Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સાનસાર થાય તે સિદ્ધિ કહેવાય. ઈચ્છા-સાધકભાવની અભિલાષા એટલે જેનામાં પાંચ યોગ હોય એવા શ્રમણોની કથાઓમાં, તેઓના ગુણની સ્તુતિ વગેરેમાં પ્રીતિ થવી તે ઈચ્છા ગ. સમ્યગ્દર્શનાદિ ગુણની વૃદ્ધિના કારણભૂત ક્રિયાયોગ અને કૃતાભ્યાસાદિરૂપ જ્ઞાનયોગનું ઉત્કૃષ્ટ પાલન કરવું તે પ્રવૃત્તિયોગ. પૂજ્ય હરિભદ્રાચાર્યે કહ્યું છે કે - "तज्जुत्तकहापीईइ संगया विपरिणामिणी इच्छा। સત્રશુરાણા તપઝિનમો ઉવ 3" | योगविंशिका गा० 5. સ્થાનાદિયોગવાળા મુનિઓની કથામાં અર્થબંધની ઈરછાથી ઉત્પન્ન થયેલ હર્ષ સહિત અને વિધિપૂર્વક અનુષ્ઠાન કરનારા પ્રતિ બહુમાનાદિ ગર્ભિત પોતાના વલ્લાસથી કંઈક અભ્યાસરૂપ વિચિત્ર પરિણામયુક્ત ઈચ્છાયોગ કહેવાય છે. અહીં દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીના અભાવે શાસવિહિત સ્થાનાદિ ગની ઈચ્છાથી યથાશક્તિ સ્થાનાદિયોગનું આચરણ ઈચ્છાયોગરૂપ છે. સર્વ અવસ્થામાં ઉપશમપૂર્વક સ્થાનાદિ યોગનું પાલન કરવું તે પ્રવૃત્તિ યોગ છે. અહીં અધિક વીય હેવાથી સામગ્રીની પરિપૂર્ણતાને લીધે શાસ્ત્રવિહિત સ્થાનાદિયોગનું પાલન કરે છે માટે તે પ્રવૃત્તિ યોગરૂપ છે.” એ પ્રમાણે ઈચ્છા અને પ્રવૃત્તિ એ બને યોગ બાહ્ય હોવાથી અને ક્રિયાપ્રધાન હોવાથી સાધ્યનું અવલંબન કરનારને કારણરૂપ છે અને તે સિવાયના બીજા જેને