________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે.
મામ આવ્યું ડચકું ત્યાં બેત્રણ ઉઠયા, પકડયાં પગ શિર જેમ સિંહ છૂટયા, એને કયાંથી જ્ઞાન પ્રભુ રૂક્યા?
ઓ અણસમજુ.. ૧૦ પાટલે બેશુધને બેસારી, હડહડ જળ રેડી દીધે ઠારી, અરરર શુણી છૂટે કંપારી, જઈ પછી રીંકલ્ય ભેંચપરે, બહુ ઠંડી ગાર જેવી ઉપરે, રીત હાય! જંગલી કેવું કરે! એની પાંસળિયે પડખાં દુખશે, પીડ શળા પવ્યા જેવી થશે. નહિ જાતે હોય તોય જીવ જશે, ત્યાં એક ડેઢ ડાહ્યા પાસે, મેક્ષે મોકલવાની આશે, બહુ પાડે બરાડા જમ નાસે! કહે રામકૃષ્ણ, રાધાકૃષ્ણ, કાન ફાડી નાખે કહી કહી કૃષ્ણ, સમજણ નથી જે પૂછે પ્રશ્ન, એમ પડે જીવ જાતાં સુધી, કેડે મૂકે પાર પડયાજ પછી, કેણે ક્યાંથી સુઝી અવળી બુદ્ધિ, પ્રભુ જાણે થાય ગતિ અગતિ, પણ દેખ્યામાં તે ગજબ અતિ, આ વલ્લભદાસ વદે વિનતિ, ,
, ૧૭ સુબેધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઇ. સ્વસ્થ દશામાં કરેલાં પાપનું ફળ કંઈ અવસાન કાળે મનુષ્યને આવી રીતે હેરાન કરવાથી બદલી જતું નથી. છેવટ સમયમાં શાંતિને બદલે અશાંતિ આપવાના હેતુભૂત થવું એ ડહાપણ નથી. એ ધર્મ સ્વરૂપ નથી. ધર્મનું ખરું સ્વરૂપ જાણવાનો પ્રયાસ કરો અને મેગ્ય હીલચાલથી આત્મકલ્યાણના રસ્તા ને હાથ કરે એમ સમજાવીને ચાલતા પ્રકરણને મદદરૂપે રહેલા મરમ્મુખ દયા અધિકારને અવકાશ આપવા આ અવસાનકાળ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
–
મરીમુવલયા-અધિકાર
કે દુ:ખી પ્રાણી પર દયા રાખવી એ મનુષ્ય માત્રને ધર્મ છે તેમ છતાં
9) મરણ વખતે તે પ્રાણીનાં સંબંધીઓજ અજ્ઞાનતાને વશ થઈ તેનાપર નિર્દયતા વાપરે છે એટલે કે તેને તે જ્યાં સૂતેલ હોય ત્યાંથી બેચાર