SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકશન ૧૧૯ નવમો ઉદ્દેશક પરિચય ORORORORROR પ્રસ્તુત ઉદ્દેશકમાં ૨૭ પ્રકારના ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે. તેમાં રાજપિંડ અને રાજા સંબંધિત અનેક પ્રસંગોનું પ્રાયશ્ચિત્ત કથન છે. વિવિધ સ્થાનોમાં ગયેલા રાજાના આહારને તે-તે સ્થાનમાંથી ગ્રહણ કરવાના નિષેધ સાથે અંતઃપુરમાં પ્રવેશીને કે અંતઃપુરમાંથી લઈને આવેલા આહાર ગ્રહણનો નિષેધ છે. દશવૈકાલિક અ. ૩માં રાજપિંડ ગ્રહણને અનાચાર કહ્યો છે તથા ઠાણાંગ સૂત્રના પાંચમા ઠાણામાં પાંચ કારણથી રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરવાનું આપવાદિક કથન છે. આ ઉદ્દેશકના પ્રથમ ત્રણ સૂત્રોનો વિષય અન્ય આગમોમાં છે જ્યારે શેષ સૂત્ર ૪ થી ૨૭ સુધીના સૂત્રોમાં અન્ય આગમોમાં અનિર્દિષ્ટ વિષયનું કથન તથા પ્રાયશ્ચિત્ત છે. આ પ્રમાણે આ ઉદ્દેશકમાં અન્ય આગમોમાં અનુક્ત વિષય જ અધિક છે અને સંપૂર્ણ વિષય એક માત્ર રાજા, રાજાના સંબંધી તથા રાજાની વિવિધ પ્રવૃત્તિઓથી સંબંધિત છે, તે જ પ્રસ્તુત ઉદ્દેશકની વિશેષતા છે. ܀܀܀܀܀
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy