Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 150] દેશના દેશના ધ્યેય એ નહીં. ધ્યેય કયું ? મેક્ષ સિદ્ધ કરવાનું. જે જ્ઞાન દર્શન ચારિત્ર જોઈએ, જ્ઞાનની પરાકાષ્ઠા ન થઈ હૈય, દર્શનની, ચારિખ ત્રની પરાકાષ્ઠા ન થઈ હોય ત્યાં સુધી જીવને મેક્ષ મળી શકો નથી. પરાકાષ્ઠાએ પહોંચવા માટે-સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રની પરાકાષ્ઠાએ પહોંચવા માટે સાધુને જીવનની જરૂર. તેને અંગે તેને શરીર ધારણ પિષણ રક્ષણ કરવાનું છે. આમાં શરીર ખરેખર મેક્ષનું કારણ નથી. મેક્ષનું કારણ હોય તે સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રની ઊંચી દશા છે. તે વગર મેક્ષ મળી શકે જ નહીં. જીવન ધારણ કરી એ તરફ વળીએ ત્યારે મેક્ષ મળે. સારોમાદ સુ ધર્મસાધનં તેનું કારણ સાધુનું શરીર, માટે શરીરનું ધારણ. તમે જે શબ્દ જાણે બેલ છે, માત્ર દુરુપયેગ કરે છે. " માઘ ધર્મવાઘર” એનો અર્થ તમે યે લીધે? તમે એનો અર્થ શરીરનાં રક્ષણનાં ધ્યેયમાં લીધે ! પછી શરીર ધ્યેય રાખી અધમ થાય, રાત્રીભાજન થાય. કંદમૂળ ખાય, અયોગ્ય પદાર્થો ખાવા પડે તે વખતે “શરીર પદ્ય ખલુ ધર્મસાધન. તમારા નિયમેને અંગે તે વાક્યથી વૈદ્ય આદિ ભરમાવે. જે વસ્તુ તમે કરવા ન માગતા હો, પણ વૈદ્ય કરવા માગતા હોય ત્યારે ત્યારે આ વાક્ય પિકારે છે. જેઓ. શરીરની શેહમાં શરમાઈ ગયા છે, તેઓ “શરીરમાદ્ય બલ ધર્મસાધન” વાક્યને તે દુષ્પગ કરે, વિચાર કરે તે માલમ પડે કે શરીર શાના માટે? શરીર, શરીર માટે નહિ, પણ ધર્મનાં સાધના માટે ધર્મનું સાધન થાય ત્યાં સુધી જ શરીરનું ધારણ. ધર્મને બાધ થાય તે શરીર વસાવવાનું. શરીર ધર્મને જ કરનારું. ધર્મમાં જ ઉપયેગી. આ વાત દષ્ટાંતદ્વારા નક્કી કરી છે.