________________
અષ્ટમ
388
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ જે. એમ અરસપરસ મેણું મારે ત્યાં સાત પેઢીનું સંભારે,
ઈ ત્રાહિત વચ્ચે પડીવારે, પડે પરણ્યા પછી પણ બહુ વાંધા, આળસતાં આણુનાં કાંધાં, નાતના નઠારા બહુ બાંધા, વઢે તેડવા ને મૂકવા માટે, વળી કામ કર્યાને ઊચાટે, હા! કલેશ સંપ હજ સાટે, દીકરીવાળાં મરતાં દીકરી, બેઠા છે બંધ સંબંધ કરી, જાણે એણે મારી હેય ખરી, જે ભિતર ભાવ જોશો અતિશે, તે ઝેર હળાહળ માંહી હશે, અંતર ખોટાં શું સુખ થશે? રાખવી ઘટે રીતી એવી, જેથી અડચણ આવે ત્યાં કેવી? દુખ દૂર કરે વિદ્યાદેવી, એમાં થાતાં નથી બાળ સુખી, પણ જે નહિ ઉપાય મુખી, દેખી વલ્લભનું દીલ દુઃખી,
સુબેધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ. સારા સંસ્કારે હઠી જવાથી આવી હલકી સ્થિતિ પ્રાપ્ત થાય છે માટે મગજઉપર ઉત્તમ સંસ્કાર પડે તેવા વિચાર અને વ્યવહારને સ્થાન આપવાની જરૂર છે એમ બતાવી આ વરકન્યાના માતાપિતાને શિક્ષા (શિખામણ) એ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
–ધિદાર.
-
આ વર-કન્યાના માબાપને જેમ પરસ્પર કલેશ દૂર કરવા ઉપદેશની જરૂર છે છે, તેમજ પૂર્વકાળથી ચાલ્યા આવતા કઢંગા રીવાજો પણ દૂર કરવા ભલા. મણ કરવાની જરૂર લાગે છે. જેમકે કરજ કરીને અથવા ઘર વેચીને જ્ઞાતિવરા કરવા, કેઈ કહે છે કે અમારા ધર્મમાં સંસ્કૃત વ્યાકરણ ભણાય નહિ, કઈ કહે છે કે
* વહુ જે પિયર વગેરેને ત્યાંથી કાઇનું ઘડીયું અથવા વેલણ કે ઢીંચણી રંગાવીને . લાવે તો અમોને હરકત કરતા નથી પણ અમો જે તેવી વસ્તુ ઘરના ખર્ચથી રંગાવીએ તો અમારી કુળદેવી કેપે છે આ પણ અંધપરંપરા છે.