Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ અઠ્યાવીસમી પાસે બધી સ્ત્રીઓને ખડી રાખવી. ભંડારને ઢગલે કર. જેટલા વૈદ્ય હકીમો હોય તેટલાને ત્યાં ખડા કરવા. બડે બડે હકીમે હૈ ઉનેને નનામી ઉડાની. સબ લશ્કર કે ઉધર ખડા રખના.” પાદશાહને હુકમ તેમાં “કેમ?” કહેવાને વખત ન હોય. રાજ સંક્રાન્તિ વખતે રાણુઓ બહાર હોય તે લાવી લાવીને અહીં રાખવી પડે. છૂટા ભંડારને સીલ મારવા પડે. લશ્કરને સીમાડા પર રાખવાને વખત છે. તેમ અહીં સીકંદરને સંક્રાંતિ વખત હોવાથી હકીમ વૈદ્યો પશ્ચાત્તાપમાં હોય, પ્રધાને દિવાને, રાણીઓ વગેરે નિરાશ થયા હોય તે વખતે પાદશાહને આ અવાજ કેઈ સમજી શકતું નથી. સીકંદર કહે છે કે–દીવાનજી, શું વિચારે છે? મેરા કહેનેકા તવ ખ્યાલમેં નહીં આયા? હું દુનિયાને એ બતાવવા માગું છું કેકઈ એવું ગુમાન રાખતા હો, કે-હકીમ દાક્તરેથી જીવી શકશું તે તે ખોટું છે. આટલા વૈદ્યો હોવા છતાં જુઓને મને જ મૃત્યુના મુખમાંથી બચાવવા કેઈ તાકાતદાર નથી. કઈ સ્ત્રીઓ પણ બચાવી શકતી નથી. આ ભંડાર પણ બચાવવા તૈયાર નથી ધનથી પણ બચી શકાતું નથી. જનાને અને ખજાને એક ક્ષણની પણ જિંદગી આપી શક્તા નથી. આખું લક્ષ્ય તે પણ તાકાતદાર નથી. દુનિયાને મારે એ જ બતાવવું છે કે-કોઈ પણ અભિમાન ન કરે કે–હુ સારી સ્ત્રી, પુષ્કળ ધન, અખૂટ બળ અને અગણિત લશ્કરવાળે છું. બધાને તે બધું નશીબથી પ્રાપ્ત થાય છે. બધું માત્ર દેખવાનું છે. તેમાંનું કે સ્વનું કાર્યસાધક નથી.” - હવે વિચારે કે "" શબ્દથી શરીર, કુટુમ્બ, ધન, સ્ત્રીઓ લેવા માંગીએ તે શું થાય? તેમાંના એકેયની શાખા પર