩૩) પર્વતના કર્મસ્થાન (૩૪) ગુફાગૃહ (૩૫) પાષાણ કર્મનું સ્થાન (૩૬) ભવનો અને ગૃહ વગેરે જોવા માટે જાય અને જોવા જનારનું અનુમોદન કરે. १७ जे भिक्खू- कच्छाणि वा दवियाणि वा णूमाणि वा वलयाणि वा गहणाणि वा गहणविदुग्गाणि वा वणाणि वा वणविदुग्गाणि वा पव्वयाणि वा पव्वयविदुग्गाणि वा अगडाणि वा तडागाणि वा दहाणि वा णईओ वा वावीओ वा पुक्खरणीओ वा दीहियाओ वा गुंजालियाओ वा सराणि वा सरपंतियाणि वा सरसरपंतियाणि वा चक्खुदंसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ। ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી (૧) શેરડીના ખેતર કે વાડીઓ (૨) ઘાસના જંગલ (૩) પ્રચ્છન્ન સ્થાનો (૪) ઘાટો (૫) સઘન જંગલો (૬) લાંબી અટવીઓ (૭) એક પ્રકારના વૃક્ષોવાળા વનો (૮) અનેક પ્રકારના વૃક્ષોવાળા વનો (૯) પર્વતો (૧૦) પર્વતોની હારમાળાઓ (૧૧) કૂવાઓ (૧૨) તળાવો (૧૩) દ્રહો (૧૪) નદીઓ (૧૫) ગોળાકાર વાવડીઓ (૧૬) ચોરસ પુષ્કરિણીઓ (૧૭) લાંબી વાવડીઓ (૧૮) પરસ્પર જોડાયેલી વાવડીઓ (૧૯) સરોવરો (૨૦) સરોવરની પંક્તિઓ (૨૧) પરસ્પર જોડાયેલા સરોવરોને જોવા જાય કે જનારનું અનુમોદન કરે, |१८ जे भिक्खू गामाणि वा जाव रायहाणीणि वा चक्खुदंसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી (૧) ગામ (૨) નગર (૩) ખેડ (૪) કર્બટ (૫) મડંબ (૬) પટ્ટણ (૭) દ્રોણમુખ (૮) નિગમ (૯) આશ્રમ (૧૦) સન્નિવેશ અને (૧૧) રાજધાનીને જોવા જાય કે તેમ કરનારનું અનુમોદન કરે, १९ जे भिक्खू गाममहाणि वा जाव रायहाणिमहाणि वा चक्खुदंसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेतं वा साइज्जइ । ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ગામ યાવત્ રાજધાની વગેરેમાં થતાં મહોત્સવોને જોવા જાય કે જોવા જનારનું અનુમોદન કરે, २० जे भिक्खू गामवहाणि वा जाव रायहाणीवहाणि वा चक्खुदंसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી ગામ યાવતુરાજધાનીમાં જીવ વધને જોવા જાય તે જોવા જનારનું અનુમોદન કરે, २१ जे भिक्खू गामपहाणि वा जाव रायहाणीपहाणि वा चक्खुदंसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી ગામ યાવતુરાજધાની વગેરેના માર્ગને જોવા જાય તે જોવા જનારનું અનુમોદન કરે,
Page #245
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૨
| १७७ ।
२२ जे भिक्खू- आसकरणाणि वा हत्थिकरणाणि वा महिसकरणाणि वा वसहकरणाणि वा कुक्कुडकरणाणि वा मक्कडकरणाणि वा लावयकरणाणि वा वट्टयकरणाणि वा तित्तिरकरणाणि वा कवोयकरणाणि वा कविंजलकरणाणि वा चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । भावार्थ :- साधु साध्वी (१) अश्व (२) डाथी (3) मलिष-भेंस (४) ६ (५) ४७ (5) ai (७) साक्षी (८) मत () तेतर (१०) अभूतर (११) यात वगैरेने शिक्षित श्वाना स्थान જોવા જાય અથવા જનારનું અનુમોદન કરે, २३ जे भिक्खू- हयजुद्धाणि वा गयजुद्धाणि वा उजुद्धाणि वा गोणजुद्धाणि वा महिसजुद्धाणि वा मेंढजुद्धाणि वा कुक्कुडजुद्धाणि वा मक्कडजुद्धाणि वा लावयजुद्धाणि वा वट्टयजुद्धाणि वा तित्तिरजुद्धाणि वा कवोयजुद्धाणि वा कविंजलजुद्धाणि वा अहिजुद्धाणि वा सूकरजुद्धाणि वा चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । भावार्थ:-हे साधु साध्वी (१) अश्व युद्ध (२) डाथी युद्ध (3) 62 युद्ध (४) सांद (५) ५ust (5) धेट (७) 55. (८) is (e) 4 (१०) पत (११) तेत२ (१२) भूत२ (१७) यात (१४) सर्पનોળિયા અને (૧૫) ડુક્કર યુદ્ધને જોવા જાય કે જોનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू- जूहियठाणाणि वा हयजूहियठाणाणि वा गयजूहियठाणाणि वा अणियाणि वा वज्झं वा णीणिज्जमाणं पेहाए चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेतं वा साइज्जइ ।। भावार्थ:-हे साधु साध्वी (१) गो (२) अश्व (3) डाथी मने (४) छ।१४ी म°४ (૫) વધ સ્થાને લઈ જવાતા ચોરાદિને જોવા જાય તે જોવા જનારનું અનુમોદન કરે,
२५ जे भिक्ख- अभिसेयठाणाणि आघाइयठाणाणि वा माणुम्माणिय ठाणाणि वा महया-हय-णट्ट-गीय-वाइय-तंती-तल-ताल-तुडिय-घण-मुइंग-पडुप्पवाइयठाणाणि वा चक्खुदसण- वडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । भावार्थ:-हे साधु साध्वी (१) २॥ याभिषे स्थान (२) सभास्थान-भाषस्थान, (3) धान्याहिन। भा५-तोसना स्थान, (४) महान भोट। शथी वात वाद्य, नृत्य, गीत, तंती, स्त न, तास, ત્રુટિત, ઘન, મૃદંગ વગેરે વાજિંત્રોના સ્થાનો જોવા જાય કે જોવા જનારનું અનુમોદન કરે, | २६ जे भिक्खू- कलहाणि वा डिम्बाणि वा डमराणि वा महाजुद्धाणि वा महा संगामाणि वा जूयाणि वा सभाणि वा चक्खुदंसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेतं वा साइज्जइ । भावार्थ:-हे साधु साध्वी (१) सामान्य ४1548, (२) २09-युव२।४ वगैरेन। गृSAS, (3)
Page #246
--------------------------------------------------------------------------
________________
| १७८
શ્રી નિશીથ સત્ર
शत्रुरानो 6पद्रव, (४) शस्त्र वगैरेथी यतुं महायुद्ध, (५) यतुरंगिणी सेना युत महासंग्राम, (5) જુગાર ખાનું, તથા (૬) જન સમૂહના સ્થળને જોવા જાય કે જોવા જોનારનું અનુમોદન કરે, २७ जे भिक्खू-कट्ठकम्माणि वा पोत्थकम्माणि वा चित्तकम्माणि वा लेप्पकम्माणि वा मणिकम्माणि वा दंतकम्माणि वा गथिमाणि वा वेढिमाणि वा पूरिमाणि वा संघाइमाणि वा विविहाणि वेहिमाणि वा [विविहाणिकम्माणि] चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेतं वा साइज्जइ । भावार्थ:- साधु साध्वी (१) आ5 (२) पुस्तभ (3) त्रिभ (४) सध्यम (५) मणि5 (5) इंतजन स्थानो भने (७) सोनी भाणा नावाना, (८) दोन वेष्टित री भागा नावान। () પૂરિમ-ફૂલોથી ભરીને માળા બનાવવાના (૧૦) ફૂલોના સંગ્રહરૂપ ગુચ્છા, ગજરા બનાવવાના, (૧૧) અન્ય વિવિધ વેષ્ટનકર્મના(વિવિધ કારખાનાઓના) સ્થાનોને જોવા જાય તે જોવા જોનારનું અનુમોદન કરે, | २८ जे भिक्खू विरूवरूवेसु महुस्सवेसु इत्थीणि वा पुरिसाणि वा थेराणि वा मज्झिमाणि वा डहराणि वा अणलकियाणि वा सुअलकियाणि वा गायंताणि वा वायंताणि वा पच्चंताणि वा हसंताणि वा रमंताणि वा मोहंताणि वा विउलं असणं वा पाणं वा खाइम वा साइमं वा परिभायंताणि वा परिभुजताणि वा चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અનેક પ્રકારના મહોત્સવો કે જ્યાં સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, પ્રૌઢ, બાળક વગેરે લોકો અલંકૃત થઈને અથવા અલંકૃત થયા વિના ગાતાં, વગાડતાં, નાચતાં, હસતાં, ક્રિીડા કરતાં, મોહિત કરતાં વિપુલ અશનાદિ ચાર પ્રકારના આહાર એક-બીજાને આપતા હોય, ખાતા હોય તેવા મહોત્સવને જોવા જાય કે જોવા જનારનું અનુમોદન કરે, २९ जे भिक्खू समवायेसु वा पिंडणियरेसु वा इंदमहेसु वा जाव आगरमहेसु वा अण्णयरेसु वा विरूवरूवेसु महामहेसु चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મેળા, પિત ભોજનના સ્થળો, ઇન્દ્ર મહોત્સવથી લઈ આકર મહોત્સવ સુધીના સર્વ મહોત્સવો તથા તેવા પ્રકારના અન્ય કોઈ મહોત્સવો જોવા જાય કે જોવા જનારનું અનુમોદન કરે, ३० जे भिक्ख बहसगडाणि वा बहरहाणि वा बहमिलक्खणि वा बहपच्चंताणि वा अण्णयराणि वा विरूवरूवाणि महासवाणि चक्खुदसणवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અનેક બળદ ગાડીઓ, રથો, મ્લેચ્છ કે લૂંટારાઓના સ્થાનો તથા તેવા અન્ય પ્રકારના વિવિધ મહોત્સવોના સ્થાનોને જોવા જાય કે જોવા જનારનું અનુમોદન કરે, ३१ जे भिक्खू इहलोइएसु वा रूवेसु, परलोइएसु वा रूवेसु, दिद्वेसु वा रूवेसु, अदितुसु वा रूवेसु, सुएसु वा रूवेसु, असुएसु वा रूवेसु, विण्णाएसु वा रूवेसु,
Page #247
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૨
[ ૧૭૯ ]
अविण्णाएसु वा रूवेसु सज्जइ, रज्जइ, गिज्झइ, अज्झोववज्जइ, सज्जंतं वा रज्जंतं वा गिज्झंतं वा अज्झोववज्जतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આ લોક સંબંધી, પરલોક સંબંધી, દષ્ટ-અદષ્ટ, શ્રુત-અકૃત, વિજ્ઞાતઅવિજ્ઞાત રૂપોને જોવામાં આસક્ત, અનુરક્ત, વૃદ્ધ કે મૂર્શિત થાય કે આસક્ત, અનુરક્ત, વૃદ્ધ, મૂચ્છિત થનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ સ્થાનો, વ્યક્તિઓ, પશુ-પક્ષીઓ આદિને આસક્તિપૂર્વક જોવા જવાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
કેટલીક પ્રતોમાં સોળમા સૂત્રમાં– (૧) ૩૫ - ઉત્પલ જળાશય વિશેષ, (૨) પનાનાના તળાવ, ખાબોચિયા, (૩) ૩રપ–ધોધ, જળ પ્રવાહ પડતો હોય તેવા સ્થાન, (૪) બારાપર્વતમાંથી નીકળતા ઝરણા; આ ચાર શબ્દ વધુ જોવા મળે છે. આ ચાર શબ્દ તે પ્રતોમાં વિદ્યા પછી છે, પરંતુ આચારાંગ સૂત્રમાં અનેક જગ્યાએ લિપછી પારાનશબ્દ આવે છે. ચૂર્ણિકારે પના પછી પરાળની વ્યાખ્યા કરી છે.
- અહીં આચારાંગ સૂત્ર, શ્રુ. ૨, અ. ૩, ઉ. ૩ અને નિશીથ ચૂર્ણિ અનુસાર પાઠ રાખ્યો છે. અન્ય પ્રતોમાં વિવિધ સ્થાનો જોવા સંબંધી આ ૧૬ સૂત્રોની સંખ્યા અને ક્રમમાં તફાવત જોવા મળે છે, પણ તેમાં તાત્વિક તફાવત નથી. અહીં જે સ્થાનોના નામ આપ્યા છે તે તથા તેવા પ્રકારના કોઈ પણ સ્થાનો જોવા જાય તો પ્રાયશ્ચિત્ત આવે છે.
ચોવીસમા સૂત્રમાં સર્વ પ્રથમ ગૃહિય, ૩દિય, ૩નૂદિય, fમદુનૂદિય ઇત્યાદિ શબ્દો પ્રતોમાં મળે છે. તેમાં નૂદિત્ય શબ્દ જૂથ કે જોડલા અર્થમાં પ્રયુક્ત થાય છે, તેથી અહીં પ્રાપ્ત થતાં શબ્દોના મુખ્ય બે અર્થ થાય છે– (૧) હાથી-ગાય, વગેરેના સમૂહને રહેવાના સ્થાન, (૨) વિવાહ મંડપ.
છવ્વીસમા સૂત્રમાં પ્રયુક્ત કલહ, ડિબ અને ડમર, આ ત્રણે ક્લેશના જ પ્રકાર છે. અન્ય પ્રતોમાં (૧) UT-પરસ્પરના અંતર્લેષ જનિત ઉપદ્રવોના સ્થાનો, (૨) વેfજ–વંશ પરંપરાથી ચાલ્યા આવતા દ્વેષ-વેરથી ઉત્પન્ન કલહના સ્થાનો, (૩) વોલાઈ-કલ-કલ શબ્દ બોલાતા હોય તેવા સ્થાનો; આ ત્રણ શબ્દ વધુ જોવા મળે છે. આચારાંગ સૂત્રમાં (૪) વોરા (૫) વેરાન અને (૬) વિદ્ધવાણિ આ ત્રણ શબ્દ વધુ છે. આ કુલ છ શબ્દોમાંથી પોતાનો સમાવેશ વાદળમાં થઈ જાય છે અને શેષ પાંચ શબ્દો ભાવાત્મક છે અને જોવા વિષયક સ્થાનો સાથે તે ભાવાત્મક શબ્દોની સંગતિ ન હોવાથી તેમજ ભાષ્ય, ચૂર્ણિમાં આ પાંચે શબ્દો ન હોવાથી અહીં પાઠમાં તે શબ્દો લીધા નથી.
સત્યાવીસમા આ સૂત્રમાં થિ-વેદિક વગેરેના ફૂલ સંબંધિત અર્થ કર્યા છે. આચારાંગ તથા અન્ય પ્રતોમાં વસ્ત્રથી વેણન કરવું, તેવો અર્થ પણ જોવા મળે છે. આ સૂત્રમાં કાષ્ઠકર્મ વગેરે ચાર શબ્દ કેટલીક પ્રતોમાં પાછળ આપ્યા છે, અહીં ચૂર્ણિ અનુસાર ક્રમ સ્વીકાર્યો છે.
આચારાંગ સૂત્રના અગિયારમા અધ્યયનમાં શબ્દાસક્તિ અને બારમાં અધ્યયનમાં રૂ૫ આસક્તિનું વર્ણન અને તેને સાંભળવા, જોવા જવાનો નિષેધ છે. અહીં બારમા ઉદ્દેશકમાં રૂપાસક્તિ અને સત્તરમા ઉદ્દેશકમાં શબ્દાસક્તિનું પ્રાયશ્ચિત્ત વિધાન જોવા મળે છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]
શ્રી નિશીથ સૂત્ર
વિવિધ સ્થાનો જોવા જવાથી થતા દોષો - તે સ્થાનો જોતાં તેમાં રાગ-દ્વેષ થાય અને તેથી કર્મબંધ થાય, વિવિધ સ્થાનો જોવા જવામાં દષ્ટિજા ક્રિયા લાગે છે. જે સ્થાનો જોવા જાય ત્યાં રહેલા જલચર, સ્થળ ચર, ખેચર વગેરે પ્રાણીઓ સાધુને જોઈ ત્રાસ પામે, વ્યાકુળ અને ભયભીત બનીને દોડાદોડી કરે, ખાવા-પીવાનું છોડી દે તો અંતરાય લાગે વગેરે અનેક આપત્તિઓ થાય છે, માટે સાધુએ વિષયેચ્છાથી નિવૃત્ત થઈ શુદ્ધ સંયમની આરાધના કરવી જોઈએ.
નવમાં ઉદ્દેશકમાં રાજા-રાણીને જોવા જવા પગલું પણ ઉપાડેતો તેનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે જ્યારે આ ઉદ્દેશકમાં વિવિધ સ્થળો જોવા જવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાધુએ આવા સંકલ્પોનો નિરોધ કરી સ્વાધ્યાય ધ્યાનમાં લીન રહેવું જોઈએ. આહાર-પાણી રાખવાની કાલ મર્યાદા:३२ जे भिक्खू पढमाए पोरिसीए असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्ता पच्छिमं पोरिसिं उवाइणावेइ, उवाइणावेंतं वा साइजइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ; આ ચાર પ્રકારના આહારને અંતિમ ચોથા પ્રહર પર્યત રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ પ્રહરના ગ્રહણ કરેલા આહારને ચોથા પ્રહરમાં રાખવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. બૃહત્કલ્પ સૂત્રના ચોથા ઉદ્દેશકમાં પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહારને ચોથા પ્રહર પર્યત રાખવા અને વાપરવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આ પ્રાયશ્ચિત્ત વિધાન સ્થવિરકલ્પી સાધુના નિયમાનુસારી છે, કારણ કે જિનકલ્પી સાધુ પ્રથમ પ્રહરના આહાર-પાણી ચોથા પ્રહરમાં રાખે અથવા વાપરે. તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહાર પાણીને ચોથા પ્રહર સુધી રાખવામાં કે વાપરવામાં કાલાતિક્રાંત દોષનું સેવન થાય છે, સાધુની સંગ્રહવૃત્તિનું પોષણ થાય છે. ક્યારેક આહારમાં કીડી વગેરે ચડી જાય, તો અનેક પ્રકારે વિરાધનાની સંભાવના છે, તેથી સાધુ તથા પ્રકારની પ્રવૃત્તિ કરે નહીં. આહાર ગ્રહણની ક્ષેત્ર મર્યાદા:३३ जे भिक्खू परं अद्धजोयणमेराओ असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवाइणावेइ उवाइणावेतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી બે ગાઉની ક્ષેત્રમર્યાદાનું ઉલ્લંઘન કરી(બે ગાઉથી વધુ દૂર) અશનાદિ ચાર પ્રકારના આહારને લઈ જાય કે લઈ જનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
આહારાદિ લઈ જવા કે લાવવાની ક્ષેત્ર મર્યાદાનું ઉત્કૃષ્ટમાપ ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨૬માં કહ્યું છે. બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૪ સૂ. ૧૭માં અર્ધ યોજનથી આગળ આહાર લઈ જવાનો તથા વાપરવાનો
Page #249
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૨
[ ૧૮૧]
નિષેધ અને પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અહીં આ સૂત્રમાં અર્ધયોજનથી આગળ આહાર લઈ જવા માત્રનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
અર્ધ યોજનની ક્ષેત્ર મર્યાદા આગમોક્ત છે. સંગ્રહ વૃત્તિના ત્યાગ માટે આ મર્યાદા છે. ભિક્ષુ પોતાના ઉપાશ્રયથી ચારે ય દિશામાં અર્ધ યોજન સુધી ભિક્ષા માટે જઈ શકે છે અને વિહાર કરે ત્યારે પોતાના ઉપાશ્રયથી અર્ધયોજન સુધી આહાર પાણી સાથે લઈ જઈ શકે છે. આ ક્ષેત્ર મર્યાદા આત્માગુલ અર્થાતુ પ્રમાણોપેત મનુષ્યની અપેક્ષાએથી છે– તેમાં અર્ધા યોજન = બે ગાઉ એટલે લગભગ ૭ કિલોમીટર થાય છે.
બ્રહલ્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૩, સૂત્ર-૩૪માં પ્રત્યેક દિશામાં અર્ધ ગાઉ અધિક કહ્યો છે. તે સ્થડિલ ભૂમિમાં જવાની અપેક્ષાએ કહ્યું છે. એક દિશામાં અઢીગાઉ અને બે દિશાઓનું સાથે કથન કરવાથી પાંચ ગાઉનો અવગ્રહ કહ્યો છે. તે ક્ષેત્ર સીમાનું મુખ્ય કેન્દ્ર સાધુનું નિવાસ સ્થળ-ઉપાશ્રય છે. રાત્રિ વિલેપન - ३४ जे भिक्खू दिया गोमयं पडिग्गाहेत्ता दिया कार्यसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી દિવસે છાણ ગ્રહણ કરી, બીજા દિવસે શરીરના ત્રણઘા પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू दिया गोमयं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી દિવસે છાણ ગ્રહણ કરી, રાત્રે શરીરના ત્રણ પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે,
३६ जे भिक्खू रत्तिं गोमयं पडिग्गाहेत्ता दिया कायंसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिपंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી રાત્રે છાણ ગ્રહણ કરી, દિવસે શરીરના ત્રણ પર એક કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે,
३७ जे भिक्खू रत्तिं गोमयं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिपंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રાત્રે છાણ ગ્રહણ કરી, રાત્રે જ તે છાણ શરીરના ત્રણ પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, |३८ जे भिक्खू दिया आलेवणजायं पडिग्गाहेत्ता दिया कार्यसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી વિલેપન યોગ્ય પદાર્થ દિવસે ગ્રહણ કરી, બીજા દિવસે શરીરના ત્રણ પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે,
Page #250
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૨ ]
શ્રી નિશીથ સૂત્ર
३९ जे भिक्खू दिया आलेवणजायं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વિલેપન યોગ્ય પદાર્થ દિવસે ગ્રહણ કરી, રાત્રે શરીરના ત્રણ પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, ४० जे भिक्खू रत्ति आलेवणजायं पडिग्गाहेत्ता दिया कार्यसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिंपत वा विलिंपत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી વિલેપન યોગ્ય પદાર્થ રાત્રે ગ્રહણ કરી, દિવસે શરીરના ત્રણ પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, ४१ जे भिक्खू रत्ति आलेवणजायं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा आलिपंतं वा विलिंपतं वा साइज्जइ ।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વિલેપન યોગ્ય પદાર્થ રાત્રે ગ્રહણ કરી, રાત્રે શરીરના ત્રણ પર એકવાર કે અનેકવાર લગાડે કે લગાડનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વિલેપન યોગ્ય દ્રવ્ય રાત્રે ગ્રહણ કરવા અથવા વાપરવા સંબંધી પ્રાયશ્ચિત્ત કથન છે.
વ્રણ આદિ ઉપર છાણ અથવા વિલેપન યોગ્ય અન્ય પદાર્થ ઔષધ રૂપમાં લગાડવા આવશ્યક હોય તો સ્થવિર કલ્પી સાધુએ દિવસે ગ્રહણ કરીને તે જ દિવસે તેનો ઉપયોગ કરવો જોઈએ. સુત્રોક્ત બંને ચૌભંગીમાં કહ્યા અનુસાર રાત્રે અથવા બીજા દિવસે ઉપયોગમાં લેવાનું તથા રાત્રે રાખવાનું અને ઉપયોગમાં લેવાનું થાય તો લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
અગિયારમા ઉદ્દેશકમાં આહાર કરવાની અપેક્ષાએ આ પ્રકારની ચૌભંગી દ્વારા ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. રાત્રે પ્રક્ષેપાહારની અપેક્ષાએ વિલેપન(ઔષધાદિ લગાવવા)માં દોષ અલ્પ હોવાથી પ્રસ્તુતમાં તેનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ગૃહસ્થ દ્વારા ઉપધિ વહન :४२ जे भिक्खू अण्णउत्थिएण वा गारथिएण वा उवहिं वहावेइ, वहावेतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક ગૃહસ્થ પાસે પોતાની ઉપધિ(સામાન) વહન કરાવે– ઉપડાવે કે તેમ કરનારનું અનુમોદન કરે, ४३ जे भिक्खू तण्णीसए असणं वा पाणं वा खाइमं वा साइमं वा देइ, देंतं वा साइज्जइ ।
Page #251
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૨
[ ૧૮૩ |
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ભાર વહન કરાવવા નિમિત્તે અશનાદિ ચાર પ્રકારનો આહાર તેને આપે કે આપનારનું અનુમોદન કરે છે, તેને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આગમમાં ભિક્ષને અત્યંત અલ્પ ઉપધિ રાખવાનું વિધાન છે. સાધુ સ્વયં વહન કરી શકે તેટલી જ ઉપધિ રાખે છે. શારીરિક અસ્વસ્થતાને કારણે અથવા શાસ્ત્ર આદિનું વજન અધિક થઈ જવાથી ગૃહસ્થ પાસે વહન કરાવવું પડે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. વિધિ અનુસાર રુષ્ણ સાધુની ઉપધિ અન્ય સ્વસ્થ સાધુ ઉપાડે છે.
ગૃહસ્થ પાસે સામાન ઉપડાવવામાં અનેક દોષોનું સેવન થાય છે. (૧) ગૃહસ્થ ચાલે તેમાં જે પાપ દોષ લાગે તેના અનુમોદનનું પાપ સાધુને લાગે છે અર્થાત્ સાવધ કાર્યનું અનુમોદન થાય છે. (૨) ઉપધિ પડી જાય, અયોગ્ય સ્થાને મૂકાઈ જાય કે કોઈ ઉપધિ ઉપાડી જાય તો અસમાધિ ઉત્પન્ન થાય. (૩) ભાર વધુ હોય તો ગૃહસ્થને પરિતાપ પહોંચે. (૪) ભાર વાહકને મજૂરી આપવામાં અપરિગ્રહ મહાવ્રત સંબંધી દોષો ઉત્પન્ન થાય છે, માટે સાધુએ સ્વયં લઈને ચાલી શકે તેટલી જ ઉપધિ રાખવી જોઈએ. મહાનદી પાર કરવીઃ४४ जे भिक्खू इमाओ पंच महण्णवाओ महाणईओ उद्दिवाओ, गणियाओ वंजियाओ, अंतोमासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरइ वा संतरइ वा उत्तरंत वा संतरंतं वा साइज्जइ । तं जहा- गंगा, जउणा, सरयू, एरावई, मही । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી ગંગા, યમુના, સર્યુ. ઐરાવતી અને મહી, આ પાંચ નદીઓ કે જે મહાનદીઓ કહેવાય છે, મહાનદીરૂપે ગણના થાય છે, તે રૂપે પ્રસિદ્ધિ પામેલી છે, તેવી તે નદીઓને એક મહિનામાં બે વાર કે ત્રણવાર પગથી કે નાવથી પાર કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકમાં વર્ણિત ૪૦ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાનદીને ચાલીને કે નૌકાથી પાર કરવાની મર્યાદાના અતિક્રમણનું પ્રાયશ્ચિત્ત કથન છે.
સાધુને ઉત્સર્ગ માર્ગમાં તો કાચાપાણીનો સ્પર્શ કરવો પણ કલ્પતો નથી પરંતુ વિહાર કરતાં કોઈ ગામમાં જવા માટે જલમાર્ગ જ હોય તો નદી પાર કરવી પડે અથવા સ્થલ માર્ગે જતાં પૃથ્વીકાય, લીલોતરી અને લીલ-ફૂગ વગેરે અનંતકાયની વિરાધના વધુ થતી હોય તો આપવાદિક સ્થિતિમાં વિધિપૂર્વક નદી પાર કરવી કહ્યું છે, પરંતુ તે મહિનામાં એક જ વાર પાર કરી શકે. બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૪ સૂ. ૨૮માં મોટી નદીઓને મહિનામાં બે કે ત્રણવાર પાર કરવાનો નિષેધ કર્યો છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૮૪]
શ્રી નિશીથ સૂત્ર
दुक्खुत्तो-तिक्खुत्तो:-मासकल्प विहारेण सकृत कल्पते एव उत्तरितु । तस्मिन्नेव मासे द्वि-तृतीय વારા પ્રતિષ 1 –ર્ણિ. ઋતુબદ્ધકાળ અર્થાતુ શેષકાળમાં માસકલ્પ વિહાર દરમ્યાન સાધુ પહેલા મહિનામાં બે વાર અને શેષ સાત મહિનામાં એક વાર મોટી નદી પાર કરી શકે છે. આ પ્રમાણે આઠ મહિનામાં નવ વાર નદી પાર કરે, તો તે સંબંધી પ્રાયશ્ચિત્ત ન આવે. પ્રથમ માસમાં બે વારથી વધુ અર્થાત્ ત્રણ કે તેથી વધુ વાર અને શેષ સાત મહિનામાં એક વાર થી વધુ અર્થાતુ બે કે તેથી વધુવાર નદી પાર કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. આ સૂચન કરવા સૂત્રકારે આ સૂત્રમાં દુહુતો-તિવૃત્તો એમ બેવડા શબ્દનો પ્રયોગ કર્યો છે. દશાશ્રુત સૂત્ર, દશા–રમાં એક માસમાં બે કે ત્રણવાર અને વર્ષમાંદસવાર નદી પાર કરે, તો તેને શબળ દોષ કહ્યો છે. નાની-મોટી નદીની વ્યાખ્યા :- જે નદીઓમાં જંઘા પ્રમાણ પાણી હોય તો તે નદી નાની નદી કહેવાય અને તેથી વધુ પાણી હોય તો તે નદી મોટી નદી કે મહાનદી કહેવાય છે. મહિનામાં બે કે ત્રણ વાર નદી પાર કરવાનું વિધાન મોટી નદીઓની અપેક્ષાએ સમજવું જોઈએ. ઉત્તરણ–સંતરણ:- પગે ચાલીને નદી પાર કરવી તે ‘ઉત્તરણ” અને કુંભ, મશક કે નાવ અથવા તુંબડા દ્વારા પાર કરવી તે સંતરણ કહેવાય છે. પગે ચાલીને કે નાવથી નદી પાર કરવાની વિધિ તથા ઉપસર્ગ આવે, ત્યારની વિધિનું કથન આચા., શ્રુ. ૨, અ. ૨, ઉ. ૨, ૩માં છે. પંઘ મહાઓ - આ સૂત્રમાં પાંચ મહાનદીઓના નામનો ઉલ્લેખ છે, પ્રાચીનકાળમાં આ તે પાંચ નદીઓ મહાનદીઓના રૂપમાં પ્રસિદ્ધ હતી. તેમાં પાણી કયારેય સુકાતું ન હતું. ઉપલક્ષણથી મોટી સર્વ નદીઓનું વિધાન આ સૂત્રથી થાય છે તેમ સમજવું જોઈએ. નદી પાર કરવા સંબંધી દોષો – અપ્લાય જીવની તથા પાણીમાં રહેલા દેડકા, માછલા વગેરે ત્રસકાય જીવની વિરાધનાથી સંયમ વિરાધના થાય છે. નદીના ખાડા કે વમળમાં પગ પડે, પાર કરવા સમયે પૂરા વગેરે આવી જાય તો આત્મવિરાધના થાય છે માટે ગ્લાન સાધુની વૈયાવચ્ચ જેવા ગાઢતર કારણ વિના સાધુએ નદી પાર કરવી ન જોઈએ.
પ્રસ્તુત ઉદ્દેશકના ૪૪ સૂત્રોમાં ૪૪ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
છે બારમો ઉદ્દેશક સંપૂર્ણ
Page #253
--------------------------------------------------------------------------
________________
પ્રાથને
[ ૧૮૫]
તેરમો ઉદેશક | પરિચય છROR ORDROROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૭૯ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
સચિત્ત પૃથ્વીની નિકટની ભૂમિ ઉપર, સ્નિગ્ધ, સચિત્ત રજ યુક્ત પૃથ્વી પર; સચિત્ત માટી યુક્ત પૃથ્વી પર, સચિત્ત પૃથ્વી પર, શિલા કે પત્થર પર તથા જીવ યુક્ત કાષ્ઠ કે ભૂમિ પર, ઊભા રહેવું, બેસવું કે સૂવું; ભિત્તિ આદિથી અનાવૃત્ત ઊંચા સ્થાન ઉપર ઊભા રહેવું, બેસવું કે સૂવું ગૃહસ્થને શિલ્પ કળા આદિ શીખડાવવી; ગૃહસ્થને સરોષ, રૂક્ષ વચન કહેવા કે અન્ય કોઈ પ્રકારની આશાતના કરવી, ગૃહસ્થ માટે કૌતુકકર્મ કે ભૂતિકર્મ કરવું, ગૃહસ્થને કૌતુક પ્રશ્નના ઉત્તર દેવા, ભૂતકાળ સંબંધી નિમિત્ત બતાવવા; લક્ષણ, વ્યંજન કે સ્વપ્નનું ફળ બતાવવું, ગૃહસ્થ માટે વિદ્યા, મંત્ર કે યોગનો પ્રયોગ કરવો, ગૃહસ્થને માર્ગાદિ બતાવવા, ગૃહસ્થને ધાતુ કે ખજાનો (નિધિ) બતાવવો, ચળકતા વાસણ, દર્પણ, તલવાર આદિ પદાર્થોમાં પોતાનું પ્રતિબિંબ જોવું, સ્વસ્થ હોવા છતાં પણ વમન, વિરેચન કે ઔષધ સેવન કરવું; પાર્થસ્થ, કુશીલ, અવસન, સંસક્ત, નિત્યક, કાથિક, પ્રેક્ષણિક, મામક, સાંપ્રસારિક, આ નવને વંદન કરવા કે તેની પ્રશંસા કરવી; ઉત્પાદનના દોષો યુક્ત આહાર ગ્રહણ કરવો તેમજ વાપરવો ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરવાથી.
Page #254
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૬]
શ્રી નિશીથ સૂત્ર
- તેરમો ઉદેશક
– 227 of Gallhizil yilid zelld 722 સચિત્ત પૃથ્વી આદિ પર પ્રવૃત્તિ - | १ जे भिक्खू अणंतरहियाए पुढवीए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेए ફ, વેપત વા નાના ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વીની નજીકની ભૂમિ પર ઊભા રહેવું, સૂવું, બેસવું વગેરે ક્રિયા કરે કે તે ક્રિયા કરનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू ससिणिद्धाए पुढवीए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, चेएत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પાણીથી સ્નિગ્ધ ભૂમિ પર ઊભા રહેવું, સૂવું, બેસવું વગેરે ક્રિયા કરે કે તે ક્રિયા કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू ससरक्खाए पुढवीए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, चेएत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત રજ યુક્ત ભૂમિ પર ઊભા રહેવું, સૂવું, બેસવું, વગેરે ક્રિયા કરે કે તે ક્રિયા કરનારનું અનુમોદન કરે, |४ जे भिक्खू मट्टियाकडाए पुढवीए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेए રુ, વેપત વ ાન | ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત માટી છવાઈ ગઈ હોય, તેવી ભૂમિ પર ઊભા રહેવું, સૂવું, બેસવું વગેરે ક્રિયા કરે કે તે ક્રિયા કરનારનું અનુમોદન કરે, | ५ जे भिक्खू चित्तमंताए पुढवीए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ,
પત વા સાજન ! ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત ભૂમિ પર ઊભા રહેવું, સૂવું, બેસવું વગેરે ક્રિયા કરે કે કરનારનું અનુમોદન કરે, |६ जे भिक्खू चित्तमंताए सिलाए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ,
પત વા સારૂ I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત શિલા પર ઊભા રહેવું, સુવું, બેસવું વગેરે ક્રિયા કરે કે તે ક્રિયા કરનારનું અનુમોદન કરે,
Page #255
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૩
| ૧૮૭ ]
७ जे भिक्खू चित्तमंताए लेलूए ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, चेएतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત ઢેફા પર અથવા શિલાખંડ પર ઊભા રહેવું, સૂવું, બેસવું વગેરે ક્રિયા કરે કે તે ક્રિયા કરનારનું અનુમોદન કરે. |८ जे भिक्खू कोलावासंसि वा दारुए जीवपइट्ठिए सअंडे जाव मकडासंताणए ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएइ, चेएतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી લૂણ (કીડા)વાળા જીવ યુક્ત કાષ્ઠ પર તથા ઈડ, પ્રાણી, બીજ, લીલી વનસ્પતિ, ઓસ-ઝાકળ, પાણી, ઉધઈ, લીલ-ફૂગ, કાદવ, સચિત્ત માટી તથા કરોળિયાના જાળા હોય તેવી વસ્તુ પર ઊભા રહેવું, સૂવું કે બેસવું વગેરે ક્રિયા કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાંથી પ્રથમ સૂત્રમાં સચિત્ત પૃથ્વીની નજીકની અચિત્ત ભૂમિ છે. બીજા સૂત્રમાં વર્ષાદિના જલથી સ્નિગ્ધ ભૂમિનું ત્રીજા સત્રમાં સચિત્ત રજયુક્ત ભૂમિનું અને ચોથા સૂત્રમાં સચિત્ત માટી છવાઈ ગઈ હોય તેવી ભૂમિનું કથન છે. પાંચમા, છઠ્ઠા, સાતમા સૂત્રમાં ક્રમશઃ ભૂમિ, શિલા અને પત્થર વગેરે સચિત્ત પૃથ્વીનું કથન છે. આઠમા સૂત્રના પ્રારંભમાં જીવ યુક્ત કાષ્ઠનું કથન છે ત્યાર પછી અનેક પ્રકારના જીવ જંતુ યુક્ત સ્થાનોનું કથન છે. આચા., શ્રુ. ૨, અ. ૭, ઉ.૧, સૂ. ના આ પ્રાયશ્ચિત્ત સૂત્રો છે.
સાંદે શબ્દથી અહીં વિકસેન્દ્રિયોના ઇંડા સહિતના સ્થાન સમજવા જોઈએ. આચા, શ્રુ.૨, અ.ર, ઉ.૧, સૂ.૧માં સખંડ વગેરે સ્થાનમાં ઊભા રહેવા આદિનો નિષેધ છે, આ તેનું પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. ઓસ અને ૩૬ આ બે શબ્દોથી અહીં અપ્લાયનું સૂચન કર્યું છે, ૬ મયિ શબ્દથી પૃથ્વીકાય અને અષ્કાયના મિશ્રણનું સૂચન છે. તેમાં તળાવાદિના કિનારાની માટી તથા કુંભાર દ્વારા ભીની થયેલી માટી પણ સચિત્ત અથવા મિશ્ર હોય છે. ઉપરોક્ત સ્થાને કોઈપણ પ્રવૃત્તિ કરવાથી જીવ વિરાધના થાય છે. અસ્થિર સ્થાનો ઉપરની પ્રવૃત્તિઓ:| ९ जे भिक्खू थूणंसि वा गिहेलुयंसि वा उसुयालंसि वा कामजलंसि वा दुब्बद्धे दुण्णिक्खित्ते, अणिकंपे चलाचले ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएइ, चेएत वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી જે સારી રીતે જોડાયેલા ન હોય અર્થાત્ સમ્યક બંધનથી બદ્ધ ન હોય, સારી રીતે જમીનમાં ખોડેલા ન હોય, નિષ્કપ ન હોય, ડગમગતા હોય તેવા નાના થાંભલા, ઉંબરા, ખાંડણિયા કે બાજોઠ આદિ, ઉપર ઊભા રહેવું, સૂવું, બેસવું વગેરે ક્રિયા કરે કે કરનારનું અનુમોદન કરે, १० जे भिक्खू कुलियंसि वा भित्तिसि वा सिलसि वा लेलुंसि वा अंतरिक्खजायंसि, दुब्बद्धे, दुण्णिक्खित्ते, अणिकंपे, चलाचले ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, चेएतं वा साइज्जइ ।
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી દુર્બધિત, અસ્થિર, કંપિત, ડગમગતી, આકાશમાં અનાવૃત ઊંચી કરનાર એવી માટીની દિવાલ, ઈટ-પથ્થરની ભીંત, શિલા, શિલાખંડ કે ઓટલા વગેરે ઉપર ઊભા રહે, સૂવે કે બેસે અથવા તેમ કરનારનું અનુમોદન કરે,
११ जे भिक्खू खंधसि वा फलिहंसि वा मंचंसि वा मंडवंसि वा मालंसि वा पासायंसि वा हम्मियतलंसि वा अंतरिक्खजायंसि दुब्बद्धे दुण्णिक्खित्ते, अणिकंपे, चलाचले ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, चेएतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી દુર્બધિત, અસ્થિર, પિત, ડગમગતા, આકાશમાં અનાવૃત્ત ઊંચા સ્તંભગૃહ, પાટિયા, મંચ, મંડપ, મેડા, જીર્ણ પ્રાસાદ, જીર્ણ હવેલી વગેરે સ્થાન પર ઊભા રહે, સૂવે કે બેસે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
આચા, શ્રુ. ૨, અ. ૨, ઉ. ૧ માં આકાશગત ઊંચા સ્થાનો કે જે અસ્થિર હોય, ડગમગતા હોય તો તેના ઉપર ઊભા રહેવા, સૂવા આદિ ક્રિયાનો નિષેધ કર્યો છે, તેનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન છે. અંતરિણાલિ - અંતરિક્ષ જત. મંચ, માળ, મકાનની છત વગેરે સ્થાનોની ઊંચાઈ તો તેના નામથી જ સ્પષ્ટ છે માટે અંતરિક્ષ જાતનો અર્થ માત્ર “ઊંચુ સ્થાન” એવો ન કરતાં “આકાશમાં રહેલા અનાવર ઊંચા સ્થાન” તેવો અર્થ કરવો જોઈએ. ઊંચું સ્થાન જો દિવાલ વગેરે થી આવૃત્ત હોય તો તેના ઉપરથી પડી જવાની સંભાવના ન રહે, તેથી જ અહીં “અનાવૃત્ત સ્થાન” તેવો અર્થ સમજવો જોઈએ. આચા., મુ. ૨, અ. રના વિસ્તૃત પાઠથી આ જ અર્થ સ્પષ્ટ થાય છે.
આચારાંગ સુત્રમાં આવા સ્થાનોમાં ઊભા રહેવા આદિનો નિષેધ કર્યો છે. કદાચ ઊભા રહેવું પડે તો અત્યંત સાવધાની રાખવાનો નિર્દેશ પણ કર્યો છે અને અસાવધાનીથી થતી વિરાધનાઓનું સ્પષ્ટીકરણ પણ છે.
અન્યપ્રતોમાં રેન્જ, ગિર સાથે જિતેન્દ્ર શબ્દનો પ્રયોગ પણ જોવા મળે છે. ત્યાં fસે થી બેસવું અને સિરિય–નષેધિકી શબ્દથી સ્વાધ્યાયાદિ માટે બેસવું તેવો અર્થ કર્યો છે. નિશીથ સૂત્ર, ઉદ્દેશક–૫ તથા આચારાંગ સૂત્રમાં ત્રણ શબ્દનો પ્રયોગ છે માટે અહીં પાઠમાં ત્રણ શબ્દ જ ગ્રહણ કર્યા છે. આ ત્રણ શબ્દ દ્વારા તે-તે સ્થાનો પર કરવામાં આવતી સર્વ પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ જાય છે.
ડગમગતા, અસ્થિર સ્થાનો પર ઊભા રહેવું વગેરે ક્રિયા કરતાં પડી જવાની સંભાવના છે. આ સ્થાનો પરથી પડે તો પૃથ્વીકાયની વિરાધના થાય, પૃથ્વી આશ્રિત ત્રસકાયની વિરાધના થાય. પડવાથી પોતાને વાગે તો આત્મ વિરાધના થાય, ઉપકરણ પડી જાય તો તે તૂટી જાય કે ઉપકરણ નાશ પણ પામે છે. ઉપરોક્ત દોષોની સંભાવનાના કારણે આવા સ્થાનો પર સાધુએ કોઈ પણ ક્રિયા કરવી નહીં. ગૃહસ્થને શિલ્પકળાદિ શિખવાડવા - १२ जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा सिप्पं वा सिलोगं वा अट्ठावयं वा कक्कडगं वा वुग्गहं वा सलाहं वा सिक्खावेइ, सिक्खावेंतं वा साइज्जइ।
Page #257
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૩
[ ૧૮૯ ]
ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને શિલ્પ, ગુણકીર્તન કે પદ્યરચના, કળા, ધુત, જુગાર, પાસા રમવાની કળા, યુદ્ધકળા, ગુણ વર્ણનરૂપ કાવ્યકળા કે ગુણ વર્ણનરૂપ કથા-સ્તુતિ કળા શીખવાડે કે શીખડાવનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
આ સૂત્રમાં શિલ્પાદિ કેટલીક કળાના નામનો ઉલ્લેખ છે. ઉપલક્ષણથી ૭૨ કળા ગૃહસ્થને કે અન્યતીર્થિકને શીખડાવવી, તે સાધુનો આચાર નથી.
આ કળાઓ શીખડાવવાથી ગૃહસ્થના કાર્ય કે સાવધકાર્યની પ્રેરણા તેમજ અનુમોદના થાય છે, ગૃહસ્થ પ્રત્યેના રાગની વૃદ્ધિ થાય છે, સ્વાધ્યાય ધ્યાનાદિ સંયમ યોગોમાં અલના થાય છે માટે સાધુ ગૃહસ્થને સાંસારિક કળાઓ શીખવાડે નહિ. ગૃહસ્થાદિને કઠોર વચનાદિ કહેવાઃ|१३ जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा आगाढं वयइ, वयंत वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને આવેશ યુક્ત(ક્રોધયુક્ત) વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, १४ जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा फरुसं वयइ, वयंतं वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને કઠોર વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, |१५ जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा आगाढं फरुसं वयइ, वयंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને ક્રોધયુક્ત કઠોર વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, |१६ जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा अण्णयरीए अच्चासायणाए अच्चासाएइ, अच्चासाएत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની કોઈ પણ પ્રકારની આશાતના કરે કે કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
સાધુને કિંચિત્ માત્ર કઠોર ભાષા બોલવી કલ્પતી નથી. પરુષ(કઠોર) વચન બોલવાનું નિશીથ સૂત્ર, ઉ. ૨, સૂ. ૧૯માં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ઉદ્દેશક–૧૦માં આચાર્ય અથવા રત્નાધિકને કઠોર વચન કહેવા આદિનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પ્રસ્તુત સૂત્રોમાં કોઈ પણ ગૃહસ્થને કઠોર શબ્દ કહેવાથી અથવા બીજા કોઈ પ્રકારથી તેઓની આશાતના કે અવહેલના કરવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આગાઢ આદિ શબ્દોની વ્યાખ્યા માટે દસમાં ઉદ્દેશકમાં જુઓ.
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
શ્રી નિશીથ સૂત્ર
કઠોરાદિ ભાષાના પ્રયોગથી સંયમ દૂષિત થાય છે, અન્યનું અપમાન કરવું તે કષાયોત્પતિનું કારણ છે, તેનાથી કર્મબંધ થાય છે, તેથી કઠોર વચન બોલનાર સાધુ આ સૂત્રોથી પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. કૌતુકકર્મ આદિ કરવા - |१७ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा कोउगकम्मं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિકો અથવા ગૃહસ્થો માટે કૌતુકકર્મ કરે કે કરનારનું અનુમોદન કરે, | १८ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा भूइकम्मं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક અથવા ગૃહસ્થો માટે ભૂતિકર્મ કરે કે કરનારનું અનુમોદન કરે. |१९ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा पसिणं करेइ, करेंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક અથવા ગૃહસ્થો માટે (શુભાશુભ ફળ સંબંધિત) પ્રશ્નો કરે કે કરનારનું અનુમોદન કરે, २० जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा पसिणापसिणं करेइ, करेंतं વા સાઝ I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક અથવા ગૃહસ્થો માટે પ્રશ્નોનું નિરાકરણ કરે કે કરનારનું અનુમોદન કરે. २१ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा तीयं णिमित्तं कहेइ, कहेंतं વા લાફા ! ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થો માટે ભૂતકાળ સંબંધી નિમિત્તનું કથન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
२२ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा लक्खणं कहेइ, कहेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થોના લક્ષણોનું ફળ કહે કે કહેનારનું અનુમોદન કરે, | २३ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा वंजणं कहेइ, कहेत वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થોના વ્યંજન(તલ, મસાદિ)ના ફળનું કથન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा सुमिणं कहेइ, कहेंतं वा સારૂગડું !
Page #259
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૩
[ ૧૯૧ ]
ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થોના સ્વપ્નનું ફળ કહે કે કહેનારનું અનુમોદન કરે, २५ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा विज्जं पउंजइ, पउंजतं वा સાફw I ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે વિદ્યાનો પ્રયોગ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २६ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण मंतं पउंजइ, पउंजतं वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે મંત્ર' નો પ્રયોગ કરે છે તેમ કરનારનું અનુમોદન
કરે,
२७ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा जोगं पउंजइ, पञ्जतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે “યોગનો પ્રયોગ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ અગિયાર સૂત્રોમાં ગૃહસ્થ માટે કૌતુકાદિ કર્મ તથા મંત્રાદિનો પ્રયોગ કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. કૌતુક કર્મ :- મૃતવત્સા(મૃત બાળકને જન્મ આપનારી માતા) આદિને સ્મશાન કે ચોક(ચાર રસ્તા ભેગા થતા હોય તેવા સ્થાન) આદિમાં સ્નાન કરાવવું. સૌભાગ્ય આદિને માટે ધૂપ, હોમ આદિ કરવા, દૃષ્ટિ દોષથી રક્ષાને માટે કાજળનું તિલક કરવું વગેરે કાર્ય કૌતુક કર્મ છે. ભૂતિ કર્મ - વિદ્યા દ્વારા અભિમંત્રિત રાખની રક્ષા પોટલી બનાવવી કે શરીર પર ભસ્મનું લેપન કરવું.
સાં - મંત્ર કે વિદ્યા બળથી દર્પણ આદિમાં દેવતાનું આહ્વાન કરવું અને પ્રશ્ન પૂછવો. સિT-સિM - મંત્ર કે વિદ્યાના બળથી સ્વપ્નમાં દેવતાના આહ્વાન દ્વારા જાણેલા શુભાશુભ ફળ નું કથન કરવું. તયં નિમિત્ત :- વર્તમાન કાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ ભૂતકાળના નિમિત્ત કથનમાં દોષોની સંભાવના ઓછી રહે છે, તેથી દસમા ઉદ્દેશકમાં વર્તમાન અને ભવિષ્યના નિમિત્ત કથનનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને અહીં ભૂતકાળના નિમિત્ત કથનનું લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. નg :- પૂર્વ ભવમાં ઉપાર્જિત અંગોપાંગાદિ શુભ નામકર્મના ઉદયથી શરીર હાથ-પગ આદિમાં સામાન્ય મનુષ્યને ૩ર, બળદેવ–વાસુદેવને ૧૦૮ તથા ચક્રવર્તી કે તીર્થકરને ૧૦૦૮ લક્ષણો(ચિહ્ન) હોય છે. આ લક્ષણના આધારે શુભાશુભ ફળનું કથન કરવું. વંશ - ઉપર્યુક્ત લક્ષણ તો શરીરની સાથે ઉત્પન્ન થાય છે અને પછી ઉત્પન્ન થનારા લક્ષણોને “ વ્યંજન' કહેવાય છે, જેમ કે- તલ, મસ, અન્ય ચિન્હ આદિ. સમિષ- અર્ધ સુપ્ત અવસ્થામાં વ્યક્તિ સ્વપ્ન જુએ છે. તે સત્ય અસત્ય અને મિશ્ર ત્રણે પ્રકારના હોય
Page #260
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૨]
શ્રી નિશીથ સૂત્ર
છે. સત્ય સ્વપ્નોમાં ૭ર શ્રેષ્ઠ સ્વપ્ન હોય છે. જે તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, નારદ, ચરમ શરીરી, મોટા રાજા વગેરેની માતા જુએ છે.
સામાન્ય વ્યક્તિઓ સેંકડો પ્રકારના સ્વપ્ન જુએ છે. આ સ્વપ્નનું શુભાશુભ ફળ બતાવવું સાધુને કલ્પતું નથી, કારણ કે તે બતાવતાં ક્યારેક સત્ય અને ક્યારેક અસત્ય નીકળે છે. સત્ય અને અસત્ય બંને પરિણામો સંયમ માટે હાનિકારક નીવડે છે માટે સાધુને તેમ કરવાનું અહીં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વિજ્ઞાન - વિદ્યા-મંત્ર. જે મંત્રની અધિષ્ઠાયિકા દેવી હોય તે “વિદ્યા' કહેવાય છે અને જે મંત્રના અધિષ્ઠાયક દેવ હોય તે “મંત્ર' કહેવાય છે, વિશિષ્ટ સાધનાથી સિદ્ધ થાય તે વિદ્યા અને કેવળ જાપ કરવાથી જે સિદ્ધ થાય તે “મંત્ર” કહેવાય છે. નોન :- યોગ. વશીકરણ, પાદલેપ, અંતર્ધાન થવું આદિ ‘યોગ” કહેવાય છે. યોગ વિદ્યા યુક્ત પણ હોય છે અને વિદ્યા વિના પણ હોય છે.
કૌતુક કર્મ આદિ કરનાર સાધુ સાધુતાથી ભ્રષ્ટ થાય છે, તેથી કૌતુક કર્માદિ કરે છે, તેને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. ગૃહસ્થને માગદિ બતાવવા :| २८ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा णट्ठाणं मूढाणं विप्परियासियाणं, मग्गं वा पवेएइ, संधि वा पवेएइ, मग्गाओ वा संधि पवेएइ, संधीओ वा मग्गं પવે, પણ વા સાફા | ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી માર્ગ ભૂલેલા, દિશા મૂઢ બનેલા કે વિપર્યાસ–વિપરીત ભાવને પ્રાપ્ત અન્ય તીર્થિકોને અથવા ગૃહસ્થોને માર્ગ દેખાડે છે કે માર્ગની સંધિ બતાવે છે– બે રસ્તા ભેગા થતા હોય તે માર્ગથી સંધિ બતાવે છે કે સંધિથી માર્ગ બતાવે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગૃહસ્થાદિને માર્ગ વગેરે બતાવવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. સંધઃ- બે કે બેથી વધુ અનેક માર્ગોને મળવાનું સ્થાન અથવા અનેક માર્ગનું ઉદ્ગમ સ્થાન મFITો વા સંf – માર્ગથી સંધિ સ્થાન કેટલું દૂર છે, ક્યાં છે તે બતાવવું અર્થાત્ રસ્તો ક્યાં મળશે,
ક્યાં છૂટો પડશે આદિ કહેવું. સંબો વા મi – સંધિ સ્થાનથી ગંતવ્ય માર્ગ બતાવવો, તેની દિશા બતાવવી.
આચા., શ્રુ.૨, અ.૩, ઉ.૩, સૂ. ૧૦-૧૧માં કહ્યું છે કે વિહારમાં ચાલતા ભિક્ષુને કોઈ ગૃહસ્થ પૂછે કે અહીંથી અમુક ગામ કેટલું દૂર છે કે અમુક ગામનો માર્ગ કેટલો દૂર છે? ત્યારે ભિક્ષુ તેનો ઉત્તર ન આપે, પરંતુ મૌન રહે અથવા સાંભળ્યું ન સાંભળ્યું કરીને આગળ ગમન કરે તથા જાણતા હોવા છતાં “હું નથી જાણતો” અથવા “હું જાણું છું પણ કહીશ નહીં” એમ પણ ન કહે. કેવળ ઉપેક્ષા ભાવ રાખીને મૌન રહે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૩
[ ૧૭ ]
માર્ગ બતાવવાના દોષો – સાધુના કહેવામાં ભૂલ થઈ જાય કે ક્યારેક સાંભળનારને સમજવામાં ભૂલ થઈ જાય, બીજા રસ્તે ચાલ્યા જાય કે માર્ગ લાંબો નીકળે, ગરમીના સમયે મધ્યાહ્ન થઈ જાય કે રાત્રિ થઈ જાય, ભૂખ-તરસથી વ્યાકુળ બની જાય, વિકટ માર્ગમાં ચાલ્યો જાય, ચોર-લૂંટારા મળે, જંગલી પ્રાણી મળી જાય, ઇત્યાદિ દોષોની સંભાવના રહે છે. આવી પરિસ્થિતિમાં તે ગૃહસ્થ સાધુ માટે ખોટા વિકલ્પ કરી, ખોટી ધારણાઓ બાંધે, માર્ગમાં પાણી, વનસ્પતિ, ત્રસ જીવ આદિ આવે તો તેની વિરાધના થાય. ઇત્યાદિ અનેક દોષોની સંભાવના હોવાથી માર્ગ દેખાડવો પડે તો સાધુ હિતાહિતનો વિચાર કરીને વિવેક પૂર્ણ ભાષામાં દેખાડે અને તેનું યથાયોગ્ય સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરી લે. ધાતુ અને નિધિ બતાવવા :| २९ जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा धाउं पवेएइ पवेएतं वा સાફwાડું ! ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને ધાતુ સંબંધી વિધિ બતાવે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३० जे भिक्खू अण्णउत्थियाण वा गारत्थियाण वा णिहिं पवेएइ, पवेएतं वा સાફw | ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને નિધિ-ખજાનો બતાવે કે બતાવનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
સાધુને સુવર્ણાદિ ધાતુ નિર્મિત કરવાની વિધિ અથવા પૃથ્વીના પેટાળમાં રહેલી નિધિનું જ્ઞાન સ્વતઃ થઈ જાય અથવા અન્ય પાસેથી ધાતુ અને નિધિ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય તો તે જ્ઞાન ગૃહસ્થને આપવું કલ્પતું નથી. જો ગૃહસ્થને તે માહિતી આપે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. ધાતુના પ્રકાર – ધાતુના ત્રણ પ્રકાર કહ્યા છે– ૧. પાષાણ ધાતુ ૨. રસ ધાતુ અને ૩. માટી ધાતુ.
