________________
પરિચય
લશ્મીવાસ-અધિકાર. ણવી અતીવ જરૂરી છે કારણકે મનુષ્ય જે તેવા લક્ષમીજીના સ્થાનરૂપી સ્વતઃ બનશે તે લક્ષમીજી તેમાં પિતાની મેળે આવીને જ રહેશે. એ ઉદ્દેશથી આ અધિકારનો આરંભ કર્યો છે. '
લક્ષ્મીજી પોતાનું નિવાસસ્થાન ઇન્દ્રદેવને કહે છે.
મનુષ્ય (૨ થી ૨). गुरषो यत्र पूज्यन्ते, वित्तं यत्र नयार्जितम् ।
अदन्तकलहो यत्र, तत्र शक वसाम्यहम् ॥१॥ હે ઈન્દ્રા! જ્યાં ગુરૂઓ પૂજાય છે અને જ્યાં ન્યાયથી મેળવેલ ધન છે. તેમ જ્યાં દાંત દેખાડીને કલહ (ક ) કરાતા નથી (જ્યાં કજીઆનો અવકાશ નથી) તે સ્થાનમાં હું વસું છું. ૧
તથા
प्रीतियत्र निजैर्गेहे, देहसत्त्वं सुसंभृतम् ।
पुण्यमात्मन्यगण्यं च, तत्र तिष्ठाम्यहं सदा ॥२॥ જે ઘરમાં પિતપતાને પરસ્પર પ્રેમ હોય, ઘણુંજ શરીરસંબંધી બળ. હોય અને આત્મામાં અગણિત પુણ્ય હોય, ત્યાં હું હમેશાં નિવાસ કરું છું. ૨.
લક્ષ્મીને સ્થિર રાખનાર પાંચ જામીન. दानमौचित्यविज्ञानं, सत्पात्राणां परिग्रहः ।
मुकृतं सुप्रभुखं च, पञ्च प्रतिभुवः श्रियः ॥ ३ ॥ દાન, યોગ્યતાનું જ્ઞાન, સત્પાત્રોને સ્વીકાર (સત્કાર્યોમાં આગેવાની), સુકૃત (પુણ્ય) અને સર્વોત્તમ ધણીપણું આ પાંચ લક્ષ્મીના જામીન છે. એટલે લક્ષમીને કાયમ રાખવાનાં સાધનો છે. ૩.
ધન વાપરવાની સમજુતી. आयादधैं नियुञ्जीत, धर्मे यदाधिकं ततः।
शेषेण शेषं कुर्वीत, यवतः स्वीयमैहिकम् ॥ ४॥ - જેટલું ધન આવે તેમાંથી અધુ" અથવા તેથી અધિક ધન ધમકાર્યમાં ખર્ચવું અને બાકી રહેલા ધનથી યત્ન કરી પિતાનું આલોકસંબંધી શેષકામ કરવું. ૪.