Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ છત્રીસમી [ 337 દેશના 36 છે 2000 પોષ વદી 12 શનિવાર, યાકુબપુરા-વડેદરા સ્વાભાવિક સુખ સિવાય દુનિયાનું સુખ સ્થાને હાડકાં ચાટવા જેવું છે. શાસ્ત્રકાર મહારાજ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કેતું શું પામ્યું છે? તે તે જે. નાના મેટા ભાઈઓ વિગેરે પાસે શું શું મિલકત છે? તે તું જુએ. પૈસા માટે આટલું લક્ષ રહે છે, તે પુણ્યથી મળેલ વસ્તુનું લક્ષ્ય કેમ નથી રહેતું? મનુષ્યપણું દુનિયાની કોઈ પણ બીજી ચીજથી : મળી શકતું નથી. એકેન્દ્રિય આદિ તમામ છ કરતાં વધારે પુણ્ય આપણુ પાસે એકઠું થાય ત્યારે જ આપણે મનુષ્ય થઈ શકીએ. બીજાજી, મનુષ્ય ન થયા અને આપણે મનુષ્ય કેમ થયા? આપણુમાં અધિક પૂણ્યાઈ હતી ત્યારે જ મનુષ્ય થયા છીએ. કેટલીક વખત ગાદી ઉપર આવેલાને રાજ્ય કેમ મેળવાય છે, તેની મુશ્કેલી માલુમ ન પડે. બાપ દાદાની ગાદી ઉપર આવેલાને રાજ્યપ્રાપ્તિની મુશ્કેલીની ખબર પડતી નથી. આપણે સમજણું થયા, તે પહેલાં મનુષ્યપણું મળી ગયું, એટલે મનુષ્યપણાની મુશ્કેલી આપણને માલૂમ પડતી નથી. ખાવાનું ન મળે તે ખાજાને ભૂકે ખાય પણ ભૂપે શું કરવા રહે? અરે બીરબલ! એ દુબળા, દુબળા કેમ છે? ભીખારી દુબળે કેમ? બીરબલે કહ્યું–જહાંપનાહ! એને ખાવાનું મળતું