SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૨૦ ૨૯૫ | અન્ય અનેક નાના-મોટા સામાન્ય દોષોનું સેવન કરનારને પ્રથમવારમાં છેદ કે મૂળ પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી, પરંતુ એકવાર આ પ્રકારની ચેતવણી આપવામાં આવી હોય કે “હે મુનિ ! જો વારંવાર આ દોષનું સેવન થશે તો તેનું છેદ કે મૂળ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થશે. જેને આ પ્રકારની ચેતવણી આપી હોય તેને જ છેદ પ્રાયશ્ચિત્ત કે મૂળ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે, જ્યાં સુધી આ પ્રકારની ચેતવણી આપી ન હોય તેને ત્યાં સુધી નાના-મોટા સામાન્ય દોષોનું છેદ કે મૂળ પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી. ભાષ્યમાં આ પ્રકારની ચેતવણી આપેલા તે સાધુ માટે વિકોવિત તેમજ ચેતવણી ન આપી હોય તે સાધુ માટે અવિકોવિત સંજ્ઞા આપવામાં આવી છે. વિકોવિત સાધુને પણ પ્રાપ્ત પ્રાયશ્ચિત્તનું ક્રમશઃ પ્રથમવારમાં લઘુ, બીજીવારમાં ગુરુ અને ત્રીજીવારમાં છેદ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. છેદ પ્રાયશ્ચિત્ત પણ એક દિવસથી લઈને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત ત્રણવાર આપી શકાય છે. ત્યાર પછી આવશ્યકતા હોય, તો મૂળ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. પ્રાયશ્ચિત્ત તપના વહન કાલમાં લાગતા દોષો :|१५ जे भिक्खू चाउम्मासियं वा साइरेग चाउम्मासियं वा पंचमासियं वा साइरेग पंचमासियं वा एएसिं परिहारट्ठाणाणं अण्णयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउचिय आलोएमाणे ठवणिज्ज ठवइत्ता करणिज्ज वेयावडिय। ठविए वि पडिसेवित्ता, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया । पुट्विं पडिसेवियं पुट्वि आलोइयं, पुव्विं पडिसेवियं पच्छा आलोइयं, पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं । अपलिउचिए अपलिउचिय, अपलिउचिए पलिउचिय. पलिउचिए अपलिउचिय, पलिउचिए पलिउंचियं । आलोएमाणस्स सव्वमेयं सकयं साहणिय जे एयाए पट्ठवणाए पट्ठविए णिव्विसमाणे पडिसेवेइ, से विकसिणे तत्थेव आरुहेयव्वे सिया । ભાવાર્થ :- જે સાધુ (એકવાર) ચાર માસ કે સાધિક ચાર માસ, પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત કરી, તેની યોગ્ય વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપમાં સ્થાપિત થયા પછી પ્રાયશ્ચિત્ત વહનકાલમાં તે અન્ય કોઈ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પૂર્વે આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. ૧. તેણે પૂર્વમાં સેવન કરેલા દોષની પહેલા આલોચના કરી હોય, ૨. પૂર્વમાં સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય, ૩. પાછળથી સેવન કરેલા દોષની પહેલા આલોચના કરી હોય, ૪. પાછળથી સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય, ૧. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય, ૨. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય, ૩. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય, ૪. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. આ રીતે (ઉપરોક્ત આઠ ભંગમાંથી કોઈ પણ ભંગથી) આલોચના કરે, તો તેના સર્વ અપરાધના પ્રાયશ્ચિત્તને સંયુક્ત કરી પૂર્વે
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy