Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ ચૌદમી [113 કારને એ હેવું પડ્યું કે નાના મવેર કાર્ય કારણ વગર કાર્ય થઈ શકતું નથી. એ વાત દરેકને માનવી પડે છે, તે સાથે બીજી વાત માનવાની જરૂર છે. “નાથાવાળા' માટી કારણ પણ લુગડું બનાવવું હોય તો માટીથી ન બનાવી શકાય. ઘડે બનાવ હેય ને તાંતણાનું ફીંડલું ઉપાડે તે શું વળે? તાંતણું વસ્ત્રનું કારણ, નહીં કે ઘડાનું અન્યનું કારણ તે કારણ ન ગણાય. જે વસ્તુની ચાહના કરી હોય તે જ વસ્તુનાં કારણે મેળવવા જોઈએ. દરેક જણ ધર્મને કીંમતી ગણે છે, પણ ધર્મનાં કારણે ક્યા? કે-જેને પ્રાપ્ત કરવાથી ધર્મની સિદ્ધિ થાય. મને માત્રથી ધર્મની સિદ્ધિ ન થાય, અન્ય કારણે કામ ન લાગે તેથી ધર્મનાં કારણે દરેક મેળવે છે. ધર્મની ઈચ્છાએ પ્રયત્ન કરે છે, તે પણ કારણ છે, તે દરેકને ધર્મની સિદ્ધિ કેમ નથી થતી? અન્ય પણ કારણ તે ખરું જ, પણ તે અન્યનું કારણ બને નહીં. માટી વસ્ત્રનું કારણ ન બની શકે. એનાં ખુદનાં કારણે જોઈએ. ખુદનાં કારણે હોય તે જ કાર્યની સિદ્ધિ થાય. દૂધ શબ્દ વાપર્યો પણ થેરીયા-ખરસાણીનું દૂધ કહેવાય, તે દૂધ પિષક થશે? જેમ થરીયા–ખરસાણીનું દૂધ કહેવાય, પણ દૂધનું કાર્ય જે પિષક્તા, તે બીજા દૂધથી ન થાય; તેમ ધર્મનાં સાચાં-ખરાં વાસ્તવિક કારણે મેળવવામાં આવે, તો જ ધર્મની સિદ્ધિ થાય. આ વાત સર્વમાન્ય છે. તેમાં વિવાદને સ્થાન નથી. આર્યપ્રજા પણ ધર્મની ઈચ્છાવાળી છે. તે વાતમાં વિવાદ નથી. એ વાત નકકી કર કે ધર્મનું ખરું કારણ પું? એ વિચારવાની દરેકને જરૂર છે. માટે તા . ધર્મને હંમેશાં સૂક્ષ્મબુદ્ધિથી જાણ. નહીંતર બુદ્ધિ ધર્મની રહે પરંતુ ધર્મને નાશ થાય. “અન્યથા ધર્મયુદળેવ, તદ્ધિાંત પણ વાસ્તવિક કારણને–સાચા હેતુને અમલમાં ન મેલે તે