Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 142] દેશના દેશના'................ મસ્ત, તેમ અજ્ઞાની-મૂખે મનુષ્યો અજ્ઞાનમાં જ મત. તેને 3 જ્ઞાનની દરકાર નહીં. પરંતુ “ફાની નિમતિ =જ્ઞાની જ્ઞાનમાં નિમગ્ન હોય છે. સમજવાવાળા જાતિવાન જાનવર વિષ્ટામાં મુખ નહીં ઘાલે. વિવેક દરેકને છે. ઇન્દ્રિયોના વિષય સંબંધી વિવેક તેના પ્રમાણમાં પંખી, ઢોરઢાંખરનેય હોય છે. ઢેર તરસ્યા થયા છતાં મુતરની કુંવમાં મેં નહી ઘાલે, પાણીમાં મેં ઘાલશે. તમાકુના ખેતરને વાડ કેમ નથી કરવી પડતી ? જાનવરમાં એ વિવેક છે કે-આ ખાવા લાયક નથી. એ રીતે પર્શ-સ–ગંધ-રૂપ–શબ્દ માટે આ બધાને અંગે જાનવરોમાં પણ વિવેક છે, ત્યારે મનુષ્યપણામાં શું અધિક ? એ કે- મનુષ્ય, પુણ્ય પાપને વિવેક કરી શકે. સામાન્ય વિષયના સત્ અસાણાનાં વિવેકમાંજ મનુષ્યપણું નથી. સામાન્ય વિષયનું સત્—આસપણું તે જાનવર પણ કરી શકે છે, તે પણ વિષયને વિભાગ–વિવેક કરી શકે છે, મનુષ્યપણા સંબંધી વિવેક તે કયું કરવાથી પુણ્ય અને કયું કરવાથી પાપ બંધાય તે સમજી પાપ બંધ કરવું અને પુણ્ય આદરવું તે છે. તે વિવેક મનુષ્યમાં જ હોય. એ જે વિવેક તે આવે ક્યાંથી? પરંપરાથી આવતું નથી. શારીરિક સ્થિતિને અંગે બાપના માના ગે છોકરાને પરંપરાથી આવે, પરંતુ બાપ કે માની બુદ્ધિ છોકરામાં આવે છે? બુદ્ધિ પરંપરાથી આવનારી ચીજ નથી. શરીરને વાન, રેગે પરંપરાથી આવે છે, બુદ્ધિ પર પરાથી આવતી નથી. મૂખને છોકરા વિદ્વાને હોય છે. વિદ્વાન નેના છોકરા મૂખ પણ હોય છે. અક્કલ, વંશઉતાર આવનારી ચીજ નથી. તેવી રીતે વિવેક, વંશઉતાર ન આવે. તે