Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 160 ત્યષ્ટક તૃપ્તિ થાય છે, તે તીખા, ખાટા, મધુર, તુરા, ખારા અને કડવા રસના ભેજનથી જિહવેન્દ્રિયદ્વારા થતી નથી. કારણ કે જીભ વડે પૌગલિક રસને અનુભવ થાય છે. આત્મા સ્વરૂપને અનુભવી અને પુદ્ગલના ગુણોને જાણનાર છે, પણ તેને ભક્તા નથી. પુદ્ગલના ગુણે ભેગવવા ગ્ય નથી જ. મેહના ઉદયથી અને આહાર સંજ્ઞાથી રસનું આ સ્વાદન થાય છે, પણ વરૂપથી થતું નથી. સ્વરૂપ તે જ્ઞાનના અનુભવરૂપ છે. માટે આત્મગુણના અનુભવથી તૃપ્તિ થાય છે, પણ પુગલગુણના અનુભવથી થતી નથી. संसारे स्वप्नवन्मिथ्या तृप्तिः स्यादाभिमानिकी / तथ्या तु भ्रान्तिशून्यस्य साऽऽत्मवीर्यविपाककृत् // 4 // જેમ સ્થાનમાં મોદક ખાધા, દીઠા તેથી તૃપ્તિ ન થાય, તેમ સંસારમાં અભિમાનસિદ્ધ-માની લીધેલી જુઠી તૃપ્તિ થાય છે. સાચી તૃપ્તિ તે મિથ્યાજ્ઞાન રહિત સમ્યગ્દષ્ટિને હોય છે. તે તતિ આત્માના વીર્યના પરિપાક-પુષ્ટિ કરનારી હોય છે. તૃપ્તિનું લક્ષણ વીર્યની પુષ્ટિ છે. દ્રવ્યથી ચારગતિરૂપ અને ભાવથી મિથ્યાત્વાદિ વિભાવરૂપ સંસારમાં મિથ્યા અભિમાનથી ઉત્પન્ન થયેલી એટલે પુદ્ગલાદિની પ્રાપ્તિમાં માન્યતારૂપ તૃપ્તિ હોય છે. તે સ્વખની પેઠે મિથ્યા-અસત્ય કલપનારૂપ છે. કારણ કે અજ્ઞાની 1 વનવનની પડે. સંસારે સંસારમાં. ગામમાનિરી=અભિભાન–માન્યતાથી થએલી. નૃત:=નૃમિ. ચાય છે. (પણ) તથ્થા તુસાચી તૃપ્તિ છે. ત્રાનિસ્ય મિથ્યા જ્ઞાન રહિતને હોય છે. જાતે. આત્મવીર્યવ7=આત્માના વીર્યને પુષ્ટિ કરનાર છે.