________________
વ્યાખ્યાને સાહિત્યસંગ્રહ-ભાગ ૨, અિમિ
કૃતઘ. यत्र यो मुच्यते प्रायस्तत्र स्तेयं करोति सः। कथं न हरते वारि, वारिमध्यस्थिता घटी ॥ ७ ॥
सूक्तिमुक्तावली. જે મનુષ્ય જ્યાં મુકાય છે ઘણું કરીને તે પુરૂષ ત્યાંજ ચોરી કરે છે. શું પાણીના મધ્યમાં રહેલી ઘેડ પાણીની ચોરી કરતી નથી ? ૭.
અસત્યવાદી મહાદુઃખી.
ઉપનાતિ (૮–૧). सौहार्दविश्वासविनाशि वैरसन्तापपापक्षयदुर्गतीनाम् । स्थान तथा मूकनडखनिन्दापदं निदानं विपदामलीकम् ॥ ८॥
અસત્ય ભાષણ સ્નેહ તથા વિશ્વાસનો નાશ કરનારું છે, વેર, સંતાપ, પાપ, ક્ષય તથા દુર્ગતિનું સ્થાન છે. તેમ પુનર્જન્મમાં મુંગાપણું, જડપણું અને નિંદાને આપવાવાળું છે અને તમામ દુઃખોનું નિદાન છે. માટે સર્જન પુરૂષે સર્વથા અસત્ય ભાષણને ત્યાગ કરે. ૮.
અસત્ય વાક્યથી વસુ નામનો રાજા નરકમાં પડે છે. अलीकवाक्योद्भवपापपङ्कसम्भारसम्पूरितकाययष्टिः। अधः पपात प्रथितापकीर्तिर्वसुः क्षितीशः सह सप्तवंश्यैः॥९॥
- નરવર્મચરિત્ર. અસત્ય ભાષણથી ઉત્પન્ન થયેલ પાપરૂપી અંક (કાદવ) ના સંભારથી જેની કાયા પૂર્ણ થયેલ છે અને જેની અપકીત્તિ પૃથ્વમાં પ્રસિદ્ધ થયેલ છે એ વસુ નામને રાજા સાત વંશજ પુરૂષ સાથે નીચે પડે છે. અર્થાત નરકગામી થયેલ છે. ૯,
સમુદ્રનું પણ પાછું હઠવું.
एवं करोमीति कृतप्रतिज्ञो, यः स्वीकृतं नैव करोत्यसवः । यात्यस्य संस्पर्शजकश्मलानां, प्रक्षालनायाब्धिरपीह नालम् ॥ १० ॥
सूक्तिमुक्तावली.