________________
પ્રથમ તે ધનહીન પુરૂષને જગતમાં જીવવું નકામું છે. કારણકે (ધનહીનને લીધે સર્વ ઠેકાણે) પરિણામરહિત હોવાથી તેણે કેઈના ઉપર કરેલ કપ કે કોઈના પર કરેલ પ્રસાદ એ બન્ને નિષ્ફળ થાય છે. ૧૩.
દુઃખમયે દરિદ્રતા. , अहो नु कष्टं सततं प्रवासस्ततोऽतिकष्टः परगेहवासः। कष्टाधिका नीचजनस्य सेवा, ततोऽतिकष्टा धनहीनता च ॥ १४ ॥
હમેશ પ્રવાસ કરે દુઃખકારક છે, તેના કરતાં બીજાને ઘેર રહેવું વધારે દુઃખકારક છે, તેના કરતાં નીચ મનુષ્યની નોકરી કરવી અધિક દુઃખકારક છે, સર્વના કરતાં જે ધનહીનતા તે અતિશય દુઃખજનક છે. ૧૪. તથા
ઉપેન્દ્રવજ્ઞા (૧૫–૧૬). वरं वनं व्याघ्रगजेन्द्रसेवितं, द्रुमालयः पत्रफलाम्बुभोजनम् । तृणानि शय्या बसनं च वल्कलं, न बन्धुमध्ये धनहीनजीवनम् ॥१५॥
વાઘ અને બહેકી ગયેલ હાથીવાળું વન સેવવું સારું, વૃક્ષનું (પર્ણકુટીનું) ઘર બાંધીને પત્ર, ફળ અને પ્રભુનું ભેજન કરવું સારું તથા ખડની પથારી કરવી અને વૃક્ષની છાલ પહેરવી સારી પણ સ્વકુટુંબમાં નિધનપણે વાસ કરે એ સારું નથી. ૧૫.
દરિદ્રમાં અને તાપસ-મુનિમાં થોડો તફાવત. फलाशिनो मूलतृणाम्बुभक्षा, विवाससो निस्तरशायिनश्च । गृहे विमूढा मुनिवञ्चरन्ति, तुल्यं तपः किन्तु फलेन हीनम् ॥ १६ ॥
ફળને આહાર કરનારા, ઝાડનાં મુળીયાં તથા ઘાસ અને પાણીનું ભક્ષણ કરનારા, વસ્ત્રોરહિત, બીછાના વગર ભૂમિ ઉપર શયન કરનારા દરિદ્રજનો પણ મૂઢતાપૂર્વક ઘરમાં તાપસ મુનિઓના જેવું તપ આચરે છે. ફરક એ છે તે તપ ફળથી રહિત છે. કારણ કે મુનિયે વિમૂઢી: એટલે મૂઢતા રહિત (જ્ઞાનીઓ) હોય છે અને તે કર્મનાં ફળશું છે તે જાણે છે અને દરિદ્રજનો વિમૂઢા અત્યંત મૂઢ અને હેતુના (ફળના) અનભિજ્ઞ હોય છે માટે તેને ફળ કાંઈ મળતું ' નથી. ૧૬.