(૧) પાષાણ ધાત- પત્થર વિશેષ સાથે ઘર્ષણ કરવાથી લોખંડ વગેરે ધાતુ સુવર્ણ બને, તેને પાષાણ ધાતુ કહે છે. (૨) રસ ધાતુ- તાંબા વગેરે ધાતુ પર અમુક ધાતુના રસનું સિંચન કરવાથી તે સુવર્ણમય બની જાય છે, તેને રસ ધાતુ કહેવામાં આવે છે. (૩) માટી ધાતુ- જે માટીના સંયોગથી કે ઘર્ષણથી લોખંડ વગેરે સુવર્ણરૂપ બની જાય, તેને માટી ધાતુ કહેવામાં આવે છે. ધાતનિધિ બતાવવાના દોષો :- (૧) ગૃહસ્થને ધાતુ-નિધિ બતાવવાથી અને ગૃહસ્થ તેનો પ્રયોગ કરે તેનાથી અનેક પ્રકારની આરંભમય પ્રવૃત્તિઓની તથા પાપકાર્યોની વૃદ્ધિની સંભાવના રહે છે. (૨) એક ગુહસ્થને બતાવવા જતાં અનેકને ખબર પડે અને પાપની પરંપરા વધે. (૩) કોઈને વિધિ બતાવે અને કોઈકને ન બતાવે તો રાગ-દ્વેષની વૃદ્ધિ થાય. (૪) અંતરાયના ઉદયે કોઈને તે કાર્યમાં સફળતા ન મળે તો સાધુમાં અવિશ્વાસ વધે. (૫) નિધિ કાઢવામાં પૃથ્વીકાય અને ત્રસકાય જીવોની વિરાધનાની સંભાવના છે. (૬) નિધિ કોઈ માલિકની હોય અને સાધુ તે બતાવે તો તે માલિક સાથે કલહ થવાની સંભાવના રહે અને
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
શ્રી નિશીથ સૂત્ર
તેના દ્વારા ડિત થવાની સંભાવના પણ રહે છે માટે સાધુ ગૃહસ્થને ધાતુવિધિ કેનિધિ-ખજાનો બતાવે નહિ. પ્રતિબિંબ જોવું - ३१ जे भिक्खू मत्तए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ચમકતા વાસણમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३२ जे भिक्खू अदाए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३३ जे भिक्खू असीए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી તલવારમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू मणीए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી મણિમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू आभरणे अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આભૂષણમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३६ जे भिक्खू कुंड-पाणए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુંડ—પાણીમાં અર્થાત્ ઊંડા પાણીમાં અથવા કુંડાના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३७ जे भिक्खू तेल्ले अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી તેલમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३८ जे भिक्खू महुए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મધમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, |३९ जे भिक्खू सप्पिए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઘીમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ४० जे भिक्खू फाणिए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી ઢીલા ગોળમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ४१ जे भिक्खू मज्जए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મધમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે,
Page #263
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૩
[ ૧૫ ]
४२ जे भिक्खू वसाए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સ્નિગ્ધ પદાર્થમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
અહીં બાર સૂત્રો દ્વારા બાર પદાર્થોમાં પોતાનું પ્રતિબિંબ જોવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ઉપલક્ષણથી કોઈ પણ પદાર્થમાં સાધુ પોતાનું પ્રતિબિંબ નિહાળે તો આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
ભાષ્ય, ચુર્ણિ બંને વ્યાખ્યાઓમાં બાર સૂત્રો હોવાનું સ્પષ્ટ થાય છે. તેમ છતાં કેટલીક પ્રતોમાં અગિયાર સૂત્રો જ મળે છે. તેમાં આભરણનું સૂત્ર ક્યારેક છૂટી ગયું હોય તેમ જણાય છે. ભાષ્યમાં સૂત્રગત શબ્દોનો સંગ્રહ આ પ્રમાણે છે
दप्पण मणि आभरणे, सत्थुदए भायणऽन्नतरए वा
तेल महु सप्पि फाणिय, मज्ज वसा सुत्तमादिसु ॥४३१८॥ અર્થ :- દર્પણ, મણિ, આભૂષણ, શસ્ત્ર, ઉદક-પાણી, ભાજન, તેલ, મધુ, ઘી, ગોળ, મધ, વસા આદિના બાર સૂત્રોથી પ્રાયશ્ચિત્ત વિધાન છે.
ઉપરોક્ત વસ્તુઓમાંથી ઘી વગેરે કેટલીક વસ્તુ એવી છે કે જે સાધુને ભિક્ષામાં પ્રાપ્ત થાય છે અને તલવાર વગેરે કેટલીક વસ્તુ એવી છે કે જે ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશે ત્યારે તે પદાર્થોનો સંયોગ સંભવે છે. પોતાના પ્રતિબિંબ જોવાના દોષો :- શ્રી દશ. સુત્ર, અ. ૩માં દર્પણ આદિમાં પોતાના પ્રતિબિંબ જોવાને અનાચાર કહ્યો છે. વ્યાખ્યાકારે દર્પણાદિમાં પોતાના મુખને જોવામાં અનેક દોષોની સંભાવના બતાવી છે– રૂપનું અભિમાન થાય, રૂપને નિહાળતા વિષયેચ્છા જાગૃત થાય, વિરૂપતા નિહાળી નિદાન કરે, શરીર બકુશ બની જાય, હર્ષ-વિષાદ કરે, સાધુની એવી પ્રવૃત્તિની જાણ થતાં લોકોમાં સાધુની તથા શાસનની નિંદા થાય માટે સાધુ સુત્રોક્ત પદાર્થોમાં કે તેવા અન્ય સ્થાને પોતાનું પ્રતિબિંબ જોવાનો સંકલ્પ ન કરે, પરંતુ આત્મ ભાવમાં લીન રહીને સંયમ અને જિનાજ્ઞાનું પાલન કરે. વમન, વિરેચનાદિ ક્રિયા:४३ जे भिक्खू वमणं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી વમન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू विरेयणं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વિરેચન કરે કે કરનારનું અનુમોદન કરે, ४५ जे भिक्खू वमण-विरेयणं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વમન-વિરેચન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ]
શ્રી નિશીથ સૂત્ર
४६ जे भिक्खू आरोगियपडिकम्मं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આરોગ્ય પરિકર્મ–રોગ વિના ઔષધ ઉપચાર કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
અહીં ચોથા સૂત્રમાં રોગ ન હોવા છતાં ઔષધ-ઉપચાર કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આ જ આશયથી વમન, વિરેચનના ત્રણ સૂત્ર પણ સમજવા જોઈએ અર્થાત્ કોઈ કારણ વિના કે રોગ વિના વમન, વિરેચન ઔષધ પ્રયોગ કરવો ન જોઈએ, તે જ ચારે ય સૂત્રોનો સાર છે. રોગ વિના ઉપચાર કરવાથી શરીર-સંસ્કારની ભાવના વધે છે અને સંયમની ભાવના ઘટે છે.
ભાષ્યકારે ગાથા-૪૩૩૭માં કહ્યું છે કે જો કોઈને એમ જાણ થઈ હોય કે મને અમુક સમયે અમુક રોગ થાય છે અને અમુક ઔષધ લેવાથી તે રોગ થતો નથી. તો અધિક હાનિ કે દોષોથી બચવાને માટે રોગની પૂર્વે ઔષધ પ્રયોગ કરવો, તે સપ્રયોજન છે તથા લાભદાયક છે. જો કે ઉત્તરાધ્યયન સુત્રમાં ઔષધ સેવનનો નિષેધ છે છતાં પણ અલ્પ શક્તિવાળો સાધક રોગ આવે ત્યારે નિર્વધ ચિકિત્સા કરે તો તેનું અહીં પ્રાયશ્ચિત્ત નથી. પાર્થસ્થાદિને વંદનાદિ ક્રિયા કરવીઃ४७ जे भिक्खू पासत्थं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી પાર્થસ્થને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ४८ जे भिक्खू पासत्थं पसंसइ, पसंसंतं साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાર્થસ્થની પ્રશંસા કરે કે કરનારનું અનુમોદન કરે, ४९ जे भिक्खू कुसीलं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુશીલને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ५० जे भिक्खू कुसीलं पसंसइ, पसंसतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુશીલની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ५१ जे भिक्खू ओसण्णं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવસનને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ५२ जे भिक्खू ओसण्णं पसंसइ, पसंसत वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી અવસગ્નની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ५३ जे भिक्खू संसत्तं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સંસક્તને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે,
Page #265
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૩
| ૧૯૭]
५४ जे भिक्खू संसत्तं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સંસક્તની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ५५ जे भिक्खू णितियं वंदइ, वंदंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નિત્યકને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ५६ जे भिक्खू णितियं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિત્યકની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ५७ जे भिक्खू काहियं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કાથિકને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ५८ जे भिक्खू काहियं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કાથિકની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ५९ जे भिक्खू पासणियं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પ્રેક્ષણિકને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ६० जे भिक्खू पासणियं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પ્રેક્ષણિકની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ६१ जे भिक्खू मामगं वंदइ, वंदतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી મામકને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ६२ जे भिक्खू मामगं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી મામકની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે, ६३ जे भिक्खू संपसारियं वंदइ, वंदतं वा साइज्जइ ।। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સંપ્રસારિકને વંદન કરે કે વંદન કરનારનું અનુમોદન કરે, ६४ जे भिक्खू संपसारियं पसंसइ, पसंसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સંપ્રસારિકની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત અઢાર સૂત્રોમાં પાર્થસ્થ, કુશીલ વગેરે નવને વંદન કરવા અને પ્રશંસા કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. ચોથા ઉદ્દેશકમાં પાર્શ્વસ્થ, અવસન, કુશીલ, સંસક્ત તથા નિત્યક આ પાંચ સાથે
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૯૮ |
શ્રી નિશીથ સૂત્ર
શિષ્ય આદાન-પ્રદાન કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. અહીં તે પાંચ ઉપરાંત કાથિક, પ્રેક્ષણિક મામક અને સંપ્રસારિક આ ચારના નામ વિશેષ છે. પાર્થસ્થ આદિની વ્યાખ્યાઓઃ- (૧) પાર્થસ્થ– જેઓ જ્ઞાન, દર્શન, ચારિત્રની સમીપે છે પરંતુ તેમાં ઉધમ ન કરે તે. (૨) કશીલ- શીલ એટલે આચાર અને અશીલ એટલે અનાચાર. અનાચારનું કે આગમમાં નિષિદ્ધ આચારોનું જે સેવન કરે તે કુશીલ કહેવાય છે. (૩) અવન- સમાચારીથી વિપરીત વર્તન કરે તે. (૪) સંસક્ત જેની સાથે રહે તેના જેવા આચાર કે અનાચારનું સેવન કરે તે. (૫) નિત્યક- કલ્પ પ્રમાણે વિહાર ન કરે તે. () કાથિક- સ્વાધ્યાય વગેરે આવશ્યક કાર્ય ન કરતાં વિકથાઓમાં સમય વ્યતીત કરે છે અથવા ધર્મકથા તો કરે પરંતુ આહાર, વસ્ત્ર, પાત્ર, યશ, પ્રતિષ્ઠા માટે કરે તો તે પણ કાથિક કહેવાય છે તથા જો સ્વાધ્યાય પ્રતિલેખનાદિ સંયમ કાર્ય છોડી સદા ધર્મકથા કરતો રહે, તો તે પણ કાથિક છે. (૭) પ્રેક્ષણિક- સંયમ અને જિનાજ્ઞાની ઉપેક્ષા કરીને જે નાટક, નૃત્ય કે દર્શનીય સ્થળ વગેરેનું પ્રેક્ષણ કરતા રહે તે. (૮) મામક- (૧) જે સાધુ આહારમાં મમત્વ આસક્તિ રાખી સંવિભાગ ન કરે, (૨) જે સાધુ ઉપધિમાં આસક્તિ રાખી ઉપધિને કોઈનો હાથ લગાડવા ન દે, (૩) જે સાધુ શરીર પર મમત્વ રાખી પરીષહ સહન કરવાની ભાવના ન રાખે, (૪) જે સાધુ ભૂમિ પર મમત્વ રાખી અન્યને તે ભૂમિ પર બેસવા ન દે, (૫) જે સાધુ ગુરુ ધારણા કરાવીને “આ શ્રાવક મારા છે” તેમજ “આ ઘરો કે આ ગામો મારા છે', તેવી ચિત્તવૃત્તિ રાખે, (૬) જે સાધુ આહાર, શરીર, ઉપધિ, શ્રાવક વગેરેને મારા છે, મારા છે તેમ મારું-મારું કર્યા કરે, નિઃસ્પૃહ ભાવે ન રહે. આ સર્વ પ્રકારે જે મમત્વ કરનારા હોય છે તે મામક કહેવાય છે. (૯) સંપ્રસારિક- ગૃહસ્થના કાર્યમાં ઓછો કે વધુ સહ્યોગ દેનારા સંપ્રસારિક કહેવાય છે. ગૃહસ્થના સાંસારિક કાર્યમાં પ્રવૃત્ત રહેનારા, ગૃહસ્થના પૂછવા પર અથવા વગર પૂછ્યું પણ તેમને વિદેશ ગમન, વિદેશથી આગમન, વ્યાપાર પ્રારંભ, વિવાહ કાર્ય વગેરેના મુહૂર્તો કાઢી આપે; વ્યાપારિક પ્રવૃત્તિ માટે ભવિષ્ય બતાવે; આ પ્રકારના ગૃહસ્થ સંબંધી કાર્ય કરે, તે સંપ્રસારિક કહેવાય છે.
સંક્ષેપમાં આગમોક્ત આચારનું યથાવત્ પાલન ન કરનાર પાર્થસ્થ વગેરેને વંદન પણ ન કરવા અને તેની પ્રશંસા પણ ન કરવી.
मूलगुण उत्तरगुणे, संथरमाणा वि जे पमाएंत्ति ।
તે દોંત અવજ્ઞા , તદ્દાવારોવા વરો ! –ભાષ્ય ગાથા-૪૩૬૭. અર્થ - સશક્ત, સ્વસ્થ સાધુ નિષ્કારણ મૂળગુણ–ઉત્તરગુણમાં પ્રમાદ કરે, દોષ લગાડે, પાર્થસ્થ સ્થાનોનું સેવન કરે તે અવંદનીય છે અને તે તત્સંબંધી ચૌમાસી આદિ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. જે પરિસ્થિતિવશ મૂળ-ઉત્તરગુણમાં દોષ લગાડે તો તે અવંદનીય નથી.
અવંદનીય હોવા છતાં તેનામાં બુદ્ધિ, નમ્રતા, દાનરુચિ, ભક્તિ, ભાષાની મધુરતાદિ ગુણો હોઈ શકે પરંતુ સંયમમાં ઉધમ કરતાં ન હોવાના કારણે તેના તે ગુણોની પ્રશંસા કરવી ન જોઈએ, તેની પ્રશંસા કરવાથી તેવા પ્રમાદ સ્થાનોની પુષ્ટિ થાય છે.
મોક્ષ માર્ગના મૌલિક ગુણો વિનાના વ્યવહારિક ગુણો ભવ પરંપરાનો અંત કરનારા નથી, માટે તેવી વ્યક્તિના વ્યવહારિક ગુણોની પ્રશંસા કરવી યોગ્ય નથી તેથી જ અહીં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
અવંદનીય પાર્થસ્થ વગેરેની વંદન કે પ્રશંસા ન કરવી પરંતુ દીક્ષા, પર્યાય, પરિષદ, પુરુષ જ્યેષ્ઠતા, વગેરેને લક્ષ્યમાં રાખી “મર્થીએણ વંદામિ” બોલી, હાથ જોડવા, મસ્તક ઝુકાવવું, શાતા પૂછવા
Page #267
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૩
૧૯૯ ]
રૂ૫ વિનય વ્યવહાર કરવો કારણ કે ભગવાનના શાસનમાં રહેલા સાધુનો ઉપચારથી પણ યથાયોગ્ય વ્યવહાર કરવામાં ન આવે તો પ્રવચનની, શાસનની અભક્તિ થાય છે. ધાતૃપિંડાદિ દોષ યુક્ત આહારનું ગ્રહણ:६५ जे भिक्खू धाईपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ધાતૃપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ६६ जे भिक्खू दूइपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી દૂતપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ६७ जे भिक्खू णिमित्तपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ ।। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નિમિત્તપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ६८ जे भिक्खू आजीवियपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આજીવિકપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ६९ जे भिक्खू वणीमगपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વનપકપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७० जे भिक्खू तिगिच्छापिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ચિકિત્સાપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७१ जे भिक्खू कोवपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કોપપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७२ जे भिक्खू माणपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી માનપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, |७३ जे भिक्खू मायापिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી માયાપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७४ जे भिक्खू लोभपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી લોભપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७५ जे भिक्खू विज्जापिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી વિદ્યાપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७६ जे भिक्खू मंतपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ ।
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૦૦ |
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મંત્રપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७७ जे भिक्खू चुण्णपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ચૂર્ણપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७८ जे भिक्खू जोगपिंड भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી યોગપિંડ ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે, ७९ जे भिक्खू अंतद्धाणपिंडं भुंजइ, भुंजतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અંતર્ધાનપિંડ(અદશ્ય થઈ ગ્રહણ કરાતો આહાર) ભોગવે કે ભોગવનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકમાં વર્ણિત ૭૯ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
દૂષિત પ્રવૃત્તિઓ કરી દૂષિત આહાર મેળવવો તેને ઉત્પાદન દોષ કહેવાય છે. પિંડનિયુકિતમાં ઉત્પાદનના સોળ દોષ બતાવ્યા છે. તેમાંથી ચૌદ દોષોનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે અને “અંતર્ધાનપિંડ સૂત્રનું અધિક કથન છે. ધાતૃપિંડ – ધાવમાતા જેવા કાર્ય કરી આહાર પ્રાપ્ત કરે અને તે આહારને મુંગ – ભોગવે.
ધાવમાતાના પાંચ કાર્ય છે– (૧) બાળકને દૂધ પીવડાવવું (૨) સ્નાન કરાવવું (૩) વસ્ત્રાભૂષણ પહેરાવવા (૪) ભોજન કરાવવું તથા (૫) ખોળામાં બેસાડી, તેડીને રમાડવા. ગૃહસ્થના બાળકોને રમાડવા, સ્નાન કરાવવા, જેવા ધાવમાતાના કામ કરી આહાર મેળવે તો ધાતૃપિંડ કહેવાય છે.
દૂતપિંડ- સમાચારોનું આદાન-પ્રદાન કરવા જેવા દૂતના કાર્ય કરી આહાર પ્રાપ્ત કરે. નિમિત્તપિંડ- ત્રણ કાળનું નિમિત્ત કથન કરી આહાર મેળવે. આજીવિકાપિંડ- જાતિકુળનો પરિચય આપીને અથવા પોતાના ગુણો પ્રગટ કરી આહાર મેળવે. વનીપકપિંડ- દાન ફળનું કથન કરીને અથવા દાતાને આશીર્વચન કહી ભિખારીની જેમ દીનતાપૂર્વક આહાર મેળવવો. ચિકિત્સાપિંડ- ગૃહસ્થ પૂછે કે ન પૂછે, પરંતુ રોગ માટેના ઔષધ પ્રયોગ બતાવી આહાર પ્રાપ્ત કરે. કોપપિંડ- ક્રોધિત બની આહાર લેવો અથવા શ્રાપ આપવાનો ભય બતાવી આહાર લેવો. માનપિંડ-કોઈ ભિક્ષા આપવાની ના પાડે ત્યારે
ભિક્ષા લઈને જ રહીશ” તેમ અભિમાન યુક્ત કથન કરી, બુદ્ધિ પ્રયોગથી ઘરના અન્ય સભ્યો પાસેથી ભિક્ષા પ્રાપ્ત કરવી. માયાપિંડ- રૂપ પરિવર્તન કરી, છલપૂર્વક આહાર પ્રાપ્ત કરવો. લોભપિંડ- ઇચ્છિત વસ્તુ મળે તો અવિવેકી બની અતિમાત્રામાં આહાર પ્રાપ્ત કરે અથવા ઇચ્છિત વસ્તુ ન મળે ત્યાં સુધી ભ્રમણ કરીને ઇચ્છિત વસ્તુ મેળવે.વિદ્યાપિંડ-વિદ્યા પ્રયોગથી આહાર મેળવવો. મંત્રપિંડ-મંત્ર પ્રયોગથી આહાર મેળવવો. ચૂર્ણપિંડ- ચૂર્ણ પ્રયોગથી અર્થાત્ આંખમાં અંજન વગેરેનો પ્રયોગ કરી આહાર મેળ
Page #269
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૩
| ૨૦૧ |
વવો. યોગપિંડ- એક બીજા પદાર્થનો યોગ કરી, લેપ તૈયાર કરી, તેના પ્રયોગથી આહાર મેળવવો. અંતર્ધાનપિંડ- અદશ્ય રહી આહાર ગ્રહણ કરવો.
સુત્રોક્ત આ દોષ સ્થાનોના સેવનમાં દીનવૃત્તિનું સેવન થાય છે. જ્યારે સાધુની ભિક્ષા અદીન વૃત્તિવાળી હોય છે તથા એષણા સમિતિ પૂર્વક પ્રાપ્ત કરવાની હોય છે, માટે ભિક્ષ પ્રસ્તુત સૂત્રોમાં કહેલા ઉત્પાદન દોષ યુક્ત આહાર ગ્રહણ ન કરે.
નિર્યુક્તિકારે ઉત્પાદનના સોળમા “મૂળકર્મ' નામના દોષનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અગિયારમા પૂર્વપશ્ચાતુસંસ્તવ દોષનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત છે, તે સિવાયના શેષ ચૌદ દોષોનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આ સૂત્રોમાં દર્શાવ્યું છે.
પ્રસ્તુત ઉદ્દેશકના ૭૯ સૂત્રોમાં ૭૯ લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
તેરમો ઉદ્દેશક સંપૂર્ણ
Page #270
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૨]
શ્રી નિશીથ સૂત્ર
ચૌદમો ઉદેશક પરિચય છRORDRORORROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૪૧ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
પાત્ર ખરીદવા કે ખરીદી કરીને લાવેલા પાત્ર લેવા, પાત્ર ઉધાર લેવા કે ઉધાર લાવેલા પાત્ર લેવા, પાત્રનું પરિવર્તન કરવું કે પરિવર્તન કરીને લાવેલા પાત્ર લેવા, ઝૂંટવીને લાવેલા પાત્ર, ભાગીદારની આજ્ઞા વિના લાવેલા પાત્ર કે સામે લાવેલા પાત્ર લેવા, આચાર્યની આજ્ઞા વિના કોઈને વધુ લાવેલા પાત્ર દેવા, અવિકલાંગને કે સમર્થને અધિક પાત્ર દેવા કે પાત્ર ન દેવા, ઉપયોગમાં ન આવવા યોગ્ય પાત્રને રાખવા અને ઉપયોગમાં આવવા યોગ્ય પાત્રને છોડી દેવા, સુંદર પાત્રને વિરૂપ અને વિરૂપ પાત્રને સુંદર કરવા, જૂના પાત્રને કે દુર્ગધ યુક્ત પાત્રને વારંવાર ધોવા, કલ્કાદિ લગાવવી, અનેક દિવસો સુધી પાત્રામાં પાણી આદિ ભરીને રાત્રે રાખવા; વિવિધ સચિત્ત સ્થાન, ત્રસ જીવ યુક્ત સ્થાન, અંતરિક્ષ જાત સ્થાન પર પાત્ર સૂકવવા મૂકવા, પાત્રમાં ત્રસ જીવ, ધાન્ય, બીજ, કંદાદિ, પૃથ્વી, પાણી કે અગ્નિ હોય તેને કાઢીને પાત્ર આપવા, તે પાત્ર લેવા, પાત્ર પર કોતરણી કરવી કે કોતરણીવાળા પાત્ર લેવા, માર્ગમાં ચાલનારા કે કોઈની સાથે ચર્ચા-વિચારણા કરી રહેલા ગૃહસ્થો પાસેથી પાત્રની યાચના કરવી, પાત્રને માટે જ માસકલ્પ કે ચાતુર્માસ કલ્પ રહવું ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકના સર્વ સૂત્રોમાં પાત્ર સંબંધી પ્રાયશ્ચિત્તનું જ વિધાન છે, તે આ ઉદ્દેશકની વિશેષતા છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૪
.
૨૦૩ |
૭ ચૌદમો ઉદેશક - VE/El/૮ ૪૧ લઘુચમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન VIEWS/
પાત્રને ખરીદવા આદિ - | १ जे भिक्खू पडिग्गह किणेइ, किणावेइ, कीयमाहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાત્રને ખરીદે, ખરીદાવે કે ખરીદી લાવીને અપાતા પાત્રને ગ્રહણ કરે છે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू पडिग्गहं पामिच्चेइ, पामिच्चावेइ, पामिच्चमाहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્ર ઉધાર લે, ઉધાર લેવડાવે કે ઉધાર લાવીને અપાતા પાત્રને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू पडिग्गहं परियट्टेइ, परियट्टावेइ, परियट्टियमाहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પોતાના પાત્રની અદલાબદલી કરે, કરાવે કે અદલાબદલી કરીને અપાતા પાત્રને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |४ जे भिक्खू पडिग्गहं आच्छिज्जं अणिसिटुं, अभिहडमाहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્ય કોઈ પાસેથી ઝુંટવી લઈને આપવામાં આવતા, બે માલિક હોય તેમાંથી એકની ઇચ્છા વિના અપાતા અને ઉપાશ્રયમાં સામે લાવીને અપાતા પાત્રને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત ચાર સૂત્રોમાં પાત્ર સંબંધી એષણા સમિતિના છ ઉદ્ગમ દોષોનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. તે છ દોષો આ પ્રમાણે છે– (૧) ક્રીત- ખરીદેલા પાત્ર, (૨) પ્રામૃત્ય-ઉધાર લાવેલા, (૩) પરિવર્તિતબદલેલા પાત્ર, (૪) આચ્છિન્ન-કોઈ પાસેથી ઝૂંટવી લીધેલા પાત્ર, (૫) અનિસૃષ્ટ–ભાગીદારની આજ્ઞા વિના લાવેલા પાત્ર, (૬) અભિહત–ઉપાશ્રયમાં સામેથી લાવી અપાતા પાત્ર.
દશવૈકાલિક અધ્યયન-૩માં ક્રીત અને અભિહત આ બે દોષને અનાચાર કહ્યા છે. પરિવર્તિત દોષ સિવાય શેષ પાંચ દોષોને દશાશ્રુતસ્કંધ સૂત્ર, દશા–રમાં શબલ દોષ કહ્યા છે. આચારાંગ સૂત્ર,
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૦૪ |
શ્રી નિશીથ સત્ર
શ્રુતસ્કંધ-૨, અધ્યયન–૧, ૨, ૫, માં ક્રમશઃ પાંચ દોષ યુક્ત આહાર, મકાન, વસ્ત્ર, પાત્ર લેવાનો નિષેધ છે. તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. (૧) દ્વતઃ– ભિક્ષુ પરિગ્રહના પૂર્ણ ત્યાગી હોય છે, તેથી દશ, અ.૩, ગા. ૩માં ક્રય-વિક્રય કરવો, તેને અનાચાર કહ્યો છે. ક્રીત આદિ દોષ યુક્ત આહારાદિ ગ્રહણ કરનાર ભિક્ષુ તે પદાર્થને બનાવવામાં થનારા પાપનું અનુમોદન કરે છે. દશ., અ. ૬, ગા. ૪૮. પ્રામૃત્યઃ- (૧) સાધુ કોઈ પાસેથી પાત્ર ઉધાર લાવે પછી ગૃહસ્થ તેનું મૂલ્ય ચૂકવે (૨) કોઈ ગૃહસ્થ સાધુને માટે પાત્રાદિ ઉધાર લાવીને આપે તે પ્રાકૃત્ય કહેવાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ સાધુ સ્વયં કરે નહીં અને તેવી પ્રવૃત્તિ કરીને ગૃહસ્થ પાત્ર લાવી આપે તો તે ગ્રહણ કરે નહીં, કારણ કે તે એષણાનો દોષ છે અને તેમ ગ્રહણ કરવાથી અનેક દોષોની પરંપરા વધે છે, ધર્મની હીલના પણ થાય છે. પરિવર્તિત :- પોતાનું પાત્ર આપીને બદલામાં બીજું પાત્ર ગૃહસ્થ પાસેથી લેવું, આ પરિવર્તન (અદલાબદલી) કર્યું કહેવાય છે. તે પોતે કરવું કે કરાવવું સાધુને કલ્પતું નથી તથા ગૃહસ્થ પણ બીજા ગૃહસ્થ પાસેથી આ પ્રમાણે પાત્ર પરિવર્તન કરીને સાધુને આપે તો તેવા પાત્ર લેવા, તે પણ દોષ યુક્ત છે.
આ પ્રકારની પ્રવૃત્તિથી પરિવારના સ્વજન-પરિજન નારાજ થઈ જાય, સાધુ દ્વારા ગૃહસ્થને આપેલા પાત્ર જો ઘરે લઈ ગયા પછી ફૂટી જાય તો તેને આશંકા થઈ શકે છે કે મને સાધુએ ફૂટેલું પાત્ર આપ્યું હશે. તે પાત્રમાં આહારાદિનું સેવન કરવાથી જો કોઈ બિમાર થઈ જાય કે મરી જાય તો બ્રાન્તિથી સાધુની પ્રત્યે દ્વેષ ભાવ ઉત્પન્ન થઈ શકે છે, જેનાથી બીજા અનેક અનર્થો થવાની સંભાવના રહે છે. તેથી સાધુ પોતે ગૃહસ્થ પાસે પાત્રનું પરિવર્તન ન કરે તથા કોઈ શ્રદ્ધાળુ ગૃહસ્થ આ પ્રમાણે પાત્ર પરિવર્તન કરીને આપે, તો પણ તેને ગ્રહણ ન કરે. આછિન્ન :- કોઈ બળવાન વ્યક્તિ નિર્બળ પાસેથી પાત્ર ઝૂંટવી(પડાવી) લઈને, તે પાત્ર સાધુને આપે, તો તે પાત્ર લેવું સાધુને કલ્પતું નથી. સાધુ ગૃહસ્થને કહી કોઈ પાસે ગૂંટવાવે પણ નહિ.
આ પ્રકારે પાત્ર લેવાથી, જે વ્યક્તિ પાસેથી પાત્ર ઝુંટવી લેવામાં આવે તેને દુઃખ થાય, સાધુ પ્રત્યે તેને દ્વેષ જાગે અને કોઈ સમયે તે સાધુ પાસેથી પોતાનું પાત્ર ઝૂંટવી પણ લે અથવા સાધુ પાસે રહેલા પાત્રને ફોડી નાખે, સાધુને હેરાન કરે વગેરે દોષોની સંભાવના છે. અનિષ્ટ - કોઈ પાત્રના અનેક માલિક હોય, તેમાંથી એક ભાગીદારની દેવાની ઇચ્છા હોય અને બીજા ભાગીદારોની દેવાની ઇચ્છા ન હોય અને તેની અનુમતિ લીધા વિના કોઈ ગૃહસ્થ સાધુને તે પાત્ર આપે તો તે અનિસુષ્ટ દોષ કહેવાય છે તેમજ કોઈ નોકર, માલિકની ઇચ્છા વિના પાત્ર આપે તો પણ તે પાત્ર અનિસૃષ્ટ દોષ યુક્ત કહેવાય.
સાધુ અનિવૃષ્ટ પાત્ર ગ્રહણ કરે તો એવા પાત્ર ગ્રહણ કર્યા પછી ક્લેશની વૃદ્ધિ થવાની સંભાવના રહે, જે ભાગીદારોને પાત્ર દેવાની ઇચ્છા ન હોય તે ભાગીદારો અન્ય ભાગીદાર દ્વારા અપાયેલા પાત્રને સાધુ પાસેથી પાછું માંગે અથવા ઝૂંટવી લે, અન્ય ઉપસર્ગ કરે અને ભવિષ્યમાં પાત્રાદિની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે. અભિહત - ગૃહસ્થ પોતાના ઘરે કે અન્ય સ્થાનેથી ઉપાશ્રયમાં પાત્ર લાવી સાધુને આપે તો તે અભિહત કહેવાય છે અથવા કોઈ ગામ કે સ્થાનેથી સાધુ માટે પાત્ર લાવી પોતાના ઘરમાં રાખે તો તે અભિહત દોષ યુક્ત પાત્ર કહેવાય છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૪
૨૦૫ |
અભિહત પાત્ર ગ્રહણ કરવાથી પાત્ર લાવતાં માર્ગમાં થતી હિંસાનું અનુમોદન થાય છે. માટે સામે લાવેલા પાત્ર સાધુએ લેવા ન જોઈએ. લાવનાર વ્યક્તિ આધાકર્મ, ક્રીત આદિ દોષ યુક્ત પાત્ર લઈ આવે તો અભિહત દોષ સાથે તેને અન્ય દોષો પણ લાગે છે.
આ છ ઉદ્દગમના દોષ જાણી, તેનો ત્યાગ કરવો જોઈએ. વિશેષ પરિસ્થિતિમાં તે દોષ યુક્ત પાત્ર ગ્રહણ કરે તો તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. આચાર્યના ઉદ્દેશથી લાવેલા પાત્ર અન્યને આપવા :| ५ जे भिक्खू अइरेगपडिग्गहं गणिं उद्दिसिय, गणिं समुद्दिसिय, तं गणिं अणापुच्छिय अणामतिय अण्णमण्णस्स वियरइ, वियरत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આચાર્યના ઉદ્દેશથી કે સમુદેશથી અધિક પાત્ર ગ્રહણ કરી આચાર્યને પૂછ્યા વિના, આચાર્યને નિમંત્રણ આપ્યા વિના અન્ય સાધુને આપે કે આપનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આચાર્યાદિના નિમિત્તે વધુ લાવેલા પાત્ર અન્ય કોઈને આપવાનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે.
લાકડાના પાત્ર જ્યાં સુલભ હોય તે બાજુ વિચરણ કરીને કોઈ ભિક્ષુ આચાર્યની પાસે આવી રહ્યા હોય અથવા પાત્ર સુલભ હોય તે ક્ષેત્રમાં જઈ રહ્યા હોય, તેઓની સાથે આચાર્યો ગચ્છની આવશ્યકતા પ્રમાણે વધારાના પાત્ર મંગાવ્યા હોય અને ક્યારેક અત્યંત આવશ્યક હોય, તો પાત્ર લેવાને માટે જ ભિક્ષુઓને મોકલ્યા હોય. ત્યારે તે સાધુ જેટલા પાત્ર મંગાવ્યા હોય તેનાથી અધિક મળી જાય અને યોગ્ય હોય, તો તે વધુ પાત્ર લાવી શકે છે, પરંતુ આચાર્યની આજ્ઞા વિના કોઈને દેવા કલ્પતા નથી. જતાં સમયે માર્ગમાં કોઈ અન્ય ભિક્ષુ મળી જાય અને કહે કે બીજા વધારે પાત્ર મળતા હોય તો મારા માટે પણ લેતા આવજો, તે સમયે જો આચાર્ય નિકટ હોય તો તેઓની આજ્ઞા લઈને જ લાવવા જોઈએ. જો આચાર્ય દૂર હોય તો આજ્ઞા વિના પણ લાવી શકાય છે, પરંતુ લાવ્યા પછી આચાર્યની આજ્ઞા લઈને જ મંગાવનારને આપી શકાય છે. આચાર્યને દેખાડ્યા વિના કોઈને આપે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે.
ભાષ્યકારે એ પણ સ્પષ્ટીકરણ કર્યું છે કે માર્ગમાં કોઈ સાધુની વિશેષ પરિસ્થિતિ જોઈને પાત્ર આપવા જરૂરી જણાય તો ગીતાર્થ સાધુ સ્વયં પણ નિર્ણય કરીને પાત્ર આપી શકે છે અને ત્યાર પછી આચાર્યને પાત્ર દીધાની જાણકારી આપે છે.
એક ગચ્છમાં અનેક આચાર્ય, અનેક વાચનાચાર્ય, પ્રવ્રજયાચાર્ય આદિ હોય તો સામાન્ય રૂપથી આચાર્યનો નિર્દેશ કરીને પાત્ર લાવવા તે “ઉદેશ” છે તથા કોઈ ચોક્કસ આચાર્યનું નામ નિર્દેશ કરીને પાત્ર લાવવા તે “સમુદેશ” છે, વધુ લાવેલા પાત્ર આચાર્યની સેવામાં સમર્પિત કરવા અને પાત્ર ગ્રહણ કરવા આમંત્રણ કરવું તે નિમંત્રણ છે. બીજા કોઈને આપવા હોય તો તેને માટે આજ્ઞા પ્રાપ્ત કરવી તે પૃચ્છના છે. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૮ સૂ. ૧૬માં આ પ્રકારના અધિક પાત્ર દૂરના ક્ષેત્રથી લાવવાનો કલ્પ બતાવ્યો છે. ત્યાં એક બીજાને માટે પાત્ર લાવવાનું સામાન્ય વિધાન છે. તેની સાથે જ ગણીને, પૂછયા વિના કે નિમંત્રણ આપ્યા વિના, કોઈને પાત્ર દેવાનો નિષેધ પણ કર્યો છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ]
શ્રી નિશીથ સૂત્ર
અધિક પાત્ર આપવા ન આપવા :|६ जे भिक्खू अइरेगं पडिग्गह खुड्गस्स वा खुड्डियाए वा थेरगस्स वा थेरियाए वा अहत्थच्छिण्णस्स अपायच्छिण्णस्स अकण्णच्छिण्णस्स अणासाच्छिण्णस्स अणोठ्ठच्छिण्णस्स सक्कस्स देइ, देत वा साइज्जइ । ભાવાર્થ - જે (ગણપ્રમુખ) સાધુ કે સાધ્વી જેઓના હાથ, પગ, કાન, નાક, હોઠ છેદાયેલા નથી તેવા બાળ, વૃદ્ધ સાધુ-સાધ્વી તથા સશક્ત સાધુ-સાધ્વીને અધિક પાત્ર રાખવાની અનુજ્ઞા આપે કે આપનારનું અનુમોદન કરે, |७ जे भिक्खू अइरेगं पडिग्गह, खुड्डगस्स वा खुड्डियाए वा थेरगस्स वा थेरयाए वा हत्थच्छिण्णस्स, पायच्छिण्णस्स, कण्णच्छिण्णस्स, णासच्छिण्णस्स, ओट्ठच्छिण्णस्स, असक्कस्स ण देइ, ण देत वा साइज्जइ । ભાવાર્થ- ગણપ્રમુખ) સાધુ કે સાધ્વી જેઓના હાથ, પગ, કાન, નાક, હોઠ છેદાયેલ હોય તેવા બાળ, વૃદ્ધ સાધુ-સાધ્વીને તથા અશક્ત સાધુ-સાધ્વીને અતિરિક્ત પાત્ર રાખવાની અનુજ્ઞા ન આપે કે આજ્ઞા ન આપનારનું અનુમોદન ન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સશક્ત-અસક્ત સાધુને કલ્પ મર્યાદાથી અધિક પાત્ર રાખવાની આજ્ઞા આપવા કે ન આપવાનું ગણપ્રમુખાદિ માટેનું પ્રાયશ્ચિત્ત કથન છે. ઉ ત્ત:-નવ વર્ષથી ૧૬વર્ષની ઉમર સુધીના સાધુકે સાધ્વી બાળ વયવાળા કહેવાય છે. તેઓને આગમમાં
કે કદર કહ્યા છે. વે સ:- સ્થવિરના ત્રણ પ્રકાર છે– (૧) વયથી (૨) જ્ઞાનથી અને (૩) સંયમ પર્યાયથી. પ્રસ્તુતમાં ૬૦ વર્ષ કે તેથી વધુ વયના સ્થવિરનું કથન છે, તેમ સમજવું. હલ્થ છિન્નલ્સ..... - સૂત્રમાં હાથ, પગ, ઓષ્ઠ, નાક અને કાન છેદાયેલા હોય, તેવા સાધુનું કથન છે. ઉપલક્ષણથી સાધુ કોઈ પણ પ્રકારે વિકલાંગ હોય, તેનું આ સૂત્રમાં ગ્રહણ થઈ જાય છે. વિકલાંગોને દીક્ષા આપી શકાતી નથી, પરંતુ સંયમ લીધા પછી કોઈ કારણથી સાધુ-સાધ્વી વિકલાંગ થઈ ગયા હોય તેની અપેક્ષાએ પણ આ કથન છે, તેમ સમજવું જાઈએ.
- અશક્ત- જે ભિક્ષુ વિકલાંગ નથી, પરંતુ અશક્ત છે અર્થાત્ નિરંતર વિહારથી થાકેલા, રોગથી ઘેરાયેલા કે અન્ય કોઈ પરીષહથી ગભરાયેલા સાધુ કે સાધ્વીને અહીં અશક્ત કહ્યા છે. આ સૂત્રનો ભાવાર્થ બે રીતે થાય છે.
૧. બાળ કે વૃદ્ધ સાધુ-સાધ્વી કે જે અસક્ત અથવા વિકલાંગ હોય તેને અધિક પાત્ર દઈ શકાય છે, પરંતુ તરુણ, અવિકલાંગ, સશક્ત બાળ કે વૃદ્ધને અધિક પાત્ર આપી શકાતા નથી.
૨. આદિ અને અંતના કથનથી મધ્યનું ગ્રહણ થઈ જાય તે ન્યાયથી બાળ અને વૃદ્ધના કથનથી આબાલ-વૃદ્ધ કોઈ પણ સાધુ-સાધ્વી વિકલાંગ કે અશક્ત હોય તો તેને અધિક પાત્ર દઈ શકાય છે, પરંતુ
Page #275
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૪
૨૦૭ |
સશક્ત અને અવિકલાંગ હોય તો તેને દઈ શકાતા નથી, કારણ કે વિકલાંગ કે રોગ ગ્રસ્ત, તરુણ સાધુ-સાધ્વી પણ બાળ તેમજ વૃદ્ધની સમાન જ અનુકંપાને યોગ્ય હોય છે, રોગ આદિથી તો તરુણ પણ અશક્ત બની જાય છે. અધિક પાત્ર આપવાના કારણો - વિકલાંગ અથવા અશક્તને ઔષધ ઉપચાર, પથ્ય-પરેજી માટે, મળ-મુત્ર કે કફ વગેરે પરઠવા માટે અલગ પાત્રની આવશ્યક્તા રહે, વિકલાંગ હોવાથી કે અશક્તિના કારણે પાત્ર તૂટી-ફૂટી જવાની સંભાવના રહે અને પોતે પાત્ર ગવેષણા કરીને લાવી શકે તેમ ન હોય તેથી તેઓને ગણપ્રમુખે વધારે પાત્ર રાખવાની અનુજ્ઞા આપવી જોઈએ.
બંને સુત્રોમાં જે પ્રાયશ્ચિત્ત વિધાન છે તે ગણ પ્રમુખને માટે છે. કયા સાધુ-સાધ્વીને કેટલા વધારે પાત્ર આપવા તેનો નિર્ણય ગણ પ્રમુખ જ કરે છે. અયોગ્ય પાત્ર રાખવા અને યોગ્ય પાત્રને પરઠવા :
८ जे भिक्खू पडिग्गहं अणलं अथिरं अधुवं अधारणिज्जं धरेइ, धरैतं वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ઉપયોગને અયોગ્ય, અસ્થિર, અધ્રુવ અને અધારણીય પાત્રને ધારણ કરે કે ધારણ કરનારનું અનુમોદન કરે. | ९ जे भिक्खू पडिग्गहं अलं, थिरं, धुवं, धारणिज्जं न धरेइ, न धरतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઉપયોગને યોગ્ય, સ્થિર, ધ્રુવ અને ધારણ કરવા યોગ્ય પાત્રને ધારણ ન કરે અર્થાત્ પરઠી દે કે પરઠનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉપયોગી પાત્રને પરઠવાનું અને અનુપયોગી પાત્રને ન પરઠવાનું લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પાત્ર આદિ ઉપકરણો જ્યાં સુધી ઉપયોગ કરી શકાય તેવા હોય ત્યાં સુધી સાધુએ તેનો ઉપયોગ કરવો જ જોઈએ, તે ઉપકરણોને પરઠી દેવા કે ગૃહસ્થને આપી દેવા ઉચિત નથી. પાત્ર તૂટી જાય તો સાધુએ મર્યાદા અનુસાર ત્રણ થીંગડા લગાવી, પાત્ર ઉપયોગમાં લેવા જોઈએ. ત્રણથી વધુ થીંગડા આપવા પડે તેવા પાત્રને અથવા પ્રતિલેખન કે જીવ રક્ષા થઈ શકે તેમ ન હોય તેવા પાત્ર અયોગ્ય કહેવાય છે અને તેવા પાત્ર પર મમત્વ ન રાખતા તેને પરઠી દેવા જોઈએ. પાત્રનું વર્ણ પરિવર્તન:१० जे भिक्खू वण्णमंतं पडिग्गहं विवण्णं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સારા વર્ણવાળા પાત્રને વિવર્ણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ११ जे भिक्खू विवण्णं पडिग्गहं वण्णमंत करेइ करेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વિવર્ણ પાત્રને સારા વર્ણવાળા કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
| २०८
શ્રી નિશીથ સુત્ર
विवेयन:
પાત્ર દેખાવમાં વિરૂપ હોય પરંતુ ઉપયોગ યોગ્ય હોય તો તેને સુંદર બનાવવાનો પ્રયત્ન સાધુ ન કરે. પાત્ર જો અનુકૂળ સુંદર મળ્યું હોય તો મારું આ સુંદર પાત્ર કોઈ લઈ ન લે, કોઈ ચોરી ન જાય, તેવી ભાવનાથી તે પાત્રને વિરૂપ બનાવવાનો પ્રયત્ન ન કરે.
સંયમ સાધનામાં ઉપરોક્ત બંને પ્રકારના સંકલ્પ અને પ્રયત્ન અનાવશ્યક છે, તે પાત્ર પ્રતિ રાગ અને દ્વેષના ભાવ પ્રગટ કરે છે, માટે સાધુ તેવી પ્રવૃત્તિ કરે નહીં અને કરે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે. पात्र परिभ:१२ जे भिक्खू णो णवए मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेसिएण सीओदगवियडेण वा उसिणोदग-वियडेण वा उच्छोलेज्ज वा पधोएज्ज वा उच्छोलेंतं वा पधोएंत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી “મને નવા પાત્ર મળ્યા નથી, તેમ વિચારીને(પોતાના) પાત્રને ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી એકવાર કે વારંવાર ધુએ કે ધોનારનું અનુમોદન કરે, १३ जे भिक्खू णो णवए मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदे(दि)वसिएण सीओदग-वियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोएज्ज वा उच्छोलेत वा पधोएत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી “મને નવા પાત્ર મળ્યા નથી', તેમ વિચારીને રાત્રે રાખેલા ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી(પોતાના) પાત્રને એકવાર કે વારંવાર ધુએ કે ધોનારનું અનુમોદન કરે, १४ जे भिक्खू णो णवए मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेसिएण लोद्धेण वा जाव वण्णेण वा उल्लोलेज्ज वा उव्वल्लेज्ज वा उल्लोलेतं वा उव्वलेंतं वा साइज्जइ । भावार्थ :- साधु साध्वी भने नपा पात्र भण्या नथी', तम वियाशन(पोतान) पात्रने दोध, કલ્ક, ચૂર્ણ કે વર્ણનો એકવાર કે વારંવાર લેપ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, १५ जे भिक्खू णो णवए मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेवसिएण लोद्धेण वा जाव वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा उल्लोलेत वा उव्वलेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી “મને નવા પાત્ર મળ્યા નથી', તેમ વિચારીને(પોતાના) પાત્રને રાત્રે રાખેલા લોધ્ર કલ્ક, ચૂર્ણ કે વર્ણનો એકવાર કે વારંવાર લેપ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
१६ जे भिक्खू दुन्भिगंधे मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेसिएण सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोएज्ज वा उच्छोलेंतं वा पधोएत वा साइज्जइ ।
Page #277
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૪
૨૦૯ ]
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ‘મને દુર્ગધવાળું પાત્ર મળ્યું છે, તેમ વિચારીને ઠંડા કે ઉષ્ણ અચિત્ત પાણીથી તે પાત્રને એકવાર કે વારંવાર ધુએ કે તેમ કરનારનું અનુમોદન કરે, १७ जे भिक्खू दुब्भिगंधे मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेवसिएण सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोएज्ज वा उच्छोलेत वा पधोएत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ‘મને દુર્ગધવાળું પાત્ર મળ્યું છે, તેમ વિચારીને રાત્રે રાખેલા ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી તે પાત્રને એકવાર કે વારંવાર ધુએ કે ધોનારનું અનુમોદન કરે, १८ जे भिक्खू दुब्भिगंधे मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेसिएण लोद्धेण वा जाव वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा उल्लोलेतं वा उव्वलेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ‘મને દુર્ગધવાળું પાત્ર મળ્યું છે, તેમ વિચારીને તે પાત્રને લોથ્ર વગેરેનો એકવાર કે વારંવાર લેપ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १९ जे भिक्खू दुब्भिगंधे मे पडिग्गहे लद्धे त्ति कटु बहुदेवसिएण लोद्धेण वा जाव वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा उल्लोलेत वा उव्वलेत वा સાફq I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી “મને દુર્ગધવાળું પાત્ર મળ્યું છે,” તેમ વિચારીને તે પાત્રને રાત્રે રાખેલા લોધ્ર વગેરેનો એકવાર કે વારંવાર લેપ કરે કે લેપ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુએ પરિકર્મ કરવું ન પડે તેવા જ પાત્રની ગવેષણા કરવી જોઈએ. જો ગવેષણા કરતાં તેવા પાત્ર ન મળે અને જૂના, દુર્ગધવાળા પાત્ર મળે તો તેને ધોવાની કે સુગંધિત કરવાની પ્રવૃત્તિ સાધુ ન કરે. સંયમ કે સ્વાથ્ય માટે તે પાત્ર આંશિક રૂપે પણ પ્રતિકૂળ ન હોય તો નિષ્કારણ અલ્પ કે અધિક પાણીથી પાત્રને ધુએ કે સુગંધિત કરે નહીં.
પાત્રને સકારણ ધોવું પડે તેમ હોય તો પણ અનેક દિવસો સુધી તેમાં પાણી ભરીને રાખે નહીં કે સુગંધિત પદાર્થને રાત્રે પાત્રમાં રાખે નહીં.
પ્રસ્તુત પ્રતમાં પાત્રને ધોવા અને લેપાદિ કરવા સંબંધી (૧૨ થી ૧૯ સુધીના) આઠ સૂત્રો ભાષ્ય અને ચૂર્ણિ આધારે ગ્રહણ કર્યા છે. ભિન્ન-ભિન્ન પ્રતોમાં આ સૂત્રોની સંખ્યા અને ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. અકલ્પનીય સ્થાનમાં પાત્ર મૂકવા :२० जे भिक्खू अणंतरहियाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयात वा पयावेत वा साइज्जइ ।
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૧૦ |
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વીની સમીપની અચિત્ત પૃથ્વી ઉપર પાત્રને એકવાર કે અનેકવાર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २१ जे भिक्खू ससिणिद्धाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयात वा पयावेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પાણીથી સ્નિગ્ધ જમીન પર પાત્રને એકવાર કે અનેકવાર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २२ जे भिक्खू ससरक्खाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयातं वा पयावेतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત રજ યુક્ત પૃથ્વી પર પાત્રને એકવાર કે અનેકવાર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २३ जे भिक्खू मट्टियाकडाए पुढवीए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयात वा पयावेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત માટી પથરાઈ ગઈ હોય તેવી પૃથ્વી પર એકવાર કે અનેકવાર પાત્ર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू चित्तमंताए पुढवीए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयातं वा पयावेतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વી ઉપર પાત્રને એકવાર કે અનેકવાર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २५ जे भिक्खू चित्तमंताए सिलाए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयातं वा पयावेत वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી સચિત્ત શિલા પર પાત્રને એકવાર કે અનેકવાર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २६ जे भिक्खू चित्तमंताए लेलूए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयातं वा पयावेतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત શિલાખંડ પર પાત્રને એકવાર કે અનેકવાર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, २७ जे भिक्खू कोलावासंसि वा दारुए जीवपइट्ठिए सअंडे जाव मक्कडासंताणए पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा, आयात वा पयावेत वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઉધઈ વગેરે જીવ યુક્ત કાષ્ઠ ઉપર, ઈડા યુક્ત યાવત કરોળિયાના
Page #279
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૪
૨૧૧
જાળાયુક્ત સ્થાન પર એકવાર કે અનેકવાર પાત્રને સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू थूणंसि वा गिहेलुयंसि वा उसुयालंसि वा कामजलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे जाव चलाचले पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा आयावेंतं वा पयावेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સ્તંભ, ઉંબરો, ઉખલ(ખાંડણિયા) અથવા સ્નાન કરવાના બાજોઠ ઉપર કે અન્ય તેવા પ્રકારના અંતરિક્ષજાત(આકાશીય) સ્થાન કે જે સારી રીતે બંધાયેલા ન હોય યાવત્ ડગમગતા હોય, તેવા સ્થાન પર પાત્રને સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે,
|२९| जे भिक्खू कुलियंसि वा भित्तिंसि वा सिलंसि वा लेलुंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे जाव चलाचले पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज वा आयावेतं वा पयावेतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી માટીની દિવાલ, ઈટની દિવાલ, શિલા, શિલાખંડ કે તેવા પ્રકારના અન્ય અંતરિક્ષજાત સ્થાનો કે જે સારી રીતે બંધાયેલા ન હોય યાવત્ ડગમગતા હોય તેવા સ્થાનો પર એકવાર કે વારંવાર પાત્ર સૂકવવા મૂકે કે તેમ કરનારનું અનુમોદન કરે,
३० जे भिक्खू खंधंसि वा जाव हम्मियतलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे जाव चलाचले पडिग्गहं आयावेज्ज वा पयावेज्ज आयातं वा पयावेंतं वा साइज्जइ ।
વા,
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સ્કંધ–થાંભલા પર યાવત્ મહેલની છત પર કે અન્ય પણ તેવા પ્રકારના અંતરિક્ષજાત સ્થાનો કે જે સારી રીતે બંધાયેલા ન હોય યાવત્ ડગડગતા હોય તેવા સ્થાનો પર એકવાર કે વારંવાર પાત્રને સૂકવવા મૂકે કે મૂકનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આ અગિયાર સૂત્રોમાં સચિત્ત સ્થાનો અને અંતરિક્ષ જાત સ્થાનો પર પાત્ર સૂકવવા મૂકવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. આચા., શ્રુ. ૨, અ. ૬, ઉ. ૧ સૂ. ૧૫ માં આ અગિયાર સ્થાનો પર પાત્ર સૂકવવાનો નિષેધ છે. તેમાં પ્રથમના આઠ સ્થાનોનો નિષેધ જીવ વિરાધનાના કારણે છે અને શેષ ત્રણ સ્થાનોનો નિષેધ જીવવિરાધના સાથે પાત્ર પડી જાય તો તૂટી જવાની અને પાત્ર મૂકવા જતાં સાધુના પડી જવાની સંભાવનાના કારણે છે.
પૂર્વસૂત્રમાં પાત્ર ધોવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે. અહીં કોઈ કારણ વિશેષથી પાત્ર ધોવા પડે તો તેને અયોગ્ય સ્થાનોમાં સૂકવવા મૂકવાનું પ્રાયશ્ચિત્ત અહીં કહ્યું છે.
આ અગિયાર સૂત્રોમાં આવેલા શબ્દોનો વિશેષાર્થ તથા વિવેચન તેરમા ઉદ્દેશકના પ્રારંભના અગિયાર સૂત્રોમાં છે. ત્યાં આ સ્થાનોમાં ઊભા રહેવું કે બેસવું આદિનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, અહીં તે સ્થાનોમાં પાત્ર સૂકવવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૧ર |
શ્રી નિશીથ સૂત્ર
આ જ અગિયાર સ્થાનોમાં મળ-મૂત્ર પરઠવાનું પ્રાયશ્ચિત્ત અને વસ્ત્ર સૂકવવાનું પ્રાયશ્ચિત્ત ક્રમશઃ સોળમા અને અઢારમા ઉદ્દેશકમાં છે. સચેત પદાર્થ કાઢીને અપાતા પાત્રનું ગ્રહણ:३१ जे भिक्खू पडिग्गहाओ तसपाणजाई णीहरइ, णीहरावेइ, णीहरियं आहट्ट देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્રમાંથી ત્રસપ્રાણીને સ્વયં કાઢે, અન્ય પાસે કઢાવે કે કાઢીને અપાતા પાત્રને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |३२ जे भिक्खू पडिग्गहाओ ओसहि-बीयाई णीहरइ, णीहरावेइ, णीहरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્રમાંથી ઘઉં આદિ ઔષધિ-ધાન્યને તથા જીરું આદિ બીજને કાઢે, કઢાવે કે કાઢીને અપાતા પાત્રને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३३ जे भिक्खु पडिग्गहाओ कंदाणि वा मूलाणि वा पत्ताणि वा पुप्फाणि वा फलाणि वा णीहरइ, णीहरावेइ, णीहरियं आहट्ट, देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્રમાંથી સચિત્ત કંદ, મૂળ, પત્ર, પુષ્પ, ફળ કાઢે, કઢાવે કે કાઢીને અપાતા પાત્રને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू पडिग्गहाओ पुढविकायं णीहरइ, णीहरावेइ, णीहरियं आह? देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી પાત્રમાંથી સચિત્ત પૃથ્વીને કાઢે, કઢાવે કે કાઢીને અપાતા પાત્રને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, |३५ जे भिक्खू पडिग्गहाओ आउकायं णीहरइ, णीहरावेइ, णीहरियं आह? देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી પાત્રમાંથી સચિત્ત પાણી કાઢે, કઢાવે કે કાઢીને અપાતા પાત્રને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
३६ जे भिक्खू पडिग्गहाओ तेउकायं णीहरइ, णीहरावेइ, णीहरियं आह? देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્રમાંથી સચિત્ત અગ્નિકાયને કાઢે, કઢાવે કે કાઢીને અપાતા પાત્રને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુ-સાધ્વીઓએ પાત્રની ગવેષણા કરતી વેળાએ નિમ્નોક્ત વાતો ધ્યાનમાં રાખવી આવશ્યક
Page #281
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૪
૨૧૩ ]
છે– (૧) પાત્રમાં કરોળિયા વગેરે ત્રસ જીવો હોય (૨) ધાન્ય કે બીજ હોય (૩) કંદ-મૂળ આદિ વનસ્પતિ હોય (૪) કાચું-મીઠું વગેરે સચિત્ત પૃથ્વીકાય હોય તો તે લેવું નહીં. (૫) સચિત્ત પાણી હોય (દ) માટીના પાત્રમાં અગ્નિના અંગારા હોય આદિ કોઈ પણ જીવ હોય, તો તે પાત્ર લેવું નહીં.
પાત્રમાં રહેલા ત્રસજીવાદિને પોતે કાઢીને તે પાત્ર ગ્રહણ ન કરે, તે જ રીતે ગૃહસ્થાદિ પાસે ત્રસજીવાદિ કઢાવીને તે પાત્ર ગ્રહણ ન કરે અને કોઈ ગૃહસ્થ પાત્રમાંથી સૂત્રોક્ત ત્રસજીવાદિ કાઢીને પાત્ર આપે તો પણ તે પાત્ર ગ્રહણ કરે નહીં. આ છ સૂત્રના ક્રમમાં તથા સંખ્યામાં અન્ય પ્રતોમાં ભિન્નતા જોવા મળે છે. અહીં ભાષ્ય અને ચૂર્ણ અનુસાર ક્રમ રાખ્યો છે.
કાષ્ઠ કે તુંબડાના પાત્રમાં અગ્નિ રહી ન શકે, તેથી તે સુત્રમાં માત્ર માટીના પાત્રની અપેક્ષાએ કથન સમજવું, આવા પાત્ર લેવામાં તે જીવોને સ્થાનાંતરિત કરવા પડે તથા તેઓનું સંઘઠન, સંમર્દન પણ થાય છે માટે અહીં તેવા પાત્ર લેવા સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આ છ સૂત્રોના ક્રમમાં તથા સંખ્યામાં અન્ય પ્રતોમાં ભિન્નતા જોવા મળે છે. પ્રસ્તુતમાં ભાષ્ય-ચૂર્ણિ અનુસાર પાઠ ગ્રહણ કર્યો છે. પાત્ર પર નકશી કામ કરવું:३७ जे भिक्खू पडिग्गहं कोरेइ, कोरावेइ, कोरियं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી પાત્ર ઉપર કોતર કામ-નકશી કામ કરે, અન્ય પાસે કરાવે કે કોતરકામ કરીને અપાતા પાત્રને ગ્રહણ કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રથમ ઉદ્દેશકમાં પાત્રનું મુખ ઠીક કરવાનું તથા વિષમને સમ બનાવવા રૂપ પરિકર્મનું પ્રાયશ્ચિત્ત કથન છે. અન્ય પરિકનું પ્રાયશ્ચિત્ત આ ઉદ્દેશકમાં કહ્યું છે અને અહીં આ ૩૭મા સૂત્રમાં પાત્ર પર કોતરણી, નકશીકામ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પાત્રમાં કોતરણી કરવામાં મુખ્ય ઉદ્દેશ્ય વિભૂષાનો હોય છે અને દશવૈકાલિક આદિ સૂત્રોમાં ભિક્ષને માટે વિભુષાવૃત્તિનો નિષેધ છે. ભાષ્યકારે તેમાં “કૃષિર દોષ” કહ્યો છે. કોતરણી કરેલા સ્થાનમાં જીવ કે આહાર ભરાઈ જાય છે અને તેનું શોધન થઈ શકતું નથી, તેથી તે ક્રિયાનું અહીં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ગ્રામાંતરાદિમાં પાત્ર માંગવા - |३८ जे भिक्खू णायगं वा अणायगं वा उवासगं वा अणुवासगं वा गामंतरंसि वा गामपहतरसि वा पडिग्गहं ओभासिय-ओभासिय जायइ, जायंत वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગામાંતર(અન્ય ગામ કે ગામની મધ્યમાં)માં ગ્રામમાત્તર(માર્ગની મધ્યમાં) સ્વજન, અન્યજન, શ્રાવક કે અશ્રાવક-શ્રાવક ન હોય, તેની પાસે માંગી-માંગીને પાત્રની યાચના કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માંગીને પાત્ર યાચના કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
મતસિ..... :- સ્વજનાદિ કોઈ પણ ગૃહસ્થ પોતાના ઘરમાં કે પોતાના જ અન્ય કોઈ સ્થાનમાં હોય ત્યારે પાત્રની યાચના કરી શકાય છે, પરંતુ જો તે અન્ય ગામમાં હોય, ગ્રામાંતર અર્થાત્ ગામની બહાર હોય કે ગામમાં પણ માર્માંતર—બજારમાં કે બે માર્ગની વચ્ચેના ભાગમાં હોય કે માર્ગમાં ચાલતા હોય ત્યારે ત્યાં પાત્રની યાચના કરવી ન જોઈએ, કારણ કે ત્યાં તેની પાસે તો પાત્ર હોતા નથી.
૨૧૪
ગમે ત્યાં યાચના કરવાથી તે સ્વજનાદિ અનુરાગી હોય તો એષણાના દોષની સંભાવના રહે છે. જો તે અનુરાગી ન હોય તો ગામની મધ્યમાં વગેરે સ્થાનોમાં યાચના થવાથી કુપિત થાય, અનાદર કરે, પાત્ર હોવા છતાં નિષેધ કરે ઇત્યાદિ દોષોની સંભાવનાના કારણે અહીં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પરિષદમાં પાત્ર યાચનાઃ
|३९ भिक्खू णाय वा अणायगं वा उवासगं वा अणुवासगं वा परिसामज्झाओ उट्ठवेत्ता पडिग्गहं ओभासिय- ओभासिय जायइ, जायंतं वा साइज्जइ ।
ભાવાર્થ -- જે સાધુ કે સાધ્વી પરિષદમાં સ્થિત સ્વજન કે અન્યજન, ઉપાસક કે અનુપાસક પાસે માંગી-માંગીને પાત્રની યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પૂર્વસૂત્રમાં દાતા પોતાના ઘર કે સ્થાન સિવાયના સ્થાન, માર્ગ આદિમાં હોય ત્યારે પાત્ર યાચના ન કરવાનું જણાવ્યું છે; આ સૂત્રમાં દાતા સ્વગૃહમાં કે યથાસ્થાને સ્થિત હોય ત્યારે કેવી સ્થિતિમાં યાચના ન કરવી તે જણાવ્યું છે. સ્વગૃહમાં દાતા અન્ય કોઈ એક કે અનેક વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય કે પરિષદમાં બેઠા હોય ત્યાં તેઓની વચ્ચમાં જઈને અથવા ત્યાંથી ઉઠાડીને પાત્રની યાચના કરવી ન જોઈએ. આ રીતે યાચના કરે તો તેને આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
પાત્રની યાચના માટે સાધુ જો ગૃહસ્થદાતાની પરિષદમાં જઈને અથવા સભામાંથી ઉઠાડીને યાચના કરે, તો તેઓના આવશ્યક વાર્તાલાપમાં સ્ખલના થાય, વાર્તાલાપ બંધ કરવો પડે તેથી દાતાને સાધુ પ્રત્યે રોષ જાગે, સાધુ અને ધર્મ પ્રત્યે અપ્રીતિ થાય, ક્યારેક દાતાને પોતાનો વાર્તાલાપ બંધ ન કરવો હોય, તેમાં વ્યસ્ત હોય તો પોતાની પાસે પાત્ર હોવા છતાં આપવાની ‘ના’ પાડી દે ઇત્યાદિ દોષોની સંભાવના રહે છે માટે અહીં તેનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
છે
જો સાધુ આવ્યા છે તેવું જાણી, ભક્તિવાન ગૃહસ્થ સ્વયં વાતચીત બંધ કરી સાધુ પાસે આવે તો વિવેકપૂર્વક તેની પાસે યાચના કરી શકે છે પણ પોતે ગૃહસ્થને વાતચીતમાંથી(પરિષદમાંથી) ઉઠાડે નહીં. તેવો આ સૂત્રનો આશય છે.
પાત્ર માટે નિવાસ કરવો -
४० जे भिक्खू पडिग्गह-णीसाए उडुबद्धं वसइ, वसंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્ર પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ઋતુબદ્ધકાળ અર્થાત્ શેષકાળમાં માસકલ્પ રહે કે રહેનારનું અનુમોદન કરે,
|४१ जे भिक्खू पडिग्गह-णीसाए वासावासं वसइ, वसंतं वा साइज्जइ । तं
Page #283
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૪
[ ૨૧૫]
सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી પાત્ર પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ચાતુર્માસ કલ્પ રહે કે રહેનારનું અનુમોદન કરે તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશક કથિત ૪૧ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાત્રની યાચના માટે કોઈ ગામમાં માસકલ્પ કે ચાતુર્માસ કલ્પ રહે, તો તેના પ્રાયશ્ચિત્તનું કથન છે. ડિEળીલા:- પાત્ર અર્થે નિવાસ (૧) કોઈ સાધુ ગૃહસ્થને કહે કે- અમે પાત્ર માટે જ આ ગામમાં માસ કલ્પ કે ચાતુર્માસ કલ્પ રહીએ છીએ માટે અમને સારા પાત્ર આપજો કે અપાવજો, આ પ્રમાણે વચનબદ્ધ કરી તે ગામમાં રહે તો તે પાત્ર માટે નિવાસ કર્યો કહેવાય છે. આવા નિવાસનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે. (૨) આ ક્ષેત્રમાં પાત્ર મળશે તેવા આગ્રહયુક્ત પોતાના સંકલ્પ સાથે માસ કલ્પ યોગ્ય બીજા ક્ષેત્રને છોડી, ત્યાં રહે તો તે પણ પાત્ર માટે નિવાસ કહેવાય છે અને તેનું આ સુત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
કદાચિત ભિક્ષને પાત્રની અત્યંત આવશ્યક્તા હોય અને ક્યારેક તેના માટે થોડા દિવસ રોકાવું પણ પડે તો સાધુ તે પ્રમાણે કરી શકે છે, પરંતુ આગ્રહ યુક્ત સંકલ્પ કે ગૃહસ્થ સાથે વચન બદ્ધતા કરવી યોગ્ય નથી.
જો પાત્ર માટે ગૃહસ્થને વચનબદ્ધ કરીને કે પોતે સંકલ્પ કરીને તે ગામમાં રહે અને યોગ-સંયોગે ત્યાં પાત્ર ન મળે તો સાધુ અને ગૃહસ્થ બંનેને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થાય છે. ગૃહસ્થ જો અનુરાગી હોય તો અનેક દોષ લગાડી પાત્ર લાવીને આપે, તો સંયમની વિરાધના થાય છે, માટે સાધુ આવા સંકલ્પ સાથે કોઈ ગામમાં રહે નહીં.
આ ઉદ્દેશકમાં ૪૧ સુત્ર દ્વારા ૪૧ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
- ચૌદમો ઉદ્દેશક સંપૂર્ણ .
Page #284
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬]
શ્રી નિશીથ સૂત્ર
પંદરમો ઉદ્દેશક | પરિચય છRORRORDROROR
આ ઉદ્દેશકમાં ૧૫૪ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
પરુષ-કઠોર વચન આદિથી અન્ય ભિક્ષની આશાતના કરવી, સચિત્ત આમ્ર કે તેના ખંડ આદિ ખાવા, ગૃહસ્થ પાસે પોતાના શરીર સંબંધી પરિકર્મ કાર્ય કરાવવું, અકલ્પનીય સ્થાનોમાં પરઠવું, ગૃહસ્થને આહાર, વસ્ત્રાદિ દેવા, પાર્થસ્થાદિને આહાર, વસ્ત્રાદિનું આદાન-પ્રદાન કરવું વસ્ત્ર ગ્રહણ કરવામાં ઉગમ આદિ દોષોના પરિહાર માટે પૂર્ણ ગવેષણા ન કરવી, વિભૂષાના સંકલ્પથી શરીર પરિકર્મના ૫૪ કાર્યો કરવા, વિભુષાના સંકલ્પથી વસ્ત્રાદિ ઉપકરણ રાખવા, વિભૂષાના સંકલ્પથી વસ્ત્રાદિ ઉપકરણોને ધોવા, ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૫.
| ૨૧૭ ]
પંદરમો ઉદેશક
– VEle] [૧૫૪ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન //e/2/
સાધુ-સાધ્વીની આશાતના:| १ जे भिक्खू भिक्खुं आगाढं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્ય સાધુ-સાધ્વીને આક્રોશ વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू भिक्खुं फरूसं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્ય સાધુ-સાધ્વીને કઠોર વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू भिक्खं आगाढ-फरूसं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અન્ય સાધુ-સાધ્વીને આક્રોશ વચન તથા કઠોર વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, | ४ जे भिक्खूभिक्खूअण्णयरीए अच्चासायणाए अच्चासाएइ, अच्चासाएंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અન્ય સાધુ-સાધ્વીની કોઈ પણ પ્રકારે આશાતના કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
દસમાં ઉદ્દેશકના પ્રથમ ચાર સૂત્રોમાં પૂજયનીય આચાર્ય કે ગુરુજનો તેમજ રત્નાધિકોની આશાતના કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પૂજ્યવરોનો વિનય કરવો તે તો સાધુઓનું કર્તવ્ય છે તે જ રીતે સામાન્ય સંતો, સતીજીઓ કે અન્ય ગચ્છના સાધુ-સાધ્વીઓ પ્રત્યે પણ સાધુએ અવિનય-આશાતના યુક્ત વચન-વ્યવહાર, તિરસ્કાર સૂચક પ્રવૃત્તિઓ કરવી ન જોઈએ. જો કોઈ સાધુ એવી પ્રવૃત્તિ કરે તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે.
તેરમા ઉદ્દેશકમાં આ પ્રકારના ચાર સૂત્રોથી ગૃહસ્થની આશાતના કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તે જ રીતે અહીં પણ પ્રથમ ત્રણ સૂત્રોમાં વચન સંબંધી આશાતનાના પ્રાયશ્ચિત્તોનું અને ચોથા સુત્રમાં અન્ય સર્વ પ્રકારની આશાતનાના પ્રાયશ્ચિત્તનું કથન કરવામાં આવ્યું છે. સાધુઓને અપ્રિયવચન કહેવાનો નિષેધ દશ., અ. ૧૦, ગા. ૧૮માં છે. સચિત્ત આમ્રફળનો ઉપભોગ - | ५ | जे भिक्खू सचित्तं अंबं भुंजइ, भुंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત કેરી ખાય કે ખાનારનું અનુમોદન કરે.
Page #286
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૮ ]
શ્રી નિશીથ સૂત્ર
|६ जे भिक्खू सचित्तं अंबं विडंसइ, विडंसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત કેરી ચૂસે કે ચૂસનારનું અનુમોદન કરે, |७ जे भिक्खू सचित्त-पइट्ठियं अंबं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત કેરી ખાય કે ખાનારનું અનુમોદન કરે,
८ जे भिक्खू सचित्त-पइट्ठियं अंबं विडंसइ, विडंसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત કેરી ચૂસે કે ચૂસવારનું અનુમોદન કરે, | ९ जे भिक्खू सचित्तं अंबं वा अंब-पेसि वा अंब-भित्तं वा अंब-सालगं वा अंबडालगं(अंबडगलं) वा अंबचोयगं वा भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી સચિત્ત કેરી, કેરીની ચીર, કેરીના અર્ધાભાગ(ફાડીયા), કેરીનો રસ, કેરીના ટુકડા કે કેરીની છાલને ખાય અથવા ખાનારનું અનુમોદન કરે, |१० जे भिक्खू सचित्तं अंबं वा जाव अंबचोयगंवा विडंसइ विडंसंतं वा साइज्जइ। ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી સચિત્ત કેરી યાવતુ કેરીની છાલ વગેરેને ચૂસે કે ચૂસવારનું અનુમોદન કરે, ११ जे भिक्खू सचित्तपइट्ठियं अंबं जाव अंबचोयगंवा भुंजइ, भुंजतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત કરી કે કેરીની છાલ વગેરે ખાય કે ખાનારનું અનુમોદન કરે. १२ जे भिक्खू सचित्तपइट्ठियं अंबं वा जाव अंबचोयगं वा विडंसइ, विडंसतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત કેરી, કેરીની છાલ વગેરેને ચૂસે કે ચૂસવારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ આઠ સુત્રોમાં સચિત્ત કેરી ખાવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ભાષ્યકારે ઉપલક્ષણથી સર્વ સચિત્ત ફળો ખાવાનું પ્રાયશ્ચિત્ત પણ આ સૂત્રોથી સમજી લેવાનું સૂચિત કર્યું છે.
પ્રથમ સૂત્ર ચતુષ્ટયમાં અખંડ આમ્રફળ ખાવા તથા ચૂસવાનું તથા દ્વિતીય સૂત્ર ચતુષ્ટયમાં કેરીના સચિત્ત ટૂકડા વગેરે ખાવા-ચૂસવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આચા., શ્રુ. ૨, અ.૭, ઉ. ૨, સૂ. માં સચિત્ત કેરીના ટુકડા(અર્ધ ભાગ), કેરી ટુકડા ચીર વગેરે ગ્રહણ કરવાનો નિષેધ છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
પ્રસ્તુત સૂત્ર–પમાં વિત્ત સંવ નું કથન છે અને સૂત્ર–૯માં પુનઃ વિત્ત અંકનું કથન છે. આચા, શ્રુ.૨, અ.૭, ઉ.૨, સૂ. માં અંજસિવાયના સંવાલિયવગેરે પાંચ શબ્દોનું કથન છે. આચારાંગનો તે સૂત્ર પાઠ શુદ્ધ છે અને તેના અર્થ પણ સુસંગત જણાય છે. નિશીથ સૂત્રમાં લિપિ દોષ કે પ્રમાદથી ‘સંવ શબ્દ (સૂ. ૯) બીજીવાર આવી ગયો હોય તેવી સંભાવના છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૫
૨૧૯
ચૂર્ણિકારના મતઅનુસાર ‘વ’ શબ્દના અનેક અર્થો :– સૂ. ૯માં ફરી આવેલા ‘વ’ શબ્દના અનેક અર્થો ચૂર્ણિકારે આ પ્રમાણેની કલ્પના કરી છે.
(૧) પ્રથમ સૂત્ર ચતુષ્કમાં બદ્ધાસ્થિક આમ્રફળ અર્થાત્ ગોઠલી બંધાય ગઈ હોય તેવા અને દ્વિતીય સૂત્ર ચતુષ્કમાં અબદ્રાસ્થિક–ગોઠલી બંધાણી ન હોય તેવા આમ્રફળનું કથન છે.
(૨) પ્રથમ ચતુષ્કમાં અખંડિત અને દ્વિતીય ચતુષ્કમાં ખંડિત આમ્રફળનું કથન છે.
(૩) પ્રથમ ચતુષ્કમાં સામાન્ય અને દ્વિતીય ચતુષ્કમાં વિશિષ્ટ કથન છે.
આ સૂત્રોમાં સચિત્ત અને સચિત્ત પ્રતિષ્ઠિત(ગોઠલી યુક્ત) આમ્રફળ અને આમ્રના વિભાગોને ખાવા અને ચૂસવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અર્થાપત્તિ ન્યાયે અચિત્ત અને ગોઠલી રહિત આમ્રફળ ખાવા ચૂસવાનું પ્રાયશ્ચિત્ત નથી, તેમ સમજવું જોઈએ. આમ્રવનમાં રહેવા અને આમ્રફળ ખાવા આદિનું વિશેષ વર્ણન આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ–૨, અધ્યયન-૭, ઉદ્દેશક–રમાં જુઓ.
ગૃહસ્થ દ્વારા શરીર પરિકર્મ કરાવવું:
१३ जे भिक्खू अण्णउत्थिएण वा गारत्थिएण वा अप्पणो पाए आमज्जावेज्ज वा पमज्जावेज्ज वा, आमज्जावेंतं वा पमज्जावेंतं वा साइज्जइ एवं तइय उद्देसग गमेणं णेयव्वं जाव... जे भिक्खू गामाणुगामं दुइज्जमाणे अण्णउत्थि एण वा गारत्थिएण वा अप्पणो सीसदुवारियं कारेइ कारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના પગનું એકવાર કે વારંવાર આમર્જન કરાવે કે કરાવનારનું અનુમોદન કરે. આ રીતે ત્રીજા ઉદ્દેશક પ્રમાણે સર્વ(૫૪) સૂત્રો જાણવા યાવત્ જે સાધુ કે સાધ્વી વિહાર કરતાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાનું મસ્તક ઢંકાવે કે ઢંકાવનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
ત્રીજા ઉદ્દેશકમાં શરીર પરિકર્મ સંબંધી(૫૪) સૂત્રો છે. ત્યાં સાધુ સ્વયં નિષ્કારણ પગનું આમર્જન આદિ કરે તો પ્રાયશ્ચિત્ત આવે, તેમ વિધાન છે. આ ઉદ્દેશકમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસેથી સાધુ પોતાના શરીરનું પરિકર્મ કરાવે, તો તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. આચા, શ્રુ. ૨, અ. ૧૩, સૂ. ૧માં ગૃહસ્થાદિ પાસે કાય પરિકર્મ કરાવવાનો નિષેધ છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. આ સૂત્રોનું વિવેચન ત્રીજા ઉદ્દેશક પ્રમાણે જાણવું.
જાહેર સ્થાનોમાં પરઠવું:
१४ जे भिक्खू आगंतागारंसि वा आरामागारंसि वा गाहावइकुलंसि वा परियावसहंसि वा उच्चार- पासवणं परिद्ववेइ परिट्ठवेंतं साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉદ્યાન, ગાથાપતિકુળ કે પરિવ્રાજકના આશ્રમમાં ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે,
Page #288
--------------------------------------------------------------------------
________________
| २२० ।
શ્રી નિશીથ સત્ર
|१५ जे भिक्खू उज्जाणंसि वा उज्जाणगिहंसि वा उज्जाणसालंसि वा णिज्जाणंसि वा णिज्जाणगिहसि वा णिज्जाणसालंसि वा उच्चारपासवणं परिट्ठवेइ, परिवेंतं साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ઉદ્યાન, ઉદ્યાનગૃહ, ઉધાનશાળા, નગર બહારના સ્થાન, નગર બહાર બનેલા ઘર, નગર બહારની શાળામાં ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, |१६ जे भिक्खू अटुंसि वा अट्टालयंसि वा चरियसि वा पागारंसि वा दारंसि वा गोपुरंसि वा उच्चारपासवणं परिट्ठवेइ, परिट्ठवेंतं साइज्जइ । भावार्थ :- हे साधु साध्वी 02, मामि, य२१, १२, द्वार गोपुरमा उभ्यार-प्रस१९॥ પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, १७ जे भिक्खू दगमग्गंसि वा दगपहंसि वा दगतीरंसि वा दगठाणसि वा उच्चारपासवणं परिढुवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી જળમાર્ગ, જળપથ, જળાશયના તીર કે જલસ્થાન પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, |१८ जे भिक्खू सुण्णगिहंसि वा सुण्णसालंसि वा भिण्णगिहसि वा भिण्णसालंसि वा कूडागारसि वा कोट्ठागारसि वा उच्चारपासवणं परिटुवेइ, परिटुवेत वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શૂન્યગૃહ-શૂન્યશાળામાં, ભગ્નગૃહ-ભગ્નશાળા, કૂટાગાર કે કોષ્ઠાગારમાં કે પરઠનારનું અનુમોદન કરે, १९ जे भिक्खू तणगिहंसि वा तणसालंसि वा तुसगिर्हसि वा तुससालंसि वा भुसगिहसि वा भुससालसि वा उच्चारपासवणं परिढवेइ, परिर्वत साइज्जइ । भावार्थ :- हे साधु साध्वी तृगृड-तृशा , तुसड-तुसा , भुसगड-मुसशाणामां ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે,
२० जे भिक्खू जाणगिर्हसि वा जाणसालंसि वा वाहणगिहसि वा वाहणसालंसि वा उच्चारपासवणं परिट्ठवेइ, परिट्ठवेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી યાનગૃહ, યાનશાળા, વાહન ગૃહમાં, વાહન શાળામાં ઉચ્ચાર-પ્રસવણ પરઠે પરઠનારનું અનુમોદન કરે, २१ जे भिक्खू पणियसालंसि वा पणियगिर्हसि वा परियासालंसि वा परियागिर्हसि वा कुवियसालंसि वा कुवियगिहसि वा उच्चारपासवणं परिट्ठवेइ परिहवेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વિક્રયશાળા-વિક્રયગૃહ, પરિવ્રાજકશાળા-પરિવ્રાજકગૃહ, ચૂનો વગેરે બનાવવાની શાળા કે ચૂનો વગેરે બનાવવાના ઘરમાં ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે,
Page #289
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૫
૨૨૧ |
२२ जे भिक्खू गोणसालंसि वा गोणगिहसि वा महाकुलंसि वा महागिहंसि वा उच्चारपासवणं परिट्ठवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી બળદશાળા–બળદગૃહ, મહાકુળ-મહાગૃહમાં, ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આ નવ સુત્રોમાં ૪૬ સ્થાનોનું કથન છે. આ ૪૬ સ્થાનોનું સંપૂર્ણ વિવરણ આઠમા ઉદ્દેશકના ૧ થી ૯ સૂત્રમાં વર્ણિત ૪૬ સ્થાનોની જેમ જ જાણવું.
આ સુત્રોમાં ૪૬ સ્થાનોના નામ આપ્યા છે, તે સ્થાનોમાં સાધુ ઉચ્ચાર-પ્રસવણનો ત્યાગ ન કરે. આ ૪૬ સ્થાનોમાંથી કેટલાક સ્થાનો સાર્વજનિક છે, કેટલાક સ્થાનો વ્યક્તિગત છે. ઉપલક્ષણથી તેવા પ્રકારના અન્ય સ્થાનનું પણ ગ્રહણ આ સૂત્રોથી થઈ જાય છે કે જે સ્થાનોના કોઈ માલિક હોય અથવા રક્ષક હોય તેવા સ્થાનોમાં સાધુ પરઠે નહીં.
સામાન્યપણે સાધુ ગામની બહાર, આવાગમન રહિત, કોઈ ગૃહસ્થ ન જુએ તેવા સ્થાન પર ઉચ્ચાર-પ્રસવણનું વિસર્જન કરે છે. આચા., શ્રુ. ૨, અ. ૧૦, સૂ. ૮, ૧૦, ૧૬ આદિ સૂત્રોમાં ઉધાનાદિમાં પરઠવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
આ સૂત્રોમાં ‘ઉચ્ચાર-પ્રસવણ’ આ બંને શબ્દોનો પ્રયોગ સાથે છે, તેમ છતાં મુખ્યતાએ ઉચ્ચાર સંબંધી સૂત્રોક્ત કથનો છે, તેમ સમજવું જોઈએ. સાધુ જ્યાં સ્થિત હોય ત્યાં નિર્દોષ પરિષ્ઠાપન ભૂમિમાં જ પ્રસવણાદિનો ત્યાગ કરી શકે છે. પરિષ્ઠાપન ભૂમિના કોઈ વ્યક્તિગત માલિક નહોય તો શકેન્દ્ર મહારાજની આજ્ઞા લેવાય અને માલિક હોય તો તેમની આજ્ઞા લેવાય અને ઉત્તરાધ્યયન સૂત્રોક્ત ૧૦ બોલ યુક્ત ભૂમિ હોય ત્યાં પરઠી શકાય.
ઉપરોક્ત ૪૬ સ્થાનોના કોઈ માલિક કે રક્ષક હોય અને તેવા સ્થાનોમાં સાધુ માલિકની આજ્ઞા વિના પરઠે તો તૃતીય મહાવ્રતમાં દોષ લાગે છે. સ્થાનના સ્વામીને જાણકારી થાય તો સાધુની અસભ્યતા તેમજ મૂર્ખતા પ્રગટ થાય, સાધુ તથા શાસનની નિંદા થાય, કોપિત થયેલા તે ગૃહસ્થ સાધુ સાથે અશિષ્ટ, વ્યવહાર પણ કરી શકે છે. આ દોષોને ધ્યાનમાં રાખી સાધુ તેવા સ્થાનોમાં પરઠે નહીં અને જો ભૂલથી તેવા સ્થાનમાં પરઠે તો પ્રાયશ્ચિત્ત આવે છે. ગૃહસ્થને આહાર આપવોઃ| २३ जे भिक्खू अण्णउत्थियस्स वा, गारत्थियस्स वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा देइ, देत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગુહસ્થને અશનાદિ ચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુને ભિક્ષામાં પ્રાપ્ત આહાર ગૃહસ્થને આપવો કલ્પતો નથી. કોઈ શ્રાવક સામાયિક વ્રત સ્વીકારી
Page #290
--------------------------------------------------------------------------
________________
રરર |
શ્રી નિશીથ સૂત્ર
ઉપાશ્રયમાં સ્થિત હોય તો પણ તેને આહાર-પાણી આપવા કહ્યું નહીં. શ્રાવકો સંપૂર્ણ સાવધ યોગના ત્યાગી નથી અને સામાયિક કરે ત્યારે પણ તેમનું સાવધ કાર્યનું સ્વામિત્વ ચાલુ જ રહે છે માટે સામાયિક વ્રતધારી શ્રાવક આદિ કોઈપણ ગૃહસ્થને અશનાદિ ચાર પ્રકારનો આહાર આપવો કલ્પતો નથી. ગૃહસ્થને આહાર આપવાના દોષોઃ- (૧) ગૃહસ્થ સાવધ કાર્યમાં રત હોય છે, તેમને આહારાદિ આપવાથી સાવધ કાર્યની અનુમોદના થાય છે. (૨) દાતા સાધુને સંયમ સાધનામાં સહયોગી બનવા આહારદાન કરે છે. અન્ય ગૃહસ્થને સાધુ આહાર આપે તેવી ગૃહસ્થની આજ્ઞા ન હોવાથી તૃતીય મહાવ્રત દૂષિત થાય છે. (૩) જિનેશ્વર ભગવાનની આજ્ઞાનો ભંગ થાય છે. (૪) આહાર દાતાને જાણ થતાં સાધુ પ્રત્યે અશ્રદ્ધા થાય અને દાનની ભાવના મંદ પડે માટે સાધુએ ગૃહસ્થને આહારાદિ આપવા ન જોઈએ અને જો આપે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે.
ક્યારેક દાતા કે ભિક્ષુની અસાવધાનીથી સચિત્ત આહાર-પાણી કે અકલ્પનીય આહારાદિ પદાર્થ ગ્રહણ થઈ ગયા હોય તો સાધુએ તુરંત તે જ ગૃહસ્થને પાછા સોંપી દેવા જોઈએ તેવું વિધાન આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યય-૧, ઉદ્દેશક–૧૦ તથા આચારાંગ સૂત્ર, અધ્યયન-૬ ઉદ્દેશક–રમાં છે અને આ રીતે સચિત્ત આહારાદિ પાછા આપે તો પ્રાયશ્ચિત્ત આવતું નથી. પાર્થસ્થાદિ સાથે આહારનું આદાન-પ્રદાન - |२४ जे भिक्खू पासत्थस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा देइ, देतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી પાર્થસ્થને અશનાદિ ચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે २५ जे भिक्खू पासत्थस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिच्छइ, पडिच्छत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાર્થસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २६ जे भिक्खू ओसण्णस्स असणं वा पाणं वा खाइम वा साइमं वा देइ, देतं વા સાજન ! ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અવસનને અશનાદિ ચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે २७ जे भिक्खू ओसण्णस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिच्छइ पडिच्छत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવસાન પાસેથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू कुसीलस्स असणं वा पाणं वा खाइम वा साइमं वा देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુશીલને અશનાદિ ચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે,
Page #291
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૫
| ૨૨૩ ]
२९ जे भिक्खू कुसीलस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिच्छइ पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુશીલ પાસેથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, |३० जे भिक्खू संसत्तस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा देइ, देतं वा સાડ઼ઝરૂ I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સંસક્તને અશનાદિચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે ३१ जे भिक्खू संसत्तस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिच्छइ, पडिच्छत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સંસક્ત પાસેથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ३२ जे भिक्खू णितियस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा देइ, देतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નિત્યકને અશનાદિ ચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે, ३३ जे भिक्खू णितियस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિત્યક પાસેથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાર્થસ્થ આદિ પાંચ સાથે આહાર આદિના આદાન-પ્રદાનના પ્રાયશ્ચિત્તનું કથન છે.
પાર્થસ્થ આદિ ભિક્ષુઓને આહાર આપવાથી તેના એષણા દોષોની કે અન્ય દૂષિત પ્રવૃત્તિઓની અનુમોદના થાય છે તથા પાર્થસ્થ આદિ પાસેથી આહાર લેવામાં ઉગમ આદિ દોષયુક્ત આહારનું સેવન થાય છે, પાર્થસ્થાદિ સાથે આહાર લેતા-દેતા તેઓ સાથે સંસર્ગની વૃદ્ધિ થાય અને ક્રમશઃ સંયમ દૂષિત થાય છે માટે સાધુએ શુદ્ધ સંયમી સાંભોગિક સાધુ સાથે જ આહારનું આદાન-પ્રદાન કરવું જોઈએ, તેઓ સાથે આહારનું આદાન-પ્રદાન કરે, તો આ ૧૦ સૂત્રોમાં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પાર્થસ્થ આદિનું સ્વરૂપ ચોથા ઉદ્દેશકના વિવેચનમાં કહેવાયું છે. ગૃહસ્થને વસ્ત્રાદિ આપવા:३४ जे भिक्खू अण्णउत्थियस्स वा गारत्थियस्स वा वत्थं वा पडिग्गरं वा कंबलं वा पापयुंछणं वा देइ, देत वा साइज्जइ ।
Page #292
--------------------------------------------------------------------------
________________
| २२४ ।
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક અથવા ગૃહસ્થને વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રૉપ્શન આપે અથવા આપનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. विवेयन :
સૂત્ર ર૩માં ગૃહસ્થને આહાર આપવાનો નિષેધ છે. આ સૂત્રમાં વસ્ત્ર, પાત્ર વગેરે આપવાનો નિષેધ છે. ભિક્ષુ ગૃહસ્થ પાસેથી આહાર-વસ્ત્રાદિ ગ્રહણ કરી શકે છે, પરંતુ ગૃહસ્થને આપવા કલ્પતા નથી. પાર્થસ્થાદિ સાથે વસ્ત્રાદિનું આદાન-પ્રદાનઃ३५ जे भिक्खू पासत्थस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ, देत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાર્થસ્થને વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોપ્શન આપે કે આપનારનું અનુમોદન કરે, ३६ जे भिक्खू पासत्थस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાર્થસ્થ પાસેથી વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રાંછન ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, |३७ जे भिक्खू ओसण्णस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ, दंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવસનને વસ્ત્ર, પાત્રાદિ આપે કે આપનારનું અનુમોદન કરે, ३८ जे भिक्खू ओसण्णस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અવસાન પાસેથી વસ્ત્ર, પાત્રાદિ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ३९ जे भिक्खू कुसीलस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ देंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી કુશીલને વસ્ત્ર, પાત્રાદિ આપે કે આપનારનું અનુમોદન કરે, ४० जे भिक्खू कुसीलस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिच्छइ, पडिच्छत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુશીલનું વસ્ત્ર, પાત્રાદિ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ४१ जे भिक्खू संसत्तस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ देत वा साइज्जइ ।
Page #293
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૫
| | ૨૨૫ ]
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સંસક્તને વસ્ત્ર, પાત્ર, બલ, પાદપ્રાંછન આપે કે આપનારનું અનુમોદન કરે, ४२ जे भिक्खू संसत्तस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा કચ્છ, કચ્છત વા સારૂ I ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સંસક્તના વસ્ત્ર, પાત્ર, કંબલાદિ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ४३ जे भिक्खू णितियस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ देतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નિત્યકને વસ્ત્ર, પાત્ર, કંબલાદિ આપે કે આપનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू णितियस्स वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિત્યકના વસ્ત્ર, પાત્ર, કંબલાદિ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આહારાદિની જેમ પાર્થસ્થ સાથે વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોચ્છનનું આદાન-પ્રદાન કરવું સાધુને કલ્પતું નથી. ઉપલક્ષણથી કોઈ પણ ઉપકરણની આપ-લે સાધુ પાર્શ્વસ્થ આદિ શ્રમણો સાથે ન કરે. આ સૂત્રોનું વિવેચન પૂર્વ સૂત્રો પ્રમાણે જાણવું. ગવેષણા વિના સ્ત્રાદિનું ગ્રહણ:४५ जे भिक्खू जायणावत्थं वा णिमंतणावत्थं वा अजाणिय, अपुच्छिय, अगवेसिय पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । से य वत्थे चउण्ह अण्णयरे सिया, तं जहाणिच्चणियंसणिए मज्जणिए छण्णूसविए रायदुवारिए । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી યાચિત વસ્ત્ર તથા નિમંત્રિત વસ્ત્રને જાણ્યા વિના, પૂછયા વિના, ગવેષણા કર્યા વિના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે તેને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તે વસ્ત્ર ચાર પ્રકારના વસ્ત્રોમાંથી કોઈ પણ પ્રકારના હોઈ શકે છે. જેમ કે– (૧) પહેરવા, ઓઢવા, પાથરવામાં નિત્ય કામમાં આવનાર વસ્ત્ર. (૨) સ્નાન કરવાના સમયે પહેરવાના વસ્ત્ર અથવા અલ્પ સમય માટે ઉપયોગમાં આવતા વસ્ત્ર (૩) ઉત્સવમાં જવાના સમયે પહેરવાના વસ્ત્ર. (૪) રાજ સભામાં જવા સમયે પહેરવાના વસ્ત્ર. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વસ્ત્ર કેવા પ્રકારનું છે તે જોયા–જાણ્યા વિના ગ્રહણ કરવાના પ્રાયશ્ચિત્તનું કથન છે. HTTTહ્યું મળવત્થ:- યાચનાવસ્ત્ર. નિમંત્રિત વસ્ત્ર. આ સત્રમાં સાધને વસ્ત્રની પ્રાપ્તિ બે રીતે થાય છે, તેનું કથન છે– (૧) ભિક્ષુ યાચના કરે કે હે ગૃહપતિ ! તમારી પાસે અમારા યોગ્ય કોઈ
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
કલ્પનીય વસ્ત્ર છે ? આ પ્રમાણે યાચના કરી વસ્ત્ર પ્રાપ્ત કરે, તો તે યાચના વસ્ત્ર કહેવાય છે.
(૨) ગૃહસ્થ સ્વતઃ નિયંત્રણ કરે કે હે મુનિ ! મારી પાસે અમુક વસ્ત્રો છે. આપને વસ્ત્રની આવશ્યક્તા હોય તો મારા પર કૃપા કરી ગ્રહણ કરો. આ રીતે ગૃહસ્થના નિમંત્રણ પૂર્વક વસ્ત્ર ગ્રહણ કરે, તો તે નિમંત્રણા– નિમંત્રિત વસ્ત્ર કહેવાય છે.
૨૬
ગૃહસ્થના ચાર પ્રકારના વસ્ત્રોમાંથી સાધુને કોઈ વસ્ત્ર ઉપયોગી અને કલ્પનીય હોય તો ગૃહસ્થ નિમંત્રણ કરે અથવા પોતે યાચના કરીને પણ ગ્રહણ કરી શકે છે, પરંતુ તે ગ્રહણ કરતાં પૂર્વે કોઈ દોષ ન લાગે તે માટે– (૧) તે વસ્ત્ર સંબંધી જાણકારી મેળવવી, (૨) પૃચ્છા કરી લેવી અને (૩) ગવેષણા કરવી આવશ્યક છે.
સાધુએ કોઈ પણ વસ્ત્ર ગ્રહણ કરતાં પૂર્વે તે વસ્ત્ર ઉદ્ગમાદિ દોષથી રહિત છે કે નહિ ? તેની જાણકારી, પૃચ્છા અને ગવેષણા કરવી આવશ્યક છે. ગવેષણા કર્યા વિના ગ્રહણ કરવાથી સ્થાપના, અભિજ્ઞત, ક્રીત, અનિસૃષ્ટ, ઔદેશિક અથવા પશ્ચાત્ કર્મ વગેરે દોષો લાગવાની સંભાવના રહે છે માટે વસ્ત્ર ગ્રહણ કરતાં પહેલાં ગવેષણા ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. ઉપલક્ષણથી વસ્ત્રની જેમ પાત્ર વગેરે અન્ય ઉપકરણોની પણ ગવેષણા ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે, તેમ સમજી લેવું.
વિભૂષા અર્થે શરીર પરિકર્મ :
४६ जे भिक्खू विभूसावडियाए अप्पणो पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जंतं वा पमज्जतं वा साइज्जइ एवं तइय उद्देसग गमेण णेयव्वं जाव... जे भिक्खू विभूसावडियाए गामाणुगामं दूइज्जमाणे अप्पणो सीसदुवारियं करेइ करेंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી વિભૂષા માટે પોતાના પગનું એકવાર કે વારંવાર આમર્જન કરે કે કરનારનું અનુમોદન કરે, આ રીતે ત્રીજા ઉદ્દેશકની જેમ જાણવું યાવત્ જે સાધુ કે સાધ્વી વિભૂષા માટે ગ્રામાનુગ્રામ વિહાર કરતા પોતાનું મસ્તક ઢાંકે કે ઢાંકનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આ સૂત્રોનું વિવેચન ઉદ્દેશક–૩ના ૫૪ સૂત્રોની સમાન સમજી લેવું જોઈએ. વિશેષતા એ છે કે અહીં વિભૂષાના વિચારથી શરીર સંબંધી પરિકર્મ કાર્યો કરવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વિભૂષા અર્થે ઉપકરણોઃ
४७ जे भिक्खू विभूसावडियाए वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा अण्णयरं वा उवगरणजायं धरेइ, धरेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વિભૂષાના સંકલ્પથી વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંચ્છન અથવા અન્ય કોઈ ઉપકરણ રાખે કે રાખનારનું અનુમોદન કરે,
४८ जे भिक्खू विभूसावडियाए वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं
Page #295
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૫
वा अण्णयरं वा उवगरणजायं धोवेइ, धोर्वतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्धाइयं ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી વિભૂષાના સંકલ્પથી વસ્ત્ર, પાત્ર, વગેરે કોઈપણ ઉપકરણો ધુએ કે ધોનારનું અનુમોદન કરે તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશક વર્ણિત ૧૫૪ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
સાધુ વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ સંયમ નિર્વાહને માટે રાખે છે અને ઉપયોગમાં લે છે.
जं पि वत्थं व पायं वा, , कंबलं पायपुंछणं ।
તેં પિ સંગમ તન્નડ્ડા, ધાતિ પરિહરતિ હૈં ॥ દશ., અ. ૬, ગા. ૨૦
एयंपि संजमस्स उववूहणट्टयाए वातातव दंसमसग सीय परिरक्खणट्टयाए उववगरणं રાળ વોલ રહિય પરિરિયાં સંગÜ । પ્રશ્ન., શ્રુ. ૨, અ. ૧ તથા પ.
અર્થ સંયમ નિર્વાહને માટે, લજ્જા નિવારણ માટે તથા હવા—ઠંડી, તાપ, ડાંસ, મચ્છર આદિથી શરીરના સંરક્ષણને માટે સાધુ વસ્ત્રાદિ ધારણ કરે કે ઉપયોગમાં લે. આ પ્રમાણે ઉપકરણોને રાખવાનું પ્રયોજન આગમોમાં સ્પષ્ટ છે, પરંતુ સાધુ જો વિભૂષાને માટે, શરીર આદિની શોભાને માટે અર્થાત્ પોતાને સુંદર દેખાડવાને માટે અથવા નિષ્પ્રયોજન કોઈ ઉપકરણને ધારણ કરે, તો આ સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. પ્રસ્તુત ઉદ્દેશકના ૪૮ સૂત્રોમાં ૧૫૪ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે. સૂત્ર ક્રમ પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા
સૂત્ર ક્રમ
પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા
૧થી ૪
૫ થી ૧૨
૧૩
૧૪ થી ૨૨
૨૩
૨૪ થી ૩૩
૪
८
૫૪
૯
૧
૧૦
૩૪
૩૫ થી ૪૪
૪૫
૪
૪૭-૪૮
કુલ ૪૮
૨૨૭
।। પંદરમો ઉદ્દેશક સંપૂર્ણ ॥
૧
૧૦
૧
૫૪
૨
૧૫૪
Page #296
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૮ ]
શ્રી નિશીથ સૂત્ર
સોળમો ઉદ્દેશક પરિચય છROCRORROROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૫૦ લઘુચમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
ગૃહસ્થયુક્ત, જલયુક્ત, અને અગ્નિયુક્ત સ્થાનમાં રહેવું, સચિત્ત ઇશુ કે ઈક્ષખંડ ખાવા કે ચૂસવા, અરણ્યવાસી, વનમાં જનારા, અટવી યાત્રી પાસેથી આહાર લેવો, અલ્પ ચારિત્ર ગુણવાળાને વિશેષ ચારિત્ર ગુણ સંપન્ન કહેવાં અને વિશેષ ચારિત્ર ગુણ સંપન્નને અલ્પ ચારિત્ર ગુણવાળા કહેવા. વિશેષ ચારિત્ર ગુણ સંપન્ન ગચ્છમાંથી અલ્પ ચારિત્ર ગુણવાળા ગચ્છમાં જવું, કદાગ્રહ યુક્ત સાધુઓની સાથે આહાર, વસ્ત્ર, મકાન, સ્વાધ્યાય વગેરેનું આદાન-પ્રદાન કરવું, સુખ પૂર્વક વિચારવા યોગ્ય ક્ષેત્ર હોવા છતાં પણ અનાર્ય ક્ષેત્રોમાં કે વિકટ માર્ગમાં વિહાર કરવો, જુગુપ્સિત કુળમાંથી આહાર, વસ્ત્ર, શય્યા ગ્રહણ કરવા તથા તેને ત્યાં રહીને સ્વાધ્યાયની વાચના આદાન-પ્રદાન કરવી, ભૂમિ સંસ્તારક કે ખીંટી, શીંકા આદિ પર આહાર મુકવો, ગૃહસ્થોની સાથે બેસીને આહાર કરવો કે ગૃહસ્થો જુએ તેમ આહાર કરવો, આચાર્ય આદિના આસનને પગ અડી જાય, તો વિનય કર્યા વિના ચાલ્યા જવું; સુત્રોક્ત સંખ્યા, માપ(પરિમાણોથી અધિક ઉપધિ રાખવી, વિરાધનાવાળા સ્થાનોમાં ઉચ્ચારાદિ પરઠવા, ઇત્યાદિ દોષ સ્થાનોનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૬
.
| ર૨૯ ]
-
સોળમો ઉદેશક
– ૪૦ લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન //e/2/
VIEW
નિષિદ્ધ શય્યામાં નિવાસઃ| १ जे भिक्खू सागारियं सेज्ज उवागच्छइ, उवागच्छंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ગૃહસ્થયુક્ત શય્યા(સ્થાન)માં રહે કે રહેનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू सउदगं सेज्जं उवागच्छइ, उवागच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાણીયુક્ત શા(સ્થાન)માં રહે કે રહેનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू सागणियं सेज्ज उवागच्छइ, उवागच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અનિયુક્ત શય્યા(સ્થાન)માં રહે કે રહેનારનું અનુમોદન કરે છે તેને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ માટે ગૃહસ્થયુક્ત, પાણીયુક્ત, અગ્નિયુક્ત સ્થાનમાં રહેવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
સીરિક સેકનં - નત્યં ત્નિ-પુરા વતિ સા સારિ જ્યાં સ્ત્રી-પુરુષો રહેતા હોય તે સ્થાન સાગારિક શય્યા કહેવાય છે.
જ્યાં સ્ત્રી-પુરુષ સાથે રહેતા હોય, જ્યાં એકલી સ્ત્રી રહેતી હોય કે માત્ર અનેક સ્ત્રીઓ જ રહેતી હોય, તે સ્થાન સાધુ માટે “સાગારિક શય્યા” છે. પુરુષોથી યુક્ત સ્થાન સાધ્વી માટે “સાગારિક શય્યા” છે. એવી સસાગારિક શય્યામાં સાધુ-સાધ્વી રહે તો તેને આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
વ્યાખ્યાકારે આભૂષણ, વસ્ત્ર, આહાર, સુગંધી પદાર્થ, વાદ્ય, નૃત્ય, નાટક, ગીત તથા શયન, આસન આદિથી યુક્ત સ્થાનને દ્રવ્ય સાગારિક શય્યા” અને સ્ત્રીયુક્ત સ્થાનને ‘ભાવ સાગારિક શય્યા” કહી છે.
દ્રવ્ય કે ભાવ સાગારિક શય્યામાં રહેવાથી તે પદાર્થોનું ચિંતન કે પ્રેક્ષણમાં તથા તેની વાર્તાઓમાં સમય વ્યતીત થાય છે, જેથી સ્વાધ્યાય, પ્રતિલેખન, પ્રતિક્રમણ આદિ સંયમ સમાચારીનું પરિપાલન સૂત્રાનુસાર થઈ શકતું નથી તથા સાંસારિક પ્રવૃત્તિઓનું સ્મરણ તથા સંયમ ભાવમાં શિથિલતા આવવાથી મોહકર્મનો બંધ અને સંયમ વિરાધના થાય છે.
છદ્મસ્થ સાધકને અનુકુળ નિમિત્ત પ્રાપ્ત થતાં ક્યારેક મોહકર્મનો ઉદય થઈ જાય, તો સંયમ કે બ્રહ્મચર્યથી વિચલિત થઈ જાય છે.
આચા, શ્ર.-૨, અ.-૨, ઉ. ૩માં સ્ત્રી, બાળક, પશુ તથા આહારાદિથી યુક્ત શધ્યા(સ્થાન)માં રહેવાનો નિષેધ કર્યો છે અને આવી સાગારિક શય્યામાં રહેવાથી થનારા અનેક દોષોનું પણ કથન કર્યું છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૩૦ ]
શ્રી નિશીથ સૂત્ર
તેથી ભિક્ષ દ્રવ્ય અને ભાવ સાગારિક શય્યાનો પરિત્યાગ કરીને શુદ્ધ શય્યાની ગવેષણા કરે. જો ગવેષણા કરતા નિર્દોષ શય્યા ન મળે તો ગીતાર્થની નેશ્રામાં સાગારિક શય્યામાં વિવેક પૂર્વક રહે અને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. સકલ સેન્ન :- જ્યાં ખુલ્લા હોજમાં કે ઘડા આદિમાં પાણી રહેતું હોય તેવા સ્થાનમાં રહેવાથી ગમનાગમન આદિ કાર્ય કરતાં અષ્કાયિક જીવોની વિરાધના થઈ શકે છે. ઉદય ભાવથી કોઈ સાધુને પાણી પીવાનો સંકલ્પ થાય અથવા અન્ય લોકો સાધુ જલપાન કરે છે, તેવી શંકા કરે છે.
બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક–રમાં જ્યાં સંપૂર્ણ દિન-રાત અચિત્ત જળના ઘડા ભર્યા રહેતા હોય ત્યાં રહેવાનો નિષેધ છે અને અહીં સામાન્ય રૂપે જલસ્થિત સ્થાનમાં રહેવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાથિ નં :- બહત્કલ્પ સુત્ર ઉ. રમાં અગ્નિવાળી શયામાં રહેવાના બે વિકલ્પ કહ્યા છે– (૧) ચૂલો(ભટ્ટી-ભટ્ટા) આદિમાં બળતી અગ્નિ (૨) પ્રજ્વલિત દીપકની અગ્નિ. જે ઘરમાં કે ઘરના કોઈ સ્થાનમાં, ઓરડામાં અગ્નિ બળી રહી હોય કે દીપક જલી રહ્યા હોય તો ત્યાં સાધુ ન રહે, કારણ કે ત્યાં ગમનાગમન, વંદન, પ્રતિલેખન, પ્રમાર્જન આદિ સંયમ સમાચારીના કાર્ય કરતાં અગ્નિકાયની વિરાધનાની સંભાવના રહે છે અને ઠંડી નિવારણને માટે અગ્નિનો ઉપયોગ કરતાં હિંસાની અનુમોદનનો દોષ થાય.
જ્યાં અગ્નિ કે દીપક દિન-રાત જલતા હોય તેવા સ્થાનમાં રહેવાનો બૃહત્કલ્પ સૂત્ર ઉ. રમાં નિષેધ છે, પરંતુ અહીં સામાન્ય રૂપે પ્રજ્વલિત અગ્નિવાળી શધ્યામાં રહેવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
આચારાંગ સૂત્ર, શ્ર.-૨, અ.-૨, ઉ–૩ ના એક જ પાંચમા સૂત્રમાં એક સાથે સાગારિક શય્યા, અગ્નિવાળી શય્યા અને જળવાળી શય્યામાં રહેવાનો નિષેધ છે.
બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક–રમાં અન્ય સ્થાન ન મળે તો સાધુને જળ કે અગ્નિયુક્ત સ્થાનમાં એક-બે રાત રહેવાનું આપવાદિક વિધાન છે.
નિશીથ ભાષ્ય ચૂર્ણિમાં સ્પષ્ટ કર્યું છે કે અગીતાર્થ સાધુને આ પ્રકારના સ્થાનમાં એક-બે રાત્રિ રહે તો પણ પ્રાયશ્ચિત્ત આવે છે, ગીતાર્થ સાધુને પ્રાયશ્ચિત્ત આવતું નથી, કારણ કે તે આપવાદિક સ્થિતિના વિવેકનો યથાર્થ નિર્ણય લઈ શકે છે. સચિત્ત શેરડીનું સેવન:|४ जे भिक्खू सचित्तं उच्छु भुंजइ, भुजंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત શેરડી ખાય કે ખાનારનું અનુમોદન કરે, | ५ जे भिक्खू सचित्तं उच्छु विडंसइ, विडंसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત શેરડી ચૂસે કે ચૂસવારનું અનુમોદન કરે,
६ जे भिक्खू सचित्त-पइट्ठियं उच्छु भुंजइ, भुजंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ખાય કે ખાનારનું અનુમોદન કરે, |७ जे भिक्खू सचित्त-पइट्ठियं उच्छु विडंसइ, विडंसंतं वा साइज्जइ ।
Page #299
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૬
૨૩૧ |
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ચૂસે કે ચૂસનારનું અનુમોદન કરે,
८ जे भिक्खू सचित्तं अंतरुच्छुयं वा उच्छुखंडियं वा उच्छुचोयगं वा उच्छुमेरगं वा उच्छुसालगं वा उच्छुडगलं वा भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત શેરડીના (૧) પર્વનો મધ્યભાગ, (૨) શેરડીની કાતળી(સાંઠાના ટુકડા) (૩) શેરડીના છિલકા (૪) શેરડીના સાંઠાનો અગ્રભાગ, (૫) શેરડીનો રસ (૬) શેરડીના નાના-નાના ટુકડા(ગંડેરી) ખાય કે ખાનારનું અનુમોદન કરે, | ९ जे भिक्खू सचित्तं अंतरुच्छुयं वा जाव उच्छुडगलं वा विडंसइ विडंसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત શેરડીના પર્વનો મધ્યભાગ યથાવત્ શેરડીના નાના-નાના ટુકડા ચૂસે કે ચૂસનારનું અનુમોદન કરે, १० जे भिक्खू सचित्त-पइट्ठियं अंतरुच्छुयं वा जाव उच्छुडगलं वा भुंजइ, भुंजंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વના મધ્યભાગ યાવતું શેરડીના નાના-નાના ટુકડા ખાય કે ખાનારનું અનુમોદન કરે.
११ जे भिक्खू सचित्त-पइट्ठियं अंतरुच्छुयं वा जाव उच्छुडगलं वा विडंसंइ વિડત વા સારૂm I ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વના મધ્ય ભાગ યાવતુ શેરડીના નાના-નાના ટુકડા ચૂસે કે ચૂસનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સચિત્ત શેરડી ખાવા સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પંદરમાં ઉદ્દેશકમાં આમ્રફળના કથનથી સર્વ સચિત્ત ફળોનું કથન થઈ જાય છે પણ શેરડી ફળ નથી સ્કંધ છે, તેથી તેમાં તેનું ગ્રહણ થતું ન હોવાથી અહીં અલગ સૂત્ર દ્વારા તેનું કથન કર્યું છે.
પ્રસ્તુત આઠ સૂત્રોમાંથી પ્રથમ સૂત્ર ચતુષ્કમાં સચિત્ત શેરડી અને બીજા સૂત્ર ચતુષ્કમાં સચિત્ત શેરડીના ખંડિત કરેલા વિભાગોનું કથન છે.
- આચારાંગ સૂત્ર, શ્ર.-૨, અ.-૧, ઉ.-૧૦, સૂ.-૪માં શેરડીને બહુ ઉજિઝત ધર્મા(વધુ ફેંકવું પડે તેવી) કહી તેના ગ્રહણનો નિષેધ કર્યો છે, પરંતુ આચારાંગ સૂત્ર, શ્રુ.-૨, અ.-૭, -૨, . ૯ થી ૧૧માં વિશેષ કારણથી ગ્રહણ કરવી પડે તો અચિત્ત ગ્રહણ કરે, તેવું કથન છે અને અહીં સચિત્ત કે સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ખાય અથવા ચૂસે તો તેનું પ્રાયશ્ચિત્ત કથન છે. અરયાદિમાં આહાર ગ્રહણઃ१२ जे भिक्खू आरण्णगाणं वगंधाणं, अडविजत्ता-संपट्ठियाणं, अडविजत्ता
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૩ર |
શ્રી નિશીથ સુત્ર
पडिणियत्ताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અરણ્યવાસીઓ પાસેથી, વનમાં ગયેલા, અટવીની યાત્રાએ જનારા કે અટવીની યાત્રાએથી પાછા ફરતાં યાત્રિકો પાસેથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રમાં અરણ્ય, જંગલ કે અટવીમાં અશનાદિ ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.
(૧) અરણ્ય- નગર, ગામાદિ વસતિથી અત્યંત દૂરનું જંગલ, તેમજ એક જ પ્રકારના વૃક્ષોનો સમુદાય જેમાં હોય તે “અરણ્ય” કહેવાય છે. (૨) વન- ગામ, નગર વગેરેની સમીપનું જંગલ “વન” કહેવાય છે. (૩) અટવી– ચોરાદિના ભયથી યુક્ત દીર્ઘ જંગલ, જેને પાર કરવામાં અનેક દિવસો લાગે અને વચ્ચે કોઈ વસતિ ન હોય તે અટવી કહેવાય છે. અરણ્યાદિના લોકોના પ્રકાર :- (૧) અરણ્યવાસી કંદ-મૂળ વગેરે ખાઈ વનમાં રહેનાર ચોર, આદિવાસી વગેરે અથવા કોઈ પણ કારણથી અરણ્યમાં ગયેલા લોકો. (૨) આજીવિકા માટે લાકડું વગેરે લેવા ગયેલા લોકો. (૩) દીર્ઘ અટવી પાર કરી યાત્રા કે વેપાર માટે જઈ રહેલો જન સમુદાય-સાર્થ. (૪) અટવી પાર કરી યાત્રા કે વેપારથી પાછો ફરી રહેલો જનસમુદાય.
અરણ્યાદિમાં આહારાદિ ઉપલબ્ધિના અન્ય સાધન હોતા નથી અને સાધુ તેઓ પાસેથી આહાર ગ્રહણ કરે અને તેઓને આહારાદિ ઓછા થાય તો તેઓ વનસ્પતિની વિરાધના કરે, પશુ-પક્ષીની હિંસા કરે અથવા ક્ષુધાથી પીડિત થાય, તેવા દોષોની સંભાવનાને લક્ષ્યમાં રાખી સાધુ અરણ્યાદિમાં આહાર ગ્રહણ કરે નહીં. જો ગ્રહણ કરે, તો સાધુને પ્રાયશ્ચિત્ત આવે છે. વસુરાનિક, અવસુરાત્નિકઃ|१३ जे भिक्खू वसुराइयं अवसुराइयं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી વસુરાત્વિક–વિશેષ ચારિત્ર ગુણ સંપનને અવસુરાનિક-અલ્પ ચારિત્ર ગુણવાળા કહે કે કહેનારનું અનુમોદન કરે, १४ जे भिक्खू अवसुराइयं वसुराइयं वयइ वयंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવસુરાત્વિક-અલ્પ ચારિત્ર ગુણવાળાને, વસુરાત્વિક–વિશેષ ચારિત્ર ગુણ સંપન્ન કહે કે કહેનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં વસુરાત્વિકને અવસુરાત્મિક અને અવસુરાત્વિકને વસુરાનિક કહેવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. વસુરા - દીક્ષા ગ્રહણ કર્યા પછી સંયમની શુદ્ધ આરાધના કરનાર ભિક્ષુ સંયમરૂપી રત્નધનની વૃદ્ધિ દ્વારા ધનવાન બને છે, સૂત્રકારે તેને વસુરાનિક કહ્યા છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૬
૨૩૩ |
અવસુરા -દીક્ષા ગ્રહણ કર્યા પછી શારીરિક ક્ષમતા ઘટવાથી, વિચાર ધારાના પરિવર્તનથી જે સાધુ સંયમ મર્યાદાનું અતિક્રમણ કરે છે, તે સંયમ રૂપ ધનથી ધનવાન રહેતા નથી, સૂત્રકારે તેને અવસાનિક કહ્યા છે.
સાધુએ શુદ્ધાચારીને શિથિલાચારી અને શિથિલાચારીને શુદ્ધાચારી કહેવું ન જોઈએ. આ પ્રકારના વિપરીત કથનનું પ્રસ્તુત સૂત્ર દ્વયમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
શિથિલાચારીને શિથિલાચારી કહેવું તે પરુષ વચન છે, તેનો નિષેધ દશ. સૂત્ર, અક-૧૦, ગા.–૧૯માં છે અને ૧૫મા ઉદ્દેશકના બીજા સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
પ્રસ્તુત સૂત્રમાં સંયમ ગુણોની અપેક્ષાએ પ્રાયશ્ચિત્ત કથન છે, તેમ છતાં અન્ય જ્ઞાનાદિ સર્વ ગુણોના વિષયોમાં પણ અયથાર્થ કથનનું પ્રાયશ્ચિત્ત આ સૂત્રોથી સમજી લેવું જોઈએ. ગણ સંક્રમણ :|१५ जे भिक्खू वसुराइयगणाओ अवसुराइयगणं संकमइ, संकमंतं वा साइज्जइ। ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી વસુરાનિકગણમાંથી અવસુરાનિકગણ– અલ્પ ચારિત્ર ગુણવાળા ગણમાં સંક્રમણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચારિત્ર સંપન્ન ગણને છોડીને અલ્પચારિત્ર ગુણવાળા ગણમાં જવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
જે ગણના નાયક ચારિત્ર ગુણથી સંપન્ન હોય છે, તે ગણના સાધુ-સાધ્વીઓ પણ પ્રાયઃ એવા જ ચારિત્ર ગુણથી સંપન્ન થાય છે.
કોઈ સાધુને પોતાના ગચ્છમાં કોઈ વિશેષ કારણથી આત્મ શાંતિ કે સંતોષ ન હોય અને તે ગણ પરિવર્તન કરવા ઇચ્છે તો કરી શકે છે. ઠાણાંગ સૂત્રના પાંચમા સ્થાનમાં ગણ પરિવર્તનના પાંચ કારણ કહ્યા છે. ગણ પરિવર્તનથી આત્મ શાંતિ અને આત્મ ગુણોની વૃદ્ધિ થતી હોય તો જવું કહ્યું છે, પરંતુ ગણ પરિવર્તન કર્યા પછી આત્મામાં અશાંતિ કે આત્મ ગુણોની હાનિ થાય તેમ હોય તો ગણ પરિવર્તન કરવાની જિનાજ્ઞા નથી.
કોઈ પોતાના ગણના આચારની અપેક્ષાએ ઓછા આચારવાળા ગણમાં જવા ઇચ્છે તો તેને સૂત્રોનુસાર જવું કલ્પતું નથી. તેમ છતાં કોઈ ભિક્ષુ સહનશીલતાની ઉણપ કે શારીરિક-માનસિક સમાધિ ન રહેવાથી એવા ગણમાં જાય તો આ સૂત્ર અનુસાર તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. કલહને ઉપશાંત ન કરનાર સાથે વ્યવહાર:१६ जे भिक्खू वुग्गहवक्कंताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा देइ, देत वा साइज्जइ । ભાવાર્થ - કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુને જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારનો આહાર આપે કે આપનારનું અનુમોદન કરે,
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
१७ जे भिक्खू वुग्गहवक्कंताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ ।
૨૩૪
ભાવાર્થ:કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુ પાસેથી જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
१८ जे भिक्खू वुग्गहवक्कंताणं वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देइ, देतं वा साइज्जइ ।
ભાવાર્થ:કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુને જે સાધુ કે સાધ્વી વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રોંચ્છન આપે કે આપનારનું અનુમોદન કરે,
१९ जे भिक्खू वुग्गहवक्कंताणं वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુ જે સાધુ કે સાધ્વી પાસેથી વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંચ્છન ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
२० जे भिक्खू वुग्गहवक्कंताणं वसहिं देइ, देतं वा साइज्जइ ।
ભાવાર્થ:કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુને જે સાધુ કે સાધ્વી ઉતરવાનું સ્થાન આપે કે આપનારનું અનુમોદન કરે,
२१ जे भिक्खू वुग्गहवक्कंताणं वसहिं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:- કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુ પાસેથી જે સાધુ કે સાધ્વી ઉતરવાનું સ્થાન ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
२२ जे भिक्खू वुग्गहवक्कंताणं वसहिं अणुपविसइ, अणुपविसंतं वा साइज्जइ । ભાવાર્થ:કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુના ઉપાશ્રયમાં જે સાધુ કે સાધ્વી પ્રવેશ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
२३ | जे भिक्खू वुग्गहवक्कंताणं सज्झायं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ:- કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુને જે સાધુ કે સાધ્વી વાચના આપે કે આપનારનું અનુમોદન કરે,
२४ जे भिक्खू वुग्गहवक्कंताणं सज्झायं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:- કલહ કરી, તેને ઉપશાંત કર્યા વિના અલગ વિચરનારા સાધુ પાસેથી જે સાધુ કે સાધ્વી વાચના લે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત
આવે છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૬
૨૩૫
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં કલહને ઉપશાંત ન કરનાર સાધુ સાથેના આહાર, વસ્ત્રાદિના આદાન-પ્રદાનનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. वुग्गहवक्कंताणं :- કલહ કરી જે ગચ્છમાંથી નીકળી ગયા હોય તેવા સાધુ. ભાષ્ય ચૂર્ણિમાં પણ કહ્યું છે કે- વાહો લો, તં જાઉં વાતિ । વુખો ત્તિ લો ત્તિ, મંડળ ત્તિ, विवादोत्ति, દું ॥ —ચૂર્ણિ. જે સાધુ સૂત્રથી વિપરીત કથન કે આચરણ કરી, કલહ કરી, વિવાદ ઉત્પન્ન કરી, ગચ્છનો પરિત્યાગ કરી, સ્વચ્છંદપણે વિચરે છે તેને વુદ્િવતાળ કહે છે. તે સાધુ સાથે આહાર, વસ્ત્રાદિના આદાન-પ્રદાન કરવાનું અહીં પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
(૧) કલહ કરી ગચ્છથી અલગ થતાં સાધુને ગચ્છપ્રતિ વિરોધ ભાવ હોય, તે કારણે તે આહાર, પાણી, વસ્ત્રાદિ આદાન–પ્રદાનમાં વશીકરણનો, કે વિષનો પ્રયોગ કરે, કદાચિત્ કાકતાલીય ન્યાય અનુસાર કોઈ ઘટના ઘટી જાય તો એક બીજા ઉપર આશંકા કરે કે આરોપ મૂકે (૨) તેની સાથે રહેવાથી અનાવશ્યક વિવાદ કે કષાયવૃદ્ધિ થાય (૩) અલ્પજ્ઞ કે અપરિપકવ સાધુ ભ્રમિત થઈને ગણ કે સંયમનો ત્યાગ કરે (૪) વાચનાના આદાન-પ્રદાનમાં પણ સંસર્ગજ દોષ આદિ અનેક દોષોની ઉત્પત્તિ કે વૃદ્ધિ થવાની સંભાવના છે.
પાર્શ્વસ્થ આદિ સાધુઓ સાથે અનેક પ્રકારના સંપર્કવ્યવહારોનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે તેઓની સાથે અશિષ્ટ કે અસભ્ય વ્યવહાર કરવો સાધુ માટે ઉચિત નથી. તે પ્રકારનું વર્તન પણ પ્રાયશ્ચિત્તનું નિમિત્ત બને છે. ગીતાર્થ સાધુ કોઈ વિશેષ પ્રકારના લાભનું કારણ જાણીને કે આપવાદિક, પરિસ્થિતિમાં તેઓને આહાર દેવો આદિ વ્યવહાર કરી શકે છે. વળી તે નૃત્યનું યથોચિત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને શુદ્ધ પણ થઈ શકે છે. આપત્તિકારી ક્ષેત્રમાં વિહારઃ
२५ जे भिक्खू विहं अणेगाह -गमणिज्जं सइ लाढे विहाराए संथरमाणेसु जणवएसु विहारपडियाए अभिसंधारेइ, अभिसंधारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આહાર, ઉપધિ, વસતિ સુલભ હોય તેવા વિચરવા યોગ્ય જનપદો(ક્ષેત્રો) વિધમાન હોવા છતાં અનેક દિવસે પસાર કરી શકાય તેવા માર્ગે જવાનો સંકલ્પ કરે અથવા જાય કે જનારનું અનુમોદન કરે,
२६ जे भिक्खू विरूवरूवाई दसुयायतणाइं अणारियाई मिलक्खूइं पच्चतियाई सइ लाढे विहाराए संथरमाणेसु जणवएसु विहारपडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આહાર, ઉપધિ, વસતિ સુલભ હોય તેવા વિચરવા યોગ્ય જનપદો(ક્ષેત્રો) વિધમાન હોવા છતાં દસ્યુ, અનાર્ય, મ્લેચ્છોના ક્ષેત્રોમાં અને સીમા પર ચોર લૂંટારા રહેતા હોય, તે તરફ વિહાર કરવાનો સંકલ્પ કરે અથવા જાય કે જનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ઉપધિની પ્રાપ્તિ સુલભ હોય, તેવા ક્ષેત્રમાં જવા માટે ટૂંકો સીધો–સરળ માર્ગ હોવા છતાં વિકટ માર્ગે જાય, તો તેનું પ્રાયશ્ચિત્ત કથન છે.
આચા. સૂત્ર, શ્રુ.૨, અ.-૩, ઉ.−૧માં અનાર્ય ક્ષેત્રોમાં તથા અનેક દિવસે પાર કરવા યોગ્ય
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ]
શ્રી નિશીથ સૂત્ર
માર્ગે જવાનો નિષેધ છે તથા ત્યાં જવાથી થતી વિવિધ આપત્તિઓનું સ્પષ્ટીકરણ છે અને સંયમ સાધના યોગ્ય ક્ષેત્રો હોવા છતાં તેવા ક્ષેત્રો તરફ વિચારવાનો નિષેધ કર્યો છે. તેનું જ અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે.
અનાર્ય ક્ષેત્રના અજ્ઞાની લોકો સાધુને મારણાંતિક ઉપસર્ગ આપે તો સાધુ સંયમ સમાધિમાં સ્થિર રહી ન શકે. તેનાથી આત્મવિરાધના તથા સંયમ વિરાધના થાય.
આર્ય ક્ષેત્રમાં પણ કોઈ લાંબી અટવી હોય, રસ્તામાં આહાર-પાણી કે મકાનની પ્રાપ્તિ થઈ શકે તેમ ન હોય તો તે દિશામાં સાધુ વિહાર ન કરે. કારણ કે- (૧) માર્ગમાં અચાનક વરસાદ આવી જાય, પાણી ભરાય જાય, વનસ્પતિની ઉત્પત્તિ ખૂબ થઈ જાય તો સંયમ વિરાધના થાય. (૨) રસ્તામાં આવતી નદીઓ ભરપૂર, બે કાંઠે વહેવા લાગે તો નદીઓ પાર કરવી મુશ્કેલ બને અને સંયમ અને શરીર માટે વિકટ પરિસ્થિતિ ઉત્પન થાય. ઉપરોક્ત દોષોને લક્ષ્યમાં રાખી, આચારાંગ સૂત્રમાં આ પ્રકારના વિહારનો નિષેધ કર્યો છે.
દુષ્કાળના કારણે અથવા રાજા વગેરેના દ્વેષપૂર્ણ વ્યવહારથી સંયમનિર્વાહ યોગ્ય ક્ષેત્રના અભાવમાં વિકટ અટવીનો માર્ગ પાર કરી આર્યક્ષેત્રમાં જવું પડે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. આચારાંગ-નિશીથ બંને સૂત્રમાં તેની છૂટ આપી છે. જુગુણિત કુળોમાંથી આહારાદિ ગ્રહણઃ२७ जे भिक्खू दुगुंछियकुलेसु असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી જુગુપ્સિત કુળોમાંથી અશનાદિ ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू दुगुंछियकुलेसु वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી જુગુપ્સિત કુળોમાંથી વસ્ત્ર, પાત્ર, કંબલ, કે પાદપ્રચ્છન ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
२९ जे भिक्खू दुगुंछियकुलेसु वसहि पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી જુગુપ્સિત કુળોની શય્યા ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३० जे भिक्खू दुगुंछियकुलेसु सज्झायं उद्दिसइ, उद्दिसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી જુગુપ્સિત કુળોમાં સ્વાધ્યાયનો ઉદ્દેશ(મૂળ પાઠની વાચના) કરે કે આપનારનું અનુમોદન કરે, ३१ जे भिक्खू दुगुंछियकुलेसु सज्झायं वाएइ, वाएंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી જુગુપ્સિત કુળોમાં શાસ્ત્રની વાચના(સૂત્રાર્થ) આપે કે આપનારનું અનુમોદન કરે,
Page #305
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૬
| ૨૩૭ |
३२ जे भिक्खू दुगुंछियकुलेसु सज्झायं पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી જુગુપ્સિત કુળોમાં શાસ્ત્રની વાચના લે કે લેનારનું અનુમોદન કરે છે, તેને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં જુગુણિત કુળમાં ગોચરી આદિ પ્રયોજનથી જવાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
આચા. સૂત્ર, શ્ર.-૨, એ.-૧, ઉ.-૨માં અજુગુપ્સિત અને અગહિત ૧૨ કુળોમાં તથા અન્ય તેવા જ કુળોમાં ભિક્ષાને માટે જવાનું વિધાન છે.
પ્લેચ્છ આદિ અનાર્ય કુળો પણ ગહિત–નિંદિત કુળ હોવાથી ભિક્ષા આદિ માટે વર્જનીય કુળ છે. તે સિવાય ચામડાનું કામ કરનાર, મદિરા બનાવનાર અને વેચનાર, શિકારી, માછીમાર, કસાઈ કે જે પ્રાણી વધ કરે છે તથા મધ-માંસનું સેવન કરનારા કુળો સમાજમાં નિંદા પાત્ર-ટીકાપાત્ર હોય છે, પ્રસ્તુત સૂત્ર અનુસાર તેનો સમાવેશ જુગુપ્સિત કુળમાં થાય છે.
ગોપાલક, ખેડૂત, સુથાર, વણકર, શિલ્પી, હજામ વગેરે અજુગુણિત અને અનિંદિત કુળો કહ્યા છે તથા અન્યપણ એવા અનેક કુળો અજુગુણિત અને અનિંદિત છે.
સાધુ સર્વની સાથે સદા સમ ભાવથી વ્યવહાર કરે છે. તેમ છતાં સામાજિક મર્યાદાઓથી સાધુએ આ કુળોમાં પ્રવેશ ન કરવો આદિ સૂત્રોક્ત વિધાનોનું પાલન કરવું પણ જરૂરી છે. જુગુપ્સિત કુળમાં રહેવાનું જ પ્રાયશ્ચિત્ત છે, તોપણ ક્યારેક કારણવશ ત્યાં રહેવું પડે તો અન્ય પ્રાયશ્ચિત્ત યોગ્ય કાર્યો આહાર ગ્રહણ, સ્વાધ્યાય આદિ કરવા ન જોઈએ.
જગુપ્સિત કુળોવાળાને ધર્મ ઉપદેશ આપવો કે ધર્મ આરાધના કરાવવાનો નિષેધ નથી. ભૂમિ આદિ પર આહાર રાખવો - ३३ जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा पुढवीए णिक्खिवइ, णिक्खिवंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારનો આહાર જમીન પર રાખે છે કે રાખનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा संथारए णिक्खिवइ, णिक्खिवंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારનો આહાર સંસ્તારક(સૂવાની પથારી) પર રાખે કે રાખનારનું અનુમોદન કરે, |३५ जे भिक्खू असणं वा पाणं वा खाइम वा साइमं वा वेहासे णिक्खिवइ, णिक्खिवंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અશનાદિ ચાર પ્રકારના આહારને શીંકા કે ખીંટી ઉપર રાખે છે રાખનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી નિશીથ સૂત્ર
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં આહારને જમીન, શય્યા કે શીંકા ઉપર રાખવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાધુ કરપાત્રી અથવા પાત્રધારી હોય છે. સાધુ પાત્રમાં કે હાથમાં આહાર ગ્રહણ કરીને વાપરે છે, પણ તે આહારને જમીન, પથારી કે શીંકા—ખીંટી પર રાખીને વાપરવો કલ્પતો નથી.
ભૂમિ પર અનેક પ્રકારના મનુષ્ય–તિર્યંચાદિ જીવો ફરતા હોય છે અને ત્યાં અશુચિમય પદાર્થોનો ત્યાગ કરતા હોય છે. તેના ઉપર આહાર મૂકી વાપરવાથી અનેક પ્રકારના રોગો થવાની સંભાવના રહે અને તેનાથી આત્મવિરાધના થાય. જમીન પર ઢેઢગરોળી, વીંછી વગેરેનું વિષ હોય અને તેવા સ્થાન પર આહાર મૂકાય જાય તો તે આહાર વિષ યુક્ત બની જાય અને તે વાપરવાથી મૃત્યુ પણ થાય, જમીન પર સચિત્ત રજ, કીડી વગેરે જીવો હોય તેની વિરાધના થાય, જમીન પર આહાર મૂકતા તેની સુગંધથી કીડી આદિ જીવો આવે અને તે જીવોની વિરાધનાથી સંયમ વિરાધિત બને.
સંસ્તારક–સૂવાનું આસન વસ્ત્ર કે ઘાસનું હોય તેના ઉપર આહાર મૂકવાથી તેના પર આહારના અંશ રહી જાય તો કીડીઓ આવવાની સંભાવના રહે. તે આસનાદિમાં મેલ, પસીનો હોય, તેના પર આહારાદિ મૂકતા તેમાં અન્ય જીવોત્પત્તિની સંભાવના રહે અને સંયમ તથા આત્મવિરાધના થવાની સંભાવના રહે છે. આ સૂત્રમાં સંસ્તારકનું જ કથન છે પણ ઉપલક્ષણથી વસ્ત્ર, રજોહરણાદિ પર પણ આહાર રાખવાથી પ્રાયશ્ચિત્ત આવે છે તેમ સમજવું જોઈએ.
શીંકા કે ખીંટી પર આહાર મૂકવાથી ક્યારેક પાત્ર પડી જાય અથવા ઉંદર વગેરે તેના ઉપરથી પાત્રને પાડે તો તે પાત્ર તૂટી જાય અને પાત્ર પડવાથી છકાય જીવની વિરાધના થાય.
પ્રાદેશિક પરિસ્થિતિના કારણે શીંકાદિમાં આહાર રાખવાની જરૂર હોય તો શીંકાનું ઢાંકણું બંધ કરી રાખી શકાય છે તેમ નિશીથ સૂત્ર, ઉદ્દે.–૧, સૂત્ર–૧૩ અને ઉદ્દે.–ર, સૂત્ર–૧૨થી સ્પષ્ટ થાય છે.
જો અસાવધાનીથી કોઈ ખાદ્ય પદાર્થ ભૂમિ ઉપર પડી જાય અને તેને રજ વગેરે લાગ્યા ન હોય, તો તેનો ઉપયોગ સાધુ કરી શકે છે અને તેને પ્રાયશ્ચિત્ત આવતું નથી પરંતુ સ્વેચ્છાથી ખાધ પદાર્થ પૃથ્વી પર રાખવો ઉચિત નથી અને તેનું જ આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ગૃહસ્થની સાથે અને સામે આહાર કરવોઃ
३६ जे भिक्खू अण्णउत्थिएहिं वा गारत्थिएहिं वा सद्धिं भुंजइ, भुंजंतं वा साइज्जइ ।
ભાવાર્થ :-જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થોની સાથે આહાર કરે કે આહાર કરનારનું અનુમોદન કરે, ३७ जे भिक्खू अण्णउत्थिएहिं वा गारत्थिएहिं वा सद्धिं आवेढिय-परिवेढिय भुंजइ, भुंजंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થોથી ઘેરાઈને તેની સાથે આહાર કરે કે આહાર કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૬
૨૩૯
વિવેચનઃ
પંદરમા ઉદ્દેશકમાં ગૃહસ્થને આહારાદિ દેવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પ્રસ્તુતમાં તેની સાથે બેસીને આહાર કરવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
सद्धिं ઃ– તેના બે અર્થ થાય છે– (૧) એક જ ઓરડા આદિ જગ્યામાં ગૃહસ્થો પોતાનો આહાર કરતા હોય અને ત્યાં જ સાધુ પણ પોતાનો આહાર કરે. (૨) એક મંડળમાં સાથે બેસી આહાર કરે. આવેદિય પરિવેદિય :– સાધુની એક, બે, કે ત્રણ દિશામાં ગૃહસ્થો ઊભા કે બેઠા હોય તો તે આવેષ્ટિત કહેવાય અને સર્વ દિશાઓમાં ગૃહસ્થો ઊભા કે બેઠા હોય તો તે પરિવેષ્ટિત કહેવાય. સાધુ ગૃહસ્થોથી આવેષ્ટિત, પરિવેષ્ટિત હોય તો ત્યાં તેઓને આહાર કરવો કલ્પતો નથી.
ગૃહસ્થની સમીપ કે સાથે બેસી આહાર કરવામાં આહારનું આદાન-પ્રદાન થાય, સાધુ અને ગૃહસ્થ સમાન લાગે, જોનારને કુતૂહલ થાય કે અશ્રદ્ધા, અપ્રીતિ થાય અને જિન શાસનની અવહેલના થાય માટે અહીં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સામે ઊભેલા કે બેઠેલા ગૃહસ્થોમાં કોઈ કુતૂહલ વૃત્તિવાળા બાળકો હોય અથવા કોઈ દ્વેષી માણસ પણ હોય તો તે સાધુને આહાર કરતા જોઈ અવહેલના કે કુતૂહલપૂર્વકનો વ્યવહાર પણ કરી શકે છે. સાધુની આહાર વિધિ પણ ગૃહસ્થથી ભિન્ન હોય છે, માટે ગૃહસ્થાદિ ન હોય અથવા ગૃહસ્થની નજર ન પડે તેવી રીતે, તેવા સ્થાને સાધુએ આહાર કરવો જોઈએ.
ઉપરોક્ત બે સૂત્રોમાંથી સ િસૂત્રમાં સાધુ અને ગૃહસ્થો નજીક કે સાથે બેઠા હોય છે અને બંને ભોજન કરતા હોય છે. જ્યારે આવેજિય-પરિવેદિય સૂત્રમાં ભોજન નહીં કરનારા ગૃહસ્થો દૂર ઊભા કે બેઠા હોય છે.
આચાર્ય-ઉપાધ્યાયની આશાતના :
३८ जे भिक्खू आयरिय-उवज्झायाणं सेज्जा - संथारयं पाएणं संघट्टेत्ता हत्थेणं अणणुण्णवेत्ता धारयमाणे गच्छइ, गच्छंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ આચાર્ય-ઉપાધ્યાયના શય્યા-સંસ્તારકને પગથી સ્પર્શ થઈ જાય ત્યારે હાથથી વિનય કર્યા વિના અર્થાત્ ‘મિચ્છામિ દુક્કડમ્’ કર્યા વિના ચાલ્યા જાય અથવા ચાલ્યા જનારનું અનુમોદન કરે તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં આચાર્યાદિની આશાતનાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
આચાર્ય, ઉપાધ્યાય ગણમાં સૌથી વધુ સન્માનનીય છે. ગણના પ્રત્યેક સાધુએ તેમના પ્રત્યે વિનયભાવ રાખવો જોઈએ. તેમના શય્યા-સંસ્તારક તથા અન્ય ઉપકરણોને પગ લાગવો તે અવિનય અને અવિવેકનો ઘોતક છે. સાધુઓએ આચાર્યાદિના ઉપધિ-શય્યાદિની નજીક વિવેકથી ગમનાગમન કરવું જોઈએ. આ સૂત્રની પૂર્ણિમાં કહ્યું છે કે- ત્યેળ અણુળવેત્તા હસ્તેન સ્મૃર્ષ્યા ન નમા યતિ, મિથ્યાવુત = ન ભાવતે તસ્સ ચ તહુ । આચાર્યાદિના સંસ્તારકને કદાચ સાધુનો પગ અડી જાય તો જો આચાર્ય ત્યાં વિદ્યમાન હોય તો તેમની વિનયપૂર્વક ક્ષમા યાચના કરે અને પછી આગળ જાય. જો
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૪૦ ]
શ્રી નિશીથ સૂત્ર
આચાર્યાદિ શય્યા-સંતાકારક પર વિદ્યમાન ન હોય તો જે શય્યા-આસનાદિને પગનો સ્પર્શ થયો હોય તે આસનાદિને હાથથી સ્પર્શ કરી “મિચ્છામિ દુક્કડ' કહી, તે રીતે ભૂલનો સ્વીકાર કરવો જોઈએ. જો પગથી રજ વગેરે લાગ્યા હોય તો તે સાફ કરવા જોઈએ. અન્ય સાધુની ઉપધિને પણ પગ લાગ્યો હોય તો આ પ્રકારે વિનય વિવેક કરવો જોઈએ. આ રીતે ઉચિત વ્યવહાર ન કરે તો તે સાધુને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. દશાશ્રુતસ્કંધ. ત્રીજી દશામાં આશાતનાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
જો સાધુ આ પ્રકારના ઉચિત વ્યવહાર ન રાખે તો આચાર્યાદિ પ્રત્યે સન્માન રહેતું નથી, અવિવેકની પરંપરા પ્રચલિત થાય, આ દશ્ય જોનારા “આ સાધુ અવિનયી છે તેવો અનુભવ કરે, ગચ્છની અવહેલના થાય, અન્ય સાધુ અનુસરણ કરે તો ગચ્છમાં અવિનયની વૃદ્ધિ થાય છે.
જો કે આસનાદિ પદાર્થ વંદનીય નથી છતાં પગ સ્પર્શ રૂ૫ અવિનય નિવૃત્તિ માટે માત્ર હાથથી, સ્પર્શ કરી, વિનય ભાવ પ્રગટ કરવો જોઈએ, તેમ સૂત્રનો આશય છે. ગુરુ કે રત્નાધિકોની ઉપધિ વંદનીય નથી પણ સન્માનનીય જરૂર છે. મર્યાદાથી વધુ ઉપધિ રાખવી :
३९ जे भिक्खू गणणाइरित्तं वा, पमाणाइरित्तं वा उवहिं धरेइ, धत्तं वा साइज्जइ। ભાવાર્થ-જે સાધુ ગણનામાં(સંખ્યામાં) કે પ્રમાણમાં(માપમાં) શાસ્ત્રાજ્ઞાથી વધુ ઉપધિ રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગણનાથી(સંખ્યાથી) અને માપથી વધુ ઉપધિ રાખવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ઉપધિની સંખ્યા અને માપનો વિચાર કરતાં પહેલા સાધુને કેટલા પ્રકારની ઉપધિ રાખવી કહ્યું છે તે જાણવું આવશ્યક છે. સાધને કલ્પનીય ઉપધિઓ :- બહત્કલ્પ સૂત્રમાં દીક્ષા સમયે સાધુને રજોહરણ, ગુચ્છો, પાત્ર અને ત્રણ અખંડ વસ્ત્ર ગ્રહણ કરવા કહ્યું છે, તેમ કહ્યું છે. અહીં ત્રણ અખંડ વસ્ત્ર(તાકા)ના કથન દ્વારા વસ્ત્ર સંબંધી સર્વ ઉપધિના માપનું સૂચન છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રુ. ૨, અ. પ, સૂ. ૮માં સાધુને પાત્ર, પાત્ર બંધન, કેસરિકા, પાત્ર સ્થાપન, ત્રણ પટલ, રજસ્ત્રાણ, ગુચ્છો, ત્રણ પછેડી, રજોહરણ અને મુખવસ્ત્રિકા વગેરે ઉપધિ રાખવી કહ્યું છે, તેવો ઉલ્લેખ છે. ત્યાં પાત્ર તથા પાત્ર સંબંધી પાંચ ઉપકરણો અને બૃહત્કલ્પ કથિત અખંડ વસ્ત્રોના સ્થાને પછેડી, ચોલપટ્ટક અને મુખવસ્ત્રિકાનું કથન છે. આ સૂત્રમાં પછેડી તથા પટલ બંનેની સંખ્યાનું કથન છે, અન્ય ઉપધિની સંખ્યાનું કથન નથી.
આચારાંગ સૂત્રમાં વસ્ત્ર-પાત્ર સંબંધી સ્વતંત્ર અધ્યયન છે અને ભાષ્ય-નિયુક્તિમાં પણ ઉપધિનું વિસ્તૃત વર્ણન છે, તેમાં પણ ત્રણ પછેડી, ત્રણ પટેલ અને ત્રણ અખંડ વસ્ત્રની સંખ્યા સિવાય અન્ય ઉપધિનું માપ તથા સંખ્યાનો ઉલ્લેખ જોવા મળતો નથી.
ટૂંકમાં સાધુ-સાધ્વી પાત્ર અને પાત્ર બાંધવા વગેરે કાર્ય સંબંધી વસ્ત્ર ખંડો, રજોહરણ, ગુચ્છો, વસ્ત્ર આદિ ઉપકરણ રાખી શકે છે. વસ્ત્રમાં પછેડી, ચોલપટ્ટક, રજોહરણની દાંડી પર બાંધવા નેસઠીયું,
Page #309
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૬
૨૪૧ ]
ઓઢવા-પાથરવાના વસ્ત્રાદિ રાખી શકે છે અને તે માટે સાધુ ત્રણ આખા તાકા અને સાધ્વી ચાર આખા તાકા પ્રમાણ વસ્ત્રો રાખી શકે છે. એક તાકાનું માપ ૨૪ હાથ હોય તેવો અર્થ ટબ્બાઓમાં જોવા મળે છે. તેથી સાધુ સર્વ મળીને ૨૪ x ૩ = ૭ર હાથ અને સાધ્વી ૨૪ ૪૪ = ૯૬ હાથ પ્રમાણ સર્વ વસ્ત્રો રાખી શકે છે. વસ્ત્ર સંબધી વ્યક્તવ્યતાપછેડી - આગમ તથા વ્યાખ્યા ગ્રંથોમાં પછેડીની સંખ્યા સ્પષ્ટ બતાવવામાં આવી છે. બૃહત્કલ્પ સૂત્રમાં કહ્યું છે કે–ખ ળિviથાપં તઓ સંપાદીઓ રિત વારિરિત વા વાળwાંથી રારિ સંધાડીઓ ધરિત વા પરિરિતા આ સૂત્ર અનુસાર સાધુ ત્રણ અને સાધ્વી ચાર પછેડી રાખી શકે છે. આચારાંગ સુત્રના “વઐષણા” અધ્યયનમાં સાધ્વી માટે પછેડીની પહોળાઈ ૪હાથ, ૩ હાથ અને ૨ હાથની બતાવી છે પણ લંબાઈનું માપ ત્યાં નથી છતાં પણ પહોળાઈ થી લંબાઈ વધુ હોય તેથી ચાર હાથથી વધુ એટલે પાંચ હાથની લાંબી પછેડીની પરંપરા ઉપયુક્ત છે.
ભાષ્યમાં સાધુની પછેડીનું મધ્યમ માપ ૩૪ ૨ હાથ અને ઉત્કૃષ્ટ માપ ૪ x ૨ હાથ કહ્યું છે. તરુણ સંત માટે ૩હાથ અને વૃદ્ધ સંત માટે ૪ હાથ લાંબી પછેડીનું વિધાન પણ ભાષ્ય ગાથા-પ૭૯૪ છે. આગમમાં સાધુ માટે પછેડીના માપનો ઉલ્લેખ ન હોવાથી ત્રણ પછેડી પોત-પોતાના સંપ્રદાયની સમાચારી અને આવશ્યક્તાનુસાર નાની-મોટી બનાવવામાં આવે છે. ચોલપટ્ટક :- પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સાધુની ઉપધિના વર્ણનમાં ચોલપટ્ટકનો માત્ર નામોલ્લેખ છે. તેનું માપ, સંખ્યા કે અન્ય કોઈપણ પ્રકારનું વર્ણન આગમ ગ્રંથોમાં નથી પરંતુ મર્યાદા જળવાઈ રહે, તે રીતે પોત-પોતાના શરીર પ્રમાણે ચોલપટ્ટકનું માપ નક્કી કરવું આવશ્યક ગણાય છે. સાધુ માટે સર્વ વસ્ત્રનું પ્રતિલેખન કરવું આવશ્યક છે, તેથી સ્થવિર કલ્પીઓ માટે જઘન્ય બે ચોલપટ્ટક રાખવા ઉચિત્ત ગણાય છે. મુખવસ્ત્રિકા :- ભગવતી શતક-૯, ઉદ્દેશક-૩માં આઠ પડવાળી મુખવસ્ત્રિકાનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ મુખવસ્ત્રિકાના માપ કે સંખ્યાનો ઉલ્લેખ આગમ ગ્રંથોમાં નથી. પિંડનિર્યુક્તિમાં મુખવસ્ત્રિકાનું માપ બતાવતા કહ્યું છે–વતુર કુલાધિવતપ્તિમાત્રની પત્ની મુપોતિ, મુહુવત્રિછાયામાં
એકવૈતને ચાર અંગુલ એટલે ૧૬ આંગુલ પહોળી અને ૨૧ અંગુલ લાંબી મુહપત્તી રાખવાની પરંપરા પ્રચલિત છે. આગમ તેમજ વ્યાખ્યા ગ્રંથોમાં તે માપનું વર્ણન નથી, પરંતુ આ માપ મુખ પર બાંધવામાં ઉપયુક્ત છે. કેબલ :- આગમોમાં અનેક સ્થાને કંબલનો નામોલ્લેખ જોવા મળે છે. ઠંડીમાં શરીરનું રક્ષણ કરવા કંબલ રાખવામાં આવે છે. દરેક સાધુએ કંબલ રાખવા જ જોઈએ તેવું આવશ્યક નથી. શીત પરીષહને સહન કરી શકે તેવા ભિક્ષુ વસ્ત્ર ઉણોદરી કરતાં સુતરાઉ એક પછેડીથી પણ નિર્વાહ કરી શકે છે અથવા અચેલક પણ રહી શકે છે. આસન :- બે આસન રાખવાનું વિધાન વ્યાખ્યા ગ્રંથોમાં છે, એક સુતરાઉ અને બીજું ઊનનું. ત્યાં સુતરાઉ આસન માટે ઉત્તરપટ્ટ અને ઊનના આસન માટે “સસ્તારક પટ્ટ' જેવો શબ્દ પ્રયોગ જોવા મળે છે. પાત્ર સંબધી વસ્ત્રો :- (૧) પાત્ર બંધન– પાત્રાને બાંધવાનું, વસ્ત્ર-ઝોળી, (૨) પાત્ર કેસરિકા- પાત્રા લૂછવાનું વસ્ત્ર-લુણીયા, (૩) પાત્ર સ્થાપન- જેના ઉપર પાત્રા મૂકવામાં આવે, (૪) પાત્ર પટલપાત્રા વીંટવાનાં ત્રણ વસ્ત્ર, (૪) પાત્ર રજસ્ત્રાણ- પાણી ગાળવા માટે ગરણું તથા પાત્રને ઢાંકવાનું વસ્ત્ર,
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૪ર |
શ્રી નિશીથ સૂત્ર
વગેરે કોઈપણ ઉપધિના માપનો કોઈ ઉલ્લેખ આગમોમાં નથી. આવશ્યકતાનુસાર તેનું માપ નિશ્ચિત કરવામાં આવે છે. પાદપ્રોપ્શન - વસ્ત્રમય આ ઉપકરણનો નામોલ્લેખ આગમોમાં અનેક સ્થાનોએ જોવા મળે છે. તેનો મુખ્ય ઉપયોગ પગ લૂછવા માટે કરાય છે. ક્યારેક લાકડી સાથે બાંધી શય્યાના(સ્થાનના) પ્રમાર્જન માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આગમોમાં પાદપ્રોચ્છનના અનેક પ્રકારો અને તેના ઉપયોગો બતાવ્યા છે. નેસડીયું :- રજોહરણની દાંડી પર વીંટવામાં આવતા વસ્ત્રને નેસઠિયું કહેવામાં આવે છે. તેના માપનો ઉલ્લેખ આગમમાં નથી.
વસ્ત્ર સંબંધી ઉપરોક્ત સર્વ ઉપકરણો માટે આગમગ્રંથોમાં સ્પષ્ટ વર્ણન નથી. સાધુ આવશ્યક્તા તથા સમાચારી પ્રમાણે વસ્ત્રો રાખી શકે છે. સાધુ ત્રણ અખંડ વસ્ત્ર (ત્રણ તાકા) અને સાધ્વીજીઓ ચાર અખંડતાકાથી વધુ વસ્ત્ર રાખે તો આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે. સકારણ આચાર્યાદિની આજ્ઞા પૂર્વક વધુ વસ્ત્ર રાખે તો પ્રાયશ્ચિત્ત આવતું નથી. પાત્ર સંબધી વક્તવ્યતા - સાધુ લાકડા, તુંબડા કે માટી, આ ત્રણ જાતના પાત્રોમાંથી કોઈપણ જાતના પાત્ર રાખી શકે છે. સાધુએ કેટલા પાત્ર રાખવા તે ચોક્કસ સંખ્યાનો નિર્દેશ આગમમાં નથી.
ભગવતી સૂત્ર, શતક૨, ઉદ્દેશક–પમાં ગૌતમસ્વામીને ગોચરીએ જવાના વર્ણનમાં અનેક પાત્રોનું વર્ણન છે. “માયારું પત્તે ભાજન–પાત્ર માટે બહુવચનનો પ્રયોગ કર્યો છે કે “પાત્રોને પોજે છે.”
વ્યવહાર સૂત્ર, ઉ.-૨, સૂ. ૨૮માં પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુના આહાર કરવાના વિધાન સાથે પાંચ શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. તેમાં પાત્ર માટે ડિસિક માત્રક માટે પલાસોસિઅને પાણીના પાત્ર માટે મંડલંસિ- કમંડલ શબ્દનો પ્રયોગ છે. આ સૂત્રથી અનેક પ્રકારના પાત્ર હોવાનું કથન સ્પષ્ટ છે.
આચા., શ્રત.-૧, અ.-૮, ઉ.-૪માં વિશિષ્ટ પ્રતિમાધારી સાધુ માટે અનેક પાત્રોનું વર્ણન છે. જે fમણૂ દિં વદિંપરિવા, પાય વહિં જે ભિક્ષુ ત્રણ વસ્ત્રો અને ચોથા પાત્રાઓ રાખે છે. અહીં પાત્ર માટે એક વચનનો પ્રયોગ ન કરતાં બહુવચનનો પ્રયોગ કર્યો છે.
આચા, શ્રત.-૨, અ.-૬માં તે તi પયં થાળા નો રીયં અહીં એક પ્રકારના પાત્ર રાખે છે, તેમ અર્થ કરવામાં આવે છે. ભગવતી સૂત્ર, શતક-૨૫, ઉદ્દેશક-૭માં ઉપકરણ ઉણોદરીના વર્ણન કરતાં કહ્યું છે. ૩વરોનોરિયા ને વલ્વે, ને પાણ- એક વસ્ત્ર, એક પાત્ર રાખવાથી ઉણોદરી તપ થાય છે. આ વાક્ય પરથી સિદ્ધ થાય છે કે એકથી વધુ પાત્ર સાધુ રાખી શકે છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યયન-પમાં ત્રણ પટલ રાખવાનું વિધાન છે. બે પાત્રની વચ્ચે રાખવાના વસ્ત્રને પટલ કહે છે. બે પાત્ર વચ્ચે એક પટલ રહે, ત્રણ પાત્ર વચ્ચે બે અને ચાર પાત્ર વચ્ચે ત્રણ પટલ રહી શકે.
આ રીતે સાધુને અનેક પાત્રો રાખવાનો નિર્ણય તો આગમોથી થઈ જાય છે, પરંતુ કેટલા પાત્ર રાખવા તે નિર્ણય થતો નથી. ત્રણ પટલના વિધાનથી ચાર પાત્ર રાખવાની વાત સ્પષ્ટ થાય છે. તે સિવાય માત્રકના ત્રણ પ્રકાર છે– (૧) ઉચ્ચાર માત્રક (૨) પ્રસવણ માત્રક (૩) ખેલ માત્રક. ગોચ્છગ – દીક્ષા સમયે ગ્રહણ કરાતી ઉપધિના વર્ણનમાં ગોચ્છગનું કથન છે. ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૨૬માં સૂર્યોદય થયા પછી મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કરીને “ગોચ્છગનું પ્રતિલેખન કરવાનું વિધાન
Page #311
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૬
| ૨૪૩ |
છે. ત્યાર પછી વસ્ત્ર-પ્રતિલેખનનું કથન છે. તદનંતર પોણી પોરસી વ્યતીત થયા પછી પાત્ર પ્રતિલેખનનું વિધાન છે. આ વિધાનથી સ્પષ્ટ થાય છે કે ગુચ્છો એ પાત્ર સંબંધી ઉપકરણ નથી. પાત્રના પ્રમાર્જન માટે તો પાત્ર કેસરિકા–પોંજણીનો ઉપયોગ કરાય છે જ્યારે ગુચ્છો શરીર અને અન્ય ઉપધિના પ્રમાર્જન માટે હોય છે. રજોહરણ:- જિન કલ્પી અને સ્થવિર કલ્પી બંને માટે આ ઉપકરણ રાખવું અતિ આવશ્યક છે. ઊભા-ઊભા ભૂમિનું પ્રમાર્જન થઈ શકે તેટલો લાંબો અને એક પગ મૂકી શકાય તેટલી ભૂમિને એકવારમાં પોંજી શકાય તેવા ઘેરાવાવાળો રજોહરણ હોવો જોઈએ, ઉત્કૃષ્ટ ઘેરાવો બત્રીસ અંગુલ સમજી શકાય છે. ઉપકરણ સૂચિ:
ઉપકરણ
અન્ય વિગત
સાધુ
સાધ્વી | માપની સંખ્યા | માપની | સંખ્યા ગણના
ગણના ૩૫ હાથ
૪૫ હાથ
૧. પછેડી
૨. ચોલપટ્ટક
૧૫ હાથ |
૨
| ૨૦ હાથ |
કંબલની ગણતરી પછેડીના માપમાં જ ગણવામાં આવે છે. મર્યાદા જળવાય રહે તેમ પોત-પોતાના શરીર પ્રમાણે લંબાઈ ૨૧ આંગુલ અને પહોળાઈ ૧૬ આંગુલ
સાધિક ૧ હાથ
૧
૭ હાથે
૩૪૨ હાથ
૧૦ હાથ
૧ હાથ
૩. મુહપત્તિ | સાધિક
૧ હાથ ૪. આસન ૭ હાથ ૫. પાત્રના વસ્ત્ર | ૧૦ હાથ ૬. પાદપ્રચ્છના | ૧ હાથ ૭. નેસડીયું | ૧ હાથ ૮. કંચુકી વગેરે ૯. પાત્ર ૧૦. ગુચ્છો ૧૧. રજોહરણ
૧ હાથ
૧
| રજોહરણની દાંડી પર વીંટવા માટે
-
૧૦ હાથ
૪
| માત્રક અલગ
૭૦ હાથ
૯૫ હાથ
ત્રણ અખંડ તાકા ૭૨ હાથના અને ૪ તાકા ૯૬ હાથના હોય છે. એક કે બે હાથ પ્રમાણ વસ્ત્ર અન્ય કોઈ કામ માટે લઈ શકે છે.
પ્રસ્તુત સૂત્રમાં ઔધિક ઉપધિ સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. તેમાં પણ જે ઉપધિનું માપ અને સંખ્યા આગમમાં ઉપલબ્ધ છે તે મર્યાદાનું ઉલ્લંઘન કરે તો તેનું પ્રાયશ્ચિત્ત આ સૂત્રથી સમજવું. જે ઉપધિનું માપ અને સંખ્યાનું વિધાન આગમમાં ન હોય તેનું પ્રાયશ્ચિત્ત પોત-પોતાના ગચ્છની સમાચારી પ્રમાણે જાણવું. અહીં પાઢીહારું ગ્રહણ કરાતી ઔપગ્રહિક ઉપધિનું કથન નથી. તે આવશ્યકતાનુસાર ગ્રહણ કરી, કાર્ય પૂર્ણ થતાં પાછી આપી દેવાની હોય છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
| २४४ ।
શ્રી નિશીથ સૂત્ર
વિરાધક સ્થાનોમાં પરઠવું - ४० जे भिक्खू अणंतरहियाए पुढवीए उच्चार-पासवणं परिद्ववेइ, परिहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વીની સમીપની ભૂમિ પર ઉચ્ચાર-પ્રસવણ પરઠ કે પરઠનારનું अनुभोहन ४२, ४१ जे भिक्खू ससिणद्धाए पुढवीए उच्चार-पासवणं परिट्ठवेइ, परिहवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાણીથી સ્નિગ્ધ જમીન પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ४२ जे भिक्खू ससरक्खाए पुढवीए उच्चार-पासवणं परिढुवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સચિત્ત રજયુક્ત ભૂમિ પર ઉચ્ચાર-પ્રસવણ પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, |४३ जे भिक्खू मट्टियाकडाए पुढवीए उच्चार-पासवणं परिट्ठवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી સચિત્ત માટી પથરાયેલી હોય, તેવી જમીન પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू चित्तमंताए पुढवीए उच्चार-पासवणं परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વી પર ઉચ્ચાર-પ્રસવણ પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, ४५ जे भिक्खू चित्तमंताए सिलाए उच्चार-पासवणं परिट्ठवेइ, परिहतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી સચિત્ત શિલા પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ४६ जे भिक्खू चित्तमंताए लेलूए उच्चार-पासवणं परिट्ठवेइ, परिढतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત શિલાના ટુકડાઓ પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું अनुमोहन ४३, |४७ जे भिक्खू कोलावासंसि वा दारूए जीवपइट्ठिए सअंडे जाव मक्कडासंताणए उच्चार-पासवणं परिट्ठवेइ, परिवेंतं वा साइज्जइ ।
Page #313
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૬
[ ૨૪૫]
ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ઘીમેલ લાગેલા કાષ્ઠ પર તથા ઈડા યુક્ત યાવત્ કરોળિયાના જાળ -પડ યુક્ત પૃથ્વી પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ४८ जे भिक्खू थूणंसि वा गिहेलुयंसि वा उसुयालंसि वा कामजलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे, दुण्णिक्खित्ते, अणिकंपे, चलाचले उच्चार-पासवणं परिढुवेइ, परिदृवेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી દુર્બદ્ધ–સારી રીતે બાંધેલા ન હોય, દુર્નિક્ષિપ્ત–સારી રીતે ખોડેલા ન હોય, અનિષ્કપ–સ્થિર ન હોય, ડગમગતા સ્તંભ પર, દરવાજા પર, ખાંડણિયા, સ્નાનના બાજોઠ પર ઉચ્ચાર- પ્રસવણ પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, ४९ जे भिक्खू कुलियंसि वा भित्तिसि वा सिलसि वा लेलुंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि दुब्बद्धे, दुण्णिक्खित्ते, अणिकंपे, चलाचले उच्चार-पासवणं परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ ।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી દુર્બદ્ધ, દુનિક્ષિપ્ત, અનિષ્કપ કે ડગમગતી માટીની દિવાલ, ઈટની ભીંત, શિલા કે શિલાખંડ ઉપર તથા તેવા અન્ય કોઈપણ પ્રકારના અંતરિક્ષ–આકાશમાં ઊંચા સ્થાનો પર ઉચ્ચાર-પ્રસવણ પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ५० जे भिक्खू खंधसि वा जाव हम्मियतलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि, दुब्बद्धे, दुण्णिक्खित्ते, अणिकपे, चलाचले उच्चास्पासवणं परिढुवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી દુર્બદ્ધ, દુર્નિક્ષિપ્ત, અનિષ્કપ અથવા ડગમગતા થાંભલા યાવત્ હવેલીની છત તથા તેવા કોઈપણ અંતરિક્ષ જાત સ્થાન પર ઉચ્ચાર-પ્રસવણ પરઠ કે પરઠનારનું અનુમોદન કરે તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત આવે છે.
આ ઉદ્દેશકમાં વર્ણિત ૫૦ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સૂત્રોમાં સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય તેવા સ્થાનો પર ઉચ્ચાર-પ્રસવણના પરિત્યાગનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. અહીં અગિયાર સૂત્રોમાં તે–તે સ્થાનોમાં ઉચ્ચારાદિના ત્યાગનું અને ત્રીજા અને પંદરમા ઉદ્દેશકમાં ઉચ્ચાર માત્રક દ્વારા પરઠવાનું કથન છે, તેમ પ્રસંગાનુસાર સમજી લેવું જોઈએ. પરઠવા સંબંધી સર્વવક્તવ્યતા આચા.શ્ર.-૨, અ.-૧૦ તથા ત્રીજા અને પંદરમાં ઉદ્દેશક પ્રમાણે જાણવી.
પ્રસ્તુત ઉદ્દેશકના ૫૦ સૂત્રોમાં ૫૦ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
સોળમો ઉદ્દેશક સંપૂર્ણ .
Page #314
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૬]
શ્રી નિશીથ સૂત્ર
સત્તરમો ઉદ્દેશક | પરિચય છRORRORDROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૧૫૫ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
કતુહલથી ત્રસ પ્રાણીને બાંધવા કે છોડવા, કુતુહલથી માળાઓ, કડાઓ, આભૂષણ અને વસ્ત્રાદિ બનાવવા, રાખવા અને પહેરવા, સાધ્વી-સાધુનું શરીર પરિકર્મ ગૃહસ્થ દ્વારા કરાવવું, સમાનનિગ્રંથ નિગ્રંથીને સ્થાન ન આપવું, અધિક ઊંચા નીચા સ્થાનમાં કે મોટી કોઠીમાંથી આહાર લેવો અથવા લેપ આદિથી બંધ વાસણ ખોલાવીને આહાર લેવો, સચિત્ત પૃથ્વી આદિ પર રાખેલો આહાર લેવો, પંખા આદિથી ઠંડો કરીને આપવામાં આવતો આહાર લેવો, તત્કાલનું અચિત્ત શીતલ જલ(ધોવણ) લેવું, પોતાના આચાર્ય પદ યોગ્ય શારીરિક લક્ષણ કહેવા, ગાવું, હસવું, નૃત્ય કરવું, નાટક કરવા, હાથી, ઘોડા, સિંહ આદિ પશુઓની જેવા અવાજ કરવા, વિતત, તત, ઘન, નૃસિર વાદ્યોના ધ્વનિ સાંભળવા જવું, અન્ય અનેક સ્થળોએ શબ્દ શ્રવણ માટે જવું, શબ્દોમાં આસક્તિ રાખવી, ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૭
२४७
સત્તરમો ઉદ્દેશક
DEE १५५ लघु यौभासी प्रायश्चित्त स्थान VER
કુતૂહલજનિત પ્રવૃત્તિઓઃ
१ जे भिक्खू कोडहल्ल - वडियाए अण्णयरं तसपाणजायं तणपासएण वा मुंजपासएण वा कट्ठपासएण वा चम्मपासएण वा वेत्तपासएण वा रज्जुपासण वा सुत्तपासण वा बंधइ, बंधतं वा साइज्जइ ।
भावार्थ :- भे साधु ने साध्वी द्रुतूहलवश (हास्य-विनोह भाटे) (१) तुहाना अंधन तेभ४ (२) भुंभ (3) श्रेष्ठ (४) धर्म (4) नेतर (9) सींहरी भने (७) छोरडाना बंधनथी त्रस प्राशीने जांघे हे जांघनारनुं અનુમોદન કરે,
२ जे भिक्खू कोउहल्ल- वडियाए अण्णयरं तसपाणजायं तणपासएण वा जाव सुत्तपासएण वा बद्धेलयं मुंचइ, मुचतं वा साइज्जइ ।
भावार्थ :- જે સાધુ કે સાધ્વી કુતૂહલવશ(હાસ્ય-વિનોદ માટે)તૃણના બંધનથી યાવત્ દોરડાના બંધનથી બાંધેલા ત્રસ પ્રાણીઓને બંધનથી મુક્ત કરે કે મુક્ત કરનારનું અનુમોદન કરે,
३ जे भिक्खू कोउहल्ल- वडियाए तणमालियं वा मुंजमालियं वा वेत्तमालियं वाकट्ठमालियं वा मयणमालियं वा भिंडमालियं वा पिच्छमालियं वा हडमालियं वा दंतमालियं वा संखमालियं वा सिंगमालियं वा पत्तमालियं वा पुप्फमालियं वा फलमालियं वा बीयमालियं वा हरियमालियं वा करेइ, करेंतं वा साइज्जइ । भावार्थ :- साधु } साध्वी हुतूहलवश (हास्य-विनो६ भाटे) (१) तृएानी भाषा तेभ४ (२) भुं४ (3) वांस (४) श्रेष्ठ (4) भीएा (5) भींड (७) पिच्छी (८) अस्थि (८) हांत (१०) शंभ (११) शींग (१२) पत्र (१३) पुष्प (१४) ३१ (१५) जीठ अने (१५) वनस्पतिनी भाषा बनावे हे जनावनारनं अनुमोहन उरे, ४ जे भिक्खू कोडहल्ल- वडियाए तणमालियं वा जाव हरियमालियं वा धरेइ, धरतं वा साइज्जइ ।
भावार्थ :- જે સાધુ કે સાધ્વી કુતૂહલવશ(હાસ્ય-વિનોદ માટે) તૃણની માળા યાવત્ વનસ્પતિની માળા રાખે કે રાખનારનું અનુમોદન કરે,
५ जे भिक्खू कोउहल्ल- वडियाए तणमालियं वा जाव हरियमालियं वा पिणद्धेइ, पिणर्द्धतं वा साइज्जइ ।
भावार्थ :- જે સાધુ કે સાધ્વી કુતૂહલવશ(હાસ્ય-વિનોદ માટે) તૃણની માળા યાવત્ વનસ્પતિની માળા પહેરે કે પહેરનારનું અનુમોદન કરે,
Page #316
--------------------------------------------------------------------------
________________
| २४८ ।
શ્રી નિશીથ સૂત્ર
|६ जे भिक्खू कोउहल्ल-वडियाए अयलोहाणि वा तंबलोहाणि वा तउयलोहाणि वा सीसलोहाणि वा रुप्पलोहाणि वा सुवण्णलोहाणि वा करेइ, करेंत वा साइज्जइ। भावार्थ :- 8 साधु साध्वी कुतूडसश(डास्य-विनोद भाटे) सोडना sst, dial, ४सत, सीखें, ચાંદી અને સુવર્ણના કડા બનાવે કે બનાવનારનું અનુમોદન કરે, |७ जे भिक्खू कोउहल्ल-वडियाए अयलोहाणि वा जाव सुवण्णलोहाणि वा धरेइ, धरेत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી કુતૂહલવશ લોખંડના કડા યાવત સુવર્ણના કડા રાખે કે રાખનારનું અનુમોદન કરે, | ८ जे भिक्खू कोउहल्ल-वडियाए अयलोहाणि वा जाव सुवण्णलोहाणि वा पिणद्धेइ, पिणद्धतं वा साइज्जइ ।। ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી કુતૂહલવશ લોખંડના કડા થાવ સુવર્ણના કડા પહેરે કે પહેરનારનું અનુમોદન કરે, | ९ जे भिक्खू कोउहल्ल-वडियाए- हाराणि वा अद्धहाराणि वा एगावलिं वा मुत्तावलिं वा कणगावलिं वा रयणावलिं वा कडगाणि वा तुडियाणि वा केउराणि वा कुंडलाणि वा पट्टाणि वा मउडाणि वा पलंबसुत्ताणि वा सुवण्णसुत्ताणि वा करेइ, करेंत वा साइज्जइ । भावार्थ:-हे साधु साध्वी कुतूडस (१) डा२ (२) मडार (3) भेदी (४) भुताली (५) अनादी (G) रत्नावली (७) टिसूत्र (८) मु४ (८) यु२(81) (१०) दुग (११) yat (१२) भुट (१3) प्र सूत्र (१४) सुवा सूत्र बनाये बनावना२र्नु अनुमोहन ७२, १० जे भिक्खू कोउहल्ल-वडियाए हाराणि वा जाव सुवण्णसुत्ताणि वा धरेइ, धरेत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી કુતૂહલવશ(હાસ્ય-વિનોદ માટે) હાર યાવત સુવર્ણ સૂત્ર રાખે કે રાખનારનું अनुमोहन ४३, |११ जे भिक्खू कोउहल्ल-वडियाए हाराणि वा जाव सुवण्णसुत्ताणि वा पिणद्धेइ पिणतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી કુતૂહલવશ(હાસ્ય-વિનોદ માટે) હાર યાવતસુવર્ણ સૂત્ર પહેરે કે પહેરનારનું अनुभोहन ४३. १२ जे भिक्खू कोउहल्ल-वडियाए-आईणाणि वा सहिणाणि वा सहिणकल्लाणाणि वा आयाणि वा कायाणि वा खोमियाणि वा दुगुलाणि वा तिरीडपट्टाणि वा मलयाणि वा पतण्णाणि वा अंसयाणि वा चिणंसयाणि वा देसरागाणि वा अभिलाणि वा गज्जलाणि वा फालिहाणि वा कोयवाणि वा कंबलाणि वा
Page #317
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૭
૨૪૯ |
पावाराणि वा उद्दाणि वा पेसाणि वा पेसलेसाणि वा किण्ह-मिगाईणगाणि वा णीलमिगाईणगाणि वा गोरमिगाईणगाणि वा कणगाणि वा कणगकताणि वा कणगपट्टाणि वा कणगखचियाणि वा कणगफुसियाणि वा वग्घाणि वा विवग्घाणि वा आभरणचित्ताणि वा आभरणविचित्ताणि वा करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કુતૂહલ વશ- (૧) ચર્મ નિષ્પન વસ્ત્ર (૨) સૂક્ષ્મ વસ્ત્ર (૩) સૂક્ષ્મ સુશોભિત વસ્ત્ર (૪) ઘેટાના રોમથી નિષ્પન, (૫) ઇન્દ્રવર્ણી કપાસથી નિપ્પન વસ્ત્ર (૬) સામાન્ય કપાસથી નિપ્પન સુતરાઉ વસ્ત્ર (૭) ગૌડદેશ પ્રસિદ્ધ દુગુલ વૃક્ષના કપાસથી નિષ્પન્ન વસ્ત્ર (૮) તિરીડ વૃક્ષ નિષ્પન વસ્ત્ર (૯) મલયગિરિના ચંદનપત્ર નિષ્પન્ન વસ્ત્ર (૧૦) બારીક તંતુઓથી નિષ્પન્ન વસ્ત્ર (૧૧) દુગુલ વૃક્ષના આત્યંતર અંશથી નિષ્પન્ન વસ્ત્ર (૧૨) ચીનાંશુ (૧૩) વિદેશમાં રંગાયેલું વસ્ત્ર (૧૪) રોમ દેશ નિષ્પન વસ્ત્ર (૧૫) ચાલવાથી અવાજ થાય તેવું વસ્ત્ર (૧૬) સ્ફટિક જેવું સ્વચ્છ વસ્ત્ર (૧૭) કોતવો (૧૮) કંબલ (૧૯) કંબલ વિશેષ (૨૦) સિંધુ દેશના મત્સ્યના ચર્મથી નિષ્પન વસ્ત્ર (૨૧) સિંધુ દેશના સૂક્ષ્મ ચર્મ- વાળા પશુના ચર્મથી નિષ્પન્ન વસ્ત્ર, (૨૨) પશ્મીનો વસ્ત્ર, (૨૩) કૃષ્ણ મૃગ ચર્મ (૨૪) નીલ મૃગ ચર્મ (૨૫) ગૌર વર્ણ યુક્ત મૃગ ચર્મ (૨૬) સોનેરી વસ્ત્ર (૨૭) સુવર્ણની કિનારીવાળું વસ્ત્ર (૨૮) સુવર્ણમય પટ્ટાવાળું વસ્ત્ર (૨૯) સુવર્ણના તારવાળું વસ્ત્ર (૩૦) સુવર્ણના ફૂલ ભરેલું વસ્ત્ર (૩૯) વ્યાઘચર્મ (૩૨) ચિત્તાનું ચર્મ અને (૩૩) એક આભરણ યુક્ત વસ્ત્ર (૩૪) અનેક આભરણ યુક્ત વસ્ત્ર બનાવે કે બનાવનારનું અનુમોદન કરે. |१३ जे भिक्खू कोउहल्ल-पडियाए आईणाणि वा जाव आभरणविचित्ताणि वा धरेइ, धरेत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી કુતૂહલ વશ બની ચર્મ નિષ્પન વસ્ત્ર થાવ અનેક આભરણ યુક્ત વસ્ત્ર રાખે કે રાખનાનારનું અનુમોદન કરે, |१४ जे भिक्खू कोउहल्ल-वडियाए आईणाणि वा जाव आभरणविचित्ताणि वा पिणद्धेइ, पिणखेंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી કુતૂહલ વશ બની ચર્મ નિપ્પન વસ્ત્ર ધાવતુ અનેક આભરણ યુક્ત વસ્ત્ર પહેરે કે પહેરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં કુતૂહલ, હાસ્યાદિને વશ સાધુ વિવિધ પ્રવૃત્તિઓ કરે, તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
કુતૂહલવૃત્તિ અનેક અનર્થોનું સર્જન કરે છે, તેથી સાધુએ કુતૂહલ વૃત્તિથી રહિત તથા ગંભીર સ્વભાવવાળું થવું જોઈએ. તેણે કુતૂહલ વૃત્તિવાળાનો સંગ પણ ન કરવો જોઈએ. સાધુ કુતૂહલને વશ થઈને સૂત્રોક્ત પ્રવૃત્તિઓ કરે, તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.
સૂત્ર–૧ અને રનું સંપૂર્ણ વિવેચન બારમાં ઉદ્દેશક પ્રમાણે સમજવું. મતિયઃ- માળા. સૂત્ર ૩થી પમાં વિવિધ પ્રકારની માળાઓનું વર્ણન છે. આ સૂત્રના શબ્દોના ક્રમ અને
Page #318
--------------------------------------------------------------------------
________________
ર૫૦ ]
શ્રી નિશીથ સૂત્ર
સંખ્યામાં અન્ય પ્રતોમાં ભિન્નતા જોવા મળે છે. અહીં ચૂર્ણિ પ્રમાણે ક્રમ માન્ય રાખ્યો છે. સર્વ પ્રતોની માળાઓને ગ્રહણ કરતાં ૧૬ પ્રકારની માળાઓ થાય છે. પ્રસ્તુતમાં તે સોળ પ્રકારની માળાઓનું કથન છે.
માળાનું નિર્માણ કે ધારણ કરવામાં સ્વ-પરને મોહનો ઉદય થાય, માળા બનાવવા કે ધારણ કરવામાં સમયનો વ્યય થાય અને સૂત્રાર્થના પઠન-પાઠનનું સમય રહે નહીં, લોકમાં નિંદા થાય, શાસનની અવહેલના થાય અને તેમાં કુતૂહલ વૃત્તિની પ્રધાનતા હોવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તોહણ- કડા. સુત્ર છ થી આઠમાં વિવિધ પ્રકારના ધાતુના કડા નિર્માણ કરવાનું વર્ણન છે, તે કડા બનાવવામાં અનેક દોષો લાગે છે.
લોખંડાદિ ધાતુને ગરમ કરવા ધમણ દ્વારા અગ્નિ પ્રગટ કરવો પડે, વાયુને પ્રેરિત કરવો પડે, તેમાં કરવામાં છ કાય જીવની અને સંયમની વિરાધના થાય છે. માટે સાધુ કડાઓ કે તેના માટે તાર બનાવે નહિ કે ધારણ કરે નહિ. હાળિ- હાર. સુ. નવથી અગિયારમા સૂત્રમાં વિવિધ પ્રકારના આભૂષણોનું કથન છે. પ્રતોમાં આ શબ્દોના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. આચારાંગ સૂત્ર, શ્ર.-૨, અ.–૧૩માં તથા શ્ર.-૨, અ.-૧૫માં, આ વિષય સંબંધી સર્વ પ્રથમ “હાર’ શબ્દ છે, તેથી પ્રસ્તુત સંસ્કરણમાં તે જ ક્રમ સ્વીકાર્યો છે માજિ...આભારવિત્તિ :- ચર્મમયવસ્ત્ર.. અનેક આભરણયુક્ત વસ્ત્ર. આ પ્રાયશ્ચિત્ત સૂત્રોમાં અનેક પ્રકારના બહુમૂલ્ય વિવિધ પ્રકારના વસ્ત્રોનું વર્ણન છે. આચા. શ્ર.-૨, અ.–૫, ઉ.–૧માં બહુમૂલ્ય અને ચર્મમય વસ્ત્રનો નિષેધ છે. અહીં આચારાંગ તથા ચૂર્ણિ સંમત આ સૂત્રપાઠ રાખ્યો છે. અન્ય પ્રતોમાં આ સૂત્રોના શબ્દ તથા ક્રમમાં ફેરફાર છે. અન્ય પ્રતોમાં કેટલાક શબ્દો વધુ છે, તે આ પ્રમાણે છે– ગાળા ૨પ- ચર્મનિર્મિત મોટું વસ્ત્ર, વોયરા, વોયર પાડા- કોયર દેશમાં નિષ્પન્ન વસ્ત્ર તથા મોટું વસ્ત્ર, સામાપિ - શ્યામમૃગ ચર્મ, મહામણિ – મહાશ્યામ મૃગ ચર્મ, કટ્ટર - ઊંટ ચર્મ, ૩૬ને સાળિ – ઊંટચર્મ નિર્મિત વસ્ત્ર, પતવાનિ - વાનર ચર્મ.
આ સૂત્રમાં બહુમૂલ્ય તથા ચર્મમય વસ્ત્રના કેટલાક નામ આપ્યા છે. દેશ-કાળ પ્રમાણે તેમાં ફેરફાર થયા કરે છે માટે આ સૂત્ર દ્વારા જે દેશ તથા જે કાળમાં જે વસ્ત્ર બહુમૂલ્ય હોય તેનું તથા સર્વ પ્રકારના ચર્મમય વસ્ત્રોનું ગ્રહણ થઈ જાય છે અને તેવા વસ્ત્ર સાધુએ ધારણ કરવા યોગ્ય નથી. બહુમૂલ્ય તથા ચર્મમય વસ્ત્રના દોષો :- બહુમૂલ્ય વસ્ત્ર અનેક પ્રકારના આરંભ-સમારંભથી ઉત્પન્ન થાય છે. તેના ઉત્પાદનમાં ત્રસ અને સ્થાવર જીવોની વિરાધના થાય છે. ચર્મ વગેરેની વધુ માંગ હોય તો પ્રાણીઓને મારવામાં આવે.
તે વસ્ત્ર બનાવવા યંત્રોનો ઉપયોગ કરવો પડે અને તેમાં છકાય જીવની વિરાધના થાય. બહુમૂલ્ય વસ્ત્ર પર મૂછભાવ ઉત્પન્ન થવાની સંભાવના છે અને તેનાથી કર્મબંધ થાય, ચોરાય જવાનો ભય રહે છે, માટે બહુમૂલ્ય તથા ચર્મમય વસ્ત્ર સાધુ બનાવે નહિ, ધારણ કરે નહિ. આ પ્રવૃત્તિઓમાં કુતૂહલવૃત્તિ હોવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. માળા-આભૂષણ વગેરે ધારણ કરવાથી વેષવિપર્યાસ થાય છે, તેથી લોકનિંદા થાય છે. તે પદાર્થોની પ્રાપ્તિ અને તેને રાખવામાં અનેક દોષોની સંભાવના છે, તેથી તે પ્રવૃત્તિઓ અનાચરણીય છે.
આ ત્રણ સૂત્રમાં રે, કરે અને ઉપર આ ત્રણ ક્રિયાપદનો પ્રયોગ થયો છે. તેનો અર્થ ક્રમશઃ બનાવવું, પાસે રાખવું અને પહેરવું તેમ થાય છે. પ્રતોમાં પણ ક્રિયાના સ્થાને પરિભંગક્રિયાનો
Page #319
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૭
પાઠ જોવા મળે છે. ચૂર્ણિકારે પિળજ્ઞેફ ક્રિયાનો સ્વીકાર કરીને જ વ્યાખ્યા કરી છે, તેથી અહીં પિળ દેરૂ ક્રિયાનો જ સ્વીકાર કર્યો છે.
૨૫૧
મૂળ પાઠમાં
ગૃહસ્થ દ્વારા શરીર પરિકર્મ :
१५ जा णिग्गंथी णिग्गंथस्स पाए अण्णउत्थिएण वा गारत्थिएण वा आमज्जावेज्ज वा पमज्जावेज्ज वा आमज्जावेंतं वा पमज्जावेतं वा साइज्जइ । एवं तइय उद्देसगगमेण णेयव्वं जाव जा णिग्गंथी णिग्गंथस्स गामाणुगामं दूइज्जमाणस्स अण्णउत्थिएण वा गारत्थिएण वा सीसदुवारियं कारावेइ, कारावेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધ્વી, સાધુના પગોને અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે એકવાર કે વારંવાર આમર્જન કરાવે કે કરાવનારનું અનુમોદન કરે. આ રીતે ત્રીજા ઉદ્દેશક પ્રમાણે કહેવું યાવત્ જે નિગ્રંથી ગ્રામાનુગ્રામ જતાં નિગ્રંથના મસ્તકને અન્યતીર્થિક કે ગૃહસ્થ દ્વારા ઢંકાવે કે ઢંકાવનારનું અનુમોદન કરે,
१६ जेग्गिंथे णिग्गंथीए पाए अण्णउत्थिएण वा गारत्थिएण वा आमज्जावेज्ज वा पमज्जावेज्ज वा आमज्जावैतं वा पमज्जावेतं वा साइज्जइ । एवं तइय उद्देगगमेण णेयव्वं जाव. जे णिग्गंथे णिग्गंधीए गामाणुगामं दुइज्जमाणीए अण्णउत्थिए वा गारत्थिएण वा सीसदुवारियं कारावेइ, कारावेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ, સાધ્વીના પગને અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે એકવાર કે વારંવાર આમર્જન કરાવે કે કરાવનારનું અનુમોદન કરે.આ રીતે ત્રીજા ઉદ્દેશક પ્રમાણે કહેવું યાવત્ જે નિગ્રંથ ગ્રામાનુગ્રામ જતાં નિગ્રંથીના મસ્તકને અન્યતીર્થિક કે ગૃહસ્થ દ્વારા ઢંકાવે કે ઢંકાવનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
સાધુ સ્વયં પોતાનું શરીર પરિકર્મ કાર્ય ગૃહસ્થ પાસે કરાવે તો તે સંબંધી પ્રાયશ્ચિત્ત પંદરમા ઉદ્દેશકમાં કહ્યું છે જ્યારે આ સૂત્રોમાં સાધુ સાધ્વીના અથવા સાધ્વી સાધુના શરીરનું પરિકર્મ કાર્ય ગૃહસ્થ પાસે કરાવે તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ત્રીજા ઉદ્દેશક પ્રમાણે ૫૪ પ્રાયશ્ચિત્ત સ્થાન સમજવા.
સદશ આચારવાળા સાધુ-સાધ્વીને સ્થાન ન આપવું:
१७ जे णिग्गंथे णिग्गंथस्स सरिसगस्स अंते ओवासे संते, ओवासं ण देइ, ण देतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ સમાન આચારવાળા અન્ય સાધુને, પોતાના ઉપાશ્રયમાં (જગ્યા) સ્થાન હોવા છતાં રહેવા માટે સ્થાન ન આપે કે ન આપનારનું અનુમોદન કરે,
१८ जाणिग्गंथी णिग्गंथीए सरिसियाए अंते ओवासे संते, ओवासं ण देइ, ण देतं वा साइज्जइ ।
Page #320
--------------------------------------------------------------------------
________________
ર૫ર |
શ્રી નિશીથ સત્ર
ભાવાર્થ - જે સાધ્વી સમાન આચારવાળી સાધ્વીજીઓને, પોતાના ઉપાશ્રયમાં(જગ્યા) સ્થાન હોવા છતાં રહેવા માટે સ્થાન ન આપે કે ન આપનારનું અનુમોદન કરે, તેને લઘુમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમાન આચારવાળા સાધુ-સાધ્વીને સ્થાન હોવા છતાં રહેવાની જગ્યા ન આપવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. સરિસરૂ:- સદશ સાધુ. જે સમાન સમાચારીવાળા હોય, અચલક આદિ ૧૦ કલ્પોમાં સમાન હોય અને સદોષ આહાર, ઉપધિ, શય્યા અને શિષ્યાદિને ગ્રહણ કરતા ન હોય, તે બધા “સદશ સાધુ” કહેવાય છે. તે સદેશ સાધુઓને પોતાના ઉપાશ્રયમાં જગ્યા હોય તો અવશ્ય સ્થાન દેવું જોઈએ.
કોઈ આપત્તિને કારણે આગંતુક સાધુ જો અસદશ હોય તો તેઓને પણ અવશ્ય સ્થાન દેવું જોઈએ. સ્થાન હોવા છતાં પણ સ્થાન આપવામાં ન આવે તો શાસનની અવહેલના થાય છે અને સંયમ ભાવોની હાનિ થાય છે, રાગ-દ્વેષની વૃદ્ધિ થાય છે; તેથી આ પ્રકારનું વર્તન કરનાર સાધુ કે સાધ્વીને આ સૂત્રો અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. માલાપહત દોષયુક્ત આહાર ગ્રહણઃ१९ जे भिक्खू मालोहडं असणं वा पाणं वा खाइमं वा साइमं वा देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મેડા ઉપર રહેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન - માડું:- મેડા વગેરે ઊંચા સ્થાન પર રાખેલા આહારને ઉતારીને આપવામાં આવે તો, તે માલોપહૃત દોષયુક્ત આહાર કહેવાય છે. ચૂર્ણિમાં તેના, જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદ કરીને કહ્યું છે કે આ પ્રાયશ્ચિત્ત કથન ઉત્કૃષ્ટ માલાપહતની અપેક્ષાએ સમજવું જોઈએ જેમ કે–સુત્તનિપાતો ડોલમિ, સં પંથમાસું હવેળા –ભાષ્ય ગાથા–૫૯૫ર. નિસરણી આદિની સહાયતાથી વસ્તુને ઉતારી શકાય તેવા ઊંચા સ્થાનોના તથા તેવી જ જાતના નીચેના તલઘર આદિ સ્થાનોના આહારને માલાપહત સમજવા જોઈએ.
ઊંચેથી આહાર લેવા નિસરણી ઉપર ચઢે તો ક્યારેક નિસરણી સરકી જાય, ચઢવા-ઊતરવામાં પડી જાય, દાતાના હાથ-પગ આદિ ભાંગી જાય, સાધુની અપકીર્તિ થાય, આ રીતે પડવાથી ઘણા જીવોની વિરાધના થાય, તેથી સંયમ વિરાધના થાય છે, ઇત્યાદિ અનેક દોષોની સંભાવના રહે છે.
માલાપહત આહારનો દશ, અ.–૫, ઉ–૧માં તથા આચા, શ્ર.-૨, અ-૧, ઉ.–૭માં સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે પિંડ નિર્યુક્તિમાં તેની ગણના ઉદ્ગમ દોષમાં કરી છે.
સામાન્ય ઊંચા સ્થાન કે જેના ઉપરથી વસ્તુ ઉતારતા પડી જવાની સંભાવના ન હોય, સ્થિર અને મજબૂત નિસરણી આદિ હોય, તો તેવા સ્થાનેથી ઉતારીને અપાતો આહાર માલોપહૃત દોષવાળો કહેવાતો નથી. આચા. સૂત્ર, શ્રત.-૨, એ.-૧, ઉ.-૭, સુ. ૧/૨ માં આ સંબંધમાં વિસ્તૃત વિવેચન છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૭
૨૫૩
કોઠીમાં રહેલા આહારનું ગ્રહણ ઃ
| २० जे भिक्खू कोट्ठियाउत्तं असणं वा पाणं वा खाइमं वा साइमं वा उक्कुज्जिय णिक्कुज्जिय ओहरिय देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કોઠીમાં રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ઊંચા થઈને કે નીચા નમીને બહાર કાઢીને અપાતા આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
માટી, છાણ, પથ્થર કે ધાતુ આદિની કોઠી હોય છે. તે ઊંડી હોવાથી તેમાંથી આહારાદિ કાઢવામાં મુશ્કેલી પડે છે. કોઠીમાં રહેલા આહારને કાઢવા માટે ઊંચા-નીચા થવા જેવી કષ્ટદાયી ક્રિયા કરવી પડે છે, તેથી આચા., શ્રુ.-૨, ઉ.–૭માં કોઠીમાંથી અશનાદિ કાઢીને ગૃહસ્થ આપે તો તે લેવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. આચારાંગમાં આ દોષને માલોપહૃત દોષ અને ટીકામાં તેને તિર્યક્ માલોપહૃત દોષ ગણ્યો છે.
ઉદ્ભિન્ન દોષયુક્ત આહારનું ગ્રહણ ઃ
२१ जे भिक्खू मट्टिओलित्तं असणं वा पाणं वा खाइमं वा साइमं वा उब्भिदिय णिभिदिय देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી માટીથી લિપ્ત અર્થાત્ બંધ કરેલા મુખવાળા વાસણમાં રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને, તે લેપ તોડીને(વાસણના મુખને ખોલીને) ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
मट्टिओलित्तं :- આ શબ્દથી અહીં ઉદ્ગમના ઉદ્ભિન્ન દોષનું કથન કર્યું છે. આચા., શ્રુ.-ર, અ.-૧, ઉ.-૭, સૂ.-૩ તથા દશ. સૂત્ર, અ.-૫, ઉ.–૧માં ઉદ્ભિન્ન દોષયુક્ત આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
આ સૂત્રમાં માત્ર માટીથી લિપ્ત બંધ કરેલા અશનાદિ આહારને ગ્રહણ કરવાના પ્રાયશ્ચિત્તનું કથન છે, પરંતુ ઉપલક્ષણથી અનેક પ્રકારના ઢાંકણ કે લેપથી બંધ કરેલા આહાર ગ્રહણનું પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ. ભારે પદાર્થ કે વાસણથી, માટી કે વનસ્પતિથી, લાખાદિથી અથવા લોખંડ વગેરેના ઢાંકણથી શીલબંધ કરેલા આહારને તે ઢાંકણ કે શીલ ખોલીને આપવામાં આવે અને સાધુ ગ્રહણ કરે તોપણ આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
સામાન્ય ઢાંકણા ને ખોલવામાં કે બંધ કરવામાં કોઈ વિરાધના ન થાય તથા સહજતાથી ખોલી કે બંધ કરી શકાય તેવા વાસણને ખોલીને આપવામાં આવતો આહાર ગ્રહણ કરવામાં પ્રાયશ્ચિત્ત આવતું નથી. ભારે ઢાંકણ ખોલવામાં, ઉઘાડવામાં દાતાને કષ્ટનો અનુભવ થાય અને પુનઃ બંધ કરવામાં જીવ વિરાધનાની સંભાવના હોય છે, તેથી તે પ્રાયશ્ચિત્તનું કારણ બને છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શ્રી નિશીથ સૂત્ર
સચિત્ત પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ ઃ
२२ जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा पुढविपइट्ठियं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વી પર રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
२३ | जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा आउपइट्ठियं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત પાણી ઉપર રાખેલા આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा तेउपइट्ठियं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત અગ્નિ ઉપર રાખેલા આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, २५ जे भिक्खू असणं वा पाणं वा खाइमं वा साइमं वा वणप्फइपइट्ठियं पडिग्गाहेइ पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત વનસ્પતિ પર રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પૃથ્વી વગેરે સચિત્ત પદાર્થ પર રાખેલા આહારને ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કથન છે. સાધુને સચિત્ત મીઠું, માટી, સચિત્ત પાણી કે પાણીના વાસણ, અંગારા, ચૂલા તથા લીલું ઘાસ, શાકભાજી આદિ ઉપર ખાધ પદાર્થ હોય તો તેમાંથી આહાર લેવો કલ્પતો નથી.
આચા., શ્રુત.-૨, અ.-૧, ઉ.-૭, સૂ-૪ માં પૃથ્વીકાય આદિ ઉપર રાખેલા આહારને લેવાનો નિષેધ છે અને અહીં તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. નિક્ષિપ્ત દોષયુક્ત આહાર લેવાથી એકેન્દ્રિય જીવોની વિરાધના થાય છે. અનંતર નિક્ષિપ્તનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત છે અને પરંપર નિક્ષિપ્તનું ભાષ્યમાં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તેમજ જો અનંતકાય પર નિક્ષિપ્ત આહાર હોય તો તેને ગ્રહણ કરવાથી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
અહીં નિક્ષિપ્ત દોષનું પ્રાયશ્ચિત્ત વિધાન છે, તે જ રીતે એષણાના ‘પિહિત’ દોષનું પ્રાયશ્ચિત્ત પણ આ સૂત્રથી સમજી લેવું જોઈએ અર્થાત્ ખાદ્ય પદાર્થ પર રાખેલા સચિત્ત પદાર્થને હટાવીને અપાતો આહાર ગ્રહણ કરવામાં પિહિત દોષ લાગે છે અને તેનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પણ આ સૂત્રથી પ્રાપ્ત થાય છે, તેમ સમજવું.
સંસ્કૃષ્ટ દોષનું કથન આ સૂત્રમાં કે એષણા દોષોમાં પણ ક્યાંય નથી, તોપણ તેમાં પૃથ્વીકાય આદિની વિરાધના થતી હોવાથી પિહિત દોષની સમાન સચિત્તથી સંસ્કૃષ્ટ—સ્પર્શેલો આહાર લેવાનું પ્રાયશ્ચિત્ત પણ આ સૂત્રથી સમજી લેવું જોઈએ.
Page #323
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૭
૨૫૫
આચારાંગ સૂત્રની ટીકામાં નિક્ષિપ્ત દોષના નિષેધથી એષણાના દસ દોષનો નિષેધ સમજી લેવાનું કથન કર્યું છે, કારણ કે તે સર્વ દોષ, આહાર ગ્રહણ કરવાના સમયે પૃથ્વી આદિ વિરાધનાથી સંબંધિત છે. માટે તે દસ દોષોનું પ્રાયશ્ચિત્ત પણ આ સૂત્રથી સમજી શકાય છે.
ઠંડા કરીને અપાતા આહારનું ગ્રહણ –
२६ जे भिक्खू अच्चुसिणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा सुप्पेण वा विहुयणेण वा तालियंटेण वा पत्तेण वा पत्तभंगेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा चेलेण वा चेलकण्णेण वा हत्थेण वा मुहेण वा फुमित्ता वीइत्ता आहट्टु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અત્યંત ગરમ અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ આહાર (૧) સૂપડાથી (૨) પંખાથી (૩) તાડપત્રથી (૪) ખજૂરી આદિના પાંદાડાથી (પ) પત્રના ટૂકડાથી (૬) શાખાથી (૭) શાખાના ટુકડાથી (૮) મોરના પીંછાથી (૯) મોરપીંછના પંખાથી (૧૦) વસ્ત્રથી (૧૧) વસ્ત્રના છેડાથી (૧૨) હાથથી કે મોઢાથી ફૂંક મારીને કે પંખા આદિ દ્વારા હવા નાંખીને ઠંડા કરીને અપાતા હોય, તેને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુતમાં ગરમ આહારને પંખાદિથી હવા નાંખી, ઠંડા કરીને આપવામાં આવતા આહાર ગ્રહણનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
અત્યંત ગરમ પદાર્થમાંથી નીકળતી વરાળથી તથા પંખા આદિથી હવા નાંખવાથી વાયુકાયના જીવોની વિરાધના થાય છે તથા સંપાતિમ(ઉડતા) ક્ષુદ્ર જંતુઓની પણ વિરાધના થવી સંભવે છે. આ પ્રમાણે વાયુકાયની વિરાધના કરીને શીતલ કરવામાં આવેલા આહાર–પાણી લેવા ભિક્ષુને કલ્પતા નથી, તેમ આચા. સૂત્ર, શ્રુ.-૨, અ.—૧, ઉ.–૭, સૂ–માં તથા દશ., અ.-૪માં કહ્યું છે અને પ્રસ્તુત સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કથન છે.
પહોળાં વાસણમાં ગરમ આહારાદિ નાંખીને થોડીકવાર રાખીને ઠંડો કરીને આપે તો પરિસ્થિતિવશ તે આહારાદિ લઈ શકાય છે, પરંતુ તેમાં પણ સંપાતિમ ઉડતાં જંતુ ન પડે તેનો વિવેક રાખવો આવશ્યક છે.
અહીં અનેક પ્રતિઓમાં ગરમ આહાર-પાણી સંબંધી પ્રાયશ્ચિત્તના બે સૂત્ર મળે છે, પરંતુ ભાષ્ય તેમજ ચૂર્ણિમાં એક જ સૂત્રની વ્યાખ્યા કરીને વિષય પૂર્ણ કરવામાં આવ્યો છે. તેમજ આચારાંગ સૂત્રમાં પણ એક જ સૂત્ર છે, તેથી પ્રસ્તુતમાં એક જ સૂત્ર ગ્રહણ કયું છે.
તત્કાલના ધોવણ પાણીનું ગ્રહણ ઃ
२७ जे भिक्खू - उस्सेइमं वा संसेइमं वा चाउलोदगं वा वारोदगं वा तिलोदगं वा तुसोदगं वा जवोदगं वा आयामं वा सोवीरं वा अंबकजियं वा सुद्धवियडं वा; अहुणाधोयं अणंबिलं अवोक्कतं अपरिणयं अविद्धत्थं पडिग्गाहेइ, पडिग्गार्हेत वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી (૧) ઉત્સ્વદિમ–લોટવાળા હાથ, ચમચા વગેરેનું ધોયેલું પાણી (૨)
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૫૬ ]
શ્રી નિશીથ સૂત્ર
સંસ્વેદિમ- બાફેલા કઠોળ કે શાકભાજી વગેરેનું ધોયેલું પાણી, (૩) ચાઉલોદક—ભાત(ચોખા)નું ધોવણ, (૪) વારોદક–ગોળ વગેરેના વાસણ ધોયેલું પાણી, (૫) તિલોદક (૬) તુષોદક (૭) યવોદક (2) ઓસામણ (૯) સોવીર–સળગતા લાકડાંને પાણીમાં બોળી બુઝાવવામાં આવે તે પાણી અથવા કાંજીના ધોયેલા વાસણનું પાણી (૧૦) છાસની પરાશ (૧૧) શુદ્ધોદક, આ સર્વ પ્રકારના પાણી જે તત્કાલના ધોયેલા હોય, જેનો રસ પરિવર્તિત થયો ન હોય, જીવોનું ચ્યવન થયું ન હોય, શસ્ત્ર પરિણત થયા ન હોય, પૂર્ણ રૂપે અચિત્ત થયા ન હોય, તેવા ધોવણ પાણીને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તત્કાલના ધોવણ પાણી ગ્રહણનું પ્રાયશ્ચિત્ત વિધાન છે આચા., શ્રુ. ૨, અ. ૧, ઉ. ૭, સૂ. ૮૯નું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. આગમોમાં અનેક જગ્યાએ અચિત્ત શીતલ જળનું અર્થાત્ ધોવણ પાણીનાં નામોનું કથન છે. તેમાં ગ્રાહ્ય અને અગ્રાહ્ય બંને પ્રકારના પાણી દર્શાવ્યા છે. અગિયાર પ્રકારના ગ્રાહ્ય ધોવણ પાણી - (૧) ઉત્તેદિમ – લોટથી લિપ્ત હાથ કે વાસણ ધોયા હોય તે ધોવણ. (૨) સંસ્વેદિમ – ઉકાળેલા તલ, પત્ર, શાક આદિનું ધોએલું પાણી. (૩) તંદુલાદક – ચોખાને ધોએલું પાણી. (૪) તિલોદક - તલને ધોએલું પાણી. (૫) તુષોદક – તુષનું ધોવાણ- મગની દાળ વગેરેના ફોતરા કાઢવા માટે ધોયેલું પાણી. (૬) જવોદક - જવને ધોયેલું પાણી. (૭) આયામ - છાસની પરાશ. (૮) સોવર – ગરમ લોખંડ, લાકડી વગેરેને ઠારવા પાણીમાં બોળવામાં આવે તે પાણી. (૯) શુદ્ધોદક– હરડે, બહેડા, ત્રિફલા, રાખ, લવિંગ આદિ પદાર્થોથી અચિત્ત બનાવેલું પાણી (આ પાણી કોઈ વસ્તુ કે વાસણ ધોયા વિના તૈયાર કરેલા હોવાથી શુદ્ધોદક કહેવાય છે. (૧૦) વારોદક - ગોળ વગેરેના ઘડા-વાસણ ધોએલું પાણી. (૧૧) આશ્લેકાંજિક–ખાટા પદાર્થોનું ધોવણ. બાર પ્રકારના અગ્રાહ્ય ધોવણ અને અગ્રાહ્યતાનું કારણ:- (૧) આમ્રોદક–કેરીનું ધોએલું પાણી, (૨) અમ્બાડોદક–આમ્રાતક–ફળ વિશેષનું ધોએલું પાણી, (૩) કપિત્થોદક-કવીઠનું ધોએલું પાણી, (૪) બીજ પૂરોદક–બીજોરાનું ધોએલું પાણી, (૫) દ્રાક્ષોદક–દ્રાક્ષનું ધોએલું પાણી, (૬) દાડિમોદક-દાડમનું ધોએલું પાણી, (૭) ખજુરોદક–ખજૂર ધોએલું પાણી, (૮) નાલિકેરોદક—નારિયેળનું ધોએલું પાણી (૯) કરીરોદક–કેરનું ધોએલું પાણી, (૧૦) બદિરોદક બોરનું ધોએલું પાણી, (૧૧) આમલોદક-આમળાનું ધોએલું પાણી (૧૨) ચિંચોદક–આમલીનું ધોએલું પાણી.
આ ફળોનું ધોવણ પાણી અચિત્ત થઈ શકે છે, તે ફળ પાણીમાં થોડો સમય રહેવાથી કે ધોવાથી ફળનો રસ તથા તેના ઉપર લાગેલા અન્ય પદાર્થોનો સ્પર્શ તે પાણીને અચિત્ત કરે છે, પરંતુ આ ફળોમાં રહેલા ગોઠલી, બીજ કે તેના ડીંટ વગેરે સચિત્ત પદાર્થ પાણીમાં હોવાની સંભાવનાને લક્ષ્યમાં રાખી આચા. શ્ર.-૨, અ.-૧, ઉ.-૮માં તેવા પ્રકારના ધોવણને અકલ્પનીય અગ્રાહ્ય કહ્યા છે. સવીરં, સંવનિ:- આ સૂત્રમાં સોવીર અને આસ્લકજિક આ બંને શબ્દનો પ્રયોગ થયો છે. (૧) ટીકા ગ્રથોમાં “સોવીર’નો અર્થ કાંજી કર્યો છે. હિંદી કોશમાં કાંજીનો અર્થ આ પ્રમાણે છે– મીઠું-જીરું નાંખી તૈયાર કરેલું સ્વાદિષ્ટ, પાચક, ખાટું પીણું. આ સૂત્રમાં આ અર્થ સંગત થતો નથી. આ સૂત્રમાં ધોરણ પાણીની વાત છે અને સોવીરનો અર્થ કાંજી કરીએ, તે તો એક સ્વાદિષ્ટ પીણું જ કહેવાય, ધોવણ નહીં. અઠ્ઠમ સુધી ધોવણ પાણી વાપરી શકાય તેવો આગમોમાં ઉલ્લેખ છે. આવું સ્વાદિષ્ટ પીણું ઉપવાસમાં પીવું કલ્પે નહીં. માટે અહીં સોવરનો પરંપરાથી પ્રાપ્ત થતો અર્થ- ગરમ લોખંડાદિ ધાતુને પાણીમાં
Page #325
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૭
૨૫૭ ]
ડૂબાડી ઠંડી કરવામાં આવે તે પાણી, તેવો અર્થ ઉપયુક્ત છે. (૨) આમ્નકાંજિક એટલે ખાટા પદાર્થનું ધોવણ અથવા છાશની પરાશ. અEળ થયું - તુરંતનું ધોવણ. શસ્ત્રનો સ્પર્શ થવા છતાં પણ પાણી તત્કાલ અચિત્ત થતું નથી માટે ધોવણ પાણી બન્યા પછી અર્ધા કલાક કે એક મૂહુર્ત પછી જ તેને ગ્રહણ કરી શકાય. પાણી અને શસ્ત્રરૂપ પદાર્થની હીનાધિકતાના કારણે અચિત્ત થવાનો સમય પણ હીનાધિક હોય છે, તેથી ચૂર્ણિકારે સમય નિર્ધારિત કર્યો નથી, પણ વિવેકપૂર્વક સમય નિર્ણય કરવાનું સૂચન કર્યું છે.
ધોવણ પાણીના નામોમાં “શુદ્ધોદક શબ્દ પ્રયોગ છે. તેનો અર્થ “ઉષ્ણ પાણી’ કરવો ઉચિત નથી, કારણ કે ગરમ પાણી માટે આગમમાં ‘ઉષ્ણોદક' શબ્દ પ્રયોગ જોવા મળે છે. આ સૂત્રમાં તો તત્કાલના ધોવણ પાણીની વાત છે. તેમાં ગરમ પાણીનો આ પ્રાયશ્ચિત્ત વિધાન સાથે કોઈ સંબંધ થતો નથી “શુદ્ધોદકનો અર્થ- અન્નના અંશથી રહિત અને અમનોજ્ઞ પદાર્થોથી રહિત હોય તેને શુદ્ધોદક કહે છે તેમ સમજવું. ઉણોદક - ધોવણ પાણી સિવાય ગરમ જળ પણ સાધુ-સાધ્વીને ગ્રાહ્ય છે. જે એક જ પ્રકારનું હોય છે. પાણીને અગ્નિ પર પૂર્ણ ઉકાળવામાં આવે ત્યારે અચિત્ત થઈ જાય છે અર્થાત્ હાથ અડાડી ન શકાય તેવું ગરમ પાણી જ અચિત્ત બને છે તેથી ઓછું ગરમ હોય તો પૂર્ણ અચિત્ત તેમજ કલ્પનીય નથી. ટીકા આદિમાં ત્રણ ઉકાળા આવવા પર અચિત્ત થવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
તત્કાલનું ધોવણ પાણી અચિત્ત થયું ન હોવાથી અગ્રાહ્ય છે, તેમજ કાલાંતરે ઉકાળેલા પાણીની જેમ તે પણ સચિત્ત થઈ જવાથી તે અગ્રાહ્ય બને છે. જિન્ટે ગોરતે વિત્તી મતિ, સંત વાણીનું yવષે વહાં અવરદ્ વત્તી મવતિ -દશ. ચૂર્ણિ.
ઉનાળામાં એક અહોરાત્રી, શિયાળા અને વર્ષાકાળમાં સવારના ગરમ કરેલા પાણીની સાંજે સચિત્ત થઈ જવાની સંભાવના છે. ઉકાળેલા પાણીની જેમ ધોવણની પણ અચિત્ત રહેવાની કાલમર્યાદા છે. પ્રવચન સારોદ્વાર ગ્રંથની ટીકામાં ગરમ પાણી જેટલો જ ચોખા આદિના ધોવણનો અચિત્ત રહેવાનો કાળ કહ્યો છે. આત્મ પ્રશંસા:| २८ जे भिक्खू अप्पणो आयरियत्ताए लक्खणाई वागरेइ, वागरंतं वा साइज्जइ। ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી પોતે પોતાની જાતને આચાર્યના લક્ષણોથી સંપન્ન કહે કે કહેનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
કોઈ સાધુપોતાના શરીરના લક્ષણો, હાથ-પગની રેખાઓ, હાથ-પગ પર અથવા શરીરના અન્ય અવયવ પર રહેલા ચંદ્ર, ચક્ર વગેરે ચિહનો, શરીરની પ્રમાણોપેતતા વગેરે લક્ષણોથી “હું અવશ્ય આચાર્ય બનીશ” આ પ્રકારે કથન કરે તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે.
આવા અભિમાન યુક્ત વચનો બોલવા તે દોષરૂપ છે. આવા વિચારો તથા ભાષાથી કોઈ વિક્ષિપ્તચિત્ત થઈ જાય; નિમિત્ત, લક્ષણ જ્ઞાન અસત્ય થઈ જાય, વૈરભાવથી કોઈ તેને જીવન રહિત કરવાનો પ્રયત્ન પણ કરે માટે ભિક્ષ પોતાના લક્ષણોને પ્રગટ કરે નહીં. અભિમાન કરવાથી તથા આત્મ પ્રશંસાથી ગુણો અને પુણ્યાશોનો ક્ષય થાય છે.
નવીન આચાર્યને સ્થાપિત કરવાના હોય ત્યારે સ્થવિર શ્રમણો કે આચાર્યાદિ જાણકારી મેળવવા
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
ઇચ્છે અથવા ક્યારેક અયોગ્યને આચાર્ય પદે સ્થાપિત કરાતાં હોય તો સંઘની શોભા કે સંઘના રક્ષણ માટે સ્વયં અથવા અન્ય દ્વારા પોતાના લક્ષણોની જાણકારી આપી શકે છે, ત્યારે પ્રાયશ્ચિત્ત આવતું નથી. તેવા સમયમાં પણ ક્લેશ કદાગ્રહની વૃદ્ધિ ન થાય તે રીતે વ્યવહાર કરવો જોઈએ.
ગીતાદિ ગાવા ઃ
૨૫૮
२९ जे भिक्खू गाएज्ज वा हसेज्ज वा वाएज्ज वा णच्चेज्ज वा अभिणएज्ज वा हयहेसियं वा हत्थिगुलगुलाइयं वा उक्किट्ठसीहणायं वा करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગીત ગાય, હાસ્ય કરે, વાજિંત્ર વગાડે, નાચે, અભિનય કરે, ઘોડા જેવો કે હાથી જેવો અવાજ કરે, સિંહનાદ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
:
ગીત, હાસ્ય, વગેરે ઉપરોક્ત પ્રવૃત્તિઓ મોહનીય કર્મના ઉદય અને ઉદીરણા જનિત છે. સાધુ તો હંમેશાં મોહની ઉપશાંતિમાં પ્રયત્નશીલ હોય છે, તેથી તેઓ માટે આવી પ્રવૃત્તિઓ અયોગ્ય છે. હાસ્ય, વાંજિત્ર વાદન, કોઈની નકલ કરવી અથવા પશુઓના અવાજ કરવા તે સંયમ માર્ગ માટે નિરર્થક છે. આ પ્રવૃત્તિઓમાં આત્મ અસંયમ અને જીવ વિરાધનાનો સંભવ હોવાથી સાધુ માટે તે ત્યાજ્ય છે. ઉત્તરાધ્યયન અધ્યયન—૩૫ માં તેઓને કાંદર્ષિક કહ્યા છે. તેઓ સંયમ વિરાધક બની દુર્ગતિને પ્રાપ્ત કરે છે. તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે.
ધર્મકથા કરતાં, ધર્મ પ્રભાવના માટે ધર્મસાપેક્ષ ગીત ગાય તો તેનું પ્રાયશ્ચિત્ત નથી. તે જ રીતે આપત્તિ સમયે રક્ષા માટે કોઈ અવાજ કરવો પડે તો તેનું પ્રાયશ્ચિત્ત ન સમજવું. ગાયકનું લક્ષ માત્ર કલા પ્રદર્શિત કરવાનું હોય અથવા માત્ર મનોરંજન માટે ધર્મ નિરપેક્ષ ગીત ગાય તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. વાજિંત્રોના શબ્દ શ્રવણમાં આસક્તિઃ
| ३० जे भिक्खू भेरिसद्दाणि वा पडहसद्दाणि वा मुरजसद्दाणि वा मुइंगसद्दाणि वा णं दिसद्दाणि वा झल्लरीसद्दाणि वा वल्लरिसद्दाणि वा डमरुयसद्दाणि वा मडुयसद्दाणि वा सदुयसद्दाणि वा पएससद्दाणि वा गोलुंकिसद्दाणि वा अण्णयराणि वा तहप्पगाराणि वितताणि सद्दाणि कण्णसोय-वडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ભેરીના શબ્દો (૧) પડહ(ઢોલ) (૨) મુરજ (૩) મૃદંગ (૪) નંદી (૫) ઝાલર (૬) વલ્લરી (૭) ડમરુ (૮) મડુય (૯) સદુય (૧૦) પ્રદેશ અને (૧૧) ગોલુકીના શબ્દો તથા તેવા પ્રકારના અન્ય વિતત—ચર્મ મઢિત વાધના શબ્દોને સાંભળવાની અભિલાષાથી જાય કે જનારનું અનુમોદન કરે,
३१ जे भिक्खू वीणासद्दाणि वा विपंचिसद्दाणि वा तूणसद्दाणि वा वव्वीसग सद्दाणि वा वीणाइयसद्दाणि वा तुंबवीणासद्दाणि वा झोडयसद्दाणि वा ढंकुणसद्दाणि वा अण्णयराणि वा तहप्पगाराणि तताणि सद्दाणि कण्णसोयवडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી (૧) વીણાના શબ્દો (૨) વિપંચી (૩) તૂણ (૪) વવ્વીસગ (૫) વીણાદિક
Page #327
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૭
૨૫૯ |
(૬) તુંબવીણા (૭) ઝાટક અને (૮) ઢેકુણના શબ્દો તથા અન્ય પણ તેવા પ્રકારના તત-તારવાળા વાદ્યોના શબ્દને સાંભળવાની ઇચ્છાથી જાય કે જનારનું અનુમોદન કરે, |३२ जे भिक्खू तालसदाणि वा कंसतालसहाणि वा लित्तियसहाणि वा गोहिय सद्दाणि वा मकरियसद्दाणि वा कच्छभिसद्दाणि वा महइसद्दाणि वा सणालिया सद्दाणि वा वलियासहाणि वा अण्णयराणि वा तहप्पगाराणि घणाणिसहाणि वा कण्णसोयपडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી (૧) તાલના શબ્દો (૨) કંસ (૩) લત્તિક (૪) ગોહિક (૫) મકર્મ (5) કચ્છભિ (૭) મહતી (૮) સનાલિકા (૯) વલીકાના શબ્દો તથા તેવા પ્રકારના અન્ય ઘનવાદ્યોના શબ્દો સાંભળવાની ઇચ્છાથી જાય કે જનારનું અનુમોદન કરે, ३३ जे भिक्खू संखसहाणि वा वंससदाणि वा वेणुसद्दाणि वा खरमुहिसदाणि वा परिलिससहाणि वा वेवासहाणि वा अण्णयराणि वा तहप्पगाराणि झुसिराणि सद्दाणि कण्णसोयवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી (૧) શંખના શબ્દો તેમજ (૨) વાંસ (૩) વેણુ (૪) ખરમુહિ (૫) પરિલિસ (૬) વેવાના શબ્દો કે તેવા પ્રકારના અન્ય કૃષિરવાદ્યોના શબ્દો સાંભળવાની ઇચ્છાથી જાય કે જનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં શબ્દાસક્તિના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. બારમાં ઉદ્દેશકમાં રૂપની આસક્તિનું પ્રાયશ્ચિત્ત વિધાન છે આચા., શ્રુત-૨, અ.–૧૧માં શબ્દાસક્તિનો નિષેધ કરતા ચાર સૂત્રો છે. તેના આ ચાર પ્રાયશ્ચિત્ત સૂત્રો છે. વાધના પ્રકાર :- આ ચાર સૂત્રમાં ચાર પ્રકારના વાદ્યોનું નિરૂપણ છે– (૧) વિતત- ઢોલ, તબલા વગેરે ચામડાથી મઢેલા વાદ્યો. (૨) તત– વીણા વગેરે તારવાળા વાદ્ય. (૩) ઘન-મંજીરા, જલતરંગ વગેરે પરસ્પર ટકરાઈને વાગતા વાદ્યો. (૪) નૃસિર– વાંસળી વગેરે મધ્યમાં પોલાણવાળા વાધો.
આ વાદ્યો સાંભળવાના સંકલ્પથી, અભિલાષાથી સાંભળવા જવું સાધુ માટે સર્વથા અકથ્ય છે. કદાચ અનાયાસે વાદ્યોના સૂર કાનમાં પડે તો સાધુ તેમાં રાગભાવ કરે નહીં. રોગનિવારણાર્થ ભંભા(ભેરી) આદિ વાદ્યોનો અવાજ સાંભળવાનું પ્રાયશ્ચિત્ત નથી. વિભિન્ન સ્થાનોના શબ્દ શ્રવણમાં આસક્તિ - ३४ जे भिक्खू वप्पाणि वा जाव भवणगिहाणि वा कण्णसोयवडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ । एवं बारसमुद्देसग गमेणं सव्वे सुत्ता सद्दालावगेणं भाणियव्वा जाव जे भिक्खू बहुसगडाणि वा जाव अण्णयराणि वा विरूवरूवाणि महासवाणि कण्णसोयवडियाए अभिसंधारेइ, अभिसंधारेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ખેતર થાવ ભવનગૃહોના શબ્દો સાંભળવાના સંકલ્પથી જાય કે જનારનું
Page #328
--------------------------------------------------------------------------
________________
[ ર૬૦ ]
શ્રી નિશીથ સૂત્ર
અનુમોદન કરે છે ઇત્યાદિ ૧રમા ઉદ્દેશકની સમાન સૂત્રો, શબ્દ શ્રવણના આલપાકના સૂત્રો કહેવા યાવત
જે સાધુ કે સાધ્વી અનેક બળદગાડીઓના કાવતુ અન્ય અનેક પ્રકારના મહા આશ્રવવાળા સ્થાનોમાં શબ્દ શ્રવણના સંકલ્પથી જાય કે જનારનું અનુમોદન કરે, તેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. ३५ जे भिक्खू इहलोइएसु वा सद्देसु, परलोइएसु वा सद्देसु, दिद्वेसु वा सद्देसु, अदिढेसु वा सद्देसु, सुएसु वा सद्देसु, असुएसु वा सद्देसु, विण्णाएसु वा सद्देसु, अविण्णाएसु वा सद्देसु सज्जइ, रज्जइ, गिज्झइ, अज्झोववज्जइ, सज्जमाणं, रज्जमाणं, गिज्जमाणं, अज्झोववज्झमाणं साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं ।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી (૧) ઇહલૌકિક શબ્દોમાં (૨) પારલૌકિક શબ્દોમાં (૩) દષ્ટ શબ્દોમાં (૪) અદષ્ટ શબ્દોમાં (૫) શ્રત શબ્દોમાં () અમૃત શબ્દોમાં (૭) જ્ઞાત શબ્દોમાં (૮) અજ્ઞાત શબ્દોમાં આસક્ત, અનુરક્ત, ગૃદ્ધ અને અત્યધિક ગૃદ્ધ થાય કે તે પ્રમાણે ગૃદ્ધ થનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકમાં વર્ણિત ૧૫૫ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સૂત્રોનું સંપૂર્ણ (પંદર પ્રાયશ્ચિત્ત સ્થાનોનું) વિવેચન બારમા ઉદ્દેશક પ્રમાણે જાણવું જોઈએ. આચા, શ્રુ. ૨, અ. ૧૧, સૂ. ૫ થી ૧૯માં શબ્દ સાંભળવાની આસક્તિથી અન્ય-અન્ય સ્થાનોમાં જવાનો નિષેધ છે અને સાધુ આસક્તિ ભાવથી શબ્દ શ્રવણ માટે જાય, તો તેના આ પ્રાયશ્ચિત્ત સૂત્રો છે.
