Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 275 રેખાઓ વડે મિત્રતા-ચિત્રવિચિત્રતા ભાસે છે, તેમ શુદ્ધભાને વિષે કામક્રોધાદિ વિકાર વડે અવિવેકથી વિકારરૂપ વિચિત્રતા ભાસે છે, પરંતુ શુદ્ધાત્મા નિર્વિકાર છે, જેમ શુદ્ધ આકાશમાં દષ્ટિને વિષે જાતિ ઉત્પન કરનાર તિમિરરોગ થવાથી લીલી, પીળી વગેરે રેખાએથી મિશ્રપણું–કાબરચિત્રાપણું દેખાય છે, તેમ આત્મામાં અસ ઉપયાગરૂપ અવિવેકથી રાગાદિ અશુદ્ધ અધ્યવસાયરૂપ વિકારે વડે મિશ્રપણું–એક્તા જણાય છે. એટલે આત્મા અનાદિ વિકારેની વિકિયાના પરિણામવાળો ભાસે છે. તાત્પર્ય એ છે કે નિશ્ચય નયથી નિર્વિકાર, અખંડ અને ચૈતન્યરૂપ આત્મા છે, તેપણું પરભાવની સાથે તન્મયતા થવાથી વિકારયુક્ત ભાસે છે. જે આત્મા પરભાવને કર્તા નથી, તે પર ઉપાધિથી થયેલ વિકાર વડે તે વિકારી કેમ કહેવાય ? એ પ્રશ્નને ઉત્તર આપે છે– यथा योधैः कृतं युद्धं स्वामिन्येवोपचर्यते। शुद्धात्मन्यविवेकेन कर्मस्कन्धोर्जितं तथा // 4 // જેમ સુભાએ કરેલા યુદ્ધ સ્વામીને વિષે જ ઉપચાર કરાય છે, સેવકને જય અને પરાજય ઉપચારથી સ્વામીને જય-પરાજય કહેવામાં આવે છે, તેમ અવિવેકે કરેલા કર્મપુદગલાને પુયાપુણ્ય ફલરૂપ વિલાસ શુદ્ધ 1 ચગા=જેમ શોધે =હાએાએ. કૃતં કરેલું યુદ્ધ યુદ્ધ. સ્થાનિક સ્વામી–રાજા વગેરેમાં. =જ. ઉપરી આપાય છે. તથા તેમ. વિવે=અવિવેક વડે. ધોતિં કર્મસ્કન્ધનું પુણ્યપાપરૂપ ફળ. ગુલાત્મનિઃશુદ્ધ આત્મામાં ( આરોપાય છે).