Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 138] દેશના દેશનાકામ તે યુવરાજાએ દીર્ઘપૃષ્ટને ભળાવેલ. હવે રાજાએ દીક્ષા લીધી એટલે પાછળથી પ્રધાને પ્રપંચ કરીને વિચાર્યું કે, કુંવરને મારું, અને કુંવરી પ્રણાલિકાને મારા છોકરા સાથે પરણાવી મારા છોકરાને રાજગાદીએ બેસાડું. યવાજાના ઘા - જમાઈ તેરીકે છોકરાને જ રાજગાદીએ બેસાડું. આ વિચારથી પ્રધાને જણાલિકને ઉપાડી પોતાનાં ઘર નીચેનાં ભંયરામાં છુપાવી દીધી. હવે પલે ગર્દભઠ્ઠ કુંવરે (રાજા) પોતાની તે બહેનની ચારે બાજુ તપાસ કરવા છતાં તેને પત્તો ન ખાધે. પ્રધાનો પ્રપંચ, તેવામાં ગુરુની આજ્ઞા પામી વિહાર કરતા તે યવ=રાજર્ષિ ત્યાં આવે છે, તે વાત સાંભળી પ્રધાને વિચાર્યું કે-રાજા જ્ઞાની થયાં છે. રાજા મારા પ્રપંચની હકીક્ત જણાવ્યા વગર રહેશે નહીં. જવર્ષિ વાત ફેડશે તે મારું મેત થશે. કર્મચારીઓ પિતાના રક્ષણ માટે શંકાશીલ હોય. ચોવીસે કલાક મન ડંખેલું જ રહે. તેનાં અંતઃકરણમાં શાંતિનું સ્થાન ન હોય. હવે શું? આવનાર બાપ છે, હેરાન થનાર કુંવર છે, પ્રશ્ન છોકરીને કરશે હવે તેમાં આદું શી રીતે થવાય ? પૂછશે નહી, એમ કુંવરને કહેવાય નહીં. કર્મચારીઓ કુટલતામાં એટલા વધેલા હોય કે જ્યાં કાંકરે હોય ત્યાં વહાણ ચલાવે. પેલા પ્રધાને ગભીલૂને ભરમાવ્યો. મહારાજા આપનું લૂણ ખાધું છે ને ખાઉં છું. આપને વાળ વાંકો થાય તે માટે પ્રાણ જાય. એટલે આપના હિત માટે, આપ આપત્તિમાં ન આવી પડે તે માટે એક વાત કહું. આપના બાપ મુનિ અહીં આવે છે, તે ત્યાગીપણું પાળી શક્યા નથી. રાજ્યની ઈચ્છા થઈ છે. સત્તાના મેહથી પાછા આવે છે. તે સત્તા લેશે, એટલે દરબારી મંડળ તમારું નહીં