________________
૭૫
મનનનનન
AAAAAARRAMAMMANAMAN
પરિચ્છેદ.
સામાયિક વ્રત–અધિકાર. મુજબની ભલી ચીજે મેળવી શકે અને તે બીજાઓને આપી શકે. માટે તેને અદ્દભુત શક્તિવાળા લાંબા હાથ આપવામાં આવ્યા છે અને માણસ બે વખત સાંભળીને, બે વખત નજરે જોઈને, એક વખત બેલે તેમાટે તેને બે કાન, બે આંખ અને એક જીભ આપવામાં આવી છે; પણ આપણે એથી ઉલટીજ રીતે વરતીએ છીએ. પૂરું સાંભળ્યાવિના અને પૂરું જેયાવિના અભિપ્રાય આપીએ છીએ. પણ એ કેવું છેટું છે? એથી વિના કારણે આપણે કેટલા બધા પાપમાં પડીએ છીએ?
(કુદરતે) બહુ વિચારીને જ આપણું જીભ ટૂંકી બનાવેલી છે અને તેને તેવી જ રાખવામાં ફાયદો છે, તેને લાંબી વધારવામાં ફાયદો નથી, એમ સમજીને જ અસલના ત્રષિએ મુનિવ્રત લેતા હતા ને તે સારૂજ પુરાણોમાં (જૂના ગ્રંથમાં) મુનિવ્રતનું બહુ માહાત્મ્ય કહેલું છે. આપણુમાં પણ કહેવત છે કે, “ન બોલ્યામાં નવ ગુણ” જે કે આપણને બોલ્યા વિના ચાલે તેમ નથી, તેપણુ જીભને કાબુમાં રાખવાથી જીભથી થતાં પાપોથી બચાય છે, માટે ભાઇઓ! જીભ ટૂંકી અને હાથ લાંબા રાખો, એટલે કે બકબકારે ન કરે. જરૂર જેટલું બેલે-પાળી શકે તેટલું બેલે–ખાત્રી કરીને બેલે અને હાથ લાંબા રાખે એટલે કે પરમાર્થ કરે. * એજ આપણું ફરજ છે.
આવી રીતે પાપમાંથી નિવૃત્ત થવા તથા પાપના પ્રેરક પણ ન થવાને ઇસારે કરી આ અનર્થદંડવ્રત અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
સમાવિત્રેત-ધિરાર. છે
આ 5નમાંથી બચવા માટે સામાયિકની જરૂર છે તેથી સામાયિક એટલે . સમતા અર્થાત્ શ્રાવકે એ સર્વ ઈન્દ્રિયેના વિષયથી દૂર રહી છે બે ઘડી માત્ર પોતાના ઈષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરાય છે અથવા સ્વાધ્યાયાદિ કરાય છે તે સામાયિકવ્રતનું દિગ્દર્શન અત્ર ટુંકમાં કરાવવામાં આવ્યું છે. કારણકે પાપથી નિવૃત્ત થવાને તેમજ પાપથી દૂર રહેવાનું અને પાપના કઈ પણ રીતે પ્રેરક પણ ન બનવા માટે તે બહુ આવશ્યક છે તેથી તેને શ્રાવક પિતાના લક્ષમાં લઈ તે વ્રતમાં તત્પર રહે, જેને માટે આ અધિકારનો આરંભ કરવામાં આવે છે.