આ ઉદ્દેશકના ૩૫ સૂત્રોમાં ૧૫૫ પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે. સૂત્ર કમ | પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા | સૂત્રકમ | પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા | ૧થી ૧૪ |
૧૪
| રર થી ર૫ | ૧૫
૫૪ | ૨૬ | ૧૬
૫૪
] - ૨૭ | ૧૭-૧૮
૨૮ ૧૯
૨૯ ૨૦ | ૧ | ૩૦ થી ૩૩ | ૨૧ |
૧ | ૩૪
૧૫ ૩૫ | ૧ | કુલ- ૩૫ | કુલ–૧૫૫
સત્તરમો ઉદ્દેશક સંપૂર્ણ |
Page #329
--------------------------------------------------------------------------
________________
પ્રાથને
[ ૨૧]
અઢારમો ઉદ્દેશક પરિચય છROCRORRORDROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૭૩ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
અત્યાવશ્યક પ્રયોજન વિના નૌકા વિહાર કરવો, દીતાદી દોષયુક્ત નૌકામાં ચઢવું, નૌકામાં ચઢવાને માટે નાવને જળથી સ્થળમાં, સ્થળથી જળમાં મંગાવવી, કીચડમાંથી કઢાવવી કે નાવમાં ભરેલાં જળને ઉલેચાવવા, નૌકા સુધી જવાને માટે બીજી નૌકા આદિ કરવી, અનુસ્રોત કે પ્રતિસ્રોતમાં જનારી નૌકામાં જવું, અર્ધ યોજના કે એક યોજનથી અધિક લાંબો માર્ગ પાર કરનારી નૌકામાં જવું, નૌકા ચલાવવી કે તેમાં સહાયતા કરવી, નૌકામાં ભરાતા જળને બહાર ઉલેચવું, નૌકાના છિદ્રને બંધ કરવું, નૌકા વિહારના પ્રસંગમાં સ્થળ, જળ, કીચડ કે નાવમાં આહાર ગ્રહણ કરવો, વસ્ત્ર સંબંધી ૪૧ દોષોનું સેવન કરવું ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકમાં વસ્ત્ર તેમજ નૌકા આ બે વિષયોનું પ્રાયશ્ચિત્ત કથન છે, તે જ આ ઉદ્દેશકની વિશેષતા છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રી નિશીથ સૂત્ર
અઢારમો ઉદ્દેશક E/Z//ż ૦૩ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન /E||||
નૌકા વિહાર -
१ जे भिक्खू अट्ठाए णावं दुरुइह दुरुहंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિષ્પ્રયોજન નાવમાં બેસે કે બેસનારનું અનુમોદન કરે,
२ जे भिक्खू णावं किणइ, किणावेइ, कीयं आहट्टु देज्जमाणं दुरुइह, दुरुहंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નાવ ખરીદે, ખરીદાવે, ખરીદીને લાવી અપાતી નાવમાં બેસે કે બેસનારનું અનુમોદન કરે,
३ जे भिक्खू णावं पामिच्चइ, पामिच्चावेइ, पामिच्चं आहट्टु देज्जमाणं दुरुहइ, दुरुहंतं वा साइज्जइ ।
ભાવાર્થ :-g સાધુ કે સાધ્વી નાવ ઉધાર લે, ઉધાર લેવડાવે, ઉધાર લાવીને અપાતી નાવમાં બેસે કે બેસનારનું અનુમોદન કરે,
४ जे भिक्खू णावं परियट्टेइ, परियट्टावेइ, परियट्टं आहट्टु देज्जमाणं दुरुहइ, दुरुहंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નાવની અદલા-બદલી કરે, અદલા-બદલી કરાવે, અદલા-બદલી કરીને અપાતી નાવમાં બેસે કે બેસનારનું અનુમોદન કરે,
जे भिक्खू णावं आच्छेज्जं, अणिसिट्ठ, अभिहडं आहट्टु देज्जमाणं दुरुहइ, दुरुहंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી છીનવીને લીધેલી, થોડા સમય માટે લાવીને આપેલી અને સામેથી લાવેલી નાવમાં બેસે કે બેસનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
સાધુ અપ્લાયની વિરાધનાના પૂર્ણપણે ત્યાગી હોય છે, તેથી તેમના માટે નૌકા વિહાર કલ્પનીય નથી. આચારાંગ, બૃહત્કલ્પ, દશાશ્રુત સ્કંધ સૂત્રમાં આપવાદિક રૂપે, પ્રયોજન વિશેષથી નૌકા વિહારનું વિધાન છે. અપવાદનું સેવન, સેવનની સીમા અને પ્રાયશ્ચિત્તનું નિર્ધારણ ગીતાર્થ મુનિ કરી શકે છે. અપવાદ માર્ગે નૌકા વિહારના કારણો ઃ– (૧) કલ્પ મર્યાદાનું પાલન કરવું હોય, (૨) સેવા અર્થે જવું
-
Page #331
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૮
૨૩
હોય, (૩) સુલભ ભિક્ષાવાળા ક્ષેત્રમાં જવું હોય, (૪) સ્થલ માર્ગ જીવોથી વ્યાપ્ત હોય, (૫) સ્થલ માર્ગમાં ચોર કે હિંસક પશુનો ભય હોય, (૬) રાજા દ્વારા નિષિદ્ધ ક્ષેત્રને પાર કરવું હોય ઇત્યાદિ કારણોસર નાવનો ઉપયોગ સકારણ અને આગમ વિહિત કહેવાય છે. શું આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવતું નથી.
સપ્રયોજન નૌકા વિહારમાં પણ ક્રીતાદિ દોષ ન લાગે તેનો ખ્યાલ સાધુએ રાખવો જોઈએ. ક્રીતાદિ દોષયુક્ત નૌકામાં જવું કલ્પનીય નથી. નાવિક પોતાના ભક્તિ ભાવથી ભાડુ લીધા વિના લઈ જાય તો પ્રાયશ્ચિત્ત આવતું નથી. નહીં તો ક્રીત, ઉધાર, વગેરે દોષોનું તે સૂત્રાનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે.
ઇચ્છા પૂર્તિ કરવા, ગ્રામાનુગ્રામ વિચરણ કરવા, તીર્થ સ્થાનોમાં ભ્રમણ કરવા માટે નૌકા વિહાર કરવામાં આવે તો તે નિષ્કારણ કહેવાય છે. તેમાં નૌકા વિહારનું અને અપ્લાયના જીવોની વિરાધનાનું તેમ બંને પ્રકારે પ્રાયશ્ચિત્ત આવે છે. પ્રવચન પ્રભાવના માટે પણ આગમમાં કે વ્યાખ્યાગ્રંથોમાં નૌકા વિહારનું વિધાન નથી. નૌકા વિહાર સંબંધી વિધિ-નિષેધનું વિસ્તૃત વર્ણન આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ–ર, અધ્યયન–૩, ઉદ્દેશક–૧ અને રમાં સ્વયં સૂત્રકારે કર્યું છે.
નૌકા વિહારની પૂર્વ તૈયારી :
६ जे भिक्खू थलाओ णावं जले ओक्कसावेइ, ओक्कसावेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નાવને જમીન ઉપરથી પાણીમાં ઉતરાવે કે ઉતરાવનારનું અનુમોદન કરે, ७ जे भिक्खू जलाओ णावं थले उक्कसावेइ, उक्कसावेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નાવને પાણીમાંથી જમીન ઉપર રખાવે કે રખાવનારનું અનુમોદન કરે, ८ जे भिक्खू पुण्णं णावं उस्सिचावेइ, उस्सिचावेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાણીથી પૂર્ણ ભરેલી નાવને ખાલી કરાવે કે ખાલી કરાવનારનું અનુમોદન કરે, ९ जे भिक्खू सण्णं णावं उप्पिलावेइ, उप्पिलावेंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કીચડમાં ફસાયેલી નાવને બહાર કઢાવે કે કઢાવનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
સાધુ સપ્રયોજન નૌકા વિહાર કરે, ત્યારે તો અન્ય યાત્રિકો માટે પૂર્વ તૈયારી પૂર્ણપણે થઈ ગઈ હોય તેવી નાવમાં વિધિપૂર્વક બેસે, પરંતુ સાધુ નાવને જમીન પરથી પાણીમાં અને પાણીમાંથી જમીન પર લેવડાવે નહીં, નાવને કીચડમાંથી બહાર કઢાવે નહીં કે પાણીમાંથી બહાર કાઢી સાફ કરાવે નહીં. તેવી કોઈ પ્રવૃત્તિ કરે તો તેમાં જીવવિરાધના થતી હોવાથી તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે.
પ્રતિનાવિક કરીને નૌકા વિહાર :
१० जे भिक्खू पडिणावियं कट्टु णावाइ दुरुहइ, दुरुहंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પ્રતિનાવિક કરીને અર્થાત્ અન્ય નાવનો ઉપયોગ કરીને નાવમાં બેસે કે બેસનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી નિશીથ સૂત્ર
વિવેચનઃ
નદી પાર કરાવતી નૌકા મોટી હોય, કિનારાથી દૂર લાંગરેલી હોય તો ત્યાં સુધી જવા માટે બીજી નાની નાવનો ઉપયોગ કરવો પડે તેને પ્રતિનાવ કહે છે અને તેના નાવિકને પ્રતિનાવિક કહે છે. સાધુ કિનારે રહેલા નાવિકને કહે કે “નદીના મધ્ય ભાગે બીજી નાવ છે ત્યાં સુધી તું મને લઈ જા.’’ આ રીતે સાધુ પ્રતિનાવિક કરીને નાવ પર ચડે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. જે નાવ કિનારાની સમીપમાં હોય અને આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ–૨, અધ્યયન–૩, ઉદ્દેશક–૧માં દર્શાવેલી વિધિ પ્રમાણે પગે ચાલી પહોંચી શકાય તેવી નાવમાં જવાથી પ્રાયશ્ચિત્ત આવતું નથી
ઊર્ધ્વ-અધોગામિની નૌકા ઃ
|११| जे भिक्खू उड्डगामिणिं वा णावं, अहोगामिणिं वा णावं दुरुहइ, दुरुहंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઉર્ધ્વગામિની કે અધોગામિની નાવ ઉપર બેસે કે બેસનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
સ્રોતની સન્મુખ જતી, સામા પ્રવાહમાં ચાલનારી નાવને ઊર્ધ્વગામિની નાવ કહે છે અર્થાત્ નદી જે પ્રદેશમાંથી વહેતી-વહેતી આવતી હોય તે પ્રદેશ તરફ જતી નાવ ઊર્ધ્વગામી કહેવાય છે. જલ પ્રવાહની સાથે ચાલનારી, પ્રવાહની દિશામાં જતી નાવ અધોગામિની નાવ કહેવાય છે. સાધુને ઊર્ધ્વગામિની કે અધોગામિની નાવમાં બેસવું કલ્પતું નથી. નદીને સપ્રયોજન નાવથી પાર કરવી હોય તો નદીના વિસ્તારને કાપી સામે કિનારે જાતી હોય તેવી તિર્યગ્ગામિની નૌકામાં જવું કલ્પે છે. આ., શ્રુ.-૨, અ.-૩, ઉ.–૧માં ઊર્ધ્વગામી—અધોગામી નૌકામાં જવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત વિધાન છે.
દીર્ઘ માર્ગ પાર કરનારી નૌકામાં વિહાર :
१२ जे भिक्खू परं जोयणवेलागामिणिं वा परं अद्धजोयणवेलागामिणि वा णावं दुरुहइ, दुरुहंतं वा साइज्जइ ।
જે
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી એક યોજનથી વધુ કે અર્ધયોજનથી વધુ પાણીમાં ચાલનારી નાવ ઉપર બેસે કે બેસનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
નદીનો વિસ્તાર(પટ) અલ્પ હોય પણ પાણીના પ્રવાહનો વેગ તીવ્ર હોય તો નૌકાને તિરછો લાંબો માર્ગ કાપવો પડે તેમ હોય અને તે માર્ગ યોજન કે અર્ધયોજનથી લાંબો થતો હોય તો તેવી નાવમાં, તેવા સમયે સાધુને જવું કલ્પતું નથી. જે નાવ એક યોજન કે અર્ધો યોજન પ્રમાણ ક્ષેત્ર નદીમાં ચાલીને સામે કિનારે પહોંચાડતી હોય તેવી નાવમાં જાય તો પ્રાયશ્ચિત્ત આવતું નથી. નોયન...અનોયળવેલા નામિબિં :- યોજન અને અર્ધયોજન. સામાન્ય રીતે અર્ધોયોજનથી વધુ
Page #333
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૮
૨૫ ]
ચાલનારી નાવમાં જવું ન જોઈએ પરંતુ અત્યંત વિકટ પરિસ્થિતિમાં, અનિવાર્યપણે જવું જ પડે તો સાધુ એક યોજન ચાલનારી નાવમાં જઈ શકે છે પરંતુ યોજનથી વધુ પાણીમાં ચાલવું પડે તેવી નાવનો સાધુએ પૂર્ણતયા ત્યાગ કરવો જોઈએ. સામાન્ય પરિસ્થિતિમાં અર્ધયોજનથી વધુ ચાલનારી નાવમાં અને વિકટ પરિસ્થિતિમાં એક યોજનથી વધુ ચાલનારી નાવમાં સાધુ બેસે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. નૌકા સંબંધી કાર્યવાહી - १३ जे भिक्खू णावं उक्कसेइ वा वोक्कसेइ वा खेवेइ वा रज्जुए वा गहाय नाकसइ, उक्कसत वा वोक्कसत वा खेवत वा रज्जुए वा गहाय आकसंत वा સાગર | ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નાવને ઉપર તરફ(કિનારા તરફ) ખેંચે છે કે નીચે તરફ–પાણી તરફ નાવને ખેચે, લંગર નાંખી બાંધે કે દોરડાથી કસીને બાંધે, १४ जे भिक्खू णावं अलित्तएण वा पप्फिडएण वा वंसेण वा वलएण वा वाहेइ, वाहेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નાવને હલેસાથી, પાટિયાથી, વાંસડાથી, વળી ઉપકરણ વિશેષથી, નાવને ચલાવે કે ચલાવવાનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નૌકાને ચલાવવા સંબંધી કાર્યવાહીનું પ્રાયશ્ચિત્ત કથન છે.
નાવમાં બેઠા પછી નાવિકને સહાય કરવા નાવ સંબંધી કોઈપણ ક્રિયા સાધુને કરવી કલ્પતી નથી. આચારાંગ સૂત્રમાં નૌકા વિહારના વર્ણનમાં કહ્યું છે કે નાવમાં બેઠા પછી નાવિક નૌકા ચલાવવામાં મદદ કરવા માટે કહે તો પણ સાધુ તેનો સ્વીકાર ન કરે પરંતુ મૌન રહે. નાવને આગળ-પાછળ ખેંચવી, દોરડાથી બાંધવી, હલેસા મારવા ઇત્યાદિ ક્રિયાઓ કરે તો સુત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. નૌકામાં ભરાયેલા પાણી સંબંધી કાર્યવાહી:|१५ जे भिक्खू णावाओ उदगं भायणेण वा पडिग्गहणेण वा मत्तेण वा णावाउस्सिचणेण वा उस्सिचइ, उस्सिचत वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી નાવમાંથી ભાજન દ્વારા, પાત્ર દ્વારા, માટીના પાત્ર દ્વારા કે નાવ ઉસિંચનક દ્વારા પાણી બહાર કાઢે કે કાઢનારનું અનુમોદન કરે, |१६ जे भिक्खू णावं उत्तिंगेण उदगं आसवमाणिं, उवरुवरिं वा कज्जलमाणिं पेहाए हत्थेण वा पाएण वा आसत्थपत्तेण वा कुसपत्तेण वा मट्टियाए वा चेलेण वा चेलकण्णेण वा पडिपिहेइ पडिपिहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નાવના છિદ્ર દ્વારા પાણીને અંદર આવતું જોઈને તથા ઉત્તરોત્તર આવતા
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
પાણીથી નાવને ડુબતી જોઈ હાથ, પગ, પીપળાના પાન, કુશપત્ર, માટી, વસ્ત્ર કે વસ્ત્ર ખંડથી છિદ્રને બંધ કરે કે બંધ કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
નૌકામાં કોઈ કારણથી પાણી ભરાય જાય તો તેને પાત્રથી કાઢવું તથા કોઈ છિદ્રમાંથી પાણી આવતું દેખાય તો તેને કોઈપણ સાધનથી બંધ કરવું કે નાવિકને સૂચના આપવી વગેરે પાણી સંબંધી કોઈપણ પ્રવૃત્તિ સાધુ માટે કલ્પનીય નથી. આ પરિસ્થિતિમાં સાધુએ ધ્યાનમાં લીન બની, શાંત ચિત્તથી, બૈર્યપૂર્વક સમય વ્યતીત કરવો જોઈએ. નૌકા સંબંધી આવું કોઈ કાર્ય કરે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. નૌકા વિહાર સમયે આહારનું ગ્રહણ-સેવન:१७ जे भिक्खू णावागओ णावागयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ :- નાવમાં રહેલા સાધુ કે સાધ્વી નાવમાં રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, |१८ जे भिक्खू णावागओ जलगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ ।। ભાવાર્થ - નાવમાં રહેલા સાધુ કે સાધ્વી પાણીમાં રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
१९ जे भिक्खू णावागओ पंकगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा પડદે, વડાëત વા સારૂ I ભાવાર્થ - નાવમાં રહેલા સાધુ કે સાધ્વી કાદવમાં ઊભા રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २० जे भिक्खू णावागओ थलगयस्स असणं वा पाणं वा खाइम वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ - નાવમાં રહેલા સાધુ કે સાધ્વી જમીન પર રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २१ जे भिक्खू जलगओ णावागयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ - પાણીમાં રહેલા સાધુ કે સાધ્વી નાવમાં રહેલા ગૃહસ્થ પાસેથી, અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, | २२ जे भिक्खू जलगओ जलगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ ।
Page #335
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૮
[ ર૭ ]
ભાવાર્થ - પાણીમાં રહેલા સાધુ કે સાધ્વી પાણીમાં રહેલા ગૃહસ્થ પાસેથી, અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २३ जे भिक्खू जलगओ पंकगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ - પાણીમાં રહેલા સાધુ કે સાધ્વી કીચડમાં રહેલા ગૃહસ્થ પાસેથી, અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू जलगओ थलगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ - પાણીમાં રહેલા સાધુ કે સાધ્વી જમીન પર રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २५ जे भिक्खू पंकगओ णावागयस्स असणं वा पाणं वा खाइम वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ - કીચડમાં રહેલા સાધુ કે સાધ્વી નાવમાં રહેલા ગૃહસ્થ પાસેથી, અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २६ जे भिक्खू पंकगओ जलगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ - કીચડમાં રહેલા સાધુ કે સાધ્વી પાણીમાં રહેલા ગૃહસ્થ પાસેથી, અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २७ जे भिक्खू पंकगओ पंकगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- કીચડમાં રહેલા સાધુ કે સાધ્વી કીચડમાં રહેલા ગૃહસ્થ પાસેથી, અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, | २८ जे भिक्खू पंकगओ थलगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ ।। ભાવાર્થ - કીચડમાં રહેલા સાધુ કે સાધ્વી જમીન પર રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २९ जे भिक्खू थलगओ णावागयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જમીન પર રહેલા સાધુ કે સાધ્વી નાવમાં રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
Page #336
--------------------------------------------------------------------------
________________
[ ર૮ ]
શ્રી નિશીથ સૂત્ર
|३० जे भिक्खू थलगओ जलगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જમીન પર રહેલા સાધુ કે સાધ્વી પાણીમાં રહેલા ગૃહસ્થ પાસેથી, અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
३१ जे भिक्खू थलगओ पंकगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा પડદે, વડાëત વા સારૂક ભાવાર્થ - જમીન પર રહેલા સાધુ કે સાધ્વી કીચડમાં રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, |३२ जे भिक्खू थलगओ थलगयस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ :- જમીન પર રહેલા સાધુ કે સાધ્વી જમીન પર રહેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુ સપ્રયોજન નૌકા વિહાર કરે ત્યારે નાવ સુધીના ચાર સ્થાન થાય છે– (૧) જમીન (૨) કાદવ (૩) પાણી (૪) નાવ. આ ચાર સ્થાને રહેલા સાધુને આ ચાર સ્થાનમાં રહેલા ગૃહસ્થ પાસેથી આહાર લેવો કલ્પતો નથી. ચાર સ્થાનમાં રહેલા સાધુની ચાર સ્થાનના ગૃહસ્થથી અહીં ચાર ચૌભંગી બને છે, તેથી ૪ ૪ ૪ = ૧૬ સૂત્રો થાય છે.
આચા, શ્ર.-૨, અ.-૩, ઉ.-૧, સૂ-૧૨માં વિધાન છે કે સાધુ નદી કિનારે નૌકા વિહાર માટે પહોંચે ત્યારે ચારે આહારનો ત્યાગ કરી, સાગારી સંથારો કરે. આહારાદિ સાથે ન રાખે, સર્વ વસ્ત્ર-પાત્રને એક સાથે બાંધી લે, નૌકા વિહાર કરવાની આ વિધિ છે, તેથી નવા આહારને ગ્રહણ કરવાના વિકલ્પને અવકાશ જ નથી. સાધુ અપ્લાયની વિરાધનાના સ્થાન પર સ્થિત છે, તે સમયે તેને આહાર કરવો ઉપયુક્ત નથી. નૌકા વિહાર સમયે સ્થિરમાય બની, યોગની પ્રવૃત્તિથી નિવૃત્ત રહેવું જોઈએ, છતાં કોઈ સાધુ આહાર ગ્રહણ કરે તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. વત્ર સંબંધી દોષ સેવન - ३३ जे भिक्खू वत्थं किणइ, किणावेइ, कीयं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । एवं चउद्दसमं उद्देसग गमेणं सव्वे सुत्ता वत्थाभिलावेणं भणियव्वा जाव जे भिक्खू वत्थणीसाए वासावासं वसइ, वसंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारहाणं उग्घाइयं ।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વસ્ત્ર ખરીદે, ખરીદાવે કે સાધુ માટે ખરીદીને લાવેલા વસ્ત્રને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે. આ રીતે ૧૪મા ઉદ્દેશકના સર્વ સૂત્રો અહીં વસ્ત્રાલાપકથી કહેવા જે
Page #337
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૮
[ ૨૯ ]
સાધુ કે સાધ્વી વસ્ત્ર પ્રાપ્ત કરવા માટે ચાતુર્માસ કલ્પ રહે કે રહેનારનું અનુમોદન કરે છે, તેને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકમાં વર્ણિત ૭૩ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈપણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
ચૌદમા ઉદેશકમાં પાત્ર સંબંધી ૪૧ સૂત્રોના અર્થ અને વિવેચનની જેમ જ અહીં વસ્ત્ર વિષયક ૪૧ સૂત્રોના અર્થ અને વિવેચન સમજવા. ભિન્ન-ભિન્ન પ્રતોમાં સૂત્ર સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે, પણ તેમાં મૌલિક અંતર નથી.
પાત્રમાં જે કોતરણી કરવાનું પ્રાયશ્ચિત્ત છે, તેને અહીં વસ્ત્રમાં ભરત કામ કરવાનું પ્રાયશ્ચિત્ત સમજવું. આચા., શ્ર.-૨, અ.-૫, ઉ.-૧|રમાં વઐષણા નિષેધનું અહીં પ્રાયશ્ચિત્ત કથન છે. આ ઉદ્દેશકના ૩૫ સૂત્રોમાં ૭૩ પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
સૂત્રકમ પ્રાયશ્ચિત્ત સ્થાન સંખ્યા ૧થી ૩ર
૩૩
કુલ ૩૩
અઢારમો ઉદ્દેશક સંપૂર્ણ |
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્રી નિશીથ સૂત્ર
ઓગણીસમો ઉદેશક
પરિચય HORRORROROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૩૫ પ્રકારના લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે. યથા– ઔષધને માટે ક્રીત આદિ દોષ લગાડવા, વિશિષ્ટ ઔષધ ત્રણ માત્રાથી અધિક લાવવું, ઔષધને વિહારમાં સાથે રાખવું તથા ઔષધના પરિકર્મ સંબંધી દોષોનું સેવન કરવું, ચાર સંધ્યામાં સ્વાધ્યાય કરવો, કાલિક સૂત્રની ૯ ગાથા તેમજ દષ્ટિવાદની ૨૧ ગાથાઓથી વધારે પાઠનું અસ્વાધ્યાય કાળમાં ઉચ્ચારણ કરવું, ચાર મહોત્સવ તેમજ તેના પછીની ચાર મહા પ્રતિપદાના દિવસે સ્વાધ્યાય કરવો, કાલિક સૂત્રના સ્વાધ્યાય કરવાના ચાર પ્રહરોમાં સ્વાધ્યાય ન કરવો, ૩૨ પ્રકારના અસ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરવો, પોતાના શારીરિક અસ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરવો, સૂત્રોની વાચના આગમોક્ત ક્રમથી ન આપવી, આચારાંગ સૂત્રની વાચના પૂર્ણ કરાવ્યા વિના છેદ સૂત્ર કે દૃષ્ટિવાદની વાચના દેવી, અપાત્રને વાચના દેવી અને પાત્રને ન દેવી, અવ્યક્તને વાચના દેવી, અને વ્યક્તને વાચના ન દેવી, સમાન યોગ્યતાવાળાઓને વાચના આપવામાં પક્ષપાત કરવો, આચાર્ય-ઉપાધ્યાય પાસે વાચના લીધા વિના સ્વયં વાચના ગ્રહણ કરવી, મિથ્યાત્વ ભાવિત ગૃહસ્થ તેમજ અન્યતીર્થિકોને વાચના દેવી તેમજ તેની પાસેથી વાચના લેવી, પાર્શ્વસ્થાદિને વાચના દેવી, તેમજ તેના પાસેથી લેવી,
આ રીતે પ્રસ્તુત ઉદ્દેશકમાં પ્રાયઃ સ્વાધ્યાય અને વાચના આપવા સંબંધી પ્રવૃત્તિઓનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૯
.
| २७१ ।
• मोगीसमो देश - (PPLE 34 लधु यौभासी प्रायश्चित्त स्थान PPL ઔષધ સંબંધી દોષ -
१ जे भिक्खू वियर्ड किणइ, किणावेइ, कीयं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી ઔષધ ખરીદે, ખરીદાવે, સાધુ માટે ખરીદીને અપાતા ઔષધને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू वियडं पामिच्चइ, पामिच्चावेइ, पामिच्चं आहट्ट देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ઔષધ ઉધાર લે, ઉધાર લેવરાવે કે ઉધાર લાવીને અપાતા ઔષધને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू वियर्ड परियट्टइ, परियट्टावेइ, परियट्टियं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઔષધ બદલે, અન્ય પાસે બદલાવે કે બદલીને લાવનાર પાસેથી ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |४ जे भिक्खू वियडं आच्छेज्जं, अणिसिटुं, अभिहडं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઝૂંટવીને લાવેલા, સ્વામીની આજ્ઞા વિના લાવેલા અથવા સામેથી લાવેલા ઔષધને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
५ जे भिक्खू गिलाणस्स अट्ठाए परं तिण्हं वियड दत्तीणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગ્લાન સાધુ માટે ત્રણ માત્રાથી વધુ ઔષધ ગ્રહણ કરે કેકરનારનું અનુમોદન કરે,
६ जे भिक्खू वियडं गहाय गामाणुगाम दुइज्जइ दुइज्जत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઔષધ સાથે લઈને ગ્રામાનુગામ વિહાર કરે કે કરનારનું અનુમોદન કરે,
७ जे भिक्खू वियडं गालेइ, गालावेइ, गालियं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઔષધ સ્વયં ગાળે, અન્ય પાસે ગળાવે કે ગાળીને આપનાર પાસેથી
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૭૨ |
શ્રી નિશીથ સૂત્ર
ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સાત સૂત્રોમાં ઔષધ ગ્રહણ સંબંધી દોષોનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ઠાણાંગ, સ્થા-૩, -૩, સૂ.-૧રનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. વિલંડ:- વિકૃત શબ્દ આરોગ્યદાયી પ્રપાણક(ઔષધિ) અર્થમાં પ્રયુક્ત છે. વિશિષ્ટ તરલ, પેય ઔષધિઓને પ્રપાણક કહે છે. તેમાં અરિષ્ટ, આસવ, કવાથ, અર્ક વગેરેનો સમાવેશ થાય છે. અનેક જડીબૂટીઓના સંયોગે તથા આયુર્વેદિક પ્રક્રિયા દ્વારા તેનું મૂળરૂપ પરિવર્તિત થઈ જાય છે, તે અચિત્ત બની જાય છે. તેનું સ્વરૂપ વિશેષરૂપે પરિવર્તિત થતું હોવાથી તે વિકૃત વિય કહેવાય છે.
સુત્ર ૧ થી ૪માં ઔષધ સંબંધી એષણાના દોષોનું પ્રાયશ્ચિત્ત કથન છે. સહનશક્તિના અભાવે સાધુ ઔષધ ઇચ્છે તો નિર્દોષ ઔષધની ગવેષણા કરે. તિ૬ :- ઔષધની ત્રણ દરી. અફીણ જેવા કેટલાક નશીલા પદાર્થ ઔષધરૂપે પણ વપરાય છે. આસવ આદિમાં પણ કિંચિત્માત્રામાં માદકતા હોય છે અને તેથી જ સૂત્રકારે ઔષધિની માત્રાના વિષયમાં સાવધાન રહેવાનું અને અસાવધાની માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે.
આગમોમાં અન્ય સ્થાને “દત્તી’ શબ્દનો પ્રયોગ “એક અખંડ ધાર’ અર્થમાં થયો છે. એક અખંડ ધારે જેટલું પાણી આવે તે એક દત્તી પાણી કહેવાય છે. પ્રસ્તુત ઔષધ પ્રકરણમાં “ઔષધદત્તી’થી ઔષધની માત્રા અર્થ કરવો પ્રસંગ સંગત છે. ઔષધની માત્રા તોલા, માસા કે રતિના માપથી અથવા ગ્રામ,મિલીગ્રામ, ચમચી કે ટીપાના માપથી નિશ્ચિત્ત થાય છે.
આ સૂત્રમાં ત્રણથી વધુ માત્રા લેવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે, તે અંબર, અફીણ, વગેરે માદક પદાર્થ કે સુવર્ણ ભસ્મ વગેરે રસાયણની અપેક્ષાએ સમજવું. ત્રણ માત્રા એટલે ત્રણવાર ઔષધ ગ્રહણ કરવું. પ્રાયઃ પ્રતિદિન ત્રણવાર ઔષધ ગ્રહણ કરવાનું હોય છે, તે અપેક્ષાએ અહીં ત્રણ માત્રાનું સૂચન કર્યું છે. નિયT:- ઔષધ લઈને. ઔષધ સાથે લઈને વિહાર કરાય નહીં. વિહારમાં ઔષધ સાથે રાખે તો તેનું પ્રાયશ્ચિત્ત આવે છે. વિયાં નેય :- ઔષધને ગાળવું. ગાળવું શબ્દ કથનથી અન્ય પાણીમાં પલાળવી, ઓગાળવી, ખરલમાં ઘૂંટવી, ખાંડવી, પસવી, વગેરે પ્રવૃત્તિઓનું પણ ગ્રહણ થઈ જાય છે અને તે પ્રવૃત્તિઓથી પ્રમાદની વૃદ્ધિ થાય છે. સંપાતિમ જીવોની વિરાધના થાય છે માટે સાધુ તેવી પ્રવૃત્તિ ન કરે. સહજ રીતે પ્રાપ્ત ઔષધને જ ગ્રહણ કરે. સાધુ માટે તે ઉપરોક્ત સૂત્ર કથિત પ્રવૃત્તિ કરી ગૃહસ્થ આપે તો તેવા દોષયુક્ત પદાર્થ પણ ગ્રહણ ન કરવા.
આ રીતે આ સાત સૂત્રોમાં ઔષધ સંબંધી ક્રિીત આદિ ગવેષણા દોષ, દત્તી સંખ્યા પરિમાણનું ઉલ્લંઘન, વિહારમાં ઔષધ ગ્રહણ અને ઔષધ ગાળવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. સંધ્યાકાળે સ્વાધ્યાય કરવો:[८ जे भिक्खू चउहि संझाहि सज्झायं करेइ, करेंतं वा साइज्जइ । तं जहापुव्वाए संझाए, पच्छिमाए संझाए, अवरण्हे, अड्डरत्ते ।
Page #341
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૯
૨૭૩ ]
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પ્રાત:કાલીન સંધ્યા, સાંયકાલીન સંધ્યા, મધ્યાહ્ન અને મધ્યરાત્રિ સંધ્યા, આ ચાર સંધ્યાના સમયે સ્વાધ્યાય કરે કે કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચાર સંધ્યાઓ કહી છે અને તે સંધ્યાકાલમાં શાસ્ત્રનો સ્વાધ્યાય કરનાર માટે પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે. ઠાણાંગ, સ્થા.-૪, ઉ.-૨, સૂ.-૩૭માં ચાર સંધ્યાકાળમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. ૧. પૂર્વ સંધ્યા:- રાત્રિ અને દિવસનો જે સંધિકાળ છે, સૂર્યોદય સમયે પૂર્વદિશામાં જે લાલિમા હોય છે તે પૂર્વ સંધ્યા કહેવાય છે. સૂર્યોદય પૂર્વે વધુ સમય અને સૂર્યોદય પછી અલ્પ સમય લાલિમાં રહે છે. જેટલો સમય દિશા લાલ રહે તે સમય સંધ્યાકાલ છે. ૨. પશ્ચિમ સંધ્યા- દિવસ અને રાત્રિનો જે સંધિકાળ, સુર્યાસ્ત સમયે પશ્ચિમ દિશામાં જે લાલાશ હોય છે તે પશ્ચિમ સંધ્યા કહેવાય છે. સૂર્યાસ્ત પૂર્વે લાલ દિશા અલ્પ સમય અને સૂર્યાસ્ત પછી લાલ દિશા વધુ સમય રહે છે. ૩. અપરાધ - મધ્યાહ્ન-દિવસનો મધ્યકાળ. તેને સંધિકાળ કહેવામાં આવે છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જેટલા મુહૂર્તનો દિવસ હોય તેની મધ્યનો એક મુહૂર્ત મધ્યાહ્ન કહેવાય છે. તેને જ સૂત્રમાં અપરાતં કહેલ છે. સ્થૂલ દષ્ટિએ બપોરે ૧૨ થી ૧ના સમયે મધ્યાહ્ન કાલની ગણના કરવામાં આવે છે. ૪. અર્ધરાત્રિ:- રાત્રિનો મધ્યકાળ. સ્થૂલરૂપે રાત્રિના ૧૨ થી ૧ સુધીના સમયને સંધ્યાકાળ મનાય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જેટલા મુહૂર્તની રાત્રિ હોય તેના મધ્યના એક મુહૂર્તને અર્ધરાત્રિ કહે છે.
- આ ચારે સંધ્યાકાળ વ્યંતર દેવોનો ભ્રમણકાળ છે. સ્વાધ્યાયમાં પ્રમાદથી કોઈ પણ પ્રકારે સ્કૂલના થાય તો દેવો દ્વારા ઉપદ્રવ થવાની સંભાવના છે, કારણ કે દેવોની ભાષા અને આગમની ભાષા એક જ છે, તેથી પ્રાતઃ સંધ્યા અને સાયંસંધ્યા સમયને આગમમાં પ્રતિક્રમણ તથા પ્રતિલેખનાનો સમય બતાવ્યો છે. આ સમયે સ્વાધ્યાય કરવાથી આવશ્યક ક્રિયાઓના સમયનું અતિક્રમણ થાય છે. તે સમયે આગમના મૂળ પાઠનું ઉચ્ચારણ, વાંચન અને સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. તે સમયે સ્વાધ્યાય કરવાથી જ્ઞાનના અતિચાર રૂપ અને જો સફાઓ દોષનું સેવન થાય છે અને તેનું પ્રાયશ્ચિત્ત આ સૂત્રમાં બતાવ્યું છે. ઉત્કાલમાં કાલિક શ્રુતનો સ્વાધ્યાય -
९ जे भिक्खू कालियसुयस्स परं तिण्हं पुच्छाणं पुच्छइ, पुच्छंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અકાલમાં કાલિક શ્રુતની ત્રણ પૃચ્છાથી વધુ પૃચ્છા પૂછે કે પૂછનારનું અનુમોદન કરે, १० जे भिक्खू दिट्ठिवायस्स परं सत्तण्हं पुच्छाणं पुच्छइ, पुच्छतं वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અકાલમાં દષ્ટિવાદની સાત પૃચ્છાથી વધુ પૃચ્છા પૂછે કે પૂછનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ]
શ્રી નિશીથ સુત્ર
વિવેચન :નિયમ્સ:- કાલિક શ્રુત. કાલિક અને ઉત્કાલિક સૂત્રનો ભેદ કરાવનારી કોઈ સ્પષ્ટ પરિભાષા આગમમાં ઉપલબ્ધ નથી, પરંતુ નંદી સૂત્રમાં કાલિક અને ઉત્કાલિક સૂત્રની સૂચિ ઉપલબ્ધ છે. તે સૂચિ પરથી કાલિક-ઉત્કાલિક સૂત્રના કેવળ નામનો પરિચય પ્રાપ્ત થાય છે, પરંતુ કાલિક અને ઉત્કાલિક કહેવાનું કારણ સ્પષ્ટ થતું નથી. તેમ છતાં એટલું તો નિશ્ચિત્ત છે કે ગણધરો દ્વારા રચિત અંગસૂત્રો તો કાલિક જ છે અને દષ્ટિવાદ આદિ અંગ સૂત્રોમાંથી ભાષા-પરિવર્તન કર્યા વિના જેમ હોય તેમ ઉદ્ધત કરવામાં આવેલા આગમ પણ કાલિકશ્રુત કહેવાય છે, કારણ કે તે તો અંગ સૂત્રોનું મૌલિક રૂપ જ છે. અન્ય પૂર્વધરો દ્વારા પોતાની શૈલીમાં રચિત આગમોને ઉત્કાલિકશ્રુત સમજવા જોઈએ.
નંદી સૂત્રમાં ઉત્કાલિક સૂત્રના ર૯ નામ અને કાલિક સૂત્રના ૪૨ નામ છે અને એક આવશ્યક સૂત્ર કાલિક–ઉત્કાલિકથી ભિન્ન સ્વતંત્ર છે. એમ કુલ ર૯ + ૪૨ + ૧ = ૭૨ સૂત્રના નામ નંદીસૂત્રમાં છે, નંદી સુત્રની આ સૂચિ પ્રમાણે વર્તમાનમાં સ્થાનકવાસી પરંપરામાં સ્વીકૃત ઉર આગમમાંથી ઉવવાઈ સૂત્ર, રાયપરોણીય સૂત્ર, જીવાજીવાભિગમ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર, સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર આ પાંચ ઉપાંગસૂત્ર અને દશવૈકાલિક સૂત્ર, નંદીસૂત્ર, અનુયોગ દ્વાર સૂત્ર, આ ત્રણ મૂળ સૂત્ર, તેમ કુલ આઠ સૂત્ર ઉત્કાલિક સૂત્ર છે અને આવશ્યક સૂત્ર નોઉત્કાલિક નોકાલિક સૂત્ર છે. તે ઉપરાંત શ્રી અનુયોગ દ્વાર સૂત્ર અનુસાર આવશ્યક સૂત્રની પણ ઉત્કાલિક સૂત્રમાં ગણના થતાં ઉત્કાલિક સૂત્રો થાય છે. શેષ ૧૧ અંગ+ ૭ઉપાંગ+૧ મૂળ +૪ છેદ સૂત્ર - ૨૩ સૂત્ર કાલિક સૂત્ર છે. શ્રી ઠાણાંગ સૂત્રનાસાર ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર કાલિક શ્રુત કહેવાય છે.
કાલિક સૂત્ર માટે દિવસ તથા રાત્રિનો પ્રથમ અને અંતિમ પ્રહર સ્વાધ્યાયનો કાળ છે અને બીજોત્રીજો પ્રહર કાલિક સૂત્ર માટે ઉત્કાલ કહેવાય છે. સાધુ પ્રથમ અને અંતિમ પ્રહરમાં કાલિક સૂત્રનો અને બીજા-ત્રીજા પ્રહરમાં ઉત્કાલિક સૂત્રનો સ્વાધ્યાય કરે છે. ઉત્થાલના સમયે કાલિક સૂત્રનો સ્વાધ્યાય થતો નથી પરંતુ નવું અધ્યયન કંઠસ્થ કરવાની અપેક્ષાએ અહીં આપવાદિક મર્યાદા બતાવી છે. ત્તિ પુછાનું સરખું ગુચ્છા :- તેમાં ઉત્કાલમાં દષ્ટિવાદ માટે સાત પૃચ્છાઓ અને આચારાંગ આદિ અન્ય કાલિક સૂત્ર માટે ત્રણ પૃચ્છાનું વિધાન છે. “પૃચ્છા' શબ્દનો સામાન્ય અર્થ “પ્રશ્નોત્તર કરવા” તેમ થાય છે પરંતુ પ્રશ્નોત્તર માટે સ્વાધ્યાય કે અસ્વાધ્યાય કાળનો કોઈ પ્રશ્ન જ હોતો નથી તેથી પ્રસ્તુત પ્રકરણમાં તે અર્થ પ્રાંસગિક નથી. હિલિતો પણ પુછા, હિપુછાહિં જવલતોના મવતિ પર્વ નિયસુચક્ષુ પાતરં 1 લિટ્ટવા સાસુ પુછાસુ વીસ સિતો મવતિ ! –ચૂર્ણ. –ભાષ્ય ગાથા-09૧.
ત્રણ શ્લોકને “પૃચ્છા' સંજ્ઞા આપી છે. ત્રણ શ્લોકની એક પૃચ્છા અને ત્રણ પૃચ્છાના નવ શ્લોક થાય.ઉત્કાલમાં કાલિક શ્રતનો સ્વાધ્યાય ન કરાય પરંતુ અપવાદ માર્ગમાંઆવશ્યક્તા હોયતો દષ્ટિવાદસિવાયના કાલિક સૂત્રની ત્રણ પૃચ્છા-નવ શ્લોકનું ઉચ્ચારણ કરી શકાય છે અને દષ્ટિવાદ સૂત્રમાં અનેક સૂક્ષ્મસૂક્ષ્મતર વિષય, ભંગ-ભેદ આદિ વિસ્તૃત વર્ણન હોવાથી તેની સાત પૃચ્છા અર્થાત્ ૨૧ શ્લોકનું એકી સાથે ઉચ્ચારણ કરી શકાય છે. આ ૯ કે ૨૧ શ્લોકથી વધુ ઉચ્ચારણ કરે તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. મહા મહોત્સવમાં સ્વાધ્યાય - ११ जे भिक्खू चउसु महामहेसु सज्झायं करेइ, करेंत वा साइज्जइ, तं जहाइंदमहे खंदमहे जक्खमहे भूयमहे ।
Page #343
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૯
૨૭૫
કે
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઇન્દ્ર મહોત્સવ, સ્કંધ મહોત્સવ, યક્ષ મહોત્સવ, ભૂત મહોત્સવ, આ ચાર મહોત્સવોમાં સ્વાધ્યાય કરે કે સ્વાધ્યાય કરનારનું અનુમોદન કરે,
१२ जे भिक्खू चउसु महापाडिवएसु सज्झायं करेइ करेंतं वा साइज्जइ, तं जहा- आसोयपाडिवए कत्तियपाडिवए सुगिम्हगपाडिवाए आसाढी पाडिवए ।
=
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આસો પૂર્ણિમા પછીની પ્રતિપદા, કારતક પૂર્ણિમા પછીની પ્રતિપદા, ચૈત્રી પૂર્ણિમા પછીની પ્રતિપદા અને અષાઢી પૂર્ણિમા પછીની પ્રતિપદા આ ચાર પ્રતિપદાઓમાં સ્વાધ્યાય કરે કે સ્વાધ્યાય કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
આ બે સૂત્ર દ્વારા ચાર પૂનમ અને તેના બીજે દિવસે આવતી ચાર એકમ, આ આઠ દિવસે સ્વાધ્યાય કરવાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. ચાર પૂનમના દિવસે ચાર મહા મહોત્સવ ઉજવાતા હોવાના કારણે અગિયારમા સૂત્રમાં ચાર પૂનમના સ્થાને ચાર મહોત્સવના જ નામ લખ્યા છે અને બારમા સૂત્રમાં ચાર પ્રતિપદા– એકમના નામ કહ્યા છે. ઇન્દ્ર મહોત્સવથી અશ્વિની પૂર્ણિમા, સ્કંધ મહોત્સવથી કારતકી પૂર્ણિમા, યક્ષ મહોત્સવથી ચૈત્રી પૂર્ણિમા અને ભૂત મહોત્સવથી અષાઢી પૂર્ણિમાનું ગ્રહણ થાય છે. બારમા સૂત્રમાં ચાર પ્રતિપદાના નામ આ પ્રમાણે છે– અશ્વિની પ્રતિપદા અર્થાત્ આસો પૂર્ણિમા પછીની કારતક વદ એકમ (ગુજરાતી પ્રમાણે આસો વદ એકમ), કારતકી પ્રતિપદા અર્થાત્ કારતકી પૂર્ણિમા પછીની માગસર વદ એકમ (ગુજરાતી કારતક વદ) એકમ, ચૈત્રી પ્રતિપદા અર્થાત્ ચૈત્રી પૂર્ણિમા પછીની વૈશાખ વદ (ગુજરાતી ચૈત્ર વદ) એકમ અને અષાઢી પૂર્ણિમા અર્થાત્ અષાઢ પૂર્ણિમા પછીની શ્રાવણ વદ (ગુજરાતી અષાઢ વદ) એકમના દિવસે સ્વાધ્યાય કરવાનો નિષેધ છે.
આસાત પાક્રિવાર્, વમત પાધિવાળુ, પ્રિય પાડિવાય્, મુશિખ પાડિવાય્ । ઠાણાંગ, સ્થા.-૪, ઉ.–૨, સૂ.–૩૬. ઠાણાંગ સૂત્રમાં ક્રમ પ્રાપ્ત અષાઢ પછી ઇન્દ્ર મહોત્સવનું બીજું સ્થાન છે અને અષાઢ પછી ક્રમથી આસો આવે તેથી ઇન્દ્ર મહોત્સવ’ આસો પૂનમને દિવસે હોય તે સુસ્પષ્ટ થાય છે. ઠાણાંગ સૂત્રમાં ૪ પ્રતિપદાના સ્વાધ્યાયનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. આ રીતે ગુજરાતી પ્રમાણે આસો સુદ પૂનમ અને આસો વદ એકમ, કારતક સુદ પૂનમ અને કારતક વદ એકમ, ચૈત્ર સુદ પૂનમ અને ચૈત્ર વદ એકમ, અષાઢ સુદ પૂનમ અને અષાઢ વદ એકમ, આ આઠ તિથિ અસ્વાધ્યાય નિધિ છે. મહોત્સવનો દિવસ માનીને ભાદરવા સુદ પૂનમ અને તે પછીની એકમને પણ અસ્વાધ્યાયનો દિવસ માનવાની પરંપરા છે. આઠ દિવસોમાં સ્વાધ્યાય ન કરવાના કારણો :– આ આઠ દિવસ મહોત્સવના ગણાય છે, તે મહોત્સવ વ્યંતર જાતિના દેવોથી સંબંધિત છે. ઇન્દ્રને પ્રસન્ન રાખવા લોકો પૂજા-પ્રતિષ્ઠા કરી, આખો દિવસ ખાન-પાન, નાચ-ગાન, મોજ શોખ પૂર્વક વ્યતીત કરે છે. આ દિવસોમાં દેવોનું આવાગમન વિશેષ હોય છે. તે દેવો ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા અને કુતૂહલી હોય છે. તેઓ સ્વાધ્યાયની રસ્ખલના થવાથી ઉપદ્રવ કરી શકે છે અથવા કોઈ ઋદ્ધિ સંપન્ન દેવ ઉપદ્રવ કરી શકે છે.પ્રતિપદાના દિવસે પણ આ મહોત્સવના કાર્યક્રમો રોષ રહ્યો હોય તે ઉજવાય છે, તેથી પ્રતિપદાનો દિવસ પણ મહોત્સવનો જ ગણાય.
સામાજિક દૃષ્ટિએ મહોત્સવના દિવસોમાં શાસ્ત્ર વાંચન, સ્વાધ્યાય વગેરે અવ્યાવહારિક ગણાય
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૭૬ ]
શ્રી નિશીથ સત્ર
છે. નશામાં ભ્રમણ કરતાં લોકો પણ કુતુહલ કે દ્વેષથી ઉપદ્રવ કરી શકે છે. આ રીતે અનર્થકારી ઉપદ્રવોથી દૂર રહેવા માટે આઠ દિવસમાં સ્વાધ્યાયનો નિષેધ છે.
પ્રસ્તુત સુત્રમાં ચાર મહોત્સવનો નિર્દેશ છે પણ ઉપલક્ષણથી અન્ય પણ આગમોક્ત દેવ સંબંધી મહોત્સવોના મુખ્ય દિવસે સ્વાધ્યાય ન કરવો તેમ સમજી શકાય છે. જેમ કે– આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, સૂત્ર–રમાં આ પ્રકારના દેવ સંબંધી સાત મહોત્સવોના નામ છે. તેમાં ત્રણ નામ વિશેષ છે, યથા– (૧) નાગ મહોત્સવ (૨) રુદ્ર મહોત્સવ (૩) મુકુંદ મહોત્સવ. તાત્પર્ય એ છે કે જે ક્ષેત્રમાં જે દિવસે મહામહોત્સવ હોય તે દિવસે ત્યાં મોટેથી સ્વાધ્યાય કરવો ન જોઈએ. સ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાયની ઉપેક્ષા:१३ जे भिक्खू चाउकालं सज्झायं उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ચારે સ્વાધ્યાય કાળને સ્વાધ્યાય કર્યા વિના જ વ્યતીત કરે છે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
ઠાણાંગ, સ્થા.-૪, ઉ.-૨, સૂ.-૩૮માં ચાર કાળમાં સ્વાધ્યાય કરવાનું વિધાન છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. દિવસનો પ્રથમ અને અંતિમ પ્રહર(પોરસી), રાત્રિનો પ્રથમ અને અંતિમ પ્રહર, આ ચાર પ્રહર કાલિક શ્રતની અપેક્ષાએ સ્વાધ્યાય કાળ છે. આ ચારે કાળમાં સ્વાધ્યાય ન કરતાં, વિકથા, પ્રમાદાદિમાં સમય વ્યતીત કરવો તે જ્ઞાનનો અતિચાર છે. જેમ કે- જાને ન જો સાઓ –આવશ્યક સૂત્ર, અધ્યયન-૪. જે સાધુ સ્વાધ્યાયકાલમાં સ્વાધ્યાય ન કરે, તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે.
(૧) સ્વાધ્યાય ન કરવાથી પૂર્વ ગૃહીત શ્રુત વિસ્મૃત થાય છે. (૨) નવા શ્રુતનું ગ્રહણ તથા તેની વૃદ્ધિ થતી નથી. (૩) સંયમ ગુણોનો નાશ થાય છે. (૪) સ્વાધ્યાય, તપ અને નિર્જરાના લાભથી વંચિત રહે છે, પરિણામે ભવ પરંપરા નષ્ટ થતી નથી.
સાધુ જીવનની સમાચારીમાં સાધુને માટે દિવસના ચાર પ્રહરમાંથી બે પ્રહર અને રાત્રિના ચાર પ્રહરમાંથી બે પ્રહર, આ રીતે આઠ પ્રહરના અહોરાત્રમાં ચાર પ્રહર સ્વાધ્યાય કરવાની જિનાજ્ઞા છે. સમાચારીનું આ કથન સાધકોને માટે સ્વાધ્યાયની મહત્તા પ્રદર્શિત કરે છે, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમમાં સંયમી જીવનની પરિપક્વતા માટે સાધુઓને સ્વાધ્યાયમાં તલ્લીન રહેવાનું હિતકારી સૂચન છે.
(૧) સ્વાધ્યાય કરવાથી વિપુલ પ્રમાણમાં નિર્જરા થાય છે. (૨) શ્રુતજ્ઞાન સ્થિર અને સમૃદ્ધ બને છે. (૩) શ્રદ્ધા, વૈરાગ્ય, સંયમ અને તપમાં રુચિ વધે છે. (૪) મન, ઇન્દ્રિય નિગ્રહમાં સફળતા મળે છે. (૫) સ્વાધ્યાયથી ચિત્તની એકાગ્રતા વધે છે અને પરિણામે ધર્મધ્યાન-શુક્લ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. અસ્વાધ્યાય કાલમાં સ્વાધ્યાયઃ१४ जे भिक्खू असज्झाइए सज्झायं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ૩ર અસ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૯
૨૭૭ ]
વિવેચન -
સાધુ-સાધ્વીએ દિવસ-રાત્રિમાં સ્વાધ્યાય કરવો આવશ્યક હોવા છતાં આગમમાં જ્યારે–જ્યાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે, તે અસ્વાધ્યાય કાળનું હંમેશાં ધ્યાન રાખવું જરૂરી છે. અસ્વાધ્યાય સ્થાનો :- (૧) ઠાણાંગ સૂત્ર, સ્થાન-૪માં ચાર પ્રતિપદાઓ અને ચાર સંધ્યામાં સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. (૨) ઠાણાંગ સૂત્ર, સ્થાન–૧૦માં દસ આકાશીય અસ્વાધ્યાય અને દસ દારિક શરીર સંબંધી અસ્વાધ્યાય કહ્યા છે. (૩) નિશીથ સૂત્રના આ જ ઉદ્દેશકમાં ૪ ચાર મહોત્સવ (પૂનમ) અને તેના પછી આવતી ચાર એકમ તથા ૪ સંધ્યામાં તેમ કુલ ૧૨ સમયોમાં સ્વાધ્યાયનો નિષેધ છે. (૪) વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક–૭માં સ્વ શરીર સંબંધી અસ્વાધ્યાયનો નિષેધ કર્યો છે અને તેમાં આપવાદિક છૂટ પણ આપી છે. આ સર્વ નિષેધ સ્થાનોનો સરવાળો કરવાથી કુલ-૩ર અસ્વાધ્યાય સ્થાન થાય છે, તે આ પ્રમાણે છેઆકાશ સંબંધી અસ્વાધ્યાય
૧૦ ઔદારિક સંબંધી અસ્વાધ્યાય ૧૦ ચાર પૂનમ, ચાર એકમ અસ્વાધ્યાય ૮ ચાર સંધ્યા અસ્વાધ્યાય
કુલ(બત્રીસ) ૩૨ આ ૩ર અસ્વાધ્યાયમાંથી ૧૨ અસ્વાધ્યાયોનું વિવેચન પૂર્વ સૂત્રોમાં કર્યું છે. શેષ ૨૦ અસ્વાધ્યાય આ પ્રમાણે છેઆકાશીય દસ અસ્વાધ્યાય :- (૧) ઉલ્કાપાત- તારાનું ખરવું અર્થાત્ સ્થાનાંતરિત થવું. ઠાણાંગ, સ્થા.-૩, ઉ.-૧, સૂ.-૨૬માં તારાના સ્થાનાંતરિત(ચલિત) થવાના ત્રણ કારણ દર્શાવ્યા છે– (૧) દેવો વૈક્રિય રૂ૫ કરે (૨) દેવો પરિચાર- સંચરણ કરે અને (૩) તારા દેવો (તારા વિમાનો) તારા દેવો એક સ્થાનેથી બીજા સ્થાને સંક્રમણ કરે. તારા દેવોની આ ત્રણ પ્રકારની ક્રિયા સમયે લાંબી રેખા યુક્ત પ્રકાશ દેખાય છે. તેને તારો ખરવો કે ઉલ્કાપાત કહેવાય છે. આવો વિશિષ્ટ પ્રકાશ કે વિશિષ્ટ પ્રકાશમય રેખા દેખાય ત્યારે અસ્વાધ્યાય સમજવો જોઈએ.(સામાન્ય પ્રકાશ કે પ્રકાશમય રેખા માટે અસ્વાધ્યાય ન સમજવો). તે સંબંધી અસ્વાધ્યાય એક પ્રહર સુધી રહે છે. (૨) દિગ્દાહ - જ્યાં સુધી કોઈ દિશા અતિશય લાલવર્ણની દેખાય અર્થાત્ કોઈ દિશામાં આગ જેવું લાગે ત્યારે સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૩) ગર્જિત - વાદળોનો અવાજ, ગર્જના સાંભળવામાં આવે તો બે પ્રહરનો અસ્વાધ્યાય. (૪) વિધુત:- વીજળી ચમકવા પર એક પ્રહર સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ.
