SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૪ [ ૭૧ ] अहिगरण कडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं । अट्ठ परिहायइ बहु, अहिगरणं ण करेज्ज पंडिए । ક્લેશ કરવાથી સંયમની અત્યધિક હાનિ થાય છે, કટુવચન બોલવાથી પરસ્પરમાં અસમાધિ અને અશાંતિની વૃદ્ધિ થાય છે માટે સાધુ અધિકરણ અને અધિકરણની ઉત્પત્તિના કારણોથી હંમેશાં દૂર રહે. લહની ઉદીરણા - |३७ जे भिक्खू पोराणाइ अहिगरणाई खामिय विओसमियाई पुणो उदीरेइ उदीरेंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ક્ષમાયાચનાથી ઉપશાંત થયેલા જૂના ક્લેશ(ઝગડા)ને પુનઃ ઉત્પન્ન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : વંદના કરી વિધિપૂર્વક ખમાવી જે ક્લેશને શાંત કર્યો હોય, તે ક્લેશ પુનઃ જાગૃત ન થાય તે માટે સાધુએ સાવધાન રહેવું જોઈએ. ક્લેશને ઉત્પન્ન કરે તેવા પ્રસંગો, નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. વિવેક રાખવા છતાં પણ ક્લેશ ઉત્પન્ન થવાની સંભાવના હોય તો તે વ્યક્તિના સંપર્કથી જ દૂર રહેવું જોઈએ. શાંત થયેલા ક્લેશને પુનઃ ઉદીરિત કરે, તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે. કલેશની ઉદીરણાના દોષો :- સાધુ પૂર્વગત શાંત ક્લેશને પુનઃ ઉત્પન્ન કરે, તો આજ્ઞાભંગ, મિથ્યાત્વ સંયમ વિરાધના આદિ દોષ લાગે છે. ક્લેશથી મનમાં સંતાપ, લોકમાં અપયશ થાય છે, જ્ઞાનાદિની હાનિ થાય છે. ક્લેશમાં જ સ્વાધ્યાયનો સમય સમાપ્ત થઈ જાય, સ્વાધ્યાયમાં પ્રમાદ, અન્ય સાધુ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. ક્લેશથી સંસારની વૃદ્ધિ થાય છે માટે ક્લેશની ઉદીરણા સાધુ ન કરે. ખડખડાટ હસવું - ३८ जे भिक्खू मुहं विप्फालिय-विप्फालिय हसइ, हसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ખડખડાટ હસે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :સાધુએ મુખથી અવાજ થાય તે રીતે મોટેથી હસવું ન જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે णिदं च ण बहु मणेज्जा, सप्पहासं विवज्जए । મિ દિન, સફાયરન ર સયા | દશવૈકાલિક સૂત્ર, અ૮, ગાથા-૪૨. અર્થ- સાધુએ બહુ નિદ્રા ન કરવી જોઈએ અને ખડખડાટ હાસ્યનો ત્યાગ કરવો જોઈએ, પરસ્પર વાતો કરવામાં અને ઠઠ્ઠા મશ્કરી કરવામાં સાધુએ સમય વ્યતીત ન કરવો જોઈએ, પરંતુ સ્વાધ્યાયાદિમાં લીન રહેવું જોઈએ. હસં રિના સે નિri, નો સિવ આચારાંગ સૂત્ર, શ્ર૨, અ. ૧૫.
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy