Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સગ્રહ, ઓગણચાલીસમી [ 365 રખડપટ્ટી કરી રહ્યો છે. કદાચ કઈ કહેશે કે-“અમને આ ભવનું પૂરું ભાન નથી. અમે સર્વ જાણીએ છીએ કે અમે જમ્યા, દૂધ પીધું, ધૂળમાં આળોટ્યા, પણ જન્મની અવસ્થાને અમને ખ્યાલ નથી. પિતે કઈ જગ્યા પર જન્મે? કઈ દાયણ હાજર હતી? તે ખ્યાલ હેતું નથી. તેવી રીતે માતાનું દૂધ પીધું છે તે ચોક્કસ છે, પણ તેને ખ્યાલ હેતું નથી. અર્થાત જમ્યાં પછીની અવસ્થાને ખ્યાલ આવતો નથી. આ જન્મને કે આ ભવને પૂરો ખ્યાલ નથી. માતાના ગર્ભમાં આવ્યો ત્યારથી ભવ ગણાય. માતાના ગર્ભમાં અંધારી–દુર્ગધી કેટડીમાં રહ્યો છે, તેમને કશે ખ્યાલ નથી. નાક કે બે એક મીનીટ બંધ કરે તે શું થાય? તે પછી ત્યાં ગર્ભમાં કેવી રીતે રહ્યો હઈશ? પરંતુ આ જીવને આ ભવને ખ્યાલ નથી. જન્મનું પણ ભાન નથી. તેવા જીવની આગળ અનાદિની વાત કશે કે-અનાદિથી આ જીવ રખડે છે. ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું થાય. ભેંશને કંઈપણું લેકને બંધ થાય નહીં. અમે આ જન્મને પણ ખ્યાલ કરી શક્તા નથી. તેવા પાસે “અનાદિથી રખડપટ્ટી કરતું આવ્યું છે. એમ વાત કરે છે, તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું થાય. વાત ખરીઆ ભવનું ભાન નથી, તેવા પાસે અનાદિની વાતે કરવી તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું થાય; પરંતુ વિચારશક્તિથી મુશ્કેલ કેયડાને પણ ખેલી શકાય છે. આપણું હાથમાં બાજરી કે ઘઉને દાણે હોય તે ફલાણું જગ્યા પરથી લીધે તેનું ભાન છે, પણ તે દાણે ક્યા ખેતરમાં ઊો? કેણે વા? કેણે લશ્કે? તેનું ભાન નથી, છતાં ઉત્પત્તિ શક્તિને વિચાર કરીએ તે ઉત્પત્તિ શક્તિ તેમાં