Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ નાનાષ્ટક ભાવના કરવી તે બસ છે, બાકીના વાણીના વિસ્તાર રૂપ ઘણા જ્ઞાનને શે આગ્રહ છે? ઘણું બકવાદ કરવા રૂપ જ્ઞાનનું શું પ્રયોજન છે? ભાવના જ્ઞાન ડું હોય તે પણ અમૃત સમાન છે અને તે અનાદિ કાળના કમરેગને દૂર કરવાને સમર્થ છે. स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिष्यते। ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् तथा चोक्तं महात्मना // 3 // આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કાર-વાસનાનું કારણભત જ્ઞાન ઇચ્છીએ છીએ; એટલે થોડા ઘણુ વીતરાગ વચનથી વિચારણા થતાં વીતરાગનું સ્મરણ થવાથી આત્મામાં તરૂપતાનું કારણ જ્ઞાન ઇચ્છવા યોગ્ય છે. એ સિવાય બીજું જે અધિક ભણવું તે બુદ્ધિનું અધપણું છે. તેજ પ્રમાણે મહાત્માએ (પતંજલિ ત્રાષિએ કહ્યું છે. અહીં પતંજલિ ષિને પ્રથમ ગની દૃષ્ટિથી મહાત્મા કહેલ છે. જ્ઞાનાદિ અનન્તગુણ-પર્યાય રૂપ આત્મસ્વભાવની પ્રાપ્તિનો સંસ્કાર-વાસનાના પ્રગટ થવાથી તેનું સ્મરણહમેશાં તેના ઉપગ રૂપ જ્ઞાન તે અહીં ઈચ્છવા યેગ્ય છે, કારણકે તેથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે. તે સિવાયનું બીજું બધું વાણુના વિલાસરૂપ, સ્વ૧ માવજીમલંબિંક સ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણ સાનં=જ્ઞાન. દૃષ્ય ઈચ્છાય છે. મતઃ=એથી. તુ=વળી. અન્ય બી. માત્રે માત્ર બુદ્ધિનું આંધળાપણું તથા તે પ્રમાણે. મહાત્મના= મહાપુરુષે કહ્યું છે.