________________
ઉદ્દેશક-૯
[ ૧૩૧ ]
શબ્દ રાખ્યો છે. વા, નવI :- વૃદત્તર વત્ત પાલા વટ્ટ; અન્યતર રક્ત પાલા નાવIT | અલ્પ લાલ પગવાળા લાવક હોય છે અને અધિક લાલ પગવાળા બતક’ કહેવાય છે. રમણ-પરિયા-
કિંગ-રોદાળ - ૨૪મા સૂત્રમાં અશ્વ સંબંધી ચાર અને હાથી સંબંધી ચાર શબ્દો છે, પરંતુ આ એક સૂત્રના સ્થાને કોઈ પ્રતોમાં ત્રણ અને કોઈક પ્રતોમાં ચાર સૂત્ર જોવા મળે છે. ચૂર્ણિ અને ભાષ્યમાં ૨૪મા સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે છે
आसाण य हत्थीण य, दमगा जे पढमताए विणियंति ।
परियट्ट मेंठ पच्छा, आरोहा जुद्धकालम्मि ॥२६०१॥ અર્થ- અશ્વ અને હસ્તી આ બન્નેને પ્રથમ શિક્ષિત કરનારા મ, બંનેને ફેરવનારા પરિયડ્ડા, બંનેને આસન, વસ્ત્ર, આભૂષણથી સુસજ્જિત કરનારા મેં તથા યુદ્ધમાં બંને ઉપર સવારી કરનારા બારોટ કહેવાય છે. વરસધરાજ વા.... – રમા સૂત્રમાં આ ચાર શબ્દોથી અંતઃપુર સંબંધી ચાર પ્રકારની વ્યક્તિઓનું કથન છે– (૨) વરિસધારા- કૃતનપુંસક, અંતઃપુરની અંદર રહેનારો રક્ષક. (૨) પુષ્પાબ વાકંચુકી, જન્મ નપુંસક; રાણીઓનું આત્યંતર(અંદરનું) અને બહારનું કાર્ય કરનારા, અંતઃપુરમાં જ રહેનારા કિંચુકી પુરુષ. (૨) ફુવારા વા-દ્વારપાળ, દરવાજા પાસે ઊભારહેનારાદરવાન પુરુષ. (૪) વંડરવિયાણ વા- દંડ રક્ષક, પહેરગીર, બહાર ચારેય તરફ રક્ષા કરનારો દંડધારી પુરુષ.
m/ળ ના નવ પરીખ વ:- આ ૨૭મા સૂત્રમાં દાસીઓના નામનો પાઠ કોઈ પ્રતોમાં નવ શબ્દથી સૂચિત કરીને પહેલા-છેલ્લા બે નામ જ આપ્યા છે તથા કોઈ પ્રતોમાં ૧૭, ૧૮ અને ૨૧ સંખ્યા છે. ૨૧ની સંખ્યાવાળો પાઠ ઉપયુક્ત છે, કારણ કે ૧૮ દેશની દાસીઓ સૂત્રોમાં પ્રસિદ્ધ છે અને ત્રણ શરીરની આકૃતિથી પ્રસિદ્ધ છે– ૧. કુન્જા-કૂબડી(ખૂંધવાળી) ૨. વક્રા(ઝુકેલા શરીરવાળી) ૩. વામન–નાના કદવાળી(બાવન અંગુલ પ્રમાણ શરીરવાળી, વામણી). આ જ કારણે પ્રસ્તુત સંસ્કરણના અનેક શાસ્ત્રોના પ્રસંગાનુસાર પ્રાયઃ ૨૧ નામ વાળો સૂત્ર પાઠ જ રાખ્યો છે.
આ રીતે પ્રસ્તુત ઉદ્દેશકના ૨૭ સૂત્રોમાં ૨૭ લઘુચમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
નવમો ઉદ્દેશક સંપૂર્ણ