પરંતુ ગર્જના અને વીજળીનો અસ્વાધ્યાય ચાતુર્માસમાં ન માનવો જોઈએ કારણકે તે ગર્જના અને વીજળી પ્રાયઃ ઋતુ સ્વભાવથી થાય છે અર્થાત્ આદ્ર નક્ષત્રથી સ્વાતિ નક્ષત્ર સુધી આ બંનેનો અસ્વાધ્યાય માનવામાં આવતો નથી. (૫) નિર્ધાત- વાદળા વગરના આકાશમાં કોઈ વ્યંતરદેવોની ઘોરગર્જના થાય અથવા વાદળા સહિત
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૭૮ |
શ્રી નિશીથ સૂત્ર
આકાશમાં કડાકા થાય, તો આઠ પ્રહર સુધી અસ્વાધ્યાયકાળ રહે છે. (૬) યુ૫ક - શુકલપક્ષમાં પ્રતિપદા, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તેને યુપક કહેવામાં આવે છે. આ દિવસમાં રાત્રિમાં પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૭) યક્ષાદીત - ક્યારેક કોઈ દિશામાં વીજળીના ચમકારા જેવો, થોડા-થોડા સમય પછી જે પ્રકાશ થાય છે, તે યક્ષાદીપ્ત કહેવાય છે. આકાશમાં જ્યાં સુધી યક્ષાદીત દેખાય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૮) ધૂમિકા કૃષ્ણ - કારતકથી શરૂ કરી મહા મહિના સુધીનો સમય વાદળાને માટે ગર્ભમાસ કહેવાય છે. તે કાલમાં ધુમાડાના રંગની સૂક્ષ્મ જલરૂપી ધુમ્મસ છવાઈ જાય છે, તે ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. જ્યાં સુધી ધુમ્મસ છવાયેલી રહે ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૯) મહિકાજેત :- શીતકાળમાં શ્વેતવર્ણની સૂક્ષ્મ જલરૂપી ધુમ્મસ પડે છે, તેને મહિકા કહેવાય છે.
જ્યાં સુધી મહિકા વરસતી રહે, ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૧) રજ ઉદઘાત :- વાયુ(પવન)ને કારણે ચારે ય બાજુ ધુળ છવાઈ જાય અને સૂર્ય ઢંકાઈ જાય તો જ્યાં સુધી આ ધૂળ છવાયેલી રહે, ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય – (૧૧)-(૧૨)-(૧૩) :- હાડકાં–માંસ અને લોહી: જ્યાં સુધી પંચેન્દ્રિય તિર્યંચના હાડકાં અગ્નિથી બળી ન જાય કે પાણીથી ધોવાઈ ન જાય ત્યાં સુધી અસ્વાધ્યાય હોય છે અને તેનો સમય બાર વર્ષનો છે. માંસ અને લોહી જો સામે દેખાય તો જ્યાં સુધી ત્યાંથી તે વસ્તુઓ ઉપાડવામાં ન આવે ત્યાં સુધી અસ્વાધ્યાય છે. વૃત્તિકાર આસપાસના જ હાથ સુધી અને ત્રણ પ્રહર સુધી આ વસ્તુઓ હોવા પર અસ્વાધ્યાય માને છે. ફૂટેલા ઈંડાનો અસ્વાધ્યાય ત્રણ પ્રહરનો હોય છે.
આ પ્રમાણે મનુષ્ય સંબંધી હાડકાં, માંસ અને લોહીનો પણ અસ્વાધ્યાય માનવામાં આવે છે. વિશેષતા એટલી છે કે તેનો અસ્વાધ્યાય સો હાથ સુધી અને એક દિવસ-રાતનો હોય છે. સ્ત્રીના માસિક ધર્મનો અસ્વાધ્યાય ત્રણ દિવસ સુધી હોય છે. બાળક અને બાલિકાના જન્મના કારણે તે ઘરમાં અને તે ઘરથી સાત ઘર સુધીમાં અસ્વાધ્યાય હોય છે તે ક્રમશઃ સાત અને આઠ દિવસ પર્યત મનાય છે. (૧૪) અશુચિ – મળ-મૂત્ર સામે દેખાય કે તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય છે. (૧૫) સ્મશાનઃ- સ્મશાન ભૂમિની ચારે ય બાજુ સો-સો હાથ સુધી અસ્વાધ્યાય માનવામાં આવે છે. (૧) ચંદ્રગ્રહણ:- ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્ય આઠ પ્રહર, ઉત્કૃષ્ટ બાર પ્રહર સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૧૭) સૂર્યગ્રહણ – સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્ય બાર અને ઉત્કૃષ્ટ સોળ પ્રહર સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૧૮) પતન - કોઈ મોટા માન્ય રાજા અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય ત્યારે, જ્યાં સુધી તેના અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ તેમજ જ્યાં સુધી બીજો અધિકારી સત્તારૂઢ ન થાય ત્યાં સુધી ધીમે-ધીમે સ્વાધ્યાય કરવો જોઈએ.
Page #347
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૯
[ ૨૭૯]
(૧૯) રાજવ્યક્ઝહ:- નજીકના રાજાઓમાં પરસ્પર યુદ્ધ થવા પર જ્યાં સુધી શાંતિ ન થાય ત્યાં સુધી અને ત્યારપછી પણ એક દિવસ-રાત સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર – ઉપાશ્રયની અંદર પંચેન્દ્રિય જીવનું મૃત શરીર જ્યાં સુધી પડ્યું રહે ત્યાં સુધી તથા ઉપાશ્રયની બહાર ૧૦૦ હાથ સુધી સ્વાધ્યાય ન કરવો જોઈએ. (૨૧–૨૮) ચાર મહોત્સવ અને ચાર મહાપ્રતિપદા - આષાઢ પૂર્ણિમા(ભૂત મહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા(સ્કંધ મહોત્સવ) અને ચેત્ર પૂર્ણિમા(યક્ષ મહોત્સવ). આ ચાર મહોત્સવ છે. આ પૂર્ણિમાઓ પછી આવનારી પ્રતિપદા(એકમ)ને મહાપ્રતિપદા કહેવાય છે. તેમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. (૨૯-૩૨) સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ - સવારે સૂર્યોદય પહેલાં અને પછી લાલ દિશા રહે ત્યાં સુધી, સુર્યાસ્તની પહેલાં અને પછી લાલ દિશા રહે ત્યાં સુધી, બપોરે મધ્યાહ્નથી એક ઘડી આગળ અને એક ઘડી પાછળ અને અર્ધરાત્રિમાં પણ એક ઘડી આગળ અને એક ઘડી પાછળ સ્વાધ્યાય ન કરવો જોઈએ. અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાના દોષો :- આ ૩૨ પ્રકારના અસ્વાધ્યાયોમાં સ્વાધ્યાય કરવામાં જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે અને જ્ઞાનના અતિચારનું સેવન થાય છે..
ધૂમિકા, મહિકામાં અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી લોક વ્યવહારથી વિરુદ્ધ આચરણ થાય છે તથા સૂત્રનું સન્માન રહેતું નથી. યુદ્ધ સમયે અને રાજ મૃત્યુ સમયે સ્વાધ્યાય કરવાથી રાજા કે રાજ્ય કર્મચારીઓને સાધુની પ્રતિ અપ્રીતિ કે દ્વેષ ઉત્પન્ન થઈ શકે છે.
દેવોની અર્ધમાગધી ભાષા કહી છે અને આ ભાષા આગમની પણ છે. અસ્વાધ્યાયના સમયે મિથ્યાત્વી તેમજ કૌતુહલી દેવો દ્વારા ઉપદ્રવ થવાની સંભાવના બની રહે છે.
મૂળપાઠની પુનરાવૃત્તિ કરવા રૂપ સ્વાધ્યાયની અપેક્ષાએ જ આ અસ્વાધ્યાય છે, પરંતુ તે સૂત્રોની અનુપ્રેક્ષામાં કે ભાષાંતરિત થયેલા આગમનો સ્વાધ્યાય કરવામાં અસ્વાધ્યાય નથી અને આવશ્યક સૂત્રના પઠન-પાઠનમાં અસ્વાધ્યાય નથી, તે તો ઊભયકાળ સંધ્યાના સમયમાં અવશ્ય કરણીય છે. નમસ્કાર મંત્ર, લોગસ્સ આદિ આવશ્યક સૂત્રના પાઠ પણ સદા સર્વત્ર ભણી કે બોલી શકાય છે. કોઈ પણ અસ્વાધ્યાયની જાણકારી થયા પછી શેષ રહેલા અધ્યયન કે ઉદ્દેશકની પરિયટ્ટણા પૂર્ણ કરવાનું પ્રાયશ્ચિત્ત આવે છે.
તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયનાં લોહી કે ક્લેવરનો અસ્વાધ્યાય ગણાતો નથી. સ્વકીય અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય :|१५ जे भिक्खू अप्पणो असज्झाइए सज्झायं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પોતાના શારીરિક અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે કે કરનારનું અનુમોદન કરે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
સ્વયંના અસ્વાધ્યાયના બે પ્રકાર હોય છે– (૧) વ્રણ સંબંધી અને (૨) ઋતુ ધર્મ સંબંધી. (૧) સ્વકીય વ્રણ સંબંધી અસ્વાધ્યાયઃ- કોઈ ઘા પડ્યા હોય તેમાંથી અથવા શરીરમાં ફોડકા, ફોડકી, ભગંદર, મસાદિમાંથી લોહી, પરુ વહેતા હોય તે સ્વશરીર સંબંધી અસ્વાધ્યાય છે. લોહી આદિની શુદ્ધિ
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ]
શ્રી નિશીથ સૂત્ર
કર્યા પછી સ્વાધ્યાય કરી શકાય છે. સાફ કર્યા પછી પણ લોહી નીકળતું હોય તો એક-બે અને ઉત્કૃષ્ટ ત્રણ વસ્ત્ર(પાટ) બાંધીને અન્ય સાધુ સાથે આગમ વાચનાનું આદાન-પ્રદાન કરી શકાય છે, સ્વાધ્યાય કરી શકાય નહીં. ઘા આદિ ઉપર બાંધેલા ત્રણે પાટા લોહીવાળા થઈ જાય તો પુનઃ તેને સાફ કરવું આવશ્યક છે અને પછી જ તે વાચનાનું આદાન-પ્રદાન કરી શકાય છે. (૨) સ્વકીય ઠત ધર્મ સંબંધી અસ્વાધ્યાય – ઋતુધર્મનો અસ્વાધ્યાય ત્રણ દિવસનો ગણાય છે. આ અસ્વાધ્યાય આગમના મૂળપાઠના ઉચ્ચારણ સંબંધી જ સમજવો અર્થાત્ આગમના મૂળપાઠનો સ્વાધ્યાય ન કરવો. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૭, સૂત્ર-૧૮ અનુસાર સ્વશરીર સંબંધી અસ્વાધ્યાય કાળમાં આગમની વાચના લઈ શકાય છે તથા આપી પણ શકાય છે, તે માટે ભાષ્યમાં વિધિ બતાવી છે કે રક્ત આદિની શુદ્ધિ કરી આવશ્યક્તાનુસાર એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટ સાત વસ્ત્ર પટ રાખીને સાધ્વી કે શ્રાવિકાઓ વાંચણીમાં ઉપસ્થિત રહી શકે છે. વિપરીત ક્રમથી વાચના પ્રદાનઃ१६ जे भिक्खू हेट्ठिल्लाइं समोसरणाई अवाएत्ता उवरिल्लाइं समोसरणाई वाएइ वायंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પહેલાં દેવા યોગ્ય સૂત્રોની વાચના આપ્યા વિના પછી દેવા યોગ્ય સૂત્રોની વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, |१७ जे भिक्खू णव बंभचेराई अवाएत्ता उत्तमसुयं वाएइ वाएंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નવ બ્રહ્મચર્ય અધ્યયન નામક આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધની વાચના આપ્યા વિના ઉત્તમ શ્રતની વાચના આપે કે આપનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
જે રીતે મકાનનો પ્રથમ માળ(નીચેનો), હેફિલ કે અધિસ્તન માળ કહેવાય છે અને બીજો માળ ઉવરિલ' કહેવાય છે, તેમ આ સૂત્રમાં પ્રથમ વાચના દેવા યોગ્ય શાસ્ત્ર “હેટ્ટિલ” અને ત્યાર પછી વાચના દેવા યોગ્ય શાસ્ત્ર “ઉવરિલ' કહેવાય છે. આગમ, શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશક આદિની જે અનુક્રમથી વાચના આપવાની હોય, તે જ અનુક્રમથી વાચના આપવી જોઈએ, જેમકે– (૧) આચરાગની વાસના પ્રથમ અપાય છે અને સૂયગડાંગ સૂત્રની વાચના પછી અપાય છે. (૨) શ્રુતસ્કંધમાં પ્રથમ શ્રુતસ્કંધની વાચના પહેલાં અને બીજા શ્રુતસ્કંધની વાચના પછી અપાય છે. (૩) અધ્યયનોમાં પ્રથમ અધ્યયન અને તેમાં પણ પ્રથમ ઉદેશકની વાચના પહેલાં અને પછીના અધ્યયન, ઉદ્દેશકની વાચના પછી અપાય છે. (૪) ચૂર્ણિકારે સ્પષ્ટ કર્યું છે કે આવશ્યકસૂત્ર, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે ક્રમથી આગમની વાચના આપવી જોઈએ. આવશ્યક સૂત્રમાં પણ સામાયિક અધ્યયનની પ્રથમ અને શેષ અધ્યયન ક્રમથી પશ્ચાતું વાચના અપાય છે. આવશ્યક સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન સૂત્રનો ઉપર્યુક્ત ક્રમ જે ચૂર્ણિકારે બતાવ્યો છે, તેને આચારાંગની પૂર્વનો ક્રમ જ સમજવો જોઈએ.
Page #349
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૯
૨૮૧ |
વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક–૧૦માં કેટલાક કાલિક શ્રુતની વાચનાનો ક્રમ આપ્યો છે. ઉત્કાલિક સૂત્રની વાચનાનો ક્રમ આપ્યો નથી, તેથી ગીતાર્થ મુનિ તેની વાચના પોતાને યોગ્ય લાગે તે રીતે આપી શકે છે. પ્રસ્તુત સૂત્ર કથિત પ્રાયશ્ચિત્ત વિધાન વ્યવહાર સૂત્ર કથિત અનુક્રમ માટે છે, તેમ સમજવું જોઈએ. નવ વમવેર - આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનો. આ નવ અધ્યયનોમાં સંયમમાં દઢતા, વૈરાગ્ય, શ્રદ્ધા, તેમજ પરીષહ વગેરે વિચારોને પ્રોત્સાહિત કરતો ઉપદેશ છે. બ્રહ્મચર્ય એ સંયમનો એક પર્યાયવાચી શબ્દ છે. બ્રહ્મચર્ય સંયમનું મુખ્ય અંગ છે, તેથી આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું નામ નવ વંમર રાખ્યું છે. ચૂર્ણિકાર જણાવે છે. નવ નંબરના સબ્બો આયારો હતો અઠવા સબ્બો વરપુઓળો - નવ બ્રહ્મચર્યના ગ્રહણથી સંપૂર્ણ આચાર અથવા સંપૂર્ણ ચરણાનુયોગ (આચાર શાસ્ત્રોનું ગ્રહણ થાય છે. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયન છે, તેથી “નવ” અને બ્રહ્મચર્ય શબ્દથી સંપૂર્ણ આચાર– આચારાંગ સૂત્રનું ગ્રહણ થતું હોવાથી “નવ બ્રહ્મચર્ય' એવી સંજ્ઞા આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધને આપી છે.
મયં :- “ઉત્તમશ્રત'. - ભાષ્ય ગાથા-૧૮૪માં ‘ઉત્તમદ્ભૂત” શબ્દ દ્વારા છેદ સૂત્ર અને દષ્ટિવાદ સૂત્રના ગ્રહણનો નિર્દેશ કર્યો છે. ઉત્સર્ગ–અપવાદ કલ્પો, પ્રાયશ્ચિત્ત તેમજ સંઘ વ્યવસ્થાનું વર્ણન હોવાથી “છેદસૂત્રો’ને ‘ઉત્તમશ્નત'ની સંજ્ઞા આપી છે.
દષ્ટિવાદમાં ચારે અનુયોગ પ્રમાણ અને નય વગેરે દ્રવ્યોનું સૂક્ષ્મતમ વર્ણન હોવાથી તથા વિશાળ હોવાથી તેને પણ “ઉત્તમશ્રત’ની સંજ્ઞા આપી છે. - સોળમા સુત્રાનુસાર કોઈ પણ સૂત્રની વ્યુત્કમથી વાચના આપે તો પ્રાયશ્ચિત્ત આવે છે. કદાચ કોઈ કારણ વિશેષથી વાચનામાં વ્યુત્ક્રમ કરવો પડે તો પણ પહેલાં આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધની વાચના આપવી જોઈએ. તે આપ્યા વિના અન્ય કોઈ પણ સૂત્રોની વાચના આપે તો પ્રાયશ્ચિત્ત આવે છે. વ્યુત્કમ વાચનાથી લાગતા દોષો :- (૧) પૂર્વના વિષયને સમજ્યા વિના આગળનો વિષય સમજાતો નથી. (૨) ઉત્સર્ગ, અપવાદનું વિપરીત પરિણમન થાય, (૩) આગળનું અધ્યયન કર્યા પછી પહેલાનું અધ્યયન કરવામાં આળસ થાય, (૪) પૂર્ણ યોગ્યતા વિના પોતાને બહુશ્રુત કહેવડાવે ઇત્યાદિ, તેથી આગમોક્ત ક્રમથી જ બધા સૂત્રોની વાચના દેવી જોઈએ.
અન્ય સૂત્રોમાં અર્થનું અધ્યયન કરાવવાને માટે વાચના” શબ્દનો અને મૂળ આગમનું અધ્યયન કરાવવાને માટે “ઉદ્દેશક સમુદ્દેશ' શબ્દોનો પ્રયોગ છે, પરંતુ અહીં તેવા અલગ-અલગ સૂત્ર ન હોવાથી વાચના શબ્દથી જ મૂળ તેમજ અર્થ બંને પ્રકારનું ગ્રહણ કરવામાં આવ્યું છે, તેમ સમજી લેવું જોઈએ.
નિશીથ ચૂર્ણિ તથા વ્યવહાર સૂત્ર આ બંને સૂત્રોથી તેમજ તેના વિવેચનથી વાચનાનો ક્રમ આ પ્રમાણે સમજી શકાય છે– (૧) આવશ્યક સૂત્ર (૨) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર (૬) સૂયગડાંગ સૂત્ર (૭) ત્રણ છેદ સૂત્ર(દશાશ્રુત સ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર) (૮) ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર (૯) ભગવતી સૂત્ર.
અવશેષ કાલિક સૂત્રો અને ઉત્કાલિક સૂત્રોનું અધ્યયન આ ઉપરોક્ત અધ્યયન ક્રમની મધ્યમાં કે પછી ગમે ત્યારે ગીતાર્થ મુનિની આજ્ઞા અનુસાર કરવું કે કરાવવું જોઈએ. આ બંને સૂત્રોમાં મુખ્યત્વે વાચના દાતાનું પ્રાયશ્ચિત્ત કથન છે, કારણ કે વાચના દાતાની જ વાચના દેવા સંબંધી જવાબદારી છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૮૨ |
શ્રી નિશીથ સુત્ર
અયોગ્યને વાચના આપવી અને યોગ્યને ન આપવી - १८ जे भिक्खू अपत्तं वाएइ, वाएतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અપાત્ર(અયોગ્ય)ને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, |१९ जे भिक्खू पत्तं ण वाएइ, ण वाएंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્ર(યોગ્ય)ને વાચના આપતા નથી કે ન આપનારનું અનુમોદન કરે, २० जे भिक्खू अव्वत्तं वाएइ, वाएंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વયથી અવ્યક્તને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, २१ जे भिक्खू वत्तं ण वाएइ, ण वाएंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વયથી વ્યક્તિને વાચના આપતા નથી કે ન આપનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વાચના લેનારની યોગ્યતા-અયોગ્યતા માટે “પાત્ર-અપાત્ર’ અને ‘વ્યક્તઅવ્યક્ત” શબ્દોનો પ્રયોગ કરી વાચના દાતા માટે પ્રાયશ્ચિત્ત કથન રૂપે તેના કર્તવ્યાકર્તવ્યનું કથન કર્યું છે. પત્ત, પત્ત - જે સાધુ કાલિક શ્રુતની વાચના લેવા યોગ્ય ગુણોથી યુક્ત હોય તે પાત્ર કહેવાય છે અને વાચના લેવા યોગ્ય ન હોય તે અપાત્ર કહેવાય છે.
બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૪, સૂ.-૬, ૭માં ત્રણ ગુણ યુક્ત વ્યક્તિને વાચા આપવાનું વિધાન છે અને ત્રણ અવગુણ યુક્ત વ્યક્તિને વાચના આપવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. પાત્રના ત્રણ ગુણ
અપાત્રના ત્રણ અવગુણ વિનીત
અવિનીત વિગયનો ત્યાગ કરનાર
વિનયનો ત્યાગ ન કરનાર કષાય-કલેશને શીઘ્ર ઉપશાંત કરનાર કષાય-ક્લેશને ઉપશાંત નહીં કરનાર,
(૧) વાચના દાતા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા-ભક્તિ અને નિષ્ઠા હોય, વાચના ગ્રહણ કરવામાં રુચિ અને પ્રસન્નતા હોય, આજ્ઞા શિરોધાર્ય કરી અધ્યયન કરવાનો વિવેક હોય, તેવા વિનીત શિષ્ય જ વાચનાને યોગ્ય કહેવાય.
(૨) વિગયનો ત્યાગ કરનાર વાચનાને યોગ્ય કહેવાય. ગરિષ્ઠ ભોજન, વિગય યુક્ત આહાર કરનાર વાચના લેવામાં પ્રમાદી બની જાય છે. (૩) કલેશને, કષાયને ઉપશાંત કરનાર સાધુ જ શાંત ચિત્તે વાચનાને ગ્રહણ કરી શકે છે. વ્યગ્રચિત્તવાળા સાધુ વાચનાને અયોગ્ય છે. બૃહત્કલ્પ સૂત્રોક્ત ત્રણે ગુણ હોય તો તે પાત્ર કહેવાય છે.
પાત્રને વાચના ન આપનાર અને અપાત્રને વાચના દેનાર બંને પ્રકારના વાચના દાતા પ્રાયશ્ચિત્તને
Page #351
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૯
૨૮૭ |
યોગ્ય ગણાય છે. પાત્રને વાચના ન આપવાથી શ્રુતનો હાસ થાય છે અને અપાત્રને વાચના આપવાથી શ્રુતનો દુરુપયોગ થાય છે. વનં-અબ્બત્ત – વ્યક્ત-અવ્યક્ત. આ બે શબ્દો દ્વારા શરીરથી વ્યક્તિનું કથન કરવામાં આવ્યું છેजाव कक्खादिसु रोम संभवो न भवति ताव अव्वत्तो, तस्संभवे वत्तो । अहवा जाव सोलसवरिसो તાવ અવ્વતો-પુરતો વત્તો ! –ચૂર્ણિ.
કાંખ, મૂછ વગેરે વાળની શરીર પર ઉત્પત્તિ થવા લાગે ત્યારે તે વ્યક્તિ “વ્યક્ત' કહેવાય છે અને તે પૂર્વે અવ્યક્ત” રૂપે ઓળખાય છે અર્થાત્ ૧૬ વરસની ઉંમર સુધી અવ્યક્ત અને ત્યાર પછી વ્યક્ત કહેવાય છે. પાત્ર–અપાત્રમાં ગુણની અપેક્ષાએ કથન છે અને વ્યક્ત-અવ્યક્તમાં શરીર અપેક્ષાએ કથન છે.
અવ્યક્ત સાધુને કાલિકશ્રુત(અંગસૂત્ર તથા છેદ સૂત્ર)ની વાચના દેવામાં આવતી નથી. ભાષ્યમાં તેનું કારણ સ્પષ્ટ કર્યું છે– અલ્પ વયમાં પૂર્ણ રૂપથી શ્રુત ગ્રહણ કરવાની તથા ધારણ કરવાની શક્તિ અલ્પ હોય છે. જેવી રીતે કાચા ઘડાને અગ્નિમાં રાખીને પકાવાય છે, પરંતુ કાચા ઘડામાં સીધું પાણી ભરાતું નથી. તેવી રીતે અલ્પ વયવાળા શિષ્યને પહેલાં શિક્ષા અધ્યયન આદિથી પરિપકવ બનાવવામાં આવે છે અને વ્યક્ત તેમજ પાત્ર થાય ત્યારે જ આગમોની વાચના દેવાય છે.
આ સુત્ર ક્રિકમાં આવેલા “પત્ત’ શબ્દના પાત્ર કે પ્રાપ્ત એમ બે અર્થ થાય છે તથા “વ્યક્ત'ના બે અર્થ છે– (૧) “વયપ્રાપ્ત” અને (૨) “પર્યાયપ્રાપ્ત'. ૧૬ વર્ષ વાળા “વયપ્રાપ્તવ્યક્ત છે અને ત્રણ વર્ષની દીક્ષા પર્યાય અથવા સંયમ ગુણોમાં સ્થિર ભિક્ષુ “પર્યાય વ્યક્ત” છે. આવા વૈકલ્પિક અર્થોના કારણે પ્રતોમાં ચાર સૂત્રોના સ્થાન પર ક્યાંક છે અને ક્યાંક આઠ સૂત્ર પ્રાપ્ત થાય છે. વાચના વિધિ :– ભાષ્યમાં કહ્યું છે કે નવ દીક્ષિત શિષ્યોને સર્વ પ્રથમ પ્રવર્તક મુનિરાજ સંયમ સંબંધી સમસ્ત પ્રવૃત્તિઓનું જ્ઞાન, વિનય–વ્યવહાર તેમજ સામાન્ય જ્ઞાન કરાવે છે. સ્થવિર મુનિવર તેઓને સંયમ ગુણોથી સ્થિર કરે છે. આ પ્રમાણે પ્રારંભિક શિક્ષા પછી જે ઉપર્યુક્ત યોગ્યતાને પ્રાપ્ત થાય તેઓને ઉપાધ્યાયના નેતૃત્વમાં અધ્યયન કરવાને માટે નિયુક્ત કરવામાં આવે છે. જે યોગ્યતા પ્રાપ્ત કરી શકતા નથી તેઓ પ્રવર્તક તેમજ સ્થવિરના નેતૃત્વમાં ક્રમશઃ જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ કરતા રહે છે.
ઉપાધ્યાયની પાસે શુદ્ધ ઉચ્ચારણ તથા ઘોષ શુદ્ધિની સાથે મૂળ પાઠનું અધ્યયન પૂર્ણ કરવામાં આવે છે તેની સાથે આચાર્ય તેઓને યોગ્યતાનુસાર અર્થ-પરમાર્થ યુક્ત સૂત્રાર્થની વાચના આપે છે.
આ પ્રમાણે સૂત્ર ૧૬ થી ૨૧ સુધી બે-બે સૂત્રોમાં ત્રણ વિષય ક્રમથી કહેલ છે– (૧) સૂત્ર આદિની ક્રમથી જ વાચના દેવી. (૨) તે પણ વિનય આદિ ગુણસંપન્ન યોગ્ય હોય તેને જ વાચના દેવી. (૩) વય પ્રાપ્તવાળાને જ વાચના દેવી. સૂત્રોક્ત મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. વાચના પ્રદાનમાં પક્ષપાત - | २२ जे भिक्खू दोण्हं सरिसगाणं एक्कं संचिक्खावेइ, एक्कं ण संचिक्खावेइ, एक्कं वाएइ, एक्क ण वाएइ, तं करत वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી સમાન યોગ્યતા સંપન્ન શિષ્યોમાંથી એકને શિક્ષિત કરે અને એકને ન કરે, એકને વાચના આપે અને એકને ન આપે કે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૪]
શ્રી નિશીથ સુત્ર
વિવેચન :
પદવીધરોને બધા શિષ્યો પ્રત્યે સમાન દષ્ટિ હોવી જોઈએ. અધ્યાપન કરાવનાર બહુશ્રુત કે પદવીધર સાધુ રાગ-દ્વેષથી યુક્ત વ્યવહાર ન કરે, તે જ આ સૂત્રનું તાત્પર્ય છે. અસમાન વ્યવહારથી શિષ્યોમાં વૈમનસ્ય, ગચ્છમાં અશાંતિ અને અવ્યવસ્થાની વૃદ્ધિ થાય છે, તેથી તે સંબંધી પ્રાયશ્ચિત્ત વાચના દાતાને આવે છે. અદત્ત વાચના ગ્રહણ કરવી - २३ जे भिक्खू आयरिय-उवज्झाएहिं अविदिण्णं गिरं आइयइ, आइयंत वा સાક્કા ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આચાર્ય અને ઉપાધ્યાય દ્વારા વાચના દીધા વિના વાચના લે કે લેનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રમાં આચાર્ય–ઉપાધ્યાય આદિની આજ્ઞા વિના વાચના લેવાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. વિલિvi- નહીં દેવાયેલું–અદત્ત. નિરં– જિનવાણી. સાધુએ ગુર્વાજ્ઞા વિના સ્વયં સૂત્રાર્થનું અધ્યયન કરવું કલ્પતું નથી અથવા આચાર્ય–ઉપાધ્યાયે નિષેધ કર્યો હોય તો હઠપૂર્વક વાચના ગ્રહણ કરવી પણ કલ્પતી નથી. જો કોઈ વિશેષ કારણથી આચાર્ય કે ઉપાધ્યાયે મૂળપાઠ કે અર્થની વાચના લેવાને માટે નિષેધ કર્યો હોય તો તેમની આજ્ઞા પ્રાપ્ત થયા પછી જ આગમની વાચના લેવી જોઈએ. જ્યાં સુધી આચાર્યાદિની આજ્ઞા ન મળે ત્યાં સુધી યોગ્યતાની પ્રાપ્તિને માટે તપસંયમાં વૃદ્ધિ કરવી જોઈએ.
યોગ્ય શિષ્ય ગુરુદેવોની આજ્ઞા લઈને સ્વતઃ વાંચન કરે, તો સૂત્રોક્ત “અદત્ત વાચના’નું પ્રાયશ્ચિત્ત આવતું નથી. ગૃહસ્થ સાથે વાચનાનું આદાન-પ્રદાન :|२४ जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा सज्झायं वाएइ, वाएंत वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, | २५ जे भिक्खू अण्णउत्थियस्स वा गारत्थियस्स वा वायणं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મિથ્યાત્વી ગૃહસ્થ તેમજ અન્યતીર્થિક લિંગધારી સાથે વાચનાના આદાન-પ્રદાનનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. જેમ બીજા ઉદ્દેશકમાં ગૃહસ્થ તેમજ અન્યતીર્થિક શબ્દનો ‘ભિક્ષાચર ગૃહસ્થ તેમજ ભિક્ષાચર અન્યતીર્થિક’ એમ વિશિષ્ટ અર્થ કર્યો છે અને તેમની સાથે ગોચરી આદિમાં ગમનાગમન કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેમ અહીં અન્યતીર્થિકથી વેષધારી અન્યતીર્થિક અને ગૃહસ્થથી મિથ્યાત્વી ગૃહસ્થ ગ્રહણ કરવા જોઈએ.
Page #353
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૧૯
| ૨૮૫ ]
ભાષ્યકાર મિથ્યાત્વી ગૃહસ્થ અને અન્યતીર્થિકો સાથે વાચના ન લેવાના કારણો સ્પષ્ટ કર્યા છે કે– તેની પાસેથી વાચના ગ્રહણ કરવાથી આ પ્રમાણે નિંદા થાય છે કે– તેઓના ધર્મમાં શાસ્ત્ર જ્ઞાન નથી, તેથી જ બીજાઓની પાસે જ્ઞાન લેવા જાય છે, અન્યતીર્થિકાદિને વાચના આપવાથી તેઓ વિવાદ ઉત્પન્ન કરી શકે છે, અનુચિત આક્ષેપ કરીને જિનધર્મની વિરુદ્ધ પ્રચાર કરી શકે છે, આગમના વિષયોને વિકૃત કરીને પ્રચાર કરી શકે છે અથવા તેઓ પોતાના મિથ્યાત્વને વધુ પુષ્ટ કરી શકે છે તથા તે વાચનાના આદાન-પ્રદાનના વ્યવહારનું કથન કરીને લોકોને મિથ્યાત્વી બનાવી શકે છે.
ભાષ્ય કથિત આ કારણોથી તથા નંદી સૂત્ર તેમજ સમવાયાંગ સૂત્રમાં શ્રમણોપાસકોને શ્રત અધ્યયન કરવાનું તેમજ સૂત્રોના ઉપધાન(તપ)નું કથન છે, તેથી સ્પષ્ટ થાય છે કે આ નિષેધ સમ્યગ્દષ્ટિ કે શ્રમણોપાસક માટે નથી, પરંતુ મિથ્યાદષ્ટિને માટે છે.
મિથ્યાદષ્ટિ જો ધર્મની સન્મુખ થવા યોગ્ય હોય તો તેને યોગ્ય ઉપદેશ અથવા આગમ વર્ણન કરવામાં પણ દોષ સમજવો ન જોઈએ, પરંતુ આ કાર્ય ગીતાર્થ, વિચક્ષણ સાધુ કરી શકે છે. સામાન્યરૂપે મિથ્યાત્વ ભાવિત ગૃહસ્થો કે પંડિતોનો પરિચય કે સંપર્ક કરવો, તે સમ્યકત્વનો અતિચાર છે.
શ્રમણ વર્ગમાં વાચના દાતાના અભાવમાં આવશ્યકતા હોય, તો બહુશ્રુત શ્રમણો પાસક પાસેથી વાચના ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી. પાર્થસ્થાદિની સાથે વાચનાનું આદાન-પ્રદાન - २६ जे भिक्खू पासत्थस्स वायणं देइ, दंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાર્થસ્થને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, २७ जे भिक्खू पासत्थस्स वायणं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાર્થસ્થ પાસેથી વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू ओसण्णस्स वायणं देइ, दंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવસગ્નને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, २९ जे भिक्खू ओसण्णस्स वायणं पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અવસત્ર પાસેથી વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ३० जे भिक्खू कुसीलस्स वायणं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુશીલને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે, ३१ जे भिक्खू कुसीलस्स वायणं पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કુશીલ પાસેથી વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, |३२ जे भिक्खू संसत्तस्स वायणं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સંસક્તને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે,
Page #354
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
| ३३ जे भिक्खू संसत्तस्स वायणं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી સંસક્ત પાસેથી વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू णितियस्स वायणं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિત્યકને વાચના આપે કે આપનારનું અનુમોદન કરે,
३५ जे भिक्खू णितियस्स वायणं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं ।
૨૮૬
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી નિત્યક પાસેથી વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકમાં વર્ણિત ૩૫ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
જે રીતે મિથ્યાત્વી ગૃહસ્થ પાસેથી વાચના લેવા-દેવામાં દોષોની સંભાવના પૂર્વ સૂત્રમાં કહી છે તે જ રીતે પાર્શ્વસ્થ આદિની સાથે પણ સમજવું જોઈએ, પરંતુ અહીં મિથ્યાત્વના સ્થાને શિથિલાચારનું પોષણ તેમજ પ્રરૂપણા કરવા સંબંધી દોષ સમજવા જોઈએ. તેનું વિશેષ વિવેચન ઉદ્દેશક–૪, ૧૦ તથા ૧૩ પ્રમાણે જ જાણવું જોઈએ.
પ્રસ્તુત ઉદ્દેશકના ૩૫ સૂત્રોમાં ૩૫ લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
૫ ઓગણીસમો ઉદ્દેશક સંપૂર્ણ ॥
Page #355
--------------------------------------------------------------------------
________________
પ્રાકથન
[ ૨૮૭ ]
વીસમો ઉદ્દેશક | પરિચય DRORDRORODROR
આ ઉદ્દેશકમાં પૂર્વના એકથી ઓગણીસ ઉદ્દેશક કથિત પ્રાયશ્ચિત્ત વહન કરતાં સમયે પુનઃ લાગતા દોષોના પ્રાયશ્ચિત્તનું વર્ણન છે.
એક માસના પ્રાયશ્ચિત્ત સ્થાનથી લઈને પાંચ માસ સુધીના પ્રાયશ્ચિત્ત સ્થાનની નિષ્કપટ આલોચના કરવાથી તેટલા-તેટલા માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
કપટ યુક્ત આલોચના કરવાથી એક ગુરુમાસનું પ્રાયશ્ચિત્ત અધિક આવે છે. છ માસ કે તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનની આલોચના કપટ સહિત કે નિષ્કપટ કરે તો પણ કેવળ છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્તનું વિધાન નથી, જેવી રીતે રાજ્ય-વ્યવસ્થામાં આજીવન કેદની સજામાં ૨૦ વર્ષથી અધિક જેલની સજા નથી.
અનેકવાર સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાનની આલોચના, માસિક આદિ પ્રાયશ્ચિત્ત સ્થાનોની દ્વિસંયોગી ભાંગાથી યુક્ત આલોચના, પૂર્ણ માસ કે સાધિક માસ સ્થાનોની કપટ સહિત કે કપટ રહિત આલોચના કથન પછી એકવાર કે અનેકવાર સેવિત દોષ સ્થાનની કપટ રહિત કે કપટ સહિતના આલોચનાના પ્રાયશ્ચિત્તને વહન કરતા પુનઃ લગાડવામાં આવતા દોષોની બે ચૌભંગીના કોઈ પણ ભંગથી આલોચના કરે, તે પ્રાયશ્ચિત્તની આરોપણા(કરવામાં આવે), તેનું કથન છે.
એક માસથી લઈને છમાસ સુધી કોઈપણ પ્રાયશ્ચિત્તના વહન કાળમાં લાગનાર બે માસના પ્રાયશ્ચિત્ત સ્થાનની સાનુગ્રહ સ્થાપિતા આરોપણા વીસ દિવસની તથા પુનઃ તે સ્થાનની નિરનુગ્રહ સ્થાપિતા આરોપણા બે માસની તેમજ કુલ બે માસ અને વીસ દિવસની સ્થાપિતા આરોપણા દેવામાં આવે છે.
સ્થાપિતા આરોપણાના બે માસ અને વીસ દિવસના પ્રાયશ્ચિત્તને વહન કરતા ફરી-ફરી બે માસના પ્રાયશ્ચિત્તની વીસ-વીસ દિવસની પ્રસ્થાપિતા આરોપણા વધારતા છ માસ સુધીની આરોપણા કરાય છે.
સૂત્ર ૧૯-૨૪ની સમાન સાનુગ્રહ અને નિરનુગ્રહ સ્થાપિતા આરોપણા જાણવી, પરંતુ બે માસ પ્રાયશ્ચિત્ત સ્થાનની જગ્યાએ એક માસ તેમજ ૨૦ દિનની આરોપણાની જગ્યાએ ૧૫ દિન તથા બે માસ વીસ દિવસની જગ્યાએ દોઢમાસ સમજવું જોઈએ.
સૂત્ર ૨૫-૨૯ સુધીની સમાન પ્રસ્થાપિતા આરોપણા જાણવી, પરંતુ અહિંયા પ્રારંભમાં બે માસ વીસ દિનની જગ્યાએ દોઢ માસની પ્રસ્થાપના છે અને ૨૦ દિનની આરોપણાની જગ્યાએ એક માસ પ્રાયશ્ચિત્ત સ્થાનની ૧૫ દિવસની આરોપણા વૃદ્ધિ કરતાં છ માસ સુધીની આરોપણાનું વર્ણન સમજવું જોઈએ.
બે માસના પ્રાયશ્ચિત્તનું વહન કરતાં દોષ લગાડવા પર એક માસ સ્થાનની ૧૫ દિનની આરોપણા વૃદ્ધિ કરાય છે. તદનંતર બે માસ સ્થાનની ૨૦ દિનની આરોપણા વૃદ્ધિ કરાય છે. આ રીતે બંને સ્થાનોથી આરોપણા વૃદ્ધિ કરતા છ માસ સુધીની પ્રસ્થાપિતા આરોપણા સમજી લેવી જોઈએ.
આ પ્રમાણે આ ઉદ્દેશકમાં પ્રાયશ્ચિત્ત સ્થાનોની આલોચના પર પ્રાયશ્ચિત્ત દેવાના તેમજ તેના વહન કાળમાં સાનુગ્રહ, નિરનુગ્રહ, સ્થાપિતા તેમજ પ્રસ્થાપિતા આરોપણાનું સ્પષ્ટ કથન કરવામાં આવ્યું છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૮ ]
શ્રી નિશીથ સૂત્ર
વીસમો ઉદેશક EUPA
|2|| કપટ સહિત, કપટ રહિત આલોચના:| १ जे भिक्खू मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स मासिय, पलिउचियं आलोएमाणस्स दोमासिय । ભાવાર્થ :- જે સાધુ એક માસના પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને અર્થાત્ એક માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત(કાંઈ છૂપાવ્યા વિના યથાતથ્ય) આલોચના કરે, તેને એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તો તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. | २ जे भिक्खू दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स दोमासियं, पलिउंचियं आलोएमाणस्स तेमासियं । ભાવાર્થ - જે સાધુ બે માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય(બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા) પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને ત્રણ મહિનાનું પ્રાયશ્ચિત્ત આવે છે. | ३ जे भिक्खू तेमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स तेमासिय, पलिउचियं आलोएमाणस्स चाउम्मासियं । ભાવાર્થ - જે સાધુ ત્રણ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. |४ जे भिक्खू चाउम्मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं, पलिउंचियं आलोएमाणस्स पंचमासियं । ભાવાર્થ – જે સાધુ ચારમાસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તેને પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. | ५ जे भिक्खू पंचमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स पंचमासियं, पलिउंचियं आलोएमाणस्स छम्मासियं । तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । ભાવાર્થ:- જે સાધુ પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તેને છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી અધિક અર્થાત પાંચ મહિનાથી અધિક પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપ સ્થાનનું સેવન કરીને માયા સહિત અથવા માયા રહિત આલોચના કરે, તો પણ તેને છ મહિનાનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. |६ जे भिक्खू बहुसोवि मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा,
Page #357
--------------------------------------------------------------------------
________________
6देश-२०
| २८९
अपलिउंचियं आलोएमाणस्स मासियं, पलिउंचियं आलोएमाणस्स दोमासियं । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર એક માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. |७ जे भिक्खू बहुसोवि दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउचियं आलोएमाणस्स दोमासिय, पलिउचियं आलोएमाणस्स तेमासियं । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર બે માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત
आवेछ. |८ जे भिक्खू बहुसोवि तेमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स तेमासियं, पलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं। ભાવાર્થ :- જે સાધુ અનેકવાર ત્રણ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. | ९ जे भिक्खू बहुसोवि चाउम्मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं, पलिउंचियं आलोएमाणस्स पंचमासियं । ભાવાર્થ:- જે સાધુ અનેકવાર ચાર માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે તેને ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. |१० जे भिक्खू बहुसोवि पंचमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स पंचमासियं, पलिउंचियं आलोएमाणस्स छम्मासियं। तेणं परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત અથવા માયા રહિત આલોચના કરે, તો પણ તેને છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. ११ जे भिक्खू मासियं वा जाव पंचमासियं वा एएसि परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स मासियं वा जाव पंचमासियं वा, पलिउंचियं आलोएमाणस्स दो मासियं वा जाव छम्मासियं वा । तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा ।
Page #358
--------------------------------------------------------------------------
________________
| २८०
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ :- જે સાધુ એકવાર એક માસ યાવત પાંચ માસ સુધીના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) એક માસ થાવ, પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તો (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) બે માસ યાવતુ છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત કે માયા રહિત આલોચના કરે, તો પણ તેને છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. १२ जे भिक्खू बहुसोवि मासियं वा जाव बहुसोवि पंचमासियं वा एएसिं परिहारट्राणाणं अण्णयरं परिहारदाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स मासियं वा जाव पंचमासियं वा, पलिउंचियं आलोएमाणस्स दो मासियं वा जाव छम्मासियं वा । तेणं परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा। ભાવાર્થ :- જે સાધુ અનેકવાર એક માસ યાવત પાંચ માસ સુધીના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) એક માસ યાવતુ પાંચમાસ સુધીનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) બે માસથી છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયાસહિત અથવા માયારહિત આલોચના કરે તો પણ તેને છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. |१३ जे भिक्खू चाउम्मासियं वा साइरेगचाउम्मासियं वा पंचमासियं वा साइरेगपंचमासियं वा, एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं वा साइरेगचाउम्मासिय वा पंचमासियं वा साइरेगपंचमासियं वा, पलिउंचियं आलोएमाणस्स पंचमासियं वा साइरेग पंचमासियं वा छम्मासियं वा । तेण परं पलिउचिए वा अपलिउचिए वा ते चेव छम्मासा । ભાવાર્થ :- જે સાધુ (એકવાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તો પાંચ માસ કે સાધિક પાંચ માસ અથવા છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત અથવા માયા રહિત આલોચના કરે તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. |१४ जे भिक्खू बहूसोवि चाउम्मासियं वा बहुसोवि साइरेगचाउम्मासियं वा बहुसोवि पंचमासियं वा बहुसोवि साइरेगपंचमासियं वा एएसि परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं वा, साइरेगचाउम्मासियं वा पंचमासियं वा साइरेगपंचमासियं वा, पलिउंचियं आलोएमाणस्स पंचमासियं वा साइरेगपंचमासियं वा छम्मासियं
Page #359
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨૦
૨૯૧ |
वा। तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનમાંથી કોઈ એક પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તો પાંચ માસ કે સાધિક પાંચ માસ અથવા છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને, માયા સહિત અથવા માયા રહિત આલોચના કરે, તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત આગમના એકથી ઓગણીસ ઉદ્દેશકમાં કહેલા દોષોનું સેવન કરનાર સાધક જ્યારે પોતાના ચારિત્રની શુદ્ધિ માટે ગુરુ આદિ પાસે આલોચના કરે ત્યારે તેને આલોચના અનુસાર પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. પ્રસ્તુત સૂત્રોમાં તેની આલોચના અને પ્રાયશ્ચિત્ત આપવાના વિવિધ વિકલ્પોનું વર્ણન છે.
આલોચના કરનાર સાધક એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું એકવાર કે અનેકવાર તથા અનેક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું એકવાર કે અનેકવાર સેવન કરીને તે દોષોની ક્યારેક એક સાથે અને ક્યારેક અલગ-અલગ આલોચના કરે છે.
આલોચના કરનાર કોઈ સાધક નિષ્કપટ-યથાર્થ આલોચના કરે છે અને કોઈ સાધક કપટ યુક્ત આલોચના કરે છે. તે બંનેને ભિન્ન-ભિન્ન પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
એકથી ઓગણીસ ઉદ્દેશકમાં માસિક–ચોમાસી અને તેના ગુરુ-લઘુ, એમ ચાર પ્રકારના દોષ સ્થાનોનું અને તેના ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. તે સિવાય કેટલાક વિશેષ દોષોના પ્રાયશ્ચિત્તોમાં પાંચ દિવસની, દસ દિવસની વૃદ્ધિ પણ થાય છે, તે માટે સાધિક કથન છે.
આ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું એકવાર કે અનેકવાર સેવન કર્યા પછી તેની એકી સાથે આલોચના કરવામાં આવે તો પ્રાયશ્ચિત્ત સ્થાન તે જ રહે છે, પરંતુ તેમાં તપની ન્યૂનાધિકતા હોય છે.
સરલ મનથી આલોચના કરનારને પ્રાયશ્ચિત્ત સ્થાનને અનુરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે અને કપટ યુક્ત આલોચના કરનારના કપટની જાણકારી થઈ જાય, તો તે પ્રાયશ્ચિત્ત સ્થાનથી એક માસ અધિક પ્રાયશ્ચિત્ત આવે છે અર્થાતુ કપટ કરવાનું એક ગુરુ માસનું પ્રાયશ્ચિત્ત સંયુક્ત કરીને જ આપવામાં આવે છે.
૯પૂર્વથી લઈને ૧૪ પૂર્વ સુધીના શ્રુતજ્ઞાની, અવધિ જ્ઞાની, મન:પર્યવજ્ઞાની આદિ આગમવિહારી સાધુ આલોચકના કપટને પોતાના જ્ઞાનથી જાણી લે છે. તેઓના અભાવમાં શ્રુતવ્યવહારી સાધુને જો સંદેહ થાય તો ત્રણવાર આલોચના સાંભળીને ભાષા તથા ભાવોથી કપટને જાણી લે છે. - જો કપટ યુક્ત આલોચના કરનારનું કપટ જાણી ન શકાય તો તેની શુદ્ધિ થતી નથી, તેથી આ કારણે આગમોમાં આલોચના કરનારની તેમજ સાંભળનારની યોગ્યતાઓનું વર્ણન છે. આલોચના કરનારના ગુણો :- ઠાણાંગ, સ્થાન–૧૦, સૂ.-૩માં આલોચકના દસગુણ બતાવ્યા છે. (૧) જાતિ સંપન્ન, (૨) કુળ સંપન્ન, (૩) વિનય સંપન્ન, (૪) જ્ઞાન સંપન્ન, (૫) દર્શન સંપન્ન, (૬) ચારિત્ર
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૯૨ |
શ્રી નિશીથ સૂત્ર
સંપન્ન, (૭) ક્ષમાવાન, (૮) દમિતેન્દ્રિય, (૯) માયા રહિત અને (૧૦) આલોચના કર્યા પછી પશ્ચાત્તાપ ન કરનાર. આલોચનાના દસ દોષ - ઠાણાંગ, સ્થાન,૧૦, સૂ.-૨ માં આલોચનાના દસ દોષ બતાવ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આકંપ્ય અથવા આકમ્પિત દોષ- સેવા આદિ દ્વારા પ્રાયશ્ચિત દેનારને પ્રસન્ન કરી આલોચના કરે. ગુરુ ખુશ હોવાથી મને ઓછું પ્રાયશ્ચિત આપશે, એવું વિચારી આલોચના કરવી અથવા ધ્રૂજતા ધૃજતા આલોચના કરવી. (૨) અનુમાન્ય દોષ- “હું દુર્બળ છું, મને ઓછું પ્રાયશ્ચિત આપો એમ અનુનયપૂર્વક આલોચના કરવી. (૩) અદષ્ટ– ગુરુએ જે દોષો જોયા હોય તેની આલોચના કરવી પણ અદષ્ટ દોષોની આલોચના ન કરવી. (૪) બાદર દોષ- માત્ર મોટા મોટા દોષોની આલોચના કરવી. (૫) સૂક્ષ્મ દોષ– માત્ર નાના નાના દોષોની આલોચના કરવી. (૬) છન્ન દોષ- ગુરુ સાંભળી કે સમજી ન શકે તેમ આલોચના કરવી. (૭) શબ્દાકુલ- અન્ય અગીતાર્થ સાધુ સાંભળે તેમ જોર જોરથી બોલીને આલોચના કરવી. (૮) બહુજન દોષ- એક જ દોષની આલોચના જુદા જુદા પાસે કરવી. (૯) અવ્યક્ત દોષઅવ્યક્ત એટલે અગીતાર્થ, અજાણ. જેને પ્રાયશ્ચિત્ત વિધિનું જ્ઞાન ન હોય તેવા અગીતાર્થની પાસે આલોચના કરવી. (૧૦) તત્સવી દોષ- આલોચના દેનાર જે દોષનું સેવન કરતા હોય, તેની પાસે તે દોષોની આલોચના કરવી. આલોચના સાંભળનાર પ્રાયશ્ચિત્ત દાતાના ગુણો :- દસ ગુણ યુક્ત આચાર્ય, ઉપાધ્યાય, ગીતાર્થ કે રત્નાધિક મુનિ પાસે આલોચના કરી શકાય છે. ઠાણાંગ સૂત્ર સ્થાન-૧૦, સૂ.-૬૪માં આલોચના સાંભળ દસ ગુણ કહ્યા છે, તે આ પ્રમાણે – (૧) આચારવાન હોય, (૨) સમસ્ત દોષોને સમજનાર હોય, (૩) પાંચ પ્રકારના વ્યવહારને જાણનાર હોય, (૪) સંકોચ દૂર કરવામાં કુશળ હોય, (૫) આલોચના કરાવવામાં સમર્થ હોય, (૬) સાધુએ કરેલી આલોચના કોઈ સમક્ષ પ્રગટ કરવાના સ્વભાવથી રહિત હોય, (૭) યોગ્ય રૂપે પ્રાયશ્ચિત્ત આપનાર હોય (૮) આલોચના ન કરવાથી અને કપટ સહિત આલોચના કરવાથી લાગતા દોષોને સમજાવવામાં સમર્થ હોય (૯) પ્રિયધર્મી અને (૧૦) દઢધર્મી હોય.
ઉત્તરાધ્યયન સુત્રમાં આલોચના સાંભળનારના ત્રણ ગુણ કહ્યા છે– (૧) આગમના વિશેષજ્ઞ હોય, (૨) સમાધિ ઉત્પન્ન કરી શકનાર હોય, (૩) ગુણગ્રાહી હોય. સ્વગચ્છમાં આલોચના સાંભળનાર ન હોય તો અન્ય ગચ્છના યોગ્ય સાધુ પાસે આલોચના કરી શકાય. તે પણ યોગ્ય ન મળે તો શ્રાવકાદિ પાસે પણ આલોચના કરી શકાય છે. જો તે પણ ન મળે તો અરિહંત-સિદ્ધોની સાક્ષીએ આલોચના કરવાનું વિધાન વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક–૧માં છે.
- ઉપરોક્ત દસ ગુણ સંપન્ન સાધુ દસ ગુણ સંપન્ન આચાર્યાદિ સમક્ષ નિર્દોષપણે યથાર્થ રીતે આલોચના કરીને પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધિ કરે છે પરંતુ કેટલાક સાધુઓ અપમાન કે અપશય ભયથી અથવા લજ્જાથી યથાર્થ રીતે આલોચના કરી શકતા નથી. તે સાધુઓ માયાકપટ રૂપ શલ્ય સહિત વિરાધક ભાવે મૃત્યુ પામી અનંત સંસાર પરિભ્રમણને વધારે છે. પ્રાયશ્ચિત્ત - ચારિત્રના મૂળગુણોમાં કે ઉત્તરગુણોમાં કરેલી પ્રતિસેવનાઓની શુદ્ધિ જેના દ્વારા થાય, તેને પ્રાયશ્ચિત્ત કહે છે. નિશીથ સૂત્રમાં તપ-પ્રાયશ્ચિત્તના મુખ્ય ચાર વિભાગ કર્યા છે, (૧) લઘુમાસિક, (૨) ગુરુમાસિક (૩) લઘુચૌમાસી (૪) ગુરુચૌમાસી. ભાષ્યમાં તેની વિસ્તારથી વ્યાખ્યા કરતાં પાંચ દિવસના
Page #361
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨૦
| ૨૯૭ |
તપથી લઈને છ માસ સુધીના તપનું અને તે ઉપરાંત ક્રમશઃ છેદ, મૂળ, અનવસ્થાપ્ય તથા પારાંચિત પ્રાયશ્ચિત્ત સુધીનું કથન છે.
