Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ "ણ સંગ્રહ. સાતમી [65 આત્માની ચીજ ? ત્યારે આત્માની ચીજ કઈ? તે જ સમકિત. વેદનીય કર્મ, નામ, ગેત્ર, આયુ, મન, વચન, કાયા ચાલ્યા જાય તે પણ જેમાં ન્યૂનતા ન આવે, તે જ તમારી ચીજ, તે વસ્તુને ઓળખે, તે તમારી ચીજને ઓળખે. જીવાદિ તત્વની શ્રદ્ધા તે સમકિત. જડની જકડામણ. ખરી રીતે જડ ચેતન બે તત્વ હેવાં હતાં. નવને સાત તત્વે શા માટે ક્યાં ? જડ અને ચેતન એજ ત છે, પછી સાત ને નવ તત્ત્વ શા માટે? સાત ચીજો જુદી બતાવે તે ખરા! પુણ્ય ને પાપ જીવ અજીવથી જુદા બતાવો! તેમજ બંધ ને નિર્જરા, આશ્રવ ને સંવર, મેક્ષ ને જીવ આ બધા જીવથી જુદા તે બતાવે ? પછી તેને સાત કે નવ તરીકેની જુદાઈ કઈ રીતે કહે છે ? જીવ અને અજીવ બેમાં જ તે સાત કે નવ તત્ત્વ છે. પછી નવ તત્વ શા માટે કા? જીવ અજીવનું જ્ઞાન શા માટે કરાવવું ? સૂર્ય છે એમ બેલે તે બેલે કે ન બેલે તેથી છે જ, બોલવાથી સૂર્ય નથી થયે, ન બેલે તે ભાગી જવાનું નથી. તેમ જીવ છે એ સર્વકાળ માટે જીવ છે. જીવ કહે યા તે ન કહે. ન માને તે પણ તે જીવ છે તે જીવ છે જ. જેમાં તમારા કહેવાથી કઈપણ ફરક પડતો નથી, જે વિધાનમાં કઈ બીજું કે નવું કસ્થાની, એકવાની; કે પલટાવવાની તાકાત હોય તેવાં જ વિધાન કરાય. અહીં તમે જીવ તરીકે કહે અને અમે તેમ માનીએ; પરંતુ તેથી તમારા જ્ઞાનના પ્રભાવે નથી જીવપણું આવવાનું, નથી અજીવપણું થવાનું, તે શા માટે તે કહેવા જોઈએ? જીવમાં જીવપણું સર્વકાળ માટે છે. અજી પણું પણ સર્વકાળ માટે છે. પછી તેને સાત અને નવ તરીકે