SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ | શ્રી નિશીથ સત્ર પ્રાયશ્ચિત્ત આવે, તે પ્રમાણે કર્યો છે. આ સૂત્રોનું વિવેચન કરતાં તેઓ જણાવે છે કે સાધુ નિષ્કારણ તો વસ્ત્ર વીંટયા વિનાનો કાષ્ઠદંડયુક્ત રજોહરણ રાખે જ નહિ પરંતુ યાચના કરતાં વસ્ત્ર પ્રાપ્ત ન થાય, અગ્નિદાહ, રાજાનો રોષ, ઉન્માદ ગ્રસ્ત શિષ્યનો ઉપદ્રવ વગેરે કોઈ કારણ ઉપસ્થિત થાય તો દોઢ મહિનાથી વધુ સમય વસ્ત્રરહિત લાકડીવાળો રજોહરણ રાખી શકતા નથી, દોઢ મહિનાથી વધુ સમય રાખે તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વસ્ત્રરહિત કાષ્ઠદંડયુક્ત રજોહરણને ન ભીનો કરે કે ન સૂકવે કારણ કે તેમ કરવાથી જીવ વિરાધના થાય છે અને તેમ કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. પપુછM નો અર્થ રજોહરણ ન કરતાં પાદપ્રોપ્શન અર્થાત્ પગ લૂછવાનું વસ્ત્ર અર્થ કરવો વધુ ઉચિત જણાય છે. જીર્ણવસ્ત્ર કે કંબલનો ટુકડો કે જે પગની રજ દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તેને પાદપ્રોંચ્છન કહે છે. ઉપાશ્રયના કોઈ ઊંચા સ્થાનનું પ્રમાર્જન રજોહરણથી કરવું શક્ય ન હોય ત્યારે આ પાદપ્રોચ્છનને લાકડી સાથે કે કાષ્ઠના દંડ સાથે બાંધવામાં આવે છે. સાધુ નિષ્કારણ કાષ્ઠદંડયુક્ત પાદપ્રોંચ્છન બનાવે નહિ, તેનું ગ્રહણ, ધારણ, આજ્ઞાપ્રદાન, વિતરણ અને ઉપયોગ કરે નહીં. ઊંચા સ્થાનને પોજવા જેવું કારણ ઉપસ્થિત થાય તો કાષ્ઠદંડયુક્ત પાદપ્રોંચ્છન દોઢ મહિનાથી વધુ સમય રાખે નહીં. બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક–પ, સૂત્ર-૪૩, ૪૪માં કાષ્ઠદંડયુક્ત પાદપ્રચ્છનના વિધિ-નિષેધ દર્શાવ્યા છે. દોઢ મહિનાની સમય મર્યાદાનું કારણ - સામાન્ય રીતે બે-ચાર દિવસે અને વિશેષમાં દોઢ મહિના સુધી કોઈપણ સ્થાનનું પ્રમાર્જન થતું રહે તો પ્રાયઃ તે સ્થાનમાં કરોળિયા વગેરે જંતુઓનો ઉપદ્રવ રહેતો નથી, માટે દોઢ માસથી વધુ સમય તેની જરૂર રહેતી નથી. તે ઉપરાંત પ્રમાર્જન કરતાં-કરતાં દોઢ મહિને તે પાદપ્રોપ્શન મલિન થઈ જાય અને ભેજના કારણે તે વસ્ત્રમાં જીવોત્પત્તિની સંભાવના રહે છે તથા તે પાદપ્રચ્છના દોઢ મહિનામાં જીર્ણ બની, દુષ્પતિલેખ્ય પણ બની જાય માટે દોઢ મહિના પછી તેને છોડી નાખવું અને આવશ્યક્તા હોય તો બીજું બાંધવું જોઈએ. દોઢ મહિનાની સમય મર્યાદા દરમ્યાન કોઈ કારણ ઉપસ્થિત થાય તો સાધુ પાદપ્રોંચ્છન ખોલી શકે છે પરંતુ નિષ્કારણ ખોલે નહિ. નિષ્કારણ પાદપ્રોંચ્છન ખોલવા-બાંધવાથી સ્વાધ્યાય આદિમાં અલના થાય છે અને પ્રમાદની વૃદ્ધિ થાય છે માટે દોઢ મહિના દરમ્યાન પાદપ્રોપ્શન નિષ્કારણ છોડે નહિ. રજોહરણ અને પાદપ્રચ્છન્નમાં ભિન્નતા - ભાષ્યકાર–ચૂર્ણિકાર પાયપુછM નો અર્થ રજોહરણ કરે છે, પરંતુ પાદપ્રોપ્શન અને રજોહરણ, આ બંને ઉપકરણો ભિન્ન-ભિન્ન છે. રજોહરણ ઉનની દોરીથી બનેલું ઔધિક ઉપકરણ છે અને સાધુ હંમેશાં તેને પોતાની સાથે જ રાખે છે, તેના દ્વારા પ્રમાર્જનની(પોંજવાની) ક્રિયા થાય છે. પાદપ્રોંચ્છન તે વસ્ત્રનો ટુકડો છે અને ઔપગ્રહિક ઉપકરણ છે. લાકડી સાથે બાંધેલા વસ્ત્રના ટુકડાને કાષ્ઠદંડ યુક્ત પાદપ્રીંગ્ટન કહે છે. તેના દ્વારા પગ લૂછવા ઉપરાંત ઊંચા સ્થાને પોંજવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણે ગૃહસ્થને ત્યાંથી યાચના કરી લાવવામાં આવે છે અને કામ પૂર્ણ થાય ત્યારે ગૃહસ્થને પાછું આપી શકાય છે. દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૪માં સાધુના ઉપકરણોમાં પાયjછi સિ વા ય સિ વા પાદપ્રોંક્શન અને રજોહરણ બંનેના નામ છે, તે જ બંનેની ભિન્નતા સૂચવે છે. - આ આગમમાં પાંચમા ઉદ્દેશકમાં ૧૫ થી ૧૮ સૂત્રોમાં પયપુછi ગૃહસ્થને પાછા આપવા સંબંધી કથન છે. પયપુછ નો અર્થ રજોહરણ કરીએ તો રજોહરણ ઔધિક ઉપધિ હોવાથી ગૃહસ્થને પાછો
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy