________________
પરિચ્છેદ.
સયમ-અધિકાર.
૮૧
કોઇ પ્રાણીની હિંસા ન કરવી, સત્ય ભાષણ કરવું, ચારી ન કરવી, પ્રહ્મચર્યનું પાલન કરવું, ઇન્દ્રિયાને નિયમમાં રાખવી, મદિરા, માંસ અને મધને ત્યાગ કરવા તથા રાત્રિવખતે લેાજન ન કરવું, ૧,
સંયમવૃક્ષનાં આ પુષ્પા કહેછે.
अहिंसा प्रथमं पुष्पं, पुष्पमिन्द्रियनिग्रहः । सर्वभूतदया पुष्पं, क्षमा पुष्पं विशेषतः || २ || ध्यानं पुष्पं तपः पुष्पं, ज्ञानं पुष्पं तु सप्तमम् | सत्यमेवाष्टमं पुष्पं, तेन तुष्यन्ति देवताः ॥ ३ ॥ एते कस्यापि .
અહિંસા પ્રથમ પુષ્પ છે, ઇન્દ્રિયાના નિગ્રહ એ બીજું પુષ્પ છે, સવ ભૂતપ્રાણીઉપર દયા રાખવી એ ત્રીજી પુષ્પ છે, ક્ષમા રાખવી તે ચાથું પુષ્પ છે, ઇષ્ટદેવનું ધ્યાન એ પાંચમું પુષ્પ છે, તપ એ છઠ્ઠ પુષ્પ છે, જ્ઞાન સાતમું પુષ્પ છે અને સત્ય એ આઠમુ પુષ્પ છે. તે પુષ્પસમૂહના અણુથી દેવતા પ્રસન્ન થાયછે. ૨, ૩.
દશ પ્રકારના યમા.
आनृशंस्यं क्षमा सत्यमहिंसा दम आर्जवम् ।
प्रीतिः प्रसादो माधुर्य, मार्दवं च यमा दश ॥ ४ ॥
નિર્દયપણું ન રાખવું, ક્ષમા રાખવી, સત્ય ભાષણ કરવું, કાઇ પણુ પ્રાણીની હિંસા ન કરવી, ઇન્દ્રિયાને નિયમમાં રાખવી, સરલતા રાખવી, ઇષ્ટદેવઉપર પ્રેમ રાખવા, મન પ્રસન્ન રાખવું, મધુરતા અને મૃદુપણું (માનરહિતપણું) આમ દેશ પ્રકારના યમ છે. ૪.
મેાક્ષના ચાર પ્રતિહાર.
मोक्षद्वारप्रतीहाराश्चत्वारः परिकीर्त्तिताः ।
शमो विवेकः सन्तोषचतुर्थः साधुसङ्गमः ॥ ५ ॥
મેાક્ષના દરવાજાના ચાર પ્રતીહારા કહેલા છે તે કયા ? શમ (મનેનિગ્રહ), વિવેક, સતેાષ અને સાધુપુછ્યાને સમાગમ, એટલે આ ચાર દરવાના મેાક્ષદ્વારને ખાલી આપેછે. પ.
૧૧