Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 258] દેશના દેશનાતારા જીવનનાં ચાર થાંભલા. તે ભુખરું માટીના થાંભલા છે. આપોઆપ ખરવા જ માંડે. તેને ખેરવવાને ઉપાય ન કરે પડે. જેને તું “હું” શબ્દથી ગણે છે, તારા જીવનને ચલાવે છે, જેની ઉપર તારે આખો ભવ વેડફે છે, તેને હું કહીને સમજવામાં કેટલી ભૂલ કરે છે? ખરેખર “હ” શબ્દથી જીવ અર્થ લેવાને છે. જન્મીને તેને ચેતન–પ્રાણી-જન્તુ આ બધાં શબ્દો કહે, છતાં તેમાં દ્રષ્ટિ આગળ નહીં ચાલી શકે. જન્મી એક જન્મવાળો જડ જીવન ધારણ કરે તે પ્રાણ. જવ અને આત્માને એક ગણુએ છીએ ત્યારે જીવ અને આત્મા જુદી વસ્તુ છે. જીવમાં માત્ર જીવનને સ્વભાવ, તેથી બીજાઓએ જીવાત્મા ને પરમાત્મા એમ બે ભાગ પાડયા. જેઓ જીવાત્મા તેઓ જ પરમાત્મા છે. તે જ જીવાત્મા છે. તેટલા માટે તેને વિ શબ્દ લગાડવાની જરૂર નથી. આત્મા શબ્દ ખરે છે. કેઈ શાસ્ત્રની અપેક્ષાએ એક અર્થવાચક છે. વ્યુત્પત્તિની અપેક્ષાએ વિચારીએ તે જન્મ શબ્દ જન્મમાં–પ્રાણધારણમાં બીજા અર્થો રહેશે. આત્મા શબ્દથી આખી દશા દેખાડી. તે એક શબ્દ તેમાં નથી. તે માટે આત્મા શબ્દ કહ્યો. આત્માની વ્યાખ્યા આત્મા હંમેશાં અતીત અનંત કાળ ગયે, અનાગતકાળ અનંતે આવશે. વર્તમાનકાળ પ્રત્યક્ષ છે. ત્રણે કાળમાં જે પરિવર્તન સ્વભાવવાળે છે. પરિવર્તન પણ વગરને કેઈ કાળ નથી. નિગોદ કે નરક, તિર્યંચ, મનુષ્ય દેવમાં હોય તે પણ પરિવર્તન. દુનિયામાં પરિવર્તન બધે છે. પણ સિદ્ધ પરમાત્મા એ તે સંસાર બહાર છે ને ત્યાં આત્મા છે કે નહિ? જે સૂમ એકેન્દ્રિય યાવત્ વનસ્પતિ, કીડી, પશુ, દેવતા, મનુષ્યમાં