Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 50] દેશના દેશનાતીર્થકરને, ગુરુઓને અને ધર્મને સાચી રીતે તેણે માન્ય ગણ? માત્ર ધારણથી દેવ–ગુર્ધર્મનું સાચાપણું નહિ. આત્માનાં કલ્યાણની ઈચ્છાવાળે અને આગમને પ્રમાણ કરનારે આત્મા જ આગમમાં કહેલાં લક્ષણવાળા દેવને દેવ તરીકે માને. તે દેવે કહેલાં શાસ્ત્રાધારે ગુરુ અને ધર્મ માને તે તે ગુરુ અને ધર્મ શુદ્ધ માન્ય ગણાય. આ સાચા દેવ, ગુરુ અને ધર્મ. આથી નકકી કર્યું કે જેણે આગમેને માન્યાં તેણે જ સાચા દેવ ગુરુ ધર્મને માન્યા. સંપૂર્ણ આડખીલી વગરનું સ્થાન. સંપૂર્ણ અખંડ રહેવાનું અખંડસ્થાન, કેઈકાલે જેમાં આડખીલી કે અપૂર્ણતા નહિં તેવું સ્થાન, તે મેક્ષ માટે આગમના આધારે શુદ્ધ દેવ–ગુ—ધર્મનું આલમ્બન કરે તે સમકિતવાળા. પ્રશ્ન થશે કે તે તે માન્યતામાં જ સમકિત કહી શકશે, બંધમાં સમકિત કહી શકશે નહિ; માટે બેધ અને વર્તનમાં પણ સમક્તિ કહે.” પરંતુ માન્યતા એટલે સાધ્યને નિશ્ચય, તેને જ અહિં સમકિત કહીએ છીએ. ચારિત્રમાં, વર્તનમાં, જ્ઞાનમાં સમકિત માનીએ છીએ, પણ તે અહિં કહેતા નથી. “વાણયાને છો” બોલે છે, પણ “વાણુઓ છોકરે” એમ કેમ નથી બોલતા? બાપની જાત કહી એટલે છોકરાની જાત આવી ગઈ. તેમ સમ્યજ્ઞાન ને ચારિત્ર તે છોકરાં છે અને સમ્યત્વ તે બાપ છે. સમ્યગદર્શન હેય તે જ જ્ઞાન અને ચારિત્ર કહેવાય. જ્ઞાનમાં, ચારિત્રમાં, સમ્યપણું દર્શનનું ઉતરેલું છે. કહેશે કે-જ્ઞાનમાં સમ્યકપણું, ચારિત્રમાં સભ્યપણું માનીએ છીએ ને ?" વાત ખરીદત્તક લીધે પણ મિલક્ત આપવાની નથી. દત્તક લીધે કબૂલ, પણ તે પછી તે છોકરાની ફારગતી તેના ભાઈની ચાલે છેકરાની ફારગતી ન ચાલે. દત્તની