Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 368] પિતાના શુદ્ધ સ્વરૂપમાં આવે તેનું નામ જ એ સાર પદાર્થ ગમે છે તે દરેકને, પણ ગમ્યા માત્રથી જ સારા પદાર્થની સિદ્ધિ થતી નથી. “આત્માનું શુદ્ધ ચિદાનંદ વરૂપે પ્રગટ થાય તેવા મેલને હું મળવું” એવી જેની ઈચ્છા થાય તેને જ શાળા કાર ભવ્યની છાપ આપે છે. ભવ્ય એટલે મોક્ષ માટે લાયક મોક્ષ માટે લાયક નહીં તે અભવ્ય. આત્માનું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ જે માને, મેળવવાને ઈ છે-મેળવવા મથે તે ભવ્ય. તેનું નામ લાયક કયા જાને લાયક ગણવામાં આવ્યા છે? ભવ્ય ગણ વામાં આવ્યા છે? જેઓ આત્માના શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપને માનવાવાળા થાય તેઓને તે માનવાવાળે ન થાય ત્યાં સુધી તેને લાયક કહેતા નથી. ભવ્યની નિશાની એ કે–ભૂત, વર્તમાન કે ભવિષ્ય કાળમાં આત્માના શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપે મન- વાવાળા થાય. તેવા જાને ઉપદેશધર્મને લાયક માને છે. તેવા ભજ્ય જીવે મોક્ષની માન્યતાવાળા થયા, પરંતુ ઈચછા માત્ર કાર્ય કરનારી ચીજ નથી. કાર્ય કરનારી ચીજ બીજી જ છે. સર્વને ધનવાન થવાની ઈચ્છા હોય છે, પણ સર્વ ઈચ્છા માત્રથી ધનવાન થઈ જતા નથી. “ર હિ થા” કારણે મળી ગયાં, તે કાર્ય આપોઆપ સિદ્ધ થવાનું. કારણે ન મળે તે કાર્ય ન થાય. શુદ્ધ ચિદાનંદસ્વરૂપ થવું, તેનાં કારણે કયા? જે જે આરિતક મતવાળા છે, તે તમામ મેલને રસ્તો બતાવે છે તેમાં કેટલાક જ્ઞાન માત્રને, કેટલાક ક્રિયા માત્રને, કેટલાક શ્રદ્ધા માત્રને, કેટલાક શ્રદ્ધા, જ્ઞાન અને વર્તનને મેક્ષને રસ્તે બતાવે. કઈ પણ કાર્ય કરતી વખતે ત્રણ વસ્તુ ઉપર ધ્યાન રાખવું પડે. પ્રથમ કાર્ય કરવાને નિશ્ચય. મારું આ જ ર્તવ્ય, આમ નિશ્ચય કરે તે જ કાર્ય સાધી શકે. નહીંતર મુસાફર જેવી દશા થાય.