________________
૫૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ તે,
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૧ લે.
જૈનસાહિત્યમાં ઉચ્ચ સ્થાનને પામેલા આ ગ્રંથ અમાને મુનિ મહારાજ વિનય વિજયજી તરફથી અવલાયન અર્થે ઉપહારતરીકે મળેલા છે તે અમે આ સહિત સ્વીકારીએ છીએ. આ ગ્રંથ આદ્યંત વિલેાકતાં જણાય છે કે, તેના બહુશ્રુત લેખકે જૈનસાહિત્યમાં એક સારી વૃદ્ધિ કરેલી છૅ. ગ્રંથની અંદર ૧૧૯ અધિકારો આપી દુર્જંન વિગેરેનાં સ્વરૂપ અને ગુણુદોષનું સારૂં વિવેચન કરેલું છે. -આ ગ્રંથમાં સહીત કરેલા જૂદા જૂદા વિષયેાના ઉત્તમ અને રસિક ભાગનું સદાહન કરી. યાજકે ગ્રંથને રસિક અને વ્યાખ્યાતાઓને અતિ ઉપયોગી નાખ્યા છે. વ્યાખ્યાતાઓને સુગમ પડવામાટે સંસ્કૃત અને ગુજરાતી-ઉભય સાહિત્યને તેમાં સંગ્રહ કરવામાં આવ્યા છે. આ ગ્રંથની અંદર વિવિધ વૃત્તનાં સુભાષિતા અને કવિતાઓને ક્રમ ધણા રમણીય બન્યા છે. ઉપદેશ અને વ્યાખ્યાન કરનારાઓને પ્રસ ંગને અનુસરતા વિષયેા મેળવી શકાય તેવા હેતુથી લેખકે જુદા જુદા અધિકાર આપી દરેક અધિકારની પીઠિકા રસિક અને સુમેાધક ભાષામાં બાંધી છે. ગ્રંથયેાજનાની પદ્ધતિ સુભાષિતરનભાંડાગારને મળતી હાવાથી સર્વ વ્યાખ્યાતા અને અભ્યાસીઓને આ ગ્રંથ વિશેષ ઉપયેગી થાય તેમ છે. તે સાથે દરેક વૃત્ત અને છંદનાં લક્ષણા આપી તેની ઉપયોગિતામાં વિશેષ વધારા કરેલા છે. કેટલાએક વિષયામાં તે પ્રમાણેા અને દૃષ્ટાંતાથી રસના જમાવ ઘણા સારા કરેલા છે. વિશેષમાં ગ્રંથની અંદર આવતાં સુભાષિતે કયા ગ્રંથમાંથી લીધેલાં છે. તેના સ્પષ્ટીકરણુસાથે સારી અનુક્રમણિકા આપી છે. જૈનસાહિત્યમાં આવા ગ્રંથાની જે ખેાટ હતી, તે આ ગ્રંથના યાજકે પુરી કરી છે. આથી આ ગ્રંથના ચેાજક મુનિમહારાજ શ્રીવિનયવિજયજી મહારાજને સંપૂર્ણ ધન્યવાદ ધટે છે. પોતાના ચારિત્ર જીવનમાં આવી આવી પ્રવૃત્તિ કરવાને સદા ઉત્સુક રહેનારા તે મહામુનિને આત પ્રજા સંપૂર્ણ અભિનંદન આપ્યા વગર રહેશે નિહ.
“ જૈનશાસન,”
ભાવનગર.
આ ગ્રંથના લેખક ઉપાધ્યાયજી મહારાજશ્રી વીરવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી વિનયવિજયજી મહારાજ છે, અનેક ગ્રંથાનું દોહન કરી અનેક વિપયાને સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવેલા હાવાથી જેન તેમજ જૈનેતર સને વાંચવા ચેાગ્ય છે ગુજરાતી ભાષાના સાહિત્ય ક્ષેત્રમાં આવા એક ગ્રંથનેા વધારા યેા છે. તે જાણી આનંદ પામવા જેવું છે. મુનિમહારાજાઓને આવેા પ્રયાસ જન સમાજને ઉપયોગી થઇ પડે તે સ્વાભાવિક
છે.
“ આત્માનંદ પ્રકાશ,” પુસ્તક ૧૩–અંક ૪ થા-કાર્તિક માસ,
ભાવનગર.