Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 280] શતબુદ્ધિ ક્યાં છે? આ બુદ્ધિ ન હોય તે ધારણા કયાંથી રહે સિદ્ધિ અને બુદ્ધિની માગણું. કલ્પવૃક્ષ કે દેવતા આગળ ધારણ કરવામાં ભૂલ થાય તે ફળ મેળવવામાં મુશ્કેલી થાય. સુંદર ફળ મેળવવા માટે મુશ્કેલીઓ પડે. કામ પડે તે અવળું પણ થાય. સિદ્ધિ ને રિદ્ધિ એ બે બાઈઓ છે. પરસ્પર ઈર્ષાબર છે. એક બાઈએ દેવતાનું આરાધન કર્યું. 500 મહાર મેળવી. બીજીને થયું કે-હું પણ મેળવું. બીજીએ પણ દેવને આરાધ્ય. અષ્ટમાન થયે. માગ. તેના કરતાં બમણું આપ. દેવતાએ કહ્યું–આપીશ. 1000 નૈયા મળ્યા. પહેલીએ ફેર આરાધ્યું, અને તે કરતાં બમણું માગ્યું. તે દેવે તે કરતાં બમણું આપ્યું. 2000 મહેર મળી. હવે પહેલીએ ઈર્ષ્યાથી બીજીની બે આંખ ફડાવવા માટે પોતાની એક આંખ ફેડવાની માંગી. પિતે ફડાવી ઘરમાં ગૂપચૂપ ભરાઈ રહી. અપૂર્વ માંગ્યું જણાય છે. હવે દેખાતી પણ નથી. બીજીએ માંગ્યું એના કરતાં બમણું શું? બે આંખે ફેડવાનું માગ્યું અને મળ્યું ! એટલે કે–બંને આખે આંધળી થઈ. ધારણાની અયોગ્યતા હોવાથી દેવતાને આરાધવા છતાં કઈ દશા થઈ ? દરેક ધર્મવાળા દેવાધિદેવની સેવા, પૂજા, આરાધના કરે છે, પણ ધારણાનું ઠેકાણું નથી. જેનેએ આત્માનું સ્વરૂપ માની વળગેલા કર્મો માની, તેને ક્ષય કરી નાખવાનું માન્યું છે, તે ધારણ બીજાને ક્યાંથી હોય? કઈ દર્શ નમાં જ્ઞાન-દર્શન-સદવર્તન રેકનારું કર્મ સાંભળ્યું? જ્યાં આત્માના ગુણની વાત ન હોય, જ્યાં તે કમેને ભેદવાની વાત ન હોય ત્યાં આત્મા ધારણ શાની કરે? બીજા દર્શન