________________
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
A AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
પ %, દયાઅધિકાર.
૧૨૫ આર્યાવર્તના મનુષ્યને વારસામાં મળેલ છે તે કરતાં વિપરીત પાશ્ચાત્ય દેશીએની સ્થિતિ છે અને તેને લઈને જ ઘણા નિરાધાર દુઃખી મનુષ્ય તે દેશમાં દેખાય છે જેને લઈને મનુષ્યને સુખી કરવા તેમનું વલણ અને તેવી સંસ્થાઓ ત્યાં વધારે નજરે પડે છે. હવે દયાના પ્રકાર સમજીએ.
એક દુઃખી માણસને આજીવિકાને રસ્તે ચઢાવીએ એ શું દયા નથી ? માંદા માણસને માટે આરોગ્યભવને બાંધવામાં આવે એ શું દયા નથી? દવ્યસનમાં સપડાતા મનુષ્યને સુધારવા અને તેઓને સારે રસ્તે લગાડવા એ શું દયા નથી? એક માણસની કેઈ જાતની ભૂલ થઈ હોય તો જે કારણથી ભૂલ થઈ હોય તે કારણે સુધારી આપી તેને ભૂલ વિનાનો બનાવીએ એ શું દયા નથી? એક માણસ બીજા માણસ સાથે વેર બાંધીને બેઠા હોય તેઓનું સમાધાન કરી આપી મિત્ર બનાવીએ એ શું દયા નથી? દુનિયામાં નિંદની બીકથી જેઓ લજજાને વશ થઈ પોતાના પ્રાણને અકાળ ત્યાગ કરે છે તેવી નિંદાથી રહિત થવું એ શું દયા નથી? ખરી રીતે જે દયા મનુષ્યમાં ઉદ્દભવી હોય અને દયાનું સ્વરૂપ સમજાવ્યું હોય તે દુનિયામાં થતા ફ્લેશ, કંકાસ, કુસંપ, ખુન, લડાઇઓ અને બીજા એવાં દુકૃત્ય હયાતી ધરાવેજ નહિ; માટે અહિંસા પરમ ધર્મ એ સર્વોત્તમ સૂત્રનું રહસ્ય સમજાયું જ નથી તેને લઈને આપણે જગતમાં અવ્યવસ્થા જોઇએ છીએ.
અહિંસાને પરમ ધર્મનું એટલે સર્વોત્કૃષ્ટ ધર્મનું જે બીરૂદ આપવામાં આવ્યું છે તે સહેતુ, સત્ અને તે પણ પૂર્ણ સત્ છે એમ દરેકને સ્વીકારવું પડશે. કેમકે વિચારતાં સમજાય છે કે બીજા જુદા જુદા ધર્મોમાં ધર્મનાં જે. જે અનુષ્ઠાન બતાવવામાં આવ્યાં છે તે દરેક અહિંસા ધર્મને પ્રાપ્ત કરવાને માટે અને પ્રાપ્ત થયેલને સુરક્ષિતપણે રાખવાને માટે જ કર્તવ્યરૂપે ફરમાવવામાં આવેલ છે. એના આપણે કેટલાએક સર્વમાન્ય દાખલાઓ લઈએ. જેમકે દાન આપવું એ ધર્મ સર્વમાન્ય છે અને તે દાનશબ્દ દયાનુંજ પ્રતિપાદન કરે છે. પરોપકાર કરે એ કાર્ય પણ દયાનેજ પુષ્ટિ આપે છે. સત્ય બાલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, પરિગ્રહઉપરથી મમત્વ અથવા લેલુપ્તતા ત્યાગવી એ દરેક વ્રત–નિયમે દયાનેજ ખાતર નિર્માયેલા છે, અહિંસા પરમે ધર્મ એ વાક્યને વધારે ઉચ્ચ કેટીએ અર્થ કરીએ તો એમ પણ થઈ શ. કે છે કે પરમ ધર્મ એટલે (ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મ) આત્મધર્મને પ્રાપ્ત કરે હોય તે તે અહિંસાથી જ થાય છે. અત્યારસુધીમાં આપણે પરહિંસાના ત્યાગનુંજ સમર્થન કરેલું છે. જો કે અવાંતરે પરહિંસાના ત્યાગમાં સ્વદયા ઉપર ઉપરથી આવી જાય છે પણ વધારે સ્પષ્ટીકરણ કરવામાટે લખવું પડે છે કે આત્મહત્યા એટલે કે આત્માની અહિંસાને મેળવવી એજ ઉત્કૃષ્ટ ધર્મ છે. જ્યાં સુધી જીવને જન્મવું મરવું રહેલ છે ત્યાં સુધી જીવની દરેક ગતિમાં મરણતે હિંસા થાય છે, તે જીવે એવા શુદ્ધ સ્વરૂપમાં ઉપસ્થિત થવું જોઈએ કે કમ અથવા