Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ રપર માથસ્થાષ્ટક મધ્યસ્થ પુરુષના મનરૂપ વાછડે યથાર્થ વસ્તુસ્વરૂપનું જ્ઞાન કરવા માટે યુક્તિરૂપ ગાયની પાછળ જાય છે. કારણ કે તેને પક્ષપાત નહિ હોવાથી વસ્તુને યથાર્થ બંધ થાય છે. તે સમ્યજ્ઞાનના કારણભૂત યુક્તિરૂપ ગાયને તુચ્છ–સ્યાદુવાદ, ઉત્સર્ગ અને અપવાદાદિ અનન્ત ઉપગશન્ય એવા કદાગ્રહવાળા પુરુષનું મનરૂપ માંકડું પુંછડા વડે ખેંચે છે એટલે યુક્તિની ગતિને રેકે છે. કદાગ્રહવાળા પુરુષના મનમાં તેવા પ્રકારની યથાર્થ યુક્તિ પ્રવેશ કરતી નથી. તેનામાં પક્ષની જ દષ્ટિ હોય છે, તત્ત્વદષ્ટિ હોતી નથી. नयेषु स्वार्थसत्येषु मोघेषु परचालने / समशीलं मनो यस्य स मध्यस्थो महामुनिः॥३॥ પિતાપિતાના અભિપ્રાય સાચા અને બીજા નયની યુક્તિથી ચલાવે ત્યારે નિષ્ફળ એવા નમાં જેનું મન પક્ષપાત રહિત સમાન સ્વભાવને ધારણ કરે છે તે મહામુનિ મધ્યસ્થ છે. સર્વ નો સપ્રતિપક્ષ છે. જે એક નયપક્ષપાતી તે અષ્ટસિદ્ધાન્ત (સિદ્ધાન્તને અજ્ઞાની) કહીએ કહ્યું છે કે "नियनियवयणिजसच्चा सम्बनया परवियालणे मोहा। ते पुण ण दिट्ठसमओ विभयइ सच्चे व अलिए वा" / सन्मति कां० 1 गा० 28 1 વાઈસ ચેપુ=પતપતાના અભિપ્રાય સાચા. પરચાને બીજા નયોના વક્તવ્યનું નિરાકરણ કરવામાં. મોઘપુ નિષ્ફળ (એવા). નવુ નમાં. =જેનું. મન:=મન. સમશીતં સમસ્વભાવવાળું છે. સર=. મામુનિ =મહાન મુનિ, મધ્યર્થ=મધ્યસ્થ છે.