________________
૧પ૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભ
સપ્તમ
થાય ત્યાં સુધી કરે તે માણસ અવશ્ય કપેલા ચિત્ર પ્રમાણે પિતાને કરી શકે છે.
આ પ્રમાણે પ્રયત્ન કરતાં વચ્ચે ઝાડ, ઝાંખરાં કે કાંટારૂપી દુર્ગુણ કે બીજા આડે આવનારા દેશોથી ન કંટાળતાં તેના ઉપર વિજય મેળવી તે. મનાથી દૂર રહી સંભાળથી પ્રયત્ન કરવો.
બીજાઓના દેષ કાઢનારાઓએ બીજાના દોષ કાઢતાં પહેલાં પિતાનામાં તે દેષ છે કે કેમ તેને પ્રથમ વિચાર કરે અને જે તે દોષ પોતાનામાં હેય તે તેનું પ્રથમથી નિકંદન કરી પછી બીજાને શીખામણ આપવી. ઘણું કરીને બીજાને શીખામણ આપનારામાંના ઘણામાં આવા દુર્ગુણો હોય છે કે તે પિતે એમ સમજે છે કે પોતેજ સર્વ ગુણાલંકૃત છે, પોતેજ સર્વ દેષથી મુક્ત છે અને તેવું માનીને જ પોતાના વિચારથીજ વિરૂદ્ધ વર્તન કરનારના દે કાઢે છે અને તેને શીખામણ દેવા મચી પડે છે. ઘણું રૂબરૂમાં શીખામણ આપે છે ત્યારે કેટલાક પરોક્ષપણે બીજાના દ્વારા શીખામણ આપે છે અને તેમને એક જાતને આ સ્વભાવજ પડી ગયે હોય છે કે જેને અને તેને શીખામણજ દેવી. આ પ્રમાણે શીખામણ દેનારામાંના ઘણે બીજાને સુધારવાને માટે શીખામણ દે છે એવું સમજીને શીખામણ દેતા નથી પણ પિતે તેના કરતાં કાંઈક વધારે જાણે છે, તેના કરતાં પોતે ડાહ્યા અને વિદ્વાન છે તેવું તે બીજા માણસ માને, બીજાના કરતાં પિતાને શ્રેષ્ઠ અને માટે માને, આટલા પુરતા તેઓ બીજાને શીખામણ આપવા પ્રયત્ન કર્યા કરે છે. પણ આ ભાવ તેની શીખામણ સાંભળનારા માણસ સમજી જાય છે તે વખતે તેનું વજન રહેતું નથી અને આખરે તે હલકો પડી જાય છે અને તેની શીખામણ ઉપર કઈ લક્ષ આપતું નથી. માટે દરેક માણસે પોતે બીજાને શીખામણ દેતા પહેલાં જે બાબતની બીજાને શીખામણ આપવા બેસે છે તેવા કેઈ દેષ કે દુર્ગુણ પિતાનામાં છે કે કેમ તેને તેણે પોતે પ્રથમ વિચાર કરવો જોઈએ અને જે કદાપિ પિતાનામાં તે દેષ કે દુર્ગુણ હોય છે તેનો ત્યાગ કર્યા પછી જ બીજાને શીખામણ દેવી કે જે સાંભળી સાંભળનાર માણસ તેનામાં તે દેષ ન હોવાને લીધે તેની શીખામણઉપર વજન રાખી કાંઈક ગ્રહણ કરે.
વાણીથી શીખામણ દેવાથી બીજાને મન ઉપર જે અસર કરી શકાય છે તેના કરતાં વર્તનથી શીખામણ દેવાથી બીજાના મનમાં સજજડ અસર કરી શકાય છે. માટે બીજાને શીખામણ દેવાની જેને ટેવ પડી હોય છે તેણે પ્રથમ પિતાના વર્તનથી જ બીજાને શીખામણ દેવાને પ્રયત્ન કરે કે જેથી તેના વતનનું ઘણું માણસ ગ્રહણ કરી શકશે. બીજાને સુધારવા ઈચ્છનારે પ્રથમ
તેજ સુધરવું કે તેના સુધરેલા વર્તનનું ઘણા માણસો અનુકરણ કરી શકશે. પોતાનામાં દોષ હોવા છતાં બીજાને તે દેષથી સુધારવા પ્રયત્ન કરવું એ મિયા હાસ્યાસ્પદ છે.