Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ પદ] દેશના દેશના– પાર ન હોય તેવી સ્થિતિમાં મૂકીને! તમને ગુલામ બનાવું ને પ્રાણ લઉં! ભવભવ જન્મ જરા મરણના ચક્કરમાં ફેરવું ! લાખ સેંકડે-કડે વખત પ્રાણુ લઉં ! આમ કર્મરાજાની જુલ્મી રીતથી તમને ગુલામ બનાવું ને તમારા પ્રાણ લઉં.! આના જેવી જુલ્મી રીતિ દુનિયામાં ન હોય. ગુલામ બનાવું ને પ્રાણ લઉં. તમારી રિદ્ધિને જાહેર કરવા ન દઉં. કર્મ પિતાની અપેક્ષાએ આત્માને દ્રોહી ગણે, અને જન્મ–જરા-મરણરૂપ ઘાંચીની ઘાણીમાં પલે ! જે કર્મ આ જીવને ગુલામીની ધુંસરીમાં જોડી શકે, જંપીને બેસવા ન દે. જન્મ જરા મરણની ઘાણીમાં પલે તે કર્મ કેટલું દૂર? મનુષ્ય વિચારે કંઈ ને કુદરત કરે કંઈ! મનુષ્યની ધારણા પ્રમાણે કાર્ય થતું હોય તે ચક્રવર્તિના વંશમાં કેટલીય વંશપરંપરા સુધી ચક્રવર્તિણું રહેત! પણ કુદરત કેઈ જુદું જ કામ કરે છે. કર્મરાજા આમ આખા જગતને ગુલામ રાખવા માટે તૈયાર રહે છે, પણ કુદરત મનુષ્યપણું આપે છે, ત્યાં કર્મરાજાના ટાંટીયા કપાઈ જાય છે. આ જીવ, એકેન્દ્રિયાદિમાં જુલમ શું ચીજ, તે સમજાતે જ નથી, તે નિવારે ક્યાંથી? કુદરતે મનુષ્યપણામાં કર્મની પિલ ઉઘાડી પાડવાનું ગોઠવ્યું છે. કર્મને છેદ ક્રવા માટે યંત્ર ગોઠવ્યા છે. કર્મનાં હાડકા બાળી નખાય એવું પડ્યુંત્ર બનાવ્યું છે. શુદ્ધ ચિદાનંદસ્વરૂપ-આત્માની દશા મનુષ્યપણામાં જ મેળવાય છે. કર્મને સર્વથા નાશ કી, સંપૂર્ણ આબાદી અને આઝાદી મેળવવાની દશા જે કઈપણ જગ પર હેય તે માત્ર મનુષ્યપણુમાં જ છે, પરંતુ જે દેશ પિતાની પવિત્રતાએ જગતની ટેચે ચડેલે હોય તેવા દેશમાં દ્રોહીઓ ન હોય તેવું નથી. દ્રોહી વગરને કેઈ દેશ નથી. મારા દેશમાં દ્રોહીઓ ન હોય