Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 381 ભવ. અનુભવવંતની આકૃતિ વગેરે તે સ્થાપના અનુભવ. ભેગવાતા શુભ અને અશુભ કર્મના વિપાકમાં ઉપયોગ નહિ હવે તે દ્રવ્યાનુભવ. કારણ કે “અણુવોનો ટુવ્વ” ઉપયોગ નહિ હો” એ દ્રવ્યનું લક્ષણ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. ભાવ અનુભવના બે પ્રકાર છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં સાંસારિક વિષય અને કષાયને અનુભવમાં તન્મયતા તે અપ્રશસ્ત ભાવઅનુભવ અને અરિહંતના ગુણાનુરાગના આસ્વાદમાં તન્મયતા તે પ્રશસ્ત ભાવઅનુભવ. સ્વરૂપના અનન્ત પર્યાયરૂપે પરિણમેલા વિચિત્ર જ્ઞાનના આસ્વાદનમાં તન્મયતરૂપ સ્થિરતા તે શુદ્ધ ભાવ અનુભવ છે. અહિં ભાવ અનુભવનું નિરૂપણ કરવાને અવસર છે. નગમનથી અનુભવની ઇચ્છા કરનારને, સંગ્રહ નયથી તેના કારણમાં રહેલી ગ્યતાને આશ્રયી ઉપગવાળા અને ઉપગરહિતને, વ્યવહારનયથી શાસ્ત્રના અભ્યાસ, વાચના અને પૃચ્છના કરનારને, ઋજુસૂત્રનયથી મનના વિકલ્પને રેવા પૂર્વક એકાગ્રતામાં વર્તનારને, શબ્દનયથી જ્ઞાને પગથી ગ્રહણ કરેલા અનન્ત. ધર્મયુક્ત આત્મદ્રવ્યની અનન્તતાના જ્ઞાનને અનુભવ કરનારને, સમ ભિરૂઢનયથી મુખ્ય જ્ઞાન-દર્શન ગુણસ્વરૂપ આત્મદ્રવ્યમાં રમણતા, ઉપગ અને તેમાં તન્મયતાના અનુભવ કરનારને અને એવભૂતનયથી આત્મદ્રવ્યના એક મુખ્ય પર્યાયમાં તન્મયતાને અનુભવ કરનારને અનુભવ કહેવાય છે. અહીં જેને અનુભવ છે તેની જ ભાવના (વિચાર) કર્તવ્ય છે. તેથી સ્વરૂપના અનુભવ સિવાય જ્ઞાન અને