________________
અભિપ્રા.
૫૮૧
આપવાની જરૂર છે અને તે કાવ્યના આકારમાં હોય તો તેની અસર ઘણી સારી થાય છે. આ વિચારથી મહારાજશ્રીએ જ્યાં જોઈએ ત્યાં દાખલા આપી કાવ્યોની ગોઠવણ કરી છે. આવા ગ્રંથોની પૂરેપૂરી જરૂર છે અને તે જરૂરીઆત મહારાજશ્રીએ પૂરી પાડી છે.
હરકોઈ સંપ્રદાયના મુનિ મહારાજે નવરાશના વખતમાં નિરુપયોગી કથાઓ કરીને વખત ગાળે છે એના કરતાં આવાં શુભ કાર્યો કરવાનું મન ઉપર લાવી કાંઈ પણ કરે તે ધર્મની ઉન્નતિની સાથે જ્ઞાનવૃદ્ધિની શક્તિ ખીલે. - આ ગ્રંથને બીજો ભાગ વાંચવાની જિજ્ઞાસા છે તો તે ગ્રંથ છપાઈ બહાર પડયે વેળાસર મોકલવાની ગોઠવણ કરશેજી.
વકીલ જાદવજી વાલજી,
રાજકોટ.
આ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૧ લે મેં વાંચ્યો છે. અલ્પબુદ્ધિવાળા માટે તો ખાસ અને બુદ્ધિમાનોને પણ અત્યુપયોગી છે. ટૂંકમાં કહું તો સર્વ માનવવર્ગને - આગળ વધવાને આધારભૂત છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
તુલશી ડાહ્યાભાઈ વકીલ,
રાજકેટ.
રાહત્યસંગ્રહ ભાગ ૧ લાનું અવલોકન થયું, તેમાં જગતના જીવોના કલ્યાણમય થમ મુનિ મહારાજશ્રીએ લઈ જિજ્ઞાસુ જીવોના યોગક્ષેમાથે અમાપ ઉપકાર કરેલ છે. પુસ્તકની ચેજના અને સાધાર સમુચ્ચયની ગોઠવણશૈલી બહુજ સંભાળથી સારી કરી છે.
એકંદરે મહાનુભાવે મહા પુરૂષોએ નિર્દિષ્ટ કરેલે ઉત્તમ પથપ્રકાશ અને શુદ્ધ, સરલ, સાત્વિક, બોધમય મહા રત્નોને તે સંગ્રહ જીવોના કૃતાર્થે સુફલિત હે એવી આકાંક્ષા રાખું છું.
મતમતાંત અને પંથપરિક્રમણની આકર્ષિક ભાવના વગર સંર્વ હિવટું વ્રહ્મ નિણ નાનારિત શ્વિન એ મહા વાક્યની ઉચ્ચતર પણાના આદર્શરૂપ મુનિ મહારાજશ્રી શ્રમ ધન્યવાદરૂપ હો ટ્રમ્ | શિવમ્.
જગજીવન પ્રેમજી વકીલ, બ્રાહ્મણતિ,
ભેંસાણ-જેતપુર પાસે.