Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 420. પૂજા ઉપગશૂન્યપણે ચન્દનાદિ વડે પૂજા કરવી તે દ્રવ્યપૂજા અને ગુણોની એકતારૂપ પૂજા તે ભાવપૂજ, તે ભવિપૂજાની બે શ્લેક વડે અહીં વ્યાખ્યા કરવામાં આવે છે - હે ઉત્તમ પુરુષ ! સ્વ અને પરના દ્રવ્ય પ્રાણ અને ભાવપ્રાણની રક્ષા કરવારૂપ દયા, તે જ જળ થી જેણે સ્નાન કર્યું છે, પુગલભાવની તૃષ્ણ અને તેથી થતા કે શેકના અભાવરૂપ સતેષ, તે જ વસ્ત્રને ધારણ કરનાર, વિવેકસ્વપરના ભેદજ્ઞાનરૂપ તિલક વડે શોભત, અરિહંતના ગુણેમાં તન્મયતારૂપ ભાવના વડે પવિત્ર આશયવાળ થઈ ભક્તિ-પૂજ્યતાની બુદ્ધિ અને તત્વની શ્રદ્ધારૂપ કેસમિશ્રિત ચન્દનના રસ વડે શુદ્ધ આત્મારૂપ દેવ–પરમેશ્વરની નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ અંગે પૂજા કર. અર્થાત્ તેમની ભક્તિમાં આસક્ત થા. क्षमापुष्पस्रजं धर्मयुग्मक्षौमद्वयं तथा। ध्यानाभरणसारं च तदङ्गे विनिवेशय // 3 // તે શુદ્ધ આત્માના અંગે મારૂપ ફુલની માળા, વ્યવહાર અને નિશ્ચય એ બે પ્રકારના ધર્મરૂપ ઉત્તમ વસ્યુગલ તથા ધ્યાનરૂ૫ ઉત્તમ આભરણને માનસભા પહેરાવ, હવે અનુક્રમે પૂજાના પ્રકાર કહે છે–હે ભવ્ય! શુદ્ધ આત્માના સ્વરૂપરૂપ અંગે ક્રોધના ઉપશમથી થયેલ વચનક્ષમારૂપ અને ધર્મક્ષમારૂપ ફુલની માળા પહેરાવ, શ્રાવક 1 તો તે આત્માના અંગે. ક્ષમાપુHટ્સદં=ામારૂપ ફુલની માળાને. ધર્મયુઅલૌમર્યા=નિશ્ચય અને વ્યવહાર ધર્મરૂપ બે વસ્ત્રોને. તથા=અને. ધ્યાનમાળt=ધ્યાનરૂપ છેક અલંકારને. વિનિરાચ=પહેરાવ. '