દોષ સેવનના કારણો– ભગવતી શ.-૨૫, ઉ.-૭ તેમજ ઠાણાંગ, સ્થાન-૧૦માં પ્રતિસેવનાના ૧૦ કારણો આ પ્રમાણે દર્શાવ્યા છે અર્થાતુ દસ પ્રકારની પ્રતિસેવના કહી છે, જેમ કે- (૧) દર્પથી(આસક્તિ તેમજ ધૃષ્ટતાથી) (૨) આળસથી (૩) અસાવધાનીથી (૪) ભૂખ, તરસ આદિની આતુરતાથી (૫) સંકટ આવવાથી (૬) ક્ષેત્ર આદિની સંકીર્ણતાથી (૭) ભૂલથી (૮) ભયથી (૯) રોષથી કે દ્વેષથી (૧૦) શિષ્ય આદિની પરીક્ષાને માટે. ચારિત્રમાં લાગતા પ્રત્યેક દોષ સેવનની પાછળ આ દસમાંથી કોઈ પણ એક કે અનેક કારણ હોય છે.
પ્રાયશ્ચિત્ત દ્વારા દોષોની શુદ્ધિ- આ દોષોમાંથી કેટલાક દોષોની શુદ્ધિ કેવળ આલોચનાથી થઈ જાય છે, કેટલાક દોષની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થાય છે અને કેટલાક દોષોની શુદ્ધિ તપ, છેદ આદિથી થાય છે.
દોષ સેવન થયા પછી પણ ચારિત્ર શુદ્ધિના ઇચ્છુક શ્રમણો આલોચના કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે છે. જે રીતે વસ્ત્રમાં લાગેલી મેલની શુદ્ધિ ધોવાથી જ થાય છે તે જ રીતે ચારિત્રમાં લાગેલા દોષોની શુદ્ધિ આલોચના-પ્રાયશ્ચિત્તથી થાય છે. પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર :- દોષોની શુદ્ધિ આલોચના, પ્રતિક્રમણ આદિ ૧૦ પ્રકારે થાય છે માટે પ્રાયશ્ચિત્તના ૧૦ પ્રકાર કહ્યા છે
(૧) આલોચનાને યોગ્ય– આપવાદિક વ્યવહાર પ્રવૃત્તિ આદિની કેવળ આલોચનાથી અર્થાત્ ગુરુ આદિની સમક્ષ કથન માત્રથી શુદ્ધિ થાય છે. (૨) પ્રતિક્રમણને યોગ્ય- અસાવધાનીથી થનારી અયતનાની શુદ્ધિ કેવળ પ્રતિક્રમણથી એટલે મિચ્છામિ દુક્કડંથી થાય છે. (૩) તદુભય યોગ્ય– સમિતિ આદિના અત્યંત અલ્પ દોષની શુદ્ધિ આલોચના તેમજ પ્રતિક્રમણથી (ઊભયથી) થાય છે. (૪) વિવેક યોગ્ય– ભૂલથી ગ્રહણ કરેલા દોષયુક્ત કે અકલ્પનીય આહારાદિને ગ્રહણ કરવામાં આવ્યા હોય અથવા ક્ષેત્ર, કાળ સંબંધી આહારની મર્યાદાનું ઉલ્લંઘન થવા પર તેને પરઠવી દેવો, તે જ વિવેક પ્રાયશ્ચિત્ત છે. (૫) વ્યુત્સર્ગને યોગ્ય- કોઈ સાધારણ ભૂલ થઈ જાય ત્યારે નિર્ધારિત શ્વાચ્છોશ્વાસના કાર્યોત્સર્ગનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે તે વ્યત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. ઉભયકાળ પ્રતિક્રમણમાં પાંચમો આવશ્યક પણ આ પ્રાયશ્ચિત્ત રૂપ છે. એકથી પાંચ સુધીના આ પાંચે ય દોષ સ્થાન અને તેના પ્રાયશ્ચિત્ત સ્થાન તપ રહિત છે અર્થાત્ આ પ્રાયશ્ચિત્તમાં ઉપવાસ, આયંબિલ આદિ કોઈ પ્રકારનું તપ કરવામાં આવતું નથી. () તપને યોગ્ય- ચારિત્રના મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરે ત્યારે પુરિમઠ્ઠથી (બે પોરસીથી) લઈને છ માસી તપ સુધીનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેના બે પ્રકાર છે– ૧. શુદ્ધ તપ ૨. પરિહાર તપ. (૭) છેદને યોગ્ય દોષોના વારંવાર સેવનથી, અકારણ અપવાદ સેવનથી કે અધિક લોક નિંદા થયા પછી આલોચના કરનારના એક દિવસથી લઈને છ માસ સુધીના દીક્ષા પર્યાયનું છેદન કરવામાં આવે, તે છેદ પ્રાયશ્ચિત્ત છે. (૮) મૂળને યોગ્ય- છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય દોષોમાં ઉપેક્ષા ભાવ કે સ્વછંદતા હોય, તો પૂર્ણ દીક્ષા છેદ કરીને નવી દીક્ષા દેવી, તે મૂળ પ્રાયશ્ચિત્ત છે. ૯-૧૦) અનવસ્થાપ્ય અને પારાંચિત પ્રાયશ્ચિત્તવર્તમાનમાં આ બંને પ્રાયશ્ચિત્તોનો વિચ્છેદ થયો છે. આ બંને પ્રાયશ્ચિત્તની વિધિમાં નવી દીક્ષા દેતાં પહેલાં કઠોર તપમય સાધના કરાવવામાં આવે છે અને તે પ્રાયશ્ચિત્ત કરનારને કેટલોક સમય સમૂહથી દૂર અને આચાર્યના નેતૃત્વમાં રાખવામાં આવે છે. ત્યાર પછી એકવાર ગૃહસ્થનો વેશ સ્વીકાર કરાવીને નવી દીક્ષા
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૯૪ ]
શ્રી નિશીથ સૂત્ર
આપવામાં આવે છે. આ બંને પ્રાયશ્ચિત્તોમાં પરસ્પર વિશિષ્ટ તપ તેમજ તેના કાળ આદિનું અંતર હોય છે. આ સંબંધી વિશેષ વર્ણન બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૪માં તથા વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક–રમાં ઉપલબ્ધ છે.
પ્રસ્તુત ૧૪ સૂત્રોમાં ઉપરોક્ત ૧૦ પ્રાયશ્ચિત્તોમાંથી છઠ્ઠા તપ પ્રાયશ્ચિત્તનું કથન છે. ભાષ્યમાં કહ્યું છે કે ૧૯ ઉદ્દેશકોમાં કથિત પ્રાયશ્ચિત્ત જ્ઞાન, દર્શન, ચારિત્રના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર તેમજ અનાચારનું છે. તેમાંથી સ્થવિરકલ્પી શ્રમણોને અનાચારનું અને જિનકલ્પીને અતિક્રમ આદિ ચારેનું આ પ્રાયશ્ચિત્ત આવે છે.
સ્થવિરકલ્પી શ્રમણોને અતિક્રમ આદિ ત્રણની શુદ્ધિ માટે આલોચનાથી લઈ વ્યુત્સર્ગ સુધીના પાંચ પ્રાયશ્ચિત્ત આવે છે અને અનાચારની શુદ્ધિ માટે તપ આદિ આગળના પાંચ પ્રાયશ્ચિત્તોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત આવે છે.
સત્ર ૧ થી ૫ સુધી એક માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનથી લઈને પાંચ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનના એકવાર સેવનનું પ્રાયશ્ચિત્ત કથન છે. સુત્ર ૬ થી ૧૦ સુધી તે જ પ્રાયશ્ચિત્ત સ્થાનોના અનેકવાર સેવનનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આ દશેય સૂત્રોમાં કપટ રહિત અને કપટ સહિત બંને પ્રકારની આલોચનાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
સત્ર ૧૧ થી ૧૪માં આ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી અનેક સ્થાનોના સેવનથી દ્વિ સંયોગી આદિ ભંગયુક્ત અનેક સૂત્રોની સૂચના કરવામાં આવી છે. પરિહાર -પરિહારસ્થાન. ભાષ્યકારે તેના બે અર્થ કર્યા છે– (૧) પરિત્યાગ કરવા યોગ્ય છોડવા યોગ્ય) દોષ સ્થાન, પરિહાર સ્થાન કહેવાય છે (૨) ધારણ કરવા યોગ્ય (ગ્રહણ કરવા યોગ્ય) પ્રાયશ્ચિત્ત તપ પરિહાર સ્થાન કહેવાય છે.
પ્રસ્તુત સૂત્રોમાં ‘પરિહાર સ્થાન’ શબ્દનો પ્રયોગ “દોષ સ્થાન” અર્થમાં થયો છે અને ૧ થી ૧૯ ઉદ્દેશકમાં પ્રત્યેક ઉદ્દેશકની સમાપ્તિના ઉપસંહાર સૂત્રમાં તેનો પ્રયોગ તપ અર્થમાં થયો છે. તે પરં સિવિણ વા અપલિવિણ વા તે વેવ છ-માતા - સૂત્ર– ૫, ૧૦ તથા ૧૧ થી ૧૪, તેમ કુલ ૬ સૂત્રોમાં આ વાક્ય છે. છમાસ કે સાત માસને યોગ્ય પ્રાયશ્ચિત્તસ્થાનનું સેવન કરનારા કપટ સહિત કે કપટ રહિત આલોચના કરે, તો પણ તેને વધુમાં વધુ આ છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે, તેનાથી વધુ પ્રાયશ્ચિત્ત આવતું નથી. ભાષ્ય ચૂર્ણિમાં કહ્યું છે
વર્ધમાન મહાવીર સ્વામીના શાસનમાં પ્રાયશ્ચિત્તની ઉત્કૃષ્ટ કાલમર્યાદા છ માસની જ નિર્ધારિત છે અને બધા સાધુ-સાધ્વીને માટે આ નિયમ છે કે તપ યોગ્ય અનેક માસનું પ્રાયશ્ચિત્ત સ્થાન હોવા છતાં પણ તેને છ માસથી અધિક પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી. કારણ કે તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત આપવાથી તે પરં... આ મૂળ પાઠથી તેમજ ભાષ્યોક્ત વ્યાખ્યાથી વિપરીત આચરણ થાય છે. નિષ્કર્ષ એ છે કે મૂળ પ્રાયશ્ચિત્ત(નવી દીક્ષા) પણ ત્રણવાર આપી શકાય છે અને છ માસનું તપ તથા છ માસનું છેદ પણ ત્રણવાર જ આપી શકાય છે. ત્યાર પછી આગળના મૂળ પ્રાયશ્ચિત્ત આદિ આપવામાં આવે છે. તપ-છેદ-મૂલ પ્રાયશ્ચિત્ત - અગીતાર્થ, અતિ પરિણામી, અપરિણામી સાધુ-સાધ્વીને છ માસનું તપ પ્રાયશ્ચિત્ત જ આપવામાં આવે છે, છેદ પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી, પરંતુ દોષનું પુનઃ પુનઃ સેવન કરે, મારવાના સંકલ્પથી પંચેન્દ્રિય પ્રાણીની હિંસા કરે, દર્પથી કુશીલનું સેવન કરે, તો અગીતાર્થ આદિ સાધુ-સાધ્વીને પણ છેદ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે તથા છેદ પ્રાયશ્ચિત્ત પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ રાખનારને મૂળ પ્રાયશ્ચિત્ત એટલે નવી દીક્ષા દેવામાં આવે છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨૦
૨૯૫ |
અન્ય અનેક નાના-મોટા સામાન્ય દોષોનું સેવન કરનારને પ્રથમવારમાં છેદ કે મૂળ પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી, પરંતુ એકવાર આ પ્રકારની ચેતવણી આપવામાં આવી હોય કે “હે મુનિ ! જો વારંવાર આ દોષનું સેવન થશે તો તેનું છેદ કે મૂળ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થશે. જેને આ પ્રકારની ચેતવણી આપી હોય તેને જ છેદ પ્રાયશ્ચિત્ત કે મૂળ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે, જ્યાં સુધી આ પ્રકારની ચેતવણી આપી ન હોય તેને ત્યાં સુધી નાના-મોટા સામાન્ય દોષોનું છેદ કે મૂળ પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી. ભાષ્યમાં આ પ્રકારની ચેતવણી આપેલા તે સાધુ માટે વિકોવિત તેમજ ચેતવણી ન આપી હોય તે સાધુ માટે અવિકોવિત સંજ્ઞા આપવામાં આવી છે. વિકોવિત સાધુને પણ પ્રાપ્ત પ્રાયશ્ચિત્તનું ક્રમશઃ પ્રથમવારમાં લઘુ, બીજીવારમાં ગુરુ અને ત્રીજીવારમાં છેદ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
છેદ પ્રાયશ્ચિત્ત પણ એક દિવસથી લઈને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત ત્રણવાર આપી શકાય છે. ત્યાર પછી આવશ્યકતા હોય, તો મૂળ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. પ્રાયશ્ચિત્ત તપના વહન કાલમાં લાગતા દોષો :|१५ जे भिक्खू चाउम्मासियं वा साइरेग चाउम्मासियं वा पंचमासियं वा साइरेग पंचमासियं वा एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउचिय आलोएमाणे ठवणिज्ज ठवइत्ता करणिज्ज वेयावडिय। ठविए वि पडिसेवित्ता, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया ।
पुट्विं पडिसेवियं पुट्वि आलोइयं, पुव्विं पडिसेवियं पच्छा आलोइयं, पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं । अपलिउचिए अपलिउचिय, अपलिउचिए पलिउचिय. पलिउचिए अपलिउचिय, पलिउचिए पलिउंचियं । आलोएमाणस्स सव्वमेयं सकयं साहणिय जे एयाए पट्ठवणाए पट्ठविए णिव्विसमाणे पडिसेवेइ, से विकसिणे तत्थेव आरुहेयव्वे सिया । ભાવાર્થ :- જે સાધુ (એકવાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત કરી, તેની યોગ્ય વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપમાં સ્થાપિત થયા પછી પ્રાયશ્ચિત્ત વહનકાલમાં તે અન્ય કોઈ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પૂર્વે આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ.
૧. તેણે પૂર્વમાં સેવન કરેલા દોષની પહેલા આલોચના કરી હોય, ૨. પૂર્વમાં સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય, ૩. પાછળથી સેવન કરેલા દોષની પહેલા આલોચના કરી હોય, ૪. પાછળથી સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય, ૧. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય, ૨. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય, ૩. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય, ૪. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. આ રીતે (ઉપરોક્ત આઠ ભંગમાંથી કોઈ પણ ભંગથી) આલોચના કરે, તો તેના સર્વ અપરાધના પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરી પૂર્વે
Page #364
--------------------------------------------------------------------------
________________
| २८
શ્રી નિશીથ સૂત્ર
આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. પ્રાયશ્ચિત્તરૂપે પરિહારતપમાં સ્થાપિત થયા પછી, તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પહેલા આપેલા પ્રાયશ્ચિતમાં આરોપિત કરી દેવું જોઈએ. |१६ जे भिक्खू चाउम्मासियं वा, साइरेगचाउम्मासियं वा पंचमासियं वा साइरेगपंचमासियं वा एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, पलिउंचियं आलोएमाणे ठवणिज्ज ठवइत्ता करणिज्ज वेयावडियं। ठविए वि पडिसेवित्ता से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया ।।
पुव् िपडिसेवियं पुव्विं आलोइयं, पुव्वि पडिसेवियं पच्छा आलोइयं, पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं । अपलिउंचिए अपलिउंचियं, अपलिउचिए पलिउंचियं । पलिउचिए अपलिउचियं, पलिउचिए पलिउंचियं । आलोएमाणस्स सव्वमेयं सकयं साहणिय जे एयाए पट्ठवणाए पट्टविए णिव्विसमाणे पडिसेवेइ, से विकसिणे तत्थेव आरुहेयव्वे सिया । ભાવાર્થ - જે સાધુ (એકવાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને, માયા સહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિતસ્થાન અનુસાર) પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત કરી તેની યોગ્ય વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપમાં સ્થાપિત થયા પછી (પ્રાયશ્ચિત્ત વહન કાલમાં) તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ.
૧. તેણે પહેલાં સેવન કરેલા દોષની પહેલાં આલોચના કરી હોય, ૨. પહેલાં સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય, ૩. પાછળથી સેવન કરેલા દોષની પહેલાં આલોચના કરી હોય, ૪. પાછળથી સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય. ૧. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય. ૨. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. ૩. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય. ૪. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય.આ રીતે (ઉપરોક્ત આઠ ભંગમાંથી કોઈપણ ભંગથી) આલોચના કરે, તો તેના સર્વ અપરાધના પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરીને પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. પ્રાયશ્ચિત્તરૂપે પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરી દેવું જોઈએ. |१७ जे भिक्खू बहुसो वि चाउम्मासियं वा बहुसो वि साइरेग-चाउम्मासियं वा, बहुसो वि पंचमासिय वा बहुसो वि साइरेग-पंचमासिय वा, एएसि परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणे ठवणिज्ज ठवइत्ता करणिज्झ वेयावडियं । ठविए वि पडिसेवित्ता से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया ।
पुव्विं पडिसेवियं पुव्विं आलोइयं, पुव्विं पडिसेवियं पच्छा आलोइयं,
Page #365
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨૦
૨૯૭ |
पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं । अपलिउंचिए अपलिउंचियं, अपलिउंचिए पलिउंचियं, पलिउंचिए अपलिउंचियं, पलिउंचिए पलिउचियं । आलोएमाणस्स सव्वमेय सकयं साहणिय । जे एयाए पट्ठवणाए पट्ठविए णिव्वसमाणे पडिसेवेइ, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર ચાર માસ કે સાધિક ચાર માસ, અનેક વાર પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) પ્રાયશ્ચિત્ત રૂપ પરિહારતમાં સ્થાપિત કરીને તેની યોગ્ય વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પહેલા આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ.
૧. તેણે પહેલાં સેવન કરેલા દોષની પહેલાં આલોચના કરી હોય, ૨. પહેલા સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય, ૩. પાછળથી સેવન કરેલા દોષની પહેલાં આલોચના કરી હોય, ૪. પાછળથી સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય. ૧. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય, ૨. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય, ૩. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય, ૪. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. આ રીતે (ઉપરોક્ત આઠ ભેગમાંથી કોઈપણ ભંગથી) આલોચના કરે, તો તેના સર્વ અપરાધના પ્રાયશ્ચિત્તને પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. પ્રાયશ્ચિત્તરૂપે પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પહેલા આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. |१८ जे भिक्खू बहुसो वि चाउम्मासियं वा बहुसो वि साइरेगचाउम्मासियं वा बहुसो वि पंचमासियं वा बहुसो वि साइरेगपंचमासियं वा एएसिं परिहारट्ठाणाणं अण्णयर परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, पलिउंचियं आलोएमाणे ठवणिज्ज ठवइत्ता करणिज्जं वेयावडियं । ठविए वि पडिसेवित्ता से वि कसिणे तत्थेव आरूहेयव्वे सिया ।
पुव्विं पडिसेवियं पुव्विं आलोइयं, पुव्विं पडिसेवियं पच्छा आलोइयं, पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं । अपलिउचिए अपलिउचिय, अपलिउचिए पलिउचिय, पलिउचिए अपलिउचियं, पलिउंचिए पलिउंचियं । आलोएमाणस्स सव्वमेयं सकयं साहणिय जे एयाए पट्टवणाए पट्ठविए णिव्विसमाणे पडिसेवेइ, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર ચાર માસ કે સાધિક ચાર માસ, અનેકવાર પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) પ્રાયશ્ચિત્તરૂ૫ પરિહારતપમાં સ્થાપિત કરીને યોગ્ય
Page #366
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ.
૯૮
૧. પહેલા સેવન કરેલા દોષની પહેલા આલોચના કરી હોય, ૨. પહેલા સેવન કરેલા દોષની પછી આલોચના કરી હોય; ૩. પાછળથી સેવન કરેલા દોષની પહેલા આલોચના કરી હોય, ૪. પાછળ થી સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય. ૧. માયારહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયારહિત આલોચના કરી હોય. ૨. માયારહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયાસહિત આલોચના કરી હોય. ૩. માયાસહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયારહિત આલોચના કરી હોય. ૪, માયાસહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયાસહિત આલોચના કરી હોય. આ રીતે (ઉપરોક્ત આઠ ભંગમાંથી કોઈપણ ભંગથી) આલોચના કરે, તો તેના સર્વ અપરાધના પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરીને પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. વિવેચન :
આ સૂત્રોમાં તથા હવે પછીના સૂત્રોમાં જે પ્રાયશ્ચિત્ત વિધાન છે તે પરિહાર તપ પરિવહન કરતા સમયનું છે. આ પ્રાયશ્ચિત્તની પરંપરા વર્તમાનમાં ઉપલબ્ધ નથી. પારિહારિક તપ પ્રાયશ્ચિત્તમાં છ માસ કે તેનાથી અલ્પ સમય માટે(અપરાધ પ્રમાણે) ગચ્છના એક માંડલામાં બેસીને કરાતાં આહાર સંબંધથી અલગ રહેવાનું હોય છે.
સૂત્રમાં ચાતુર્માસિક, પંચમાસિક પ્રાયશ્ચિત્તનું કથન છે. આ અંતના કથનથી આદિનું પણ ગ્રહણ થઈ જાય છે. માસિક વગેરે પરિહાર સ્થાનના સેવનની પ્રાયશ્ચિત્ત વિધિ પણ તે પ્રમાણે જ જાણવી જોઈએ.
એક, બે, ત્રણ, ચાર, પાંચ કે છ માસના પરિહારતપનું પ્રાયશ્ચિત્ત ચાલુ હોય તે સમય દરમ્યાન જે દોષોનું સેવન થાય તેનું પ્રાયશ્ચિત્ત પૂર્વપ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં જોડી દેવામાં આવે છે. આ રીતે પ્રાયશ્ચિત્ત સંયુક્ત કરવાનું કથન આ સૂત્રમાં છે. સર્વ પ્રથમ પ્રાયશ્ચિત્ત વહન કરાવે તેને 'સ્થાપન' કહે છે અને પ્રાયશ્ચિત્ત વહનકાળમાં જ બીજા પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરવામાં આવે તો તેને પ્રસ્થાપન કહેવામાં આવે છે. આ ચાર સૂત્રોમાંથી ૧૫-૧૬મા સૂત્રમાં એકવાર અનેકવાર પાપ સ્થાનોનું સેવન કરી અમાપી પણે આલોચના કરે, તો તેનું પ્રાયશ્ચિત્ત છે અને ૧૭–૧૮મા સૂત્રોમાં એક કે અનેકવાર દોષ સેવનની માયા સહિત આલોચના કરે, તો તે સંબંધી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.
આલોચના સંબંધી બે ચૌભંગી :– જ્યારે સાધક લાગેલા દોષોની એક સાથે આલોચના કરે ત્યારે પ્રથમ ચૌભંગીના કોઈપણ ભંગ અનુસાર પ્રાયશ્ચિત્ત થાય છે. ક્રમથી પાપસ્થાનોનું સેવન થયું હોય તેમાંથી પહેલા લાગેલા દોષોની પહેલાં અને પછી લાગેલા દોષોની પછી આલોચના કરે અથવા પહેલાં લાગેલા દોષોની પછી આલોચના કરે અને પછી લાગેલ દોષોની પહેલા આલોચના કરે.
બીજી ચૌભંગી માયા રહિત અને માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ અને આલોચના સમયે કરાતી માયા સહિત અને માયા રહિત આલોચના દ્વારા ચૌભંગી બનીછે. દોષોના પ્રાયશ્ચિત્તરૂપે પારિહારિક તપ અપરાધાનુસાર આપવામાં આવ્યું હોય. તે સમય દરમ્યાન અન્ય જે દોષ લાગે તેને પણ પહેલાં પ્રાયશ્ચિત્તનું વહન ચાલુ હોય તેમાં ભેળવી દેવું જોઈએ.
Page #367
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨૦
૨૯૯ ]
પ્રાયશ્ચિત્ત વહન કાળમાં પ્રાયશ્ચિત્ત તપ કરનારની વૈયાવચ્ચ કરવાનો નિર્દેશ આ સૂત્રમાં મળે છે. તાત્પર્ય એ છે કે તપકાળમાં સેવાની આવશ્યક્તા હોય તો સેવા પણ કરાય છે જો કે પ્રાયશ્ચિત્ત વહન કરનાર સ્વયં પોતે પોતાનું કાર્ય કરી શકતા હોય ત્યાં સુધી સેવા કરાવતા નથી. બે માસની સ્થાપિત આરોપણાઃ१९ छम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेऊ सकारणं अहीणमइरित्तं, तेणं परं सवीसइराइया दोमासा । ભાવાર્થ – છ માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરીને, માયા રહિત પણે આલોચના કરે તો વીસ રાત્રિથી ન અલ્પ, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યારપછી પુનઃ દોષનું સેવન કરે, તો બે માસનું અને વીસ રાત્રિનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. २० पंचमासियं परिहारट्ठाणं पट्टविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेऊं सकारणं अहीणमइरित्तं तेणं परं सवीसइराइया दो मासा । ભાવાર્થ - પંચમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરીને, માયારહિતપણે આલોચના કરે, તો તેને વીસરાત્રિથી ન હીન ન અધિક, એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર પછી પુનઃ દોષનું સેવન કરે, તો બે માસ અને ૨૦ અહોરાત્રનું પ્રાયશ્ચિત્ત આવે છે. २१ चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा वीसइराइया आरोहणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं तेणं परं सवीसइराइया दो मासा । ભાવાર્થ:- ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરીને, માયા રહિતપણે આલોચના કરે, તો તેને વીસ રાત્રિથી ન અલ્પ, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર પછી પુનઃ દોષ સેવન કરે તો બે માસ અને વીસરાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. २२ तेमासियं परिहारट्ठाणं पट्टविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं तेण परं सवीसइराइया दो मासा । ભાવાર્થ:- ત્રિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરીને, માયા રહિત પણે આલોચના કરે, તો તેને વીસરાત્રિથી ન અલ્પ, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૦૦ ]
શ્રી નિશીથ સૂત્ર
પછી પુનઃ દોષ સેવન કરે તો બે માસ અને વીસરાત્રિનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. २३ दो मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउ सकारणं अहीणमइरित्तं तेणं पर सवीसइराइया दो मासा । ભાવાર્થ:- દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણથી બે માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી માયા રહિતપણે આલોચના કરે, તો વીસરાત્રિથી ન અલ્પ ન અધિક આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર પછી પુનઃ દોષનું સેવન કરે, તો બે માસ અને વીસરાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. २४ मासियं परिहारहाणं पट्टविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरितं तेण परं सवीसइराइया दो मासा । ભાવાર્થ - માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણથી બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરી, માયા રહિત પણે આલોચના કરે, તો તેને વીસ રાત્રિથી ન અલ્પ, ન અધિક આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર પછી પુનઃ દોષનું સેવન કરે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
કોઈ સાધુ એક માસથી છમાસ સુધીનું પ્રાયશ્ચિત્ત વહન કરતા હોય અર્થાત્ પ્રાયશ્ચિત્ત સંબંધી તપાદિ ચાલુ હોય, તે સમય દરમ્યાન બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરે, તો તેના ઉપર અનુગ્રહ કરી વીસ દિવસના પ્રાયશ્ચિત્તની આરોપણા કરવામાં આવે છે અને પુનઃ તેવા દોષનું સેવન કરે તો તેના પર અનુગ્રહ ન કરતાં બે માસનું નિરનુગ્રહ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
સાનુગ્રહ આરોપણાના વીસ દિવસ અને નિરનુગ્રહ આરોપણાના બે માસ, આ બંને પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરી બે માસ અને વીસ દિવસની આરોપણા આ સૂત્રમાં કહી છે. સાનગ્રહ આરોપણા પ્રાયશ્ચિત્તના દિવસની સંખ્યા કાઢવાની વિધિ :- જેટલા મહિનાનું પ્રાયશ્ચિત્ત સ્થાન હોય તેમાં બે ઉમેરી પાંચ ગુણા કરતા જે સંખ્યા આવે તેટલા દિવસનું સાનુગ્રહ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
જેમ કે માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન માટે એક માસના એકમાં બે ઉમેરતા ત્રણ થાય, તેને પાંચ ગુણા કરતાં પંદર થાય, તેથી માસિક પ્રાયશ્ચિત્તની સાનુગ્રહ આરોપણા પંદર દિવસની જાણવી. દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાન માટે બે માં બે ઉમેરતાં ચાર થાય, તેને પાંચ ગુણા કરતાં વીસ થાય. દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનની સાનુગ્રહ આરોપણા વીસ દિવસ કહેવાય. તે જ રીતે ત્રિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનની ૨૫ દિવસ, ચાતુર્માસિક પરિહાર સ્થાનની ૩૦ દિવસ અને છમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનની ૪૦ દિવસની સાનુગ્રહ આરોપણા સમજવી. આરોપણા પ્રાયશ્ચિત્તના પ્રકાર :- ઠાણાંગ સૂત્ર, સ્થાન-૫ ઉ.-૨, સુ.-૪૭માં આરોપણા પ્રાયશ્ચિત્તના પાંચ પ્રકાર કહા છે
Page #369
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨૦
[ ૩૦૧ |
(૧) પ્રસ્થાપિતતા– પ્રાયશ્ચિત્તરૂપે પ્રાપ્ત તપનો પ્રારંભ કરવો, પ્રાયશ્ચિત્ત તપમાં થતી આરોપણા તથા વહન કરતા પ્રાયશ્ચિત્તના દિવસોમાં અન્ય પ્રાયશ્ચિત્તના દિવસો ઉમેરીને થતી આરોપણા. (૨) સ્થાપિતવહન કરાતા પ્રાયશ્ચિત્તના દિવસોથી અલગ પ્રાયશ્ચિત્તના દિવસોની આરોપણાને સ્થાપિતા આરોપણા કહેવાય છે. (૩) કુના- વહન કરાતા પ્રાયશ્ચિત્તના સમય દરમ્યાન લાગેલા દોષોની નિરનુગ્રહ આરોપણાને કૃત્ના આરોપણા કહેવાય છે. (૪) અકસ્મા- વહન કરાતા પ્રાયશ્ચિત્તના સમય દરમ્યાન લાગેલા દોષોની સાનુગ્રહ આરોપણાને અકૃત્સના કહેવાય છે. (૫) હાડહડા- તત્કાલ વહન કરાતી આરોપણા. આ સૂત્રોમાં એક સાથે પ્રથમની ચાર પ્રકારની આરોપણાનું કથન છે. બે માસની આરોપણા - | २५ सवीसइराइयं दोमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउ सकारणं अहीणमइरित्तं, तेण परं सदसराया तिण्णिमासा । ભાવાર્થ- બે માસ અને વીસરાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર, પ્રાયશ્ચિત્ત વહન કાળ દરમ્યાન તેના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ બે માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને વીસ રાત્રિની આરોપણાથી ન હીન, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. તેને સંયુક્ત કરવાથી ત્રણ માસ અને દસ દિવસની પ્રસ્થાપના થાય છે. २६ सदसराइय-तेमासियं परिहारहाणं पट्ठविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा, आदिमज्झावसाणे सअटुं सहेउ सकारणं अहीणमइरित्तं, तेण परं चत्तारि मासा । ભાવાર્થ-ત્રણ માસ અને દસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર, પ્રાયશ્ચિત્ત વહનકાળ દરમ્યાન તેના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી હેતુ કે કારણવશ બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરી તેની આલોચના કરે, તો તેને વીસ રાત્રિથી ન હીન, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. તેને સંયુક્ત કરવાથી ચાર માસની પ્રસ્થાપના થાય છે. |२७ चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं सवीसइराइया चत्तारि मासा । ભાવાર્થ:- ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળ દરમ્યાન તેના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ બે માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી તેની આલોચના કરે, તો તેને વીસરાત્રિથી ન હીન, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. તેને સંયુક્ત કરવાથી ચાર માસ અને વીસ રાત્રિની પ્રસ્થાપના થાય છે. २८ सवीसइराइय-चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दोमासियं
Page #370
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૨ |
શ્રી નિશીથ સૂત્ર
परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं सदसराया पंचमासा। ભાવાર્થ - ચાર માસ અને વીસરાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર, પ્રાયશ્ચિત્ત વહનકાળ દરમ્યાન તેના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ બે માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી તેની આલોચના કરે, તો તેને વીસ રાત્રિથી ન હન, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. તેને સંયુક્ત કરવાથી પાંચ માસ અને દસ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
२९ सदसराइय-पंचमासियं परिहारहाणं पट्ठविए अणगारे अंतरा दोमासियंपरिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं छमासा । ભાવાર્થ – પાંચ માસ અને વીસરાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહનકાળ દરમ્યાન તેના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણ વશ બે માસનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરી તેની આલોચના કરે, તો તેને વીસ રાત્રિથી ન હીન, ન અધિક એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે. તેને સંયુક્ત કરવાથી છ માસની પ્રસ્થાપના થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વહનકાલમાં લાગેલા દોષના પ્રાયશ્ચિત્તને પ્રસ્થાપિત કરી પૂર્વ પ્રાયશ્ચિત્ત પૂર્ણ કર્યા પછી અલગ વહન કરવાની પ્રસ્થાપના આરોપણા'ની વિધિ બતાવી છે. પૂર્વના સૂત્રોમાં સ્થાપિત આરોપણાની વિધિ બતાવી છે. તેમાં પૂર્વ પ્રાપ્ત દ્વિમાસિક પ્રાયશ્ચિત્તને વહન કરતા પુનઃ દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન અને તેની સાનુગ્રહ આરોપણાનું વર્ણન છે. સ્થાપિત આરોપણામાં સાનુગ્રહ આરોપણા પ્રાયશ્ચિત્ત એક જ વાર હોય છે. તે પૂર્વના છ સૂત્રથી જણાય છે જ્યારે પ્રસ્થાપિત આરોપણા પ્રાયશ્ચિત્તમાં પુનઃ પુનઃ સાનુગ્રહ આરોપણા થઈ શકે છે તે કથન આ સૂત્રોથી સિદ્ધ થાય છે. તે પરં:- આ ઉદ્દેશકના ૫,૧૦,૧૯ વગેરે સૂત્રોમાં તેનું પરં શબ્દનો સ્વાભાવિક અર્થ તેનાથી વધુ તેવો અર્થ થાય છે અને તે પ્રસંગાનુકૂલ છે, પરંતુ આ સૂત્રો પ્રસ્થાપિતા આરોપણા સંબંધી છે અને તેમાં પ્રાયશ્ચિત્ત ઉમેરતાં-ઉમેરતાં છ માસ સુધીનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. તેથી આ પ્રસંગે તે પરં નો સ્વાભાવિક અર્થ તેનાથી વધુ પ્રસંગ-સંગત નથી.
ચૂર્ણિકારે કહ્યું છે કે અહીં પૂર્વ પ્રાયશ્ચિત્તમાં પછી-પછીના પ્રાયશ્ચિત્તને ઉમેરવામાં આવ્યું છે તેથી આ સૂત્રોમાં તે પર શબ્દનો “સંયુક્ત કરવાથી' તેવો અર્થ થાય છે. એક માસની સ્થાપિતા આરોપણા:३० छम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं दिवड्डो मासो ।
Page #371
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક ૨૦
303
ભાવાર્થ :- છમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ એક મહિનાનું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરી આલોચના કરે તો તેને એક પક્ષથી(૧૫ દિવસથી) ન વધુ, ન અલ્પ એવું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને ત્યાર પછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
३१ पंच मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा - अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं दिवड्ढो मासो ।
ભાવાર્થ:- પંચમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો ન અધિક, ન અલ્પ એવું એક પક્ષનું(પંદર દિવસનું) આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
| ३२ चाउम्मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा - अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं दिवड्डो मासो ।
ભાવાર્થ:- ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને પંદર દિવસનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
३३ | तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा- अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं दिवड्डो मासो ।
ભાવાર્થ:- ત્રિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને પંદર દિવસ(એક પક્ષનું) આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
३४ दो मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेडं सकारणं अहीणमइरित्तं, तेण परं दिवड्डो मासो ।
ભાવાર્થ:- દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને પંદર દિવસ(એક પક્ષનું) આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૪ ]
શ્રી નિશીથ સૂત્ર
३५ मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउंसकारणं अहीणमइरित्तं, तेण पर दिवड्डो मासो । ભાવાર્થ:- માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને પંદર દિવસ(એક પક્ષનું) આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
આ સૂત્રોનું વિવેચન ૧૯ થી ૨૪ સૂત્ર પ્રમાણે જાણવું ત્યાં બે માસની સ્થાપિતા આરોપણાનું કથન છે અને આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વહન દરમ્યાન લાગેલા દોષની એક માસની પ્રાયશ્ચિત્તની સ્થાપિત આરોપણાનું કથન છે. એક માસની પ્રસ્થાપિતા આરોપણા - ३६ दिवङ्क-मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं दो मासा । ભાવાર્થ – દોઢ માસનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો તેને એક પક્ષનું ચુનાધિક રહિતપણે આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી બે માસની પ્રસ્થાપના થાય છે. ३७ दो मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअट्ठ सहेउं सकारणं अहीणमइरितं, तेण परं अड्डाइज्जा मासा । ભાવાર્થ:- દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષનું સેવન કરી આલોચના કરે, તો તેને ન્યૂનાધિક રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી અઢી માસની પ્રસ્થાપના થાય છે. |३८ अड्डाइज्ज-मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं तिण्णिमासा । ભાવાર્થ- અઢી માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી, આલોચના
Page #373
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક-૨૦
૩૦૫ ]
કરે તો તેને ન્યૂનાધિક રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી ત્રણમાસની પ્રસ્થાપના થાય છે. ३९ तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउ सकारणं अहीणमइरित्त, तेण पर अद्भुट्ठा मासा । ભાવાર્થઃ- ત્રિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો તેને ચુનાધિક રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી સાડા ત્રણ માસની પ્રસ્થાપના થાય છે. ४० अद्भुट्ठमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं चत्तारिमासा । ભાવાર્થ- સાડા ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી, આલોચના કરે, તો તેને ન્યૂનાધિક રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી ચાર માસની પ્રસ્થાપના થાય છે. ४१ चाउम्मासियं परिहारट्ठाणं पटुविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं अड्डपंचमासा । ભાવાર્થઃ- ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો તેને ન્યૂનાધિક રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી સાડા ચાર માસની પ્રસ્થાપના આરોપણા થાય છે. ४२ अड्ड-पंचमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं अहीणमइरित्तं, तेण परं पंचमासा । ભાવાર્થ - સાડા ચાર માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો તેને ન્યૂનાધિક રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી પાંચ માસની પ્રસ્થાપના આરોપણા થાય છે. ४३ पंच-मासियं परिहारट्ठाणं पटुविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૦ |
શ્રી નિશીથ સૂત્ર
पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं अद्धछट्ठामासा । ભાવાર્થ – પંચમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો તેને ન્યૂનાધિક રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી સાડા પાંચમાસની પ્રસ્થાપના આરોપણા થાય છે. ४४ अद्धछट्ठमासियं परिहारट्ठाणं पट्टविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं छम्मासा । ભાવાર્થ – સાડાપાંચ માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને ન્યૂનાધિક રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી છ માસની પ્રસ્થાપના આરોપણા થાય છે. વિવેચન -
આ સૂત્રોમાં માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનની પ્રસ્થાપિત આરોપણાનું કથન છે. તેનું વર્ણન સૂત્ર ૨૫ થી ર૯ના સુધી દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનની પ્રસ્થાપિતા આરોપણાના કથન પ્રમાણે જાણવું. માસિક, દ્વિમાસિક પ્રાયશ્ચિત્તની પ્રસ્થાપિતા આરોપણા - ४५ दो मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं अड्डाइज्जा मासा । ભાવાર્થ - દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરી આલોચના કરે તો ન્યૂનાધિકતા રહિત એવું એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી અઢીમાસની પ્રસ્થાપના થાય છે. ४६ अड्डाइज्ज-मासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं सपंचराइया तिण्णिमासा । ભાવાર્થ - અઢી માસિક પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહનકાળના, પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો ન્યૂનાધિકતા રહિત વીસરાત્રિનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી ત્રણ માસ અને પાંચ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
| ઉદ્દેશક-૨૦
૩૦૭ ]
४७ सपंचराइय-तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारण अहीणमइरितं, तेण परं सवीसइराइया तिण्णि मासा । ભાવાર્થ:- ત્રણ માસ અને પાંચ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ એક માસના પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો ન્યૂનાધિકતા રહિતપણે એક પક્ષનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી ત્રણમાસ અને વીસ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
४८ सविसइराइय-तेमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं सदसराइया चत्तारि मासा । ભાવાર્થ - ત્રણ માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહન કાળના પ્રારંભમાં મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો જૂનાધિકતા રહિત વીસ રાત્રિનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી ચાર માસ અને દસ રાત્રિની પ્રસ્થાપના થાય છે. ४९ सदसराइय-चाउम्मासियं परिहारहाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं पंचूणा पंचमासा ।। ભાવાર્થ - ચાર માસ અને દસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે, તો ન્યુનાધિકતા રહિત એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી પાંચરાત્રિ જૂન પાંચમાસની પ્રસ્થાપના થાય છે. ५० पंचूण-पंच-मासियं परिहारहाणं पट्ठविए अणगारे अंतरा दो मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा-अहावरा वीसइराइया आरोवणा आदिमज्झा-वसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं अद्धछ?मासा । ભાવાર્થ:- પાંચ રાત્રિ ન્યૂન પાંચ માસનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી ચૂનાધિકતા રહિતપણે વીસરાત્રિનું આરોપણા પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી સાડા પાંચ માસની પ્રસ્થાપના થાય છે. ५१ अद्धछट्ठमासियं परिहारट्ठाणं पट्ठविए अणगारे अंतरा मासियं परिहारट्ठाणं
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૦૮ ]
શ્રી નિશીથ સૂત્ર
पडिसेवित्ता आलोएज्जा-अहावरा पक्खिया आरोवणा आदिमज्झावसाणे सअटुं सहेउं सकारणं अहीणमइरित्तं, तेण परं छम्मासा । ભાવાર્થ- સાડા પાંચ માસનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર અણગાર જો પ્રાયશ્ચિત્ત વહનકાળના પ્રારંભમાં, મધ્યમાં કે અંતમાં પ્રયોજનથી, હેતુથી કે કારણવશ માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો ન્યુનાધિકતા રહિતપણે એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે અને તેને સંયુક્ત કરવાથી છમાસની પ્રસ્થાપના થાય છે. વિવેચન :
આ સુત્રોમાં માસિક અને દ્વિમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોની સંયુક્ત પ્રસ્થાપિત આરોપણાનું કથન છે. એક માસ અને દ્વિમાસની જેમ જ અન્ય અનેક માસ સંબંધી પ્રસ્થાપના આરોપણા સમજવી જોઈએ.
આગમના સૂત્રો સંક્ષિપ્ત છે. તદનુસાર તેના ભાવાર્થ અને વિવેચન પણ સીમિત હોય છે, તેથી આગમના રહસ્યો ગુરુગમથી જાણવા જરૂરી છે.
છે વીસમો ઉદ્દેશક સંપૂર્ણ છે
| નિશીથ સૂત્ર સંપૂર્ણ
S
Page #377
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીથ સૂત્ર
_ _
| ૩૦૯ |
પરિશિષ્ટ-૧ - માસિકઃ ચૌમાસિકઃ ઉદ્ઘાતિક : અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત સ્વરૂપ
આ આગમમાં મુખ્યતાએ ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. લઘુમાસિક, લઘુચૌમાસી, ગુરુમાસિક, ગુરુ ચૌમાસી. આ ચારે પ્રાયશ્ચિત્તનું જઘન્ય અને ઉત્કૃષ્ટરૂપે કથન જોવા મળે છે. (૧) લઘુ માસિક પ્રાયશ્ચિત્ત જઘન્ય એક એકાસણું, ઉત્કૃષ્ટ ૨૭ ઉપવાસ, (૨) ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત- જઘન્ય ૧ નીવી, ઉત્કૃષ્ટ ૩૦ ઉપવાસ (૩) લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત-જઘન્ય ૧ આયંબિલ, ઉત્કૃષ્ટ ૧૦૮ ઉપવાસ, (૪) ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત-જઘન્ય ૧ ઉપવાસ, ઉત્કૃષ્ટ ૧૨૦ ઉપવાસ છે. સામાન્ય વિવક્ષાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં સર્વ પ્રકારના પ્રાયશ્ચિત્તોનો સમાવેશ થઈ જાય છે.
ભાષ્યકારે વિશેષ વિવક્ષાથી ત્રણ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે– ૧. જઘન્ય ૨. મધ્યમ ૩. ઉત્કૃષ્ટ યથાપરાધીનતાથી કે અસાવધાનીથી લાગેલા અતિચારાદિનું પ્રાયશ્ચિત્ત :કમનું પ્રાયશ્ચિત્ત નામ જયન્ય ત૫
મધ્યમ તપ
ઉત્કૃષ્ટ તપ ૧. | લઘુમાસ ચાર એકાસણા
પંદર એકાસણા
સત્તાવીસ એકાસણા ગુરુમાસ ચાર નિર્વિકૃતિક-નિવી પંદર નિવી
ત્રીસ નિવી ૩. | લઘુચૌમાસી | ચાર આયંબિલ
સાઠ નિવી કે આયંબિલ | | એક સો આઠ ઉપાવસ ૪. | ગુરુચૌમાસી | ચાર ઉપવાસ
ચાર છઠ
એક સો વીસ ઉપવાસ
અથવા ૪ મહિનાનો છેદ આતરતાથી અથવા જાણવા છતાં લાગેલા અતિચારાદિનું પ્રાયશ્ચિત્ત :કમનું પ્રાયશ્ચિત્ત નામ) જઘન્ય ત૫
મધ્યમ ત૫
ઉત્કૃષ્ટ તપ લઘુમાસ ચાર આયંબિલ
પંદર આયંબિલ
સત્તાવીસ આયંબિલ ગુરુમાસ | ચાર આયંબિલ
પંદર આયંબિલ
ત્રીસ આયંબિલ લઘુચૌમાસી ચાર ઉપવાસ
છ છઠ
એક સો આઠ ઉપવાસ ૪. | ગુરુચૌમાસી ચાર છઠ કે ચાર દિવસનો છેદ| ચાર અટ્ટમ કે છ દિવસનો છેદ | એક સો વીસ ઉપાવસ કે
ચાર માસનો છેદ તીવ્ર મોહોદયથી(આસક્તિથી) લાગેલા અતિચારાદિનું પ્રાયશ્ચિત્ત :ક્રમ પ્રાયશ્ચિત્ત નામ જઘન્ય તપ | મધ્યમ તપ
ઉત્કૃષ્ટ તપ લઘુમાસ ચાર ઉપવાસ
પંદર ઉપવાસ
સત્તાવીસ ઉપવાસ ગુરુમાસ ચાર ઉપાવાસ ચૌવિહાર | પંદર ઉપવાસ ચૌવિહારા | ત્રીસ ઉપવાસ ચૌવિહારા
૧.
Page #378
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૦ ]
પરિશિષ્ટ-૧: માસિકઃ ચૌમાસિક
કમ| પ્રાયશ્ચિત્ત નામ જઘન્ય ત૫
મધ્યમ ત૫
ઉત્કૃષ્ટ તપ ૩. | લઘુચૌમાસી | ચાર છઠ, પારણામાં આયંબિલ ચાર અટ્ટમ
એક સો આઠ ઉપવાસ
પારણામાં આયંબિલ પારણામા આયંબિલ ૪. | ગુરુચૌમાસી ચાર અટ્ટમ,
પંદર અટ્ટમ,
| એક સો વીસ ઉપવાસ પારણામાં આયંબિલ અથવા | પારણામાં આયંબિલ અથવા | પારણામાં આયંબિલ અથવા ૪૦ દિવસનો દીક્ષા છેદ | છ દિવસનો દીક્ષા છેદ | પુનઃ દીક્ષા અથવા
૧૨૦ દિવસનો દીક્ષા છેદ
પ્રતિસેવીની વય, સહિષ્ણુતા અને દેશ-કાળ અનુસાર ગીતાર્થ મુનિ સૂચિકામાં કહેલા પ્રાયશ્ચિત્ત કરતાં ઓછું-અધિક તપ-છેદ પ્રાયશ્ચિત્ત આપી શકે છે.
Page #379
--------------------------------------------------------------------------
________________
| શ્રી નિશીથ સૂત્ર
[ ૩૧૧ ]
પરિશિષ્ટ-ર:
'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
વિષય
ઉદ્દેશક
પૃષ્ટ
વિષય.
ઉદેશક | પૃષ્ટ
कस
उसटुं
અ અT૪
अच्चीकरेइ अतजाएणं अत्तीकरेइ अत्थीकरेइ અન્યતીર્થિક અપરાતું અપારિહારિક अवलंबणं अभिणवियासु अभिण्णाई અર્ધ રાત્રિ અવસગ્ન अवसुराइयं असक्कस्स અંતઃપુર अंतरिक्खजायसि
અંતર્ધાનપિંડ આ| આગાઢ-અનગાઢ
આજીવિકાપિંડ આધાકર્મ આલોચના
उक्कुट 6 | उत्तमसुयं
उत्तरकरणं उदिसइ उद्देसियं
ઔધિક ઉપકરણ | ઔપગ્રહિક ઉપકરણ કથિક कसिणाई वत्थाई कालियसुयस्स कुक्कुस કુશીલ कुशीला કોપપિંડ કૌતુક કર્મ खुड्डगस्स गायदाहसि गिहधूमं ગૃહસ્થ गोलेहणियासु | ચિકિત્સાપિંડ चिलमिली ચૂર્ણપિંડ जमावेइ जल्लं जायणावत्थं
जोग
| णावापूरणं णित्तिय
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૧૨
પરિશિષ્ટ-૨
વિષય
વિષય
ઉદ્દેશક પૃષ્ટ
णितियं णितियवास णिमंतणावस्थं
णिमित्तं त | तओ उच्चारपासवणभूमिओ
तुसदाहसि थेरगस्स दगवीणियं दीहसुत्तं દૂતપિંડ ધાતુ ધાતૃપિંડ ધોવણ પાણી નિત્યક નિયાગપિંડ
નૈવેદ્યપિંડ | ५ | पच्छासंथवं
पडिग्गह णिस्साए पत्तं-अपत्तं पयमग्गं परिघट्टावेइ परित्तकाय संजूतं परिहारठाणं परिहारठाणं પશ્ચાત્ કર્મદોષ પશ્ચિમ સંધ્યા पसिणं पाडिहारियं पायपुच्छणं પારિવારિક-અપારિહારિક સાધુ
ઉદ્દેશક પૃષ્ટ |
પારિવારિક પાર્શ્વસ્થ पासत्था पुरेकम्म पुरे संथवं पूइकम्म પૂર્વ સંધ્યા પ્રેક્ષણિક | पंक
भुसदाहसि | ભૂતિકર્મ | म मलं
માનપિંડ मामक માયાપિંડ मालोहड मुहवणं મંત્રપિંડ યથાવૃંદ યોગપિંડ રજોહરણ અને પ્રાદપ્રીંછન રાયપિંડ | लक्खणं લોભપિંડ वत्त-अवत्तं વનીપકપિંડ वसीकरण सुत्ताई वसुराइयं विकरणं विज्जमतं
य
Page #381
--------------------------------------------------------------------------
________________
શ્રી નિશીલ સ્ત્ર
વિદ્યાપિંડ
| विप्परियासेइ
वियड
वुग्गहवक्कंताणं
पंजणं
સ સરિઝમાં
सुपाहुडियं
समणुण्णा
समुद्दिसह
सरिसग्गस्स
વિષય
सागारिय
सागारिक सेज्जं
साणुप्पाए
સાધુની ઉપધિ
साहम्मिया
सिक्कगं
ઉદ્દેશક પૃષ્ટ
*
? ન છુ ” ”
૫
૫
૨
૫
૧૭
૨
૧૬
૪
૧૬
૧
૧૫
૭
૨૪
૨૭
છે ૐ ૐ = ? ” છે
૪૫
૭૪
૪૫
૧૪
सिक्कगणंतगं
सीसद्वारिय
सुमिणं
सेयं
सेयायणसि
संकमं
संघाडयं
संठावेइ
| संथड - असंथड
સંપ્રસારિક
संभोडया
સંસક્ત
संसत्ता
संसट्टु पिंड
܀܀܀܀܀
વિષય
૧૩
દેશક પૃષ્ટ
૧
૩
૧૩
૩
૩
૧
૪
♦ જ ા પ ા 8 -
× 9 ૢ * * * *
૫૦
૪૮
૨૮
૪
૪૫
૪
૧૮
Page #382
--------------------------------------------------------------------------
________________
•
.
ગુર પ્રાણ આગમ બત્રીસીના શ્રુત સહયોગી દાતાઓ
.
- પ્રથમ આગમ વિમોચક :
માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરશોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી
શ્રી રાજ્ય જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી કિરેન નવનીતરાય સંઘવી
શ્રુતાધાર
શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સપુત્ર શ્રી મુંજાલ – વિજ્યા, શ્રી ભાવિન – તેજલ, સપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો – શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા કરતે – શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી
ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેના
પુત્ર-ચી. માય, સપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા
માતૃશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ
સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રીરતિગ્ર ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગ ચેરીટેબલ ટ્રસ્ટ, હને ટી. આર. દોશી
શ્રી રતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇસ્તે ટી. આર. દોશી
શ્રી રતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇસ્તે ટી. આર. દોશી
માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્ર દોશી
હસ્તે – નરેન્દ્ર - મીના દોશી, કુ. મેઘના, કુ. દેશના
માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે – સુપુત્ર શ્રી ઈપ્સિત – ડો. નીતા શાહ, શ્રી ભાષિત – દર્શિતા શાહ
માતૃશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી)
સુપુત્ર શ્રી સતીષ – રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી – ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્યા ભૂપેન્દ્ર મોદી
મુંબઈ
U.S.A.
આવેલા
U.S.A.
મુંબઈ
U.S.A.
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
A
Page #383
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
•
.
•
.
.
•
•
·
.
•
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે – શ્રીમતી હેતલ સંજય શેડ, રૂ. ઉપાસના, કુ. કીંજલ
માનુશ્રી જશવંતીબેન શાંતીલાલ સુખીયા, શ્રીમતી ભાવના દિલીપ સુખીયા
હસ્તે – દિલીપ એસ. તુરખીયા, સપુત્ર - શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા
માતૃશ્રી કિરણબેન પ્રવીણચંદ્ર દોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ – તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ
માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ડગર
હરને – પુત્ર શ્રી કેતન – આરતી ચૂડગર, કુ. ધ્રુવી
શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર
શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ
કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી
હસ્તે – શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ અમતી ભાઈ શાહ
શ્રી કિશોરભાઈ શાહ
શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર
માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી,
સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી
માતુશ્રી તારાબેન મોદી
માતૃશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી
હસ્તે – શ્રી રાજેશભાઈ ભીમાણી
માતૃશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી કૌલેશભાઈ-મીનાબેન દેસાઈ
શ્રી અંજાભાઈ ઢાંકી
ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પુંજાણી
માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેના, હસ્તે – સત્રી શ્રી કિરીટ-અરૂણા,
-
શ્રી અજય – નીતા, શ્રી કમલેશ – દિવ્યા, સુપુત્રી – નિરૂપમા – નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી
શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માનુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે – શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી શ્રી વજીભાઈ શાહ પરિવાર
રાજકોટ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
રાજકોટ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
ચેમ્બુર
કલકત્તા
કલકત્તા
કલકત્તા
મુંબઈ
મુંબઈ
રાજકોટ
મુંબઈ
કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
પ
Page #384
--------------------------------------------------------------------------
________________
U.S.A. U.S.A.
આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ
મુંબઈ
કલકત્તા
કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #385
--------------------------------------------------------------------------
Page #386
--------------------------------------------------------------------------
________________
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #387
--------------------------------------------------------------------------
________________
a bit a bit tan
માં શા |
Kalme by he is માનો આયો જ ન થાય આ શો. આગ શાસ્ત્ર આગમ શ
2 Pat 212AL
સ સ ખૂબ શ દ ય ક ા નામ યાં. સગો
જ સામા
જ ગામ છે અને શા ાગ શા મા શાસ્ત્ર
આગા શાસ્ત્ર આ
આગમ /
Page #388
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org